વીક્ષા અને નિરીક્ષા/રુચિ અને કલાનું પુનર્નિર્માણઃ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 47: Line 47:
{{Poem2Open}}
{{Poem2Open}}
પણ વિવેચન એટલે ઐતિહાસિક વિવેચન એમ જો સમજીએ તો એમાંથી એ પણ અનિવાર્ય રીતે ફલિત થાય કે સુંદર અને કુરૂપના પાર્થક્યનો વિચાર કરવો એટલે સુંદર કે કુરૂપ કહીને ઊભરો કાઢવો એમ નહિ. વિવેચને વ્યાખ્યાના સ્તરે જવું પડે અને વ્યાખ્યાના સ્તરે જવું એટલે જીવનની સમાલોચના (criticism of life) કરવી, કારણ કલાકૃતિનું મૂલ્યાંકન કરવું એટલે કે તેની વિશિષ્ટ પ્રકૃતિનો પરિચય આપવો એ. સાથોસાથ આખા જીવનનાં કાર્યોનું મૂલ્યાંકન કર્યા વગર અને તેની પ્રકૃતિનો પરિચય આપ્યા વગર શક્ય નથી. (it is not possible to judge—that is to characterise—works of art, without at the same time judging and characterising the works of whole life.) આથી દરેક મોટો વિવેચક એવી સાથે કલાનો, દર્શનનો, નીતિનો અને રાજકારણનો  વિવેચક હોય છે. કારણ, આત્માના વ્યાપારોને કલ્પનામાં અલગ ભલે પાડી શકાય પણ ખરેખર અલગ પાડી શકાતા નથી. આથી કલાના વિવેચનને બીજાં વિવેચનથી અલગ પાડી શકાય નહિ.]
પણ વિવેચન એટલે ઐતિહાસિક વિવેચન એમ જો સમજીએ તો એમાંથી એ પણ અનિવાર્ય રીતે ફલિત થાય કે સુંદર અને કુરૂપના પાર્થક્યનો વિચાર કરવો એટલે સુંદર કે કુરૂપ કહીને ઊભરો કાઢવો એમ નહિ. વિવેચને વ્યાખ્યાના સ્તરે જવું પડે અને વ્યાખ્યાના સ્તરે જવું એટલે જીવનની સમાલોચના (criticism of life) કરવી, કારણ કલાકૃતિનું મૂલ્યાંકન કરવું એટલે કે તેની વિશિષ્ટ પ્રકૃતિનો પરિચય આપવો એ. સાથોસાથ આખા જીવનનાં કાર્યોનું મૂલ્યાંકન કર્યા વગર અને તેની પ્રકૃતિનો પરિચય આપ્યા વગર શક્ય નથી. (it is not possible to judge—that is to characterise—works of art, without at the same time judging and characterising the works of whole life.) આથી દરેક મોટો વિવેચક એવી સાથે કલાનો, દર્શનનો, નીતિનો અને રાજકારણનો  વિવેચક હોય છે. કારણ, આત્માના વ્યાપારોને કલ્પનામાં અલગ ભલે પાડી શકાય પણ ખરેખર અલગ પાડી શકાતા નથી. આથી કલાના વિવેચનને બીજાં વિવેચનથી અલગ પાડી શકાય નહિ.]
{{Poem2Close}}
{{center|'''૧૭-૧૮'''}}
{{Poem2Open}}
સત્તરમા પ્રકરણમાં ક્રોચે સાહિત્યનો અને કલાનો ઇતિહાસ કેવી રીતે લખાવો જોઈએ તેની ચર્ચા કરે છે. ઇતિહાસ લખવા માટે પ્રગતિની વિભાવના સ્વીકારવી જ પડે. પ્રગતિ એટલે કોઈ એક નિશ્ચિત સ્થાન પ્રત્યે ગતિ. માનવજાત એ રીતે કોઈ પૂર્વનિશ્ચિત ધ્યેય પ્રત્યે આગળ વધી રહી છે એવું ન કહેવાય પણ તે પોતાના માર્ગમાં આવતી મુશ્કેલીઓ ઉપર નવા નવા વિજય મેળવતી રહે છે, એ રીતે અહીં પ્રગતિને ઘટાવી શકાય. કલાના ક્ષેત્રમાં પણ માનવજાત એવા કોઈ એક નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધે છે એમ ન કહેવાય. પણ કલાના ઇતિહાસમાં જુદાં જુદાં આવર્તનો આવે છે. એક આવર્તનમાં કલાકારો એકસરખા વસ્તુને આકારિત કરવાનો પ્રયત્ન કરતા હોય છે અને તેમાં ઉત્તરોત્તર વિજય મેળવતા રહે છે. એક વાર એમાં પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી આગળ જવાનું રહેતું નથી. પછી નવું વસ્તુ કે નવી રીતિનું આવર્તન શરૂ થાય છે. બે અલગ આવર્તનોના કલાકારો અને કલાકૃતિઓની તુલના ન થઈ શકે. ખરું જોતાં, પ્રત્યેક કૃતિ એ એક એક સ્વતંત્ર વિશ્વ હોય છે.
અઢારમા પ્રકરણમાં ક્રોચે કહે છે કે સૌંદર્યશાસ્ત્ર અને ભાષાશાસ્ત્ર બંને અભિવ્યક્તિનાં શાસ્ત્રો છે અને તેથી બંને શાસ્ત્રોનાં તારણો મળતાં આવે છે. એ બે, ખરું જોતાં, જુદાં શાસ્ત્રો જ નથી તેથી ક્રોચેએ પોતાના ગ્રંથનું નામ ‘ઇસ્થેટિક ઍઝ એ સાયન્સ ઑવ એક્સ્પ્રેશન ઍન્ડ જનરલ લિંગ્વિસ્ટિક્સ’ (‘સૌંદર્યમીમાંસા: અભિવ્યક્તિના અને સામાન્ય ભાષાવિદ્યાના શાસ્ત્ર તરીકે’) એવું રાખેલું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>

Navigation menu