ભજનરસ/અલખ નિશાની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 80: Line 80:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''સો ઝુલક રહી જલમાંહી'''}}
{{center|'''સો ઝુલક રહી જલમાંહી'''}}
{{Poem2Open}}
આ વિસ્તૃત જગત જે વ્યાપ્ત છે એમાં પણ એ બ્રહ્મરૂપી આનંદ જ પ્રાપ્ત કરે છે. એ જાણે ઝૂલે છે, આનંદની મસ્તીમાં ડોલે છે. આ અલક્ષ્યની પ્રાપ્તિ થતાં એવી અવસ્થા અનુભવમાં આવે છે. એની પણ એક પ્રક્રિયા છે એ આગળની કડીમાં સમજાવ્યું છે :
{{Poem2Close}}
{{center|'''ગુરુ પ્રતાપે એક જડીઅર ઊઠ્યા'''}}
{{Poem2Open}}
આ જડીઅર શબ્દ જડવું ઉપરથી આવ્યો લાગે છે. જે જડી આપે, જોડી આપે તે જડીઅર. હીરામાણેકના જડનારાને જડયો અથવા જડીઅર કહેવામાં આવે છે. જે શક્તિ શિવ સાથે, પરમ સાથે આપણને જોડી આપે છે તે ડીઅર છે. આ મહાસર્પિણી, કુંડલિની, ઊર્ધ્વગામી શક્તિ છે
{{Poem2Close}}
{{center|'''સો ઊલટી લહેર સમાણી હો જી'''}}
{{Poem2Open}}
એટલે કે જે વૃત્તિઓ બહિર્મુખ હતી, જગત ભણી હતી તે હવે અંતર્મુખ બને છે અને પરમ તત્ત્વ ભણી વહેવા લાગે છે. ગોરખનાથ એક જગ્યાએ કહે છે કે નદી અપૂઠી જાઈ – નદી ઊલટી વહેવા માંડે છે. નદી પોતાના મૂળ ભણી, મૂળ તત્ત્વ ભણી વહેવા લાગે છે, અને પોતાના સ્વરૂપમાં લય પામે છે. એ ઘટના બને છે ગુરુ પ્રતાપે, કેવી રીતે બને છે એ?
{{Poem2Close}}
{{center|'''તન કર કૂવા ગગન કર વાડી'''}}
{{Poem2Open}}
આ કડીમાં શરૂમાં થતી પ્રક્રિયાની કંઈક ઝાંખી કરવામાં આવી છે. ગગનમાં કાંઈ વાડી થતી નથી, પણ જે ગગન આનંદરસથી અને સુગંધથી ભરપૂર બની જાય છે, તેનું મૂળ શરીરમાં જ છે, ક્યાંયે બહાર શોધવા જવું પડતું નથી. આ શરીરને કૂવો બનાવવાનું કહે છે, ‘તન કર કૂવા’.
હૃદયને ‘અમૃત હૃદ' કહેવામાં આવે છે. પાણીનો ધરો હ્રદ, પણ તેની શક્તિ મૂળાધારમાં રહી છે. તેને જ્યારે જગાડવામાં આવે છે ત્યારે આ શરીરમાંથી, જેમ પાતાળનું ઝરણું ફૂટે તેમ, ‘તન કર કૂવા’ તનમાંથી એક સરવાણી ફૂટે છે. એ સરવાણી જ્યારે શરૂ થાય છે ત્યારે ગગન, ચિદાકાશ આનંદથી ભરપૂર બની જાય છે. પછી શું થાય છે?
{{Poem2Close}}
{{center|'''સહેજાં મે ઘડીઆં ઢોરાણી'''}}
{{Poem2Open}}
પછી સહજમાં જે નિર્મળ ધારા છે તે વહેતી થઈ જાય છે. સામાન્ય રીતે તો બાહ્ય સાધનોથી ‘ઘડીઆં ઢોરાણી' એટલે જેમ પેંટમાળ ફરે, જેમ કોશ સીંચવામાં આવે અને પછી એ કોશ કે રેંટમાળના ઘડામાંથી પાણી ઢોળવું પડે, ખેંચવું પડે એવો કશો પ્રયત્ન રહેતો નથી. ‘સહેજાં મે' સહજપણે એ ધારા પ્રવાહિત થતી રહે છે; તનમાંથી, પોતાના શરીરમાંથી, બહારથી નહિ. અને તે અંતરકાશને સંપૂર્ણ આનંદથી વ્યાપ્ત કરી દે છે. ફરી વાર ગોરખનાથ આગળ કહે છે કે એ પ્રાપ્ત કરવાની વસ્તુ કેવી છે? 
{{Poem2Close}}
{{center|'''દેહીમેં એક દેવા બિરાજે'''}}
{{Poem2Open}}
આ દેવ દેહમાં જ છે. એ દેવ કોઈ મંદિરમાં, કોઈ મૂર્તિમાં, કોઈ તીર્થસ્થાનમાં રહ્યો નથી. પણ એને કહ્યો છે ‘ગુપ્ત ગણેશા.' એ અંદર ગુપ્ત છે, હૃદયગુહામાં છે. ‘ગણેશા’ — ગણેશ તે આપણે જોયું તેમ આદિ સ્વર છે, ૐૐકાર છે. જે જ્ઞાનની આવિર્ભૂતિ છે તે અંદર જ બિરાજમાન છે, પરંતુ તેનો પરિચય ક્યારે થાય? તો કહે છે કે એ બાહ્ય પ્રકાશથી જોવા મળતો નથી. તેનું દર્શન આંતરદૃષ્ટિથી થાય છે.
{{Poem2Close}}
{{center|'''ત્રિકૂટિ મહેલ પર હુવા અજવાળા'''}}
{{Poem2Open}}
ત્રિકૂટિ મહેલ—જ્યાં મન, બુદ્ધિ, અહંકાર મળે છે તે ભૂમધ્યના સ્થાનને ત્રિકૂટિ કહેવામાં આવે છે. દિરયાસાહેબનું એક વચન છે :
{{Poem2Close}}
{{Block center|<poem>'''મન, બુદ્ધિ હંકાર કી, હૈ ત્રિકૂટિ લગ દોડ,'''
'''તા પર પૂરણ બ્રહ્મ હૈ, બ્રહ્મ સૂરત કી ઠોર.'''
</poem>}}
{{Poem2Open}}
મન, બુદ્ધિ, અહંકારની દોડ માત્ર ત્રિકૂટિ સુધી છે, આ ત્રણનો ભેદ થાય છે, ત્યારે બ્રહ્મ સૂરત કી ઠોર' બ્રહ્મની સ્થિતિનો અનુભવ થાય છે. જ્યારે આ ત્રણે ભેદાય, આંતરિક પ્રકાશ પ્રગટ થાય ત્યારે આ ગુપ્ત ગણેશ, અંદર બેઠેલા પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ કેવી રીતે થાય? તો કહે છે :
{{Poem2Close}}
{{center|'''વો તો દ્વાદશ અંશુલ પેઠા'''}}
{{Poem2Open}}
એ વિશે ગોરખનાથ એક પદમાં સ્પષ્ટતા કરે છે કે,
{{Poem2Close}}
{{Block center|<poem>
'''નાસા અગ્ર નિજુ જ્યોં બાઈ, ઇડા પિંગલા મધિ સમાઈ,'''
'''ઇસે સંહસ ઇકી સૌ જાપ, અનહદ ઊપજૈ આપહિ આપ'''
</poem>}}
{{Poem2Open}}
નાસિકાની આગળ જે વાયુ રહે છે તે દ્વાદશ આંગળ, બાર આંગળ પૂરતો વહે છે. એનો વિસ્તાર બાર આંગળ પૂરતો માનવામાં આવ્યો છે. એ દ્વાદશ આંગળનો વાયુ એકવીસ હજાર છસો વાર વહે છે તેનાથી અનાયાસ જાપ થતા રહે છે. પણ એ જાપ અહંભાવની સાથે થાય છે. હું આ જીવ, હું આ વ્યક્તિ, હું આ નામધારી દેહ, ને એ વાયુ. ઇડા અને પિંગળા એ બંને નાસાગ્રે વહેતો વાયુ જ્યારે આપોઆપ, સ્વયં સમાન બને છે, સુષુમણામાં સમાઈ જાય છે, ત્યારે અનાહત નાદ અનાયાસ પ્રગટ થાય છે. અહંકારનિત શ્વાસ-પ્રક્રિયા સોહંપ્રેરિત શ્વાસ-પ્રક્રિયામાં પલટાઈ જાય છે. એ અનાયાસ વહેતો વાયુ પ્રાણને ઊર્ધ્વગતિમાં લઈ જાય છે. શુદ્ધીકરણ અને ઊર્ધીકરણની આ પ્રક્રિયા દ્વારા ત્રિકૂટિ મહેલ' પર અજવાળું થાય છે. આ શ્વાસ અને ઉચ્છ્વાસની, અહંમાંથી સોહની પ્રક્રિયા જ્યારે સાતત્ય પામે છે ત્યારે શું થાય છે? ગોરખનાથ કહે છે :
{{Poem2Close}}
{{center|'''સીંચત સીંચત ઉપજન લાગા’'''}}
{{Poem2Open}}
આ પ્રાણને, શુદ્ધ પ્રાણને, ઊર્ધ્વપ્રાણને, સોહં પ્રાણને સીંચતાં સીંચતાં શું ઉત્પન્ન થાય છે?
તો કહે છે ‘ઉપજન લાગા’—સાચી ઉત્પત્તિ, જીવમાંથી શિવભાવની ઉત્પત્તિ, મર્યાદિતમાંથી અમર્યાદની, સીમમાંથી અસીમની એક ઝાંખી થવા લાગે છે.
અને ‘નીપજન લાગા હીરા' — આત્મતત્ત્વરૂપી હીરો આપણા હાથમાં આવે છે. આપણો પોતાનો સદાકાળ માટે બની જાય છે. હીરાને આત્મતત્ત્વ સાથે સરખાવવામાં આવે છે. એ પ્રકાશમાન અને સુદૃઢ છે. મત્સ્યેન્દ્રના પ્રતાપે ગોરખ કહે છે કે :
{{Poem2Close}}
{{center|'''સમજ સમજ મન ધીરા'''}}
{{Poem2Open}}
આ પ્રક્રિયા ઉતાવળે થતી નથી. આ સ્થિતિ એકદમ પ્રાપ્ત થતી નથી. એને માટે ખૂબ ધીરજ જોઈએ છે. નિષ્ઠા, ધૈર્ય, સાતત્ય આ પ્રાપ્તિ માટેનાં અત્યંત આવશ્યક સાધનો છે. ‘સમજ સમજ મન ધીરા' પોતાના મનને એ પ્રક્રિયા દ્વારા સમજાવીને ધીરતા ધારણ કરવાનું કહેવામાં આવે છે. કબીરે પણ આ જ વસ્તુ કહી છે : 
{{Poem2Close}}
{{Block center|<poem>'''ધીરે ધીરે રે મના, ઘીરે સબ કુછ હોય,'''
'''માલી સીંચે સો ઘડા, રુત આયે ફલ હોય.''' </poem>}}
{{Poem2Open}}
એક સાથે સો ઘડા સીંચવાથી કંઈ ફળ પ્રાપ્ત થતું નથી. પણ ધૈર્યપૂર્વક, સાતત્યપૂર્વક જ્યારે આ આત્મસાધના કરવામાં આવે છે ત્યારે અંદરના ગગનની વાડી મહેકી ઊઠે છે, રસથી ભરપૂર બની જાય છે અને સ્વરૂપ-આનંદનો, સ્વાનંદનો, સ્વસંવેધ આનંદનો અનુભવ થાય છે. ગોરખ કહે છે કે અલક્ષ્યની આ નિશાની છે. જે લક્ષ્યાતીત છે, જે દશ્યાતીત છે, જે સીમાથી પર છે, તે અસીમને આપણે પોતાની અંદર જ પ્રાપ્ત કરી શકીએ છીએ.
આ ભજનમાં આવતા ઉપજન' અને નીપજન' શબ્દો ધ્યાનમાં રાખવા જેવા છે. ખેતરમાં મોલ હિલોળા લેતો હોય ત્યારે ‘ઉપજ' ઘણી લાગે પણ ખળું ભરાય અને દાણા ઘેર આવે ત્યારે જ ‘નીપજ'ની ખબર પડે. મનની સમજણ ઉપજ છે, પણ નીપજ તો એ સમજણ પ્રમાણે વર્તવાનું કેટલું સામર્થ્ય આવે છે તેના પર છે. એક ભજનમાં કહ્યું છે :
{{Poem2Close}}
19,010

edits

Navigation menu