ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી: Difference between revisions

Jump to navigation Jump to search
Corrected Inverted Comas
No edit summary
(Corrected Inverted Comas)
Line 5: Line 5:


ભાષા-સંશોધનને ક્ષેત્રે આપણા ગણતર વિદ્વાનોમાં માનભર્યા સ્થાનના અધિકારી શ્રી હરિવલ્લભ ભાયાણીનો જન્મ સૌરાષ્ટ્રના મહુવા ગામે ઈ.સ. ૧૯૧૭ ની ૨૬ મી મે એ થયો હતો. પિતા શ્રી ચુનીલાલ લવજી ભાયાણી અને માતા ગંગાબેન તે શ્રી ભાયાણીની નાની વયે જ ગુજરી ગયેલાં. દાદીએ એમને ઉછેરીને મોટા કર્યા. જ્ઞાતિએ તેઓ દશા શ્રીમાળી વણિક છે. ૧૯૫૦માં તેમનું લગ્ન ચંદ્રકળાબેન સાથે થયું.
ભાષા-સંશોધનને ક્ષેત્રે આપણા ગણતર વિદ્વાનોમાં માનભર્યા સ્થાનના અધિકારી શ્રી હરિવલ્લભ ભાયાણીનો જન્મ સૌરાષ્ટ્રના મહુવા ગામે ઈ.સ. ૧૯૧૭ ની ૨૬ મી મે એ થયો હતો. પિતા શ્રી ચુનીલાલ લવજી ભાયાણી અને માતા ગંગાબેન તે શ્રી ભાયાણીની નાની વયે જ ગુજરી ગયેલાં. દાદીએ એમને ઉછેરીને મોટા કર્યા. જ્ઞાતિએ તેઓ દશા શ્રીમાળી વણિક છે. ૧૯૫૦માં તેમનું લગ્ન ચંદ્રકળાબેન સાથે થયું.
પ્રાથમિક શિક્ષણ સ્થાનિક દરબારી શાળામાં લઈને મહુવાની શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં દાખલ થયા અને ઈ. ૧૯૩૪માં મેટ્રિક થયા. માધ્યમિક શાળાના અભ્યાસ દરમ્યાન વિદ્યારામ સંસ્કૃત સ્કૉલરશિપ એમને પ્રાપ્ત થયેલી. ઉચ્ચ શિક્ષણ ભાવનગરની શામળદાસ કૉલેજમાં લીધું અને ત્યાંથી મુંબઈ યુનિવર્સિટીની બી. એ.ની પરીક્ષા સંસ્કૃત મુખ્ય વિષય સાથે ઈ. ૧૯૩૯માં પ્રથમ વર્ગમાં ઉત્તીણ કરી; ૧૯૪૧માં સંસ્કૃત મુખ્ય વિષય અને અર્ધમાગધી ગૌણ વિષય સાથે ભારતીય વિદ્યાભવન (મુંબઈ)માંથી એમ. એ. ની પરીક્ષા પણ પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને પસાર કરી અને ભગવાનદાસ પુરુષોત્તમ સંસ્કૃત પારિતોષિક મેળવ્યું. ૧૯૫૨માં એ જ સંસ્થામાંથી અપભ્રંશ ભાષાના મહાન કવિ સ્વયંભૂરચિત મહાકાવ્ય 'પઉમચરિઉ' નું સંપાદન કરી પીએચ. ડી. ની પદવી મેળવી. એમનો મુખ્ય વ્યવસાય અધ્યયન-અધ્યાપનનો છે અને એમની લેખનપ્રવૃત્તિને એ અનુકૂળ છે. ઈ.સ. ૧૯૪૫થી ૧૯૬૫ સુધીનાં વર્ષો એમણે ભારતીય વિદ્યાભવનમાં સંશોધન-અધ્યાપનમાં ગાળ્યાં. હાલ ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં ભાષાવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપે છે.
પ્રાથમિક શિક્ષણ સ્થાનિક દરબારી શાળામાં લઈને મહુવાની શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં દાખલ થયા અને ઈ. ૧૯૩૪માં મેટ્રિક થયા. માધ્યમિક શાળાના અભ્યાસ દરમ્યાન વિદ્યારામ સંસ્કૃત સ્કૉલરશિપ એમને પ્રાપ્ત થયેલી. ઉચ્ચ શિક્ષણ ભાવનગરની શામળદાસ કૉલેજમાં લીધું અને ત્યાંથી મુંબઈ યુનિવર્સિટીની બી. એ.ની પરીક્ષા સંસ્કૃત મુખ્ય વિષય સાથે ઈ. ૧૯૩૯માં પ્રથમ વર્ગમાં ઉત્તીણ કરી; ૧૯૪૧માં સંસ્કૃત મુખ્ય વિષય અને અર્ધમાગધી ગૌણ વિષય સાથે ભારતીય વિદ્યાભવન (મુંબઈ)માંથી એમ. એ. ની પરીક્ષા પણ પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને પસાર કરી અને ભગવાનદાસ પુરુષોત્તમ સંસ્કૃત પારિતોષિક મેળવ્યું. ૧૯૫૨માં એ જ સંસ્થામાંથી અપભ્રંશ ભાષાના મહાન કવિ સ્વયંભૂરચિત મહાકાવ્ય ‘પઉમચરિઉ' નું સંપાદન કરી પીએચ. ડી. ની પદવી મેળવી. એમનો મુખ્ય વ્યવસાય અધ્યયન-અધ્યાપનનો છે અને એમની લેખનપ્રવૃત્તિને એ અનુકૂળ છે. ઈ.સ. ૧૯૪૫થી ૧૯૬૫ સુધીનાં વર્ષો એમણે ભારતીય વિદ્યાભવનમાં સંશોધન-અધ્યાપનમાં ગાળ્યાં. હાલ ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં ભાષાવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપે છે.
શાળાજીવનમાં, કૉલેજજીવનમાં અને અધ્યાપકજીવનમાં વધુ ને વધુ સમૃદ્ધ પુસ્તકાલયોનો સુયોગ એમને થતો રહ્યો છે. ગાંધીવાદી વિચારસરણીએ અને પશ્ચિમના માનવતાવાદ તથા વૈજ્ઞાનિક સંશોધનની દૃષ્ટિએ એમના જીવન ઉપર પ્રબળ અસર પાડી છે. માનવપ્રકૃતિ અને માનવ–ઇતિહાસને લગતી જ્ઞાનવૃદ્ધિમાં સાથ આપવો, અને વિશેષે ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસના અજ્ઞાત અંશ પર પ્રકાશ નાખી તે માટે આવશ્યક સાધનસામગ્રી બહાર લાવવાનો તેમની લેખનપ્રવૃત્તિનો ઉદ્દેશ છે. શ્રી ભાયાણીએ ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને હિંદીમાં પણ લેખનપ્રવૃત્તિ કરી છે. લેખનપ્રવૃત્તિતી શરૂઆત ૧૯૩૯માં ‘પ્રસ્થાન'માં દેવકથાસૃષ્ટિવિષયક એક લેખ લખીને કરેલી.
શાળાજીવનમાં, કૉલેજજીવનમાં અને અધ્યાપકજીવનમાં વધુ ને વધુ સમૃદ્ધ પુસ્તકાલયોનો સુયોગ એમને થતો રહ્યો છે. ગાંધીવાદી વિચારસરણીએ અને પશ્ચિમના માનવતાવાદ તથા વૈજ્ઞાનિક સંશોધનની દૃષ્ટિએ એમના જીવન ઉપર પ્રબળ અસર પાડી છે. માનવપ્રકૃતિ અને માનવ–ઇતિહાસને લગતી જ્ઞાનવૃદ્ધિમાં સાથ આપવો, અને વિશેષે ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસના અજ્ઞાત અંશ પર પ્રકાશ નાખી તે માટે આવશ્યક સાધનસામગ્રી બહાર લાવવાનો તેમની લેખનપ્રવૃત્તિનો ઉદ્દેશ છે. શ્રી ભાયાણીએ ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને હિંદીમાં પણ લેખનપ્રવૃત્તિ કરી છે. લેખનપ્રવૃત્તિતી શરૂઆત ૧૯૩૯માં ‘પ્રસ્થાન'માં દેવકથાસૃષ્ટિવિષયક એક લેખ લખીને કરેલી.
ભાષાશાસ્ત્ર, પ્રાચીન ભારતીય સાહિત્ય, લોકકથાઓ તથા રસમીમાંસા–એ ઐતિહાસિક વિકાસ અને મૂળભૂત તત્ત્વોની ચર્ચા તરફના એમના પ્રકૃતિગત વલણને કારણે એમના પ્રિય અભ્યાસવિષયો રહ્યા છે. એ જ કારણથી પ્રાકૃત-અપભ્રંશ ભાષા તથા સાહિત્ય, ગુજરાતી ભાષા અને લોકકથાની એતિહાસિક તુલના એમના મનગમતા લેખનવિષયો બન્યા છે. અપભ્રંશ તથા જૂની ગુજરાતીના ગ્રંથોનું શાસ્ત્રીય સંપાદન તથા તેમની સાથે સંકળાયેલાં કર્તૃત્વ, સાહિત્યસ્વરૂપ, ભાષાપરંપરા વગેરે ઐતિહાસિક વિષયોનું અન્વેષણ એમના સંશોધનના કેન્દ્રસ્થાને રહે છે. સર્જન-વિવેચન-ચિંતન અને સંશોધનનું સાહિત્ય તેઓ નિરંતર વાંચે છે.
ભાષાશાસ્ત્ર, પ્રાચીન ભારતીય સાહિત્ય, લોકકથાઓ તથા રસમીમાંસા–એ ઐતિહાસિક વિકાસ અને મૂળભૂત તત્ત્વોની ચર્ચા તરફના એમના પ્રકૃતિગત વલણને કારણે એમના પ્રિય અભ્યાસવિષયો રહ્યા છે. એ જ કારણથી પ્રાકૃત-અપભ્રંશ ભાષા તથા સાહિત્ય, ગુજરાતી ભાષા અને લોકકથાની એતિહાસિક તુલના એમના મનગમતા લેખનવિષયો બન્યા છે. અપભ્રંશ તથા જૂની ગુજરાતીના ગ્રંથોનું શાસ્ત્રીય સંપાદન તથા તેમની સાથે સંકળાયેલાં કર્તૃત્વ, સાહિત્યસ્વરૂપ, ભાષાપરંપરા વગેરે ઐતિહાસિક વિષયોનું અન્વેષણ એમના સંશોધનના કેન્દ્રસ્થાને રહે છે. સર્જન-વિવેચન-ચિંતન અને સંશોધનનું સાહિત્ય તેઓ નિરંતર વાંચે છે.
અભ્યાસકાળ દરમ્યાન જ એમને ભાષાશાસ્ત્રના વિષયમાં રસ જાગ્યો હતો. એ પછી ભારતીય વિદ્યાભવનના સંશોધન-વિભાગમાં સંશોધન અને અનુસ્નાતક અધ્યાપનનું કાર્ય કરતાં કરતાં અપભ્રંશ સાહિત્યના અભ્યાસમાં એમને વિશેષ ને વિશેષ રસ પડતો ગયો. એમની પ્રથમ કૃતિ ઈ.સ. ૧૯૪૫માં મુનિશ્રી જિનવિજયજી સંપાદિત અપભ્રંશ કાવ્ય 'સંદેશરાસક'ના વ્યાકરણ અને છંદનું વિશ્લેષણ કરી તેનું અધ્યયનમૂલક વિવેચન કરતો એ કૃતિ સાથે જોડાયેલો અભ્યાસલેખ છે. એ પછી ઈ. ૧૯૪૮માં શ્રી મધુસૂદન મોદીના સહકારમાં ‘પઉમસિરિચરિઉ' (અપભ્રંશ કાવ્ય)નું એમનું સંપાદન અને ત્યારબાદ હેમચંદ્રના અપભ્રંશ વ્યાકરણનું સર્વાંગસંપૂર્ણ કહી શકાય તેવું સંપાદન અને શામળકૃત 'મદનમોહના', 'સિંહાસનબત્રીસી' જેવી કૃતિઓનાં આદર્શ સંપાદનો એમની આ વિષયની ઊંડી સૂઝનાં દ્યોતક પ્રકાશનો છે.
અભ્યાસકાળ દરમ્યાન જ એમને ભાષાશાસ્ત્રના વિષયમાં રસ જાગ્યો હતો. એ પછી ભારતીય વિદ્યાભવનના સંશોધન-વિભાગમાં સંશોધન અને અનુસ્નાતક અધ્યાપનનું કાર્ય કરતાં કરતાં અપભ્રંશ સાહિત્યના અભ્યાસમાં એમને વિશેષ ને વિશેષ રસ પડતો ગયો. એમની પ્રથમ કૃતિ ઈ.સ. ૧૯૪૫માં મુનિશ્રી જિનવિજયજી સંપાદિત અપભ્રંશ કાવ્ય ‘સંદેશરાસક'ના વ્યાકરણ અને છંદનું વિશ્લેષણ કરી તેનું અધ્યયનમૂલક વિવેચન કરતો એ કૃતિ સાથે જોડાયેલો અભ્યાસલેખ છે. એ પછી ઈ. ૧૯૪૮માં શ્રી મધુસૂદન મોદીના સહકારમાં ‘પઉમસિરિચરિઉ' (અપભ્રંશ કાવ્ય)નું એમનું સંપાદન અને ત્યારબાદ હેમચંદ્રના અપભ્રંશ વ્યાકરણનું સર્વાંગસંપૂર્ણ કહી શકાય તેવું સંપાદન અને શામળકૃત ‘મદનમોહના', ‘સિંહાસનબત્રીસી' જેવી કૃતિઓનાં આદર્શ સંપાદનો એમની આ વિષયની ઊંડી સૂઝનાં દ્યોતક પ્રકાશનો છે.
‘કુમાર'માં પ્રગટ થતી જતી 'શબ્દકથા' તેઓ શુષ્ક કહેવાતા વિષયને પણ કેવો સરલ અને રસિક બનાવી શકે છે એના અનુપમ ઉદાહરણરૂપ છે. વ્યાકરણ અને વ્યુત્પત્તિની એમની ચર્ચાઓ, કોઈ સાહિત્યકૃતિ વાંચતાં હોઈએ એવો આસ્વાદ કરે છે. એમનો 'વાગ્વ્યાપાર' ગ્રંથ અને એ પછી એની સંવર્ધિત આવૃત્તિ 'અનુશીલનો' એમની વિદ્વત્તાની કલગી સમ છે. અપભ્રંશ શબ્દોના કોયડા તેઓ સ્વતંત્ર રીતે ઉકેલે છે. પરાપૂર્વથી ચાલ્યાં આવતાં મંતવ્યોની તેઓ શાસ્ત્રીય રીતે ચિકિત્સા કરે છે અને પછી જ આગળ ડગ માંડે છે. એમની તીક્ષ્ણ, સમતોલ અને સહૃદયી વિવેકબુદ્ધિનું એમના પ્રત્યેક લેખમાં દર્શન કરી શકાય છે.
‘કુમાર'માં પ્રગટ થતી જતી ‘શબ્દકથા' તેઓ શુષ્ક કહેવાતા વિષયને પણ કેવો સરલ અને રસિક બનાવી શકે છે એના અનુપમ ઉદાહરણરૂપ છે. વ્યાકરણ અને વ્યુત્પત્તિની એમની ચર્ચાઓ, કોઈ સાહિત્યકૃતિ વાંચતાં હોઈએ એવો આસ્વાદ કરે છે. એમનો ‘વાગ્વ્યાપાર' ગ્રંથ અને એ પછી એની સંવર્ધિત આવૃત્તિ ‘અનુશીલનો' એમની વિદ્વત્તાની કલગી સમ છે. અપભ્રંશ શબ્દોના કોયડા તેઓ સ્વતંત્ર રીતે ઉકેલે છે. પરાપૂર્વથી ચાલ્યાં આવતાં મંતવ્યોની તેઓ શાસ્ત્રીય રીતે ચિકિત્સા કરે છે અને પછી જ આગળ ડગ માંડે છે. એમની તીક્ષ્ણ, સમતોલ અને સહૃદયી વિવેકબુદ્ધિનું એમના પ્રત્યેક લેખમાં દર્શન કરી શકાય છે.
પરંતુ શ્રી ભાયાણી માત્ર ભાષાવિજ્ઞાનમાં જ રચ્યાપચ્યા રહે છે એવું નથી. અર્વાચીન ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યપ્રવાહોથી તેઓ સંપૂર્ણ વાકેફ હોય છે: એટલું જ નહિ, સાહિત્યપદારથની તાત્ત્વિક ચર્ચા હોય કે નવતર કવિતાનાં ભિન્ન ભિન્ન અંગોની આલોચના હોય-એમની એ વિશેની સજ્જતા આપણાં પ્રેમાદર જીતી લે એવી છે. કાવ્ય, નવલકથા, વિવેચન આદિ અનેક સાહિત્યપ્રકારોના ગાઢ પરિચયમાં તેઓ રહે છે અને એ વિશે એમની મૂલગામી ચર્ચાવિચારણા સાંભળવી કે વાંચવી એ લહાવો બની રહે છે.
પરંતુ શ્રી ભાયાણી માત્ર ભાષાવિજ્ઞાનમાં જ રચ્યાપચ્યા રહે છે એવું નથી. અર્વાચીન ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યપ્રવાહોથી તેઓ સંપૂર્ણ વાકેફ હોય છે: એટલું જ નહિ, સાહિત્યપદારથની તાત્ત્વિક ચર્ચા હોય કે નવતર કવિતાનાં ભિન્ન ભિન્ન અંગોની આલોચના હોય-એમની એ વિશેની સજ્જતા આપણાં પ્રેમાદર જીતી લે એવી છે. કાવ્ય, નવલકથા, વિવેચન આદિ અનેક સાહિત્યપ્રકારોના ગાઢ પરિચયમાં તેઓ રહે છે અને એ વિશે એમની મૂલગામી ચર્ચાવિચારણા સાંભળવી કે વાંચવી એ લહાવો બની રહે છે.
ગુજરાતી ભાષાના ધ્વનિવિકાસવિષયક, લોકકથાના અધ્યયનવિષયક તથા અપભ્રંશ અને પ્રાચીન કૃતિઓનાં સંપાદકવિષયક કાર્ય હાલ તેમના હાથ પર છે. અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદના ચિદંબરમ્ ખાતેના ૧૭મા અધિવેશન (૧૯૫૫)માં પ્રાકૃત અને જૈન વિભાગના અધ્યક્ષપદે એમની વરણી થયેલી. ગુજરાત સાહિત્યસભાએ ઈ. ૧૯૬૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને આપવાનો નિર્ણય કરીને ચંદ્રકનું ગૌરવ કર્યું છે. મુંબઈ યુનિવર્સિટીએ એમને ‘વિલ્સન ફિલોલૉજિકલ લેક્ચર્સ' માટે નિમંત્રણ પાઠવીને આ ગુર્જરવિદ્વાનની અખિલ ભારતીય જ નહિ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિની કદર કરી છે. શ્રી ભાયાણી ફાર્બસ ગુજરાતી સભા, ઑલ ઇંડિયા લિંગ્વિસ્ટિક સોસાયટી અને ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સના આજીવન સદસ્ય છે.
ગુજરાતી ભાષાના ધ્વનિવિકાસવિષયક, લોકકથાના અધ્યયનવિષયક તથા અપભ્રંશ અને પ્રાચીન કૃતિઓનાં સંપાદકવિષયક કાર્ય હાલ તેમના હાથ પર છે. અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદના ચિદંબરમ્ ખાતેના ૧૭મા અધિવેશન (૧૯૫૫)માં પ્રાકૃત અને જૈન વિભાગના અધ્યક્ષપદે એમની વરણી થયેલી. ગુજરાત સાહિત્યસભાએ ઈ. ૧૯૬૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને આપવાનો નિર્ણય કરીને ચંદ્રકનું ગૌરવ કર્યું છે. મુંબઈ યુનિવર્સિટીએ એમને ‘વિલ્સન ફિલોલૉજિકલ લેક્ચર્સ' માટે નિમંત્રણ પાઠવીને આ ગુર્જરવિદ્વાનની અખિલ ભારતીય જ નહિ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિની કદર કરી છે. શ્રી ભાયાણી ફાર્બસ ગુજરાતી સભા, ઑલ ઇંડિયા લિંગ્વિસ્ટિક સોસાયટી અને ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સના આજીવન સદસ્ય છે.
Line 42: Line 42:
૧૨. જાતક વાર્તાઓ : પ્ર. સાલ ૧૯૫૬.
૧૨. જાતક વાર્તાઓ : પ્ર. સાલ ૧૯૫૬.
૧૩. શબ્દકથા : પ્ર. સાલ ૧૯૬૩.
૧૩. શબ્દકથા : પ્ર. સાલ ૧૯૬૩.
૧૪. અનુશીલનો : મૌલિક, ગુજરાતી અને અપભ્રંશવિષયક અધ્યયનલેખોનો સંગ્રહ ('વાગ્વ્યાપાર'ની શોધિત-સંવર્ધિત આવૃત્તિ); પ્ર. સાલ ૧૯૬૫.
૧૪. અનુશીલનો : મૌલિક, ગુજરાતી અને અપભ્રંશવિષયક અધ્યયનલેખોનો સંગ્રહ (‘વાગ્વ્યાપાર'ની શોધિત-સંવર્ધિત આવૃત્તિ); પ્ર. સાલ ૧૯૬૫.
{{gap}}પ્રકાશક: પોપ્યુલર બૂક સ્ટોર.
{{gap}}પ્રકાશક: પોપ્યુલર બૂક સ્ટોર.
૧૫. શોધ અને સ્વાધ્યાયઃ મૌલિક, લેખસંગ્રહ; પ્ર. સાલ ૧૯૬૫.
૧૫. શોધ અને સ્વાધ્યાયઃ મૌલિક, લેખસંગ્રહ; પ્ર. સાલ ૧૯૬૫.
Line 50: Line 50:
૧. ‘પઉમચરિઉ’ Journal Asiatique (Louis Renon) 243/4, 1955; પૃ. ૫૨૨-૨૩; Journal of the American Oriental Society (Ernest Bender) 1955 (?); Journal of the Oriental Institute, Baroda (B. J. Sandesara) 1961 (?); Archiv Orientalni (Vladimir Miltner) 31, 1963, પૃ. ૫૦૩-૪.
૧. ‘પઉમચરિઉ’ Journal Asiatique (Louis Renon) 243/4, 1955; પૃ. ૫૨૨-૨૩; Journal of the American Oriental Society (Ernest Bender) 1955 (?); Journal of the Oriental Institute, Baroda (B. J. Sandesara) 1961 (?); Archiv Orientalni (Vladimir Miltner) 31, 1963, પૃ. ૫૦૩-૪.
૨. ‘સિંહાસનબત્રીશી' માટે 'સ્વાધ્યાય’ ૧, ૧૯૬૪, પૃ. ૨૧૭-૧૮ (શ્રી રણજિત પટેલ).
૨. ‘સિંહાસનબત્રીશી' માટે 'સ્વાધ્યાય’ ૧, ૧૯૬૪, પૃ. ૨૧૭-૧૮ (શ્રી રણજિત પટેલ).
૩. ‘શબ્દકથા' માટે ‘સ્વાધ્યાય’ ૧, ૧૯૬૪, પૃ. ૧૧૦-૨. (શ્રી સોમાભાઈ પટેલ); 'ગ્રંથ', પૃ. ૧૮-૧૯, ૧૯૬૪, (શ્રી પ્રવીણચંદ્ર રૂપારેલ); 'ગુજરાત મિત્ર' અને 'ગુજરાતદર્પણ', ૨૬ એપ્રિલ, '૬૪ (શ્રી કૃષ્ણવીર દીક્ષિત).
૩. ‘શબ્દકથા' માટે ‘સ્વાધ્યાય’ ૧, ૧૯૬૪, પૃ. ૧૧૦-૨. (શ્રી સોમાભાઈ પટેલ); ‘ગ્રંથ', પૃ. ૧૮-૧૯, ૧૯૬૪, (શ્રી પ્રવીણચંદ્ર રૂપારેલ); ‘ગુજરાત મિત્ર' અને ‘ગુજરાતદર્પણ', ૨૬ એપ્રિલ, '૬૪ (શ્રી કૃષ્ણવીર દીક્ષિત).
૪. ‘અપભ્રંશ વ્યાકરણ' માટે 'જન્મભૂમિ'  તા. ૧૧-૧૨-૧૯૬૧ (શ્રી રામપ્રસાદ બક્ષી).
૪. ‘અપભ્રંશ વ્યાકરણ' માટે ‘જન્મભૂમિ'  તા. ૧૧-૧૨-૧૯૬૧ (શ્રી રામપ્રસાદ બક્ષી).
૫. ‘રુસ્તમનો સલોકો' અને 'જાતક વાર્તાઓ' માટે 'જન્મભૂમિ' તા. ૨૨-૭-૫૭ (શ્રી કૃષ્ણવીર દીક્ષિત).
૫. ‘રુસ્તમનો સલોકો' અને ‘જાતક વાર્તાઓ' માટે ‘જન્મભૂમિ' તા. ૨૨-૭-૫૭ (શ્રી કૃષ્ણવીર દીક્ષિત).
૬. ‘શોધ અને સ્વાધ્યાય' માટે ‘ગ્રંથ' ૨૧/૧૮.
૬. ‘શોધ અને સ્વાધ્યાય' માટે ‘ગ્રંથ' ૨૧/૧૮.
૭. રણજિતરામ સુવર્ણચંદ્રક સમયે પ્રસિદ્ધ થયેલ પરિચયપત્રિકા.  
૭. રણજિતરામ સુવર્ણચંદ્રક સમયે પ્રસિદ્ધ થયેલ પરિચયપત્રિકા.  

Navigation menu