19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સામળિયો મુંજો સગો | }} {{Block center|<poem> સામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ, {{right|'''નંદના લાલન સે'''}} {{right|'''નીંદરડી મેં નેડો લગો.'''}} '''હું રે જાતી'તી ગાંધી કેરે હડે, વા'લા,''' '''મહેકે ગાંધી ક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 52: | Line 52: | ||
અનંત જન્મોથી ચાલી આવતી પ્રીતમની શોધ પૂરી થાય છે કાલપ્રવાહને કાંઠે રહેલા અચલ આશ્રયમાં. વડલો એટલે એક સઘન, શીતળ, પરમવિશ્રાન્તિ. મહાપ્રલયમાં બધું જ જ્યારે ડૂબી જાય છે ત્યારે વડના પાંદ પર જે અસ્તિત્વ મંદ મધુર હસે છે તેનો સહવાસ, કૃષ્ણભક્તોને માટે જે ‘બંસી-બટ'નો મહિમા છે તે અહીં પ્રત્યક્ષ થાય છે. પ્રાણના ઊર્ધ્વ પ્રયાણમાં એક એવું પદ આવે છે, જે વિષ્ણુનું ૫૨મ પદ છે, જે કૃષ્ણનું નિત્ય લીલાધામ છે: દેહભાવનો નાશ થાય છે ત્યારે આ દેવતત્ત્વ એના નીલોજ્જવલ સ્વરૂપમાં પ્રકાશી ઊઠે છે. કોઈને કદાચ અરાંબંધિત લાગે પણ વિષ્ણુ અને વટનું સામ્ય અતિ પ્રાચીન કાળથી વણાતું લોકભજન સુધી પહોંચી ગયું હોય એવો ભાસ થાય છે. ‘રઘુ-વંશ' [સર્ગ ૧૩, શ્લોક ૫૩]માં લંકાથી પાછા ફરતાં પુષ્પકમાં આકાશગમન કરતાં રામ જે સ્થળો સીતાને બતાવે છે તેમાં ભૌગોલિક વર્ણનો જ છે કે વિશેષ કાંઈ, એ શોધવા જેવું છે. ‘મેઘદૂત’ના અર્થઘટનમાં વાસુદેવશરણ અગ્રવાલે જે કાર્ય કર્યું તે મહાકવિની બીજી રચનાઓમાં પણ કરવા જેવું છે. અહીં નીલકમલના ઢગ સમા વડને દર્શાવી રામ સીતાને કહે છે કે ઃ સોયં વટઃ શ્યામ ઇતિ પ્રતીત’ ‘આ શ્યામ નામથી ઓળખાતો વડ રહ્યો', એ વચન યાદ આવી જાય છે. વળી એ શ્યામ નામે સામાન્ય વડ નહોતો પણ સીતા વડે ઉપયાચિત હતો, સિદ્ધિ માટે પ્રાર્થિત હતો, એ વડની વિશેષતા છે. વૈદિક સૂકતો, મહાકવિઓનાં કાવ્યો અને ઠેઠ ગામતળનાં લોકભજનો ક્યાંક આ ધરતીનાં સંસ્કારબીજ સંઘરી બેઠાં છે એવો મનમાં વહેમ છે, અને તે હસી કાઢવા જેવો નથી લાગતો. ભજનવાણીમાં ઊંડે ઊંડે ઊતરતાં ક્યાંક એની ભાળ લાગશે. ફરી ‘વડલે વિસામો' લેવા જતાં બ્રહ્માનંદનું ભજન સંભળાય છે : | અનંત જન્મોથી ચાલી આવતી પ્રીતમની શોધ પૂરી થાય છે કાલપ્રવાહને કાંઠે રહેલા અચલ આશ્રયમાં. વડલો એટલે એક સઘન, શીતળ, પરમવિશ્રાન્તિ. મહાપ્રલયમાં બધું જ જ્યારે ડૂબી જાય છે ત્યારે વડના પાંદ પર જે અસ્તિત્વ મંદ મધુર હસે છે તેનો સહવાસ, કૃષ્ણભક્તોને માટે જે ‘બંસી-બટ'નો મહિમા છે તે અહીં પ્રત્યક્ષ થાય છે. પ્રાણના ઊર્ધ્વ પ્રયાણમાં એક એવું પદ આવે છે, જે વિષ્ણુનું ૫૨મ પદ છે, જે કૃષ્ણનું નિત્ય લીલાધામ છે: દેહભાવનો નાશ થાય છે ત્યારે આ દેવતત્ત્વ એના નીલોજ્જવલ સ્વરૂપમાં પ્રકાશી ઊઠે છે. કોઈને કદાચ અરાંબંધિત લાગે પણ વિષ્ણુ અને વટનું સામ્ય અતિ પ્રાચીન કાળથી વણાતું લોકભજન સુધી પહોંચી ગયું હોય એવો ભાસ થાય છે. ‘રઘુ-વંશ' [સર્ગ ૧૩, શ્લોક ૫૩]માં લંકાથી પાછા ફરતાં પુષ્પકમાં આકાશગમન કરતાં રામ જે સ્થળો સીતાને બતાવે છે તેમાં ભૌગોલિક વર્ણનો જ છે કે વિશેષ કાંઈ, એ શોધવા જેવું છે. ‘મેઘદૂત’ના અર્થઘટનમાં વાસુદેવશરણ અગ્રવાલે જે કાર્ય કર્યું તે મહાકવિની બીજી રચનાઓમાં પણ કરવા જેવું છે. અહીં નીલકમલના ઢગ સમા વડને દર્શાવી રામ સીતાને કહે છે કે ઃ સોયં વટઃ શ્યામ ઇતિ પ્રતીત’ ‘આ શ્યામ નામથી ઓળખાતો વડ રહ્યો', એ વચન યાદ આવી જાય છે. વળી એ શ્યામ નામે સામાન્ય વડ નહોતો પણ સીતા વડે ઉપયાચિત હતો, સિદ્ધિ માટે પ્રાર્થિત હતો, એ વડની વિશેષતા છે. વૈદિક સૂકતો, મહાકવિઓનાં કાવ્યો અને ઠેઠ ગામતળનાં લોકભજનો ક્યાંક આ ધરતીનાં સંસ્કારબીજ સંઘરી બેઠાં છે એવો મનમાં વહેમ છે, અને તે હસી કાઢવા જેવો નથી લાગતો. ભજનવાણીમાં ઊંડે ઊંડે ઊતરતાં ક્યાંક એની ભાળ લાગશે. ફરી ‘વડલે વિસામો' લેવા જતાં બ્રહ્માનંદનું ભજન સંભળાય છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | |||
ગંગાજી કા તટ હો, યા યમુનાજી કા બ્દ હો, | |||
{{right|મેરા સાંવરા નિકટ હો,}} | |||
{{right|જબ પ્રાણ તન સે નિ.}} | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
પ્રાણ અને પ્રિયતમના મિલનની વેળા હવે આવી પહોંચી. ક્યાં રહ્યું છે આ મિલનબિંદુ? કેવી છે એની મિલન-માધુરી? | |||
{{Poem2Close}} | |||
{{center|'''સુરતા ચૂકી ને બેડો ભગો'''}} | |||
{{Poem2Open}} | |||
નંદના છોરાની નજરે પડે તેની સુરતાનું ઠેકાણું રહે જ નહીં. શાન અને યોગમાર્ગમાં તો સુરતાને અલગ કરતાં રહેવું પડે, પણ આ ગોકુલ ગાંવનો પૈડો જ ન્યારો છે. અહીં દેહમાં રહેલી સુરતાને કોઈ કાંકરી મારી પોતાનામાં સમાવી દે છે. ગોપી જ્યારે કહે કે ‘બેડું મારું નંદવાણું' ત્યારે તેમાં કૃત્રિમ રોષ ને અફસોસને ફોડી આનંદ બહાર રેલાઈ જાય છે. નંદવાઈ જવામાં જ આનંદ છે એ તે જાણે છે. મીરાંનાં બીજાં ભજનોમાં આવી ફરિયાદ ને આનંદ બંને ફોરી ઊઠ્યાં છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>ઝૂમકહાર શીદ તોડ્યો? | |||
જળ જમુનાનાં ભરવાને ગ્યાં'તાં, | |||
{{right|ઘડુલો મારો શીદ ફોડ્યો?}} | |||
* | |||
અધર સુધા રસગાગરી, અધરરસ ગૌરસ વૈશ, | |||
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ફરી અમીરસ પીવૈશ. | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
ગોપી જમુનાનું જળ ભરીને આવે છે ત્યારે કૃષ્ણ એનું બેડું ફોડી નાખે છે, અને મહી વેચવા બહાર જાય છે ત્યારે મટકી ફોડી નાખે છે. જમુનાની જેમ નિરંતર વહેતા આનંદને એકાદ, અલગ, ક્ષુદ્ર ઘડામાં પૂરવા માંડીએ તો એ વિશ્વવિહારી એમ બદ્ધ થવા દે? અને પોતાના અંતરમાં જ સભર ભરેલા આનંદનું બહાર મૂલ કરાવવા જઈએ તો એ અંતર્યામી સાંખે ખરા? કૃષ્ણ ક્યાંયે દૂધ નથી ઢોળી નાંખતા, મહીનાં મટકાંને જ ભાંગે છે એનું કારણ શું? મહીં એ મધ્ય અવસ્થા છે. મહી જામે એ પ્રાણની સ્થિરતા, કુંભક અવસ્થા. આ કુંભકમાં જ જ્યારે વિસ્ફોટ થાય ત્યારે દેહથી અલગ આત્મતત્ત્વ ઊછળી પડે છે. પણ એ માટે પ્રભુ સંગાથે પ્રાણનો સંબંધ, શ્વાસોચ્છ્વાસે સુમિરણનો તાંર સંધાઈ જવો જોઈએ : | |||
{{Poem2Close}} | |||
{{center|'''સામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ.'''}} | |||
{{HeaderNav2 | |||
|previous = આંબલિયાની ડાળ | |||
|next = નિગમ વેદનો નાદ | |||
}} | |||
edits