32,510
edits
(+1) |
(+1) |
||
| Line 10: | Line 10: | ||
પોષાયો છું લયના અવિરત સિંચનથી. બા મારી હલકથી ગાય. ગળામાં મીઠાશ. વ્રત-પ્રસંગોનાં અઢળક ગીતો અને કંઠસ્થ. ક્યારેક પરોઢિયે ઘંટી દળતાં ગાય. મારું માથું નિરાંતે જોતી હોય, પાંથીએ-પાંથીએ એની તર્જની ફેરવતી હોય ત્યારે આગ્રહ કરીને ગવડાવું. એક ગીત અને બાનું પ્રલંબ લયમાં ગાવું મને બહુ ગમે : | પોષાયો છું લયના અવિરત સિંચનથી. બા મારી હલકથી ગાય. ગળામાં મીઠાશ. વ્રત-પ્રસંગોનાં અઢળક ગીતો અને કંઠસ્થ. ક્યારેક પરોઢિયે ઘંટી દળતાં ગાય. મારું માથું નિરાંતે જોતી હોય, પાંથીએ-પાંથીએ એની તર્જની ફેરવતી હોય ત્યારે આગ્રહ કરીને ગવડાવું. એક ગીત અને બાનું પ્રલંબ લયમાં ગાવું મને બહુ ગમે : | ||
{{Block center|<poem>કૂવાને કાંઠડે સાંઢણી ઝેકારો માણારાજા, મારું દલ… | {{Poem2Close}}{{Block center|'''<poem>કૂવાને કાંઠડે સાંઢણી ઝેકારો માણારાજા, મારું દલ… | ||
મારું દલ…રીઝે હો રાજ.</poem>}} | મારું દલ…રીઝે હો રાજ.</poem>'''}}{{Poem2Open}} | ||
ઝાલાવાડના ખાડાખડિયાવાળા કાચા વિષમ રસ્તાઓ પરથી ખખડ-ખખડ ગાડાં જતાં હોય એમાં જાનડિયું ગાતી હોય જાણે કર્ણરસાયનથી મારું પોષણ કરવા, અને જાનીવાસમાં મધુર નિદ્રાભંગ થતો હોય : | ઝાલાવાડના ખાડાખડિયાવાળા કાચા વિષમ રસ્તાઓ પરથી ખખડ-ખખડ ગાડાં જતાં હોય એમાં જાનડિયું ગાતી હોય જાણે કર્ણરસાયનથી મારું પોષણ કરવા, અને જાનીવાસમાં મધુર નિદ્રાભંગ થતો હોય : | ||
{{Block center|<poem>સૂરજ ઊગ્યો કેવડિયાની ફણસે કે વાણલાં ભલાં વાયાં | {{Poem2Close}}{{Block center|'''<poem>સૂરજ ઊગ્યો કેવડિયાની ફણસે કે વાણલાં ભલાં વાયાં | ||
તમે ઊઠો સુભદ્રાબેનના વીરા કે વાણલાં ભલાં વાયાં.</poem>}} | તમે ઊઠો સુભદ્રાબેનના વીરા કે વાણલાં ભલાં વાયાં.</poem>'''}}{{Poem2Open}} | ||
યજ્ઞોપવીત વખતે નમેલા માથા પર અસ્તરો ફરતો હોય ત્યારે કર્ણચેતના તો તલ્લીન હોય આવા પ્રસંગે ગવાતાં ગીતો સાંભળવામાં. | યજ્ઞોપવીત વખતે નમેલા માથા પર અસ્તરો ફરતો હોય ત્યારે કર્ણચેતના તો તલ્લીન હોય આવા પ્રસંગે ગવાતાં ગીતો સાંભળવામાં. | ||
| Line 34: | Line 34: | ||
આ બધાંને અનિમેષ જોયાં છે અને એકકાને સાંભળ્યાં છે. એમના શબ્દલયોના તંતુએ-તંતુએ મારી લયચેતનાનાં રેશમ વણાયાં છે. ગામડે-ગામડે ફરતી દેશી નાટક કંપનીઓ, શામન બંસીવાલા નંદલાલા શીરી ગોકુલકા ઉજિયાલા-ની મથુરાથી આવતા ચોબાઓની કૃષ્ણલીલાઓ, કથા-કીર્તનકારો, મેળામાં કોળીઠાકરડાઓનાં રાહડા, ભજનો, ગરબા, ગરબી, બ્રાહ્મણોના મંત્રોચ્ચારો, મોળાકત વગેરે વ્રતો કરતી બાળાઓનાં ગીતો, બાવા-મદારી-જાદુગર-બજાણિયા-ફકીર વગેરેના પદ્યગદ્યના લયલહેકાઓ — આવું-આવું અપરિસંખ્યેય હશે મારી લયચેતનાના વસ્ત્રવણાટમાં, જે આરંભાયું હશે ઘોડિયામાં, બાના વહાલભર્યા મીઠા કંઠથી : | આ બધાંને અનિમેષ જોયાં છે અને એકકાને સાંભળ્યાં છે. એમના શબ્દલયોના તંતુએ-તંતુએ મારી લયચેતનાનાં રેશમ વણાયાં છે. ગામડે-ગામડે ફરતી દેશી નાટક કંપનીઓ, શામન બંસીવાલા નંદલાલા શીરી ગોકુલકા ઉજિયાલા-ની મથુરાથી આવતા ચોબાઓની કૃષ્ણલીલાઓ, કથા-કીર્તનકારો, મેળામાં કોળીઠાકરડાઓનાં રાહડા, ભજનો, ગરબા, ગરબી, બ્રાહ્મણોના મંત્રોચ્ચારો, મોળાકત વગેરે વ્રતો કરતી બાળાઓનાં ગીતો, બાવા-મદારી-જાદુગર-બજાણિયા-ફકીર વગેરેના પદ્યગદ્યના લયલહેકાઓ — આવું-આવું અપરિસંખ્યેય હશે મારી લયચેતનાના વસ્ત્રવણાટમાં, જે આરંભાયું હશે ઘોડિયામાં, બાના વહાલભર્યા મીઠા કંઠથી : | ||
{{Block center|<poem>હુલુલુલુ હાલવાલ રે ભઈ મારો પારણિયામાં પોઢ્યો, | {{Poem2Close}}{{Block center|'''<poem>હુલુલુલુ હાલવાલ રે ભઈ મારો પારણિયામાં પોઢ્યો, | ||
ખીચડી ખાલમાલ રે ભઈ મારો પારણિયામાં પોઢ્યો.</poem>}} | ખીચડી ખાલમાલ રે ભઈ મારો પારણિયામાં પોઢ્યો.</poem>'''}}{{Poem2Open}} | ||
ગામના ગ્રંથાલયમાં એકમાત્ર કાવ્યગ્રંથ, ‘કલાપીનો કેકારવ,’ જાણે મારા માટે જ. બાકી ‘સાહિત્યપલ્લવ’ના શાળામાં ચાલતા ખંડો. નવમા ધોરણમાં અમદાવાદ આવ્યો. શ્રી ભારતી વિદ્યાલય(ખાડિયા)માં અઢળક સામયિકો આવે. ‘કુમાર’ અને ‘સંસ્કૃતિ’, સાદ્યંત વંચાઈ જાય. નવમા ધોરણમાં હતો ત્યારે મારું એક કાવ્ય ‘રમકડું’માં પ્રગટ થયેલું તેના પુરસ્કારના ત્રણેક રૂપિયા આવેલા તેમાંથી, ફરી બાઇન્ડ કરેલું, વિદ્યાર્થીનું નામ — નોંધ — લીટીવાળું એક પુસ્તક ખરીદ્યું, ‘નિશીથ’. તે ખાસ રોમાંચક ઘટના, પ્રથમ પુરસ્કારમાંથી કરેલી ખરીદી. વાપરવા મળતા પૈસામાંથી એ વખતે દર શુક્રવારે લાલદરવાજાના મયદાનમાં ભરાતી ગુજરીમાંથી ‘કુમાર’, ‘સંસ્કૃતિ’, ‘કૌમુદી’ એવાં-એવાં સામયિકો નિયમિત ખરીદતો. ‘કુમાર’ની તો એક વડીલ પાસેથી, વ્યવસ્થિત બાંધેલી, જૂની ફાઇલ્સ વાંચવા મળી ગઈ. દશમા કે અગિયાર ધોરણમાં હતો ત્યારે બચુભાઈએ ‘કવિતા’ના અનિયતકાલિક મણકા શરૂ કરેલા તે કાર્યાલયમાં જઈ છૂટક ખરીદતો. કાવ્યો તો રોજ લખાતાં પણ ‘બુધસભા’માં જવાની હિંમત ન હતી. પાંચ કૂવા પાસેની એક લાઇબ્રેરી, મણિનગરમાં રામકૃષ્ણ આશ્રમની લાઇબ્રેરી અને એમ. જે. લાઇબ્રેરીમાંથી કાવ્યસંગ્રહો વંચાતા રહે. અક્ષરમેળ અને માત્રામેળ છંદો ગુરુ વિના ઉકેલવાના પરિતાપમાં કલાકો સુધી પિંગળનાં પુસ્તકો જે કંઈ પ્રાપ્ય તેમાં ગોથાં માર્યા કરું. કોલેજમાં પ્રવેશ્યા પછી ‘ગુજરાત કોલેજ’ની લાઇબ્રેરીમાં કાવ્યગ્રંથોનો ખજાનો મળ્યો. વળી મિત્રોે મળી ગયા, ગ્રેટ. પ્રથમ મળ્યા શ્રી અબ્દુલકરીમ શેખ, એક જ વર્ગમાં. સેન્સિટિવ, સુંદર માણસ. સરસ છંદોબદ્ધ કવિતા લખે. મનુષ્યના આંતરબાહ્યનાં સૂક્ષ્મ વર્ણનો કરતી વાર્તાઓ લખે. ઉત્તમ બધું વાંચે. સાથે ‘નોટ્સ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ’ ને એવું ઘણુંબધું વાંચ્યાનું સ્મરણ છે. બીજા મળ્યા શ્રી રાધેશ્યામ શર્મા. એ વખતે પણ સિદ્ધ લેખક જેવા. વર્ગમાં પણ માથું ઝુકાવી કંઈ ને કંઈ સડસડાટ વાંચ્યા કરતા હોય. અને પુસ્તકમાં અધોરેખાઓ આંકતા હોય. ઉપરાઉપરી વાર્તાઓ લખીને લાવે. પ્રેમથી છલકતું વ્યક્તિત્વ. નાનામાં નાના ખૂણાખાંચરાના માણસોને નજીક જઈને ચાહી શકે, પામી શકે એવી અજીબ સરલતા; અને છતાં કળાકારમાં હોય તેવી આંતરિક સંકુલતાઓથી સભર, રાધેશ્યામ. ત્રીજા મિત્ર મળ્યા તે મૂતિર્મંત ભાવોદ્રેક : શ્રી રતિલાલ દવે. છંદોબદ્ધ સુંદર, ભાવમય કાવ્યોથી છલકતી કાવ્યપોથીઓ. એક કાવ્ય તો ‘કુમાર’માં છપાઈ પણ ગયેલું. બધા નિતાંત ‘લિટરરી’ રસવાળા. સોબતનાં વર્ષો, કાવ્યોગોષ્ઠિની મસ્તીનાં સઘન વર્ષો હતાં. | ગામના ગ્રંથાલયમાં એકમાત્ર કાવ્યગ્રંથ, ‘કલાપીનો કેકારવ,’ જાણે મારા માટે જ. બાકી ‘સાહિત્યપલ્લવ’ના શાળામાં ચાલતા ખંડો. નવમા ધોરણમાં અમદાવાદ આવ્યો. શ્રી ભારતી વિદ્યાલય(ખાડિયા)માં અઢળક સામયિકો આવે. ‘કુમાર’ અને ‘સંસ્કૃતિ’, સાદ્યંત વંચાઈ જાય. નવમા ધોરણમાં હતો ત્યારે મારું એક કાવ્ય ‘રમકડું’માં પ્રગટ થયેલું તેના પુરસ્કારના ત્રણેક રૂપિયા આવેલા તેમાંથી, ફરી બાઇન્ડ કરેલું, વિદ્યાર્થીનું નામ — નોંધ — લીટીવાળું એક પુસ્તક ખરીદ્યું, ‘નિશીથ’. તે ખાસ રોમાંચક ઘટના, પ્રથમ પુરસ્કારમાંથી કરેલી ખરીદી. વાપરવા મળતા પૈસામાંથી એ વખતે દર શુક્રવારે લાલદરવાજાના મયદાનમાં ભરાતી ગુજરીમાંથી ‘કુમાર’, ‘સંસ્કૃતિ’, ‘કૌમુદી’ એવાં-એવાં સામયિકો નિયમિત ખરીદતો. ‘કુમાર’ની તો એક વડીલ પાસેથી, વ્યવસ્થિત બાંધેલી, જૂની ફાઇલ્સ વાંચવા મળી ગઈ. દશમા કે અગિયાર ધોરણમાં હતો ત્યારે બચુભાઈએ ‘કવિતા’ના અનિયતકાલિક મણકા શરૂ કરેલા તે કાર્યાલયમાં જઈ છૂટક ખરીદતો. કાવ્યો તો રોજ લખાતાં પણ ‘બુધસભા’માં જવાની હિંમત ન હતી. પાંચ કૂવા પાસેની એક લાઇબ્રેરી, મણિનગરમાં રામકૃષ્ણ આશ્રમની લાઇબ્રેરી અને એમ. જે. લાઇબ્રેરીમાંથી કાવ્યસંગ્રહો વંચાતા રહે. અક્ષરમેળ અને માત્રામેળ છંદો ગુરુ વિના ઉકેલવાના પરિતાપમાં કલાકો સુધી પિંગળનાં પુસ્તકો જે કંઈ પ્રાપ્ય તેમાં ગોથાં માર્યા કરું. કોલેજમાં પ્રવેશ્યા પછી ‘ગુજરાત કોલેજ’ની લાઇબ્રેરીમાં કાવ્યગ્રંથોનો ખજાનો મળ્યો. વળી મિત્રોે મળી ગયા, ગ્રેટ. પ્રથમ મળ્યા શ્રી અબ્દુલકરીમ શેખ, એક જ વર્ગમાં. સેન્સિટિવ, સુંદર માણસ. સરસ છંદોબદ્ધ કવિતા લખે. મનુષ્યના આંતરબાહ્યનાં સૂક્ષ્મ વર્ણનો કરતી વાર્તાઓ લખે. ઉત્તમ બધું વાંચે. સાથે ‘નોટ્સ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ’ ને એવું ઘણુંબધું વાંચ્યાનું સ્મરણ છે. બીજા મળ્યા શ્રી રાધેશ્યામ શર્મા. એ વખતે પણ સિદ્ધ લેખક જેવા. વર્ગમાં પણ માથું ઝુકાવી કંઈ ને કંઈ સડસડાટ વાંચ્યા કરતા હોય. અને પુસ્તકમાં અધોરેખાઓ આંકતા હોય. ઉપરાઉપરી વાર્તાઓ લખીને લાવે. પ્રેમથી છલકતું વ્યક્તિત્વ. નાનામાં નાના ખૂણાખાંચરાના માણસોને નજીક જઈને ચાહી શકે, પામી શકે એવી અજીબ સરલતા; અને છતાં કળાકારમાં હોય તેવી આંતરિક સંકુલતાઓથી સભર, રાધેશ્યામ. ત્રીજા મિત્ર મળ્યા તે મૂતિર્મંત ભાવોદ્રેક : શ્રી રતિલાલ દવે. છંદોબદ્ધ સુંદર, ભાવમય કાવ્યોથી છલકતી કાવ્યપોથીઓ. એક કાવ્ય તો ‘કુમાર’માં છપાઈ પણ ગયેલું. બધા નિતાંત ‘લિટરરી’ રસવાળા. સોબતનાં વર્ષો, કાવ્યોગોષ્ઠિની મસ્તીનાં સઘન વર્ષો હતાં. | ||
| Line 43: | Line 43: | ||
શબ્દને, લયને, અર્થને તલ્લીનતાથી પામ્યો છું શૈશવમાં, કિશોરાવસ્થામાં, યુવાવસ્થામાં જેમ, તેમ ક્રમશ: તિરાડો પણ એમાં સમાન્તર પડતી રહી છે. એકડિયા-બગડિયામાં સાથે ભણતાં હરિજનોનાં એકલ-દોકલ બાળકોને ગાભા જેવા પાથરણા પર અલગ, ખૂણામાં તિરસ્કૃત દશામાં માંડ બે ચોપડી ભણતાં જોયાં છે. પાણી પાનારી કોળી બાઈ પણ બધા છોકરા પાણી પી લે પછી હરિજનનાં બાળકોને ધિક્કારી-ધિક્કારી હડધૂત કરી ખૂબ આઘે — ઊંચેથી પાણી રેડે. મેલું ઉપાડતા હરિજનોને હડધૂત કરતા ઘરના — બહારના વડીલોને, બ્રાહ્મણ-વાણિયા-પટેલોને, રોષથી જોતો થયો છું. એમની નાની-મોટી ક્રૂરતાઓ જોઈ, વર્ષોથી આ ભદ્ર ગણાતા લોકોને ‘શ્રદ્ધેય’ ગણવાનું છોડી દીધું છે. હરિજનના બાળકને અડવાનું ‘પાપ’ કરતો, જનોઈ શરીર પરથી ઉતારીને ખૂણામાં ઘા કરી જોયા કરતો મારું શું ‘અનિષ્ટ’ થાય છે તે. વર્ષોથી જનોઈ કાયમ માટે ફગાવી દીધી છે. એક વાર વગડામાં, એક હનુમાનજીના મંદિરમાં મૂતિર્ને મૂત્રધારાથી પરિપ્લાવિત કરવાનું ‘પાપ’ પણ કરેલું છે. આવી નાની-નાની પાપ-પરંપરાઓ સતત ચાલતી રહી છે. વાંકદર્શનને કારણે જે કંઈ આત્મસાત્ થતું હતું ત્વરાથી, તલ્લીનતાથી તે ધીમે ધીમે મંદ ગતિએ કતરાતું, ખવાતું, ક્ષીણ થતું રહ્યું છે. કિશોરાવસ્થામાં ગાંધીપરસ્ત, ખાદીનાં કપડાં પહેરતો. રેશનિંગમાં અનાજ સંતાડતાં માતાપિતાને, ઇન્સ્પેક્ટર આવશે ત્યારે ‘કહી દઈશ’ એવી ધમકી આપતો. સત્યનારાયણનો પ્રસાદ અસત્યનારાયણોની વચ્ચે ઊછરતાં ઊછરતાં ખાધો છે. ગાંધીજીની હત્યા વખતે હચમચી ગયેલો. આખો દિવસ જમેલો નહીં. ગાંધીજીને મેં ચાહ્યા છે કુમળી, તરવરતી વયે અને છતાં પંક્તિ આવે છે તો કેવી આવે છે! – | શબ્દને, લયને, અર્થને તલ્લીનતાથી પામ્યો છું શૈશવમાં, કિશોરાવસ્થામાં, યુવાવસ્થામાં જેમ, તેમ ક્રમશ: તિરાડો પણ એમાં સમાન્તર પડતી રહી છે. એકડિયા-બગડિયામાં સાથે ભણતાં હરિજનોનાં એકલ-દોકલ બાળકોને ગાભા જેવા પાથરણા પર અલગ, ખૂણામાં તિરસ્કૃત દશામાં માંડ બે ચોપડી ભણતાં જોયાં છે. પાણી પાનારી કોળી બાઈ પણ બધા છોકરા પાણી પી લે પછી હરિજનનાં બાળકોને ધિક્કારી-ધિક્કારી હડધૂત કરી ખૂબ આઘે — ઊંચેથી પાણી રેડે. મેલું ઉપાડતા હરિજનોને હડધૂત કરતા ઘરના — બહારના વડીલોને, બ્રાહ્મણ-વાણિયા-પટેલોને, રોષથી જોતો થયો છું. એમની નાની-મોટી ક્રૂરતાઓ જોઈ, વર્ષોથી આ ભદ્ર ગણાતા લોકોને ‘શ્રદ્ધેય’ ગણવાનું છોડી દીધું છે. હરિજનના બાળકને અડવાનું ‘પાપ’ કરતો, જનોઈ શરીર પરથી ઉતારીને ખૂણામાં ઘા કરી જોયા કરતો મારું શું ‘અનિષ્ટ’ થાય છે તે. વર્ષોથી જનોઈ કાયમ માટે ફગાવી દીધી છે. એક વાર વગડામાં, એક હનુમાનજીના મંદિરમાં મૂતિર્ને મૂત્રધારાથી પરિપ્લાવિત કરવાનું ‘પાપ’ પણ કરેલું છે. આવી નાની-નાની પાપ-પરંપરાઓ સતત ચાલતી રહી છે. વાંકદર્શનને કારણે જે કંઈ આત્મસાત્ થતું હતું ત્વરાથી, તલ્લીનતાથી તે ધીમે ધીમે મંદ ગતિએ કતરાતું, ખવાતું, ક્ષીણ થતું રહ્યું છે. કિશોરાવસ્થામાં ગાંધીપરસ્ત, ખાદીનાં કપડાં પહેરતો. રેશનિંગમાં અનાજ સંતાડતાં માતાપિતાને, ઇન્સ્પેક્ટર આવશે ત્યારે ‘કહી દઈશ’ એવી ધમકી આપતો. સત્યનારાયણનો પ્રસાદ અસત્યનારાયણોની વચ્ચે ઊછરતાં ઊછરતાં ખાધો છે. ગાંધીજીની હત્યા વખતે હચમચી ગયેલો. આખો દિવસ જમેલો નહીં. ગાંધીજીને મેં ચાહ્યા છે કુમળી, તરવરતી વયે અને છતાં પંક્તિ આવે છે તો કેવી આવે છે! – | ||
{{Block center|<poem>હિટલરને હું ધિક્કારી શકતો નથી | {{Poem2Close}}{{Block center|'''<poem>હિટલરને હું ધિક્કારી શકતો નથી | ||
અને ગાંધીને હું ચાહી શકતો નથી.</poem>}} | અને ગાંધીને હું ચાહી શકતો નથી.</poem>'''}}{{Poem2Open}} | ||
રખડતા ગાંડાઓને પજવતાં બાળકો તો ઠીક પણ મોટેરાંઓને જોઈને તમતમી ગયો છું. બાળકોને રિબાતાં-ઢિબાતાં-ઢોર માર ખાતાં જોયાં છે. મેં માર નથી ખાધો; પણ માર તો મને જ પડ્યો છે. તનતોડ મજૂરી કરતા અધભૂખ્યા લોકોને જોયા છે અને રાજાઓના-ધરમવીરોના-નેતાઓના વૈભવી વરઘોડાઓ, શોભાયાત્રાઓ જોઈને ક્ષુબ્ધ થયો છું. આ એક સતત લાંબી પ્રક્રિયા ચાલી છે. બ્રાહ્મણ-વાણિયા એટલે બધા ભદ્ર લોકો; એમનાં ધરમ, કરમ એમના ધર્મગ્રંથો, તત્ત્વગ્રંથો બધું ધીમેધીમે ઊથલી પડ્યું છે, ચિત્તકોષોમાંથી. આવી મનોદશામાં ચેખવને ચાહતો થયો. દોસ્તોયેવ્સ્કી માટે પરમ આદર થયો. ફ્રોઇડનું કંઈક ઊલટથી વંચાયું. (એય જોકે ઊથલી પડ્યું છે આજે મનોવિજ્ઞાનના નામનું બધું.) રોષની જગ્યાએ બિનંગતપણું આવતું ગયું. સદ્-અસદ્, પાપ-પુણ્ય, ગુડ-ઇવિલની સમજણ, ભેદબુદ્ધિ ઘસાતી, ઓગળતી, અભિન્ન બનતી ચાલી. શાયલોક પણ વિલન મટી જાય એવો આલેખ ‘મરચન્ટ ઓફ વેનિસ’માં જ મળી રહે છે. દુરિત પણ પરિણામરૂપ છે. ગાંધી-હિટલર પરિણામો છે. કારણોની સંકુલ જટાજાલના પરિણામરૂપ માણસનું વ્યક્તિત્વ છે. માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તત્ત્વશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર બધાં, માણસોને ઘડનારાં પરિબળોને પામતાં-પામતાં, હાંફી ગયાં છે. માણસ હાંફી રહ્યો છે પોતાની મૂળની શોધમાં. બાયોલોજીની ખણખોદ ચાલુ છે ફર્સ્ટ લિવિંગ ઓર્ગેનિઝમનું મૂળિયું તપાસતી. When અને How-ની ધારણાઓ કંઈક આપી શકાઈ છે. Why-ના જવાબમાં શૂન્ય. એકકોષી પ્રથમ જીવથી માંડીને આજના મલ્ટિસેલ્યુલર મૅન સુધીના આ બાપડા જીવોનું પોતાનું કર્તૃત્વ કેટલું? Free will, Free choice-ની વાત બધી તળેઉપર થઈ ગઈ છે. માણસ પણ ગુણધર્મોવાળાં તત્ત્વોનો, સજીવ તો સજીવ, સમુચ્ચય છે. એ તત્ત્વો અને એના ગુણધર્મો સંધાં હજુ કંઈ ઊકલ્યાં નથી. આવી સ્થિતિમાં ભાવનાની, આદર્શની વાત પરમ કરુણ કે પરમ હાસ્યાસ્પદ લાગે છે. ઉત્ક્રાંતિક્રમ (જો એમાં સત્ય હોય તો)માં મળેલા વિશેષ ભાનને લીધે માણસનું આયુષ્ય વધ્યું છે; પણ એ સભાનતા એને પોતાના મૂલ પ્રયોજનનો અર્થ શોધવા પ્રેરે છે. માણસની વંધ્ય સભાનતા રહસ્યમયતા, ગૂઢતા પાસે હિજરાઈ રહી છે કે હસી રહી છે. આત્મસાત્ કરતાં-કરતાં રચાયા હતા તે સ્તંભો કડડભૂસ તૂટી રહ્યા છે આંતરિક શબ્દચેતનામાં, લયચેતનામાં. નિરાધાર છે બધું અંદર. ગબડે છે, ખખડે છે, તૂટે છે, ચિરાય છે, અથડાય છે, પછડાય છે. આડુંઅવળું ઇધરતીધર ચિત્રવિચિત્ર સંકુલ, તેમાં ગીત-ગઝલનું સિમ્પલ ગાણું ગાઈ શકાય તેમ રહ્યું નથી, સળંગ. એના પરંપરિત ચરસી લયનાં આવર્તનોમાં ચેતના એકધારી લીનતલ્લીન બની શકે એવા ગંજેરી હાલ ઇન્ટિગ્રેટેડ, રહ્યા નથી. ટ્રાંક્વિલાઇઝરની ટીકડી જેવા ગીતગઝલના એકધારા લય-આવર્તનોની થૅરપીની જરૂર નથી, છટ્. | રખડતા ગાંડાઓને પજવતાં બાળકો તો ઠીક પણ મોટેરાંઓને જોઈને તમતમી ગયો છું. બાળકોને રિબાતાં-ઢિબાતાં-ઢોર માર ખાતાં જોયાં છે. મેં માર નથી ખાધો; પણ માર તો મને જ પડ્યો છે. તનતોડ મજૂરી કરતા અધભૂખ્યા લોકોને જોયા છે અને રાજાઓના-ધરમવીરોના-નેતાઓના વૈભવી વરઘોડાઓ, શોભાયાત્રાઓ જોઈને ક્ષુબ્ધ થયો છું. આ એક સતત લાંબી પ્રક્રિયા ચાલી છે. બ્રાહ્મણ-વાણિયા એટલે બધા ભદ્ર લોકો; એમનાં ધરમ, કરમ એમના ધર્મગ્રંથો, તત્ત્વગ્રંથો બધું ધીમેધીમે ઊથલી પડ્યું છે, ચિત્તકોષોમાંથી. આવી મનોદશામાં ચેખવને ચાહતો થયો. દોસ્તોયેવ્સ્કી માટે પરમ આદર થયો. ફ્રોઇડનું કંઈક ઊલટથી વંચાયું. (એય જોકે ઊથલી પડ્યું છે આજે મનોવિજ્ઞાનના નામનું બધું.) રોષની જગ્યાએ બિનંગતપણું આવતું ગયું. સદ્-અસદ્, પાપ-પુણ્ય, ગુડ-ઇવિલની સમજણ, ભેદબુદ્ધિ ઘસાતી, ઓગળતી, અભિન્ન બનતી ચાલી. શાયલોક પણ વિલન મટી જાય એવો આલેખ ‘મરચન્ટ ઓફ વેનિસ’માં જ મળી રહે છે. દુરિત પણ પરિણામરૂપ છે. ગાંધી-હિટલર પરિણામો છે. કારણોની સંકુલ જટાજાલના પરિણામરૂપ માણસનું વ્યક્તિત્વ છે. માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તત્ત્વશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર બધાં, માણસોને ઘડનારાં પરિબળોને પામતાં-પામતાં, હાંફી ગયાં છે. માણસ હાંફી રહ્યો છે પોતાની મૂળની શોધમાં. બાયોલોજીની ખણખોદ ચાલુ છે ફર્સ્ટ લિવિંગ ઓર્ગેનિઝમનું મૂળિયું તપાસતી. When અને How-ની ધારણાઓ કંઈક આપી શકાઈ છે. Why-ના જવાબમાં શૂન્ય. એકકોષી પ્રથમ જીવથી માંડીને આજના મલ્ટિસેલ્યુલર મૅન સુધીના આ બાપડા જીવોનું પોતાનું કર્તૃત્વ કેટલું? Free will, Free choice-ની વાત બધી તળેઉપર થઈ ગઈ છે. માણસ પણ ગુણધર્મોવાળાં તત્ત્વોનો, સજીવ તો સજીવ, સમુચ્ચય છે. એ તત્ત્વો અને એના ગુણધર્મો સંધાં હજુ કંઈ ઊકલ્યાં નથી. આવી સ્થિતિમાં ભાવનાની, આદર્શની વાત પરમ કરુણ કે પરમ હાસ્યાસ્પદ લાગે છે. ઉત્ક્રાંતિક્રમ (જો એમાં સત્ય હોય તો)માં મળેલા વિશેષ ભાનને લીધે માણસનું આયુષ્ય વધ્યું છે; પણ એ સભાનતા એને પોતાના મૂલ પ્રયોજનનો અર્થ શોધવા પ્રેરે છે. માણસની વંધ્ય સભાનતા રહસ્યમયતા, ગૂઢતા પાસે હિજરાઈ રહી છે કે હસી રહી છે. આત્મસાત્ કરતાં-કરતાં રચાયા હતા તે સ્તંભો કડડભૂસ તૂટી રહ્યા છે આંતરિક શબ્દચેતનામાં, લયચેતનામાં. નિરાધાર છે બધું અંદર. ગબડે છે, ખખડે છે, તૂટે છે, ચિરાય છે, અથડાય છે, પછડાય છે. આડુંઅવળું ઇધરતીધર ચિત્રવિચિત્ર સંકુલ, તેમાં ગીત-ગઝલનું સિમ્પલ ગાણું ગાઈ શકાય તેમ રહ્યું નથી, સળંગ. એના પરંપરિત ચરસી લયનાં આવર્તનોમાં ચેતના એકધારી લીનતલ્લીન બની શકે એવા ગંજેરી હાલ ઇન્ટિગ્રેટેડ, રહ્યા નથી. ટ્રાંક્વિલાઇઝરની ટીકડી જેવા ગીતગઝલના એકધારા લય-આવર્તનોની થૅરપીની જરૂર નથી, છટ્. | ||