રસસિદ્ધાંત—એક પરિચય/સંસ્કૃત અલંકારશાસ્ત્ર અને રસવિચારની ભૂમિકાઓ: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
(૩) મમ્મટ (ઈ.સ. ૧૦૫૦–૧૧૦૦ વચ્ચે હયાત)થી જગન્નાથ (ઈ.સ. ૧૬૨૦–૧૬૬૫ વચ્ચે હયાત) સુધીનો સમય. | (૩) મમ્મટ (ઈ.સ. ૧૦૫૦–૧૧૦૦ વચ્ચે હયાત)થી જગન્નાથ (ઈ.સ. ૧૬૨૦–૧૬૬૫ વચ્ચે હયાત) સુધીનો સમય. | ||
આ પૈકી પહેલા તબક્કામાં લોલ્લટ અને શ્રીશંકુક આવે છે. ભરતના સૂત્રનું તેમણે પોતપોતાની આગવી દૃષ્ટિએ અર્થઘટન કર્યું. આ સમયે સંસ્કૃતમાં અલંકારશાસ્ત્રની અલગ પરંપરા બંધાઈ રહી હતી. એમાં દંડી (ઈ.સ. ૬૬૦–૬૮૦ વચ્ચે હયાત), ભામહ (ઈ.સ. ૭૦૦–૭૫૦ વચ્ચે હયાત), ઉદ્ભટ (ઈ.સ. ૭૫૦–૮૫૦ વચ્ચે હયાત), વામન (ઈ.સ. ૮૦૦ની આસપાસ) અને રુદ્રટ (ઈ.સ. ૮૨૫–૮૭૫ વચ્ચે હયાત) જેવા આલંકારિકોનું મહત્ત્વનું અર્પણ રહ્યું છે. | આ પૈકી પહેલા તબક્કામાં લોલ્લટ અને શ્રીશંકુક આવે છે. ભરતના સૂત્રનું તેમણે પોતપોતાની આગવી દૃષ્ટિએ અર્થઘટન કર્યું. આ સમયે સંસ્કૃતમાં અલંકારશાસ્ત્રની અલગ પરંપરા બંધાઈ રહી હતી. એમાં દંડી (ઈ.સ. ૬૬૦–૬૮૦ વચ્ચે હયાત), ભામહ (ઈ.સ. ૭૦૦–૭૫૦ વચ્ચે હયાત), ઉદ્ભટ (ઈ.સ. ૭૫૦–૮૫૦ વચ્ચે હયાત), વામન (ઈ.સ. ૮૦૦ની આસપાસ) અને રુદ્રટ (ઈ.સ. ૮૨૫–૮૭૫ વચ્ચે હયાત) જેવા આલંકારિકોનું મહત્ત્વનું અર્પણ રહ્યું છે. | ||
ભામહે પોતાના ‘કાવ્યાલંકાર’ના ત્રીજા પરિચ્છેદમાં ‘પ્રેયઃ’, ‘રસવત્’, ‘ઊર્જસ્વિત્’ અને ‘સંહિત’ અલંકારોનું નિરૂપણ કર્યું છે.૮ ‘રસવત્’ની વ્યાખ્યા આપતાં તેમણે કહ્યું છે કે એવા જે અલંકારોમાં શૃંગાર આદિ રસોનું સ્ફુટ રૂપમાં આવિષ્કરણ થયું હોય તે ‘રસવત્’ છે. ભામહે ‘રસ’ની સંજ્ઞા અન્યત્ર પણ પ્રયોજી છે, પણ ત્યાં તેને ‘રસ’થી કાવ્યરસનો સર્વસામાન્ય ખ્યાલ અભિપ્રેત હોય એમ જણાશે. ‘પ્રેયઃ’, ‘સંહિત’ અને ‘ઊર્જસ્વિત્’ની વ્યાખ્યા તેમણે આપી નથી. એટલું સમજાય છે કે રસ વિશે તેમને કોઈક સામાન્ય ખ્યાલ હતો. જોકે તેની વિગતે વિચારણા તેમણે આપી નથી. એટલું સ્પષ્ટ છે કે ભાવનું આલંબન લેનારા અલંકારો નીચે તેમણે રસને સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. અલબત્ત, મહાકાવ્યનાં લક્ષણોનો નિર્દેશ કરતાં ‘સકલ રસો’નો ખ્યાલ તેઓ પ્રગટ કરે છે ખરા. | ભામહે પોતાના ‘કાવ્યાલંકાર’ના ત્રીજા પરિચ્છેદમાં ‘પ્રેયઃ’, ‘રસવત્’, ‘ઊર્જસ્વિત્’ અને ‘સંહિત’ અલંકારોનું નિરૂપણ કર્યું છે.૮<ref>૮-૧૨. ડૉ. તપસ્વી નાન્દીની ઉપરોક્ત ગ્રંથની ચર્ચાને આધારે,</ref> ‘રસવત્’ની વ્યાખ્યા આપતાં તેમણે કહ્યું છે કે એવા જે અલંકારોમાં શૃંગાર આદિ રસોનું સ્ફુટ રૂપમાં આવિષ્કરણ થયું હોય તે ‘રસવત્’ છે. ભામહે ‘રસ’ની સંજ્ઞા અન્યત્ર પણ પ્રયોજી છે, પણ ત્યાં તેને ‘રસ’થી કાવ્યરસનો સર્વસામાન્ય ખ્યાલ અભિપ્રેત હોય એમ જણાશે. ‘પ્રેયઃ’, ‘સંહિત’ અને ‘ઊર્જસ્વિત્’ની વ્યાખ્યા તેમણે આપી નથી. એટલું સમજાય છે કે રસ વિશે તેમને કોઈક સામાન્ય ખ્યાલ હતો. જોકે તેની વિગતે વિચારણા તેમણે આપી નથી. એટલું સ્પષ્ટ છે કે ભાવનું આલંબન લેનારા અલંકારો નીચે તેમણે રસને સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. અલબત્ત, મહાકાવ્યનાં લક્ષણોનો નિર્દેશ કરતાં ‘સકલ રસો’નો ખ્યાલ તેઓ પ્રગટ કરે છે ખરા. | ||
દંડીએ પણ ભામહની જેમ જ ‘રસવત્’, ‘પ્રેયઃ’ આદિ ચાર અલંકારોમાં જ રસને સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે.૯ અલબત્ત, ભામહની સરખામણીમાં દંડી રસનો વિશેષ મહિમા કરે છે. આ અલંકારોનું તેમણે જે રીતે નિરૂપણ કર્યું છે તેમાંથી આ વસ્તુ સમજાય છે. ભામહની જેમ દંડી મહાકાવ્યમાં રસો અને ભાવોની અનિવાર્યતા તરફ લક્ષ દોરે છે. | દંડીએ પણ ભામહની જેમ જ ‘રસવત્’, ‘પ્રેયઃ’ આદિ ચાર અલંકારોમાં જ રસને સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે.૯<ref>૮-૧૨. ડૉ. તપસ્વી નાન્દીની ઉપરોક્ત ગ્રંથની ચર્ચાને આધારે,</ref> અલબત્ત, ભામહની સરખામણીમાં દંડી રસનો વિશેષ મહિમા કરે છે. આ અલંકારોનું તેમણે જે રીતે નિરૂપણ કર્યું છે તેમાંથી આ વસ્તુ સમજાય છે. ભામહની જેમ દંડી મહાકાવ્યમાં રસો અને ભાવોની અનિવાર્યતા તરફ લક્ષ દોરે છે. | ||
વામન૧૦ આ અલંકારોની ચર્ચા કરતા નથી. તેઓ ‘કાન્તિ’ નામના ‘અર્થગુણ’માં રસતત્ત્વને સમાવી લેવા ચાહે છે. વામનના મતે કાવ્યમાં ‘ગુણ’ એ નિત્ય ધર્મ છે, જ્યારે ‘અલંકાર’ અનિત્ય છે. રસ તત્ત્વને ‘ગુણ’માં સમાવી લેવાનો તેમનો પ્રયત્ન એ રીતે ધ્યાનપાત્ર છે. | વામન૧૦<ref>૮-૧૨. ડૉ. તપસ્વી નાન્દીની ઉપરોક્ત ગ્રંથની ચર્ચાને આધારે,</ref> આ અલંકારોની ચર્ચા કરતા નથી. તેઓ ‘કાન્તિ’ નામના ‘અર્થગુણ’માં રસતત્ત્વને સમાવી લેવા ચાહે છે. વામનના મતે કાવ્યમાં ‘ગુણ’ એ નિત્ય ધર્મ છે, જ્યારે ‘અલંકાર’ અનિત્ય છે. રસ તત્ત્વને ‘ગુણ’માં સમાવી લેવાનો તેમનો પ્રયત્ન એ રીતે ધ્યાનપાત્ર છે. | ||
ઉદ્ભટે૧૧ રસતત્ત્વનો અલંકારના આશ્રયે જ વિચાર કર્યો છે, પણ તેમની રસ વિશેની સમજ વધુ સૂક્ષ્મ દેખાય છે. ભરતના રસવિચારની ‘અનુભાવ’ આદિ સંજ્ઞાઓ પણ તેમણે પ્રયોજી છે. તે પરથી લાગે છે કે ભરતની સૈદ્ધાન્તિક ભૂમિકાથી તેઓ પરિચિત હતા. | ઉદ્ભટે૧૧<ref>૮-૧૨. ડૉ. તપસ્વી નાન્દીની ઉપરોક્ત ગ્રંથની ચર્ચાને આધારે,</ref> રસતત્ત્વનો અલંકારના આશ્રયે જ વિચાર કર્યો છે, પણ તેમની રસ વિશેની સમજ વધુ સૂક્ષ્મ દેખાય છે. ભરતના રસવિચારની ‘અનુભાવ’ આદિ સંજ્ઞાઓ પણ તેમણે પ્રયોજી છે. તે પરથી લાગે છે કે ભરતની સૈદ્ધાન્તિક ભૂમિકાથી તેઓ પરિચિત હતા. | ||
રુદ્રટમાં૧૨ રસની વિચારણા એથીયે વધુ આમેજ થઈ જતી દેખાશે. અલંકારોની સંખ્યામાં ‘રસવત્’ આદિને તેઓ ગણાવતા નથી. પણ કાવ્યને માટે ‘સ–રસમ્’ એેવો પ્રયોગ કરે છે. જોકે રુદ્રટ એ દ્વારા કવિતાના સર્વસામાન્ય લક્ષણનો નિર્દેશ કરવા ચાહે છે, કે પછી ભામહ અને દંડીની જેમ માત્ર મહાકાવ્યના સંદર્ભે જ એક લક્ષણ તરીકે સ્વીકારે છે તે બરોબર સ્પષ્ટ થતું નથી. તેમણે પાછળનાં પ્રકરણોમાં નાયકનાયિકાની ચર્ચા સાથે રસના વિષયને પણ છેડ્યો છે. એમ કહી શકાય કે નાટ્યશાસ્ત્રની પ્રસ્તુત વિગતો અહીં તેમણે રજૂ કરી છે. કવિતામાં વિવિધ રસોનું નિરૂપણ કરવું જોઈએ એમ પણ તેઓ કહે છે. આ રીતે નાટકનું પ્રાણતત્ત્વ કવિતામાં પણ પ્રતિષ્ઠિત થતું દેખાય છે. | રુદ્રટમાં૧૨<ref>૮-૧૨. ડૉ. તપસ્વી નાન્દીની ઉપરોક્ત ગ્રંથની ચર્ચાને આધારે,</ref> રસની વિચારણા એથીયે વધુ આમેજ થઈ જતી દેખાશે. અલંકારોની સંખ્યામાં ‘રસવત્’ આદિને તેઓ ગણાવતા નથી. પણ કાવ્યને માટે ‘સ–રસમ્’ એેવો પ્રયોગ કરે છે. જોકે રુદ્રટ એ દ્વારા કવિતાના સર્વસામાન્ય લક્ષણનો નિર્દેશ કરવા ચાહે છે, કે પછી ભામહ અને દંડીની જેમ માત્ર મહાકાવ્યના સંદર્ભે જ એક લક્ષણ તરીકે સ્વીકારે છે તે બરોબર સ્પષ્ટ થતું નથી. તેમણે પાછળનાં પ્રકરણોમાં નાયકનાયિકાની ચર્ચા સાથે રસના વિષયને પણ છેડ્યો છે. એમ કહી શકાય કે નાટ્યશાસ્ત્રની પ્રસ્તુત વિગતો અહીં તેમણે રજૂ કરી છે. કવિતામાં વિવિધ રસોનું નિરૂપણ કરવું જોઈએ એમ પણ તેઓ કહે છે. આ રીતે નાટકનું પ્રાણતત્ત્વ કવિતામાં પણ પ્રતિષ્ઠિત થતું દેખાય છે. | ||
રસવિચારના બીજા તબક્કામાં આનંદવર્ધન (ઈ.સ. ૮૫૦–૮૭૫ વચ્ચે હવાત), ભટ્ટ નાયક (ઈ.સ. ૯૩૫–૯૮૫ વચ્ચે હયાત), રાજશેખર (ઈ.સ. ૯૦૦–૯૨૫ વચ્ચે હયાત), ભટ્ટ તૌત (ઈ.સ. ૯૫૦–૯૮૦ વચ્ચે હયાત), કુંતક (ઈ.સ. ૯૫૦–૧૦૦૦ વચ્ચે), અભિનવગુપ્ત (ઈ.સ. ૯૮૦–૧૦૨૦ વચ્ચે), ધનંજય (ઈ.સ. ૯૭૪–૯૯૬ વચ્ચે), ક્ષેમેન્દ્ર (ઈ.સ. ૯૯૦–૧૦૬૬ વચ્ચે), ભોજ (ઈ.સ. ૧૦૦૫–૧૦૫૪ વચ્ચે), મહિમ ભટ્ટ (ઈ.સ. ૧૦૫૦–૧૧૦૦) જેવા એકમેકથી ભિન્ન પણ તેજસ્વી પ્રતિભાવાળા આચાર્યોની એક નક્ષત્રમાળા જોવા મળે છે. | રસવિચારના બીજા તબક્કામાં આનંદવર્ધન (ઈ.સ. ૮૫૦–૮૭૫ વચ્ચે હવાત), ભટ્ટ નાયક (ઈ.સ. ૯૩૫–૯૮૫ વચ્ચે હયાત), રાજશેખર (ઈ.સ. ૯૦૦–૯૨૫ વચ્ચે હયાત), ભટ્ટ તૌત (ઈ.સ. ૯૫૦–૯૮૦ વચ્ચે હયાત), કુંતક (ઈ.સ. ૯૫૦–૧૦૦૦ વચ્ચે), અભિનવગુપ્ત (ઈ.સ. ૯૮૦–૧૦૨૦ વચ્ચે), ધનંજય (ઈ.સ. ૯૭૪–૯૯૬ વચ્ચે), ક્ષેમેન્દ્ર (ઈ.સ. ૯૯૦–૧૦૬૬ વચ્ચે), ભોજ (ઈ.સ. ૧૦૦૫–૧૦૫૪ વચ્ચે), મહિમ ભટ્ટ (ઈ.સ. ૧૦૫૦–૧૧૦૦) જેવા એકમેકથી ભિન્ન પણ તેજસ્વી પ્રતિભાવાળા આચાર્યોની એક નક્ષત્રમાળા જોવા મળે છે. | ||
આ પૈકી આનંદવર્ધન ધ્વનિસિદ્ધાંતના પ્રવર્તક તરીકે જાણીતા બન્યા છે અને રસતત્ત્વની વિચારણામાં તેઓ આગવી રીતે અર્પણ કરી રહ્યા છે એમ જોઈ શકાશે. તેમણે ધ્વનિના ત્રણ મુખ્ય ભેદો પાડ્યા છે. વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસધ્વનિ. એમાં રસધ્વનિ ભાવની વ્યંજના પર નિર્ભર છે એમ તેમણે પ્રતિપાદિત કર્યું. એ રીતે રસચર્ચાને નવું જ પરિમાણ તેઓ અર્પી શક્યા. | આ પૈકી આનંદવર્ધન ધ્વનિસિદ્ધાંતના પ્રવર્તક તરીકે જાણીતા બન્યા છે અને રસતત્ત્વની વિચારણામાં તેઓ આગવી રીતે અર્પણ કરી રહ્યા છે એમ જોઈ શકાશે. તેમણે ધ્વનિના ત્રણ મુખ્ય ભેદો પાડ્યા છે. વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસધ્વનિ. એમાં રસધ્વનિ ભાવની વ્યંજના પર નિર્ભર છે એમ તેમણે પ્રતિપાદિત કર્યું. એ રીતે રસચર્ચાને નવું જ પરિમાણ તેઓ અર્પી શક્યા. | ||
| Line 19: | Line 19: | ||
રસવિચારનો ત્રીજો અને છેલ્લો તમક્કો મમ્મટથી શરૂ થઈ જગન્નાથમાં પૂરો થાય છે. આ સમયગાળામાં મમ્મટ (ઈ.સ. ૧૦૫૦–૧૧૦૦ વચ્ચે હયાત), હેમચન્દ્ર (ઈ.સ. ૧૦૮૮–૧૧૭૨ વચ્ચે), રૂય્યક (ઈ.સ. ૧૧૨૫–૧૧૫૦ વચ્ચે), શારદાતનય (ઈ.સ. ૧૧૭૫–૧૨૫૦ વચ્ચે), વિશ્વનાથ (ઈ.સ. ૧૩૦૦–૧૩૮૦ વચ્ચે) અને જગન્નાથ (ઈ.સ. ૧૬૨૦–૧૬૬૫ વચ્ચે) જેવા બીજા અનેક પ્રતિભાશાળી આચાર્યોની સાહિત્યવિચારણા આપણને પ્રાપ્ત થાય છે. સાહિત્ય વિશે સર્વથા નવા મૌલિક સિદ્ધાંતની સ્થાપના કરવા કરતાંયે પુરોગામી આચાર્યોની સાહિત્યવિચારણાના મહત્ત્વના ખ્યાલો સાંકળી લઈને તેમાંથી શક્ય તેટલો વ્યાપક અને સર્વગ્રાહી સાહિત્યસિદ્ધાંત રચવાની દિશામાં આ આચાર્યોને પુરુષાર્થ રહ્યો છે. મમ્મટનો પ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્યપ્રકાશ’ આ જાતના સમન્વિત વિચારનું ઉત્તમ દૃષ્ટાંત છે. મમ્મટે એમાં અસંલક્ષ્યક્રમધ્વનિ લેખે રસની ટૂંકી પણ વિશદ વિચારણા રજૂ કરી છે. વિશ્વનાથે પોતાના ગ્રંથ ‘સાહિત્યદર્પણ’માં રસને કવિતાના જીવિત તરીકે ઓળખાવ્યો છે. હેમચંદ્ર અને જગન્નાથની વિચારણામાં પણ રસનો વિશેષ સ્વીકાર છે. | રસવિચારનો ત્રીજો અને છેલ્લો તમક્કો મમ્મટથી શરૂ થઈ જગન્નાથમાં પૂરો થાય છે. આ સમયગાળામાં મમ્મટ (ઈ.સ. ૧૦૫૦–૧૧૦૦ વચ્ચે હયાત), હેમચન્દ્ર (ઈ.સ. ૧૦૮૮–૧૧૭૨ વચ્ચે), રૂય્યક (ઈ.સ. ૧૧૨૫–૧૧૫૦ વચ્ચે), શારદાતનય (ઈ.સ. ૧૧૭૫–૧૨૫૦ વચ્ચે), વિશ્વનાથ (ઈ.સ. ૧૩૦૦–૧૩૮૦ વચ્ચે) અને જગન્નાથ (ઈ.સ. ૧૬૨૦–૧૬૬૫ વચ્ચે) જેવા બીજા અનેક પ્રતિભાશાળી આચાર્યોની સાહિત્યવિચારણા આપણને પ્રાપ્ત થાય છે. સાહિત્ય વિશે સર્વથા નવા મૌલિક સિદ્ધાંતની સ્થાપના કરવા કરતાંયે પુરોગામી આચાર્યોની સાહિત્યવિચારણાના મહત્ત્વના ખ્યાલો સાંકળી લઈને તેમાંથી શક્ય તેટલો વ્યાપક અને સર્વગ્રાહી સાહિત્યસિદ્ધાંત રચવાની દિશામાં આ આચાર્યોને પુરુષાર્થ રહ્યો છે. મમ્મટનો પ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્યપ્રકાશ’ આ જાતના સમન્વિત વિચારનું ઉત્તમ દૃષ્ટાંત છે. મમ્મટે એમાં અસંલક્ષ્યક્રમધ્વનિ લેખે રસની ટૂંકી પણ વિશદ વિચારણા રજૂ કરી છે. વિશ્વનાથે પોતાના ગ્રંથ ‘સાહિત્યદર્પણ’માં રસને કવિતાના જીવિત તરીકે ઓળખાવ્યો છે. હેમચંદ્ર અને જગન્નાથની વિચારણામાં પણ રસનો વિશેષ સ્વીકાર છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Revision as of 15:45, 3 February 2026
ભરતથી જગન્નાથ સુધીની રસવિચારણાના ત્રણ મુખ્ય તબક્કાઓ જોઈ શકાય : (૧) ભરતથી રુદ્રટ (ઈ.સ. ૮૨૫–૮૭૫ના સમયગાળામાં હયાત) સુધીનો સમયગાળો, એટલે કે ધ્વનિસિદ્ધાંતની સ્થાપના પહેલાંનો ગાળો. (૨) આનંદવર્ધન (ઈ.સ. ૮૫૦–૮૭૫ વચ્ચે હયાત)થી ભોજ (ઈ.સ. ૧૦૦૫–૧૦૫૪ વચ્ચે હયાત) સુધીનો સમય એટલે કે ધ્વનિસિદ્ધાંતની સ્થાપના અને તેની પ્રતિષ્ઠાનો ગાળો. (૩) મમ્મટ (ઈ.સ. ૧૦૫૦–૧૧૦૦ વચ્ચે હયાત)થી જગન્નાથ (ઈ.સ. ૧૬૨૦–૧૬૬૫ વચ્ચે હયાત) સુધીનો સમય. આ પૈકી પહેલા તબક્કામાં લોલ્લટ અને શ્રીશંકુક આવે છે. ભરતના સૂત્રનું તેમણે પોતપોતાની આગવી દૃષ્ટિએ અર્થઘટન કર્યું. આ સમયે સંસ્કૃતમાં અલંકારશાસ્ત્રની અલગ પરંપરા બંધાઈ રહી હતી. એમાં દંડી (ઈ.સ. ૬૬૦–૬૮૦ વચ્ચે હયાત), ભામહ (ઈ.સ. ૭૦૦–૭૫૦ વચ્ચે હયાત), ઉદ્ભટ (ઈ.સ. ૭૫૦–૮૫૦ વચ્ચે હયાત), વામન (ઈ.સ. ૮૦૦ની આસપાસ) અને રુદ્રટ (ઈ.સ. ૮૨૫–૮૭૫ વચ્ચે હયાત) જેવા આલંકારિકોનું મહત્ત્વનું અર્પણ રહ્યું છે. ભામહે પોતાના ‘કાવ્યાલંકાર’ના ત્રીજા પરિચ્છેદમાં ‘પ્રેયઃ’, ‘રસવત્’, ‘ઊર્જસ્વિત્’ અને ‘સંહિત’ અલંકારોનું નિરૂપણ કર્યું છે.૮[1] ‘રસવત્’ની વ્યાખ્યા આપતાં તેમણે કહ્યું છે કે એવા જે અલંકારોમાં શૃંગાર આદિ રસોનું સ્ફુટ રૂપમાં આવિષ્કરણ થયું હોય તે ‘રસવત્’ છે. ભામહે ‘રસ’ની સંજ્ઞા અન્યત્ર પણ પ્રયોજી છે, પણ ત્યાં તેને ‘રસ’થી કાવ્યરસનો સર્વસામાન્ય ખ્યાલ અભિપ્રેત હોય એમ જણાશે. ‘પ્રેયઃ’, ‘સંહિત’ અને ‘ઊર્જસ્વિત્’ની વ્યાખ્યા તેમણે આપી નથી. એટલું સમજાય છે કે રસ વિશે તેમને કોઈક સામાન્ય ખ્યાલ હતો. જોકે તેની વિગતે વિચારણા તેમણે આપી નથી. એટલું સ્પષ્ટ છે કે ભાવનું આલંબન લેનારા અલંકારો નીચે તેમણે રસને સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. અલબત્ત, મહાકાવ્યનાં લક્ષણોનો નિર્દેશ કરતાં ‘સકલ રસો’નો ખ્યાલ તેઓ પ્રગટ કરે છે ખરા. દંડીએ પણ ભામહની જેમ જ ‘રસવત્’, ‘પ્રેયઃ’ આદિ ચાર અલંકારોમાં જ રસને સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે.૯[2] અલબત્ત, ભામહની સરખામણીમાં દંડી રસનો વિશેષ મહિમા કરે છે. આ અલંકારોનું તેમણે જે રીતે નિરૂપણ કર્યું છે તેમાંથી આ વસ્તુ સમજાય છે. ભામહની જેમ દંડી મહાકાવ્યમાં રસો અને ભાવોની અનિવાર્યતા તરફ લક્ષ દોરે છે. વામન૧૦[3] આ અલંકારોની ચર્ચા કરતા નથી. તેઓ ‘કાન્તિ’ નામના ‘અર્થગુણ’માં રસતત્ત્વને સમાવી લેવા ચાહે છે. વામનના મતે કાવ્યમાં ‘ગુણ’ એ નિત્ય ધર્મ છે, જ્યારે ‘અલંકાર’ અનિત્ય છે. રસ તત્ત્વને ‘ગુણ’માં સમાવી લેવાનો તેમનો પ્રયત્ન એ રીતે ધ્યાનપાત્ર છે. ઉદ્ભટે૧૧[4] રસતત્ત્વનો અલંકારના આશ્રયે જ વિચાર કર્યો છે, પણ તેમની રસ વિશેની સમજ વધુ સૂક્ષ્મ દેખાય છે. ભરતના રસવિચારની ‘અનુભાવ’ આદિ સંજ્ઞાઓ પણ તેમણે પ્રયોજી છે. તે પરથી લાગે છે કે ભરતની સૈદ્ધાન્તિક ભૂમિકાથી તેઓ પરિચિત હતા. રુદ્રટમાં૧૨[5] રસની વિચારણા એથીયે વધુ આમેજ થઈ જતી દેખાશે. અલંકારોની સંખ્યામાં ‘રસવત્’ આદિને તેઓ ગણાવતા નથી. પણ કાવ્યને માટે ‘સ–રસમ્’ એેવો પ્રયોગ કરે છે. જોકે રુદ્રટ એ દ્વારા કવિતાના સર્વસામાન્ય લક્ષણનો નિર્દેશ કરવા ચાહે છે, કે પછી ભામહ અને દંડીની જેમ માત્ર મહાકાવ્યના સંદર્ભે જ એક લક્ષણ તરીકે સ્વીકારે છે તે બરોબર સ્પષ્ટ થતું નથી. તેમણે પાછળનાં પ્રકરણોમાં નાયકનાયિકાની ચર્ચા સાથે રસના વિષયને પણ છેડ્યો છે. એમ કહી શકાય કે નાટ્યશાસ્ત્રની પ્રસ્તુત વિગતો અહીં તેમણે રજૂ કરી છે. કવિતામાં વિવિધ રસોનું નિરૂપણ કરવું જોઈએ એમ પણ તેઓ કહે છે. આ રીતે નાટકનું પ્રાણતત્ત્વ કવિતામાં પણ પ્રતિષ્ઠિત થતું દેખાય છે. રસવિચારના બીજા તબક્કામાં આનંદવર્ધન (ઈ.સ. ૮૫૦–૮૭૫ વચ્ચે હવાત), ભટ્ટ નાયક (ઈ.સ. ૯૩૫–૯૮૫ વચ્ચે હયાત), રાજશેખર (ઈ.સ. ૯૦૦–૯૨૫ વચ્ચે હયાત), ભટ્ટ તૌત (ઈ.સ. ૯૫૦–૯૮૦ વચ્ચે હયાત), કુંતક (ઈ.સ. ૯૫૦–૧૦૦૦ વચ્ચે), અભિનવગુપ્ત (ઈ.સ. ૯૮૦–૧૦૨૦ વચ્ચે), ધનંજય (ઈ.સ. ૯૭૪–૯૯૬ વચ્ચે), ક્ષેમેન્દ્ર (ઈ.સ. ૯૯૦–૧૦૬૬ વચ્ચે), ભોજ (ઈ.સ. ૧૦૦૫–૧૦૫૪ વચ્ચે), મહિમ ભટ્ટ (ઈ.સ. ૧૦૫૦–૧૧૦૦) જેવા એકમેકથી ભિન્ન પણ તેજસ્વી પ્રતિભાવાળા આચાર્યોની એક નક્ષત્રમાળા જોવા મળે છે. આ પૈકી આનંદવર્ધન ધ્વનિસિદ્ધાંતના પ્રવર્તક તરીકે જાણીતા બન્યા છે અને રસતત્ત્વની વિચારણામાં તેઓ આગવી રીતે અર્પણ કરી રહ્યા છે એમ જોઈ શકાશે. તેમણે ધ્વનિના ત્રણ મુખ્ય ભેદો પાડ્યા છે. વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસધ્વનિ. એમાં રસધ્વનિ ભાવની વ્યંજના પર નિર્ભર છે એમ તેમણે પ્રતિપાદિત કર્યું. એ રીતે રસચર્ચાને નવું જ પરિમાણ તેઓ અર્પી શક્યા. આ સમયગાળામાં ભટ્ટ નાયક, ભટ્ટ તૌત અને અભિનવગુપ્ત એ ત્રણ. આચાર્યોએ રસતત્ત્વને ઘણું સૂક્ષ્મ દૃષ્ટિની ચર્ચાવિચારણાઓ કરી. ભરતના રસસૂત્ર વિશે લોલ્લટ અને શ્રીશંકુકની વ્યાખ્યાવિચારણાઓની તેમણે પોતપોતાની રીતે સમીક્ષાઓ કરી અને એ પછી પોતપોતાની સૈદ્ધાન્તિક ભૂમિકાની માંડણી કરી. રસના સ્વરૂપની અને રસનિષ્પત્તિની પ્રક્રિયા વિશેની વિચારણા આ રીતે ક્રમશઃ ‘શુદ્ધ’ થતી રહી. અંતે અભિનવની વિચારણામાં આ૫ણને રસનો એક સુવિકસિત સિદ્ધાંત પ્રાપ્ત થયો. નાટકમાં તેમ કાવ્યમાં રસ એ જ પ્રાણભૂત તત્ત્વ છે એમ અભિનવે પ્રતિપાદિત કર્યું. વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ પણ અંતે રસધ્વનિમાં જ પરિણમે છે એમ તેમણે કહ્યું. આ સમયગાળામાં રાજશેખર, મહિમ ભટ્ટ, ધનંજય, કુંતક આદિ આચાર્યોએ પણ પોતપોતાના કાવ્યવિચારમાં રસતત્ત્વને યથાસ્થાને સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. રસવિચારનો ત્રીજો અને છેલ્લો તમક્કો મમ્મટથી શરૂ થઈ જગન્નાથમાં પૂરો થાય છે. આ સમયગાળામાં મમ્મટ (ઈ.સ. ૧૦૫૦–૧૧૦૦ વચ્ચે હયાત), હેમચન્દ્ર (ઈ.સ. ૧૦૮૮–૧૧૭૨ વચ્ચે), રૂય્યક (ઈ.સ. ૧૧૨૫–૧૧૫૦ વચ્ચે), શારદાતનય (ઈ.સ. ૧૧૭૫–૧૨૫૦ વચ્ચે), વિશ્વનાથ (ઈ.સ. ૧૩૦૦–૧૩૮૦ વચ્ચે) અને જગન્નાથ (ઈ.સ. ૧૬૨૦–૧૬૬૫ વચ્ચે) જેવા બીજા અનેક પ્રતિભાશાળી આચાર્યોની સાહિત્યવિચારણા આપણને પ્રાપ્ત થાય છે. સાહિત્ય વિશે સર્વથા નવા મૌલિક સિદ્ધાંતની સ્થાપના કરવા કરતાંયે પુરોગામી આચાર્યોની સાહિત્યવિચારણાના મહત્ત્વના ખ્યાલો સાંકળી લઈને તેમાંથી શક્ય તેટલો વ્યાપક અને સર્વગ્રાહી સાહિત્યસિદ્ધાંત રચવાની દિશામાં આ આચાર્યોને પુરુષાર્થ રહ્યો છે. મમ્મટનો પ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્યપ્રકાશ’ આ જાતના સમન્વિત વિચારનું ઉત્તમ દૃષ્ટાંત છે. મમ્મટે એમાં અસંલક્ષ્યક્રમધ્વનિ લેખે રસની ટૂંકી પણ વિશદ વિચારણા રજૂ કરી છે. વિશ્વનાથે પોતાના ગ્રંથ ‘સાહિત્યદર્પણ’માં રસને કવિતાના જીવિત તરીકે ઓળખાવ્યો છે. હેમચંદ્ર અને જગન્નાથની વિચારણામાં પણ રસનો વિશેષ સ્વીકાર છે.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.