15,964
edits
No edit summary |
No edit summary |
||
(6 intermediate revisions by the same user not shown) | |||
Line 10: | Line 10: | ||
ગુજરાતીમાં પ્રચલિત ‘વિવેચક’ અને ‘વિવેચન’ અર્વાચીન સંજ્ઞાઓ છે. તેમનું રૂપ સંસ્કૃત તત્સમ શબ્દોનું છે; પરંતુ પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં, વર્તમાનકાલીન પ્રચલિત અર્થમાં, તેમનો ભાગ્યે જ ક્યાંય ઉપયોગ થયો છે. અભિનવગુપ્ત-વિરચિત ध्वन्यावलोकामोचन, કુન્તક-કૃત वक्रक्तिजीवितम् આદિ ગ્રંથોમાં જ્યાં ‘વિવેચક' અને ‘વિવેચન’ જેવા શબ્દ જોવા મળે છે, ત્યાં તે ‘વિવેકી’ (સારા-નરસાનો ભેદ કરી શકતી વ્યક્તિ) અને ‘ચર્ચાવિચારણા'ના અર્થમાં યોજાયા છે. વિવેચક એટલે સાહિત્યનું વર્ણન–અર્થઘટન- મૂલ્યાંકન કરતો વિદ્વાન અને વિવેચન એટલે સાહિત્યનું વર્ણન-અર્થઘટન-મૂલ્યાંકન કરતું શાસ્ત્ર, એવા અર્થમાં આ સંજ્ઞાઓ સંસ્કૃતમાં યોજાઈ નથી (સંસ્કૃતમાં વિવેચન માટે ‘અલંકારશાસ્ત્ર', ‘કાવ્યશાસ્ત્ર', ‘કાવ્યમીમાંસા' જેવી સંજ્ઞાઓ યોજાતી હતી.) | ગુજરાતીમાં પ્રચલિત ‘વિવેચક’ અને ‘વિવેચન’ અર્વાચીન સંજ્ઞાઓ છે. તેમનું રૂપ સંસ્કૃત તત્સમ શબ્દોનું છે; પરંતુ પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં, વર્તમાનકાલીન પ્રચલિત અર્થમાં, તેમનો ભાગ્યે જ ક્યાંય ઉપયોગ થયો છે. અભિનવગુપ્ત-વિરચિત ध्वन्यावलोकामोचन, કુન્તક-કૃત वक्रक्तिजीवितम् આદિ ગ્રંથોમાં જ્યાં ‘વિવેચક' અને ‘વિવેચન’ જેવા શબ્દ જોવા મળે છે, ત્યાં તે ‘વિવેકી’ (સારા-નરસાનો ભેદ કરી શકતી વ્યક્તિ) અને ‘ચર્ચાવિચારણા'ના અર્થમાં યોજાયા છે. વિવેચક એટલે સાહિત્યનું વર્ણન–અર્થઘટન- મૂલ્યાંકન કરતો વિદ્વાન અને વિવેચન એટલે સાહિત્યનું વર્ણન-અર્થઘટન-મૂલ્યાંકન કરતું શાસ્ત્ર, એવા અર્થમાં આ સંજ્ઞાઓ સંસ્કૃતમાં યોજાઈ નથી (સંસ્કૃતમાં વિવેચન માટે ‘અલંકારશાસ્ત્ર', ‘કાવ્યશાસ્ત્ર', ‘કાવ્યમીમાંસા' જેવી સંજ્ઞાઓ યોજાતી હતી.) | ||
ગુજરાતીમાં પ્રચલિત ‘વિવેચક' અને ‘વિવેચન' સંજ્ઞાઓ અંગ્રેજી critic અનેcriticism શબ્દોના પર્યાય રૂપે યોજાઈ છે. (અંગ્રેજી critic શબ્દનું મૂળ ગ્રીક kritikos પરથી વ્યુત્પન્ન લૅટિન criticusમાં રહ્યું છે. તેનો મૂળ અર્થ છે : સારાસારનો વિવેક કરવો; ન્યાય કરવો.) તેથી અંગ્રેજીમાં criticism અને criticના જે અર્થ રૂઢ અને માન્ય છે, તે જ અર્થનું ગુજરાતી ‘વિવેચન' અને ‘વિવેચક' સંજ્ઞાઓમાં આરોપણ થયું છે. અર્થાત્ સાહિત્યનું વર્ણન-અર્થઘટન-મૂલ્યાંકન કરતું શાસ્ત્ર તે વિવેચન; અને આવા વિવેચનની કામગીરીમાં પ્રવૃત્ત વિદ્વાન તે વિવેચક. | ગુજરાતીમાં પ્રચલિત ‘વિવેચક' અને ‘વિવેચન' સંજ્ઞાઓ અંગ્રેજી critic અનેcriticism શબ્દોના પર્યાય રૂપે યોજાઈ છે. (અંગ્રેજી critic શબ્દનું મૂળ ગ્રીક kritikos પરથી વ્યુત્પન્ન લૅટિન criticusમાં રહ્યું છે. તેનો મૂળ અર્થ છે : સારાસારનો વિવેક કરવો; ન્યાય કરવો.) તેથી અંગ્રેજીમાં criticism અને criticના જે અર્થ રૂઢ અને માન્ય છે, તે જ અર્થનું ગુજરાતી ‘વિવેચન' અને ‘વિવેચક' સંજ્ઞાઓમાં આરોપણ થયું છે. અર્થાત્ સાહિત્યનું વર્ણન-અર્થઘટન-મૂલ્યાંકન કરતું શાસ્ત્ર તે વિવેચન; અને આવા વિવેચનની કામગીરીમાં પ્રવૃત્ત વિદ્વાન તે વિવેચક. | ||
વિવેચકના પર્યાય તરીકે ગુજરાતીમાં ‘આલોચક' ‘સમાલોચક' ‘સમીક્ષક’ જેવી સંસ્કૃત તત્સમ સંજ્ઞાઓ પણ પ્રસંગોપાત્ત યોજાતી રહે છે. (હિંદીમાં ‘વિવેચક'ને સ્થાને આલોચક' અને ‘વિવેચન' માટે ‘આલોચના' શબ્દ જ યોજાય છે.) આ બધી સંજ્ઞાઓ વ્યુત્પત્તિની દૃષ્ટિએ સમાનાર્થી છે. ‘આલોચના’ અને ‘સમાલોચના' શબ્દના મૂળમાં રહેલ लुच् ધાતુનો અર્થ છે ‘જોવું'. ‘આલોચના’–‘સમાલોચના' એટલે ‘બરાબર જોવું'. 'આલોચક’-‘સમાલોચક’ એટલે બરાબર જોનાર'. તે જ રીતે, ‘સમીક્ષા' એટલે सम्यक् ईक्षा યા | વિવેચકના પર્યાય તરીકે ગુજરાતીમાં ‘આલોચક' ‘સમાલોચક' ‘સમીક્ષક’ જેવી સંસ્કૃત તત્સમ સંજ્ઞાઓ પણ પ્રસંગોપાત્ત યોજાતી રહે છે. (હિંદીમાં ‘વિવેચક'ને સ્થાને આલોચક' અને ‘વિવેચન' માટે ‘આલોચના' શબ્દ જ યોજાય છે.) આ બધી સંજ્ઞાઓ વ્યુત્પત્તિની દૃષ્ટિએ સમાનાર્થી છે. ‘આલોચના’ અને ‘સમાલોચના' શબ્દના મૂળમાં રહેલ लुच् ધાતુનો અર્થ છે ‘જોવું'. ‘આલોચના’–‘સમાલોચના' એટલે ‘બરાબર જોવું'. 'આલોચક’-‘સમાલોચક’ એટલે બરાબર જોનાર'. તે જ રીતે, ‘સમીક્ષા' એટલે सम्यक् ईक्षा યા ईक्षणम्. તેનો પણ અર્થ છે : બરાબર જોવું'. ‘સમીક્ષક' એટલે ‘બરાબર જોનાર’. તેથી ‘વિવેચક,' ‘આલોચક', ‘સમાલોચક’-‘સમીક્ષક’નો લાક્ષણિક રૂઢ અર્થ થાય છે : સાહિત્યકૃતિને સૂક્ષ્મતાપૂર્વક જોઈ-તપાસી, તેમાંના ગુણદોષ યા સુંદરતા-કદરૂપતાનું બરાબર દર્શન કરી, તદનુસાર તેનું સમ્યગ્ વર્ણન અને સમુચિત મૂલ્યાંકન કરનાર વિદ્વાન. | ||
વિવેચકની સાહિત્યલક્ષી વર્ણન-અર્થઘટન-મૂલ્યાંકનની પ્રવૃત્તિ વિવેચન યા આલોચના કહેવાય છે. વિવેચનનું ક્ષેત્ર ઘણું વ્યાપક છે. તેમાં સાહિત્યના ઉપલક્ષમાં થતી તાત્ત્વિક યા સૈદ્ધાંતિક ચર્ચાવિચારણાનો સમાવેશ થાય છે; તેમ કૃતિવિશેષને અનુલક્ષી થતી વિચારણાનો સમાવેશ થાય છે. સાહિત્યકારો, સાહિત્યકૃતિઓ, સાહિત્યસ્વરૂપો, સાહિત્યિક આંદોલનો અને પ્રવાહો વગેરેનું (તેમનાં જન્મ, પ્રેરક બળ, લક્ષણ, વિકાસ, પ્રભાવ આદિ દર્શાવતું) નિરૂપણ કરતા સાહિત્યના ઇતિહાસો તેમ જ સર્જકો-વિવેચકોના સાહિત્યસર્જનસાપેક્ષ ચરિત્રગ્રંથો પણ વિવેચનના ક્ષેત્રમાં સ્થાન પામે છે. પ્રાચીન-અર્વાચીન કૃતિઓનાં અધિકૃત સંપાદનો સાથે રજૂ થતાં તદ્વિષયક પ્રસ્તાવના, ટીકા-ટિપ્પણ આદિનો સમાવેશ પણ વિવેચનમાં થાય છે. સામયિકો અને વર્તમાનપત્રોની સાહિત્યિક કટારોમાં લખાતાં પુસ્તકાવલોકનો, ગ્રંથસમીક્ષાઓ, કાવ્યકૃતિઓનાં રસદર્શન પણ વિવેચન કહેવાય છે. ટૂંકમાં, સાહિત્યવિષયક તાત્ત્વિક વિચારણા કરતાં તેમ જ સાહિત્યકૃતિઓનાં પરિચય, સમજૂતી, અર્થ-ભાવઘટન, પૃથક્કરણ, તુલના, રસદર્શન, મૂલ્યાંકન આપતાં લખાણ વિવેચનને નામે ઓળખાય છે. | વિવેચકની સાહિત્યલક્ષી વર્ણન-અર્થઘટન-મૂલ્યાંકનની પ્રવૃત્તિ વિવેચન યા આલોચના કહેવાય છે. વિવેચનનું ક્ષેત્ર ઘણું વ્યાપક છે. તેમાં સાહિત્યના ઉપલક્ષમાં થતી તાત્ત્વિક યા સૈદ્ધાંતિક ચર્ચાવિચારણાનો સમાવેશ થાય છે; તેમ કૃતિવિશેષને અનુલક્ષી થતી વિચારણાનો સમાવેશ થાય છે. સાહિત્યકારો, સાહિત્યકૃતિઓ, સાહિત્યસ્વરૂપો, સાહિત્યિક આંદોલનો અને પ્રવાહો વગેરેનું (તેમનાં જન્મ, પ્રેરક બળ, લક્ષણ, વિકાસ, પ્રભાવ આદિ દર્શાવતું) નિરૂપણ કરતા સાહિત્યના ઇતિહાસો તેમ જ સર્જકો-વિવેચકોના સાહિત્યસર્જનસાપેક્ષ ચરિત્રગ્રંથો પણ વિવેચનના ક્ષેત્રમાં સ્થાન પામે છે. પ્રાચીન-અર્વાચીન કૃતિઓનાં અધિકૃત સંપાદનો સાથે રજૂ થતાં તદ્વિષયક પ્રસ્તાવના, ટીકા-ટિપ્પણ આદિનો સમાવેશ પણ વિવેચનમાં થાય છે. સામયિકો અને વર્તમાનપત્રોની સાહિત્યિક કટારોમાં લખાતાં પુસ્તકાવલોકનો, ગ્રંથસમીક્ષાઓ, કાવ્યકૃતિઓનાં રસદર્શન પણ વિવેચન કહેવાય છે. ટૂંકમાં, સાહિત્યવિષયક તાત્ત્વિક વિચારણા કરતાં તેમ જ સાહિત્યકૃતિઓનાં પરિચય, સમજૂતી, અર્થ-ભાવઘટન, પૃથક્કરણ, તુલના, રસદર્શન, મૂલ્યાંકન આપતાં લખાણ વિવેચનને નામે ઓળખાય છે. | ||
<center>૨</center> | <center>૨</center> | ||
Line 36: | Line 36: | ||
<center>પ</center> | <center>પ</center> | ||
મધ્યકાલીન પ્રશિષ્ટ સાહિત્યની જેમ કંઠસ્થ લોકસાહિત્યના વિવેચનમાં પણ તેની આગવી પરંપરાઓનો ખ્યાલ વિવેચકપક્ષે હોવો જરૂરી છે. લોકસાહિત્યમાં ગ્રામજનોના મનોભાવો અને ગ્રામીણ કુટુંબજીવન તથા લોકજીવન, તેમનાં વિવિધ રૂપો અને સારી-નરસી પરંપરાઓ ઉપરાંત પ્રાકૃતિક પરિવેશ સહિત, તળપદી લોકબોલીમાં, સ્વાભાવિક રૂપમાં આલેખાય છે. જે તે પ્રદેશના લોકજીવનથી, તેની પરંપરાઓથી, તેની તળપદી બોલી અને રૂઢિપ્રયોગોથી, તેના પ્રાકૃતિક પરિવેશથી અનભિજ્ઞ વિવેચક તે પ્રદેશના લોકસાહિત્યનું યથાર્થ વિવેચન કરી શકે નહીં. આ લેખક(જશવંત શેખડીવાળા)ને પણ, કચ્છ પ્રદેશ અને કચ્છી બોલીના અલ્પજ્ઞાનને લઈ, ‘કચ્છનું લોકસાહિત્ય' (લોકગુર્જરી-૧૨, માર્ચ-૧૯૮૫) નામના લેખમાં, આ કઠોર સત્યનો અનુભવ થયેલો. તેમાં તેણે કચ્છી પ્રકૃતિ અને માનવીઓની વિશેષતાઓનો ઘોતક આવો એક દુહો ટાંક્યો હતો : | મધ્યકાલીન પ્રશિષ્ટ સાહિત્યની જેમ કંઠસ્થ લોકસાહિત્યના વિવેચનમાં પણ તેની આગવી પરંપરાઓનો ખ્યાલ વિવેચકપક્ષે હોવો જરૂરી છે. લોકસાહિત્યમાં ગ્રામજનોના મનોભાવો અને ગ્રામીણ કુટુંબજીવન તથા લોકજીવન, તેમનાં વિવિધ રૂપો અને સારી-નરસી પરંપરાઓ ઉપરાંત પ્રાકૃતિક પરિવેશ સહિત, તળપદી લોકબોલીમાં, સ્વાભાવિક રૂપમાં આલેખાય છે. જે તે પ્રદેશના લોકજીવનથી, તેની પરંપરાઓથી, તેની તળપદી બોલી અને રૂઢિપ્રયોગોથી, તેના પ્રાકૃતિક પરિવેશથી અનભિજ્ઞ વિવેચક તે પ્રદેશના લોકસાહિત્યનું યથાર્થ વિવેચન કરી શકે નહીં. આ લેખક(જશવંત શેખડીવાળા)ને પણ, કચ્છ પ્રદેશ અને કચ્છી બોલીના અલ્પજ્ઞાનને લઈ, ‘કચ્છનું લોકસાહિત્ય' (લોકગુર્જરી-૧૨, માર્ચ-૧૯૮૫) નામના લેખમાં, આ કઠોર સત્યનો અનુભવ થયેલો. તેમાં તેણે કચ્છી પ્રકૃતિ અને માનવીઓની વિશેષતાઓનો ઘોતક આવો એક દુહો ટાંક્યો હતો : | ||
ખેરી બેરીં ને બાવરી, ફૂલ કંઢા ને કખ્ખ; | {{Poem2Close}}<poem>ખેરી બેરીં ને બાવરી, ફૂલ કંઢા ને કખ્ખ; | ||
હોથલ હલો કચ્છડે, જિતે માડુ સવા લખ્યું. | હોથલ હલો કચ્છડે, જિતે માડુ સવા લખ્યું. </poem>{{Poem2Open}} | ||
(હે હોથલ! જ્યાં ખેર, બોરડી, બાવળ, ફૂલ, કંઢા અને કખ્ખ છે, જ્યાં સવા લાખના મૂલ્યનાં માનવી છે, તે કચ્છમાં ચાલો.) | (હે હોથલ! જ્યાં ખેર, બોરડી, બાવળ, ફૂલ, કંઢા અને કખ્ખ છે, જ્યાં સવા લાખના મૂલ્યનાં માનવી છે, તે કચ્છમાં ચાલો.) | ||
આ દુહામાં ‘ખેરી બેરીં ને બાવરીં' શબ્દો પર અનુસ્વાર મૂક્યાં હતાં તેમ જ ‘કંઢા' ને ‘કખ્ખ'ની સાથે ‘ફૂલ'નો પ્રયોગ કર્યો હતો. લેખક કચ્છી બોલી અને પ્રકૃતિથી અજાણ, તેથી તેણે ક્યાંકથી મળેલ કચ્છી દુહો એવા રૂપમાં લખ્યો હતો. અશોક હર્ષ જેવા કચ્છી બોલી-પ્રકૃતિ-પરંપરાથી સુપરિચિત કચ્છી વિદ્વાને તેમાં રહેલી ક્ષતિ જોઈ, તેમના એક લેખમાં તેની આવી ટીકા કરી હતી : | આ દુહામાં ‘ખેરી બેરીં ને બાવરીં' શબ્દો પર અનુસ્વાર મૂક્યાં હતાં તેમ જ ‘કંઢા' ને ‘કખ્ખ'ની સાથે ‘ફૂલ'નો પ્રયોગ કર્યો હતો. લેખક કચ્છી બોલી અને પ્રકૃતિથી અજાણ, તેથી તેણે ક્યાંકથી મળેલ કચ્છી દુહો એવા રૂપમાં લખ્યો હતો. અશોક હર્ષ જેવા કચ્છી બોલી-પ્રકૃતિ-પરંપરાથી સુપરિચિત કચ્છી વિદ્વાને તેમાં રહેલી ક્ષતિ જોઈ, તેમના એક લેખમાં તેની આવી ટીકા કરી હતી : | ||
‘‘લોકગુર્જરી' વાર્ષિકના ૧૧મા અંકમાં પ્રો. શેખડીવાળાએ એક કચ્છી દુહો ટાંક્યો છે... આ દુહામાં ખેરી (ખેર), બેરી (બોરડી) ને બાવી (બાવળ) ઉપર અંત્યાક્ષરે અનુસ્વાર બિનજરૂરી છે. વળી, મૂળ દુહામાં ‘ફૂલ કંઢા ને કખ્ખ' નહીં પરંતુ બ્યા (બીજાં) કંઢા ને કખ્ખ' છે. ‘ફૂલ'ને કચ્છીમાં ‘ફુલ' અથવા ‘ગુલ' કહેવામાં આવે છે, જેની વિપુલતા કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં કલ્પવી પણ મુશ્કેલ છે.'' | ‘‘લોકગુર્જરી' વાર્ષિકના ૧૧મા અંકમાં પ્રો. શેખડીવાળાએ એક કચ્છી દુહો ટાંક્યો છે... આ દુહામાં ખેરી (ખેર), બેરી (બોરડી) ને બાવી (બાવળ) ઉપર અંત્યાક્ષરે અનુસ્વાર બિનજરૂરી છે. વળી, મૂળ દુહામાં ‘ફૂલ કંઢા ને કખ્ખ' નહીં પરંતુ બ્યા (બીજાં) કંઢા ને કખ્ખ' છે. ‘ફૂલ'ને કચ્છીમાં ‘ફુલ' અથવા ‘ગુલ' કહેવામાં આવે છે, જેની વિપુલતા કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં કલ્પવી પણ મુશ્કેલ છે.'' <ref>આ અંગેની વધુ ચર્ચા -વિ ચારણા માટે જુઓ 'ક્ષિતિજ ' ઑક્ટોબ ર-૧૯૬૨;</ref> | ||
(લોકગુર્જરી-અંક : ૧૨, ૧૯૮૮; પૃ. ૨૧૫) | {{right|(લોકગુર્જરી-અંક : ૧૨, ૧૯૮૮; પૃ. ૨૧૫)}}<br> | ||
જશવંત શેખડીવાળાનો લેખ “ ‘સંદેશક રાસ'માં ખંભાતવર્ણન!'' | જશવંત શેખડીવાળાનો લેખ “ ‘સંદેશક રાસ'માં ખંભાતવર્ણન!'' | ||
‘કચ્છનું લોકસાહિત્ય' નામના એ લેખમાં આ લેખકે બીજી પણ એક મોટી ભૂલ કરેલી. તેમાં ઋતુઓના વર્તારા દર્શાવતું એક ‘કચ્છી ભડલીસૂત્ર’ તેણે ટાંકેલું : | ‘કચ્છનું લોકસાહિત્ય' નામના એ લેખમાં આ લેખકે બીજી પણ એક મોટી ભૂલ કરેલી. તેમાં ઋતુઓના વર્તારા દર્શાવતું એક ‘કચ્છી ભડલીસૂત્ર’ તેણે ટાંકેલું : | ||
ડીંની વઝુર ને રાત જા તારા, | {{Poem2Close}}<poem>ડીંની વઝુર ને રાત જા તારા, | ||
ચોંધલ ચંતા ઈ ડુકારજા ચારા. | ચોંધલ ચંતા ઈ ડુકારજા ચારા. | ||
તેનું ગુજરાતી ભાષાંતર આવું કરેલું : | તેનું ગુજરાતી ભાષાંતર આવું કરેલું : | ||
દિવસે વાદળ ને રાતે તારા; | દિવસે વાદળ ને રાતે તારા; | ||
ચોંધલ કહે એ દુકાળના ચાળા. | ચોંધલ કહે એ દુકાળના ચાળા. </poem>{{Poem2Open}} | ||
સોનલ, આણલ, દેવલ જેવાં નામોના સાદૃશ્યે કરી, આ લેખકે ‘ચોધલ'ને કોઈ સ્ત્રીનું વિશેષ નામ સમજી લખ્યું હતું : ‘ચોંધલ કહે એ દુકાળના ચાળા.' અશોક હર્ષે તેને અનુલક્ષી તેમના ઉપર્યુક્ત લેખમાં આવી ટીકા કરી હતી : | સોનલ, આણલ, દેવલ જેવાં નામોના સાદૃશ્યે કરી, આ લેખકે ‘ચોધલ'ને કોઈ સ્ત્રીનું વિશેષ નામ સમજી લખ્યું હતું : ‘ચોંધલ કહે એ દુકાળના ચાળા.' અશોક હર્ષે તેને અનુલક્ષી તેમના ઉપર્યુક્ત લેખમાં આવી ટીકા કરી હતી : | ||
‘આમાં ચોંધલ'નો અર્થ એમણે વ્યક્તિવિશેષ તરીકે ઘટાવેલ છે. કચ્છીમાં ‘ચોંધલ'નો અર્થ થાય 'કહેનાર'. એમાંના ચેં'નાં ક્રિયાપદ બહુવચનસૂચક હોઈને એનો અર્થ થાય ‘કહેનારા’.’’ | ‘આમાં ચોંધલ'નો અર્થ એમણે વ્યક્તિવિશેષ તરીકે ઘટાવેલ છે. કચ્છીમાં ‘ચોંધલ'નો અર્થ થાય 'કહેનાર'. એમાંના ચેં'નાં ક્રિયાપદ બહુવચનસૂચક હોઈને એનો અર્થ થાય ‘કહેનારા’.’’ | ||
(એજન, પૃ. ૨૧૫) આ લેખકે (જશવંત શેખડીવાળાએ) તેના એ લેખમાં આવી બીજી અનેક ભૂલો કરી હતી. તેમને અનુલક્ષી અશોક હર્ષે તેમના લેખમાં જે ટીકા કરેલી તે બિલકુલ સાચી હતી. વિવેચ્ય વિષય માટે જરૂરી જ્ઞાન મેળવ્યા વિના વિવેચક વિવેચન કરે, તો તેનું પરિણામ વિષમ જ આવે. નર્મદે સૈકા પૂર્વે ટીકાકાર યા વિવેચકને અનુલક્ષી જે લખેલું તે આજે પણ પ્રસ્તુત છે : | (એજન, પૃ. ૨૧૫) આ લેખકે (જશવંત શેખડીવાળાએ) તેના એ લેખમાં આવી બીજી અનેક ભૂલો કરી હતી. તેમને અનુલક્ષી અશોક હર્ષે તેમના લેખમાં જે ટીકા કરેલી તે બિલકુલ સાચી હતી. વિવેચ્ય વિષય માટે જરૂરી જ્ઞાન મેળવ્યા વિના વિવેચક વિવેચન કરે, તો તેનું પરિણામ વિષમ જ આવે. નર્મદે સૈકા પૂર્વે ટીકાકાર યા વિવેચકને અનુલક્ષી જે લખેલું તે આજે પણ પ્રસ્તુત છે : | ||
‘જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારું-નરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા (વિવેચન) કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં : જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકાકારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.'' | ‘જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારું-નરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા (વિવેચન) કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં : જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકાકારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.'' | ||
(જૂનું નર્મગદ્ય-ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ-૧. | {{right|(જૂનું નર્મગદ્ય-ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ-૧.<br>{{Gap}}આ. રજી, ૧૯૧૨; પૃ. ૩૫૬)}}<br><br> | ||
આ. રજી, ૧૯૧૨; પૃ. ૩૫૬) | |||
લોકજીવન, લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને લોકબોલીનું પર્યાપ્ત જ્ઞાન યા સમજ ન હોય તો બીજી રીતે સક્ષમ અને સુસજ્જ એવો વિદ્વાન વિવેચક પણ લોકસાહિત્ય પરના તેના વિવેચનમાં ઘણી ગંભીર-મોટી ભૂલો કરી બેસે. લોકસાહિત્યવિષયક તેનું વિવેચન અસત્ય અને અશ્રદ્ધેય જ બની રહે. ચંદ્રકાન્ત દ્વારા થયેલું ‘સોનલ ગરાસણી' નામની એક સોરઠી ગીતકથાનું વિવેચન (મધ્યમાલા, પ્ર. આ. ૧૯૮૨; ‘લોકસાહિત્ય : પ્રજાનાં આંતરસંવેદનનો આલેખ' નામનો લેખ) તેનું ઉદાહરણ છે. તેમણે વિવેચેલી સોરઠી ગીતકથા આવી છે : | લોકજીવન, લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને લોકબોલીનું પર્યાપ્ત જ્ઞાન યા સમજ ન હોય તો બીજી રીતે સક્ષમ અને સુસજ્જ એવો વિદ્વાન વિવેચક પણ લોકસાહિત્ય પરના તેના વિવેચનમાં ઘણી ગંભીર-મોટી ભૂલો કરી બેસે. લોકસાહિત્યવિષયક તેનું વિવેચન અસત્ય અને અશ્રદ્ધેય જ બની રહે. ચંદ્રકાન્ત દ્વારા થયેલું ‘સોનલ ગરાસણી' નામની એક સોરઠી ગીતકથાનું વિવેચન (મધ્યમાલા, પ્ર. આ. ૧૯૮૨; ‘લોકસાહિત્ય : પ્રજાનાં આંતરસંવેદનનો આલેખ' નામનો લેખ) તેનું ઉદાહરણ છે. તેમણે વિવેચેલી સોરઠી ગીતકથા આવી છે : | ||
સોનલ રમતી રે ગઢડાની ગોખે જો, | {{Poem2Close}}<poem>સોનલ રમતી રે ગઢડાની ગોખે જો, | ||
ગઢડાની ગોખે જો; | ગઢડાની ગોખે જો; | ||
રમતાં ઝલાણી સોનલ ગરાસણી. | રમતાં ઝલાણી સોનલ ગરાસણી. </poem>{{Poem2Open}} | ||
‘રમતાં' ઝલાયેલી સોનલને છોડાવવા માટે દાદા ‘ધોળુડાં ધણ', કાકા ‘કાળુડું ખાડું', વીરો ધમરાળા વછેરા', મામા ‘વેલડું ને માફી આપવા' તૈયાર થાય છે, ‘તોય ન છૂટી સોનલ ગરાસણી.' અંતે સોનલનો સ્વામી ‘માથા કેરી મોળ્યું' આપે છે, ત્યારે દમકે છૂટી રે સોનલ ગરાસણી.’ | ‘રમતાં' ઝલાયેલી સોનલને છોડાવવા માટે દાદા ‘ધોળુડાં ધણ', કાકા ‘કાળુડું ખાડું', વીરો ધમરાળા વછેરા', મામા ‘વેલડું ને માફી આપવા' તૈયાર થાય છે, ‘તોય ન છૂટી સોનલ ગરાસણી.' અંતે સોનલનો સ્વામી ‘માથા કેરી મોળ્યું' આપે છે, ત્યારે દમકે છૂટી રે સોનલ ગરાસણી.’ | ||
ચંદ્રકાન્ત ટોપીવાળા, આ ગીતકથાનું વિવેચન કરતાં, તેને પ્રેમની એક સરસ અનુભૂતિ'ને સ્થાનિક રંગો સાથે અને સ્થાનિક અસબાબ સાથે પ્રગટ’ કરતી કૃતિ કહે છે! તેઓ તે વિશે લખે છે : | ચંદ્રકાન્ત ટોપીવાળા, આ ગીતકથાનું વિવેચન કરતાં, તેને પ્રેમની એક સરસ અનુભૂતિ'ને સ્થાનિક રંગો સાથે અને સ્થાનિક અસબાબ સાથે પ્રગટ’ કરતી કૃતિ કહે છે! તેઓ તે વિશે લખે છે : | ||
“રમતાં ઝલાણી સોનલ ગરાસણી.' રમતની પરિભાષામાં અત્યંત સરલતાથી પ્રેમમાં બંધાઈ જવાની વાતને સહજ પ્રગટાવી છે.... આ ગઢડાના કલ્પન દ્વારા અને એના ગોખના કલ્પન દ્વારા પ્રેમની કોઈ વિશેષ ઊંચાઈ સંવેદવાની છે? શરૂઆતની આ પંક્તિઓમાં સોનલ તો ઝલાણી, પણ આપણેય ઝલાણા હવે? આડે આવ્યા કરશે કાકા, મામા, વીરાના દેશ. જેટલા માનવસંબંધોને, સ્નેહીસંબંધોને ઉમેરવા હોય, ઉમેર્યા કરો; કાઢવા હોય, કાઢ્યા કરો. એક સંબંધ છે, જેને છેલ્લે લાવીને મૂકવાનો છે અને જબરી ચોટ રજૂ કરવાની છે. (મધ્યમાલા, પૃ. ૧૦)... વેલ અને માફા પછી લગ્ન. પછી સ્વામી, કસબી ફેંટાવાળો સ્વામી. માથાની મોળ્યું મળી ને પછી? ‘ધબકે છૂટી રે સોનલ ગરાસણી.' ‘ધબક' જેવો આ એક શબ્દ અહીં કેવો અણઊકલ્યો રહે છે ને તોય અનેક રીતે ઉકેલવાની કેવી તેમાં શક્યતા પડેલી છે! એક ધબકે, એક ક્ષણમાં તરત જ છૂટી એવો પહેલો અર્થ તો મળે જ મળે, પણ પ્રેમને અને ધબકને, ધબકને અને હૃદયને, અને હૃદયને ધબકની સાથે કેવો સંબંધ છે! અંદરના સૂક્ષ્મ અનુભવથી માંડી બહારના આલિંગન દૃશ્ય સુધીનો વિસ્તાર છે અહીં. આ છે લોકગીતનો પરચો.'' | “રમતાં ઝલાણી સોનલ ગરાસણી.' રમતની પરિભાષામાં અત્યંત સરલતાથી પ્રેમમાં બંધાઈ જવાની વાતને સહજ પ્રગટાવી છે.... આ ગઢડાના કલ્પન દ્વારા અને એના ગોખના કલ્પન દ્વારા પ્રેમની કોઈ વિશેષ ઊંચાઈ સંવેદવાની છે? શરૂઆતની આ પંક્તિઓમાં સોનલ તો ઝલાણી, પણ આપણેય ઝલાણા હવે? આડે આવ્યા કરશે કાકા, મામા, વીરાના દેશ. જેટલા માનવસંબંધોને, સ્નેહીસંબંધોને ઉમેરવા હોય, ઉમેર્યા કરો; કાઢવા હોય, કાઢ્યા કરો. એક સંબંધ છે, જેને છેલ્લે લાવીને મૂકવાનો છે અને જબરી ચોટ રજૂ કરવાની છે. (મધ્યમાલા, પૃ. ૧૦)... વેલ અને માફા પછી લગ્ન. પછી સ્વામી, કસબી ફેંટાવાળો સ્વામી. માથાની મોળ્યું મળી ને પછી? ‘ધબકે છૂટી રે સોનલ ગરાસણી.' ‘ધબક' જેવો આ એક શબ્દ અહીં કેવો અણઊકલ્યો રહે છે ને તોય અનેક રીતે ઉકેલવાની કેવી તેમાં શક્યતા પડેલી છે! એક ધબકે, એક ક્ષણમાં તરત જ છૂટી એવો પહેલો અર્થ તો મળે જ મળે, પણ પ્રેમને અને ધબકને, ધબકને અને હૃદયને, અને હૃદયને ધબકની સાથે કેવો સંબંધ છે! અંદરના સૂક્ષ્મ અનુભવથી માંડી બહારના આલિંગન દૃશ્ય સુધીનો વિસ્તાર છે અહીં. આ છે લોકગીતનો પરચો.'' | ||
(એજન, પૃ. ૧૨) | {{right|(એજન, પૃ. ૧૨) }}<br> | ||
પરંતુ વિવેચક ટોપીવાળા આ ‘લોકગીતનો પરચો' જરાય પામી શક્યા નથી. આ ‘લોકગીત' વિશેની તેમની ચર્ચામાંનો એક પણ મુદ્દો સાચો નથી. તેમાં નથી ‘પ્રેમની એક સરસ અનુભૂતિ', નથી ‘પ્રેમમાં બંધાઈ જવાની વાત.' તેમાં ‘લગ્ન', હૃદયની ‘ધબક' કે ‘બહારના આલિંગન'નું દૃશ્ય કશું જ નથી! તેમાં તો કોઈ ક્રૂર દુરાચારી અપહરણકર્તાના કઠોર-ભીષણ પંજામાં ફસાઈ ગયેલ ગભરુ યુવતીની લાચારી અને કરુણતાની તેમ જ તેને છોડાવવા માટે એ દુષ્ટ અપહરણકર્તા સામે લડતાં ઝૂઝતાં પોતાનું માથું દઈ દેતા પતિની વીરતાની કથા રજૂ થઈ છે. લોકગીત, તળપદી બોલી, લોકજીવન, લોકસંસ્કૃતિ વિશે બેખબર ટોપીવાળા આ વસ્તુ સમજવામાં નિષ્ફળ ગયા છે. | પરંતુ વિવેચક ટોપીવાળા આ ‘લોકગીતનો પરચો' જરાય પામી શક્યા નથી. આ ‘લોકગીત' વિશેની તેમની ચર્ચામાંનો એક પણ મુદ્દો સાચો નથી. તેમાં નથી ‘પ્રેમની એક સરસ અનુભૂતિ', નથી ‘પ્રેમમાં બંધાઈ જવાની વાત.' તેમાં ‘લગ્ન', હૃદયની ‘ધબક' કે ‘બહારના આલિંગન'નું દૃશ્ય કશું જ નથી! તેમાં તો કોઈ ક્રૂર દુરાચારી અપહરણકર્તાના કઠોર-ભીષણ પંજામાં ફસાઈ ગયેલ ગભરુ યુવતીની લાચારી અને કરુણતાની તેમ જ તેને છોડાવવા માટે એ દુષ્ટ અપહરણકર્તા સામે લડતાં ઝૂઝતાં પોતાનું માથું દઈ દેતા પતિની વીરતાની કથા રજૂ થઈ છે. લોકગીત, તળપદી બોલી, લોકજીવન, લોકસંસ્કૃતિ વિશે બેખબર ટોપીવાળા આ વસ્તુ સમજવામાં નિષ્ફળ ગયા છે. | ||
તેથી ઊલટું, લોકગીત-લોકબોલી-લોકજીવન-લોકસંસ્કૃતિના જ્ઞાતા ઝવેરચંદ મેઘાણી આ લોકગીતનું સરસ તેમ સાચું વિવેચન કરી શક્યા છે : | તેથી ઊલટું, લોકગીત-લોકબોલી-લોકજીવન-લોકસંસ્કૃતિના જ્ઞાતા ઝવેરચંદ મેઘાણી આ લોકગીતનું સરસ તેમ સાચું વિવેચન કરી શક્યા છે : | ||
‘કોઈ ઠાકોરના રાજગઢને ઊંચે ગોખે રમતી – એટલે જ બાળકુંવારી (સગાઈ થઈ હોય પણ લગ્ન ન થયું હોય તેવી લેખક) રજપૂત કન્યાનું અપહરણ થાય છે. ગોખ પરથી ઉતારનારા તો સાંઢ્યોના સવારો – સિંધીઓ સુમરા જેવા જ કોઈ હશે.'' ‘સ્વામી કશી માલ-મૂડી ન લાવ્યો; પણ તલવાર ખેંચીને લડ્યો. એના માથા સાટે સોનલને મુક્તિ મળી...'' ‘સંપૂર્ણ આત્મસમર્પણ વગર સ્રીરક્ષા, ગ્રામરક્ષા, રાષ્ટ્રરક્ષા, ટૂંકમાં સ્વમાનરક્ષા થતી નથી. પીડિતોને હાથ પડેલું સ્વમાન સોદા-સાટાની કે દલાલાં-મસલતોની વસ નથી. આવું કંઈક લોકકવિને કહેવું હશે કે નહીં તે તો કોણ જાણે, પણ બનેલો અથવા કલ્પેલો પ્રસંગ લોકકવિએ થોડામાં થોડા શબ્દોને ખરચે ક્રિયા દ્વારા જ કહી નાખ્યો છે.' | ‘કોઈ ઠાકોરના રાજગઢને ઊંચે ગોખે રમતી – એટલે જ બાળકુંવારી (સગાઈ થઈ હોય પણ લગ્ન ન થયું હોય તેવી લેખક) રજપૂત કન્યાનું અપહરણ થાય છે. ગોખ પરથી ઉતારનારા તો સાંઢ્યોના સવારો – સિંધીઓ સુમરા જેવા જ કોઈ હશે.'' ‘સ્વામી કશી માલ-મૂડી ન લાવ્યો; પણ તલવાર ખેંચીને લડ્યો. એના માથા સાટે સોનલને મુક્તિ મળી...'' ‘સંપૂર્ણ આત્મસમર્પણ વગર સ્રીરક્ષા, ગ્રામરક્ષા, રાષ્ટ્રરક્ષા, ટૂંકમાં સ્વમાનરક્ષા થતી નથી. પીડિતોને હાથ પડેલું સ્વમાન સોદા-સાટાની કે દલાલાં-મસલતોની વસ નથી. આવું કંઈક લોકકવિને કહેવું હશે કે નહીં તે તો કોણ જાણે, પણ બનેલો અથવા કલ્પેલો પ્રસંગ લોકકવિએ થોડામાં થોડા શબ્દોને ખરચે ક્રિયા દ્વારા જ કહી નાખ્યો છે.' | ||
(લોકસાહિત્ય : ધરતીનું ધાવણ – ખંડ ૨, | {{right|(લોકસાહિત્ય : ધરતીનું ધાવણ – ખંડ ૨,<br>બીજી સંવર્ધિત આવૃત્તિ ૧૯૭૨; પૃ. ૬૨-૬૩) }}<br><br> | ||
બીજી સંવર્ધિત આવૃત્તિ ૧૯૭૨; પૃ. ૬૨-૬૩) | |||
સોનલ રમતી રે ગઢડાને ગોખ જો' એ ગુજરાતી કથાગીત આપણા પૌરુષને રોમાંચિત કરે છે, કારણ કે એમાં પોતાની સ્ત્રીને છોડાવવા માટે ‘માથાની મોળ્યું' (પોતાનું મસ્તક) આપવા તલવારભેર નીકળતા પુરુષનો, પડકારનો ધમકે વિજય થાય છે.” | સોનલ રમતી રે ગઢડાને ગોખ જો' એ ગુજરાતી કથાગીત આપણા પૌરુષને રોમાંચિત કરે છે, કારણ કે એમાં પોતાની સ્ત્રીને છોડાવવા માટે ‘માથાની મોળ્યું' (પોતાનું મસ્તક) આપવા તલવારભેર નીકળતા પુરુષનો, પડકારનો ધમકે વિજય થાય છે.” | ||
(એજન, પૃ. ૨૯૭) | {{right|(એજન, પૃ. ૨૯૭)}}<br> | ||
વિવેચ્ય વિષયનું પૂરતું જ્ઞાન વિવેચકમાં શા માટે હોવું જોઈએ તે આ ઉદાહરણ પરથી સમજી શકાશે. | વિવેચ્ય વિષયનું પૂરતું જ્ઞાન વિવેચકમાં શા માટે હોવું જોઈએ તે આ ઉદાહરણ પરથી સમજી શકાશે. | ||
<center>૬</center> | <center>૬</center> | ||
Line 82: | Line 80: | ||
<center> ૮ </center> | <center> ૮ </center> | ||
લલિત કૃતિઓની જેમ વિવેચનની કૃતિઓનું પણ આલોચન થવું જોઈએ. જાગ્રત, સક્ષમ, સન્નિષ્ઠ વિવેચક જો, વિવેચ્ય કૃતિઓ સર્વાંગસુંદર, કલાત્મક, રસપ્રદ હોય તેવી અપેક્ષા સેવતો હોય, તો તેણે વિવેચન પણ વિવેચ્ય કૃતિઓ – વિષયોનું સર્વાશ્લેષી, તલસ્પર્શી, વિશદ, પ્રતીતિકર, વિચારપ્રેરક સચોટ નિરૂપણ કરતું હોય તેવી અપેક્ષા સેવવી જોઈએ. પૂર્વકાલીન યા સમકાલીન વિવેચકોની વિચારણામાં જે કંઈ સંદિગ્ધતા, અસ્પષ્ટતા, ઊણપો, દોષો રહી ગયાં હોય તે તેણે ઉદ્દંડ કે આક્રમક બન્યા વિના નિર્ભીકતાપૂર્વક બતાવવાં જોઈએ. ગુરુજનો તરફનો વ્યક્તિગત ભક્તિભાવ યા સમકાલીનો તરફનો મૈત્રીભાવ કે નવોદિત તીખા તરુણોના પ્રતિ-આઘાતની ભીતિ વિવેચનમાં આડે ન આવવાં જોઈએ. એક સંસ્કૃત સૂક્તિમાં કહ્યું છે તેમ – | લલિત કૃતિઓની જેમ વિવેચનની કૃતિઓનું પણ આલોચન થવું જોઈએ. જાગ્રત, સક્ષમ, સન્નિષ્ઠ વિવેચક જો, વિવેચ્ય કૃતિઓ સર્વાંગસુંદર, કલાત્મક, રસપ્રદ હોય તેવી અપેક્ષા સેવતો હોય, તો તેણે વિવેચન પણ વિવેચ્ય કૃતિઓ – વિષયોનું સર્વાશ્લેષી, તલસ્પર્શી, વિશદ, પ્રતીતિકર, વિચારપ્રેરક સચોટ નિરૂપણ કરતું હોય તેવી અપેક્ષા સેવવી જોઈએ. પૂર્વકાલીન યા સમકાલીન વિવેચકોની વિચારણામાં જે કંઈ સંદિગ્ધતા, અસ્પષ્ટતા, ઊણપો, દોષો રહી ગયાં હોય તે તેણે ઉદ્દંડ કે આક્રમક બન્યા વિના નિર્ભીકતાપૂર્વક બતાવવાં જોઈએ. ગુરુજનો તરફનો વ્યક્તિગત ભક્તિભાવ યા સમકાલીનો તરફનો મૈત્રીભાવ કે નવોદિત તીખા તરુણોના પ્રતિ-આઘાતની ભીતિ વિવેચનમાં આડે ન આવવાં જોઈએ. એક સંસ્કૃત સૂક્તિમાં કહ્યું છે તેમ – | ||
शत्रोरपि गुणा वाच्या दोषा वाच्या गुरोरपि । | {{Poem2Close}}<poem>शत्रोरपि गुणा वाच्या दोषा वाच्या गुरोरपि । | ||
पुरुषं प्रतिबोधाय तत्र दोषो न विद्यते ॥ | पुरुषं प्रतिबोधाय तत्र दोषो न विद्यते ॥ </poem>{{Poem2Open}} | ||
(માણસને સાચી વસ્તુનો ખ્યાલ આપવા માટે શત્રુના પણ જે ગુણો હોય તે કહી દેવા; અને ગુરુજનોના દોષો હોય, તો તે પણ કહી દેવા. તેમ કરવામાં કશો દોષ નથી.) | (માણસને સાચી વસ્તુનો ખ્યાલ આપવા માટે શત્રુના પણ જે ગુણો હોય તે કહી દેવા; અને ગુરુજનોના દોષો હોય, તો તે પણ કહી દેવા. તેમ કરવામાં કશો દોષ નથી.) | ||
આ દૃષ્ટિએ જોતાં સંજાણા, નરસિંહરાવ દિવેટિયા, બ. ક. ઠાકોર, સુન્દરમ્, વિ. મ. ભટ્ટ, સુરેશ જોષી આદિનાં કેટલાંક વિવેચનો વિવેચકો માટે ધ્યાનાર્હ બની રહેવાં ઘટે. મોટા લેખાતા સુપ્રતિષ્ઠ લેખકોની નબળી કૃતિઓની કે સંદિગ્ધ યા ભ્રામક વિચારણાની બરાબર આલોચના થવી જોઈએ. તમામ સર્જકો-વિવેચકોની સારી-નરસી બધી જ કૃતિઓનું કેવળ ગુણદર્શી વિવેચન કરી, ‘અજાતશત્રુ' વિવેચકનું બિરુદ મેળવવા માટે લાલાયિત બની રહેવું, એ વિવેચકની સિદ્ધિનું નહિ પણ શરમનું ઘૌતક ગણાય. ગુજરાતીના આદ્ય વિવેચક નવલરામ પંડ્યાએ સૈકા પૂર્વે આપણા વિવેચકોને જે સલાહ આપેલી તે આજેય વિચારણીય અને અનુકરણ કરવા જોગ છે : | આ દૃષ્ટિએ જોતાં સંજાણા, નરસિંહરાવ દિવેટિયા, બ. ક. ઠાકોર, સુન્દરમ્, વિ. મ. ભટ્ટ, સુરેશ જોષી આદિનાં કેટલાંક વિવેચનો વિવેચકો માટે ધ્યાનાર્હ બની રહેવાં ઘટે. મોટા લેખાતા સુપ્રતિષ્ઠ લેખકોની નબળી કૃતિઓની કે સંદિગ્ધ યા ભ્રામક વિચારણાની બરાબર આલોચના થવી જોઈએ. તમામ સર્જકો-વિવેચકોની સારી-નરસી બધી જ કૃતિઓનું કેવળ ગુણદર્શી વિવેચન કરી, ‘અજાતશત્રુ' વિવેચકનું બિરુદ મેળવવા માટે લાલાયિત બની રહેવું, એ વિવેચકની સિદ્ધિનું નહિ પણ શરમનું ઘૌતક ગણાય. ગુજરાતીના આદ્ય વિવેચક નવલરામ પંડ્યાએ સૈકા પૂર્વે આપણા વિવેચકોને જે સલાહ આપેલી તે આજેય વિચારણીય અને અનુકરણ કરવા જોગ છે : | ||
Line 96: | Line 94: | ||
(પ્રક્રિયા, પ્ર. આ. ૧૯૮૧; ‘સમન્વય’ નામનો લેખ, પૃ. ૫૯-૬૦) | (પ્રક્રિયા, પ્ર. આ. ૧૯૮૧; ‘સમન્વય’ નામનો લેખ, પૃ. ૫૯-૬૦) | ||
નલિન રાવળ કવિતાના ‘લય’ વિશે આવું વિલક્ષણ વિવેચન કરે છે : લય કવિના રક્તમાં ફરતું તત્ત્વ છે. એના આત્મામાં પ્રકાશતું સત્ય છે અને જે ક્ષણે કવિ આંતર-બાહ્ય વિશ્વના સંપર્કમાં મુકાય છે તે જ ક્ષણે તે વૈશ્વિક લયસંચલનને અનુભવે છે... કાવ્યલય મનુષ્યમાત્રનો આત્મલય છે અને ઉત્તમ કવિતા આપણને આત્મલયની ઊંડી પ્રતીતિ કરાવે છે. આમ કવિતા માત્ર કવિની જ નહીં, મનુષ્યમાત્રની લયાત્મક આત્માકથા છે... કવિતામાં લય એટલે સ્મૃતિ અને સ્મૃતિ... | નલિન રાવળ કવિતાના ‘લય’ વિશે આવું વિલક્ષણ વિવેચન કરે છે : લય કવિના રક્તમાં ફરતું તત્ત્વ છે. એના આત્મામાં પ્રકાશતું સત્ય છે અને જે ક્ષણે કવિ આંતર-બાહ્ય વિશ્વના સંપર્કમાં મુકાય છે તે જ ક્ષણે તે વૈશ્વિક લયસંચલનને અનુભવે છે... કાવ્યલય મનુષ્યમાત્રનો આત્મલય છે અને ઉત્તમ કવિતા આપણને આત્મલયની ઊંડી પ્રતીતિ કરાવે છે. આમ કવિતા માત્ર કવિની જ નહીં, મનુષ્યમાત્રની લયાત્મક આત્માકથા છે... કવિતામાં લય એટલે સ્મૃતિ અને સ્મૃતિ... | ||
(અનુભાવ, ‘કવિતામાં પ્રતીક' લેખ, પૃ. ૨૨૦) | {{right|(અનુભાવ, ‘કવિતામાં પ્રતીક' લેખ, પૃ. ૨૨૦)}}<br> | ||
રાધેશ્યામ શર્મા સિતાંશુ યશશ્ચંદ્રના ‘ઓડિસ્યૂસનું હલેસું' કાવ્યસંગ્રહનો પરિચય કરાવતાં લખે છે : આયનાઓમાં સ્વકીય સંકેતોની સુરંગો.'' આ બધાં અને આવાં બીજાં વિવેચનોના વિવેચન માટે વાચકે ક્યાં જવું? | રાધેશ્યામ શર્મા સિતાંશુ યશશ્ચંદ્રના ‘ઓડિસ્યૂસનું હલેસું' કાવ્યસંગ્રહનો પરિચય કરાવતાં લખે છે : આયનાઓમાં સ્વકીય સંકેતોની સુરંગો.'' આ બધાં અને આવાં બીજાં વિવેચનોના વિવેચન માટે વાચકે ક્યાં જવું? | ||
સુમન શાહ આપણા એક વિશિષ્ટ શૈલીકાર વિવેચક છે. સાહિત્યસ્વરૂપો- વિષયક એક ગ્રંથશ્રેણીના સંપાદક તરીકે તેઓ વિવિધ પુસ્તકોના લેખકોનો એવો અનોખો પરિચય કરાવે છે કે તેમાંથી કર્તા કે કૃતિની કશી સાહિત્યિક લાક્ષણિકતાઓનો વિશદ ખ્યાલ મળવાને બદલે કર્તાની કેટલીક વ્યક્તિગત વિચિત્રતાઓનો જ ખ્યાલ મળે છે. દા.ત., ‘ખંડકાવ્ય' પુસ્તકના લેખક જયદેવ શુક્લનો તેમણે આવો પરિચય આપ્યો છે : | સુમન શાહ આપણા એક વિશિષ્ટ શૈલીકાર વિવેચક છે. સાહિત્યસ્વરૂપો- વિષયક એક ગ્રંથશ્રેણીના સંપાદક તરીકે તેઓ વિવિધ પુસ્તકોના લેખકોનો એવો અનોખો પરિચય કરાવે છે કે તેમાંથી કર્તા કે કૃતિની કશી સાહિત્યિક લાક્ષણિકતાઓનો વિશદ ખ્યાલ મળવાને બદલે કર્તાની કેટલીક વ્યક્તિગત વિચિત્રતાઓનો જ ખ્યાલ મળે છે. દા.ત., ‘ખંડકાવ્ય' પુસ્તકના લેખક જયદેવ શુક્લનો તેમણે આવો પરિચય આપ્યો છે : | ||
Line 108: | Line 106: | ||
વિવેચક અને વિવેચન ઇષ્ટ ગુણો-લક્ષણોને આત્મસાત્ કરી શકે, અને અનિષ્ટ વલણો-પ્રવૃત્તિઓને ટાળી શકે, તો સાહિત્યિક ઉત્કર્ષ તેમના લક્ષ્યમાં અવશ્ય સફળ થાય. તે માટે વિવેચકે વાચન, ચિંતન, મનન, ચર્ચા, લેખન વગેરે દ્વારા આવશ્યક તમામ ગુણો કેળવવા જોઈએ અને ઊણપોને નિષ્ઠાપૂર્વક દૂર કરવી જોઈએ. પોતાના વિવેચનમાંથી તેણે ચર્વિતચર્વણ, ગતાનુગતિકતા, અનુકરણ જેવા દોષો નિવારવા જોઈએ, અને પોતાની આગવી મૌલિકતા દાખવવી જોઈએ. પોતાનું વિવેચન વ્યાપક અને તલસ્પર્શી બને, નવીનતા તાજગી વિચારોત્તેજકતાથી સભર બની રહે, તેમ જ સાચું અને શ્રદ્ધેય લાગે, તે માટે તેણે સતત જાગ્રત અને પ્રયત્નશીલ રહેવું જોઈએ. સાહિત્યેતર લાભાલાભની ગણતરીથી પર રહી, તેણે પોતાની વિવેચનપ્રવૃત્તિ જારી રાખવી જોઈએ. વિવેચક જો આમ કરી શકે, તો વિવેચન અને સમગ્ર સાહિત્યનો ઉત્કર્ષ થઈ શકે. | વિવેચક અને વિવેચન ઇષ્ટ ગુણો-લક્ષણોને આત્મસાત્ કરી શકે, અને અનિષ્ટ વલણો-પ્રવૃત્તિઓને ટાળી શકે, તો સાહિત્યિક ઉત્કર્ષ તેમના લક્ષ્યમાં અવશ્ય સફળ થાય. તે માટે વિવેચકે વાચન, ચિંતન, મનન, ચર્ચા, લેખન વગેરે દ્વારા આવશ્યક તમામ ગુણો કેળવવા જોઈએ અને ઊણપોને નિષ્ઠાપૂર્વક દૂર કરવી જોઈએ. પોતાના વિવેચનમાંથી તેણે ચર્વિતચર્વણ, ગતાનુગતિકતા, અનુકરણ જેવા દોષો નિવારવા જોઈએ, અને પોતાની આગવી મૌલિકતા દાખવવી જોઈએ. પોતાનું વિવેચન વ્યાપક અને તલસ્પર્શી બને, નવીનતા તાજગી વિચારોત્તેજકતાથી સભર બની રહે, તેમ જ સાચું અને શ્રદ્ધેય લાગે, તે માટે તેણે સતત જાગ્રત અને પ્રયત્નશીલ રહેવું જોઈએ. સાહિત્યેતર લાભાલાભની ગણતરીથી પર રહી, તેણે પોતાની વિવેચનપ્રવૃત્તિ જારી રાખવી જોઈએ. વિવેચક જો આમ કરી શકે, તો વિવેચન અને સમગ્ર સાહિત્યનો ઉત્કર્ષ થઈ શકે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |