સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઘડપણ કેણે મોકલ્યું
Jump to navigation
Jump to search
૮. ઘડપણ કેણે મોકલ્યું
નરસિંહ મહેતા
ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ટેક
ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ;
નહોતું જોઈતું ને શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ;
નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે શેવ;
પ્રાતઃકાળે પ્રાણ મારા રે, અન્ન વિના અકળાય;
દીકરા તો જૂજવા થયા રે, વહુઓ દે છે ગાળ; ૧૦
નવ નાડો જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ;
અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર;
એવું સાંભળી પ્રભુ ભજો રે, સંભારજો જગનાથ;
સ્વાધ્યાય
૧. કૃષ્ણ અને ગોપીનું વર્ણન આપો.
૨. મટુકીમાં ગોપીએ શું જોયું?
૩. રાસનું વર્ણન કરો.
૪. કૃષ્ણ કેમ આવતા નથી તે વિષે બે ભરવાડો વચ્ચે સંવાદ રચો.
૫. ઘડપણ વિષે નરસિંહ મહેતો શું કહે છે?
૬. આ ગીતોમાંથી કોઈ પણ એક ગીત તમને શા માટે ગમ્યું, એમાંનાં ક્યાં ચિત્ર, કઈ લીટીઓ, કયા શબ્દ, ઢાળ, વગેરે ગમી ગયાં તે કહો.
૭. છેલ્લું અને બીજાં કોઈ પણ બે કાવ્ય કંઠસ્થ કરો.