ભજનરસ/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <poem><center> <big><big><big>'''ભજનરસ'''</big></big></big> <big>'''મકરન્દ દવે'''</big> {{center|'''મુખ્ય પ્રાપ્તિસ્થાન''' }} {{center|નવભારત સાહિત્ય મંદિર}} {{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧}} <br> {{center|૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ,...")
 
No edit summary
Line 94: Line 94:
કબીરે જ્ઞાનગોદડી'માં કહ્યું છે:
કબીરે જ્ઞાનગોદડી'માં કહ્યું છે:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા,
{{right|યહ નૈનન સાહેબકો દેખા,}}
અહંકાર અભિમાન બિડાચ
{{right|ઘટકા ચૌકા કર ઉજિયારા.’}}
</poem>}}
{{Poem2Open}}
જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું:
બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?”
હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું:
હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?”
અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’
‘જરૂર કરાવું.’
‘ક્યારે?’
‘અરે, અબઘડી અત્યારે જ.’
હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય?
‘તો દર્શન કરાવો, લો!'
‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું:
‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?”
અને પછી એવા તો હસ્યા છે!
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ
{{Poem2Close}}
{{Poem2Open}}
{{Block center|<poem>
‘અમલ કમલ સેં છટક્યા હૈ રે
{{right|છટક્યા હૈ સો ભટક્યા હૈ.’}} </poem>}}
{{Poem2Open}}
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.
કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે?
{{Poem2Close}}
{{Block center|<poem>
'''‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,'''
'''સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’'''
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
|next = સર્જક-પરિચય
|next = ભજનરસ
}}
}}
<br>
<br>
19,010

edits

Navigation menu