ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/સંશોધન-સંપાદન: Difference between revisions

Jump to navigation Jump to search
+૧
(+૧)
(+૧)
 
Line 25: Line 25:
આ સૌમાં ‘પીરામીડની છાયામાં’ મિસરની પ્રાચીન સંસ્કૃતિ અને સાહિત્યની ભરપૂર સામગ્રીએ, સંપાદકની વ્યવસ્થિત યોજના, સંકલના અને અનુવાદકલાએ તથા તેના મૂલ્યવાન વિવરણે કરીને વિશેષે શોભે છે. ‘આપણી કવિતાસમૃદ્ધિ' તેમાંના કાવ્યપસંદગીના ધોરણે નહિ તેટલી તેના ઉપોદ્ઘાત-વિવરણ અને આયોજન પરત્વે મહત્ત્વની ઠરે છે. ‘બુદ્ધિપ્રકાશ; લેખસંગ્રહ' ગુજરાતના જૂના શિષ્ટ સામયિકમાંના વિધવિધ કોટિનાં વિષય અને શૈલીના સત્ત્વશીલ લેખોને ગ્રંથસ્થ કરી આપે છે. 'મણિલાલની વિચારધારા' અને 'મણિલાલના ત્રણ લેખો' ગુજરાતના ઉપેક્ષા પામેલા એક સમર્થ ચિંતકના અભ્યાસપાત્ર છતાં અપ્રાપ્ય બનતા જતા નિબંધોને, અભ્યાસોપેયોગી માહિતી અને દૃષ્ટિ સમેત, સુલભ કરી આપે છે.
આ સૌમાં ‘પીરામીડની છાયામાં’ મિસરની પ્રાચીન સંસ્કૃતિ અને સાહિત્યની ભરપૂર સામગ્રીએ, સંપાદકની વ્યવસ્થિત યોજના, સંકલના અને અનુવાદકલાએ તથા તેના મૂલ્યવાન વિવરણે કરીને વિશેષે શોભે છે. ‘આપણી કવિતાસમૃદ્ધિ' તેમાંના કાવ્યપસંદગીના ધોરણે નહિ તેટલી તેના ઉપોદ્ઘાત-વિવરણ અને આયોજન પરત્વે મહત્ત્વની ઠરે છે. ‘બુદ્ધિપ્રકાશ; લેખસંગ્રહ' ગુજરાતના જૂના શિષ્ટ સામયિકમાંના વિધવિધ કોટિનાં વિષય અને શૈલીના સત્ત્વશીલ લેખોને ગ્રંથસ્થ કરી આપે છે. 'મણિલાલની વિચારધારા' અને 'મણિલાલના ત્રણ લેખો' ગુજરાતના ઉપેક્ષા પામેલા એક સમર્થ ચિંતકના અભ્યાસપાત્ર છતાં અપ્રાપ્ય બનતા જતા નિબંધોને, અભ્યાસોપેયોગી માહિતી અને દૃષ્ટિ સમેત, સુલભ કરી આપે છે.
આ રીતે આ દાયકાના વાઙ્મયને સંશોધન-સંપાદન વિભાગ ઠીક માતબર બન્યો છે એમ કહી શકાય.
આ રીતે આ દાયકાના વાઙ્મયને સંશોધન-સંપાદન વિભાગ ઠીક માતબર બન્યો છે એમ કહી શકાય.
{{Poem2Close}}
{{center|'''ધર્મ અને તત્ત્વજ્ઞાન'''}}
{{Poem2Open}}
વિચારોની કશી નવીનતા કે અસાધારણતા વિનાનાં, પરંપરિત ધર્મ અને તત્ત્વજ્ઞાનને શ્રદ્ધાથી સ્વીકારી તેનું સમર્થન કરનારાં કે તેમાંથી બોધ પ્રગટાવનારા કુડીબંધ પુસ્તકો હરકોઈ દાયકાની જેમ આ દાયકે પણ આપણને મળ્યાં છે. એમાંનાં ઘણખરાં પુસ્તકો જીવ-જગત- ઈશ્વરના સંબંધ વિશે, સંતચરિત્ર કે તપ, દાન, ભક્તિના આચાર વિશે કે ઈશ્વરશ્રદ્ધા અને પ્રેમના માહાત્મ્ય રૂપે સાંપ્રદાયિક દૃષ્ટિએ ધર્મ-તત્ત્વજ્ઞાનની ચર્ચા કરતાં રહે છે. એમાં ઉપનિષદોથી માંડીને બૌદ્ધ, જૈન અને વૈષ્ણવ સંપ્રદાય સુધીની વિચારણાનું પ્રતિબિંબ પડેલું છે.
આવાં પુસ્તકોમાં 'દિવ્યપ્રેમદર્શન’ (પ્રાણલાલ બક્ષી), ‘દિવ્યદર્શન' (શ્રી. વિજયદાનસૂરીશ્વરજી), ‘વેદાંત અને યોગ', 'શ્રીમદ્ ભાગવત માર્ગદર્શિકા', 'શ્રી. રમણ મહર્ષિ', ‘વિચારસૂર્યોદય', (ચારેના કર્તા સ્વામી માધવતીર્થ), 'જ્ઞાન અને કર્મ’ (સ્વામી અદ્વૈતાનંદ), 'વિભૂતિ' (વિષ્ણુપ્રસાદ બક્ષી), 'પરમ પુરુષાર્થ' (સ્વામી અદ્વૈતાનંદ) અને 'દાનધર્મ- પંચાચાર' (સ્વ. મનસુખભાઈ ડી. મહેતા) જેવાં કેટલાંક ઉલ્લેખપાત્ર છે. શ્રીમદ્ભગવદ્ગીતાનું રહસ્ય તારવી આપતાં ડઝનેક સારાં પુસ્તકો આ દાયકે પ્રગટ થયાં છે, એ ગીતા પ્રત્યેની ધર્મપ્રેમી સમાજની ચાલુ રહેલી અભિમુખતાનું નિદર્શન કરે છે. સંતચરિત્રો અને સરળ વેદાંતનાં પુસ્તકો ઠીક સંખ્યામાં વંચાતાં જણાય છે. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ભક્તિમાર્ગ કાર્યાલય અને નવજીવન કાર્યાલય આ ક્ષેત્રમાં સૌથી વધુ સેવા બજાવી રહેલ છે.
ધાર્મિક સાહિત્ય મોટા પ્રમાણમાં પ્રગટતું રહે છે, પરંતુ ધર્મતત્ત્વના ઊંડાણમાં જઈને વૈજ્ઞાનિક બુદ્ધિવાળા મનનશીલ વાચકોને ધર્મનું અવગાહન કરાવે તેવાં પુસ્તકો બહુ ઓછા મળે છે. ઘણામાં ઘણું તો આવાં પુસ્તકોથી આસ્થાળુ અને ધાર્મિક વૃત્તિ કે સંસ્કારવાળાં સરલ માણસોને ધર્મવાચનનો ખોરાક મળે છે એટલું જ.
આ વિભાગનાં ખરેખર સમૃદ્ધ ગણાય તેવાં પુસ્તકો ચાર છે. ‘સંસાર અને ધર્મ' (મશરૂવાળા), 'મોત પર મનન’ (પ્રૉ. દાવર), 'જીવનસંગ્રામ ' (સં, નંદલાલ ભો. શાહ) અને 'જ્ઞાનયોગી ચંદુભાઈ સાથેનો વાર્તાલાપ' (સં. નારૂશંકર ભટ્ટ).
'સંસાર અને ધર્મ': આ પુસ્તકમાં શ્રી. મશરૂવાળાના ત્રીસ અને એમના ગુરુ શ્રી, નાથજીના ત્રણ એમ કુલ તેત્રીસ દાર્શનિક લેખોનો સંગ્રહ થયેલો છે. એને પંડિત સુખલાલજીની વિચારપ્રેરક પ્રસ્તાવનાનો સુયોગ પ્રાપ્ત થયેલો છે. લેખકોના વક્તવ્યનો ઝોક જીવનના સ્વલક્ષી નહિ પણ વિશ્વલક્ષી ધ્યેય તરફ, સ્વતંત્ર વૈયક્તિક સત્યખોજની પ્રવૃત્તિ તરફ અને વ્યક્તિગત તેમજ સામાજિક સદાચાર તરફ વિશેષે વળેલો છે. લેખોમાં આપણા ઘણા ઈશ્વર-વિષયક ભ્રમોનું, અવતારવાદ કે ગુરુપૂજાવાદનું અને દાર્શનિક તત્ત્વજ્ઞાનની પરંપરાએ ચાલુ રહેલી કેવળ ભાષ્યો જ રચવાની પ્રવૃત્તિને પોષવાના વલણનું સચોટ દલીલોપૂર્વક ખંડન થયેલું છે. આપણે ત્યાં તત્ત્વવિચાર કેવળ પરંપરિત દર્શનોના પડછાયામાં જ મોટે ભાગે રજૂ થતો હોય છે. શ્રી. મશરૂવાળાએ ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિવિધ પ્રશ્નોની મૌલિક દૃષ્ટિએ છણાવટ કરી પ્રાચીન રહસ્યને આત્મસાત્ કર્યા બાદ 'આતમની સૂઝ' વડે તેના ઉપર અનોખો પ્રકાશ નાખ્યો છે. એમની મનનશીલતા, સત્યનિષ્ઠા અને તર્કશકિત ગમે તેવા ગહન વિષયની આમૂલ પકડ દ્વારા વિશદ આલોચના કરી બતાવે છે. પંડિત સુખલાલજીએ ગ્રંથની પ્રસ્તાવનામાં યોગ્ય જ કહ્યું છે કે ‘કોઈ અંતઃપ્રજ્ઞાની અખંડ સેર લેખકનો મનમાં નિરંતર વહ્યા કરે છે' આ દૃષ્ટિએ 'સંસાર અને ધર્મ' આ વિભાગનું ઉત્તમ પુસ્તક છે.
‘મોત પર મનન' આપણા એક શ્રદ્ધાળુ ધર્મચિંતક અને સંમાન્ય અધ્યાપક શ્રી. દાવરનો મૃત્યુની અનિવાર્યતા અને મહત્તા સમજાવતો ચિંતનગ્રંથ છે. અનેક ઉદાહરણો અને અનુભવપ્રસંગો દ્વારા તેમણે મૃત્યુનું ઈશ્વરની યોજનામાં શું સ્થાન છે તે બતાવ્યું છે. મૃત્યુની મંગલતા, મૃત્યુ પછીની સ્થિતિ, કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતો, વિવિધ ધર્મોનો મૃત્યુ અને મરણોત્તર જીવનવિષયક ખ્યાલ વગેરે બાબતો વિશે ચોકસાઈથી અનેક દલીલો અને દુનિયાની કેટલીય ભાષાઓનાં સાહિત્યમાંથી વીણેલાં અઢળક અવતરણો દ્વારા પ્રૉ. દાવરે વિષય પર અપૂર્વ પ્રકાશ પાડ્યો છે. ગ્રંથમાં લેખકની બહુશ્રુતતા, તુલનાત્મક દૃષ્ટિ, ધાર્મિકતા અને સન્નિષ્ઠા વરતાઈ આવે છે.
અન્ય બે પુસ્તકોમાં 'જ્ઞાનયોગી ચંદુભાઈ સાથેનો અધ્યાત્મ વાર્તાલાપ' રાંદેરના બ્રહ્મનિષ્ઠ સંસારયોગી ચંદુભાઈની ધર્મ, તત્ત્વજ્ઞાન, સાધના, યોગ અને વ્યવહારને લગતા અનેક પ્રશ્નો પરની આંતર સૂઝથી પ્રગટેલી જ્ઞાનવાણીનું પુસ્તક છે. તેમના આધ્યાત્મિક અનુભવો અને સરલ સૌમ્ય વ્યક્તિત્વ તેમની ભાષા અને વિચારણામાં બળ પૂરે છે. એવું જ બીજું પુસ્તક જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિની કવિતાના સંપાદક શ્રી. નંદલાલ ભો. શાહે આપ્યું છે. એનું નામ 'જીવનસંગ્રામ'. જીવનમાં આવી પડતી આફતો પ્રભુપ્રેરિત અને આવશ્યક છે એમ સિદ્ધ કરીને બાહ્ય અને આંતર ઘર્ષણ વેળા ધીર સાધકે કેવાં મન, પ્રકૃતિ અને વર્તન રાખવાં તે સરળ વાણીમાં વિશદતાથી તેમણે સમજાવ્યું છે. કર્મયોગ અને ભક્તિયોગનો સમન્વય એમનો સંદેશ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>

Navigation menu