32,422
edits
No edit summary |
(+१) |
||
| Line 9: | Line 9: | ||
ભારતીય સાહિત્યમાંથી જે થોડાંક પુસ્તકો મારા અંતરમાં સ્થાન પામ્યાં છે તેનો નિર્દેશ આપું તો – Hymns to Mystic Fire (સં. શ્રી અરવિંદ), ઇશોપનિષદ, ‘વાલ્મીકીય રામકથા’ (ચી. ના. પટેલ), ગીતા, શ્રીમદ્ ભાગવત, નરસિંહ, મીરાં, કબીર આદિ સંતોનાં પદો, રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યગ્રંથો પૈકી ‘ગીતાંજલિ’, ‘માળી’ અને ‘ફ્લુસંચય’ ઉપરાંત તેમના પ્રવચનગ્રંથો ‘શાંતિનિકેતન’ (૧-૩), ‘સરસ્વતીચંદ્ર’(૧–૪), ‘આપણો ધર્મ’ (આ. આનંદશંકર ધ્રુવ), ‘સત્યના પ્રયોગો’, મહાદેવભાઈની ડાયરી’, ‘દ્રુમપર્ણ’ (વિષ્ણુપ્રસાદ ત્રિવેદી), દર્શન અને ચિંતન’ (પંડિત સુખલાલજી), સુંદરમ્, રાજેન્દ્ર શાહ આદિની કવિતા વગેરે. પરદેશના સાહિત્યમાંથી જો નિર્દેશ કરું તો – પ્રસિદ્ધ ગ્રીક ટ્રેજેડી ‘ઇડિપસ ધ કિંગ’, હેમ્લેટ’ (શેઇસ્પિયર), વડ્ર્ઝવર્થ શેલી યેટ્સ એલિયટ રિલ્કે અને સેફેરિસ જેવા મોટા કવિઓની કવિતા, એન્દ્રેયેક ચેખવ દોસ્તોએવ્સ્કી ટોલ્સ્ટોય હેમિંગ્વે, માલામૂડ સિંગર જેવા કથાસર્જકોની નવલિકાઓ, કિર્કેગાર્દનાં જર્નલ્સ, કાફકાની ડાયરી ઉપરાંત બાઈબલનાં‘નવો ક૨ા૨’માંનાં સ્રોતગાન, નવમાદસમા સૈકાની ચીની ઊર્મિકવિતા, ટોયન્બી- ઈકેડાના વાર્તાલાપનો ગ્રંથ‘choose life.’ આ પૈકી કેટલાક મારી અધ્યાત્મઝંખનાને પ્રેરક- પોષક બળ બની રહ્યાં છે, તો કેટલાંક મારા જીવનના કોઈક નૈતિક સંઘર્ષની ક્ષણોમાં માર્ગદર્શક બન્યાં છે, તો બીજાં વળી મારા અંત૨માં વ્યાપી જતી નિરાશાની ક્ષણોમાં એકાએક નવી આશા જન્માવી ગયાં છે, પણ પુસ્તકોની પ્રેરણા એવી એક અતિ સૂક્ષ્મ અને દુર્ગાહ્ય ચૈતસિક ઘટના છે કે એનો શ્રદ્ધેય અહેવાલ આપવાનું અતિ દુષ્કર છે. જીવનની કોઈ એક નિર્ણાયક ક્ષણે કોઈ એક જ, એકમાત્ર પુસ્તક પથદર્શક બન્યું એમ કદાચ ન કહી શકાય. ઉપલક નજર કોઈ એક પુસ્તક સહાયભૂત બની રહ્યું લાગે, પણ એવા એક પુસ્તકની પાછળ બીજાં પણ અનેક પુસ્તકોનું સત્ત્વ કામ કરી રહ્યું હોય છે. હવે ઉપર ઉલ્લેખેલાં પુસ્તકોમાંથી ચારપાંચ સાથેનો હૃદયસંબંધ સંક્ષેપમાં વર્ણવવા ચાહું છું. | ભારતીય સાહિત્યમાંથી જે થોડાંક પુસ્તકો મારા અંતરમાં સ્થાન પામ્યાં છે તેનો નિર્દેશ આપું તો – Hymns to Mystic Fire (સં. શ્રી અરવિંદ), ઇશોપનિષદ, ‘વાલ્મીકીય રામકથા’ (ચી. ના. પટેલ), ગીતા, શ્રીમદ્ ભાગવત, નરસિંહ, મીરાં, કબીર આદિ સંતોનાં પદો, રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યગ્રંથો પૈકી ‘ગીતાંજલિ’, ‘માળી’ અને ‘ફ્લુસંચય’ ઉપરાંત તેમના પ્રવચનગ્રંથો ‘શાંતિનિકેતન’ (૧-૩), ‘સરસ્વતીચંદ્ર’(૧–૪), ‘આપણો ધર્મ’ (આ. આનંદશંકર ધ્રુવ), ‘સત્યના પ્રયોગો’, મહાદેવભાઈની ડાયરી’, ‘દ્રુમપર્ણ’ (વિષ્ણુપ્રસાદ ત્રિવેદી), દર્શન અને ચિંતન’ (પંડિત સુખલાલજી), સુંદરમ્, રાજેન્દ્ર શાહ આદિની કવિતા વગેરે. પરદેશના સાહિત્યમાંથી જો નિર્દેશ કરું તો – પ્રસિદ્ધ ગ્રીક ટ્રેજેડી ‘ઇડિપસ ધ કિંગ’, હેમ્લેટ’ (શેઇસ્પિયર), વડ્ર્ઝવર્થ શેલી યેટ્સ એલિયટ રિલ્કે અને સેફેરિસ જેવા મોટા કવિઓની કવિતા, એન્દ્રેયેક ચેખવ દોસ્તોએવ્સ્કી ટોલ્સ્ટોય હેમિંગ્વે, માલામૂડ સિંગર જેવા કથાસર્જકોની નવલિકાઓ, કિર્કેગાર્દનાં જર્નલ્સ, કાફકાની ડાયરી ઉપરાંત બાઈબલનાં‘નવો ક૨ા૨’માંનાં સ્રોતગાન, નવમાદસમા સૈકાની ચીની ઊર્મિકવિતા, ટોયન્બી- ઈકેડાના વાર્તાલાપનો ગ્રંથ‘choose life.’ આ પૈકી કેટલાક મારી અધ્યાત્મઝંખનાને પ્રેરક- પોષક બળ બની રહ્યાં છે, તો કેટલાંક મારા જીવનના કોઈક નૈતિક સંઘર્ષની ક્ષણોમાં માર્ગદર્શક બન્યાં છે, તો બીજાં વળી મારા અંત૨માં વ્યાપી જતી નિરાશાની ક્ષણોમાં એકાએક નવી આશા જન્માવી ગયાં છે, પણ પુસ્તકોની પ્રેરણા એવી એક અતિ સૂક્ષ્મ અને દુર્ગાહ્ય ચૈતસિક ઘટના છે કે એનો શ્રદ્ધેય અહેવાલ આપવાનું અતિ દુષ્કર છે. જીવનની કોઈ એક નિર્ણાયક ક્ષણે કોઈ એક જ, એકમાત્ર પુસ્તક પથદર્શક બન્યું એમ કદાચ ન કહી શકાય. ઉપલક નજર કોઈ એક પુસ્તક સહાયભૂત બની રહ્યું લાગે, પણ એવા એક પુસ્તકની પાછળ બીજાં પણ અનેક પુસ્તકોનું સત્ત્વ કામ કરી રહ્યું હોય છે. હવે ઉપર ઉલ્લેખેલાં પુસ્તકોમાંથી ચારપાંચ સાથેનો હૃદયસંબંધ સંક્ષેપમાં વર્ણવવા ચાહું છું. | ||
કંઈક સુખદ વિસ્મય થાય એવી વાત છે કે શ્રી અરવિંદ દ્વારા સંકલિત પુસ્તક Hymns to Mystic Fire (ગુહ્ય અગ્નિ વિશેનાં સ્રોત્રગાન) અત્યારે પહેલું જ સ્મરણમાં તરી આવે છે. જોકે નિખાલસપણે હું એમ પણ કહેવા ચાહું છે કે સંસ્કૃત ભાષાનો હું કોઈ એવો અભ્યાસી નથી, એટલે વૈદિક સાહિત્યમાં મારી ગતિ અલ્પ જ. આ ગ્રંથમાં શ્રી અરવિંદે અગ્નિ વિશે જે ઋચાઓનું સંકલન કર્યું છે તે એક જિજ્ઞાસુ તરીકે હું વાંચતો રહ્યો છું. શ્રી અરવિંદે અહીં ઋચાઓના જે અંગ્રેજી અનુવાદો આપ્યા છે તેના પ્રકાશમાં વૈદિક શબ્દો ઉકેલવાની મથામણ કરતો રહ્યો છું. એ ઋચાઓનું પૂર્ણ રહસ્ય ક્યારેય પામી શકીશ કે કેમ એ પ્રશ્ન છે, પણ એ ગૂઢ અકળ રહસ્ય જ કદાચ મને સતત પ્રેર્યા કરે છે. મને કંઈક એવી પ્રતીતિ બંધાઈ છે કે વૈદિક ઋષિઓ સાચા અર્થમાં ક્રાન્તદૃષ્ટા કવિ હતા અને આ ઋચાઓમાં વિશ્વજીવનનાં ગહનગંભીર સત્યોનું તેઓ આવિષ્કરણ કરતા રહ્યા છે. પરમ ધન્યતા એ વાતની કે એ સત્યોના ઉદ્ઘાટનમાં તેમની ભવ્યોદાત્ત અને અતિ ઓજસ્વતી કલ્પનાશક્તિનો યોગ મળ્યો છે. વૈદિક દેવતાઓના મંડળમાં અગ્નિ એક મહદ્ સત્તા છે, પણ વૈદિક ઋષિ તેના મહિમ્નાત્રોમાં સર્વદેવોના દેવ તરીકે સ્થાપે છે, અને સમગ્ર વિશ્વની આધસત્તા તેમ તેના વિલાસવિસ્તારના અણુએ અણુમાં રહેલી સત્યરૂપતા તરીકે તેનો ઉલ્લેખ કરે છે. અગ્નિનું વિશ્વવ્યાપી પ્રગટીકરણ સ્વયં ઋષિકવિ માટે અનંત વિસ્મયની ઘટના છે. સૂર્ય નક્ષત્રોનો તે આદ્યસ્રોત છે, તો એ સૂર્યાદિની સંતતિ પણ છે. વિશ્વના અંધકારમાં તેનો જન્મ છે – કે આદ્યજલોમાં તેનો ઉદ્ભવ છે – તો અરણ્યોનાં વૃક્ષોમાં તેનો પ્રસાર છે. ઋષિનું ક્રાન્તદર્શન સતત અગ્નિનું અભિનવ દર્શન રજૂ કરે છે. ઉપલક નજરને વિરોધાભાસી લાગે તેવાં વર્ણનો એમાં સહજ સંકળાઈ આવે છે. પૌરાણિક બિંબો અને પ્રતીકોની ગૂઢ રહસ્યસભર વાણી જ મારી ચેતનાને સમગ્રતયા ગ્રહણ કરી લે છે. કાવ્ય અહીં દર્શનનું આલંબન લે છે કે દર્શન- કાવ્યનું – એનો નિર્ણય કરવાનુંય અહીં તો મુશ્કેલ છે. ઋચાઓના વાચનમનન સાથે ભીતરી ચેતના જાણે કે ખીલી ઊઠે છે. વિશ્વજીવનની ગહનતર લયદાબક સાથે સંવાદ રચાય છે. ઊર્ધ્વમુખી ચેતના પ્રાકૃતતાના સ્તરેથી મુક્ત થતી લાગે છે. | કંઈક સુખદ વિસ્મય થાય એવી વાત છે કે શ્રી અરવિંદ દ્વારા સંકલિત પુસ્તક Hymns to Mystic Fire (ગુહ્ય અગ્નિ વિશેનાં સ્રોત્રગાન) અત્યારે પહેલું જ સ્મરણમાં તરી આવે છે. જોકે નિખાલસપણે હું એમ પણ કહેવા ચાહું છે કે સંસ્કૃત ભાષાનો હું કોઈ એવો અભ્યાસી નથી, એટલે વૈદિક સાહિત્યમાં મારી ગતિ અલ્પ જ. આ ગ્રંથમાં શ્રી અરવિંદે અગ્નિ વિશે જે ઋચાઓનું સંકલન કર્યું છે તે એક જિજ્ઞાસુ તરીકે હું વાંચતો રહ્યો છું. શ્રી અરવિંદે અહીં ઋચાઓના જે અંગ્રેજી અનુવાદો આપ્યા છે તેના પ્રકાશમાં વૈદિક શબ્દો ઉકેલવાની મથામણ કરતો રહ્યો છું. એ ઋચાઓનું પૂર્ણ રહસ્ય ક્યારેય પામી શકીશ કે કેમ એ પ્રશ્ન છે, પણ એ ગૂઢ અકળ રહસ્ય જ કદાચ મને સતત પ્રેર્યા કરે છે. મને કંઈક એવી પ્રતીતિ બંધાઈ છે કે વૈદિક ઋષિઓ સાચા અર્થમાં ક્રાન્તદૃષ્ટા કવિ હતા અને આ ઋચાઓમાં વિશ્વજીવનનાં ગહનગંભીર સત્યોનું તેઓ આવિષ્કરણ કરતા રહ્યા છે. પરમ ધન્યતા એ વાતની કે એ સત્યોના ઉદ્ઘાટનમાં તેમની ભવ્યોદાત્ત અને અતિ ઓજસ્વતી કલ્પનાશક્તિનો યોગ મળ્યો છે. વૈદિક દેવતાઓના મંડળમાં અગ્નિ એક મહદ્ સત્તા છે, પણ વૈદિક ઋષિ તેના મહિમ્નાત્રોમાં સર્વદેવોના દેવ તરીકે સ્થાપે છે, અને સમગ્ર વિશ્વની આધસત્તા તેમ તેના વિલાસવિસ્તારના અણુએ અણુમાં રહેલી સત્યરૂપતા તરીકે તેનો ઉલ્લેખ કરે છે. અગ્નિનું વિશ્વવ્યાપી પ્રગટીકરણ સ્વયં ઋષિકવિ માટે અનંત વિસ્મયની ઘટના છે. સૂર્ય નક્ષત્રોનો તે આદ્યસ્રોત છે, તો એ સૂર્યાદિની સંતતિ પણ છે. વિશ્વના અંધકારમાં તેનો જન્મ છે – કે આદ્યજલોમાં તેનો ઉદ્ભવ છે – તો અરણ્યોનાં વૃક્ષોમાં તેનો પ્રસાર છે. ઋષિનું ક્રાન્તદર્શન સતત અગ્નિનું અભિનવ દર્શન રજૂ કરે છે. ઉપલક નજરને વિરોધાભાસી લાગે તેવાં વર્ણનો એમાં સહજ સંકળાઈ આવે છે. પૌરાણિક બિંબો અને પ્રતીકોની ગૂઢ રહસ્યસભર વાણી જ મારી ચેતનાને સમગ્રતયા ગ્રહણ કરી લે છે. કાવ્ય અહીં દર્શનનું આલંબન લે છે કે દર્શન- કાવ્યનું – એનો નિર્ણય કરવાનુંય અહીં તો મુશ્કેલ છે. ઋચાઓના વાચનમનન સાથે ભીતરી ચેતના જાણે કે ખીલી ઊઠે છે. વિશ્વજીવનની ગહનતર લયદાબક સાથે સંવાદ રચાય છે. ઊર્ધ્વમુખી ચેતના પ્રાકૃતતાના સ્તરેથી મુક્ત થતી લાગે છે. | ||
પણ, અગ્નિ-વિષયક આ ઋચાઓમાં વિશ્વજીવનનું યજ્ઞમયરૂપ કદાચ મને સૌથી પ્રેરણાદાયી. લાગ્યું છે. વિશ્વયજ્ઞમાં હોતા અને હવિ પોતે જ છે. સર્વ કંઈ એ આદ્ય અગ્નિમાંથી જન્મે છે, અને અંતે એમાં જ લય પામે છે. પદાર્થમાત્ર, વ્યક્તિમાત્ર, દૈવી સત્ત્વો પણ, એ યજ્ઞમાં આહુતિ અર્થે જન્મ્યાં છે. પોતાની કોઈ અલગ સત્તા સ્થાપવાનો, અલગ વ્યક્તિતા ઊભી કરવાનો પ્રશ્ન જ નથી. ક્ષણેક્ષણે આત્મવિસર્જન – એ પરમ મહતી સત્તા સમક્ષ આત્મવિસર્જન એ જ. વિશ્વજીવનનું પરમ ઋતુ છે. વિશ્વયજ્ઞનું આ દર્શન ગીતામાં વિશેષ ભાર સાથે ઉપસાવવામાં આવ્યું છે. જોકે સમય જતાં બાહ્ય વિધિવિધાન રૂપે યજ્ઞયાગનો વ્યાપક પ્રચાર થયો, એ રીતે એમાં દૂષણોય પ્રવેશ્યાં, પણ દૃષ્ટિસંપન્ન સંતો અને આચાર્યો જીવનયજ્ઞની મૂળ વિશુદ્ધ ભાવનાથી જરાયે અળગા થયા નથી. રવીન્દ્રનાથની કવિતામાં, ‘સરસ્વતીચંદ્ર’ની યજ્ઞમીમાંસામાં, આપણો ધર્મ’ની કર્મમીમાંસામા, ‘સત્યના પ્રયોગો’ની સાધનામાં એ જ ભાવના જુદીજુદી રીતે રણકતી રહી છે. એ દૃષ્ટિએ અગ્નિ વિશેની ઋચાઓમાં યજ્ઞનું જે દર્શન રજૂ થયું છે તે મારી દૃષ્ટિએ ભારતીય સંસ્કૃતિનાં સૌથી મૂળભૂત, સૌથી પ્રાણવાન અને સૌથી ગતિશીલ તત્ત્વોમાંનું એક છે. | |||
અગ્નિ વિશેની થોડીક ઋચાઓ અહીં માત્ર દૃષ્ટાંત લેખે રજૂ કરું છુંઃ | અગ્નિ વિશેની થોડીક ઋચાઓ અહીં માત્ર દૃષ્ટાંત લેખે રજૂ કરું છુંઃ | ||
ऋतस्य देवा अनु व्रता गुर्भुवत्परिष्टिर्द्यौर्न भूम । | ऋतस्य देवा अनु व्रता गुर्भुवत्परिष्टिर्द्यौर्न भूम । | ||
| Line 31: | Line 31: | ||
शकेम त्वा समिधं साधया धियस्त्वे देवा हविरदन्त्याहुतम् । | शकेम त्वा समिधं साधया धियस्त्वे देवा हविरदन्त्याहुतम् । | ||
त्वमादित्याँ आ वह तान्ह्युश्मस्यग्ने सख्ये मा रिषामा वयं तव ॥ | त्वमादित्याँ आ वह तान्ह्युश्मस्यग्ने सख्ये मा रिषामा वयं तव ॥ | ||
અમારા યજ્ઞની આ સમિધ છે. એની પૂર્ણ ઊંચાઈએ પ્રજ્વલિત ક૨વાને અમને બળ પ્રાપ્ત થાઓ, આપણા વિચારોને એ અગ્નિ પૂર્ણતા અર્પે. આ સર્વ જે અમે અર્પણ કરીએ છીએ તે દેવતાઓનું ભોજ્ય બને એ રીતે ફેલાઈ જાઓ. એ રીતે અનંત ચૈતન્યના દિવ્યાંશની આપણી જે કામના છે તે પૂરી કરશે. | અમારા યજ્ઞની આ સમિધ છે. એની પૂર્ણ ઊંચાઈએ પ્રજ્વલિત ક૨વાને અમને બળ પ્રાપ્ત થાઓ, આપણા વિચારોને એ અગ્નિ પૂર્ણતા અર્પે. આ સર્વ જે અમે અર્પણ કરીએ છીએ તે દેવતાઓનું ભોજ્ય બને એ રીતે ફેલાઈ જાઓ. એ રીતે અનંત ચૈતન્યના દિવ્યાંશની આપણી જે કામના છે તે પૂરી કરશે. | ||
અગ્નિ વિશેની આ ઋચાઓમાં પરમ તત્ત્વને સંબોધીને જે અંતરની પ્રાર્થના રંજૂ થઈ છે તે કોઈ પણ આધ્યાત્મિક વ્યક્તિને સીધી સ્પર્શે છે. | અગ્નિ વિશેની આ ઋચાઓમાં પરમ તત્ત્વને સંબોધીને જે અંતરની પ્રાર્થના રંજૂ થઈ છે તે કોઈ પણ આધ્યાત્મિક વ્યક્તિને સીધી સ્પર્શે છે. | ||
મારા પ્રેરણાગ્રંથમાં શ્રીમદ્ ભગવદ્ગીતાનું વિરલ સ્થાન છે. એમાં ૨જૂ થયેલું અધ્યાત્મદર્શને એ શ્રીકૃષ્ણ પ્રભુનું દિવ્યગાન લેખાયું છે. આત્મા-અનાત્માવિવેક, જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગમાર્ગ, વિભૂતિવર્ણન, વિશ્વરૂપદર્શન આદિ સર્વ પાસાંઓનું એમાંનું દર્શન વિશ્વસાહિત્યમાં અપૂર્વ છે. પણ એ કેવળ દાર્શનિક ચિંતનમાં સમાઈ ગયો નથી : એમાં વ્યક્તિ અને સમાજના પરમ શ્રેય અર્થે નૈતિક ચિંતન પણ છે. નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞદશા, યજ્ઞમાં સહયોગ વિશેની ગીતામાં વિચારણા મારા જેવા જિજ્ઞાસુને ઘણી રીતે પ્રેરણાદાયી બની છે. ગીતાના ત્રીજા અધ્યાય ‘કર્મયોગ’માં યજ્ઞની ભાવનાનું જે રીતે વર્ણન થયું છે તે તો સમગ્ર માનવજાતિ માટે કલ્યાણકારી સંદેશ છે. | મારા પ્રેરણાગ્રંથમાં શ્રીમદ્ ભગવદ્ગીતાનું વિરલ સ્થાન છે. એમાં ૨જૂ થયેલું અધ્યાત્મદર્શને એ શ્રીકૃષ્ણ પ્રભુનું દિવ્યગાન લેખાયું છે. આત્મા-અનાત્માવિવેક, જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગમાર્ગ, વિભૂતિવર્ણન, વિશ્વરૂપદર્શન આદિ સર્વ પાસાંઓનું એમાંનું દર્શન વિશ્વસાહિત્યમાં અપૂર્વ છે. પણ એ કેવળ દાર્શનિક ચિંતનમાં સમાઈ ગયો નથી : એમાં વ્યક્તિ અને સમાજના પરમ શ્રેય અર્થે નૈતિક ચિંતન પણ છે. નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞદશા, યજ્ઞમાં સહયોગ વિશેની ગીતામાં વિચારણા મારા જેવા જિજ્ઞાસુને ઘણી રીતે પ્રેરણાદાયી બની છે. ગીતાના ત્રીજા અધ્યાય ‘કર્મયોગ’માં યજ્ઞની ભાવનાનું જે રીતે વર્ણન થયું છે તે તો સમગ્ર માનવજાતિ માટે કલ્યાણકારી સંદેશ છે. | ||
इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः। | |||
तैर्दत्तान प्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव सः ॥ १२ ॥ | |||
યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઇચ્છિત ભોગો આપશેઃ પરંતુ તેમણે આપેલા ભોગો તેમને ન આપતાં, જેઓ પોતે જ ભોગવે છે તે ચોર જ છે. | યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઇચ્છિત ભોગો આપશેઃ પરંતુ તેમણે આપેલા ભોગો તેમને ન આપતાં, જેઓ પોતે જ ભોગવે છે તે ચોર જ છે. | ||
यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः । | |||
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥ १३ ॥ | |||
યજ્ઞમાંથી વધેલું જમનારા સત્પુરુષો સર્વપાપથી મુક્ત થાય છે; પરંતુ જે પાપીઓ માત્ર પોતાને અર્થે જ રાંધે છે તેઓ પાપ જ ખાય છે. | યજ્ઞમાંથી વધેલું જમનારા સત્પુરુષો સર્વપાપથી મુક્ત થાય છે; પરંતુ જે પાપીઓ માત્ર પોતાને અર્થે જ રાંધે છે તેઓ પાપ જ ખાય છે. | ||
અગ્નિ વિશેની ઋચાઓમાં જ વિશ્વજીવનના યજ્ઞની ભાવના ફરીફરીને રજૂ થઈ છે – વૈદિક ઋષિઓનું એ કેન્દ્રવર્તી દર્શન રહ્યું છે – અને ગીતામાં તેનુ સમાજધર્મ તરીકે થયેલું અર્થદર્શન એટલું જ પ્રેરક છે. કોઈ પણ પ્રજા કલ્યાણરાજ્યની કલ્પના કરતી હોય તો તેની સમાજરચનાના પાયામાં આ પ્રકારની સમષ્ટિહિતની ભાવના હોવી જોઈએ એમ એમાં અભિપ્રેત છે. | અગ્નિ વિશેની ઋચાઓમાં જ વિશ્વજીવનના યજ્ઞની ભાવના ફરીફરીને રજૂ થઈ છે – વૈદિક ઋષિઓનું એ કેન્દ્રવર્તી દર્શન રહ્યું છે – અને ગીતામાં તેનુ સમાજધર્મ તરીકે થયેલું અર્થદર્શન એટલું જ પ્રેરક છે. કોઈ પણ પ્રજા કલ્યાણરાજ્યની કલ્પના કરતી હોય તો તેની સમાજરચનાના પાયામાં આ પ્રકારની સમષ્ટિહિતની ભાવના હોવી જોઈએ એમ એમાં અભિપ્રેત છે. | ||
| Line 51: | Line 51: | ||
તારા હાથના અમૃતમય સ્પર્શે મારું અલ્પ હ્રદય અસીમ આનંદમાં લીન બને છે. અને અવર્ણનીય ઉદ્ગારોને જન્મ આપે છે. | તારા હાથના અમૃતમય સ્પર્શે મારું અલ્પ હ્રદય અસીમ આનંદમાં લીન બને છે. અને અવર્ણનીય ઉદ્ગારોને જન્મ આપે છે. | ||
તારી અનંત બક્ષિસો મારા આ નાનકડા હાથોમાં મળી છે. યુગો પસાર થતા રહે છે. હજીય તું બક્ષિસો વરસાવતો રહે છે, અને છતાં એને માટે હજી અવકાશ છે. ‘ગીતાજંલિ’ની એક બીજી રચના વાંચીએઃ | તારી અનંત બક્ષિસો મારા આ નાનકડા હાથોમાં મળી છે. યુગો પસાર થતા રહે છે. હજીય તું બક્ષિસો વરસાવતો રહે છે, અને છતાં એને માટે હજી અવકાશ છે. ‘ગીતાજંલિ’ની એક બીજી રચના વાંચીએઃ | ||
{{Poem2Close}} | |||
જે દિવસે એ કમળ ખીલી ઊઠ્યું હતું, | {{Block center|<poem>જે દિવસે એ કમળ ખીલી ઊઠ્યું હતું, | ||
અરે હાય, એ દિવસે મારું મન આમતેમ ભટકતું હતું. | અરે હાય, એ દિવસે મારું મન આમતેમ ભટકતું હતું. | ||
અને મને એની કશીય જાણ જ નહિ. | અને મને એની કશીય જાણ જ નહિ. | ||
| Line 66: | Line 66: | ||
ત્યારે મને એવી કશીય જાણ નહિ | ત્યારે મને એવી કશીય જાણ નહિ | ||
કે એ એટલો સમીપ છે, | કે એ એટલો સમીપ છે, | ||
એ મારો જ શ્વાસ છે, અને એ પૂર્ણ માધુર્ય મારા પોતાના અંતરની ગુહામાં મ્હૉરી ઊઠ્યું છે. | એ મારો જ શ્વાસ છે, અને એ પૂર્ણ માધુર્ય મારા પોતાના અંતરની ગુહામાં મ્હૉરી ઊઠ્યું છે.</poem>}} | ||
{{Poem2Open}} | |||
વ્યક્તિચેતના જે પૂર્ણ પુરુષની ઝંખના કરે છે, તે, અલબત્ત, પૂરું આત્મસમર્પણ માગે છે, ‘માળી’ સંગ્રહની નીચેની રચનાનો વિશિષ્ટ ભાવસંદર્ભ મને હંમેશાં પ્રભાવિત કરતો રહ્યો છેઃ | વ્યક્તિચેતના જે પૂર્ણ પુરુષની ઝંખના કરે છે, તે, અલબત્ત, પૂરું આત્મસમર્પણ માગે છે, ‘માળી’ સંગ્રહની નીચેની રચનાનો વિશિષ્ટ ભાવસંદર્ભ મને હંમેશાં પ્રભાવિત કરતો રહ્યો છેઃ | ||
ઓ મા, તરુણ રાજકુંવર આપણા દ્વારેથી પસાર થવાના છે. પરોઢમાં કામકાજ આજે કેવી રીતે કરી શકું? | ઓ મા, તરુણ રાજકુંવર આપણા દ્વારેથી પસાર થવાના છે. પરોઢમાં કામકાજ આજે કેવી રીતે કરી શકું? | ||
| Line 82: | Line 83: | ||
રવીન્દ્રનાથે પોતાની સંસ્થા શાંતિનિકેતનમાં પ્રભાતના હોરે આપેલાં પ્રવચનો ‘શાંતિનિકેતન’ (૧-૩, અનુ. નગીનદાસ પારેખ) ના શીર્ષકથી પ્રગટ થયાં છે. એમાં કવિવરની પ્રકાશમય વાણીનો શાતાદાયી અનુભવ થાય છે. પ્રાચીન ઉપનિષદોનું ગહનગંભીર દર્શન એમાં મુખ્ય પ્રેરણાસ્રોત છે. ઉપનિષદોનાં ગહનગંભીર રહસ્યો રવીન્દ્રનાથે પોતાની આગવી રીતે ઘટાવ્યાં છે. બંગાળીમાં ૨જૂ થયેલાં પ્રવચનો અતિ પ્રાસાદિક અને મધુર શૈલીમાં હશેઃ શ્રી નગીનદાસ પારેખનો ગુજરાતી અનુવાદ પણ જે સુકુમારતા, વિશદતા અને માધુર્ય ધરે છે તે પરથી હું એમ માનવા પ્રેરાઉં છું. આ વિશ્વજીવનમાં પરમતત્ત્વ સર્વત્ર કેવળ આનંદતત્ત્વ રૂપે વ્યાપી રહ્યું છે, અને વિશ્વપ્રકૃતિમાં જે કંઈ ઇંદ્રિયગોચર છે તેમાંયે સૂક્ષ્મ રીતે વિલસી રહ્યું છે. કવિવરના દર્શનમાં વિશ્વપ્રકૃતિનો સમગ્રમાં સ્વીકાર છે. ઐન્દ્રિયિક અનુભવોની ભરચક સમૃદ્ધિનો તેઓ, આથી, અનન્ય મહિમા કરતા રહ્યા છે. વિશ્વજીવનમાં ૫૨મ સંવાદ અને આંતરિક એકતા એ કોઈ દૂર ભવિષ્યની વાત પણ નથી. પ્રેમના વિશુદ્ધ આવિષ્કારમાં એ તત્ક્ષણ સંસ્પર્શમાં આવે છે. | રવીન્દ્રનાથે પોતાની સંસ્થા શાંતિનિકેતનમાં પ્રભાતના હોરે આપેલાં પ્રવચનો ‘શાંતિનિકેતન’ (૧-૩, અનુ. નગીનદાસ પારેખ) ના શીર્ષકથી પ્રગટ થયાં છે. એમાં કવિવરની પ્રકાશમય વાણીનો શાતાદાયી અનુભવ થાય છે. પ્રાચીન ઉપનિષદોનું ગહનગંભીર દર્શન એમાં મુખ્ય પ્રેરણાસ્રોત છે. ઉપનિષદોનાં ગહનગંભીર રહસ્યો રવીન્દ્રનાથે પોતાની આગવી રીતે ઘટાવ્યાં છે. બંગાળીમાં ૨જૂ થયેલાં પ્રવચનો અતિ પ્રાસાદિક અને મધુર શૈલીમાં હશેઃ શ્રી નગીનદાસ પારેખનો ગુજરાતી અનુવાદ પણ જે સુકુમારતા, વિશદતા અને માધુર્ય ધરે છે તે પરથી હું એમ માનવા પ્રેરાઉં છું. આ વિશ્વજીવનમાં પરમતત્ત્વ સર્વત્ર કેવળ આનંદતત્ત્વ રૂપે વ્યાપી રહ્યું છે, અને વિશ્વપ્રકૃતિમાં જે કંઈ ઇંદ્રિયગોચર છે તેમાંયે સૂક્ષ્મ રીતે વિલસી રહ્યું છે. કવિવરના દર્શનમાં વિશ્વપ્રકૃતિનો સમગ્રમાં સ્વીકાર છે. ઐન્દ્રિયિક અનુભવોની ભરચક સમૃદ્ધિનો તેઓ, આથી, અનન્ય મહિમા કરતા રહ્યા છે. વિશ્વજીવનમાં ૫૨મ સંવાદ અને આંતરિક એકતા એ કોઈ દૂર ભવિષ્યની વાત પણ નથી. પ્રેમના વિશુદ્ધ આવિષ્કારમાં એ તત્ક્ષણ સંસ્પર્શમાં આવે છે. | ||
ગુજરાતી સાહિત્યમાં જે પુસ્તકો મારા અંતરને ભરી દે છે તેમાં ગાંધીજીની આત્મકાથા, ‘સત્યના પ્રયોગો’ અનોખું સ્થાન લે છે. તેમના ‘સત્યના પ્રયોગો’ સમગ્ર માનવજાતિના વિકાસામમાં અપૂર્વ ઘટના છે. પશ્ચિમની ભૌતિકતાવાદી સંસ્કૃતિ સમગ્ર જગત પર આામણ કરી રહી છે ત્યારે એ પ્રયોગો’વિશુદ્ધ આધ્યાત્મિકતાનું પરમ પ્રગટીકરણ બની રહે છે. અત્યંત સામાન્ય લાગતા બેરિસ્ટરમાંથી એક વિરાટ મહાત્માનો જન્મ, એ ઘટનાક્રમ અહીં, આમ તો, માનવ્યની અસીમ ઊંચાઈ નો માનવ્યના વિકાસની અનંત શક્યતાનો અણસાર આપે છે. વિજ્ઞાનીઓએ આ બ્રહ્માંડમાં જડ પદાર્થોનો અનંત વિસ્તાર જોયો છેઃ એ જડ અવકાશમાં માનવવ્યક્તિ કેવો તો અલ્પતમ બની જાય છે. પણ પોતાની સત્યસાધના દ્વારા, અને તેની પાછળ વિરલ નૈતિક સંકલ્પો અને નૈતિક સ્વાતંત્ર્યના ભોગવટા દ્વારા, વ્યક્તિ કેટલી બૃહદ્ બની શકે તે ગાંધીજીના જીવનમાં વેધક રીતે પ્રગટ થાય છે. દક્ષિણ આફ્રિકાના પહેલા પ્રવાસમાં મેરિટ્ઝબર્ગ સ્ટેશને ટ્રેનના પ્રથમ વર્ગમાંથી તેમને અપમાનપૂર્વક ઉતારી મૂકવામાં આવ્યા એ પ્રસંગે તેમના અંતરમાં જન્મી પડેલું મહામંથન એક અસાધારણ ઘટના હતી. એમાં ખરેખર અંગત હિતના પ્રશ્નને ઓળંગી તેઓ વ્યાપકપણે ત્યાંના હિંદીઓને વેઠવાં પડતાં અન્યાય અને જુલ્મોના પ્રશ્ને મંથન કરવા પ્રેરાયા. સત્યાગ્રહની લડતનાં, એ રીતે, દક્ષિણ આફ્રિકાની ધરતી ૫૨ જ મંડાણ થયાં. ૧૯૧૫ માં તેઓ ભારત આવ્યા, અને રાષ્ટ્રીય મુક્તિની લડતમાં અગ્રણી બન્યા, ત્યારેય કેવળ રાજકીય મુક્તિ તેમને અભિમત નહોતી : સમગ્ર હિંદી પ્રજાની સામાજિક આર્થિક અને આધ્યાત્મિક ઉન્નતિ તેઓ ઝંખી રહ્યા હતા. તેમની પ્રતિભાનો વિશેષ એ કે સમગ્ર રાષ્ટ્રના નવનિર્માણનું કાર્ય તેઓ નૈતિક આધ્યાત્મિક ભૂમિકાએથી કરવા માગતા હતા. પ્રાચીન ભારતના ઋષિઓ અને આચાર્યોએ બતાવેલાં પાંચ મહાવ્રતો – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગ્રહ તેમના જીવનકાર્યની મુખ્ય આધારશિલા બની. જે કર્મમાર્ગને તેઓ વર્યા, તેમાં નિરંતર આત્મજાગૃતિ અને આત્મખોજથી આગળ વધતા રહ્યા. વિશ્વરચનામાં કોઈ નિશ્ચિત નૈતિક-આધ્યાત્મિક તંત્ર કામ કરી રહ્યું છે એવી તેમની મૂળભૂત શ્રદ્ધા હતી. બાહ્ય કર્મકાંડોમાં જકડાયેલાં, શાસ્રાર્થોની જટિલ ચર્ચાઓમાં ગૂંચવાયેલો કે ગહન યોગસાધનામાં પ્રવૃત્ત એવો કોઈ સાધનામાર્ગ તેમને સ્વીકાર્ય નહોતો. વ્યક્તિ અને સમાજના નૈતિક સંકલ્પો અને આચારવિચારોની શુદ્ધિનો એ માર્ગ હતો. ધર્મને તેમણે માનવવ્યક્તિના અંતઃકરણના પરમ વિશુદ્ધ અવાજરૂપે ઘટાવ્યો હતો. રાષ્ટ્રીય પ્રાંતીય કે કોઈ સ્થાનીય પ્રશ્ન અંગે વિચારવિમર્શ કરતાં અને નિર્ણય કરતાં પોતાના અંતઃકરણના અવાજને ઓળખવા તેઓ નિરંતર જાગૃત રહ્યા છે. ગીતાએ વર્ણવેલા સ્થિતપ્રજ્ઞની ભૂમિકાએ તેઓ પહોચવાં મથ્યા છે પણ ગાંધીજી જેટલા આદર્શપ્રેમી છે તેટલા જ વાસ્તવદર્શી પણ રહ્યા છે. માનવીની સ્વભાવગત નિર્બળતાઓ અને તેની સ્ખલનશીલતાનો ગાંધીજીએ જે રીતે અનુભવ કર્યો છે અને જે રીતે એકરાર કર્યો છે તે બહુ ઓછા સંતોમાં જોવા મળશે. વિશાળ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ કરતાંકરતાં પોતાના વાર્તાલાપોમાં, પત્રોમાં, અંગત કેફિયતોમાં પોતાની માનવસહજ નિર્બળતાઓનો સતત તેઓ ઉલ્લેખ કરતા રહ્યા છે. પોતાના મનમાં કોઈ અસદ્- વૃત્તિ જન્મી કે કોઈ પ્રાકૃત વાસના ઉદ્ભવી કે પાપતત્ત્વ ઘેરાતું લાગ્યું, એવા અસદ્ તત્ત્વોનો મુકાબલો કરવા તેઓ તરત જાગૃત બન્યા છે. ‘સત્યના પ્રયોગો’ માં પોતાના જીવનનાં અઠ્ઠાવનેક વર્ષના જે પ્રસંગો વર્ણવ્યા છે તેમાં તો દરેક અપરાધ પછી વિરલ પ્રાયશ્ચિત્ત સાથે તેઓ પુનર્જીવન પામ્યા હોય અને એવા દરેક પ્રસંગે અસાધારણ નૈતિક બળ પામ્યા હોય એમ દેખાય છે. પોતાની અંદર પડેલા દુતિનો પૂરી સચ્ચાઈ અને પ્રામાણિકતાથી મુકાબલો કરવા સંકલ્પબદ્ધ થયા છે. વિશાળ માનવજાતિના પરમ શ્રેયને લક્ષમાં રાખીને તેઓ કર્તવ્ય અકર્તવ્યના નિર્ણયો લેવા મથ્યા છે. છતાં એવા દરેક નિર્ણયાત્મક પ્રસંગે પોતાના આત્માની ઊંડી ખોજ કરવા પ્રેરાયા છે. વૈયક્તિક ઇચ્છા અનિચ્છા, રાગદ્વેષ કે લાભાલાભની ભૂમિકાએથી ઊંચે ઊઠી વિશ્વમાં વ્યાપી રહેલા નૈતિક- આધ્યાત્મિક સત્ત્વનો અવાજ તેઓ પામવા ચાહે છે. મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સંત્યનો વિજય થાઓ – એ મતલબના તેમના ઉદ્ગારનો મર્મ એ જ કે વૈયક્તિક અને સીમિત અહંભાવની ભૂમિકાનું તેઓ વિસર્જન ક૨વા ઝંખે છે. માનવીય સત્ત્વ ગાંધીજીની સાધનામાં કર્મમાર્ગ લે છે, અને એ માર્ગમાં સતત સંઘર્ષો, કટોકટીઓ કે યાતનાઓ સહન કરવાની આવી છે. | ગુજરાતી સાહિત્યમાં જે પુસ્તકો મારા અંતરને ભરી દે છે તેમાં ગાંધીજીની આત્મકાથા, ‘સત્યના પ્રયોગો’ અનોખું સ્થાન લે છે. તેમના ‘સત્યના પ્રયોગો’ સમગ્ર માનવજાતિના વિકાસામમાં અપૂર્વ ઘટના છે. પશ્ચિમની ભૌતિકતાવાદી સંસ્કૃતિ સમગ્ર જગત પર આામણ કરી રહી છે ત્યારે એ પ્રયોગો’વિશુદ્ધ આધ્યાત્મિકતાનું પરમ પ્રગટીકરણ બની રહે છે. અત્યંત સામાન્ય લાગતા બેરિસ્ટરમાંથી એક વિરાટ મહાત્માનો જન્મ, એ ઘટનાક્રમ અહીં, આમ તો, માનવ્યની અસીમ ઊંચાઈ નો માનવ્યના વિકાસની અનંત શક્યતાનો અણસાર આપે છે. વિજ્ઞાનીઓએ આ બ્રહ્માંડમાં જડ પદાર્થોનો અનંત વિસ્તાર જોયો છેઃ એ જડ અવકાશમાં માનવવ્યક્તિ કેવો તો અલ્પતમ બની જાય છે. પણ પોતાની સત્યસાધના દ્વારા, અને તેની પાછળ વિરલ નૈતિક સંકલ્પો અને નૈતિક સ્વાતંત્ર્યના ભોગવટા દ્વારા, વ્યક્તિ કેટલી બૃહદ્ બની શકે તે ગાંધીજીના જીવનમાં વેધક રીતે પ્રગટ થાય છે. દક્ષિણ આફ્રિકાના પહેલા પ્રવાસમાં મેરિટ્ઝબર્ગ સ્ટેશને ટ્રેનના પ્રથમ વર્ગમાંથી તેમને અપમાનપૂર્વક ઉતારી મૂકવામાં આવ્યા એ પ્રસંગે તેમના અંતરમાં જન્મી પડેલું મહામંથન એક અસાધારણ ઘટના હતી. એમાં ખરેખર અંગત હિતના પ્રશ્નને ઓળંગી તેઓ વ્યાપકપણે ત્યાંના હિંદીઓને વેઠવાં પડતાં અન્યાય અને જુલ્મોના પ્રશ્ને મંથન કરવા પ્રેરાયા. સત્યાગ્રહની લડતનાં, એ રીતે, દક્ષિણ આફ્રિકાની ધરતી ૫૨ જ મંડાણ થયાં. ૧૯૧૫ માં તેઓ ભારત આવ્યા, અને રાષ્ટ્રીય મુક્તિની લડતમાં અગ્રણી બન્યા, ત્યારેય કેવળ રાજકીય મુક્તિ તેમને અભિમત નહોતી : સમગ્ર હિંદી પ્રજાની સામાજિક આર્થિક અને આધ્યાત્મિક ઉન્નતિ તેઓ ઝંખી રહ્યા હતા. તેમની પ્રતિભાનો વિશેષ એ કે સમગ્ર રાષ્ટ્રના નવનિર્માણનું કાર્ય તેઓ નૈતિક આધ્યાત્મિક ભૂમિકાએથી કરવા માગતા હતા. પ્રાચીન ભારતના ઋષિઓ અને આચાર્યોએ બતાવેલાં પાંચ મહાવ્રતો – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગ્રહ તેમના જીવનકાર્યની મુખ્ય આધારશિલા બની. જે કર્મમાર્ગને તેઓ વર્યા, તેમાં નિરંતર આત્મજાગૃતિ અને આત્મખોજથી આગળ વધતા રહ્યા. વિશ્વરચનામાં કોઈ નિશ્ચિત નૈતિક-આધ્યાત્મિક તંત્ર કામ કરી રહ્યું છે એવી તેમની મૂળભૂત શ્રદ્ધા હતી. બાહ્ય કર્મકાંડોમાં જકડાયેલાં, શાસ્રાર્થોની જટિલ ચર્ચાઓમાં ગૂંચવાયેલો કે ગહન યોગસાધનામાં પ્રવૃત્ત એવો કોઈ સાધનામાર્ગ તેમને સ્વીકાર્ય નહોતો. વ્યક્તિ અને સમાજના નૈતિક સંકલ્પો અને આચારવિચારોની શુદ્ધિનો એ માર્ગ હતો. ધર્મને તેમણે માનવવ્યક્તિના અંતઃકરણના પરમ વિશુદ્ધ અવાજરૂપે ઘટાવ્યો હતો. રાષ્ટ્રીય પ્રાંતીય કે કોઈ સ્થાનીય પ્રશ્ન અંગે વિચારવિમર્શ કરતાં અને નિર્ણય કરતાં પોતાના અંતઃકરણના અવાજને ઓળખવા તેઓ નિરંતર જાગૃત રહ્યા છે. ગીતાએ વર્ણવેલા સ્થિતપ્રજ્ઞની ભૂમિકાએ તેઓ પહોચવાં મથ્યા છે પણ ગાંધીજી જેટલા આદર્શપ્રેમી છે તેટલા જ વાસ્તવદર્શી પણ રહ્યા છે. માનવીની સ્વભાવગત નિર્બળતાઓ અને તેની સ્ખલનશીલતાનો ગાંધીજીએ જે રીતે અનુભવ કર્યો છે અને જે રીતે એકરાર કર્યો છે તે બહુ ઓછા સંતોમાં જોવા મળશે. વિશાળ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ કરતાંકરતાં પોતાના વાર્તાલાપોમાં, પત્રોમાં, અંગત કેફિયતોમાં પોતાની માનવસહજ નિર્બળતાઓનો સતત તેઓ ઉલ્લેખ કરતા રહ્યા છે. પોતાના મનમાં કોઈ અસદ્- વૃત્તિ જન્મી કે કોઈ પ્રાકૃત વાસના ઉદ્ભવી કે પાપતત્ત્વ ઘેરાતું લાગ્યું, એવા અસદ્ તત્ત્વોનો મુકાબલો કરવા તેઓ તરત જાગૃત બન્યા છે. ‘સત્યના પ્રયોગો’ માં પોતાના જીવનનાં અઠ્ઠાવનેક વર્ષના જે પ્રસંગો વર્ણવ્યા છે તેમાં તો દરેક અપરાધ પછી વિરલ પ્રાયશ્ચિત્ત સાથે તેઓ પુનર્જીવન પામ્યા હોય અને એવા દરેક પ્રસંગે અસાધારણ નૈતિક બળ પામ્યા હોય એમ દેખાય છે. પોતાની અંદર પડેલા દુતિનો પૂરી સચ્ચાઈ અને પ્રામાણિકતાથી મુકાબલો કરવા સંકલ્પબદ્ધ થયા છે. વિશાળ માનવજાતિના પરમ શ્રેયને લક્ષમાં રાખીને તેઓ કર્તવ્ય અકર્તવ્યના નિર્ણયો લેવા મથ્યા છે. છતાં એવા દરેક નિર્ણયાત્મક પ્રસંગે પોતાના આત્માની ઊંડી ખોજ કરવા પ્રેરાયા છે. વૈયક્તિક ઇચ્છા અનિચ્છા, રાગદ્વેષ કે લાભાલાભની ભૂમિકાએથી ઊંચે ઊઠી વિશ્વમાં વ્યાપી રહેલા નૈતિક- આધ્યાત્મિક સત્ત્વનો અવાજ તેઓ પામવા ચાહે છે. મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સંત્યનો વિજય થાઓ – એ મતલબના તેમના ઉદ્ગારનો મર્મ એ જ કે વૈયક્તિક અને સીમિત અહંભાવની ભૂમિકાનું તેઓ વિસર્જન ક૨વા ઝંખે છે. માનવીય સત્ત્વ ગાંધીજીની સાધનામાં કર્મમાર્ગ લે છે, અને એ માર્ગમાં સતત સંઘર્ષો, કટોકટીઓ કે યાતનાઓ સહન કરવાની આવી છે. | ||
મહાદેવભાઈ ની ડાયરીઓ’ (૧-૧૯) માં, આપ તો, રાષ્ટ્રીય મુક્તિની લડત, એ મુક્તિના લડવૈયાઓ, વિવિધ કાર્યામો અને વ્યૂહરચનાઓ, અને ગાંધીજીના સહયોગી નેતાઓ કાર્યકરો અને ચિંતકોલેખકોનાં ચરિત્રો ઉપરાંત બોજી ઘણી વૈવિધ્યભરી રસપ્રદ સામગ્રીઓ છે. પણ એમાં પ્રગટપણે વધુ તો ગાંધીજીનું જીવનકાર્ય ૨જૂ થયું છે. અને એ જ સ્વાભાવિક પણ છે. ડાયરીલેખક મહાદેવભાઈતો ગાંધીજીના માનસિક-આધ્યાત્મિક જીવનમાં સૂક્ષ્મ રીતે જોડાયેલા રહ્યા છે. અહીં મારે જે વાત કહેવી છે તે તો એ કે ‘સત્યના પ્રયોગો’માં ૨જૂ થઈ ન શકેલી તેમ એ પ્રયોગો’ના લેખન પછીની વિપુલ સામગ્રી ગ્રંથસ્થ થઈ છે. એક આત્મકથા લેખે‘સત્યના પ્રયોગો’એક મહાત્માના સત્યદર્શનના અનુભવોની જગત્સાહિત્યમાં વિરલ રચના છે, તો મહાદેવભાઈ ની ડાયરીઓ એ મહાત્માની રોજિંદી ઘટમાળનાં બયાનોને કા૨ણે પણ વધુ તો પ્રસંગેપ્રસંગે એ મહાત્માનાં વિરલ ચિંતન અને મહામંથનને કા૨ણે જગત્સાહિત્યમાં સાચે જ અનોખી છે. એમાં વર્તમાન માનવજાતિ સામે ઊપસેલા વિરાટ પ્રશ્નો સાથે, બલકે પૂર્વપશ્ચિમની સંસ્કૃતિઓ વચ્ચેના સંઘર્ષકાળના વિશાળ પ્રશ્નો સાથે તેમણે કામ પાડ્યું છે, તો કુટુંબના કે આશ્રમના અતિ નાજુક પ્રશ્નોનો સામનો કરવાના પ્રસંગો આવ્યા છે. સાથી કાર્યકરો, રાષ્ટ્રીય નેતાઓ, દેશ પરદેશના ચિંતકો અને સાહિત્યકારો સાથે તેમણે લાંબો કે ટૂંકો પત્રવ્યવહાર ચલાવ્યો છે. સત્યના ઉપાસક એવા એ પુરુષનું માનવસત્ત્વ વૈયક્તિક સંબંધોની ભૂમિકાએ વિશેષ દીપ્તિમંત બન્યું છે. પણ નાજુક પશ્નોની મંથનક્ષણોમાં માનવસહજ અનુકંપા, વાત્સલ્ય, સાત્ત્વિક રોષ, કઠોર આદેશભાવ, નિરાશાના ઉદ્ગારોય ભળે છે, અને છતાં તેમનો દૃઢનિશ્ચયાત્મક નૈતિક અવાજ એવી ક્ષણોમાંય રણકી ઊઠે છે. ડાયરીના પહેલા બીજા અને ત્રીજા ભાગમાં, ગાંધીજી તા. ૧૦-૩-૩૨ થી ૨૦-૮-૩૩ દરમ્યાન યરવડા જેલમાં રહ્યા તે દરમ્યાન મિત્રો અને સ્વજનોને જુદાજુદા નિમિત્તે જે પત્રો લખ્યા તે આ સંદર્ભમાં વાંચવા જેવા છે. | |||
આ લેખનું સમાપન કરતાં, મને અત્યંત પ્રિય એવા જર્મન મહાકવિ રિના કાવ્યગ્રંથ Rainer Maria Rilkeઃ Selected Works. Vol II Poetry’નો ઉ લ્લેખ કરી લેવા ચાહું છું. એમની અતિ સત્ત્વસમૃદ્ધ પ્રતીકવાદી કવિતાથી હું હંમેશાં પ્રભાવિત રહ્યો છું. એમાં ઈશ્વરી સત્ત્વ અને સંતજીવનને લગતી રચનાઓય ઘણી ગમી છે, ઓર્ફિયસને લક્ષતાં સોનેટોય એટલાં જ આકર્ષક લાગ્યાં છે, દશ એલિજીઓનો એટલો જ પ્રભાવ છે. પણ તેમની ઉત્તરકાલીન રચનાઓમાં વિશ્વપ્રકૃતિના રૂપાંતરનું જે દર્શન છે તે કદાચ સૌથી પ્રેરણાદાયી તત્ત્વ છે. એ પ્રકારની એક The Fruit’,‘ફ્ળ’ શીર્ષકની રચનાનો અનુવાદ અહીં મૂકવા ચાહું છું. | આ લેખનું સમાપન કરતાં, મને અત્યંત પ્રિય એવા જર્મન મહાકવિ રિના કાવ્યગ્રંથ Rainer Maria Rilkeઃ Selected Works. Vol II Poetry’નો ઉ લ્લેખ કરી લેવા ચાહું છું. એમની અતિ સત્ત્વસમૃદ્ધ પ્રતીકવાદી કવિતાથી હું હંમેશાં પ્રભાવિત રહ્યો છું. એમાં ઈશ્વરી સત્ત્વ અને સંતજીવનને લગતી રચનાઓય ઘણી ગમી છે, ઓર્ફિયસને લક્ષતાં સોનેટોય એટલાં જ આકર્ષક લાગ્યાં છે, દશ એલિજીઓનો એટલો જ પ્રભાવ છે. પણ તેમની ઉત્તરકાલીન રચનાઓમાં વિશ્વપ્રકૃતિના રૂપાંતરનું જે દર્શન છે તે કદાચ સૌથી પ્રેરણાદાયી તત્ત્વ છે. એ પ્રકારની એક The Fruit’,‘ફ્ળ’ શીર્ષકની રચનાનો અનુવાદ અહીં મૂકવા ચાહું છું. | ||
ફળ | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ફળ | |||
ધરતીમાંથી | ધરતીમાંથી | ||
ઊર્ધ્વઊર્ધ્વતર આરોહણ એનું | ઊર્ધ્વઊર્ધ્વતર આરોહણ એનું | ||
| Line 107: | Line 109: | ||
એ આત્મલીન બની રહ્યું છે. | એ આત્મલીન બની રહ્યું છે. | ||
જે કેન્દ્રમાંથી એ બહાર વિસ્તરી રહ્યું હતું | જે કેન્દ્રમાંથી એ બહાર વિસ્તરી રહ્યું હતું | ||
તેમાં પુનઃ એ વિરમી ગયું છે. | તેમાં પુનઃ એ વિરમી ગયું છે.</poem>}} | ||
{{right|* પીધો. અમીરસ અક્ષરનો સેં. પ્રીતિ શાહ, ૧૯૯૭) માં પ્રકાશિત.}}<br> | |||
{{center|<nowiki>* * *</nowiki>}}<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘ઊગતા સૂર્યની વિદાય’ અને ‘લોહછાયા’ | ||
|next = | |next =સોરેં કિર્કગાર્દ | ||
}} | }} | ||