User:Shnehrashmi/sandbox

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એકત્ર ફાઉન્ડેશન | ગ્રંથાલય
અમારા પુસ્તકો | અમારા સામયિકો
૧.
સંપાદક એટલે આ–

બચુભાઈ એટલે માત્ર તંત્રી જ શું? તંત્રીઓ તો ક્યાં ઓછા છે? એક હાથે લખાણ લે, આંખ તળે કાઢે -ન કાઢે, ને પસંદગીનું મુદ્રણે પસાર કરાવી, બીજે હાથે સમાજને પકડાવી દ્યે. આ તંત્રીઓ! આજે તંત્રીઓને હાથે-આંખે ‘કૃતિઓ’ પકડાવનારાનીયે પડાપડી છે ત્યાં તંત્રીઓને ક્યાં ઝાઝું કરવાનું રહે? બચુભાઈ તો લેખકને બરાબર ચકાસે-તપાસે; ના પાડતાંય એમનામાં રહેલા ગુણતત્ત્વને નુકસાન ન થાય એની કાળજી લે. સ્વીકાર્યા પછી માત્ર નિયત સ્થાને ગોઠવણીનું કામ જ તંત્રીને ઘણુંખરું રહે – એમ નહિ; અહીં તો એ કૃતિના વાચને જે પ્રસ્નો જાગે એનો અભ્યાસ તંત્રી પોતે કરવા લાગે. ચર્ચા કરે. પત્રો લખે. વાંચે, લેખકનું ધ્યાન દોરે. તારવે. ચિત્રો-મથાળાં વગેરે વિચારે. તૈયાર કરવા જેવી જરૂરી નોંધો કરે. અને એમ કૃતિ છેલ્લો આકાર પામે. નવા કવિનું તો ઝીણવટથી વાંચે, ને જવાબે. કોઈ પણ કૃતિ બે-વાર વાચન વિનાની પાછી કરાઈ નથી કે લેવાઈ નથી. બચુભાઈ જાણે કવિતાને રીતસર સેવે! (કૃતિ સ્વીકારાયા પછી પ્રગટતાં પણ, એટલે જ વાર લાગે.) એમણે સ્વીકારેલી કરતાં વણસ્વીકારેલી કવિતાનું પ્રમાણ સેંકડોગણું હશે! કોઈ કાવ્યપ્રેમીએ સર્જાતી કવિતાને આટલી ધીરજથી, આટલો સમય ફાળવીને, આટલી ચાહીચાહીને આટલા શ્રમપૂર્વક નહિ જ વાંચી હોય! અજોડ એમનો કાવ્યાનુરાગ. એક વાર હસતાં હસતાં કહે. ‘આ મારા વાળ ધોળા થઈ ગયા હોય તો તે ‘કુમાર’થી નહિ, કવિતાથી.’ બચુભાઈ ‘સાહિત્યકાર’ નહોતા, પણ એમના વિનાનું સાહિત્યક્ષેત્ર કલ્પવું મુશ્કેલ છે! સાત્યિકાર ન હોવા છતાં સાહિત્યનો ઈતિહાસ રચવામાં-કવિઓ, ચિત્રકારો, લલિત નિબંધકારો આપીને, સાહિત્યની સૃષ્ટિ સમગ્ર પર આંખ રાખતા રહીને, કલમથી નહિ, આંખથી વ્યાપનાર આવા કેટલા? રણજિતરામ... હાજીમહમ્મદ...પછી? આ. સાહિત્યકાર નહિ છતાં સવાઈ સાહિત્યકાર!

[કુમાર, ઑક્ટો.-નવે. ૧૯૮૧]
કનુભાઈ જાની
 
૨.
આ વાતું નોખિયું

એ જ વરસે પ્રો. ઉમેદભાઈના પોસ્ટકાર્ડ આવે, નવા નવા ગ્રાહકોનાં નામ સાથે. પચાસે પહોંચ્યા. હું કહું ‘ભાઈ, આ ‘આ જા ફસા જા’ શા માટે ચલાવો છો? બીજે વરસે એમણે પૂછ્યું, ‘કેટલા ચાલુ રહ્યા? ‘કોઈક રડ્યા ખડ્યા!’ આપણાં લક્ષણ એવાં, ગ્રાહકોનો શો દોષ? સદ્‌ગત રમણલાલ શેઠ (પછીથી ‘જનસત્તા’ના તંત્રી)ને સૂઝ્‌યું, ‘દૈનિકમાં જાહેરાત કરીએ.’ ‘કરો, ભાઈ.’ એક દૈનિકમાં તંત્રીલેખ સામેના પાને અવારનવાર જાહેરખબર છપાવી. ‘કેટલા ગ્રાહકો વધ્યા?’ ‘એકે નહીં.’ આ કયો એવો માલ હતો કે છાપામાં નજર ફેરવનારા નાગરિકની આંખને પકડે અને એ મળે નહીં ત્યાં સુધી એને અન્નપાણી તજવા મજબૂર બનાવે! આ વાતું નોખિયું. એમ વગર સમજે કાંઈ હૃદયભંગ થવાતું હશે. મગજમાં તેમ છતાં રાઈ રાખીને ચાલવું જોઈએ કે જેને આ પદાર્થનો ચસકો છે તે ભર્યે ભાણે બેઠો હશે ને ટપાલમાં આ ટપકી પડ્યું તો આખા પર નજર નાખ્યા વગર આગળ કોળિયો ભરી શકશે નહીં...

[સંસ્કૃતિ, ઑક્ટો.-ડિસે.-૧૯૮૪]
ઉમાશંકર જોશી
 
૩.
પ્રથમ અંકનો ઉત્સવ

પહેલો અંક ૨૬મી જાન્યુઆરી ૧૯૪૭ના સ્વાતંત્ર્યદિને પ્રગટ કરવાનું ઠરાવ્યું. દરમ્યાન એક આશ્ચર્યકારક ઘટના બની. સરકારે કાગળ આપવાની હા પાડી. બે મહિના પહેલાં સરકારી જાહેરાત આવેલી કે અત્યાર સુધી કાગળની માગણી કરતી જે અરજીઓ આવી છે તે રદ છે. અને હવેથી કોઈ અરજી આવશે તો તેની તરફ લક્ષ આપવામાં આવશે નહીં. મેં આ વાંચીને એક જ વાક્યનો કાગળ લખ્યો કે, આવતીસાલ સ્થપાનારા કોઈ મોટા ઉદ્યોગ અંગેની આખું પાનું ભરેલી જાહેરખબરના કોઈ મોટા ઉદ્યોગ અંગેની આખું પાનું ભરેલી જાહેરખબરના કોઈ એક જ અંગ્રેજી દૈનિકમાં માત્ર એક જ વાર થતા પ્રકાશનમાં જેટલો કાગળ વપરાય તેથી ઓછો કાગળ એક વિદ્યાકીય સામયિકને આખા વરસ માટે જોઈએ છે, જે તમે મંજૂર કરો એ જ બરોબર થશે. પોતાનો મનાઈહુકમ નેવે મૂકી સરકારે કાગળ આપ્યો! પણ હવે પાછો અમદાવાદમાં ક્યાં પ્રેસ શોધું? કાગળ પણ કેવા બરનો મળે? વડોદરા તૈયારીઓ થઈ ગઈ હતી. અત્યંત ઊંચા પ્રકારના સ્વીડનના કાગળ ઉપર પહેલો અંક બહાર પડ્યો. (મારી કોઈ ચોપડી એટલા સારા કાગળ ઉપર છપાઈ નથી.)

[સંસ્કૃતિ, ઑક્ટો.-ડિસે.-૧૯૮૪]
ઉમાશંકર જોશી
 

ડાબે
જમણે
મધ્ય

Horizontal rule.


Left

Horizontal rule at the end of the page.

Create

Center template