અર્વાચીન કવિતા/દોલતરામ કૃપારામ પંડ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 2: Line 2:
<center><big>'''દોલતરામ કૃપારામ પંડ્યા'''</big></center>
<center><big>'''દોલતરામ કૃપારામ પંડ્યા'''</big></center>


{{right|'''સંસ્કૃત મહાકાવ્યની શૈલીનાં<br>{{gap|1em}}બે ગુજરાતી મહાકાવ્યો'''}}<br>
{{right|'''સંસ્કૃત મહાકાવ્યની શૈલીનાં<br>{{gap|1em}}બે ગુજરાતી મહાકાવ્યો'''}}<br><br>


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 12: Line 12:
દોલતરામની પ્રતિભા અને કળારુચિએ સંસ્કૃત મહાકાવ્યની ઢબે કેટલીક વાર સંસ્કૃત કવિતાની ઊંચી છટાનો સ્પર્શ કરી શકતી કળાશક્તિ દાખવેલી હોવા છતાં તત્ત્વ રૂપે દલપતશૈલીની રહેલી છે. દોલતરામ જાણે ઘણું સારું સંસ્કૃત ભણેલા દલપતશૈલીના જ કવિ છે. આ ‘મહાકાવ્ય’ની રચનાપૂર્વે તથા તે પછી પણ તેમણે લખેલાં ‘સુમનગુચ્છ’માં સંગૃહીત થયેલાં તેમનાં છૂટક કાવ્યો જોતાં દલપતશૈલીનાં ઘણાં લક્ષણો એમાં જોવા મળે છે. ઉપરાંત દલપતમાં જે નથી તે, મધ્યકાલીન સંસ્કૃત કવિતાના સંપર્કથી જન્મેલાં અપલક્ષણો પણ તેમનામાં છે. આ ‘સુમનગુચ્છ’નાં કાવ્યોમાં સંસ્કૃતની પ્રૌઢ શૈલીની રચનાઓ છે, તથા તળપદી ભાષામાં સરળ રચનાઓ પણ છે; દલપતરામના જેવી લુખ્ખાશ છે તથા અર્થ વિનાનું લંબાણ પણ છે; યમકઝમકનો અતિરેક છે, તથા. કેટલીક વાર તદ્દન અપરુચિમાં સરી જતું સ્થૂલ શૃંગાર તરફનું વલણ પણ છે. આ કાવ્યોમાં દલપતકાવ્યમાં સ્પર્શાયેલા પ્રકૃતિસૌંદર્ય, નીતીરીતિ, ઉપદેશાદિક વિષયોનું નિરૂપણ છે.
દોલતરામની પ્રતિભા અને કળારુચિએ સંસ્કૃત મહાકાવ્યની ઢબે કેટલીક વાર સંસ્કૃત કવિતાની ઊંચી છટાનો સ્પર્શ કરી શકતી કળાશક્તિ દાખવેલી હોવા છતાં તત્ત્વ રૂપે દલપતશૈલીની રહેલી છે. દોલતરામ જાણે ઘણું સારું સંસ્કૃત ભણેલા દલપતશૈલીના જ કવિ છે. આ ‘મહાકાવ્ય’ની રચનાપૂર્વે તથા તે પછી પણ તેમણે લખેલાં ‘સુમનગુચ્છ’માં સંગૃહીત થયેલાં તેમનાં છૂટક કાવ્યો જોતાં દલપતશૈલીનાં ઘણાં લક્ષણો એમાં જોવા મળે છે. ઉપરાંત દલપતમાં જે નથી તે, મધ્યકાલીન સંસ્કૃત કવિતાના સંપર્કથી જન્મેલાં અપલક્ષણો પણ તેમનામાં છે. આ ‘સુમનગુચ્છ’નાં કાવ્યોમાં સંસ્કૃતની પ્રૌઢ શૈલીની રચનાઓ છે, તથા તળપદી ભાષામાં સરળ રચનાઓ પણ છે; દલપતરામના જેવી લુખ્ખાશ છે તથા અર્થ વિનાનું લંબાણ પણ છે; યમકઝમકનો અતિરેક છે, તથા. કેટલીક વાર તદ્દન અપરુચિમાં સરી જતું સ્થૂલ શૃંગાર તરફનું વલણ પણ છે. આ કાવ્યોમાં દલપતકાવ્યમાં સ્પર્શાયેલા પ્રકૃતિસૌંદર્ય, નીતીરીતિ, ઉપદેશાદિક વિષયોનું નિરૂપણ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Poem2Open}}
'''‘ઇન્દ્રજિતવધ’ – શિથિલ રચનાતત્ત્વ'''
‘ઇન્દ્રજિતવધ’ – શિથિલ રચનાતત્ત્વ
{{Poem2Close}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ઇન્દ્રજિતવધ’ કાવ્ય એ સંસ્કૃત મહાકાવ્યની વ્યાખ્યા પ્રમાણેનાં બધાં અંગોપાંગો જાળવેલી એક સંપૂર્ણ કાવ્યકૃતિ છે. ગુજરાતી કવિતામાં આવી રીતનું સાંગોપાંગ પૂર્ણ રૂપે સંસ્કૃત મહાકાવ્ય લખવાનો આ પહેલો પ્રયત્ન છે. મહાકાવ્યમાં આવશ્યક એવું ઐતિહાસિક વસ્તુ, નાયકપ્રતિનાયકની યોજના, નગર સમુદ્ર પર્વતો ઋતુઓ ઉદ્યાન જળક્રીડા સુરતક્રીડા વગેરેનાં વર્ણનો, સંસ્કૃત રીતિની અર્થપ્રૌઢિ, શબ્દાલંકારો તથા અર્થાલંકારો એ બધું લેખકે અતિશય શ્રમપૂર્વક અને ખંતપૂર્વક અહીં ઉપજાવ્યું છે, પરંતુ કાવ્યરચનામાં દોલતરામની જેટલી ઉત્સાહી બુદ્ધિ છે તેટલી સમર્થ તેમની પ્રતિભા નથી. કાવ્યની શૈલીમાં તેમનાં ઇતર કાવ્યોમાં જે દોષો દેખાય છે તે અહીં પણ છે. ઉપરાંત કાવ્યના કેટલાક ભાગોમાં તેમણે જે ઊંચી કલ્પનાશક્તિ બતાવી છે તે સર્વત્ર એકસરખી પ્રકટ થઈ નથી. અર્થાત્‌ આ કાવ્યમાં સદોદિત જાગ્રત સર્વત્ર સમસ્થિતિવાળી અશિથિલ પ્રતિભાનો હાથ દેખાતો નથી. દોલતરામની દૃષ્ટિ મોટે ભાગે મહાકાવ્યની વ્યાખ્યાનુસારનાં અંગોપાંગોની રચના ઉપર જ ઠરેલી છે. પરંતુ પ્રત્યેક અંગને રસથી અનુપ્રાણિત કરી એ તમામ અંગઉપાંગોનો આખા પ્રબંધમાં વ્યાપક બનતો અને કાવ્યના સમગ્ર સમુચ્ચયમાં મૂર્ત થતો રસ નિપજાવવાની તેમનામાં દૃષ્ટિ તથા શક્તિ દેખાતી નથી, એટલું જ નહિ, પણ કાવ્યનાં ઉપાંગોએ કાવ્યની મુખ્ય વસ્તુ કરતાં વધારે પડતું પ્રાધાન્ય મેળવી લીધું છે, અને એ રીતે કાવ્યની રચના વિશુંખલ અને રસરહિત બનેલી છે.
‘ઇન્દ્રજિતવધ’ કાવ્ય એ સંસ્કૃત મહાકાવ્યની વ્યાખ્યા પ્રમાણેનાં બધાં અંગોપાંગો જાળવેલી એક સંપૂર્ણ કાવ્યકૃતિ છે. ગુજરાતી કવિતામાં આવી રીતનું સાંગોપાંગ પૂર્ણ રૂપે સંસ્કૃત મહાકાવ્ય લખવાનો આ પહેલો પ્રયત્ન છે. મહાકાવ્યમાં આવશ્યક એવું ઐતિહાસિક વસ્તુ, નાયકપ્રતિનાયકની યોજના, નગર સમુદ્ર પર્વતો ઋતુઓ ઉદ્યાન જળક્રીડા સુરતક્રીડા વગેરેનાં વર્ણનો, સંસ્કૃત રીતિની અર્થપ્રૌઢિ, શબ્દાલંકારો તથા અર્થાલંકારો એ બધું લેખકે અતિશય શ્રમપૂર્વક અને ખંતપૂર્વક અહીં ઉપજાવ્યું છે, પરંતુ કાવ્યરચનામાં દોલતરામની જેટલી ઉત્સાહી બુદ્ધિ છે તેટલી સમર્થ તેમની પ્રતિભા નથી. કાવ્યની શૈલીમાં તેમનાં ઇતર કાવ્યોમાં જે દોષો દેખાય છે તે અહીં પણ છે. ઉપરાંત કાવ્યના કેટલાક ભાગોમાં તેમણે જે ઊંચી કલ્પનાશક્તિ બતાવી છે તે સર્વત્ર એકસરખી પ્રકટ થઈ નથી. અર્થાત્‌ આ કાવ્યમાં સદોદિત જાગ્રત સર્વત્ર સમસ્થિતિવાળી અશિથિલ પ્રતિભાનો હાથ દેખાતો નથી. દોલતરામની દૃષ્ટિ મોટે ભાગે મહાકાવ્યની વ્યાખ્યાનુસારનાં અંગોપાંગોની રચના ઉપર જ ઠરેલી છે. પરંતુ પ્રત્યેક અંગને રસથી અનુપ્રાણિત કરી એ તમામ અંગઉપાંગોનો આખા પ્રબંધમાં વ્યાપક બનતો અને કાવ્યના સમગ્ર સમુચ્ચયમાં મૂર્ત થતો રસ નિપજાવવાની તેમનામાં દૃષ્ટિ તથા શક્તિ દેખાતી નથી, એટલું જ નહિ, પણ કાવ્યનાં ઉપાંગોએ કાવ્યની મુખ્ય વસ્તુ કરતાં વધારે પડતું પ્રાધાન્ય મેળવી લીધું છે, અને એ રીતે કાવ્યની રચના વિશુંખલ અને રસરહિત બનેલી છે.

Navigation menu