નારીસંપદાઃ વિવેચન/લોકસાહિત્યના સંશોધનની સમસ્યાઓ અને દક્ષિણ ગુજરાતનું આદિવાસી લોકસાહિત્ય: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 47: Line 47:
આપણી પાસે લોકસાહિત્યના સંશોધનનો, તેના વિવિધ પાસાં અને અંગોપાંગોનો કોઈ સમગ્રદર્શી આલેખ નથી. પાઠસંગ્રાહકે નોંધવાની વિગતો અંગે ભાયાણીસાહેબે આપેલા માર્ગદર્શન સાથે મંડી પડવું જોઈએ. અલબત્ત, ગમે તેટલું કરવા છતાં પૂર્ણતા એક આદર્શ જ બની રહે છે. કેમ કે કોઈ પણ સંસ્કૃતિ અનેકવિધ સંકુલતાઓથી જ સમૃદ્ધ બની હોય છે. એટલે આદિવાસી કલાસાહિત્યને પૂરેપૂરી વૈજ્ઞાનિક પદ્ધતિએ તપાસવાનું મુશ્કેલ છે. મેઘાણી આપણા લોકસાહિત્યના વિરાટ મહેરામણને પૂરેપૂરો ખૂંદી નહોતા શક્યા, પરંતુ ક્યાં કેટલું હીર પડેલું છે તેની તેમને પરખી હતી. ‘લોકસાહિત્ય: ધરતીનું ધાવણ’ - ખંડ-૧ના નિવેદનમાં તેઓ ટહેલ નાખે છે: “હવે હું યુનિવર્સિટીના મહાલયમાં વિચરનારા હજારો ગુજરાતી યુવાનોને સાદ પાડું છું કે થોડાક તો નીકળો, કોઈક તો કમ્મર કસો! આપણાં રાનીપરજ ને કાળીપરજ, આપણા ભીલો ને ધારાળાઓ, આપણી સુવિશાળ રત્નાકર પટ્ટીના કંઠાળવાસી નાવિકો અને નાખુદાઓ, તેમની પાસે સચવાઈ રહેલી લોકવાણીને વીણી લાવી યુનિવર્સિટીને દ્વારે હાજર કરો. સાચો સુયશ તો જ ચડશે-આપણને ને આપણી વિદ્યાપીઠને.”
આપણી પાસે લોકસાહિત્યના સંશોધનનો, તેના વિવિધ પાસાં અને અંગોપાંગોનો કોઈ સમગ્રદર્શી આલેખ નથી. પાઠસંગ્રાહકે નોંધવાની વિગતો અંગે ભાયાણીસાહેબે આપેલા માર્ગદર્શન સાથે મંડી પડવું જોઈએ. અલબત્ત, ગમે તેટલું કરવા છતાં પૂર્ણતા એક આદર્શ જ બની રહે છે. કેમ કે કોઈ પણ સંસ્કૃતિ અનેકવિધ સંકુલતાઓથી જ સમૃદ્ધ બની હોય છે. એટલે આદિવાસી કલાસાહિત્યને પૂરેપૂરી વૈજ્ઞાનિક પદ્ધતિએ તપાસવાનું મુશ્કેલ છે. મેઘાણી આપણા લોકસાહિત્યના વિરાટ મહેરામણને પૂરેપૂરો ખૂંદી નહોતા શક્યા, પરંતુ ક્યાં કેટલું હીર પડેલું છે તેની તેમને પરખી હતી. ‘લોકસાહિત્ય: ધરતીનું ધાવણ’ - ખંડ-૧ના નિવેદનમાં તેઓ ટહેલ નાખે છે: “હવે હું યુનિવર્સિટીના મહાલયમાં વિચરનારા હજારો ગુજરાતી યુવાનોને સાદ પાડું છું કે થોડાક તો નીકળો, કોઈક તો કમ્મર કસો! આપણાં રાનીપરજ ને કાળીપરજ, આપણા ભીલો ને ધારાળાઓ, આપણી સુવિશાળ રત્નાકર પટ્ટીના કંઠાળવાસી નાવિકો અને નાખુદાઓ, તેમની પાસે સચવાઈ રહેલી લોકવાણીને વીણી લાવી યુનિવર્સિટીને દ્વારે હાજર કરો. સાચો સુયશ તો જ ચડશે-આપણને ને આપણી વિદ્યાપીઠને.”
મેઘાણીએ છેક ૧૯૩૯માં નાખેલી આ ટહેલ આજે પણ એટલી જ પ્રસ્તુત છે, બલકે હવે તો તે અત્યંત તાકીદની બની છે. યુનિવર્સિટીઓમાં લોકસાહિત્યનું પ્રશ્નપત્ર ભણાવાય છે, પરંતુ રેઢિયાળ રીતે. એમાં ક્ષેત્રકાર્ય ઉપર એના સંશોધનોની પદ્ધતિઓ સંદર્ભે પ્રત્યક્ષ કામ ભાગ્યે જ થાય છે. એટલું પણ શરૂ થાય તો કદાચ કશુંક ક્રાંતિકારી પરિણામ આવી શકે.
મેઘાણીએ છેક ૧૯૩૯માં નાખેલી આ ટહેલ આજે પણ એટલી જ પ્રસ્તુત છે, બલકે હવે તો તે અત્યંત તાકીદની બની છે. યુનિવર્સિટીઓમાં લોકસાહિત્યનું પ્રશ્નપત્ર ભણાવાય છે, પરંતુ રેઢિયાળ રીતે. એમાં ક્ષેત્રકાર્ય ઉપર એના સંશોધનોની પદ્ધતિઓ સંદર્ભે પ્રત્યક્ષ કામ ભાગ્યે જ થાય છે. એટલું પણ શરૂ થાય તો કદાચ કશુંક ક્રાંતિકારી પરિણામ આવી શકે.
'''ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક પૃ.૨૭-૩૬ : ૨૦૧૦'''
'''ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક પૃ.૨૭-૩૬ : ૨૦૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}