31,395
edits
(Created page with "{{SetTitle}} {{Heading|ભારતીય કાવ્યવિચાર}} {{Poem2Open}} આપણા દેશમાં કાવ્યચર્ચાની લાંબી પરંપરા છે અને અનેક મનીષીઓએ એ પરંપરાને પુષ્ટ કરેલી છે. આજે હું પ્રધાનપણે ભામહ, દંડી, વામન, કુંતક, આનંદવર્ધન અને અભિનવ...") |
(+1) |
||
| Line 123: | Line 123: | ||
આપણે જોયું કે આ બધા આલંકારિકો કાવ્યના સ્વરૂપને સમજવા-સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે હું જે આલંકારિકની વાત કરવા માગું છું તે કવિવ્યાપારને સમજવા-સમજાવવાનો પ્રયત્ન કરે છે, અને એ એનું અત્યંત મહત્ત્વનું પ્રદાન છે. હું ‘વક્રોક્તિજીવિત’-કાર કુંતકની વાત કરું છું. શબ્દ અને અર્થ બંને મળીને કાવ્ય થાય છે એમ કહેવાય છે, પણ શબ્દાર્થનું સાહિત્ય તો રોજના વ્યવહારમાં પણ જોવામાં આવે છે. તો કાવ્યમાંના આ સાહિત્યની વિશેષતા શી? એનો જવાબ એ એવો આપે છે કે, શાસ્ત્રાદિમાં જે રીતે શબ્દાર્થનું ઉપનિબંધન કરવામાં આવે છે તેના કરતાં જુદું જ એક વૈચિત્ર્ય કાવ્યમાં હોય છે, એ વૈચિત્ર્ય જ કાવ્યનું જીવિત હોય છે. | આપણે જોયું કે આ બધા આલંકારિકો કાવ્યના સ્વરૂપને સમજવા-સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે હું જે આલંકારિકની વાત કરવા માગું છું તે કવિવ્યાપારને સમજવા-સમજાવવાનો પ્રયત્ન કરે છે, અને એ એનું અત્યંત મહત્ત્વનું પ્રદાન છે. હું ‘વક્રોક્તિજીવિત’-કાર કુંતકની વાત કરું છું. શબ્દ અને અર્થ બંને મળીને કાવ્ય થાય છે એમ કહેવાય છે, પણ શબ્દાર્થનું સાહિત્ય તો રોજના વ્યવહારમાં પણ જોવામાં આવે છે. તો કાવ્યમાંના આ સાહિત્યની વિશેષતા શી? એનો જવાબ એ એવો આપે છે કે, શાસ્ત્રાદિમાં જે રીતે શબ્દાર્થનું ઉપનિબંધન કરવામાં આવે છે તેના કરતાં જુદું જ એક વૈચિત્ર્ય કાવ્યમાં હોય છે, એ વૈચિત્ર્ય જ કાવ્યનું જીવિત હોય છે. | ||
शास्त्रादि प्रसिद्ध – शव्दार्थोपनिबन्घ-व्यतिरेकी यद् वैचित्र्यं तन्मात्रलक्षणं वक्रत्वं काव्यस्य जीवितम्। અને એ સાચું સાહિત્ય કાવ્યમાં જ જોવા મળે છે. કાવ્યમાં શબ્દ અને અર્થની રમણીયતા સાધવા માટે અન્યૂન અને અનતિરિક્ત – બેમાંથી કોઈ કોઈથી ઊતરે પણ નહિ અને ચડી પણ ન જાય એવી – મનોહર અવસ્થિતિ હોય છે. | शास्त्रादि प्रसिद्ध – शव्दार्थोपनिबन्घ-व्यतिरेकी यद् वैचित्र्यं तन्मात्रलक्षणं वक्रत्वं काव्यस्य जीवितम्। અને એ સાચું સાહિત્ય કાવ્યમાં જ જોવા મળે છે. કાવ્યમાં શબ્દ અને અર્થની રમણીયતા સાધવા માટે અન્યૂન અને અનતિરિક્ત – બેમાંથી કોઈ કોઈથી ઊતરે પણ નહિ અને ચડી પણ ન જાય એવી – મનોહર અવસ્થિતિ હોય છે. | ||
{{Poem2Close}} | |||
साहित्यमनयो: शोभाशालितां प्रति काप्यसौ | | {{Block center|<poem>साहित्यमनयो: शोभाशालितां प्रति काप्यसौ | | ||
अन्यूनानतिरित्कत्वमनोहारिण्यवस्थिति: ||૧-૧૭ || | अन्यूनानतिरित्कत्वमनोहारिण्यवस्थिति: ||૧-૧૭ ||</poem>}} | ||
{{Poem2Open}} | |||
કેવળ શબ્દના સૌન્દર્યથી પણ કાવ્ય બનતું નથી, તેમ કેવળ અર્થના સૌંદર્યથી પણ કાવ્ય બનતું નથી. न शब्दस्यैव रमणीयताविशिष्टस्य केवलस्य काव्यत्वं, नाप्यर्थस्य | કાવ્યમાં શબ્દ અને અર્થનું સાહિત્ય કેવા પ્રકારનું હોય છે તે સમજાવતાં એ કહે છે કે शब्दस्य शब्दान्तरेण वाच्यस्य वाच्यान्तरेण च साहित्यं परस्परस्पर्घित्वलक्षणमेव विवक्षितम् | કાવ્યમાં શબ્દાર્થનું સાહિત્ય એટલે શબ્દનું શબ્દ સાથે અને અર્થનું અર્થની સાથે પરસ્પરસ્પર્ધિત્વરૂપ સાહિત્ય. એટલે કે શબ્દની સાથે શબ્દના મિલનથી અર્થની સાથે અર્થના મિલનથી જે બે પરસ્પરસ્પર્ધી ચારુતા ઉત્પન્ન થાય છે, તે બન્નેનું પરસ્પર સામંજસ્ય. એનો અર્થ એવો થયો કે, કાવ્યમાં, એક બાજુથી, પરસ્પર અર્થના સામંજસ્યમાં ક્રમવિકાસ હોવો જોઈએ, અને બીજી બાજુથી, એ અર્થના સામંજસ્યમાં શબ્દની સાથે શબ્દનું એવું મિલન જોઈએ કે જેથી શબ્દો ધ્વનિ અને છંદમાં અર્થાનુકૂલ રહીને વર્તે અને બીજી તરફથી શબ્દના વિન્યાસને લીધે અર્થધારા લગારે ક્લુષિત ન થાય, અથવા વિપરીત માર્ગે ચાલી જવાનો પ્રયત્ન ન કરે એમ કરવું જોઈએ. આમ, શબ્દ અને અર્થ મળીને જે સમગ્રતા થાય છે તેના દરેક અવયવના પરસ્પરના સૌંદર્યથી સમગ્રનું સૌંદર્ય ખીલી ઊઠવું જોઈએ. અહીં એણે કલાકૃતિની સમગ્રતા ઉપર ભાર મૂક્યો છે. | |||
કૃતિનાં બધાં અંગોપાંગો વચ્ચે સામંજસ્ય હોય તો જ તે સમગ્રતા પ્રાપ્ત કરી શકે છે, એટલે તે સાહિત્યના સ્વરૂપનો આ રીતે ખ્યાલ આપે છે : `માર્ગને એટલે કે રીતિને અનુરૂપ માધુર્યાદિ ગુણોનો ઉદય, વક્રતા એટલે કે વૈચિત્ર્યનો અતિશય પ્રગટ કરનાર અલંકારોનો વિન્યાસ, અને વૃત્તિના ઔચિત્યથી મનોહર એવો રસોનો પરિપોષ – એ બાબતો જેમાં પરસ્પરની સ્પર્ધા કરતી વિદ્યમાન હોય એવી તદ્વિદોને આનંદ આપનારી શબ્દાર્થોની અવસ્થિતિ તે સાહિત્ય.’ એવા સાહિત્યનું જ પર્યવસાન રસાસ્વાદમાં થઈ શકે. તે કહે છે : `વાક્યનો અર્થ ધ્યાનમાં ન લઈએ તોયે કેવળ બંધસૌંદર્યથી જ જે તદ્વિદોના હૃદયમાં સંગીતની પેઠે આનંદ ઉત્પન્ન કરે છે, અને વાક્યાર્થ ધ્યાનમાં આવ્યા પછી તો પદવાક્યાર્થથી જુદો જ અને તેની પારનો પાનકરસના આસ્વાદ જેવા આસ્વાદનો અનુભવ રસિકોને કરાવે છે; જે દેહમાં પ્રાણની પેઠે સમસ્ત કાવ્યશરીરને જીવંત બનાવી મૂકે છે અને જેના વિના વાક્યો નિર્જીવ બની જાય છે, અને જેનો અનુભવ માત્ર તદ્વિદોને જ થાય છે, તે સૌભાગ્ય એટલે કે સૌંદર્યને કવિવાણી શી રીતે પહોંચે છે તેનો હવે વિચાર કરીએ.’ | કૃતિનાં બધાં અંગોપાંગો વચ્ચે સામંજસ્ય હોય તો જ તે સમગ્રતા પ્રાપ્ત કરી શકે છે, એટલે તે સાહિત્યના સ્વરૂપનો આ રીતે ખ્યાલ આપે છે : `માર્ગને એટલે કે રીતિને અનુરૂપ માધુર્યાદિ ગુણોનો ઉદય, વક્રતા એટલે કે વૈચિત્ર્યનો અતિશય પ્રગટ કરનાર અલંકારોનો વિન્યાસ, અને વૃત્તિના ઔચિત્યથી મનોહર એવો રસોનો પરિપોષ – એ બાબતો જેમાં પરસ્પરની સ્પર્ધા કરતી વિદ્યમાન હોય એવી તદ્વિદોને આનંદ આપનારી શબ્દાર્થોની અવસ્થિતિ તે સાહિત્ય.’ એવા સાહિત્યનું જ પર્યવસાન રસાસ્વાદમાં થઈ શકે. તે કહે છે : `વાક્યનો અર્થ ધ્યાનમાં ન લઈએ તોયે કેવળ બંધસૌંદર્યથી જ જે તદ્વિદોના હૃદયમાં સંગીતની પેઠે આનંદ ઉત્પન્ન કરે છે, અને વાક્યાર્થ ધ્યાનમાં આવ્યા પછી તો પદવાક્યાર્થથી જુદો જ અને તેની પારનો પાનકરસના આસ્વાદ જેવા આસ્વાદનો અનુભવ રસિકોને કરાવે છે; જે દેહમાં પ્રાણની પેઠે સમસ્ત કાવ્યશરીરને જીવંત બનાવી મૂકે છે અને જેના વિના વાક્યો નિર્જીવ બની જાય છે, અને જેનો અનુભવ માત્ર તદ્વિદોને જ થાય છે, તે સૌભાગ્ય એટલે કે સૌંદર્યને કવિવાણી શી રીતે પહોંચે છે તેનો હવે વિચાર કરીએ.’ | ||
કાવ્યરચનાની પ્રક્રિયા સમજાવતાં કુંતક કહે છે કે, `સુકવિ જ્યારે કાવ્યરચના કરે છે ત્યારે તેના ચિત્તમાં જે આંદોલન જાગે છે તેને પરિણામે વર્ણનીય વાસ્તવિક જગતના પદાર્થો એવા એક પ્રકારના ભાવોજ્જ્વલ વેશથી આવૃત્ત અને પરિવર્તિત થઈને તેના ચિત્તમાં ઉદય પામે છે, અને તેને લીધે એવી એક પ્રેરણા જાગે છે, જેની ઉત્તેજનાને લીધે કવિપ્રતિભાની મદદથી તે પદાર્થોના ભાવમય રૂપને યથાતથ રૂપે પ્રગટ કરી શકે એવા શબ્દો તે પસંદ કરી શકે છે.’ कविविवक्षितविशेषाभिधानक्षमत्वमेव वाचकत्वलक्षणं, यस्मात् प्रतिभायां तत्कालोल्लिखितेन केनचित् परिस्पन्देन परिस्फुरन्तः पदार्थाः प्रकृतप्रस्तावसमुचितेन केनचिदुत्कर्षेण वा समाच्छादितस्वभावाः सन्तो विवक्षाविधेयत्वेनाभिधेयतापदवीभंवदतरन्तः तथा त्रिधविशेषप्रतिपादनसमर्थेन अभिधानेन अभिघीयमानाश्चेतनचमत्कारितामापद्यन्ते || આ એક જ વાક્યમાં એણે અનેક સૂક્ષ્મ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે. પહેલું તો એ કે બાહ્ય વાસ્તવિક જગતના પદાર્થો કવિના ચિત્તમાં અંતર્લોકનું ભાવમય અલૌકિક રૂપ ધારણ કરે છે. The external objects take an ideal or emotional form. અને પછી એ ભાવમય પદાર્થોને યથાતથરૂપે પ્રગટ કરે એવા જ શબ્દો પ્રતિભાબળે તેને સૂઝે છે. અહીં બે ક્રિયા બને છે. એક તો કવિના અંતરનો પરિસ્પંદ વિષયવસ્તુને આવરી લઈને તેને ભાવમય બનાવી દે છે, અને એ પરિસ્પંદ જ એ ભાવમય રૂપને શબ્દરૂપે પલટી નાખે છે, આથી જ કાવ્યમાં ભાવરૂપનું અને શબ્દરૂપનું સાહિત્ય અથવા unity સંભવે છે. | કાવ્યરચનાની પ્રક્રિયા સમજાવતાં કુંતક કહે છે કે, `સુકવિ જ્યારે કાવ્યરચના કરે છે ત્યારે તેના ચિત્તમાં જે આંદોલન જાગે છે તેને પરિણામે વર્ણનીય વાસ્તવિક જગતના પદાર્થો એવા એક પ્રકારના ભાવોજ્જ્વલ વેશથી આવૃત્ત અને પરિવર્તિત થઈને તેના ચિત્તમાં ઉદય પામે છે, અને તેને લીધે એવી એક પ્રેરણા જાગે છે, જેની ઉત્તેજનાને લીધે કવિપ્રતિભાની મદદથી તે પદાર્થોના ભાવમય રૂપને યથાતથ રૂપે પ્રગટ કરી શકે એવા શબ્દો તે પસંદ કરી શકે છે.’ कविविवक्षितविशेषाभिधानक्षमत्वमेव वाचकत्वलक्षणं, यस्मात् प्रतिभायां तत्कालोल्लिखितेन केनचित् परिस्पन्देन परिस्फुरन्तः पदार्थाः प्रकृतप्रस्तावसमुचितेन केनचिदुत्कर्षेण वा समाच्छादितस्वभावाः सन्तो विवक्षाविधेयत्वेनाभिधेयतापदवीभंवदतरन्तः तथा त्रिधविशेषप्रतिपादनसमर्थेन अभिधानेन अभिघीयमानाश्चेतनचमत्कारितामापद्यन्ते || આ એક જ વાક્યમાં એણે અનેક સૂક્ષ્મ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે. પહેલું તો એ કે બાહ્ય વાસ્તવિક જગતના પદાર્થો કવિના ચિત્તમાં અંતર્લોકનું ભાવમય અલૌકિક રૂપ ધારણ કરે છે. The external objects take an ideal or emotional form. અને પછી એ ભાવમય પદાર્થોને યથાતથરૂપે પ્રગટ કરે એવા જ શબ્દો પ્રતિભાબળે તેને સૂઝે છે. અહીં બે ક્રિયા બને છે. એક તો કવિના અંતરનો પરિસ્પંદ વિષયવસ્તુને આવરી લઈને તેને ભાવમય બનાવી દે છે, અને એ પરિસ્પંદ જ એ ભાવમય રૂપને શબ્દરૂપે પલટી નાખે છે, આથી જ કાવ્યમાં ભાવરૂપનું અને શબ્દરૂપનું સાહિત્ય અથવા unity સંભવે છે. | ||
| Line 138: | Line 139: | ||
આનંદવર્ધને કાવ્યનો આત્મા ધ્વનિ છે એમ કહ્યું અને અભિધા, લક્ષણ, તાત્પર્ય, અર્થાપત્તિ કે અનુમાન વગેરેથી ભિન્ન વ્યંજનાનું સમર્થ રીતે પ્રતિપાદન કર્યું: જ્યાં જ્યાં ધ્વનિ ત્યાં ત્યાં કાવ્ય એમ નહિ, પણ જ્યાં જ્યાં ચારુતાયુક્ત ધ્વનિ ત્યાં ત્યાં કાવ્ય એવી સ્પષ્ટતા કરી. વસ્તુ, અલંકાર અને રસાદિ એવા ધ્વનિના ત્રણ પ્રકાર સ્વીકાર્યા, પણ એ ત્રણેમાં રસાદિ જ મુખ્ય છે અને તે જ કાવ્યનો આત્મા છે, વસ્તુ અને અલંકાર પણ અંતે રસમાં જ પર્યવસાન પામે છે એમ બતાવ્યું અને એ રસને જ કેન્દ્રમાં રાખી કાવ્યનાં બધાં જ અંગો – શબ્દ, અર્થ, સંઘટના, ગુણ, અલંકાર વગેરેનો વિચાર રસૌચિત્યની દૃષ્ટિએ જ કરવો જોઈએ અને પ્રબંધમાં વિભાવાદિનું નિરૂપણ, વસ્તુની પસંદગી અને તેની વિગતોના હાની-દાનમાં તેમ જ તેના સંધિઓ અને અંગોની યોજનામાં તથા અંગી અને અંગ રસોની વ્યવસ્થામાં પણ એ ઔચિત્યનો વિચાર જ પ્રધાન રહેવો જોઈએ એમ પ્રતિપાદિત કર્યું; તથા ધ્વનિને આધારે જ કાવ્યના પ્રકારો પાડી સળંગસૂત્ર કાવ્યવિચાર ખડો કર્યો. | આનંદવર્ધને કાવ્યનો આત્મા ધ્વનિ છે એમ કહ્યું અને અભિધા, લક્ષણ, તાત્પર્ય, અર્થાપત્તિ કે અનુમાન વગેરેથી ભિન્ન વ્યંજનાનું સમર્થ રીતે પ્રતિપાદન કર્યું: જ્યાં જ્યાં ધ્વનિ ત્યાં ત્યાં કાવ્ય એમ નહિ, પણ જ્યાં જ્યાં ચારુતાયુક્ત ધ્વનિ ત્યાં ત્યાં કાવ્ય એવી સ્પષ્ટતા કરી. વસ્તુ, અલંકાર અને રસાદિ એવા ધ્વનિના ત્રણ પ્રકાર સ્વીકાર્યા, પણ એ ત્રણેમાં રસાદિ જ મુખ્ય છે અને તે જ કાવ્યનો આત્મા છે, વસ્તુ અને અલંકાર પણ અંતે રસમાં જ પર્યવસાન પામે છે એમ બતાવ્યું અને એ રસને જ કેન્દ્રમાં રાખી કાવ્યનાં બધાં જ અંગો – શબ્દ, અર્થ, સંઘટના, ગુણ, અલંકાર વગેરેનો વિચાર રસૌચિત્યની દૃષ્ટિએ જ કરવો જોઈએ અને પ્રબંધમાં વિભાવાદિનું નિરૂપણ, વસ્તુની પસંદગી અને તેની વિગતોના હાની-દાનમાં તેમ જ તેના સંધિઓ અને અંગોની યોજનામાં તથા અંગી અને અંગ રસોની વ્યવસ્થામાં પણ એ ઔચિત્યનો વિચાર જ પ્રધાન રહેવો જોઈએ એમ પ્રતિપાદિત કર્યું; તથા ધ્વનિને આધારે જ કાવ્યના પ્રકારો પાડી સળંગસૂત્ર કાવ્યવિચાર ખડો કર્યો. | ||
અભિનવગુપ્તે ‘અભિનવભારતી’ અને ‘ધ્વન્યાલોકલોચન’ એ બે ટીકા ગ્રંથો મારફતે રસનિષ્પત્તિની પ્રક્રિયાનો દર્શનની દૃઢ ભૂમિકા ઉપર ખુલાસો આપ્યો. તેમાં પૂર્વાચાર્યના મતનું શોધન કર્યું. એના મતે કવિના હૃદયની સાધારણીભૂત સંવિત્ એ જ કાવ્યનું મૂળ છે. એ સંવિત્ એ જ ખરું જોતાં રસ છે, અને એ કવિગત રસ એ બીજ છે, કાવ્ય એ એમાંથી પ્રગટેલું વૃક્ષ છે, અભિનય વગેરે નટવ્યાપાર પુષ્પ સ્થાને છે, અને સામાજિકનો રસાસ્વાદ એ ફળને સ્થાને છે. આમ, કવિગત સાધારણભૂત ભાવ અથવા રસમાંથી કાવ્યનો જન્મ થાય છે અને ભાવકના રસાનુભવમાં તેનું પર્યવસાન થાય છે. આમ, એમને મતે રસનો આસ્વાદ લેનાર સામાજિકનું ચિત્ત એ રસનું અધિષ્ઠાન છે. સામાજિકના ચિત્તમાં વાસનારૂપે રહેલો સ્થાયી, અભિનય જોતાં કે કાવ્ય વાંચતાં સમુચિત વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવોથી અભિવ્યક્તિ પામી રસરૂપે આસ્વાદાય છે. અને એ રસ જ કાવ્યનો મુખ્ય અર્થ છે. આમ, એમણે કવિ અને ભાવકનો બંનેનો યોગ સાધી કવિતાના તત્ત્વને એટલે કે તેના સાચા સ્વરૂપને ‘કવિસહૃદયાખ્યમ્’ કહ્યું છે. | અભિનવગુપ્તે ‘અભિનવભારતી’ અને ‘ધ્વન્યાલોકલોચન’ એ બે ટીકા ગ્રંથો મારફતે રસનિષ્પત્તિની પ્રક્રિયાનો દર્શનની દૃઢ ભૂમિકા ઉપર ખુલાસો આપ્યો. તેમાં પૂર્વાચાર્યના મતનું શોધન કર્યું. એના મતે કવિના હૃદયની સાધારણીભૂત સંવિત્ એ જ કાવ્યનું મૂળ છે. એ સંવિત્ એ જ ખરું જોતાં રસ છે, અને એ કવિગત રસ એ બીજ છે, કાવ્ય એ એમાંથી પ્રગટેલું વૃક્ષ છે, અભિનય વગેરે નટવ્યાપાર પુષ્પ સ્થાને છે, અને સામાજિકનો રસાસ્વાદ એ ફળને સ્થાને છે. આમ, કવિગત સાધારણભૂત ભાવ અથવા રસમાંથી કાવ્યનો જન્મ થાય છે અને ભાવકના રસાનુભવમાં તેનું પર્યવસાન થાય છે. આમ, એમને મતે રસનો આસ્વાદ લેનાર સામાજિકનું ચિત્ત એ રસનું અધિષ્ઠાન છે. સામાજિકના ચિત્તમાં વાસનારૂપે રહેલો સ્થાયી, અભિનય જોતાં કે કાવ્ય વાંચતાં સમુચિત વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવોથી અભિવ્યક્તિ પામી રસરૂપે આસ્વાદાય છે. અને એ રસ જ કાવ્યનો મુખ્ય અર્થ છે. આમ, એમણે કવિ અને ભાવકનો બંનેનો યોગ સાધી કવિતાના તત્ત્વને એટલે કે તેના સાચા સ્વરૂપને ‘કવિસહૃદયાખ્યમ્’ કહ્યું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘ઑબ્જેક્ટિવ કોરિલેટિવ’ અને વિભાવાદિ | ||
|next = | |next = `અભિનવનો રસવિચાર’ વિશે | ||
}} | }} | ||