અર્વાચીન કવિતા/‘પ્રેમભક્તિ’–ન્હાનાલાલ દલપતરામ કવિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 55: Line 55:
કવિની ‘મંત્રવાણી’ની આ નિર્બળતા જગતના પ્રશ્નો છેડતી તેમની કૃતિઓમાં વિશેષ છતી થાય છે. જગતના અર્થકારણ, રાજકારણ યા ધર્મકારણના જટિલ સંકુલ પ્રશ્નોના સનાતન ઉકેલ કવિએ પયગામવાહી છટાથી આપેલા છે, પરંતુ કવિની વાણી જગતને કાને પહોંચવા જેવું કળાનું તથા તત્ત્વનું સામર્થ્ય બતાવી શકી નથી. આવી ઉદાત્ત અને ગંભીર જીવનભાવનાઓ જે રીતે જગતનાં મહાકાવ્યોમાં મહાકવિઓની પ્રતિભા દ્વારા મૂર્ત થયેલી છે તેવું ન્હાનાલાલની કૃતિઓમાં નથી બન્યું. આ ભાવનાઓ જીવંત પાત્રોનાં જીવનમાં મૂર્ત બનવાને બદલે પાત્રમુખના અમુક સંજોગોમાંના ઉચ્ચારણથી આગળ વધી શકી નથી. મહાકવિની પ્રતિભા આવા ઉદાત્ત તત્ત્વનું માત્ર વિચારમય ઉચ્ચારણ નથી કરતી પણ તેને જીવનના પ્રત્યેક ધબકારામાં સાકાર કરતી જીવંત સૃષ્ટિ રચે છે. અને એ સૃષ્ટિનો સંદેશો તેની અંદર સાકાર બનેલા જીવનતત્ત્વને આધારે જીવનને પરોક્ષ-અપરોક્ષ રીતે ઘડે છે. ન્હાનાલાલની કૃતિઓમાં જગતના જીવનને સ્પર્શી શકે તેવું આ વિરાટ રૂપ સધાયું નથી. વસ્તુતઃ ન્હાનાલાલની પ્રતિભા એ જયદેવ કે દયારામ જેવા ઊર્મિકવિની છે અને એ મર્યાદાઓ તેમની કવિતાને જગતની મહાકવિતાની કક્ષાએ પહોંચતી અટકાવે છે. આ મર્યાદાને સમજી લીધા પછી ન્હાનાલાલની કવિતાની શક્તિનો સફળ ક્યાસ સહેલો બને છે. અને એ રીતે જોતાં ગુજરાતના આ નરસિંહ સમૃદ્ધ ઊર્મિકવિઓમાં ન્હાનાલાલનું સ્થાન અનન્ય રૂપે આવે છે.
કવિની ‘મંત્રવાણી’ની આ નિર્બળતા જગતના પ્રશ્નો છેડતી તેમની કૃતિઓમાં વિશેષ છતી થાય છે. જગતના અર્થકારણ, રાજકારણ યા ધર્મકારણના જટિલ સંકુલ પ્રશ્નોના સનાતન ઉકેલ કવિએ પયગામવાહી છટાથી આપેલા છે, પરંતુ કવિની વાણી જગતને કાને પહોંચવા જેવું કળાનું તથા તત્ત્વનું સામર્થ્ય બતાવી શકી નથી. આવી ઉદાત્ત અને ગંભીર જીવનભાવનાઓ જે રીતે જગતનાં મહાકાવ્યોમાં મહાકવિઓની પ્રતિભા દ્વારા મૂર્ત થયેલી છે તેવું ન્હાનાલાલની કૃતિઓમાં નથી બન્યું. આ ભાવનાઓ જીવંત પાત્રોનાં જીવનમાં મૂર્ત બનવાને બદલે પાત્રમુખના અમુક સંજોગોમાંના ઉચ્ચારણથી આગળ વધી શકી નથી. મહાકવિની પ્રતિભા આવા ઉદાત્ત તત્ત્વનું માત્ર વિચારમય ઉચ્ચારણ નથી કરતી પણ તેને જીવનના પ્રત્યેક ધબકારામાં સાકાર કરતી જીવંત સૃષ્ટિ રચે છે. અને એ સૃષ્ટિનો સંદેશો તેની અંદર સાકાર બનેલા જીવનતત્ત્વને આધારે જીવનને પરોક્ષ-અપરોક્ષ રીતે ઘડે છે. ન્હાનાલાલની કૃતિઓમાં જગતના જીવનને સ્પર્શી શકે તેવું આ વિરાટ રૂપ સધાયું નથી. વસ્તુતઃ ન્હાનાલાલની પ્રતિભા એ જયદેવ કે દયારામ જેવા ઊર્મિકવિની છે અને એ મર્યાદાઓ તેમની કવિતાને જગતની મહાકવિતાની કક્ષાએ પહોંચતી અટકાવે છે. આ મર્યાદાને સમજી લીધા પછી ન્હાનાલાલની કવિતાની શક્તિનો સફળ ક્યાસ સહેલો બને છે. અને એ રીતે જોતાં ગુજરાતના આ નરસિંહ સમૃદ્ધ ઊર્મિકવિઓમાં ન્હાનાલાલનું સ્થાન અનન્ય રૂપે આવે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Poem2Open}}
'''ન્હાનાલાલની કવિતાના ત્રણ વિભાગ'''
ન્હાનાલાલની કવિતાના ત્રણ વિભાગ
{{Poem2Close}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ન્હાનાલાલની કવિતા સમગ્રતયા ઊર્મિપ્રકારની હોવા છતાં બાહ્ય સ્વરૂપભેદે તેના ટૂંકાં ઊર્મિકાવ્યો, ગીતો-રાસ-ભજનો અને ખંડકાવ્યો તથા નાટકો એમ ત્રણ વિભાગ બને છે. તેમનાં ગીતો વગેરે કેવળ છંદોબદ્ધ રચનાઓ છે અને નાટકો કેવળ ડોલનશૈલીની રચનાઓ છે, જ્યારે ઊર્મિકાવ્યો અને ખંડકાવ્યો એ બંને પ્રકારના વાણીસ્વરૂપમાં લખાયેલાં છે.
ન્હાનાલાલની કવિતા સમગ્રતયા ઊર્મિપ્રકારની હોવા છતાં બાહ્ય સ્વરૂપભેદે તેના ટૂંકાં ઊર્મિકાવ્યો, ગીતો-રાસ-ભજનો અને ખંડકાવ્યો તથા નાટકો એમ ત્રણ વિભાગ બને છે. તેમનાં ગીતો વગેરે કેવળ છંદોબદ્ધ રચનાઓ છે અને નાટકો કેવળ ડોલનશૈલીની રચનાઓ છે, જ્યારે ઊર્મિકાવ્યો અને ખંડકાવ્યો એ બંને પ્રકારના વાણીસ્વરૂપમાં લખાયેલાં છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Poem2Open}}
'''વિભાગ પહેલો : ઊર્મિકાવ્યો'''
વિભાગ પહેલો : ઊર્મિકાવ્યો
{{Poem2Close}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ન્હાનાલાલનું સૌથી વધુ સુભગ સર્જન તેમનાં પદ્યમાં અને અપદ્યમાં લખાયેલાં ઊર્મિકાવ્યો છે. ‘કેટલાંક કાવ્યો’ના ત્રણ ભાગ, ‘ન્હાના ન્હાના રાસ’ના ત્રણ ભાગ, ‘ગીતમંજરી’, ‘પ્રેમભક્તિ ભજનાવલિ’, ‘દાંપત્યસ્તોત્રો’, ‘મહેરામણનાં મોતી’, ‘પાનેતર’ તથા ‘પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિન્દુ’ આ પુસ્તકોમાં તેમનાં લગભગ બધાં ઊર્મિકાવ્યોનો સમાવેશ થઈ જાય છે. આમાંનાં કેટલાંક કાવ્યો એક કરતાં વધારે સંગ્રહોમાં પણ મુકાયેલાં છે; તો નાટકો કે ગદ્યગ્રંથોમાં અર્પણ તરીકે મુકાયેલાં થોડાં સુંદર કાવ્યો હજી અલગ સંગૃહીત થયાં નથી.
ન્હાનાલાલનું સૌથી વધુ સુભગ સર્જન તેમનાં પદ્યમાં અને અપદ્યમાં લખાયેલાં ઊર્મિકાવ્યો છે. ‘કેટલાંક કાવ્યો’ના ત્રણ ભાગ, ‘ન્હાના ન્હાના રાસ’ના ત્રણ ભાગ, ‘ગીતમંજરી’, ‘પ્રેમભક્તિ ભજનાવલિ’, ‘દાંપત્યસ્તોત્રો’, ‘મહેરામણનાં મોતી’, ‘પાનેતર’ તથા ‘પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિન્દુ’ આ પુસ્તકોમાં તેમનાં લગભગ બધાં ઊર્મિકાવ્યોનો સમાવેશ થઈ જાય છે. આમાંનાં કેટલાંક કાવ્યો એક કરતાં વધારે સંગ્રહોમાં પણ મુકાયેલાં છે; તો નાટકો કે ગદ્યગ્રંથોમાં અર્પણ તરીકે મુકાયેલાં થોડાં સુંદર કાવ્યો હજી અલગ સંગૃહીત થયાં નથી.
Line 93: Line 89:
{{Poem2Open}}
{{Poem2Open}}
ન્હાનાલાલ પોતાની ગીતશક્તિની મર્યાદા જાણે છે. ‘સુન્દર મનોહારી જૂના રાસોનો ઉમંગઊછળતો ઉપાડ એમાં નથી.’ એમ તેઓ કહે છે તે  બરાબર છે. લોકવાણીની નરી નીતરેલી પ્રસાદભરી વાણી એમનામાં નથી, પરંતુ એમ છતાં એમાંનું અલંકારસૌંદર્ય, ભાવની સ્ફુટઅસ્ફુટ વ્યંજના, એ તેનાં ઉત્તમ મૌલિક લક્ષણો છે. ગીત તરીકે ઓછાં સફળ હોવા છતાં તે કાવ્યો તરીકે ઘણી વાર સફળ બને છે. એમ છતાં કવિનાં ગીતો બધાં જ એકસરખી કોટિનાં નથી. ‘ન્હાના ન્હાના રાસ’ના ત્રણ ભાગમાં સંગ્રહેલાં કાવ્યોમાં કવિનાં નાટકોમાંનાં ગીતોનો પણ સમાવેશ થાય છે. આવાં બીજાં ગીતોને કવિએ ‘ગીતમંજરી’માં સંગ્રહ્યાં છે અને તેને તેઓ પોતાની કળાનું ‘નિર્બળમાં નિર્બળ’ અંગ કહે છે તે ઉચિત છે. ‘એક જ્વાલા જલે તુજ નેનનમાં’ જેવાં ચારપાંચ ગીતોને બાદ કરતાં એ સંગ્રહનાં બાકીનાંમાં કાવ્યતત્ત્વ ઘણું પાતળું છે.
ન્હાનાલાલ પોતાની ગીતશક્તિની મર્યાદા જાણે છે. ‘સુન્દર મનોહારી જૂના રાસોનો ઉમંગઊછળતો ઉપાડ એમાં નથી.’ એમ તેઓ કહે છે તે  બરાબર છે. લોકવાણીની નરી નીતરેલી પ્રસાદભરી વાણી એમનામાં નથી, પરંતુ એમ છતાં એમાંનું અલંકારસૌંદર્ય, ભાવની સ્ફુટઅસ્ફુટ વ્યંજના, એ તેનાં ઉત્તમ મૌલિક લક્ષણો છે. ગીત તરીકે ઓછાં સફળ હોવા છતાં તે કાવ્યો તરીકે ઘણી વાર સફળ બને છે. એમ છતાં કવિનાં ગીતો બધાં જ એકસરખી કોટિનાં નથી. ‘ન્હાના ન્હાના રાસ’ના ત્રણ ભાગમાં સંગ્રહેલાં કાવ્યોમાં કવિનાં નાટકોમાંનાં ગીતોનો પણ સમાવેશ થાય છે. આવાં બીજાં ગીતોને કવિએ ‘ગીતમંજરી’માં સંગ્રહ્યાં છે અને તેને તેઓ પોતાની કળાનું ‘નિર્બળમાં નિર્બળ’ અંગ કહે છે તે ઉચિત છે. ‘એક જ્વાલા જલે તુજ નેનનમાં’ જેવાં ચારપાંચ ગીતોને બાદ કરતાં એ સંગ્રહનાં બાકીનાંમાં કાવ્યતત્ત્વ ઘણું પાતળું છે.
પ્રકૃતિનું વ્યાપક અને વૈશેષિક દર્શન
{{Poem2Close}}
'''પ્રકૃતિનું વ્યાપક અને વૈશેષિક દર્શન'''
{{Poem2Open}}
ન્હાનાલાલનાં કાવ્યોમાં નર્યા પ્રકૃતિવિષયક કહેવાય તેવાં કાવ્યો થોડાં છે, પણ તેથી તેમનામાં પ્રકૃતિનું નિરૂપણ કે સૌંદર્ય નથી એમ નથી. નરસિંહરાવની પેઠે તેમણે પ્રકૃતિનાં ગૂઢ રહસ્યોને શોધવાનો પ્રયત્ન કર્યો, નથી, તેમ છતાં તેમનામાં પ્રકૃતિની વિરાટતાનું અને સુન્દરતાનું અનુપમ દર્શન અને નિરૂપણ છે. એ દર્શન જેટલું વ્યાપક છે તેટલું જ ઝીણવટવાળું પણ છે. તેમનાં કાવ્યોમાં ખગોળની વિરાટ પ્રકૃતિ, તથા પૃથ્વીના સાગર, ક્ષિતિજ, પર્વતો, તેજછાયાની રંગલીલાઓ, વર્ષાઓ અને વસંતોનાં મનોહર વર્ણનો છે, અને તે બધાં જ્યાં સફળ થયાં છે ત્યાં ભવ્ય અને સુન્દર રીતે નિરૂપાયાં છે. ‘વિરાટનો હિંડોળો ઝાકમઝોળ’ કે ‘આભને મોભે બાંધ્યા દોર’ ‘વડાં પાથર્યા આભનાં પત્ર કાળાં, લખી તેજના શબ્દથી મંત્રમાળા.’ જેવાં ગીતોમાં આ ભવ્યતાનાં દર્શન થાય છે. તેમની વિશેષતા ખાસ તો ગુજરાતની પ્રકૃતિની આજ લગી અનુભવાયેલી છતાં ઓછી ગવાયેલી રમણીયતાને છતી કરી આપવામાં આવે છે. ગુજરાતની અમરાઈઓ, કુંજો, પક્ષીઓ, ઢેલ અને મોર, કોયલ અને કબૂતર તથા તેની બીજી ઘણીએક રીતની લાક્ષણિકતા પહેલી વાર ન્હાનાલાલનાં કાવ્યોમાં સુંદર રીતે વ્યક્ત થાય છે. ગુજરાતની ગુપ્ત સૌંદર્યશ્રીને કવિએ આપણાં નયનો આગળ લાવીને ધરી છે. તેની નરી સરલતાને પણ તેમણે અનુપમ સૌંદર્યથી મંડિત કરી છે. ‘ગુર્જરી કુંજો’ ‘ચારુવાટિકા’ અને ‘ધણ’ તથા ‘પારેવડાં’ જેવાં કાવ્યોને આનાં લાક્ષણિક ઉદાહરણ તરીકે રજૂ કરી શકાય. અનેક નાનાં ગીતોમાં પણ આ લાક્ષણિકતા વ્યક્ત થાય છે.
ન્હાનાલાલનાં કાવ્યોમાં નર્યા પ્રકૃતિવિષયક કહેવાય તેવાં કાવ્યો થોડાં છે, પણ તેથી તેમનામાં પ્રકૃતિનું નિરૂપણ કે સૌંદર્ય નથી એમ નથી. નરસિંહરાવની પેઠે તેમણે પ્રકૃતિનાં ગૂઢ રહસ્યોને શોધવાનો પ્રયત્ન કર્યો, નથી, તેમ છતાં તેમનામાં પ્રકૃતિની વિરાટતાનું અને સુન્દરતાનું અનુપમ દર્શન અને નિરૂપણ છે. એ દર્શન જેટલું વ્યાપક છે તેટલું જ ઝીણવટવાળું પણ છે. તેમનાં કાવ્યોમાં ખગોળની વિરાટ પ્રકૃતિ, તથા પૃથ્વીના સાગર, ક્ષિતિજ, પર્વતો, તેજછાયાની રંગલીલાઓ, વર્ષાઓ અને વસંતોનાં મનોહર વર્ણનો છે, અને તે બધાં જ્યાં સફળ થયાં છે ત્યાં ભવ્ય અને સુન્દર રીતે નિરૂપાયાં છે. ‘વિરાટનો હિંડોળો ઝાકમઝોળ’ કે ‘આભને મોભે બાંધ્યા દોર’ ‘વડાં પાથર્યા આભનાં પત્ર કાળાં, લખી તેજના શબ્દથી મંત્રમાળા.’ જેવાં ગીતોમાં આ ભવ્યતાનાં દર્શન થાય છે. તેમની વિશેષતા ખાસ તો ગુજરાતની પ્રકૃતિની આજ લગી અનુભવાયેલી છતાં ઓછી ગવાયેલી રમણીયતાને છતી કરી આપવામાં આવે છે. ગુજરાતની અમરાઈઓ, કુંજો, પક્ષીઓ, ઢેલ અને મોર, કોયલ અને કબૂતર તથા તેની બીજી ઘણીએક રીતની લાક્ષણિકતા પહેલી વાર ન્હાનાલાલનાં કાવ્યોમાં સુંદર રીતે વ્યક્ત થાય છે. ગુજરાતની ગુપ્ત સૌંદર્યશ્રીને કવિએ આપણાં નયનો આગળ લાવીને ધરી છે. તેની નરી સરલતાને પણ તેમણે અનુપમ સૌંદર્યથી મંડિત કરી છે. ‘ગુર્જરી કુંજો’ ‘ચારુવાટિકા’ અને ‘ધણ’ તથા ‘પારેવડાં’ જેવાં કાવ્યોને આનાં લાક્ષણિક ઉદાહરણ તરીકે રજૂ કરી શકાય. અનેક નાનાં ગીતોમાં પણ આ લાક્ષણિકતા વ્યક્ત થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 194: Line 192:
{{Poem2Open}}
{{Poem2Open}}
સૂક્ષ્મ સૌંદર્યના પૂજક, સ્થૂલ કરતાં સૂક્ષ્મના વિશેષ ઉપાસક ન્હાનાલાલ કેટલીક વાર અજાણ્યે કે જાણ્યે સ્થૂલનું અરુચિર નિરૂપણ કરે છે. યશનો દાંપત્યવિલાસ અલંકારી ભાષામાં રજૂ થવા છતાં તત્ત્વ રૂપે બહુ સુભગ નથી લાગતો. આ સ્થૂલતા તેમની ફૂટતી યુવાનીમાં રચાયેલાં કાવ્યોમાં વધારે વ્યક્ત થાય છે. ‘પુણ્યની પાળ’ના હિમાયતીને ન છાજે તેવી જાહેર પ્રણયલીલાઓ તેમણે ‘વસન્તોત્સવ’ અને ‘ઓજ અને અગર’માં અવિવાહિત સ્ત્રીપુરુષો વચ્ચે ભજવાવી છે, જેમાં ભર ચોકમાં ‘કુમારિકાઓએ પ્રિયઅધરે ચુમ્બનચંચુના દંશ દીધા’ છે, ‘ભરવેગ-ભરપૂર બાલાઓ પ્રીતમકરમાં પડી’ છે, ‘પાલવ અને કમખાની હૈયાઢાલો’ ને ફૂલગેંદોના ગલોલા’થી વીંધાવાની કવિએ તૈયારી કરાવી છે. વળી ‘જયા અને જયન્ત’માં વામમાર્ગીઓના ચિત્રણમાં પણ તેમણે બતાવી નથી તેવી જુગુપ્સાભરી સ્થૂલતા, કદાચ અજાણ્યે જ રાણીની એક ઉક્તિ ‘ગર્ભ મૂકી વેગળા રહ્યા.’માં સરી આવવા દીધી છે.
સૂક્ષ્મ સૌંદર્યના પૂજક, સ્થૂલ કરતાં સૂક્ષ્મના વિશેષ ઉપાસક ન્હાનાલાલ કેટલીક વાર અજાણ્યે કે જાણ્યે સ્થૂલનું અરુચિર નિરૂપણ કરે છે. યશનો દાંપત્યવિલાસ અલંકારી ભાષામાં રજૂ થવા છતાં તત્ત્વ રૂપે બહુ સુભગ નથી લાગતો. આ સ્થૂલતા તેમની ફૂટતી યુવાનીમાં રચાયેલાં કાવ્યોમાં વધારે વ્યક્ત થાય છે. ‘પુણ્યની પાળ’ના હિમાયતીને ન છાજે તેવી જાહેર પ્રણયલીલાઓ તેમણે ‘વસન્તોત્સવ’ અને ‘ઓજ અને અગર’માં અવિવાહિત સ્ત્રીપુરુષો વચ્ચે ભજવાવી છે, જેમાં ભર ચોકમાં ‘કુમારિકાઓએ પ્રિયઅધરે ચુમ્બનચંચુના દંશ દીધા’ છે, ‘ભરવેગ-ભરપૂર બાલાઓ પ્રીતમકરમાં પડી’ છે, ‘પાલવ અને કમખાની હૈયાઢાલો’ ને ફૂલગેંદોના ગલોલા’થી વીંધાવાની કવિએ તૈયારી કરાવી છે. વળી ‘જયા અને જયન્ત’માં વામમાર્ગીઓના ચિત્રણમાં પણ તેમણે બતાવી નથી તેવી જુગુપ્સાભરી સ્થૂલતા, કદાચ અજાણ્યે જ રાણીની એક ઉક્તિ ‘ગર્ભ મૂકી વેગળા રહ્યા.’માં સરી આવવા દીધી છે.
{{Poem2Close}}
'''‘ઇન્દુકુમાર’માં પાત્રોનું નિરૂપણ'''
'''‘ઇન્દુકુમાર’માં પાત્રોનું નિરૂપણ'''
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 232: Line 231:
કવિ પોતાના આ નાટકને ‘ત્રિલોકની અણુસૃષ્ટિના અનુકરણસમું’ કહે છે. તેઓ જગતના મહાન પ્રશ્નોને, ભાવનાઓને, જગતના કોક પરમ નિયામક તત્ત્વને રજૂ કરવા ઇચ્છે છે એમ તેમના પ્રયત્નમાંથી ફલિત થાય છે. પણ તેઓ સ્પર્શક્ષમ વસ્તુમાંથી સૂક્ષ્મ પ્રદેશમાં જેમજેમ જતા જાય છે તેમતેમ તેમનું ભાવનું અને વિચારનું નિરૂપણ શિથિલ, તરંગિત અને સત્ત્વહીન બનતું જાય છે. આ નાટકના વસ્તુને જગતનું કવિની દૃષ્ટિએ જોયેલું દર્શન માનીએ તો એ દર્શનનું તત્ત્વગાંભીર્ય કે સત્ત્વસમૃદ્ધિ બહુ અલ્પ કહેવાય. સાક્ષાત્‌ પરબ્રહ્મનાં વચનો કે તેનું સ્વરૂપવર્ણન એ ન્હાનાલાલનાં દેવર્ષિ અને જોગણના જ નામાન્તરે બીજા અવતાર છે. લગ્નની તેમની લગભગ રીઢી થયેલી ભાવનાને તેઓ એટલી જ ક્ષુલ્લક ઉગ્રતા ને આદેશાત્મકતાથી આ વિશાળ વસ્તુમાં ઔચિત્યભંગ થાય તેવી રીતે ગોઠવે છે. કવિએ ‘ત્રિકાળપર સનાતન’ને વ્યક્ત કરતા જે પ્રવેશો મૂક્યા છે. તેમાંથી, તેનું નિરૂપણ ભલે વાસ્તવિકતારહિત હોય છતાં, કાલ્પનિક રીતનું પણ સુંદર વિરાટ રસસર્જન તેઓ નિપજાવી શક્યા નથી.
કવિ પોતાના આ નાટકને ‘ત્રિલોકની અણુસૃષ્ટિના અનુકરણસમું’ કહે છે. તેઓ જગતના મહાન પ્રશ્નોને, ભાવનાઓને, જગતના કોક પરમ નિયામક તત્ત્વને રજૂ કરવા ઇચ્છે છે એમ તેમના પ્રયત્નમાંથી ફલિત થાય છે. પણ તેઓ સ્પર્શક્ષમ વસ્તુમાંથી સૂક્ષ્મ પ્રદેશમાં જેમજેમ જતા જાય છે તેમતેમ તેમનું ભાવનું અને વિચારનું નિરૂપણ શિથિલ, તરંગિત અને સત્ત્વહીન બનતું જાય છે. આ નાટકના વસ્તુને જગતનું કવિની દૃષ્ટિએ જોયેલું દર્શન માનીએ તો એ દર્શનનું તત્ત્વગાંભીર્ય કે સત્ત્વસમૃદ્ધિ બહુ અલ્પ કહેવાય. સાક્ષાત્‌ પરબ્રહ્મનાં વચનો કે તેનું સ્વરૂપવર્ણન એ ન્હાનાલાલનાં દેવર્ષિ અને જોગણના જ નામાન્તરે બીજા અવતાર છે. લગ્નની તેમની લગભગ રીઢી થયેલી ભાવનાને તેઓ એટલી જ ક્ષુલ્લક ઉગ્રતા ને આદેશાત્મકતાથી આ વિશાળ વસ્તુમાં ઔચિત્યભંગ થાય તેવી રીતે ગોઠવે છે. કવિએ ‘ત્રિકાળપર સનાતન’ને વ્યક્ત કરતા જે પ્રવેશો મૂક્યા છે. તેમાંથી, તેનું નિરૂપણ ભલે વાસ્તવિકતારહિત હોય છતાં, કાલ્પનિક રીતનું પણ સુંદર વિરાટ રસસર્જન તેઓ નિપજાવી શક્યા નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
''''''ગુચ્છ ત્રીજો :'''
'''ગુચ્છ ત્રીજો :'''<br>
ઐતિહાસિક વસ્તુપ્રધાન કૃતિઓ, ‘રાજર્ષિ ભરત’'''
'''ઐતિહાસિક વસ્તુપ્રધાન કૃતિઓ, ‘રાજર્ષિ ભરત’'''
{{Poem2Open}}
{{Poem2Open}}
ન્હાનાલાલનાં ઇતિહાસમાંથી વસ્તુ લઈને લખેલાં નાટકોમાં ‘રાજર્ષિ ભરત’ ‘સંઘમિત્રા’ ‘જહાંગીર-નૂરજહાન’ ‘શાહાનશાહ અકબરશાહ’, અને કાવ્યોમાં ‘કુરુક્ષેત્ર’ના બાર કાંડ તથા ‘દ્વારિકાપ્રલય’ આવે છે.
ન્હાનાલાલનાં ઇતિહાસમાંથી વસ્તુ લઈને લખેલાં નાટકોમાં ‘રાજર્ષિ ભરત’ ‘સંઘમિત્રા’ ‘જહાંગીર-નૂરજહાન’ ‘શાહાનશાહ અકબરશાહ’, અને કાવ્યોમાં ‘કુરુક્ષેત્ર’ના બાર કાંડ તથા ‘દ્વારિકાપ્રલય’ આવે છે.
Line 305: Line 304:
નહાનાલાલે અંગ્રેજી તથા સંસ્કૃત કવિતામાંથી અનુવાદો પણ કરેલા છે, એમની કવિતામાં વ્યક્ત થતાં ભાષાનાં સૌષ્ઠવ અને માધુર્ય આ અનુવાદોમાં પણ ઊતર્યાં છે. અંગ્રેજીમાંથી તેમણે કેટલાંક કાવ્યોના અનુવાદ કર્યા છે, જેમાંથી સૌથી સારો અનુવાદ ‘ઘંટારવ’ ટેનિસનના ‘ઇન્‌-મેમોરિયમ’માંના એક જાણીતા ખંડનો છે. બીજાં કાવ્યોના અનુવાદ એટલા બધા પ્રાસાદિક નથી થયા. તેમણે કરેલા સંસ્કૃત કાવ્યોના અનુવાદો અંગ્રેજી કરતાં ઘણા મોટા પ્રમાણમાં છે. ‘શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા’ ‘ઉપનિષદપંચક’ ‘વૈષ્ણવી ષોડશગ્રંથો’ ‘મેઘદૂત’ અને ‘શકુન્તલાનું સંભારણું’, આ અનુવાદોમાંથી સૌથી દુર્બળ અનુવાદ મેઘદૂતનો અને સૌથી સારો ગીતાનો છે. જેને કવિ સંસ્કૃત વૃત્તોમાં નિર્વાહ્ય છૂટ ગણે છે તે લઘુગુરુના યથેચ્છ પ્રયોગે કાલિદાસનું મન્દાક્રાન્તાનું માધુર્ય હણી નાખ્યું છે. સૌન્દર્ય કે વર્ણમાધુર્ય કે રસની દૃષ્ટિએ આ સ્ખલનશીલ પંક્તિઓ નિર્વાહ્ય બની શકે તેવી લાગતી નથી. મૂળનો અર્થ પણ કવિ પૂરેપૂરી સુભગતાથી ઓછા પ્રમાણમાં ઉપજાવી શક્યા છે. ‘શકુન્તલાનું સંભારણું’ એ ‘શાકુન્તલ’નો અનુવાદ છે. એના શ્લોકોના અનુવાદમાં મીઠાશ છે, અને સ્ખલનોનું પ્રમાણ ઓછું છે. ગદ્યના અનુવાદમાં કવિએ ડોલનશૈલીનું વિશેષ પ્રમાણ દાખલ કરી લીધું છે. તેનાં પદ્ય અને ગદ્ય ઉભયમાં મૂળની અર્થસમૃદ્ધિ પૂરેપૂરી ઊતરી નથી. ગીતાના અનુવાદમાં, તેના લઘુગુરુના પૂરતા સ્વાતંત્ર્યવાળા અને ટૂંકાં ચરણોના અનુષ્ટુપને લીધે, તથા તેની ઓછી અલંકારસમૃદ્ધ વાણીને લીધે ન્હાનાલાલ વધારે સફળ થયા છે. પાંચ ઉપનિષદોના અનુવાદમાં પણ કવિને આ જ કારણે સફળતા મળેલી છે. વૈષ્ણવી ષોડશગ્રંથોનો અનુવાદ આવો છે, પણ તેનું પ્રયોજન વિશેષ રૂપે સાંપ્રદાયિક છે.
નહાનાલાલે અંગ્રેજી તથા સંસ્કૃત કવિતામાંથી અનુવાદો પણ કરેલા છે, એમની કવિતામાં વ્યક્ત થતાં ભાષાનાં સૌષ્ઠવ અને માધુર્ય આ અનુવાદોમાં પણ ઊતર્યાં છે. અંગ્રેજીમાંથી તેમણે કેટલાંક કાવ્યોના અનુવાદ કર્યા છે, જેમાંથી સૌથી સારો અનુવાદ ‘ઘંટારવ’ ટેનિસનના ‘ઇન્‌-મેમોરિયમ’માંના એક જાણીતા ખંડનો છે. બીજાં કાવ્યોના અનુવાદ એટલા બધા પ્રાસાદિક નથી થયા. તેમણે કરેલા સંસ્કૃત કાવ્યોના અનુવાદો અંગ્રેજી કરતાં ઘણા મોટા પ્રમાણમાં છે. ‘શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા’ ‘ઉપનિષદપંચક’ ‘વૈષ્ણવી ષોડશગ્રંથો’ ‘મેઘદૂત’ અને ‘શકુન્તલાનું સંભારણું’, આ અનુવાદોમાંથી સૌથી દુર્બળ અનુવાદ મેઘદૂતનો અને સૌથી સારો ગીતાનો છે. જેને કવિ સંસ્કૃત વૃત્તોમાં નિર્વાહ્ય છૂટ ગણે છે તે લઘુગુરુના યથેચ્છ પ્રયોગે કાલિદાસનું મન્દાક્રાન્તાનું માધુર્ય હણી નાખ્યું છે. સૌન્દર્ય કે વર્ણમાધુર્ય કે રસની દૃષ્ટિએ આ સ્ખલનશીલ પંક્તિઓ નિર્વાહ્ય બની શકે તેવી લાગતી નથી. મૂળનો અર્થ પણ કવિ પૂરેપૂરી સુભગતાથી ઓછા પ્રમાણમાં ઉપજાવી શક્યા છે. ‘શકુન્તલાનું સંભારણું’ એ ‘શાકુન્તલ’નો અનુવાદ છે. એના શ્લોકોના અનુવાદમાં મીઠાશ છે, અને સ્ખલનોનું પ્રમાણ ઓછું છે. ગદ્યના અનુવાદમાં કવિએ ડોલનશૈલીનું વિશેષ પ્રમાણ દાખલ કરી લીધું છે. તેનાં પદ્ય અને ગદ્ય ઉભયમાં મૂળની અર્થસમૃદ્ધિ પૂરેપૂરી ઊતરી નથી. ગીતાના અનુવાદમાં, તેના લઘુગુરુના પૂરતા સ્વાતંત્ર્યવાળા અને ટૂંકાં ચરણોના અનુષ્ટુપને લીધે, તથા તેની ઓછી અલંકારસમૃદ્ધ વાણીને લીધે ન્હાનાલાલ વધારે સફળ થયા છે. પાંચ ઉપનિષદોના અનુવાદમાં પણ કવિને આ જ કારણે સફળતા મળેલી છે. વૈષ્ણવી ષોડશગ્રંથોનો અનુવાદ આવો છે, પણ તેનું પ્રયોજન વિશેષ રૂપે સાંપ્રદાયિક છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu