ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/જોશી સાંકળેશ્વર આશારામનું જીવનચરિત્ર
જોશી સાંકળેશ્વર આશારામનો જન્મ આશરે સંવત ૧૮૭૧ની સાલમા થયો હતેા. અને જાતે રાયકવાળ બ્રાંમણ હતા. જોશીજીનો જન્મ અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે હાલમા જ્યાં મોરલીધરનું મંદીર છે તેમા થયો હતો. એમનું અસલ ગાંમ વેહેલાળ નામે છે. આં વેલાળ ગામથી જોશીજીના બાપના બાપ નરભેરાંમ જોશી અહીં રેહેવા આવ્યા હતા. ઉપર બતાવેલું મકાન ગાયકવાડ સરકારના સુબા કાકા સાહેબે જોશીજીના દાદા નરભેરામને રેહેવા આપ્યું હતું. જોશી નરભેરામ કડીના મલ્લારાવ ગાયકવાડને ત્યાં નોકરીમાં જોશી તરીકે રહ્યા હતા. કડીવાળા મલ્લારાવે નરભેરામ જોશીને સીધા બાંધી આપ્યાં હતાં. કડીવાળા મલ્લારાવ ગાયકવાડનું વડોદરાના ગાયકવાડ સરકારે ઈંગ્રેજ સરકારની મદદથી રાજ જીતી લીધું ત્યારે નરભેરામ જોશીને કડીવાળા મલ્લારાવે જે સીધાં બાંધ્યાં હતા તે વંશપરંપરાનાં હોવાથી વડોદરા સરકારે રૂ. ૨૭૪) અંકે બસો ચ્યુવોતેર જોશી સાંકળેશ્વરને મળતા હતા. જોશી સાંકળેશ્વરે સંસકૃતમા કૌમોદી સુધી વ્યાકરણ તથા ગણીતમાં લીલાવતી સુધી અભ્યાસ કરેલો હતો. અને નવા શ્લોકો બનાવી શકતા હતા જોશીજી ભુગોળ તથા ખગોળ શાસ્ત્ર જાણતા હતા. અને કેટલીક બાબતો રા. રા. ભોગીલાલ પ્રાણવલવદાસ જોશીજી મીત્ર હોવાથી તેમની પાસેથી શીખ્યા હતા. જોશીજી શેતરંજ રમવામાં બહુ ચતુર હતા. આ રમતમાં તો તે સામા માંણસને પહેલેથી કહેતા કે આપ્યા દલથી તમને હું માહાત કરીશ. ઉસમલ્લી સુધી રમી જાણતા હતા. જોશીજી ઘડીઆળ રીપેર કરવાનું કાંમ નવાં ઘડીઆળ બનાવવાનું કાંમ જાંણતા હતા. જોશીજીએ પહેલ વહેલું જ્યોતીશશાસ્ત્ર જેમાં ચંદ્ર સુર્ય તથા બધા ગ્રહો ફરતા માલમ પડે તેવું ઘડીઆળ ભરૂચમાં સંગ્રહસ્થાનમાં મુક્યું હતું. તે વખતે આપણા કલેક્ટર સાહેબ મી. હો૫ કરીને હતા. જોશીજીએ એક ઘડીઆળ ભાવનગરના રાજા સાહેબને બધા ગ્રહોવાળુ બનાવી આપ્યું હતું અને તેની કીમતના રૂા.૧૫૦૦) મળ્યા હતા. જોશીજી અમદાવાદ માં વરનાક્યુલર સોસાઇટીમાં થોડા દહાડા લેખ લખવાનું કાંમ કરેલું અને સોની નીબંધ તથા કીમયા કપટ નીબંધ લખેલા હતા. જોશીજી હાલમાં જે ભદ્રમા ઘડીઆળ છે તે ઘડીઆળને ચાલુ રાખવાનું ઘણા વરશો સુધી કાંમ કરેલુ છે. જોશીજીને કોટાના રાજાસાહેબે કોટામાં ગ્રહ વેધશાળા હતી તેને સુધારવા માટે તેડાવ્યા હતા ત્યાં જતાં વચમાં ઉદેપુર આવવાથી ઉદેપુરમાં ઉતર્યા હતા અને ત્યાં રાંણાજીનો મેળાપ થયો. રાંણાજીએ આ ઘણા વીધ્વાંન છે એમ સમજીને જોશીજીને દરરોજના રૂપૈઆ ત્રણની સણંદ રાંણાજીએ કરી આપી હતી. જેશીજી કોટે પોચ્યા પછી એમના પુત્ર ભવાંનીશંકરને કોલેરા થવાથી તે ગુજરી ગયો તેથી જોશી કોટેથી પાછા અમદાવાદ આવી ગયા. જોશીજીએ ઈજનેર તરીકે હાલ જ્યાં માધવભાઈની મીલ છે ત્યાં જીન હતું ત્યાં નોકરીમાં હતા. જોશીજીએ પોતાની નાતની કુળદેવતા લલીતાંબાની ઉજાણી વૈશાક શ્રુદ ૬ ને થાય તેથી રૂ. ૧૩૦૦) વ્યાજે મુકેલ તેના વ્યાજમાંથી આજ સુધી ઉજાંણી નાત થાય છે. જોશીજીએ વડોદરામાં ગણપતરાવ ગાયકવાડની વખતમાં દુભાશીયાની નોકરીમાં હતા. હેમની નોકરી ગાયકવાડ સરકાર પોતેશ્રી મુખે જે કહે તે રીસીડંન્ટ સાહેબને કહેવું અને સાહેબ કહે તે ગાયકવાડ સરરારને કેહેવું. આ વખતે ગોવીદરાવ રોઢીયા દીવાન હતા. જોશીજીતા આ પ્રમાણે મીત્રો હતા. રા. રણછોડલાલ છોટાલાલ તથા રા. ભોળાનાથ સારાભાઈ તથા રા. મહીપતરાંમ રૂપરાંમ તથા શેઠ મયાભાઇ પ્રેમાભાઇ તથા શેઠ જેસંગભાઈ હઠીસંઘ, શા. અચરતલાલ ગીરધરલાલ વેરાગી, તથા શા. દામોદરદાસ માહોલાલ શોધન, તથા નગીનદાસ પ્રેમચંદ પતાસાની પોળવાળા. જોશીજી છેવટની વખતમાં ધ્રાંગધ્રાના મહારાજા રાજસાહેબ માંનસીહજીને ત્યાં નોકરીમાં રહ્યા હતા અને માહારાજા રાજસાહેબે જોશીજીને પગારના માસ એકના રૂ. ૭૫] પંચ્યોતેર તથા દરરોજનાં પાંચ સીધાં બાંધી આપ્યાં હતાં અને દશ વરસ ત્યાં રહ્યા હતા અને રાજસાહેબ બહુ માંન રાખતા હતા. છેવટે જોશીજીએ પોતાની મીલકતનુ એક વુઇલ કર્યું હતું તે વુઈલમાં આશરે પચીશ હઝારની મીલકત મુકીને સંવત ૧૯૪૬ ના ભાદરવા વદ ૭ દેવલોક થયા. અને પોતાની પાછળ કટુંબમાં તેમની સ્ત્રી તથા પોતાના પુત્રની સ્ત્રી મુકી ગયા છે. પોતે જે વુઇલ કર્યું છે તેમાં મુખ્ય ત્રષ્ટી તરીકે રણછોડલાલ છોટાલાલ તથા માધવલાલ રણછોડલાલ તથા ગોપીલાલ મણીલાલ તથા જયાનંદ જેશંકર વીગરે અગીઆર ત્રટ્ટીઆ કરેલા છે અને બધી મીલકત બ્રાંમણ ભોજનમાં વાપરવાની નકી કરી ગયા છે. આ બધી હકીકત જોશીજીની પાસે રેહેનાર હું જયાનંદ જેશંકર જેટલો વાકેફ હતો તેટલી જણાવી છે.
તા. ૧૮–૩–૩૩.