સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/લાભશંકર પુરોહિતની વિવેચના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 7: Line 7:
એમના આ દીર્ઘ લેખોનો વિસ્તાર કોઈને પ્રસ્તારક લાગે પણ વિષયને ઉપરતળે નિરખવામાં એમણે પૂરેપૂરો સ્વાધ્યાય કર્યો હોય છે. આવા લેખોમાં પોતાનાં આગવાં અને નવીન અર્થઘટનોમાં રહેલાં ઊંડાણ અને એમની ઝીણું જોતી નજરના કારણે લંબાણ અપ્રસ્તુત બનતું નથી.
એમના આ દીર્ઘ લેખોનો વિસ્તાર કોઈને પ્રસ્તારક લાગે પણ વિષયને ઉપરતળે નિરખવામાં એમણે પૂરેપૂરો સ્વાધ્યાય કર્યો હોય છે. આવા લેખોમાં પોતાનાં આગવાં અને નવીન અર્થઘટનોમાં રહેલાં ઊંડાણ અને એમની ઝીણું જોતી નજરના કારણે લંબાણ અપ્રસ્તુત બનતું નથી.
આપણું પ્રાચીન સાહિત્ય, મધ્યકાળનું સાહિત્ય હોય એની સમાંતરે ચાલતું શ્રવણધર્મી  લોકસાહિત્ય હોય મુદ્રણયંત્રોની શોધ અને અંગ્રેજી કેળવણીના પ્રભાવે આ સાહિત્યોમાં રહેલાં વિત્તની આપણે લેવી જોઈએ તેવી નોંધ લીધી નથી. ક્યારેક તો તેની ધર્મપરાયણતાને કારણે  આપણે એના સમયકાળના સંદર્ભને વછોડીને એને અવગણ્યું છે. લાભશંકર પુરોહિતે આ  સાહિત્યને તેના સમયના સંદર્ભે એ સમયના દેશ-કાળને સામે રાખીને જોવાનો પ્રયત્ન કર્યો. આવું કામ એમની પૂર્વે મેઘાણીએ કરેલું પણ એમના વ્યસ્ત અને અનેક મોરચે વહેંચાયેલા જીવનકાળમાં એમનાથી આ વિધાને સંપાદિત કરવાનું અને તેનું ઉપર ઉપરથી મૂલ્ય આંકી બતાવવાનું જ બનેલું. મેઘાણીએ કરેલા કાર્યને ઝીણવટથી આગળ વધારવાનું કામ લાભશંકર પુરોહિતે કર્યું. એમણે પોતાના વિવેચનમાં બધા જ પ્રકારનું કામ અલબત્ કરેલ છે તેમ છતાં જેને સૌથી વધારે મહત્વનું ગણ્યું છે તે લોકસાહિત્ય.
આપણું પ્રાચીન સાહિત્ય, મધ્યકાળનું સાહિત્ય હોય એની સમાંતરે ચાલતું શ્રવણધર્મી  લોકસાહિત્ય હોય મુદ્રણયંત્રોની શોધ અને અંગ્રેજી કેળવણીના પ્રભાવે આ સાહિત્યોમાં રહેલાં વિત્તની આપણે લેવી જોઈએ તેવી નોંધ લીધી નથી. ક્યારેક તો તેની ધર્મપરાયણતાને કારણે  આપણે એના સમયકાળના સંદર્ભને વછોડીને એને અવગણ્યું છે. લાભશંકર પુરોહિતે આ  સાહિત્યને તેના સમયના સંદર્ભે એ સમયના દેશ-કાળને સામે રાખીને જોવાનો પ્રયત્ન કર્યો. આવું કામ એમની પૂર્વે મેઘાણીએ કરેલું પણ એમના વ્યસ્ત અને અનેક મોરચે વહેંચાયેલા જીવનકાળમાં એમનાથી આ વિધાને સંપાદિત કરવાનું અને તેનું ઉપર ઉપરથી મૂલ્ય આંકી બતાવવાનું જ બનેલું. મેઘાણીએ કરેલા કાર્યને ઝીણવટથી આગળ વધારવાનું કામ લાભશંકર પુરોહિતે કર્યું. એમણે પોતાના વિવેચનમાં બધા જ પ્રકારનું કામ અલબત્ કરેલ છે તેમ છતાં જેને સૌથી વધારે મહત્વનું ગણ્યું છે તે લોકસાહિત્ય.
આમાં  મોટાભાગના લેખોને લેખરૂપ આપવા સંશોધકે પુનઃલેખન કરવાની જહેમત ઉઠાવી છે. વિવેચકે ‘થોડુંક અંગત, થોડુંક સંગત’ નામે નિવેદનમાં જયદેવ શુક્લ અને મનોજ રાવળને પોતાની કલમને વારંવાર અટકી જતી અને આળસી જતી અટકાવવા બદલ યાદ કર્યા છે.૪<ref>૪. લોકાનુસંધાન  પૃ. 6</ref> કલમને વારંવાર આળસી ને અટકી જવામાં વિવેચકની આળસ નહીં પણ પોતાની વિદ્યા પ્રત્યેની પ્રતિબદ્ધતાના નક્કર પરિણામમાં ક્યાંય ખૂણો-ખાંચો ન રહેવા પામે તેવી ‘સ્વ’ સાથેની આકરી ચોકસાઈ કામ કરતી હોય તેમ લાગે છે.  
આમાં  મોટાભાગના લેખોને લેખરૂપ આપવા સંશોધકે પુનઃલેખન કરવાની જહેમત ઉઠાવી છે. વિવેચકે ‘થોડુંક અંગત, થોડુંક સંગત’ નામે નિવેદનમાં જયદેવ શુક્લ અને મનોજ રાવળને પોતાની કલમને વારંવાર અટકી જતી અને આળસી જતી અટકાવવા બદલ યાદ કર્યા છે.૪<ref>૪. લોકાનુસંધાન  પૃ. 6</ref> કલમને વારંવાર આળસી ને અટકી જવામાં વિવેચકની આળસ નહીં પણ પોતાની વિદ્યા પ્રત્યેની પ્રતિબદ્ધતાના નક્કર પરિણામમાં ક્યાંય ખૂણો-ખાંચો ન રહેવા પામે તેવી ‘સ્વ’ સાથેની આકરી ચોકસાઈ કામ કરતી હોય તેમ લાગે છે.  
સંશોધકે વિષયને નક્કર ભૂમિકાએ પકડી, એને અનુરૂપ પોતાની શોધવૃત્તિને સતેજ રાખીને લોક અને સમાજની તાસીરને ઓળખી, સંશોધ્યને બને એટલા વધુ પરિપેક્ષ્યથી તપાસીને આપણી સામે પ્રસ્તુત કરવાનો યત્ન કર્યો છે.   
સંશોધકે વિષયને નક્કર ભૂમિકાએ પકડી, એને અનુરૂપ પોતાની શોધવૃત્તિને સતેજ રાખીને લોક અને સમાજની તાસીરને ઓળખી, સંશોધ્યને બને એટલા વધુ પરિપેક્ષ્યથી તપાસીને આપણી સામે પ્રસ્તુત કરવાનો યત્ન કર્યો છે.   
પરંપરિત જ્ઞાનસંપદાથી અનભિજ્ઞ  આવનારી પેઢીઓને અજાણપણે શું શું ગુમાવવાનું આવશે તેનાં ગર્ભિત ઈંગિતો પુસ્તકના પ્રથમ  લેખ ‘વાક્પરંપરા : લિખિત અને મૌખિક’ના સમાપનમાં મળે છે- ‘મુદ્રણ અને હવે સમૂહ-માધ્યમોના, વેગીલા આક્રમણના આ જમાનામાં, મૌખિક પ્રસ્તુતિની વિધવિધ શક્યતાઓથી રળિયાત એવી કંઠ્યપરંપરા ભૂંસાતી જાય છે. મુદ્રિત શબ્દની મૂંગી ચક્ષુગમ્યતા, આપણી શ્રુતપરંપરાને તો લગભગ ગળી ગઈ છે. વળી ટી.વી. સુવિધાના સતત સાક્ષાત્કારે, વ્યાપક જનસમુદાયને ઘેર બેઠાં, દર્શન/ શ્રવણનાં સહિયારાં સુખ- અને સંપર્કશૂન્ય આસનકેદનાં દુઃખ-નાં જે સફળ વરદાન આપ્યાં એ પરિણામે સરેરાશ ‘નાગરિક’ પણ સાવ ‘અનિવર્ચનીય’ બની ગયો! બોલાતી ભાષાનું જોમ, એની રોનક રોળાવા લાગી. જીભને ટેરવે રમતી સરસ્વતી જ જાણે ‘અત્ર લુપ્તા’ થઈ ગઈ!’ ૫<ref>૫. એજન પૃ. ૬</ref> ‘ઉદ્દેશ’ સામયિકના ઈ. સ. ૧૯૯૯ના વર્ષભરના શ્રેષ્ઠ અભ્યાસલેખ તરીકે આ લેખને સ્થાન અપાયું છે. લોકવાર્તાના ગદ્યને પરિભાષિત કરવા માટે આપણે આનો ખંડિત અર્થ આપનારી સંજ્ઞાઓ જેવી કે ‘રાગયુક્ત ગદ્ય’, ગદ્યગાન’, અપદ્યાગદ્ય’, કે લહેકાવાળું ગદ્ય’ જેવી સંજ્ઞાઓ પ્રયોજીએ તો આ સંજ્ઞાની ઓળખ અધૂરી રહી જાય છે તેવું બયાન વિવેચકની લોકવાર્તાની સૂક્ષ્મ સમજનું દ્યોતક છે. વિવેચકને નાનપણથી જ કંઠ્યસંપદાનો પ્રત્યક્ષ પરિચય હોવાથી અને આ સંપદાનો અધઝાઝેરો  ભાગ તીવ્ર સ્મરણશક્તિ અને નિત્ય અનુશીલનના પ્રતાપે કંઠવગો હોવાથી આ પ્રકારનું નક્કર નિરીક્ષણ  આપી શક્યા છે.
પરંપરિત જ્ઞાનસંપદાથી અનભિજ્ઞ  આવનારી પેઢીઓને અજાણપણે શું શું ગુમાવવાનું આવશે તેનાં ગર્ભિત ઈંગિતો પુસ્તકના પ્રથમ  લેખ ‘વાક્પરંપરા : લિખિત અને મૌખિક’ના સમાપનમાં મળે છે- ‘મુદ્રણ અને હવે સમૂહ-માધ્યમોના, વેગીલા આક્રમણના આ જમાનામાં, મૌખિક પ્રસ્તુતિની વિધવિધ શક્યતાઓથી રળિયાત એવી કંઠ્યપરંપરા ભૂંસાતી જાય છે. મુદ્રિત શબ્દની મૂંગી ચક્ષુગમ્યતા, આપણી શ્રુતપરંપરાને તો લગભગ ગળી ગઈ છે. વળી ટી.વી. સુવિધાના સતત સાક્ષાત્કારે, વ્યાપક જનસમુદાયને ઘેર બેઠાં, દર્શન/ શ્રવણનાં સહિયારાં સુખ- અને સંપર્કશૂન્ય આસનકેદનાં દુઃખ-નાં જે સફળ વરદાન આપ્યાં એ પરિણામે સરેરાશ ‘નાગરિક’ પણ સાવ ‘અનિવર્ચનીય’ બની ગયો! બોલાતી ભાષાનું જોમ, એની રોનક રોળાવા લાગી. જીભને ટેરવે રમતી સરસ્વતી જ જાણે ‘અત્ર લુપ્તા’ થઈ ગઈ!’ ૫<ref>૫. એજન પૃ. ૬</ref> ‘ઉદ્દેશ’ સામયિકના ઈ. સ. ૧૯૯૯ના વર્ષભરના શ્રેષ્ઠ અભ્યાસલેખ તરીકે આ લેખને સ્થાન અપાયું છે. લોકવાર્તાના ગદ્યને પરિભાષિત કરવા માટે આપણે આનો ખંડિત અર્થ આપનારી સંજ્ઞાઓ જેવી કે ‘રાગયુક્ત ગદ્ય’, ગદ્યગાન’, અપદ્યાગદ્ય’, કે લહેકાવાળું ગદ્ય’ જેવી સંજ્ઞાઓ પ્રયોજીએ તો આ સંજ્ઞાની ઓળખ અધૂરી રહી જાય છે તેવું બયાન વિવેચકની લોકવાર્તાની સૂક્ષ્મ સમજનું દ્યોતક છે. વિવેચકને નાનપણથી જ કંઠ્યસંપદાનો પ્રત્યક્ષ પરિચય હોવાથી અને આ સંપદાનો અધઝાઝેરો  ભાગ તીવ્ર સ્મરણશક્તિ અને નિત્ય અનુશીલનના પ્રતાપે કંઠવગો હોવાથી આ પ્રકારનું નક્કર નિરીક્ષણ  આપી શક્યા છે.
‘લોકગીતની આસ્વાદ્યતા’ અને ‘આપણા લોકઢાળો’ આ બે વિવેચનલેખો પુસ્તકમાં ભલે છેટા-છેટા મૂકેલા હોય પણ લખેલા એક જ સાલમાં (ઈ. સ. ૧૯૯૯) છે. ઉપરાંત તેના બાહ્ય સ્વરૂપવિધાનમાં પણ સામ્ય છે. પહેલા  લેખમાં એમણે લોકવિદ્યા નામે વિશાળ પટ-પ્રસ્તારમાં  લોકગીતનાં સગડ છેક મધ્યકાળમાં શોધીને લોકગીતની આસ્વાદ્યતામાં શબ્દ, અર્થ અને અભિધાવ્યાપારનો સંપુટ કેવો નિર્ણાયક ભૂમિકા ભજવે છે તેનું બયાન કરી એની આસ્વાદ્યતામાં વૃદ્ધિ કરનારાં દ્રવ્યો ક્યાક્યા છે, લોકગીતને લોકહૃદયમાં ઉચ્ચસ્થાને સ્થાપવામાં એનું ગાનબંધારણ કેવું ઉપકારક બને છે તે લોકગીતની કડીઓને સામે રાખીને બતાવી આપ્યું છે. આના આધારે લોકગીતનું સમગ્ર પ્રવર્તન કેવું છે એ સિદ્ધ કરતાં લખે છે : ‘લોકગીત ગ્રંથમાં નહિ, કંઠમાં જીવતું હોય છે, કર્ણમાં ગૂંજતું રહે છે અને લોકસમાજમાં ફૂલતું રહે છે.’ ૬<ref>૬. એજન પૃ. ૬૨</ref> ‘આપણા લોકઢાળો’ વિષયની દૃષ્ટિએ નવીન લેખ છે. લોકઢાળના અભ્યાસને સંગીતવિદ્યાએ લોક અને સાહિત્યનો વિષય માની અને સાહિત્યે સંગીત અને ગાન પરંપરાનો વિષય માની ઉપેક્ષા કરી છે. આ બાબતને સામે રાખી થોડા  પ્રશ્નો આપણી સામે મૂકી આ વિષયનો યોગ્ય પરામર્શ કર્યો છે. ઢાળની તાલ અને સ્વર પરની નિર્ભરતા, એનો  રાગપરંપરા સાથેનો સંબંધ અને લોકઢાળની ગાનપ્રસ્તુતિમાં વ્યક્તિની શારીરિક, માનસિક અને ભાવાત્મક સામેલગીરી કેવી ઉપકારક બને છે તે પર્યાપ્ત ઉદાહરણો સાથે વિશદ કરી આપ્યું છે.
‘લોકગીતની આસ્વાદ્યતા’ અને ‘આપણા લોકઢાળો’ આ બે વિવેચનલેખો પુસ્તકમાં ભલે છેટા-છેટા મૂકેલા હોય પણ લખેલા એક જ સાલમાં (ઈ. સ. ૧૯૯૯) છે. ઉપરાંત તેના બાહ્ય સ્વરૂપવિધાનમાં પણ સામ્ય છે. પહેલા  લેખમાં એમણે લોકવિદ્યા નામે વિશાળ પટ-પ્રસ્તારમાં  લોકગીતનાં સગડ છેક મધ્યકાળમાં શોધીને લોકગીતની આસ્વાદ્યતામાં શબ્દ, અર્થ અને અભિધાવ્યાપારનો સંપુટ કેવો નિર્ણાયક ભૂમિકા ભજવે છે તેનું બયાન કરી એની આસ્વાદ્યતામાં વૃદ્ધિ કરનારાં દ્રવ્યો ક્યાક્યા છે, લોકગીતને લોકહૃદયમાં ઉચ્ચસ્થાને સ્થાપવામાં એનું ગાનબંધારણ કેવું ઉપકારક બને છે તે લોકગીતની કડીઓને સામે રાખીને બતાવી આપ્યું છે. આના આધારે લોકગીતનું સમગ્ર પ્રવર્તન કેવું છે એ સિદ્ધ કરતાં લખે છે : ‘લોકગીત ગ્રંથમાં નહિ, કંઠમાં જીવતું હોય છે, કર્ણમાં ગૂંજતું રહે છે અને લોકસમાજમાં ફૂલતું રહે છે.’ ૬<ref>૬. એજન પૃ. ૬૨</ref> ‘આપણા લોકઢાળો’ વિષયની દૃષ્ટિએ નવીન લેખ છે. લોકઢાળના અભ્યાસને સંગીતવિદ્યાએ લોક અને સાહિત્યનો વિષય માની અને સાહિત્યે સંગીત અને ગાન પરંપરાનો વિષય માની ઉપેક્ષા કરી છે. આ બાબતને સામે રાખી થોડા  પ્રશ્નો આપણી સામે મૂકી આ વિષયનો યોગ્ય પરામર્શ કર્યો છે. ઢાળની તાલ અને સ્વર પરની નિર્ભરતા, એનો  રાગપરંપરા સાથેનો સંબંધ અને લોકઢાળની ગાનપ્રસ્તુતિમાં વ્યક્તિની શારીરિક, માનસિક અને ભાવાત્મક સામેલગીરી કેવી ઉપકારક બને છે તે પર્યાપ્ત ઉદાહરણો સાથે વિશદ કરી આપ્યું છે.
Line 17: Line 17:
એમની વિવેચનાને લાંબા પટ પરથી નિરખવામાં આવે તો એમની શબ્દને જુદી રીતે યોજવાની મથામણ જોઈ શકાય છે. આવું શા માટે એ કરે છે તો જવાબ છે ‘એમને જે વાત મૂકવી છે એની અભિવ્યક્તિ સર્વગ્રાહી બનવી જોઈએ એવી એમણે પોતાની જાત સાથે કરેલી સમજણને કારણે. વિવેચન કોઈ અંગત પ્રવૃત્તિ નથી. વિવેચન એક શાસ્ત્ર છે તો એને અભિવ્યક્ત કરનારી શાસ્ત્રીય ભાષા પણ હોવી જોઈએ એવો એમનો મનસૂબો છે એનો ખ્યાલ આવશે. એમની વિવેચનામાંથી પસાર થનાર અને એના વિવેચનની ભાષાનો વિચાર કરનારને તરત ખ્યાલ આવશે કે એમના વિવેચનની ભાષામાં એમની તપાસ-વિષયને ઝીણવટથી જોવાની અને પછી એને આબાદ અભિવ્યક્ત કરવાની મથામણ જોઈ શકાય. પ્રથમ નજરે એમના વિવેચનની ભાષા પાંડિત્યના પ્રદર્શનવાળી લાગે પણ એને જે દૃષ્ટિકોણ અને નિસબતથી એમણે યોજી છે એવા જ પ્રયોજનથી અભ્યાસી જુએ તો એમની પરિભાષાનું કવચ ધીરે -ધીરે ઓગળતું જણાશે. એમને મન વિવેચન એ સ્વૈરવિહાર બિલકુલ નથી. એમને મન વિવેચન વિજ્ઞાન છે. અને વિજ્ઞાનને એની અભિવ્યક્તિ માટે ભાષા પણ શાસ્ત્રીય હોવી ઘટે. વિવેચનમાં અંગતતા ન આવવી જોઈએ. ‘વિવેચન : સંજ્ઞા, સંકેતો અને સીમાઓ’ નામનાં લેખમાં લાભશંકર પુરોહિત કૃતિઓના તાત્કાલિક પ્રતિભાવ આપતી સમીક્ષાઓ વિશે કહે છે :  ‘કૃતિ પ્રત્યે સદ્ય પ્રતિભાવ વ્યક્ત કરતી પ્રભાવવાદી વિવેચના કૃતિપરીક્ષાની શાસ્ત્રીય કક્ષામાં ન આવે... એ જ કારણે  પ્રભાવવાદી વિવેચન ક્યારેક તો કૃતિની પ્રતિ-કૃતિ બની રહેતું પણ લાગે. કૃતિની નિરપેક્ષ મૂલ્યવતા નક્કી કરવામાં આ વિવેચન ભાગ્યે જ કામયાબ નીવડે.૧૦<ref>૧૦. ફલશ્રુતિ પૃ. ૨૯૫ અને ૧૧. એજન પૃ. ૧૩૮  </ref> તો વિવેચનની જરૂરિયાતને અનિવાર્ય ગણાવતા નોર્થોપ  ફ્રેનો  હવાલો આપતા લખે છે.  ‘વિવેચન વગર ચલાવી લેવાની શેખી મારનારી પ્રજા આખરે તો કળાને જડ અને જંગલી બનાવી મૂકે; એટલું જ નહીં ખુદ પોતાની સંસ્કારવિરાસતને પણ વિસરી જાય.’ ૧૧
એમની વિવેચનાને લાંબા પટ પરથી નિરખવામાં આવે તો એમની શબ્દને જુદી રીતે યોજવાની મથામણ જોઈ શકાય છે. આવું શા માટે એ કરે છે તો જવાબ છે ‘એમને જે વાત મૂકવી છે એની અભિવ્યક્તિ સર્વગ્રાહી બનવી જોઈએ એવી એમણે પોતાની જાત સાથે કરેલી સમજણને કારણે. વિવેચન કોઈ અંગત પ્રવૃત્તિ નથી. વિવેચન એક શાસ્ત્ર છે તો એને અભિવ્યક્ત કરનારી શાસ્ત્રીય ભાષા પણ હોવી જોઈએ એવો એમનો મનસૂબો છે એનો ખ્યાલ આવશે. એમની વિવેચનામાંથી પસાર થનાર અને એના વિવેચનની ભાષાનો વિચાર કરનારને તરત ખ્યાલ આવશે કે એમના વિવેચનની ભાષામાં એમની તપાસ-વિષયને ઝીણવટથી જોવાની અને પછી એને આબાદ અભિવ્યક્ત કરવાની મથામણ જોઈ શકાય. પ્રથમ નજરે એમના વિવેચનની ભાષા પાંડિત્યના પ્રદર્શનવાળી લાગે પણ એને જે દૃષ્ટિકોણ અને નિસબતથી એમણે યોજી છે એવા જ પ્રયોજનથી અભ્યાસી જુએ તો એમની પરિભાષાનું કવચ ધીરે -ધીરે ઓગળતું જણાશે. એમને મન વિવેચન એ સ્વૈરવિહાર બિલકુલ નથી. એમને મન વિવેચન વિજ્ઞાન છે. અને વિજ્ઞાનને એની અભિવ્યક્તિ માટે ભાષા પણ શાસ્ત્રીય હોવી ઘટે. વિવેચનમાં અંગતતા ન આવવી જોઈએ. ‘વિવેચન : સંજ્ઞા, સંકેતો અને સીમાઓ’ નામનાં લેખમાં લાભશંકર પુરોહિત કૃતિઓના તાત્કાલિક પ્રતિભાવ આપતી સમીક્ષાઓ વિશે કહે છે :  ‘કૃતિ પ્રત્યે સદ્ય પ્રતિભાવ વ્યક્ત કરતી પ્રભાવવાદી વિવેચના કૃતિપરીક્ષાની શાસ્ત્રીય કક્ષામાં ન આવે... એ જ કારણે  પ્રભાવવાદી વિવેચન ક્યારેક તો કૃતિની પ્રતિ-કૃતિ બની રહેતું પણ લાગે. કૃતિની નિરપેક્ષ મૂલ્યવતા નક્કી કરવામાં આ વિવેચન ભાગ્યે જ કામયાબ નીવડે.૧૦<ref>૧૦. ફલશ્રુતિ પૃ. ૨૯૫ અને ૧૧. એજન પૃ. ૧૩૮  </ref> તો વિવેચનની જરૂરિયાતને અનિવાર્ય ગણાવતા નોર્થોપ  ફ્રેનો  હવાલો આપતા લખે છે.  ‘વિવેચન વગર ચલાવી લેવાની શેખી મારનારી પ્રજા આખરે તો કળાને જડ અને જંગલી બનાવી મૂકે; એટલું જ નહીં ખુદ પોતાની સંસ્કારવિરાસતને પણ વિસરી જાય.’ ૧૧
‘હુંમર’/ઉમર’ એટલે’, ‘...ચાંદલિયો ઊગ્યો ને અઈણ્યો આથમી’ અર્થ વાચનમાં અંતરાયની બાબત’ અને  ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો ? માન્ય પાઠ અંગે...’આ ત્રણ લેખ જુદા પ્રકારના અને લાક્ષણિક છે. આ ત્રણે લેખોમાં પંક્તિની પરંપરિત અર્થછાયાને જુદાં - જુદાં અનુમાનો દ્વારા ક્રમશઃ તથ્યોની ટેકણલાકડીના સહારે ઉકેલવાનો ક્ષેત્રકાર્યલક્ષી પ્રયાસ છે. સૌથી રસપ્રદ બાબત તો સંશોધકની પોતાના વિવરણ-પટને પહોળા પનાવાળો રાખી ધીરે ધરે પનો ટૂંકો અને સાંકડો કરતાં જઈને લક્ષ્યને, અનુમાનની નજીક જવાની રીતિ આકર્ષક છે. સંશોધક પોતાની  શોધવૃત્તિને પ્રબળ બનાવે તો કેવા કેવા બહુઆયામી દૃષ્ટિકોણથી વિમર્શ થઈ શકે અને આવી શોધયાત્રા કેવી આનંદદાયી બની શકે તેના ઉત્તમ નમૂના આ બે લેખો છે.
‘હુંમર’/ઉમર’ એટલે’, ‘...ચાંદલિયો ઊગ્યો ને અઈણ્યો આથમી’ અર્થ વાચનમાં અંતરાયની બાબત’ અને  ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો ? માન્ય પાઠ અંગે...’આ ત્રણ લેખ જુદા પ્રકારના અને લાક્ષણિક છે. આ ત્રણે લેખોમાં પંક્તિની પરંપરિત અર્થછાયાને જુદાં - જુદાં અનુમાનો દ્વારા ક્રમશઃ તથ્યોની ટેકણલાકડીના સહારે ઉકેલવાનો ક્ષેત્રકાર્યલક્ષી પ્રયાસ છે. સૌથી રસપ્રદ બાબત તો સંશોધકની પોતાના વિવરણ-પટને પહોળા પનાવાળો રાખી ધીરે ધરે પનો ટૂંકો અને સાંકડો કરતાં જઈને લક્ષ્યને, અનુમાનની નજીક જવાની રીતિ આકર્ષક છે. સંશોધક પોતાની  શોધવૃત્તિને પ્રબળ બનાવે તો કેવા કેવા બહુઆયામી દૃષ્ટિકોણથી વિમર્શ થઈ શકે અને આવી શોધયાત્રા કેવી આનંદદાયી બની શકે તેના ઉત્તમ નમૂના આ બે લેખો છે.
લાભશંકર પુરોહિતનું વિવેચનકાર્ય એકવીસમી સદીના પહેલા બે દસકાની ગુજરાતી વિવેચન પ્રવૃત્તિમાં નોંધપાત્ર ગણાય તેમ છે. વિષયની દૃષ્ટિએ તો અમુક એવા વિષયોને એમણે તપાસવિષય બનાવ્યા છે, જેને આ પૂર્વે ગુજરાતી સાહિત્યના વિવેચનજગતે  હાથ પર જ ઓછા લીધા હોય. આજના વિવેચનના સંદર્ભે તો લાભશંકર પુરોહિતનું વિવેચન આવતીકાલના  વિવેચન માટે અમુક બાબતમાં આદર્શરૂપ બની રહે તેમ  છે.
લાભશંકર પુરોહિતનું વિવેચનકાર્ય એકવીસમી સદીના પહેલા બે દસકાની ગુજરાતી વિવેચન પ્રવૃત્તિમાં નોંધપાત્ર ગણાય તેમ છે. વિષયની દૃષ્ટિએ તો અમુક એવા વિષયોને એમણે તપાસવિષય બનાવ્યા છે, જેને આ પૂર્વે ગુજરાતી સાહિત્યના વિવેચનજગતે  હાથ પર જ ઓછા લીધા હોય. આજના વિવેચનના સંદર્ભે તો લાભશંકર પુરોહિતનું વિવેચન આવતીકાલના  વિવેચન માટે અમુક બાબતમાં આદર્શરૂપ બની રહે તેમ  છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{right|--પ્રવીણ કુકડિયા}} <br>
{{right|--પ્રવીણ કુકડિયા}} <br>

Navigation menu