અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/આત્માનાં ખંડેર : ઉમાશંકરની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 49: Line 49:
{{Block center|'''<poem>‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’</poem>'''}}
{{Block center|'''<poem>‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આકાંક્ષાભર્યા અવાજમાં જ આ ભૂમિ સાથે સંબંધ ન રચાયાનો અફસોસ ભળેલો છે. વિશ્વમાં વ્યાપી જવા મથતી આત્માની વ્યથા વિશે આગંતુક તુરત કહે છે. એને બેચેની છે, અળગા રહી જવાની. દ્વૈતના વિલયને શક્ય બનાવતી મનઃસ્થિતિ એક મુગ્ધ આગંતુક પાસે હોય પણ ક્યાંથી? આવેશ છે, આવેશમાંથી જાગેલો આત્મવિશ્વાસ છે. પણ એ આત્મપ્રતીતિ નથી, એ તો છેક છેલ્લે થાય છે: જે સૃષ્ટિ પર વિજય મેળવવા મનસૂબો કર્યો તો તો પોતાની જ કોઈ આંતરિક ભગ્નતાનું પ્રતિરૂપ છે. આમ મુગ્ધ વિશ્વાસમાંથી વિક્ષિપ્ત કરી મૂકે એવી પ્રતીતિ સુધી કવિ અાગંતુકને લઈ જાય છે, જે આરંભે ઉરછલકતા કોર્ડ ધરાવે છે, જેને થાય છે કે જલસ્થલને પોતાની જ કથા કહેવી. કાલસ્થલના વિસ્તારોને એમનું સૌંદય છે પણ આગંતુકને લાગે છે કે પોતે એમાં ગેરહાજર છે તેથી જે છે એ બધું નથી. જે સ્થલમાં વ્યાપેલું છે, જે કાલમાં વ્યાપેલું છે એ બધું જ એના હોવાના અભાવે નથી. એની બેઉ બાજુ વ્યાપેલો સમય એ એની જ રચના છે. એના ન જોવાને લીધે જે ન હતું તે હવે એના જોવાથી છે. આ સાગર, આ નગર, આ ચહેરા પહેલાંય હતા પણ મારા આવવા પૂર્વે એમને જોનારી એક આખી નજર ન હતી, એમને એક સંબોધન ન હતું.
આકાંક્ષાભર્યા અવાજમાં જ આ ભૂમિ સાથે સંબંધ ન રચાયાનો અફસોસ ભળેલો છે. વિશ્વમાં વ્યાપી જવા મથતી આત્માની વ્યથા વિશે આગંતુક તુરત કહે છે. એને બેચેની છે, અળગા રહી જવાની. દ્વૈતના વિલયને શક્ય બનાવતી મનઃસ્થિતિ એક મુગ્ધ આગંતુક પાસે હોય પણ ક્યાંથી? આવેશ છે, આવેશમાંથી જાગેલો આત્મવિશ્વાસ છે. પણ એ આત્મપ્રતીતિ નથી, એ તો છેક છેલ્લે થાય છે: જે સૃષ્ટિ પર વિજય મેળવવા મનસૂબો કર્યો તો તો પોતાની જ કોઈ આંતરિક ભગ્નતાનું પ્રતિરૂપ છે. આમ મુગ્ધ વિશ્વાસમાંથી વિક્ષિપ્ત કરી મૂકે એવી પ્રતીતિ સુધી કવિ આગંતુકને લઈ જાય છે, જે આરંભે ઉરછલકતા કોર્ડ ધરાવે છે, જેને થાય છે કે જલસ્થલને પોતાની જ કથા કહેવી. કાલસ્થલના વિસ્તારોને એમનું સૌંદય છે પણ આગંતુકને લાગે છે કે પોતે એમાં ગેરહાજર છે તેથી જે છે એ બધું નથી. જે સ્થલમાં વ્યાપેલું છે, જે કાલમાં વ્યાપેલું છે એ બધું જ એના હોવાના અભાવે નથી. એની બેઉ બાજુ વ્યાપેલો સમય એ એની જ રચના છે. એના ન જોવાને લીધે જે ન હતું તે હવે એના જોવાથી છે. આ સાગર, આ નગર, આ ચહેરા પહેલાંય હતા પણ મારા આવવા પૂર્વે એમને જોનારી એક આખી નજર ન હતી, એમને એક સંબોધન ન હતું.


સંબોધન બે મહેરામણોને માત્ર અવાજ દ્વારા એક કરી શકે છે. એક આ માનવસિંધુ અને બીજો ગેબી કંઈ તાલથી નર્તનારો. વાચકને કદાચ અપેક્ષા જાગે, ગેબી તાલના વિશેષ શ્રવણની. પણ આગંતુકની કક્ષા જોતાં એ ગેબી તાલ જેવા શબ્દો બોલી જાય છે એ જ ઘણું લાગે છે. સ્વાભાવિક રીતે જ ગેબી તાલ હુલાસે ચગવા માગતા જીવનની આડશે રહી જાય છે. આગંતુક પોતાની કામના વિશે સાવધ બનવા લાગે છે. જાણે કે સત્યનો પ્રથમ સ્પર્શ એ પામે છે. મહત્ત્વાકાંક્ષાનાં વિવિધરંગી મેઘધનુની છટા ચક્ષુને તો રીઝવી જાય છે પણ આત્મબળને એ પજવે છે. વિજય માટેનો પડકાર ઝીલી લેવાની વૃત્તિને ઓળખવા જતાં જ આગંતુક કવિને પરિચિત ઇતિહાસને છેડે મુકાય છે અને ક્રમશઃ એ આગળ આવે છે. અનેક કાવ્યોમાં ઉમાશંકર આ પદ્ધતિ સ્વીકારી લે છે, અનુભવને ઇતિહાસની પ્રસિદ્ધ વ્યક્તિઓ અને ઘટનાઓના સંદર્ભમાં જોવો, માટે ભાગે જેમાંથી ભૂલ વિનાની નામાવલી મળી રહે છે. એ પછી અહીં એ કહ્યું છે કે સૃષ્ટિની પ્રથમ પલકથી જ એક ચેતનની તણખ જાગેલી જે યુગે યુગે વેગથી ધસતી વિકસતી રહી અને જે છેલ્લે પ્રજ્ઞામાં પરિણમી.
સંબોધન બે મહેરામણોને માત્ર અવાજ દ્વારા એક કરી શકે છે. એક આ માનવસિંધુ અને બીજો ગેબી કંઈ તાલથી નર્તનારો. વાચકને કદાચ અપેક્ષા જાગે, ગેબી તાલના વિશેષ શ્રવણની. પણ આગંતુકની કક્ષા જોતાં એ ગેબી તાલ જેવા શબ્દો બોલી જાય છે એ જ ઘણું લાગે છે. સ્વાભાવિક રીતે જ ગેબી તાલ હુલાસે ચગવા માગતા જીવનની આડશે રહી જાય છે. આગંતુક પોતાની કામના વિશે સાવધ બનવા લાગે છે. જાણે કે સત્યનો પ્રથમ સ્પર્શ એ પામે છે. મહત્ત્વાકાંક્ષાનાં વિવિધરંગી મેઘધનુની છટા ચક્ષુને તો રીઝવી જાય છે પણ આત્મબળને એ પજવે છે. વિજય માટેનો પડકાર ઝીલી લેવાની વૃત્તિને ઓળખવા જતાં જ આગંતુક કવિને પરિચિત ઇતિહાસને છેડે મુકાય છે અને ક્રમશઃ એ આગળ આવે છે. અનેક કાવ્યોમાં ઉમાશંકર આ પદ્ધતિ સ્વીકારી લે છે, અનુભવને ઇતિહાસની પ્રસિદ્ધ વ્યક્તિઓ અને ઘટનાઓના સંદર્ભમાં જોવો, માટે ભાગે જેમાંથી ભૂલ વિનાની નામાવલી મળી રહે છે. એ પછી અહીં એ કહ્યું છે કે સૃષ્ટિની પ્રથમ પલકથી જ એક ચેતનની તણખ જાગેલી જે યુગે યુગે વેગથી ધસતી વિકસતી રહી અને જે છેલ્લે પ્રજ્ઞામાં પરિણમી.

Navigation menu