સાહિત્ય પલ્લવ – ભાગ ૩/દુ:ખે દૂબળાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨. દુ:ખે દૂબળાં

શાંતિદાસ

ક્યારે મળશે કાન, જોશીડા, જોશ જુઓની.

સાત સોપારી ને પાનનું બીડું, જાઉં રે જોશીડાને ધામ.
જોશીડા૦


દુ:ખે તારે અમે દૂબળાં રે, જાણે પાકું પાન.
જોશીડા૦


દુ:ખડું તો રે ડુંગર થઈ બેઠું, સુખડું સ્વર્ગ સમાન.
જોશીડા૦


શાંતિદાસનો સ્વામી રસિક શિરોમણિ, ઘેરી રહ્યો સારું ગામ.
જોશીડા૦