સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિવેચના: Difference between revisions

Jump to navigation Jump to search
inverted comas corrected
(inverted comas corrected)
(inverted comas corrected)
 
Line 11: Line 11:
સંસ્કૃત કાવ્યાચાર્યોથી માંડીને આપણા આધુનિક ગુજરાતી વિવેચકો સુધી સૌ કોઈએ એક પાયાની વાત આટલી તો સ્વીકારી છે કે સિદ્ધાન્તપરિચય નહિ પણ સર્જનાત્મક કૃતિઓનો પ્રત્યક્ષ સમ્પર્ક જ આપણને વાચકમાંથી સહૃદય કે ભાવક બનાવે છે અને આ ભાવક પછી સંશ્લેષણ, વિશ્લેષણ કરતો કરતો વિવેચકના પદને પામે છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સિદ્ધાન્તચર્ચા અને કૃતિપરિચય ઉપરાન્ત એક ભૂમિકાને મહત્ત્વ આપે છે અને તે આપણા માટે મહત્ત્વની છે, ‘સિદ્ધાંતોનું ચિન્તન, જીવનમાં લાગણીઓનો સમૃદ્ધ અનુભવ અને સાહિત્ય દ્વારા કલા દ્વારા રસાનુભવ વાચકને વેદનપટુ કરે તથા તેનું રુચિતંત્ર શુદ્ધ કરે.' (વિવેચના, ૮) આમ સાહિત્યતત્ત્વને પામવા માટે જીવનની સમૃદ્ધ અનુભૂતિઓને મહત્ત્વપૂર્ણ લેખી એ વાત વિસારે પાડવા જેવી નથી. આ પ્રસ્તાવનામાં રસાસ્વાદના પ્રશ્નોમાં ઊભી થતી મુશ્કેલીઓની વાત નોંધી છે, ‘વસંતવિલાસ' કે ‘ગીતગોવિંદ’ વાંચતાં મઝા તો પડે છે, પણ એ મઝા લેવી વાજબી છે? એ મઝા પરિણામે અહિતકર નથી? અને અહિતકર પરિણામનું પાકું ભાન હોય તો પેલી મઝામાં ઝેર ભળતું નથી?' નીતિમત્તાની આ ભાવના ચિન્ત્ય ગણાય. જોકે તેમની સમગ્ર વિવેચનામાંથી પસાર થનારને એવા કોઈ તેમના અભિગ્રહો જોવા મળતા નથી. સૌન્દર્યમીમાંસા અને નીતિમીમાંસાનો સમન્વય તેઓ જરા જુદી રીતે કરવા મથે છે. ‘સૌન્દર્યના પરિચયથી લાગણીઓ સૂક્ષ્મ થાય છે અને નીતિદૃષ્ટિ પ્રાણવાન રહે છે. તેથી વિશાલ પટ પર - વિશાલ પટ એટલા માટે કે જીવનની સમગ્રતાએ સમીક્ષા માટે તેમાં અવકાશ છે – જીવન આલેખતી પ્રાચીન અર્વાચીન સૌ પ્રતિષ્ઠિત કૃતિઓના પરિશીલનથી સૌન્દર્યપરિચય સાધવો.’
સંસ્કૃત કાવ્યાચાર્યોથી માંડીને આપણા આધુનિક ગુજરાતી વિવેચકો સુધી સૌ કોઈએ એક પાયાની વાત આટલી તો સ્વીકારી છે કે સિદ્ધાન્તપરિચય નહિ પણ સર્જનાત્મક કૃતિઓનો પ્રત્યક્ષ સમ્પર્ક જ આપણને વાચકમાંથી સહૃદય કે ભાવક બનાવે છે અને આ ભાવક પછી સંશ્લેષણ, વિશ્લેષણ કરતો કરતો વિવેચકના પદને પામે છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સિદ્ધાન્તચર્ચા અને કૃતિપરિચય ઉપરાન્ત એક ભૂમિકાને મહત્ત્વ આપે છે અને તે આપણા માટે મહત્ત્વની છે, ‘સિદ્ધાંતોનું ચિન્તન, જીવનમાં લાગણીઓનો સમૃદ્ધ અનુભવ અને સાહિત્ય દ્વારા કલા દ્વારા રસાનુભવ વાચકને વેદનપટુ કરે તથા તેનું રુચિતંત્ર શુદ્ધ કરે.' (વિવેચના, ૮) આમ સાહિત્યતત્ત્વને પામવા માટે જીવનની સમૃદ્ધ અનુભૂતિઓને મહત્ત્વપૂર્ણ લેખી એ વાત વિસારે પાડવા જેવી નથી. આ પ્રસ્તાવનામાં રસાસ્વાદના પ્રશ્નોમાં ઊભી થતી મુશ્કેલીઓની વાત નોંધી છે, ‘વસંતવિલાસ' કે ‘ગીતગોવિંદ’ વાંચતાં મઝા તો પડે છે, પણ એ મઝા લેવી વાજબી છે? એ મઝા પરિણામે અહિતકર નથી? અને અહિતકર પરિણામનું પાકું ભાન હોય તો પેલી મઝામાં ઝેર ભળતું નથી?' નીતિમત્તાની આ ભાવના ચિન્ત્ય ગણાય. જોકે તેમની સમગ્ર વિવેચનામાંથી પસાર થનારને એવા કોઈ તેમના અભિગ્રહો જોવા મળતા નથી. સૌન્દર્યમીમાંસા અને નીતિમીમાંસાનો સમન્વય તેઓ જરા જુદી રીતે કરવા મથે છે. ‘સૌન્દર્યના પરિચયથી લાગણીઓ સૂક્ષ્મ થાય છે અને નીતિદૃષ્ટિ પ્રાણવાન રહે છે. તેથી વિશાલ પટ પર - વિશાલ પટ એટલા માટે કે જીવનની સમગ્રતાએ સમીક્ષા માટે તેમાં અવકાશ છે – જીવન આલેખતી પ્રાચીન અર્વાચીન સૌ પ્રતિષ્ઠિત કૃતિઓના પરિશીલનથી સૌન્દર્યપરિચય સાધવો.’
કોઈની પણ વિવેચનપ્રવૃત્તિ તપાસતી વખતે એના માનસપટ પર સૌથી વધુ પ્રભાવક પરિબળો કયાં હતાં તે જો જાણીએ તો આપણને આગળ જવાની દિશા સાંપડે છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના વ્યક્તિત્વને ઘડનારાં અંગત પરિબળોને આપણે બાજુ પર મૂકીએ. એમની સામે પંડિતયુગ છે અને એમાંથી બેનાં વ્યક્તિત્વે તેમને સૌથી વધારે પ્રભાવિત કર્યા છે, એ બે મનીષીઓ છે ગોવર્ધનરામ ત્રિપાઠી અને આનંદશંકર ધ્રુવ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિવેચનાની સમીક્ષા કરતી વખતે ઉમાશંકર જોશી ‘વિવેચનની સાધના' નામના લેખમાં ('કવિની સાધના') આનંદશંકર ધ્રુવના ‘જે દેવ સ્થાપ્યા તે સ્થાપ્યા' મંત્રને યાદ કરે છે અને વિ. ૨. ત્રિવેદીએ એ મંત્રને ચરિતાર્થ કરી બતાવ્યો છે એનો આનંદ વ્યક્ત કરે છે. દરેક વિચારક પાયાનાં કેટલાંક ગૃહીતો ધરાવતો હોય છે અને ગમે તે નિમિત્તે લખાયેલા નિબન્ધોમાં કોઈ ને કોઈ રૂપે તે ડોકાતાં રહે છે એ પણ સાચું છતાં તે વિચારક છે, તત્ત્વજ્ઞ છે એટલે જીવનને કે જીવનની કોઈ પણ ઘટનાને એકાંગી દૃષ્ટિથી તપાસતો નથી. પોતાનાં ગૃહીતોને સામે છેડે જઈને તેમને નિર્મમતાથી તાવી જુએ છે, દરેક ઘટનાને તપાસવા માટે પોતાનાં ઓજારો હંમેશાં સજ્જ રાખે છે, પોતાનાં ગૃહીતોના સમર્થન માટે નવી નવી સામગ્રી અને જૂની સામગ્રીઓના નવા સન્દર્ભ શોધતો રહે છે, પરન્તુ રુચિની ઉદારતા અને દૃષ્ટિની વ્યાપકતા વિના આ શક્ય નથી.
કોઈની પણ વિવેચનપ્રવૃત્તિ તપાસતી વખતે એના માનસપટ પર સૌથી વધુ પ્રભાવક પરિબળો કયાં હતાં તે જો જાણીએ તો આપણને આગળ જવાની દિશા સાંપડે છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના વ્યક્તિત્વને ઘડનારાં અંગત પરિબળોને આપણે બાજુ પર મૂકીએ. એમની સામે પંડિતયુગ છે અને એમાંથી બેનાં વ્યક્તિત્વે તેમને સૌથી વધારે પ્રભાવિત કર્યા છે, એ બે મનીષીઓ છે ગોવર્ધનરામ ત્રિપાઠી અને આનંદશંકર ધ્રુવ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિવેચનાની સમીક્ષા કરતી વખતે ઉમાશંકર જોશી ‘વિવેચનની સાધના' નામના લેખમાં ('કવિની સાધના') આનંદશંકર ધ્રુવના ‘જે દેવ સ્થાપ્યા તે સ્થાપ્યા' મંત્રને યાદ કરે છે અને વિ. ૨. ત્રિવેદીએ એ મંત્રને ચરિતાર્થ કરી બતાવ્યો છે એનો આનંદ વ્યક્ત કરે છે. દરેક વિચારક પાયાનાં કેટલાંક ગૃહીતો ધરાવતો હોય છે અને ગમે તે નિમિત્તે લખાયેલા નિબન્ધોમાં કોઈ ને કોઈ રૂપે તે ડોકાતાં રહે છે એ પણ સાચું છતાં તે વિચારક છે, તત્ત્વજ્ઞ છે એટલે જીવનને કે જીવનની કોઈ પણ ઘટનાને એકાંગી દૃષ્ટિથી તપાસતો નથી. પોતાનાં ગૃહીતોને સામે છેડે જઈને તેમને નિર્મમતાથી તાવી જુએ છે, દરેક ઘટનાને તપાસવા માટે પોતાનાં ઓજારો હંમેશાં સજ્જ રાખે છે, પોતાનાં ગૃહીતોના સમર્થન માટે નવી નવી સામગ્રી અને જૂની સામગ્રીઓના નવા સન્દર્ભ શોધતો રહે છે, પરન્તુ રુચિની ઉદારતા અને દૃષ્ટિની વ્યાપકતા વિના આ શક્ય નથી.
'અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'ના ઉપોદ્ઘાતમાં ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે જે ચર્ચા છે તે ગોવર્ધનરામની અને સાથે સાથે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિશિષ્ટતાઓ ચીંધી બતાવે છે; ગોવર્ધનરામ ગુજરાતી સાહિત્યમાં કઈ રીતે અસામાન્ય સ્થાન ધરાવે છે તેની વાત કરતાં કરતાં વિવેચક ગાંધીજીને યાદ કરે છે, ‘ગાંધીજી પહેલાં કોઈ ગુજરાતી વ્યક્તિએ ગુજરાતી સમાજને પર્યેષણલસિત સાહિત્યસૌન્દર્ય દ્વારા સંસ્કારવામાં અનન્યસાધારણ અર્પણ કર્યું હોય તો તે મહર્ષિ ગોવર્ધનરામે.'
‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'ના ઉપોદ્ઘાતમાં ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે જે ચર્ચા છે તે ગોવર્ધનરામની અને સાથે સાથે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિશિષ્ટતાઓ ચીંધી બતાવે છે; ગોવર્ધનરામ ગુજરાતી સાહિત્યમાં કઈ રીતે અસામાન્ય સ્થાન ધરાવે છે તેની વાત કરતાં કરતાં વિવેચક ગાંધીજીને યાદ કરે છે, ‘ગાંધીજી પહેલાં કોઈ ગુજરાતી વ્યક્તિએ ગુજરાતી સમાજને પર્યેષણલસિત સાહિત્યસૌન્દર્ય દ્વારા સંસ્કારવામાં અનન્યસાધારણ અર્પણ કર્યું હોય તો તે મહર્ષિ ગોવર્ધનરામે.'
‘વર્તમાનની ત્રુટિઓ, ભૂતકાળની ભવ્યતા, ભવિષ્યની ઉજ્જવલ આશા; આપણા જીવનનાં પરસ્પર સંઘર્ષક બળો; તેના નીતિ અને સંસ્કારિતાની માત્રાની વિવિધતાથી પડતા અનેક સ્તરો; ક્લેશ અન્યાય પાપ અને જડતા વચ્ચે ટકી રહેવું, પ્રીતિ સમભાવ મર્મગામી કલ્પના અને સર્વસ્પર્શી વિદ્વત્તા જ જોઈ શકે એવું સૌન્દર્ય દાખવવામાં ગોવર્ધનરામના જેટલી સમગ્રતા કે તલસ્પર્શિતા કોઈ સાહિત્યકારે બતાવ્યાં નથી.' (અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય, ઉપોદ્ઘાત)
‘વર્તમાનની ત્રુટિઓ, ભૂતકાળની ભવ્યતા, ભવિષ્યની ઉજ્જવલ આશા; આપણા જીવનનાં પરસ્પર સંઘર્ષક બળો; તેના નીતિ અને સંસ્કારિતાની માત્રાની વિવિધતાથી પડતા અનેક સ્તરો; ક્લેશ અન્યાય પાપ અને જડતા વચ્ચે ટકી રહેવું, પ્રીતિ સમભાવ મર્મગામી કલ્પના અને સર્વસ્પર્શી વિદ્વત્તા જ જોઈ શકે એવું સૌન્દર્ય દાખવવામાં ગોવર્ધનરામના જેટલી સમગ્રતા કે તલસ્પર્શિતા કોઈ સાહિત્યકારે બતાવ્યાં નથી.' (અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય, ઉપોદ્ઘાત)
ગોવર્ધનરામ ત્રિપાઠીનો પ્રભાવ વિ.ત્રિવેદી પર એવો પડયો કે તેમની ભાષા પણ રૂપકપ્રધાન બની ગઈ : ‘સરસ્વતીચંદ્ર' પૂર્વપશ્ચિમના મિલનનું, પ્રબોધકાળના મિલનનું, પ્રબોધકાળની સન્ધ્યાનું ‘મહાકાવ્ય' છે. તેની મહાનાયિકા હિન્દી સંસ્કૃતિ છે અને નાયક છે પંડિતબુદ્ધિ પર્યેપક યુગસત્ત્વ.’(ઉપાયન, પૃ.૧૪૮)
ગોવર્ધનરામ ત્રિપાઠીનો પ્રભાવ વિ.ત્રિવેદી પર એવો પડયો કે તેમની ભાષા પણ રૂપકપ્રધાન બની ગઈ : ‘સરસ્વતીચંદ્ર' પૂર્વપશ્ચિમના મિલનનું, પ્રબોધકાળના મિલનનું, પ્રબોધકાળની સન્ધ્યાનું ‘મહાકાવ્ય' છે. તેની મહાનાયિકા હિન્દી સંસ્કૃતિ છે અને નાયક છે પંડિતબુદ્ધિ પર્યેપક યુગસત્ત્વ.’(ઉપાયન, પૃ.૧૪૮)
'સરસ્વતીચંદ્ર' નવલકથાની રચનારીતિની વાત પ્રમાણમાં અહીં બહુ ઓછી છે,
‘સરસ્વતીચંદ્ર' નવલકથાની રચનારીતિની વાત પ્રમાણમાં અહીં બહુ ઓછી છે,
ઉમાશંકર જોશીનો આ નવલકથા વિશેનો લેખ જોઈએ ત્યારે આપણને પ્રતીતિ થાય કે પ્રશંસા કરવા માટેની પણ કશીક રીતિ હોય છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી આ મહાન નવલકથાની પાછળ રહેલી જીવનદૃષ્ટિની ખાસ્સી મીમાંસા કરે છે. ‘સરસ્વતીચંદ્ર'ની પ્રશંસા બીજી કેટલીક કળાઓનાં દૃષ્ટાન્તો લઈને કરવામાં આવી છે :
ઉમાશંકર જોશીનો આ નવલકથા વિશેનો લેખ જોઈએ ત્યારે આપણને પ્રતીતિ થાય કે પ્રશંસા કરવા માટેની પણ કશીક રીતિ હોય છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી આ મહાન નવલકથાની પાછળ રહેલી જીવનદૃષ્ટિની ખાસ્સી મીમાંસા કરે છે. ‘સરસ્વતીચંદ્ર'ની પ્રશંસા બીજી કેટલીક કળાઓનાં દૃષ્ટાન્તો લઈને કરવામાં આવી છે :
‘ગોવર્ધનરામે લીટી નથી દોરી, ‘ડિઝાઈન' કાઢ્યું છે; તેણે પૂતળું ઘડ્યું નથી, પણ મહાન મંદિર બાંધ્યું છે. ઊંચાં પહોળાં પગથિયાં, આરસનું જડતર, પ્રવેશના ત્રણ દરવાજા અને તત્ત્વચિંતનના ઘુંમટ નીચે વિલસતી સરસ્વતીચંદ્રની મૂર્તિ, કુસુમની આરતી, કુમુદની ભક્તિ, ‘સરસ્વતીચંદ્ર' એક મહાન મંદિર છે.'
‘ગોવર્ધનરામે લીટી નથી દોરી, ‘ડિઝાઈન' કાઢ્યું છે; તેણે પૂતળું ઘડ્યું નથી, પણ મહાન મંદિર બાંધ્યું છે. ઊંચાં પહોળાં પગથિયાં, આરસનું જડતર, પ્રવેશના ત્રણ દરવાજા અને તત્ત્વચિંતનના ઘુંમટ નીચે વિલસતી સરસ્વતીચંદ્રની મૂર્તિ, કુસુમની આરતી, કુમુદની ભક્તિ, ‘સરસ્વતીચંદ્ર' એક મહાન મંદિર છે.'
Line 24: Line 24:
વિ. ત્રિવેદીના સાહિત્યિક વ્યક્તિત્વને ઘડવામાં ગોવર્ધનરામ પછી આનંદશંકરનો ફાળો મહત્ત્વનો ગણાવી શકાય. કદાચ તેમણે જ આ સાક્ષર માટે ‘મધુદર્શી સમન્વયકાર' જેવો શબ્દ રૂઢ કર્યો હતો. તેમણે ત્યારે આ. ધ્રુવની જે માન્યતાને રજૂ કરેલી તે આજે પણ એટલી જ પ્રસ્તુત છે. ‘જીવન એક અખંડ પદાર્થ હોઈ જીવન સુધારવા માટેની સઘળી પ્રવૃત્તિઓ એક અખંડ રૂપે એકબીજા સાથે ગૂંથાએલી છે. તથાપિ એ સહુમાં કેળવણીને મુખ્ય ગણી, તેનું કારણ કે કેળવણી સમગ્ર જીવનને લક્ષીને પ્રવર્તે છે. ‘ વિ. ત્રિવેદીને જીવનની અખંડતાવાળી વાત વધારે સ્પર્શી ગઈ હતી. અને જીવનની આ અખંડતા પરથી સાહિત્યની અખંડતા તરફ જવાનું એમને વધારે સુકર થઈ પડે છે. વળી નીતિ વિશેની એમની વિલક્ષણ વિચારણા તેમને સ્પર્શી ગઈ હતી. ‘નીતિ તે જ્ઞાન અને અનીતિ તે અજ્ઞાન. જ્ઞાનમાં નીતિ સમાઈ જાય, અને અનીતિ તે જ્ઞાનને અભાવે જ સંભવે.' (વિ. ૧૩૪)
વિ. ત્રિવેદીના સાહિત્યિક વ્યક્તિત્વને ઘડવામાં ગોવર્ધનરામ પછી આનંદશંકરનો ફાળો મહત્ત્વનો ગણાવી શકાય. કદાચ તેમણે જ આ સાક્ષર માટે ‘મધુદર્શી સમન્વયકાર' જેવો શબ્દ રૂઢ કર્યો હતો. તેમણે ત્યારે આ. ધ્રુવની જે માન્યતાને રજૂ કરેલી તે આજે પણ એટલી જ પ્રસ્તુત છે. ‘જીવન એક અખંડ પદાર્થ હોઈ જીવન સુધારવા માટેની સઘળી પ્રવૃત્તિઓ એક અખંડ રૂપે એકબીજા સાથે ગૂંથાએલી છે. તથાપિ એ સહુમાં કેળવણીને મુખ્ય ગણી, તેનું કારણ કે કેળવણી સમગ્ર જીવનને લક્ષીને પ્રવર્તે છે. ‘ વિ. ત્રિવેદીને જીવનની અખંડતાવાળી વાત વધારે સ્પર્શી ગઈ હતી. અને જીવનની આ અખંડતા પરથી સાહિત્યની અખંડતા તરફ જવાનું એમને વધારે સુકર થઈ પડે છે. વળી નીતિ વિશેની એમની વિલક્ષણ વિચારણા તેમને સ્પર્શી ગઈ હતી. ‘નીતિ તે જ્ઞાન અને અનીતિ તે અજ્ઞાન. જ્ઞાનમાં નીતિ સમાઈ જાય, અને અનીતિ તે જ્ઞાનને અભાવે જ સંભવે.' (વિ. ૧૩૪)
વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિવેચનાનો સમય ભલે ગાંધીયુગ હોય પરન્તુ તેઓ ગાંધીયુગની નીપજ કરતાં વિશેષતઃ પંડિતયુગની નીપજ વધારે જણાય છે. વળી તેઓ ‘અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય'ને નિમિત્તે સમગ્ર સુધારકયુગ અને ગાંધીયુગમાં ઘૂમી વળ્યા હતા, જેવી રીતે ‘બૃહત્ પિંગળ' નિમિત્તે રામનારાયણ પાઠક સમગ્ર ગુજરાતી કવિતામાં ઘૂમી વળ્યા હતા તેવી રીતે. પંડિતયુગના સાક્ષરોના ઘડતરની ચર્ચા ‘અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુકરાગ' લેખમાં વિગતે કરવામાં આવી છે. આ વાંચીને આજે આપણે દંગ રહી જઈએ છીએ. ગોવર્ધનરામ ત્રિપાઠીના વિશાળ વાચને વિ. ત્રિવેદીને મુગ્ધ કર્યા છે. કદાચ પંડિતયુગના કોઈ સાક્ષરે આટલું વિશાળ વાચન નહિ કર્યું હોય. ગો. ત્રિપાઠીની સાક્ષરની કલ્પના જોવા જેવી છે.
વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિવેચનાનો સમય ભલે ગાંધીયુગ હોય પરન્તુ તેઓ ગાંધીયુગની નીપજ કરતાં વિશેષતઃ પંડિતયુગની નીપજ વધારે જણાય છે. વળી તેઓ ‘અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય'ને નિમિત્તે સમગ્ર સુધારકયુગ અને ગાંધીયુગમાં ઘૂમી વળ્યા હતા, જેવી રીતે ‘બૃહત્ પિંગળ' નિમિત્તે રામનારાયણ પાઠક સમગ્ર ગુજરાતી કવિતામાં ઘૂમી વળ્યા હતા તેવી રીતે. પંડિતયુગના સાક્ષરોના ઘડતરની ચર્ચા ‘અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુકરાગ' લેખમાં વિગતે કરવામાં આવી છે. આ વાંચીને આજે આપણે દંગ રહી જઈએ છીએ. ગોવર્ધનરામ ત્રિપાઠીના વિશાળ વાચને વિ. ત્રિવેદીને મુગ્ધ કર્યા છે. કદાચ પંડિતયુગના કોઈ સાક્ષરે આટલું વિશાળ વાચન નહિ કર્યું હોય. ગો. ત્રિપાઠીની સાક્ષરની કલ્પના જોવા જેવી છે.
'પ્રવાહ, તટ અને પ્રવાહનો ગુણાનુરાગી સાક્ષર સાક્ષી એ ત્રિપુટીના સંયોગથી સાક્ષરજીવન આવિર્ભાવ પામે છે. એ સંયોગવાળું જીવન એ જ સાક્ષરજીવન, એ જ contemplative life, એ જ  literary life, એ જ  philosopher's seclusion, એ જ scientific menlaboratoryમાંનું જીવન, એ જ ઘટપટથી ભરેલી કોટડીમાં નૈયાયિકનું જીવન, એ જ યોગીઓનો યોગ, અને એ જ વેદાન્તનું સ્વાનુભૂતિ જીવન.' (સાક્ષરજીવન, પૃ. ૬૯, ઉ. ૪૪)
‘પ્રવાહ, તટ અને પ્રવાહનો ગુણાનુરાગી સાક્ષર સાક્ષી એ ત્રિપુટીના સંયોગથી સાક્ષરજીવન આવિર્ભાવ પામે છે. એ સંયોગવાળું જીવન એ જ સાક્ષરજીવન, એ જ contemplative life, એ જ  literary life, એ જ  philosopher's seclusion, એ જ scientific menlaboratoryમાંનું જીવન, એ જ ઘટપટથી ભરેલી કોટડીમાં નૈયાયિકનું જીવન, એ જ યોગીઓનો યોગ, અને એ જ વેદાન્તનું સ્વાનુભૂતિ જીવન.' (સાક્ષરજીવન, પૃ. ૬૯, ઉ. ૪૪)
આના આધારે આપણે અનુમાન કરી શકીએ કે વિ. ૨. ત્રિવેદીનું વાચન પણ એટલું જ વિશાળ હશે. વેદવેદાન્ત, કાલિદાસ, ભવભૂતિ, બાણ, પ્લેટો, શૅક્સપિયર, બર્ક, વર્ઝવર્થ, શેલી, કીટ્સ, સ્પિનોઝા, કાન્ટ, હેગલ, સ્પેન્સર, જ્હોન મિલ વગેરે સર્જકો અને ચિન્તકોમાંથી પંડિતયુગના ઘણા બધા સાક્ષરો પસાર થયા હતા તેવી રીતે વિ. ત્રિવેદી પસાર થયા. કેટલીક વાર તો છેક આધુનિક યુગ સુધી જે ચિંતકોનાં નામ ગુજરાતી વિવેચનમાં જોવાય નથી મળ્યાં તે અહીં આમતેમ અથડાતાં રહે છે. આ ઉપરાન્ત મધ્યકાળથી માંડીને પંડિતયુગ સુધીના સાહિત્યકારોનો પ્રત્યક્ષ પરિચય કેળવ્યો. એને પરિણામે તેમની ઉદાર કાવ્યરુચિએ કાવ્ય વિશે કેટલીક ધારણાઓ બાંધી અને એને આધારે ગુજરાતી સાહિત્યની કેટલીક કૃતિઓનું મૂલ્યાંકન કર્યું. આ મૂલ્યાંકન સાથે દર વખતે બધા સંમત ન થાય. કોઈ સર્જક પોતાની પાત્રસૃષ્ટિમાંથી એકાદ પાત્ર સાથે જ તાદાત્મ્ય અનુભવે તો શું? વિ. ત્રિવેદી કહે છે, ‘ગો. મા. અને મુનશી વાયુ પેઠે પોતાની સૃષ્ટિમાં વ્યાપી જાય છે પણ કલાકાર મુનશી પોતાની સૃષ્ટિના એક અંગ પેઠે, એકાદ એમના પાત્ર બની ડૂબી જાય છે. પાત્રોથી છૂટા પડી પાત્રોના જીવનની અર્થવત્તા અને સમગ્ર જીવનનું સંવાદીપણું કે વિસંવાદીપણું તે બતાવતા નથી.' (વિ.૧૫૨) મુનશીની આ મર્યાદા તેઓ જોઈ શક્યા કારણ કે તેમની સામે ગોવર્ધનરામ હતા.
આના આધારે આપણે અનુમાન કરી શકીએ કે વિ. ૨. ત્રિવેદીનું વાચન પણ એટલું જ વિશાળ હશે. વેદવેદાન્ત, કાલિદાસ, ભવભૂતિ, બાણ, પ્લેટો, શૅક્સપિયર, બર્ક, વર્ઝવર્થ, શેલી, કીટ્સ, સ્પિનોઝા, કાન્ટ, હેગલ, સ્પેન્સર, જ્હોન મિલ વગેરે સર્જકો અને ચિન્તકોમાંથી પંડિતયુગના ઘણા બધા સાક્ષરો પસાર થયા હતા તેવી રીતે વિ. ત્રિવેદી પસાર થયા. કેટલીક વાર તો છેક આધુનિક યુગ સુધી જે ચિંતકોનાં નામ ગુજરાતી વિવેચનમાં જોવાય નથી મળ્યાં તે અહીં આમતેમ અથડાતાં રહે છે. આ ઉપરાન્ત મધ્યકાળથી માંડીને પંડિતયુગ સુધીના સાહિત્યકારોનો પ્રત્યક્ષ પરિચય કેળવ્યો. એને પરિણામે તેમની ઉદાર કાવ્યરુચિએ કાવ્ય વિશે કેટલીક ધારણાઓ બાંધી અને એને આધારે ગુજરાતી સાહિત્યની કેટલીક કૃતિઓનું મૂલ્યાંકન કર્યું. આ મૂલ્યાંકન સાથે દર વખતે બધા સંમત ન થાય. કોઈ સર્જક પોતાની પાત્રસૃષ્ટિમાંથી એકાદ પાત્ર સાથે જ તાદાત્મ્ય અનુભવે તો શું? વિ. ત્રિવેદી કહે છે, ‘ગો. મા. અને મુનશી વાયુ પેઠે પોતાની સૃષ્ટિમાં વ્યાપી જાય છે પણ કલાકાર મુનશી પોતાની સૃષ્ટિના એક અંગ પેઠે, એકાદ એમના પાત્ર બની ડૂબી જાય છે. પાત્રોથી છૂટા પડી પાત્રોના જીવનની અર્થવત્તા અને સમગ્ર જીવનનું સંવાદીપણું કે વિસંવાદીપણું તે બતાવતા નથી.' (વિ.૧૫૨) મુનશીની આ મર્યાદા તેઓ જોઈ શક્યા કારણ કે તેમની સામે ગોવર્ધનરામ હતા.
ક્યારેક સાહિત્યસ્વરૂપોમાં વધારે પડતી રૂઢતા આવી જતી હોય છે, ભક્તિકાવ્યો હોય કે આધુનિક રચનાઓ હોય - એની એક પદાવલિ પણ નિશ્ચિત થઈ જાય છે. બ. ક. ઠાકોરે આવી કૃત્રિમ બની ગયેલી પદાવલિની ભારે ટીકા કરી હતી. એ જ પરમ્પરામાં રહીને વિ. ૨. ત્રિવેદી કહે છે, ‘ભજનની પરિભાષા, ભજનનાં પદ્યરૂપો, ભજનમાંની ભાવનાઓ વિવિધ છતાં એટલાં બધાં ચલણી થઈ ગયાં છે કે સૌ કોઈ પોતાના કપાશિયા જ લાવી પારકા તેલ પુરાવી પુરાવી મેરાયાં લઈ દિવાળી કરે છે. ‘(વિ. ૨૨૧) અહીં તેમનો શૈલીવિશેષ પણ જોઈ શકાશે.
ક્યારેક સાહિત્યસ્વરૂપોમાં વધારે પડતી રૂઢતા આવી જતી હોય છે, ભક્તિકાવ્યો હોય કે આધુનિક રચનાઓ હોય - એની એક પદાવલિ પણ નિશ્ચિત થઈ જાય છે. બ. ક. ઠાકોરે આવી કૃત્રિમ બની ગયેલી પદાવલિની ભારે ટીકા કરી હતી. એ જ પરમ્પરામાં રહીને વિ. ૨. ત્રિવેદી કહે છે, ‘ભજનની પરિભાષા, ભજનનાં પદ્યરૂપો, ભજનમાંની ભાવનાઓ વિવિધ છતાં એટલાં બધાં ચલણી થઈ ગયાં છે કે સૌ કોઈ પોતાના કપાશિયા જ લાવી પારકા તેલ પુરાવી પુરાવી મેરાયાં લઈ દિવાળી કરે છે. ‘(વિ. ૨૨૧) અહીં તેમનો શૈલીવિશેષ પણ જોઈ શકાશે.
Line 31: Line 31:
વિવિધ કાવ્યોના નમૂનાઓને આધારે ભાવકની રુચિ ઘડાય અને સાથે સાથે તેનામાં કાવ્ય વિશેની એક અપેક્ષા જાગે, આ અપેક્ષાને સૌન્દર્યમીમાંસાની ભાષામાં ધોરણ તરીકે ઓળખાવી શકાય, ક્યારેક આ ધોરણ મુશ્કેલીઓ ઊભી કરે એનો ખ્યાલ વિ. ત્રિવેદીને છે, ‘અમુક જ સાહિત્યકૃતિઓને ધોરણો તરીકે સ્વીકારી બધી સાહિત્યકૃતિઓનું વિવેચન કરવામાં કલાબીજને દુષ્ટ કરવાનું દુરિત નથી થતું?’(પરિ.૧૦)
વિવિધ કાવ્યોના નમૂનાઓને આધારે ભાવકની રુચિ ઘડાય અને સાથે સાથે તેનામાં કાવ્ય વિશેની એક અપેક્ષા જાગે, આ અપેક્ષાને સૌન્દર્યમીમાંસાની ભાષામાં ધોરણ તરીકે ઓળખાવી શકાય, ક્યારેક આ ધોરણ મુશ્કેલીઓ ઊભી કરે એનો ખ્યાલ વિ. ત્રિવેદીને છે, ‘અમુક જ સાહિત્યકૃતિઓને ધોરણો તરીકે સ્વીકારી બધી સાહિત્યકૃતિઓનું વિવેચન કરવામાં કલાબીજને દુષ્ટ કરવાનું દુરિત નથી થતું?’(પરિ.૧૦)
આગળ આપણે રૂપરચનાયુક્ત કરતાં રૂપરચનાહીન નવલકથાઓ ચઢી જાય એવો તેમનો મત જોઈ ગયા, આને કારણે ગેરસમજ થવાનો સમ્ભવ છે. દા.ત. આપણે નીચેનાં વિધાનો તપાસો.
આગળ આપણે રૂપરચનાયુક્ત કરતાં રૂપરચનાહીન નવલકથાઓ ચઢી જાય એવો તેમનો મત જોઈ ગયા, આને કારણે ગેરસમજ થવાનો સમ્ભવ છે. દા.ત. આપણે નીચેનાં વિધાનો તપાસો.
'ગુજરાતી સાહિત્યમાં સામાન્ય રીતે એક બીજો મોટો દોષ જોવામાં આવે છે તે આકારસૌષ્ઠવ કે એકતાના અભાવનો. સાહિત્યકૃતિ એક જીવંત અખંડ કૃતિ લાગવી જોઈએ... સેન્દ્રિય સર્જનમાં અખંડતા હોય છે તેવી અખંડતા, તેવું કુદરતી ઐક્ય સાહિત્યકૃતિમાં જોઈએ.’ (પરિ.૧૫)
‘ગુજરાતી સાહિત્યમાં સામાન્ય રીતે એક બીજો મોટો દોષ જોવામાં આવે છે તે આકારસૌષ્ઠવ કે એકતાના અભાવનો. સાહિત્યકૃતિ એક જીવંત અખંડ કૃતિ લાગવી જોઈએ... સેન્દ્રિય સર્જનમાં અખંડતા હોય છે તેવી અખંડતા, તેવું કુદરતી ઐક્ય સાહિત્યકૃતિમાં જોઈએ.’ (પરિ.૧૫)
'કાવ્યના બધા અંશો કાર્યકારણભાવથી સંકળાયેલા અને પરસ્પર સંવાદ રાખનાર છે. એમાં નિયમ અને વ્યવસ્થા છે. એમાં જાણે ઋત પ્રત્યક્ષ થાય છે. એ જ એનું રહસ્ય છે અને એ જ નિરતિશય આહ્લાદનું કારણ છે.' (પરિ.૩૧-૨)
‘કાવ્યના બધા અંશો કાર્યકારણભાવથી સંકળાયેલા અને પરસ્પર સંવાદ રાખનાર છે. એમાં નિયમ અને વ્યવસ્થા છે. એમાં જાણે ઋત પ્રત્યક્ષ થાય છે. એ જ એનું રહસ્ય છે અને એ જ નિરતિશય આહ્લાદનું કારણ છે.' (પરિ.૩૧-૨)
'સાહિત્યકૃતિની રમણીયતા તેના પોતાના અંતસ્થ સ્વત્વને વફાદારીથી વળગી રહેવામાં છે. આ અર્થમાં તે અનન્યપરતંત્ર, સ્વાયત્ત, સ્વસંપૂર્ણ છે. સાહિત્યકૃતિ એ એવું સંઘટન છે, પુદ્ગલ છે, જેનાં બધાં અંગો સંપૂર્ણ સંવાદથી પરસ્પરાશ્રિત રહેલાં હોય છે. આ સંવાદી સુશ્લિષ્ટતાથી એ પૂરો આહ્લાદજનક નહિ તો પરિતોષજનક, કલ્પનાથી આત્મસાત્ કરાય એવો અનુભવ આપે છે. કૃતિનું વસ્તુ કે વિષય વિષાદપ્રેરક, ક્લેશકર કે ક્ષોભકર હોય, તથાપિ તેની સંઘટનાથી, સમગ્રતાથી તે પરિતોષ ઉપજાવે છે, અને તેવી કૃતિને આપણે રમણીય કહીએ છીએ.’ (ઉ.૧૨૩)
‘સાહિત્યકૃતિની રમણીયતા તેના પોતાના અંતસ્થ સ્વત્વને વફાદારીથી વળગી રહેવામાં છે. આ અર્થમાં તે અનન્યપરતંત્ર, સ્વાયત્ત, સ્વસંપૂર્ણ છે. સાહિત્યકૃતિ એ એવું સંઘટન છે, પુદ્ગલ છે, જેનાં બધાં અંગો સંપૂર્ણ સંવાદથી પરસ્પરાશ્રિત રહેલાં હોય છે. આ સંવાદી સુશ્લિષ્ટતાથી એ પૂરો આહ્લાદજનક નહિ તો પરિતોષજનક, કલ્પનાથી આત્મસાત્ કરાય એવો અનુભવ આપે છે. કૃતિનું વસ્તુ કે વિષય વિષાદપ્રેરક, ક્લેશકર કે ક્ષોભકર હોય, તથાપિ તેની સંઘટનાથી, સમગ્રતાથી તે પરિતોષ ઉપજાવે છે, અને તેવી કૃતિને આપણે રમણીય કહીએ છીએ.’ (ઉ.૧૨૩)
‘ઉત્કૃષ્ટ સાહિત્યે નિર્માણની ઉત્કૃષ્ટતા માટે આકૃતિનું સૌષ્ઠવ, અંગોની સંશ્લિષ્ટતા, શબ્દાર્થનું સંપૂર્ણ ઔચિત્ય અને શોભા દાખવવાં પડશે. જીવનનું કોઈ નિયામક તત્ત્વ પ્રકાશિત થાય એવા સંવિધાનવાળું વિશાળ જીવનનું સાક્ષાત્કારકલ્પ દર્શન કરાવી શકે એવું સર્જન હોય તો તે જ ઉત્તમ ગણાવું ઘટે. એવા સાહિત્યનું ફલક જ મોટું હોય; એના નિર્માણની કલામાં સહજ સ્ફુરણા કે રસજ્ઞતા કરતાં પ્રજ્ઞાનો, કોઈ સ્થપતિનું સ્મરણ કરાવે એવો, સુચિન્તિત વ્યાપાર હોય. તેથી શક્યતા કે સંભાવનાની દૃષ્ટિએ અલંકારધ્વનિ કે વસ્તુધ્વનિ કાવ્ય એ કોટિએ પહોંચી શકે નહિ.' (ઉ.૧૨૦)
‘ઉત્કૃષ્ટ સાહિત્યે નિર્માણની ઉત્કૃષ્ટતા માટે આકૃતિનું સૌષ્ઠવ, અંગોની સંશ્લિષ્ટતા, શબ્દાર્થનું સંપૂર્ણ ઔચિત્ય અને શોભા દાખવવાં પડશે. જીવનનું કોઈ નિયામક તત્ત્વ પ્રકાશિત થાય એવા સંવિધાનવાળું વિશાળ જીવનનું સાક્ષાત્કારકલ્પ દર્શન કરાવી શકે એવું સર્જન હોય તો તે જ ઉત્તમ ગણાવું ઘટે. એવા સાહિત્યનું ફલક જ મોટું હોય; એના નિર્માણની કલામાં સહજ સ્ફુરણા કે રસજ્ઞતા કરતાં પ્રજ્ઞાનો, કોઈ સ્થપતિનું સ્મરણ કરાવે એવો, સુચિન્તિત વ્યાપાર હોય. તેથી શક્યતા કે સંભાવનાની દૃષ્ટિએ અલંકારધ્વનિ કે વસ્તુધ્વનિ કાવ્ય એ કોટિએ પહોંચી શકે નહિ.' (ઉ.૧૨૦)
‘જીવનમાં અવ્યવસ્થા હોય તેથી અભિવ્યક્તિમાં પણ એવી જ અનુરૂપ અવ્યવસ્થા આવશ્યક બનતી નથી. ઊલટું, કલા એટલે તો વ્યવસ્થા અને સંવાદિતાનું નિર્માણ. અર્થાત્ સૌંદર્યનિર્માણ કરવાથી હૃદયમાં વ્યવસ્થા આવે ને અંતરમાં સંવાદ પ્રકટે એવો સંભવ છે. સૌંદર્ય અને પરમ આનંદનો સંપ્રત્યય એ એક ઉચ્ચ કોટિનો સામાજિક હિતસાધક પુરુષાર્થ છે અને મનુષ્યની રસબુદ્ધિનું સ્વભાવગત કાર્ય પણ છે.’ (ઉ.૧૩૭) ‘અને જીવનમાં જે જુગુપ્સાજનક છે તે સાહિત્યમાં કંઈ રમણીય બની નથી જવાનું એ મારી શ્રદ્ધા છે — પણ હું શંકરાચાર્યનો અનુયાયી છું. એટલે દયારામમાં મને રસ ન પડે, કે હું ગોવર્ધનરામની કે નાનાલાલની સામાજિક વિચારણામાં માનતો નથી તેથી તેઓ મારે માટે નાતબહાર છે, એ ગંભીર ભૂલ છે. આવી સંકુચિતતા રાખવાથી સંસ્કારિતાના મૂળમાં ઘા પડે.' અહીં ઉદાર બનીને તેઓ પોતાની માન્યતાઓથી વિપરીત માન્યતાવાળા સાહિત્યનો સ્વીકારવાની વાત કરે છે. અન્યત્ર પણ તેઓ કહે છે, ‘તથાપિ પ્રયોગ કે નવીનતા ખાતર, અથવા સમજફેરથી, સુપ્ત મનમાંથી ઉપર આવતા અસંગત બુદબુદો જેમ આવે તેમ ભાષામાં કેટલાક કવિ ઉતારી દે છે. બુબુદોની અસંગતિ અને અવ્યવસ્થાને ભાષામાં યથોચિત ઉતારવામાં કવિ કૌશલ તો દાખવે છે. પણ એ કળા નથી. અવ્યવસ્થાનું પ્રતિબિમ્બ અવ્યવસ્થા જ પડે. કળા તો જાગ્રત મનની કૃતિ છે અને એ મન ઉપર વિશિષ્ટ અસર કરે છે. ઉપર દેખાતા બુદ્બુદોમાં પણ નિયમ અને વ્યવસ્થા છે; અને એ જ પૂર્ણ સ્વાભાવિક સંવેદનો છે એમ કહેવામાં તો અવ્યવસ્થા માત્રનો નિષેધ છે. અને એમ હોય તો અમારે એ કરતાં વધારે સારી વ્યવસ્થાની જરૂર છે. ભાવપ્રાકટ્યવાદ કે છાયાવાદના શ્રદ્ધાળુઓ ઝાંખી, વ્યવસ્થાહીન, અસંવાદી, અરમ્ય, અમધુર નિર્મિતિઓ રજૂ કરે છે કારણ કે જીવનની વસ્તુઓ અને તેમના સંબંધોની એવી છાપ તેમના મન ઉપર પડે છે. આપણે કહી શકીએ કે કળાકારનું સંવેદન ઝાંખું અને વ્યવસ્થા વગરનું ન હોય; એના સંવેદનમાં સમગ્રતા હોય; વસ્તુઓના સંબંધોમાં તેણે કોઈ રહસ્ય કે મેળ જોયો હોય; એ સંવેદને સ્પષ્ટતાથી અપૂર્વતાથી કે અદ્ભુત રહસ્યમયતાથી તેના અન્તરને પકડ્યું હોય; અને પછી જ તે નિર્મિતિમાં બને તેટલી સુસ્પષ્ટતાથી સુરેખતાથી દીપ્તિથી પ્રગટ થાય.' (પૃ. ૧૧)
‘જીવનમાં અવ્યવસ્થા હોય તેથી અભિવ્યક્તિમાં પણ એવી જ અનુરૂપ અવ્યવસ્થા આવશ્યક બનતી નથી. ઊલટું, કલા એટલે તો વ્યવસ્થા અને સંવાદિતાનું નિર્માણ. અર્થાત્ સૌંદર્યનિર્માણ કરવાથી હૃદયમાં વ્યવસ્થા આવે ને અંતરમાં સંવાદ પ્રકટે એવો સંભવ છે. સૌંદર્ય અને પરમ આનંદનો સંપ્રત્યય એ એક ઉચ્ચ કોટિનો સામાજિક હિતસાધક પુરુષાર્થ છે અને મનુષ્યની રસબુદ્ધિનું સ્વભાવગત કાર્ય પણ છે.’ (ઉ.૧૩૭) ‘અને જીવનમાં જે જુગુપ્સાજનક છે તે સાહિત્યમાં કંઈ રમણીય બની નથી જવાનું એ મારી શ્રદ્ધા છે — પણ હું શંકરાચાર્યનો અનુયાયી છું. એટલે દયારામમાં મને રસ ન પડે, કે હું ગોવર્ધનરામની કે નાનાલાલની સામાજિક વિચારણામાં માનતો નથી તેથી તેઓ મારે માટે નાતબહાર છે, એ ગંભીર ભૂલ છે. આવી સંકુચિતતા રાખવાથી સંસ્કારિતાના મૂળમાં ઘા પડે.' અહીં ઉદાર બનીને તેઓ પોતાની માન્યતાઓથી વિપરીત માન્યતાવાળા સાહિત્યનો સ્વીકારવાની વાત કરે છે. અન્યત્ર પણ તેઓ કહે છે, ‘તથાપિ પ્રયોગ કે નવીનતા ખાતર, અથવા સમજફેરથી, સુપ્ત મનમાંથી ઉપર આવતા અસંગત બુદબુદો જેમ આવે તેમ ભાષામાં કેટલાક કવિ ઉતારી દે છે. બુબુદોની અસંગતિ અને અવ્યવસ્થાને ભાષામાં યથોચિત ઉતારવામાં કવિ કૌશલ તો દાખવે છે. પણ એ કળા નથી. અવ્યવસ્થાનું પ્રતિબિમ્બ અવ્યવસ્થા જ પડે. કળા તો જાગ્રત મનની કૃતિ છે અને એ મન ઉપર વિશિષ્ટ અસર કરે છે. ઉપર દેખાતા બુદ્બુદોમાં પણ નિયમ અને વ્યવસ્થા છે; અને એ જ પૂર્ણ સ્વાભાવિક સંવેદનો છે એમ કહેવામાં તો અવ્યવસ્થા માત્રનો નિષેધ છે. અને એમ હોય તો અમારે એ કરતાં વધારે સારી વ્યવસ્થાની જરૂર છે. ભાવપ્રાકટ્યવાદ કે છાયાવાદના શ્રદ્ધાળુઓ ઝાંખી, વ્યવસ્થાહીન, અસંવાદી, અરમ્ય, અમધુર નિર્મિતિઓ રજૂ કરે છે કારણ કે જીવનની વસ્તુઓ અને તેમના સંબંધોની એવી છાપ તેમના મન ઉપર પડે છે. આપણે કહી શકીએ કે કળાકારનું સંવેદન ઝાંખું અને વ્યવસ્થા વગરનું ન હોય; એના સંવેદનમાં સમગ્રતા હોય; વસ્તુઓના સંબંધોમાં તેણે કોઈ રહસ્ય કે મેળ જોયો હોય; એ સંવેદને સ્પષ્ટતાથી અપૂર્વતાથી કે અદ્ભુત રહસ્યમયતાથી તેના અન્તરને પકડ્યું હોય; અને પછી જ તે નિર્મિતિમાં બને તેટલી સુસ્પષ્ટતાથી સુરેખતાથી દીપ્તિથી પ્રગટ થાય.' (પૃ. ૧૧)
Line 77: Line 77:
વળી નર્મદના નિમિત્તે તેઓ આપણને પણ છરકો મારી આપે છે, ‘વિવેચન માટે નર્મદને દૃઢ ગજ મળ્યા નથી. આપણે હજી સુધી કરી શક્યા નથી તો સંસ્કૃત અને યુરોપી કાવ્યશાસ્ત્રના સિદ્ધાન્તોનો એ સમન્વય તો ક્યાંથી કરી શકે?' (ઉ.૧૬૭)
વળી નર્મદના નિમિત્તે તેઓ આપણને પણ છરકો મારી આપે છે, ‘વિવેચન માટે નર્મદને દૃઢ ગજ મળ્યા નથી. આપણે હજી સુધી કરી શક્યા નથી તો સંસ્કૃત અને યુરોપી કાવ્યશાસ્ત્રના સિદ્ધાન્તોનો એ સમન્વય તો ક્યાંથી કરી શકે?' (ઉ.૧૬૭)
વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની સમગ્ર સાહિત્યવિચારણાને આધારે તેઓ પોતે વિવેચન વિશે, વિવેચનના કાર્ય વિશે શું માને છે તેની ચર્ચા કરી શકાય. અને બધા જ વિવેચકો એક કે બીજા જ શબ્દોમાં વિવેચનના કાર્ય વિશે પોતાના વિચારો તો રજૂ કરતા જ આવ્યા છે. તેમનો વિવેચક તરીકેનો અભિગમ કેવા પ્રકારનો છે? અવારનવાર તેઓ ઐતિહાસિક અને તુલનાત્મક અભિગમનો આધાર લે છે.’ ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય' વિશે અપાયેલાં વ્યાખ્યાનોમાં આપણને ઐતિહાસિક અભિગમ જોવા મળે છે. તો વળી પહેલેથીજ તેમણે રસાસ્વાદ પર ભાર આપીને કૃતિનિષ્ઠ વિવેચનની દિશામાં ઇશારો તો કર્યો જ છે. સાથે સાથે વિવેચન વિશે વચ્ચે વચ્ચે તેઓ પોતાના વિચારો વ્યક્ત કરતા રહ્યા છે. માત્ર સર્જકે જ સજ્જતા મેળવવાની નથી હોતી, વિવેચકે પણ એ પ્રાપ્ત કરવાની છે.
વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની સમગ્ર સાહિત્યવિચારણાને આધારે તેઓ પોતે વિવેચન વિશે, વિવેચનના કાર્ય વિશે શું માને છે તેની ચર્ચા કરી શકાય. અને બધા જ વિવેચકો એક કે બીજા જ શબ્દોમાં વિવેચનના કાર્ય વિશે પોતાના વિચારો તો રજૂ કરતા જ આવ્યા છે. તેમનો વિવેચક તરીકેનો અભિગમ કેવા પ્રકારનો છે? અવારનવાર તેઓ ઐતિહાસિક અને તુલનાત્મક અભિગમનો આધાર લે છે.’ ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય' વિશે અપાયેલાં વ્યાખ્યાનોમાં આપણને ઐતિહાસિક અભિગમ જોવા મળે છે. તો વળી પહેલેથીજ તેમણે રસાસ્વાદ પર ભાર આપીને કૃતિનિષ્ઠ વિવેચનની દિશામાં ઇશારો તો કર્યો જ છે. સાથે સાથે વિવેચન વિશે વચ્ચે વચ્ચે તેઓ પોતાના વિચારો વ્યક્ત કરતા રહ્યા છે. માત્ર સર્જકે જ સજ્જતા મેળવવાની નથી હોતી, વિવેચકે પણ એ પ્રાપ્ત કરવાની છે.
'સાહિત્યથી સ્વતંત્ર નિયમોનું અસ્તિત્વ કલ્પી તેને લાગુ પાડવાનું કામ વિવેચનશાસ્ત્રીનું નથી. ઉચ્ચ સાહિત્યમાં નિયમો જે પ્રવર્તતા દેખાતા હોય તેનું વ્યાપ્તિનિબંધનનું કામ વિવેચનનું છે ખરું. ચિરકાલિક આનન્દ એ સાહિત્યનું પ્રયોજન હોય તો કઈ હેતુસામગ્રીથી તે સિદ્ધ થાય છે તે શોધવાનું કામ વિવેચકનું છે.' (પરિ.૬)
‘સાહિત્યથી સ્વતંત્ર નિયમોનું અસ્તિત્વ કલ્પી તેને લાગુ પાડવાનું કામ વિવેચનશાસ્ત્રીનું નથી. ઉચ્ચ સાહિત્યમાં નિયમો જે પ્રવર્તતા દેખાતા હોય તેનું વ્યાપ્તિનિબંધનનું કામ વિવેચનનું છે ખરું. ચિરકાલિક આનન્દ એ સાહિત્યનું પ્રયોજન હોય તો કઈ હેતુસામગ્રીથી તે સિદ્ધ થાય છે તે શોધવાનું કામ વિવેચકનું છે.' (પરિ.૬)
'લોકશાસ્ત્રકાવ્યાદિ – અવેક્ષણાત્’ નિપુણતા તેણે પ્રથમ પ્રાપ્ત કરવી જોઈએ. ભિન્નભિન્ન પ્રજાઓના ગ્રન્થમણિઓનું પરિશીલન, તેમાંથી કાવ્યશાસ્ત્રીઓએ તારવેલા સિદ્ધાન્તોનું પર્યેપણ, શિષ્ટ ગ્રન્થોના સ્વકીય વિમર્શના પ્રકાશમાં પરંપરાપ્રાપ્ત સિદ્ધાન્તોનું શોધન, એ બધી પ્રાથમિક તૈયારી...'
‘લોકશાસ્ત્રકાવ્યાદિ – અવેક્ષણાત્’ નિપુણતા તેણે પ્રથમ પ્રાપ્ત કરવી જોઈએ. ભિન્નભિન્ન પ્રજાઓના ગ્રન્થમણિઓનું પરિશીલન, તેમાંથી કાવ્યશાસ્ત્રીઓએ તારવેલા સિદ્ધાન્તોનું પર્યેપણ, શિષ્ટ ગ્રન્થોના સ્વકીય વિમર્શના પ્રકાશમાં પરંપરાપ્રાપ્ત સિદ્ધાન્તોનું શોધન, એ બધી પ્રાથમિક તૈયારી...'
‘સહૃદયતાથી ને કલ્પનાથી સમજવું ને માણવું, ઐતિહાસિક ને તુલનાત્મક દૃષ્ટિએ આલોચના કરવી, અને વર્તમાન સમયની બૌદ્ધિક હવામાં કૃતિમાંના જીવનરહસ્યને કે કર્તાના જીવનદર્શનને મૂકી આપવું, એ ત્રિવિધ કર્તવ્ય વિવેચકનું છે.’ (ઉ.૨૩)
‘સહૃદયતાથી ને કલ્પનાથી સમજવું ને માણવું, ઐતિહાસિક ને તુલનાત્મક દૃષ્ટિએ આલોચના કરવી, અને વર્તમાન સમયની બૌદ્ધિક હવામાં કૃતિમાંના જીવનરહસ્યને કે કર્તાના જીવનદર્શનને મૂકી આપવું, એ ત્રિવિધ કર્તવ્ય વિવેચકનું છે.’ (ઉ.૨૩)
જ્યારે ભાવક કે વિવેચક સામે કૃતિ આવતી હોય છે ત્યારે શું થતું હોય છે?
જ્યારે ભાવક કે વિવેચક સામે કૃતિ આવતી હોય છે ત્યારે શું થતું હોય છે?
Line 90: Line 90:
આરંભે આપણે જોઈ ગયા કે તેમણે ગોવર્ધનરામના ગદ્યની ચર્ચા બહુ સારી રીતે કરી છે. ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'માં દર્શનની ચર્ચા વિશેષ છે, ગદ્યની ઓછી. છતાં વચ્ચે વચ્ચે આવાં સ્થાન આવી ચઢે છે ખરાં.
આરંભે આપણે જોઈ ગયા કે તેમણે ગોવર્ધનરામના ગદ્યની ચર્ચા બહુ સારી રીતે કરી છે. ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'માં દર્શનની ચર્ચા વિશેષ છે, ગદ્યની ઓછી. છતાં વચ્ચે વચ્ચે આવાં સ્થાન આવી ચઢે છે ખરાં.
‘નર્મદાશંકરનું ગદ્ય એક ગુજરાતીનું ગદ્ય, અણસરખું વહેતું, સરળ, સ્પષ્ટ, રમતું, મર્માળુ, ટકોરવાળું, ઉત્સાહી, ભાવવાહી ને નર્મદને અનુકૂળ, કંઈક ડોળઘાલુ, શિખામણઘેલું ને કહેવતપૂર્ણ - પણ ગંભીર, સલાવણ્ય કે કલ્પનાભીનું નહિ.' (વિ.८)
‘નર્મદાશંકરનું ગદ્ય એક ગુજરાતીનું ગદ્ય, અણસરખું વહેતું, સરળ, સ્પષ્ટ, રમતું, મર્માળુ, ટકોરવાળું, ઉત્સાહી, ભાવવાહી ને નર્મદને અનુકૂળ, કંઈક ડોળઘાલુ, શિખામણઘેલું ને કહેવતપૂર્ણ - પણ ગંભીર, સલાવણ્ય કે કલ્પનાભીનું નહિ.' (વિ.८)
'ગદ્ય ગદ્ય થવા સારુ અનિવાર્ય છે ભાષાની શિષ્ટતા અને અર્થનો પ્રવાહ; તેમાં ઉત્સાહ ભળે, લાગણી ભળે, સૂક્ષ્મ તર્કશક્તિ પ્રકાશે, લઢણની ખૂબી આવે, શબ્દવિન્યાસમાં તરેહ પરખાય, આરોહ અવરોહ અનુભવાય, તેમાં લાવણ્ય હોય, ચેતન હોય, વ્યક્તિત્વ હોય, તો ઉચ્ચતર ગદ્ય, રમણીય ગદ્યનો ઉદ્ભવ થયો લેખાય.' (ઉ.૧૧૧)
‘ગદ્ય ગદ્ય થવા સારુ અનિવાર્ય છે ભાષાની શિષ્ટતા અને અર્થનો પ્રવાહ; તેમાં ઉત્સાહ ભળે, લાગણી ભળે, સૂક્ષ્મ તર્કશક્તિ પ્રકાશે, લઢણની ખૂબી આવે, શબ્દવિન્યાસમાં તરેહ પરખાય, આરોહ અવરોહ અનુભવાય, તેમાં લાવણ્ય હોય, ચેતન હોય, વ્યક્તિત્વ હોય, તો ઉચ્ચતર ગદ્ય, રમણીય ગદ્યનો ઉદ્ભવ થયો લેખાય.' (ઉ.૧૧૧)
વિવેચક જે કૃતિઓની ચર્ચા કરે તેના પરથી તેની રુચિનો ખ્યાલ વાચકને આવી જતી હોય છે. પ્રથમ પંક્તિનો સર્જક ઘણી વખત ઉત્તમ કૃતિઓ અને સર્જકો વિશે લખવાનું પસંદ કરતો હોય છે. આનો અર્થ એવો નથી કે તેણે પ્રશિષ્ટ કૃતિઓની જ પ્રદક્ષિણા કરવી જોઈએ. આવતીકાલે પ્રશિષ્ટ નીવડનારી કૃતિઓ વિશે પણ કલમ ચલાવતો હોય છે. પણ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ વિવેચેલી કૃતિઓ સામાન્ય છે. ઉમાશંકર જોશીએ નોંધ્યું છે, “કવિઓ અને કાવ્યસંગ્રહોનાં વિવેચનોમાં વિષયપસંદગી ઘણુંખરું સામાન્ય કોટિની છે પણ કાવ્ય અંગેની માર્મિક સમજદારી જ્યાંત્યાં ચમકે છે.' (કવિની સાધના, ૧૪૨-૩) સૈદ્ધાન્તિક લેખોને એક સાથે રાખીને જોઈશું તો સાહિત્ય વિશેનો જીવનનિષ્ઠ, નીતિવાદી અભિગમ છતો થાય છે. આવો અભિગમ ધરાવવો કંઈ ખોટું નથી. એવો અભિગમ રાખીને તત્ત્વચર્ચામાં કેટલે ઊંડે જઈ શકીએ છીએ એના પર બધો આધાર છે. સાહિત્યમાં આવતાં પરિવર્તનો વિવેચનની પરિપાટીને એવી ને એવી રાખતાં નથી. આ વાત વિ. ત્રિવેદી સ્વીકારે છે. ‘કલાસ્વરૂપનો કોઈ નવો પ્રકાર આવે કે કલા રીતિમાં કોઈ આમૂલ ફેરફાર થાય ત્યારે એના વિવેચનની પદ્ધતિમાં પણ ફેરફાર થાય છે.' (ઉ.૨૦) ગુજરાતી સાહિત્યમાં ૧૯૫૦ પછી જે પરિવર્તન આવ્યું તેને કારણે વિ.ત્રિવેદીની પદ્ધતિમાં કેટલું પરિવર્તન આવ્યું?
વિવેચક જે કૃતિઓની ચર્ચા કરે તેના પરથી તેની રુચિનો ખ્યાલ વાચકને આવી જતી હોય છે. પ્રથમ પંક્તિનો સર્જક ઘણી વખત ઉત્તમ કૃતિઓ અને સર્જકો વિશે લખવાનું પસંદ કરતો હોય છે. આનો અર્થ એવો નથી કે તેણે પ્રશિષ્ટ કૃતિઓની જ પ્રદક્ષિણા કરવી જોઈએ. આવતીકાલે પ્રશિષ્ટ નીવડનારી કૃતિઓ વિશે પણ કલમ ચલાવતો હોય છે. પણ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ વિવેચેલી કૃતિઓ સામાન્ય છે. ઉમાશંકર જોશીએ નોંધ્યું છે, “કવિઓ અને કાવ્યસંગ્રહોનાં વિવેચનોમાં વિષયપસંદગી ઘણુંખરું સામાન્ય કોટિની છે પણ કાવ્ય અંગેની માર્મિક સમજદારી જ્યાંત્યાં ચમકે છે.' (કવિની સાધના, ૧૪૨-૩) સૈદ્ધાન્તિક લેખોને એક સાથે રાખીને જોઈશું તો સાહિત્ય વિશેનો જીવનનિષ્ઠ, નીતિવાદી અભિગમ છતો થાય છે. આવો અભિગમ ધરાવવો કંઈ ખોટું નથી. એવો અભિગમ રાખીને તત્ત્વચર્ચામાં કેટલે ઊંડે જઈ શકીએ છીએ એના પર બધો આધાર છે. સાહિત્યમાં આવતાં પરિવર્તનો વિવેચનની પરિપાટીને એવી ને એવી રાખતાં નથી. આ વાત વિ. ત્રિવેદી સ્વીકારે છે. ‘કલાસ્વરૂપનો કોઈ નવો પ્રકાર આવે કે કલા રીતિમાં કોઈ આમૂલ ફેરફાર થાય ત્યારે એના વિવેચનની પદ્ધતિમાં પણ ફેરફાર થાય છે.' (ઉ.૨૦) ગુજરાતી સાહિત્યમાં ૧૯૫૦ પછી જે પરિવર્તન આવ્યું તેને કારણે વિ.ત્રિવેદીની પદ્ધતિમાં કેટલું પરિવર્તન આવ્યું?
અહીં ક્રોચેની વિભાવના સ્વીકારવાને કારણે પણ કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. ભાષાકર્મ વિના કવિકર્મની શક્યતા સ્વીકારી લે છે અને ‘કલાના પ્રત્યક્ષ રૂપમાં અનુભૂતિ આવે તો જ સૌન્દર્યવિષયક કે રસવિષયક લાગણી થાય એમ નથી. અનુભૂતિ ભાષામાં આકાર લે તે પહેલાં તેના કલ્પનાજન્ય પ્રતિબોધે સૌંદર્યવિષયક કામ કરેલું છે. કવિકર્મ તો તેને સ્થિર, સ્પષ્ટ ને સુરેખ કરવા માટે છે.’ (સાહિત્યસંસ્પર્શ, ૨૮) પણ સર્જનપ્રક્રિયા આટલી સરળ નથી. વિવિધ કવિઓને સર્જનપ્રક્રિયામાં નડેલા પ્રશ્નોનો વિચાર કરવો પડે. આપણે આગળ જોઈ ગયા કે તેઓ રૂપરચનાને મહત્ત્વ આપે છે અને છતાં કહે છે : ‘કલાકૃતિનું તાત્ત્વિક ને અંતિમ મૂલ્ય સંઘટના, સંવિધાન કે વિન્યાસના કૌશલ પર નથી, પણ પ્રતિભાસ બનેલા સંવેદનની આંતરસમૃદ્ધિમાં છે.' (સા. ૪૭)
અહીં ક્રોચેની વિભાવના સ્વીકારવાને કારણે પણ કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. ભાષાકર્મ વિના કવિકર્મની શક્યતા સ્વીકારી લે છે અને ‘કલાના પ્રત્યક્ષ રૂપમાં અનુભૂતિ આવે તો જ સૌન્દર્યવિષયક કે રસવિષયક લાગણી થાય એમ નથી. અનુભૂતિ ભાષામાં આકાર લે તે પહેલાં તેના કલ્પનાજન્ય પ્રતિબોધે સૌંદર્યવિષયક કામ કરેલું છે. કવિકર્મ તો તેને સ્થિર, સ્પષ્ટ ને સુરેખ કરવા માટે છે.’ (સાહિત્યસંસ્પર્શ, ૨૮) પણ સર્જનપ્રક્રિયા આટલી સરળ નથી. વિવિધ કવિઓને સર્જનપ્રક્રિયામાં નડેલા પ્રશ્નોનો વિચાર કરવો પડે. આપણે આગળ જોઈ ગયા કે તેઓ રૂપરચનાને મહત્ત્વ આપે છે અને છતાં કહે છે : ‘કલાકૃતિનું તાત્ત્વિક ને અંતિમ મૂલ્ય સંઘટના, સંવિધાન કે વિન્યાસના કૌશલ પર નથી, પણ પ્રતિભાસ બનેલા સંવેદનની આંતરસમૃદ્ધિમાં છે.' (સા. ૪૭)
Line 98: Line 98:
વળી સાહિત્યસિદ્ધાંતોમાં સનાતનતાનું તત્ત્વ હોવા છતાં જે તે સ્થળ-સમયની વિશિષ્ટતા-મર્યાદાઓ પણ ભાગ ભજવી જતી હોય છે, સંસ્કૃત કાવ્યસિદ્ધાંતમાં ઘણીબધી અસામાન્યતાઓ કબૂલીએ, પણ એને આધારે બધા જ સાહિત્યનું મૂલ્યાંકન થઈ શકે એ વાત સ્વીકારવા જતા પ્રશ્નો ઊભા થશે. હરિવલ્લભ ભાયાણી એવું માનતા હતા કે સંસ્કૃત કાવ્યસિદ્ધાંત આધુનિક ગુજરાતી કવિતાને પણ પ્રયોજી શકાશે. પરંતુ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની માન્યતા થોડી જુદી છે. ‘રસસિદ્ધાંતના એકાન્તિક સ્વીકાર અને અનુસરણથી સંસ્કૃત નાટ્યમાં ચીલા પડી ગયા અને પ્રણાલિકાજડતા આવી એમ કહેવું ખોટું નથી. આધુનિક સંવિતલક્ષી કાવ્યોને રસસિદ્ધાંતની કસોટીએ ચઢાવવામાં બેહૂદાપણું આવે છે. એ પણ એ સિદ્ધાંતમાં વૈયક્તિક અનુભવનું ગૌણ મહત્ત્વ સૂચવે છે. રમણભાઈ એ પ્રયત્નમાં નિષ્ફળ થયા હતા. અને રસસિદ્ધાંતના વિનિયોગનો આગ્રહ સેવીશું તો આપણાં કેટલાંક ઉત્તમ કાવ્યોમાં કોઈ ખાસ રસ જડશે નહિ.’ (પૃ.૨૨)
વળી સાહિત્યસિદ્ધાંતોમાં સનાતનતાનું તત્ત્વ હોવા છતાં જે તે સ્થળ-સમયની વિશિષ્ટતા-મર્યાદાઓ પણ ભાગ ભજવી જતી હોય છે, સંસ્કૃત કાવ્યસિદ્ધાંતમાં ઘણીબધી અસામાન્યતાઓ કબૂલીએ, પણ એને આધારે બધા જ સાહિત્યનું મૂલ્યાંકન થઈ શકે એ વાત સ્વીકારવા જતા પ્રશ્નો ઊભા થશે. હરિવલ્લભ ભાયાણી એવું માનતા હતા કે સંસ્કૃત કાવ્યસિદ્ધાંત આધુનિક ગુજરાતી કવિતાને પણ પ્રયોજી શકાશે. પરંતુ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની માન્યતા થોડી જુદી છે. ‘રસસિદ્ધાંતના એકાન્તિક સ્વીકાર અને અનુસરણથી સંસ્કૃત નાટ્યમાં ચીલા પડી ગયા અને પ્રણાલિકાજડતા આવી એમ કહેવું ખોટું નથી. આધુનિક સંવિતલક્ષી કાવ્યોને રસસિદ્ધાંતની કસોટીએ ચઢાવવામાં બેહૂદાપણું આવે છે. એ પણ એ સિદ્ધાંતમાં વૈયક્તિક અનુભવનું ગૌણ મહત્ત્વ સૂચવે છે. રમણભાઈ એ પ્રયત્નમાં નિષ્ફળ થયા હતા. અને રસસિદ્ધાંતના વિનિયોગનો આગ્રહ સેવીશું તો આપણાં કેટલાંક ઉત્તમ કાવ્યોમાં કોઈ ખાસ રસ જડશે નહિ.’ (પૃ.૨૨)
આ વિવેચકની રુચિ પ્રશિષ્ટ કૃતિઓના મનન-વિમર્શથી ઘડાઈ છે. અંગ્રેજ કવિ કીટ્સે સૌન્દર્ય ઉપર વિશેષ ભાર આપ્યો હતો, આવા કવિઓ સૌન્દર્યના ઘાટઘડતર કરતા રહે છે. વળી પંડિતયુગના સાચા વારસદાર એવા આ વિવેચકે સાહિત્ય-કળા માટે એક ઊંચો આદર્શ રાખ્યો હતો. જે કૃતિઓમાં ‘સમસ્ત માનવજીવન દેશકાળ અપરિછિન્ન સનાતન માનવજીવન' પ્રગટી ઊઠયું હોય એવી કૃતિઓના તેઓ ચાહક છે. તેઓ પણ મેથ્યુ આર્નલ્ડની જેમ જીવનની સમગ્રતાનો પુરસ્કાર કરવા માગતા હતા.  
આ વિવેચકની રુચિ પ્રશિષ્ટ કૃતિઓના મનન-વિમર્શથી ઘડાઈ છે. અંગ્રેજ કવિ કીટ્સે સૌન્દર્ય ઉપર વિશેષ ભાર આપ્યો હતો, આવા કવિઓ સૌન્દર્યના ઘાટઘડતર કરતા રહે છે. વળી પંડિતયુગના સાચા વારસદાર એવા આ વિવેચકે સાહિત્ય-કળા માટે એક ઊંચો આદર્શ રાખ્યો હતો. જે કૃતિઓમાં ‘સમસ્ત માનવજીવન દેશકાળ અપરિછિન્ન સનાતન માનવજીવન' પ્રગટી ઊઠયું હોય એવી કૃતિઓના તેઓ ચાહક છે. તેઓ પણ મેથ્યુ આર્નલ્ડની જેમ જીવનની સમગ્રતાનો પુરસ્કાર કરવા માગતા હતા.  
'કવિ માત્ર રમણીય ને મધુર જ જોતો નથી, સુખદુઃખકલેશાદિથી ભરેલું, મનુષ્યમનુષ્યના સંબંધોમાં અનેક મૂંઝવણોવાળું, જીવનયાત્રાના ધામ વિશે વારંવાર પ્રશ્નો કરાવતું, કાળપટ ઉપર પથરાયેલું વિશાળ અને વિપુલ જીવન જુએ છે. એ વિવિધ ઘટનાઓ જોવાનો ને રહસ્ય તારવવાનો; એ જીવનપ્રશ્નો પૂછવાનો અને ઉકેલ માટે મંથન કરવાનો, એ પણ એની રીતે કર્તવ્યઅકર્તવ્યની સત્યઅસત્યની શોધ કરવાનો. આવી કવિતા મહાન થાય છે કેમકે તે જીવનના ઊંડાણને સ્વીકારે છે ને ઊંડાણને શોધે છે... જીવનને ગંભીરતાથી અવલોકતી કવિતા ગંભીર જીવનદર્શન બની શકે, અને એમાં પ્રતીતિના ઉત્સાહનું સામર્થ્ય હોય, કોઈ ચેતનવંત પદાર્થોનો સમુલ્લાસ હોય, એ સમગ્ર સંવેદન કે અનુભૂતિ બની કવિની પ્રેરણા-નેષિતઃ બન્યું હોય, તો એ કવિતા ઉચ્ચ ને મહાન કવિતા બને.’ (પૃ. ૧૪)
‘કવિ માત્ર રમણીય ને મધુર જ જોતો નથી, સુખદુઃખકલેશાદિથી ભરેલું, મનુષ્યમનુષ્યના સંબંધોમાં અનેક મૂંઝવણોવાળું, જીવનયાત્રાના ધામ વિશે વારંવાર પ્રશ્નો કરાવતું, કાળપટ ઉપર પથરાયેલું વિશાળ અને વિપુલ જીવન જુએ છે. એ વિવિધ ઘટનાઓ જોવાનો ને રહસ્ય તારવવાનો; એ જીવનપ્રશ્નો પૂછવાનો અને ઉકેલ માટે મંથન કરવાનો, એ પણ એની રીતે કર્તવ્યઅકર્તવ્યની સત્યઅસત્યની શોધ કરવાનો. આવી કવિતા મહાન થાય છે કેમકે તે જીવનના ઊંડાણને સ્વીકારે છે ને ઊંડાણને શોધે છે... જીવનને ગંભીરતાથી અવલોકતી કવિતા ગંભીર જીવનદર્શન બની શકે, અને એમાં પ્રતીતિના ઉત્સાહનું સામર્થ્ય હોય, કોઈ ચેતનવંત પદાર્થોનો સમુલ્લાસ હોય, એ સમગ્ર સંવેદન કે અનુભૂતિ બની કવિની પ્રેરણા-નેષિતઃ બન્યું હોય, તો એ કવિતા ઉચ્ચ ને મહાન કવિતા બને.’ (પૃ. ૧૪)
કેટલીક મર્યાદાઓ છતાં વિવેચનને માનવતાવાદી અભિગમની દિશામાં વાળવામાં વિ. ૨. ત્રિવેદીનો ફાળો વિશિષ્ટ છે.
કેટલીક મર્યાદાઓ છતાં વિવેચનને માનવતાવાદી અભિગમની દિશામાં વાળવામાં વિ. ૨. ત્રિવેદીનો ફાળો વિશિષ્ટ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu