સ્વાધ્યાયલોક—૩/ગઅટે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગઅટે}} {{Poem2Open}} ‘વ્યક્તિ મટી હું બનું વિશ્વમાનવી’ એ પ્રાર્થન...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 28: Line 28:
ફ્રાન્કફુર્ટમાં અનેક ધર્મપરાયણ મિત્રોની વિવિધ જીવન-ફિલસૂફીઓનો પણ એને પરિચય થયો; ને તેમાં યે એક મોચીને મુખેથી ‘તું સાચો ખ્રિસ્તી છે, પણ પેલા પૈસાદારને ઘેર ભોજન-સમારંભમાં ઈશુએ જે ધૂપ-ચંદનની સુગંધ માણી હતી એ અહીં તને નહિ મળે !’ એ વચન જ્યારે એણે સાંભળ્યું ત્યારે સામાન્ય માનવીઓની સૃષ્ટિ એની સમક્ષ એકાએક ખૂલી ગઈ. માંદગી પછીના આ આરામના કાળમાં એને ચિત્રવિચિત્ર અનુભવો થયા. જીવનમાં રહેલી દાનવતાનું જ્ઞાન થતાં ધર્મથી માંડીને ભૂતપ્રેતાદિમાં પણ એનો રસ વધતો ગયો. આમ, વીસ વર્ષની વયમાં જ ફાઉસ્ટનું મહાનાટક રચવાની પૂર્વભૂમિકા ચિત્તમાં ગોઠવાઈ ગઈ.
ફ્રાન્કફુર્ટમાં અનેક ધર્મપરાયણ મિત્રોની વિવિધ જીવન-ફિલસૂફીઓનો પણ એને પરિચય થયો; ને તેમાં યે એક મોચીને મુખેથી ‘તું સાચો ખ્રિસ્તી છે, પણ પેલા પૈસાદારને ઘેર ભોજન-સમારંભમાં ઈશુએ જે ધૂપ-ચંદનની સુગંધ માણી હતી એ અહીં તને નહિ મળે !’ એ વચન જ્યારે એણે સાંભળ્યું ત્યારે સામાન્ય માનવીઓની સૃષ્ટિ એની સમક્ષ એકાએક ખૂલી ગઈ. માંદગી પછીના આ આરામના કાળમાં એને ચિત્રવિચિત્ર અનુભવો થયા. જીવનમાં રહેલી દાનવતાનું જ્ઞાન થતાં ધર્મથી માંડીને ભૂતપ્રેતાદિમાં પણ એનો રસ વધતો ગયો. આમ, વીસ વર્ષની વયમાં જ ફાઉસ્ટનું મહાનાટક રચવાની પૂર્વભૂમિકા ચિત્તમાં ગોઠવાઈ ગઈ.
એકવીસ વર્ષની વયે અધૂરો અભ્યાસ પૂરો કરવા એ સ્ટ્રાસબર્ગ ગયો ને ત્યાંનો વસવાટ એના જીવનમાં સૌથી વધુ ફલદાયી પુરવાર થયો. એના જીવનની પરિવર્તનકારી મૈત્રીઓમાંની એક એ ત્યાં પામ્યો. પોતાની આંખનો અંધાપો ટાળવાને ત્યાં આવેલા હર્ડર નામના એક જર્મન વિવેચકે આ ફ્રેંચઘેલા ઉદયોન્મુખ કવિના હૃદયનો અંધાપો ટાળી દીધો. સ્ટ્રાસબર્ગની એક હોટેલના પગથિયા પર આ બન્નેનું મિલન ન થયું હોત તો જર્મન સાહિત્યનો ઇતિહાસ કંઈ જુદો જ લખાયો હોત ! જગતકવિતામાં ઉન્નત શિરે ઊભું રહી શકે એવું ‘જર્મન’ત્વ જર્મનીમાં ક્યાં પડ્યું છે એની હર્ડરને સાચી પરખ હતી. આ પરખનો પારસમણિ સ્પર્શતાં ગઅટેનું આજ લગી સંઘરેલું કાવ્યકથીર પલટાઈ ગયું. ગઅટેને જર્મન લોકસાહિત્યનો-કથાકાવ્યો ને ગીતોના સંગ્રહનો — તેણે રસ લગાડ્યો અને તેને ગામડે ગામડે તે વીણતો કરી મૂક્યો. કાવ્યકળાની બાબતમાં ગઅટેની જાણે ભ્રાંતિ ઊડી ગઈ. ફ્રેંચ કવિતાની બધી રંગરેખા ભૂંસાઈ ગઈ. રાસીનની રાજસભાની કૃત્રિમતા મેલીને કવિ હવે ગ્રામજનોમાં કવિતાનો અસલ રસ પીવાને રખડતો થયો અને અંતે હોમર, શેક્સ્પિયર, ગોલ્ડસ્મિથ ને ‘ઓસીઅન’ની કાવ્યસૃષ્ટિમાં ખોવાઈ ગયો. સ્ટ્રાસબર્ગના ગોથિક દેવળની ગાઢ છાયામાં ને હર્ડરના પ્રજ્ઞાચક્ષુના પ્રકાશમાં આ ઉદયોન્મુખ કવિને કવિતાનો રાજમાર્ગ જડી ગયો.
એકવીસ વર્ષની વયે અધૂરો અભ્યાસ પૂરો કરવા એ સ્ટ્રાસબર્ગ ગયો ને ત્યાંનો વસવાટ એના જીવનમાં સૌથી વધુ ફલદાયી પુરવાર થયો. એના જીવનની પરિવર્તનકારી મૈત્રીઓમાંની એક એ ત્યાં પામ્યો. પોતાની આંખનો અંધાપો ટાળવાને ત્યાં આવેલા હર્ડર નામના એક જર્મન વિવેચકે આ ફ્રેંચઘેલા ઉદયોન્મુખ કવિના હૃદયનો અંધાપો ટાળી દીધો. સ્ટ્રાસબર્ગની એક હોટેલના પગથિયા પર આ બન્નેનું મિલન ન થયું હોત તો જર્મન સાહિત્યનો ઇતિહાસ કંઈ જુદો જ લખાયો હોત ! જગતકવિતામાં ઉન્નત શિરે ઊભું રહી શકે એવું ‘જર્મન’ત્વ જર્મનીમાં ક્યાં પડ્યું છે એની હર્ડરને સાચી પરખ હતી. આ પરખનો પારસમણિ સ્પર્શતાં ગઅટેનું આજ લગી સંઘરેલું કાવ્યકથીર પલટાઈ ગયું. ગઅટેને જર્મન લોકસાહિત્યનો-કથાકાવ્યો ને ગીતોના સંગ્રહનો — તેણે રસ લગાડ્યો અને તેને ગામડે ગામડે તે વીણતો કરી મૂક્યો. કાવ્યકળાની બાબતમાં ગઅટેની જાણે ભ્રાંતિ ઊડી ગઈ. ફ્રેંચ કવિતાની બધી રંગરેખા ભૂંસાઈ ગઈ. રાસીનની રાજસભાની કૃત્રિમતા મેલીને કવિ હવે ગ્રામજનોમાં કવિતાનો અસલ રસ પીવાને રખડતો થયો અને અંતે હોમર, શેક્સ્પિયર, ગોલ્ડસ્મિથ ને ‘ઓસીઅન’ની કાવ્યસૃષ્ટિમાં ખોવાઈ ગયો. સ્ટ્રાસબર્ગના ગોથિક દેવળની ગાઢ છાયામાં ને હર્ડરના પ્રજ્ઞાચક્ષુના પ્રકાશમાં આ ઉદયોન્મુખ કવિને કવિતાનો રાજમાર્ગ જડી ગયો.
સાથે સાથે સ્ટ્રાસબર્ગમાં એના ચિરંજીવ પ્રેમને પણ એક અનન્ય પાત્ર મળી ગયું, ફ્રેડેરાઇક બ્રાઅન. સ્ટ્રાસબર્ગથી અઢાર માઈલ દૂર આવેલા સેસેન- હેઈનના એક પાદરીની આ કન્યા સાથે ગઅટેએ અનેક રાતો ઘોડેસવારીમાં ગાળી. અને એમાં હૃદયને ગાળીગાળીને જે પ્રણયરસ છલકાવ્યો એ એના ને જગતના એક સુંદર ઊર્મિકાવ્યમાં ઝિલાયો. એ કાવ્યમાં જ એણે ગાયું છે ‘My heart beat high ! To horse, to horse !’ અને એ રીતે જ, એકાએક, આ કૈં કૈં કોડભરી કન્યાના મુગ્ધ પ્રેમનો પરાજ્ય કરીને પોતે દુનિયાનો દિગ્વિજ્ય કરવાને ચાલ્યો ગયો ! એની પાછળ ફ્રેડેરાઇક આજીવન અપરિણીત રહીને ૧૮૧૪માં બાડનમાં મૃત્યુ પામી. ‘જે હૃદય ગઅટેને વરી ચૂક્યું છે એ હૃદય હું અન્ય કોઈને ચરણે ધરી શકીશ નહિ.’ આ શબ્દોમાં એનો અપૂર્વ ભક્તિભાવ એણે વ્યક્ત કર્યો છે. ‘ફાઉસ્ટ’ના પ્રારંભમાં જેમ ગ્રેટ્શેનનાં, તેમ અંતભાગમાં આ ફ્રેડેરાઇકનાં દર્શન થાય છે. ગઅટેના હવે પછીના જીવનના અનેક પ્રેમ-પ્રસંગો જાણે કે આ બન્નેના પ્રેમને અને એની વેદનાને વિસરવાના પ્રયત્નરૂપ જ જોવા મળે છે.
સાથે સાથે સ્ટ્રાસબર્ગમાં એના ચિરંજીવ પ્રેમને પણ એક અનન્ય પાત્ર મળી ગયું, ફ્રેડેરાઇક બ્રાઅન. સ્ટ્રાસબર્ગથી અઢાર માઈલ દૂર આવેલા સેસેન- હેઈનના એક પાદરીની આ કન્યા સાથે ગઅટેએ અનેક રાતો ઘોડેસવારીમાં ગાળી. અને એમાં હૃદયને ગાળીગાળીને જે પ્રણયરસ છલકાવ્યો એ એના ને જગતના એક સુંદર ઊર્મિકાવ્યમાં ઝિલાયો. એ કાવ્યમાં જ એણે ગાયું છે: ‘My heart beat high ! To horse, to horse !’ અને એ રીતે જ, એકાએક, આ કૈં કૈં કોડભરી કન્યાના મુગ્ધ પ્રેમનો પરાજ્ય કરીને પોતે દુનિયાનો દિગ્વિજ્ય કરવાને ચાલ્યો ગયો ! એની પાછળ ફ્રેડેરાઇક આજીવન અપરિણીત રહીને ૧૮૧૪માં બાડનમાં મૃત્યુ પામી. ‘જે હૃદય ગઅટેને વરી ચૂક્યું છે એ હૃદય હું અન્ય કોઈને ચરણે ધરી શકીશ નહિ.’ આ શબ્દોમાં એનો અપૂર્વ ભક્તિભાવ એણે વ્યક્ત કર્યો છે. ‘ફાઉસ્ટ’ના પ્રારંભમાં જેમ ગ્રેટ્શેનનાં, તેમ અંતભાગમાં આ ફ્રેડેરાઇકનાં દર્શન થાય છે. ગઅટેના હવે પછીના જીવનના અનેક પ્રેમ-પ્રસંગો જાણે કે આ બન્નેના પ્રેમને અને એની વેદનાને વિસરવાના પ્રયત્નરૂપ જ જોવા મળે છે.
સ્ટ્રાસ્બર્ગથી ઓચિંતા જ ફ્રાન્કફુર્ટ આવીને અનેક નાટ્યકૃતિઓની કલ્પનાથી પ્રેરાઈને એણે લખવા માંડ્યું; પણ સર્વને એક પછી એક પડતી મેલી અંતે ‘ગોત્ઝ’ની રચના હાથ ધરીને સંપૂર્ણ કરી. એ કૃતિએ ગઅટેને જર્મની આખામાં રાષ્ટ્રખ્યાતિ અપાવી. આ નાટ્યકૃતિથી જર્મન રંગભૂમિ પર શેક્સ્પિયર શૈલીનાં નાટકોને પ્રથમ વાર પ્રવેશ મળ્યો ને જર્મન સાહિત્યના ‘સ્ટર્મ ઍન્ડ ડ્રન્ગ’ યુગનો પ્રારંભ થયો.
સ્ટ્રાસ્બર્ગથી ઓચિંતા જ ફ્રાન્કફુર્ટ આવીને અનેક નાટ્યકૃતિઓની કલ્પનાથી પ્રેરાઈને એણે લખવા માંડ્યું; પણ સર્વને એક પછી એક પડતી મેલી અંતે ‘ગોત્ઝ’ની રચના હાથ ધરીને સંપૂર્ણ કરી. એ કૃતિએ ગઅટેને જર્મની આખામાં રાષ્ટ્રખ્યાતિ અપાવી. આ નાટ્યકૃતિથી જર્મન રંગભૂમિ પર શેક્સ્પિયર શૈલીનાં નાટકોને પ્રથમ વાર પ્રવેશ મળ્યો ને જર્મન સાહિત્યના ‘સ્ટર્મ ઍન્ડ ડ્રન્ગ’ યુગનો પ્રારંભ થયો.
પછી વેટ્ઝલારમાં એ વકીલાત ચલાવવા ગયો; પણ પિતાનું સ્વપ્ન સિદ્ધ નહિ થવાનું હોય તે નિષ્ફળ વકીલ પુરવાર થઈ પાછો આવ્યો. પરંતુ સાથે જગતની એક અદ્ભુત નવલકથા લઈ આવ્યો. ત્યાં શારલોટ બુફ નામની એક પરિણીત સ્ત્રીના પ્રેમમાં એ પડ્યો હતો, પણ પાછળથી એના લગ્નની જાણ થતાં એની સાથેના સંબંધનો એણે અંત આણ્યો. આ પ્રસંગની સંવેદનાથી પ્રેરાઈને એણે ફ્રાન્કફુર્ટ આવીને ‘વેર્ટર’ની નવલકથા લખવાનો પ્રારંભ કર્યો; ને એની સાથેસાથે એલિઝાબેથ (લીલી) શોનમાન સાથેના પ્રેમનો પણ પ્રારંભ કર્યો ! દરમ્યાન ર્હાઇન-પ્રદેશમાં ખૂબ રખડ્યો ને ચિત્રકળાના નિષ્ફળ માર્ગે પણ ચડ્યો. એવામાં ૧૭૩૩ના નવેમ્બરમાં એક ધારાશાસ્ત્રીએ બેકારી અને નિષ્ફળ પ્રણયજીવનથી કંટાળીને આત્મહત્યા કર્યાના સમાચાર એણે સાંભળ્યા. આ બધા પ્રસંગોની અસર એની રચાતી નવલકથા પર પડી ને ‘વેર્ટરની વેદનાઓ’ નામે ૧૭૪૪માં તે પ્રગટ થઈ.
પછી વેટ્ઝલારમાં એ વકીલાત ચલાવવા ગયો; પણ પિતાનું સ્વપ્ન સિદ્ધ નહિ થવાનું હોય તે નિષ્ફળ વકીલ પુરવાર થઈ પાછો આવ્યો. પરંતુ સાથે જગતની એક અદ્ભુત નવલકથા લઈ આવ્યો. ત્યાં શારલોટ બુફ નામની એક પરિણીત સ્ત્રીના પ્રેમમાં એ પડ્યો હતો, પણ પાછળથી એના લગ્નની જાણ થતાં એની સાથેના સંબંધનો એણે અંત આણ્યો. આ પ્રસંગની સંવેદનાથી પ્રેરાઈને એણે ફ્રાન્કફુર્ટ આવીને ‘વેર્ટર’ની નવલકથા લખવાનો પ્રારંભ કર્યો; ને એની સાથેસાથે એલિઝાબેથ (લીલી) શોનમાન સાથેના પ્રેમનો પણ પ્રારંભ કર્યો ! દરમ્યાન ર્હાઇન-પ્રદેશમાં ખૂબ રખડ્યો ને ચિત્રકળાના નિષ્ફળ માર્ગે પણ ચડ્યો. એવામાં ૧૭૩૩ના નવેમ્બરમાં એક ધારાશાસ્ત્રીએ બેકારી અને નિષ્ફળ પ્રણયજીવનથી કંટાળીને આત્મહત્યા કર્યાના સમાચાર એણે સાંભળ્યા. આ બધા પ્રસંગોની અસર એની રચાતી નવલકથા પર પડી ને ‘વેર્ટરની વેદનાઓ’ નામે ૧૭૪૪માં તે પ્રગટ થઈ.
Line 73: Line 73:
હવે વાઇમાર એને નિષ્પ્રાણ, ઉષ્માહીન ને ધૂંધળું લાગ્યું અને પોતે ખોવાયેલા જેવો લાગ્યો. શાર્લોટ તો એનો આ નવો અવતાર જોઈને આભી જ બની ગઈ. લાવા ફુત્કારતો એની લાગણીનો જ્વાળામુખી ઠરીને હિમાલયમાં પલટાઈ ગયેલો એને લાગ્યો. ને ત્યાં તો આખા યે વાઇમાર પર જાણે કે વીજળી પડી ! એ વીજળી ગઅટે અને ક્રિસ્ટીઆની વુલ્પીઅસના મિલનમાંથી પ્રગટી.
હવે વાઇમાર એને નિષ્પ્રાણ, ઉષ્માહીન ને ધૂંધળું લાગ્યું અને પોતે ખોવાયેલા જેવો લાગ્યો. શાર્લોટ તો એનો આ નવો અવતાર જોઈને આભી જ બની ગઈ. લાવા ફુત્કારતો એની લાગણીનો જ્વાળામુખી ઠરીને હિમાલયમાં પલટાઈ ગયેલો એને લાગ્યો. ને ત્યાં તો આખા યે વાઇમાર પર જાણે કે વીજળી પડી ! એ વીજળી ગઅટે અને ક્રિસ્ટીઆની વુલ્પીઅસના મિલનમાંથી પ્રગટી.
ઈટલીથી આવ્યે એકાદ મહિનો થયો હતો, અને એના જીવનમાં કે કાવ્યમાં કોઈને રસ રહ્યો ન હતો ત્યારે, ઉદાસ મને એ એક જાહેર બગીચામાં બેઠો હતો ત્યાં, વાઇમારના એક સમયના આ પ્રજાપાલક પાસે એક ગભરુ બાળા રક્ષણાર્થે આવી. લોક જેને ડાઓનીસના લાડીલા નામે સંબોધતું તે જ આ ક્રિસ્ટીઆની. એના પરના પ્રથમ દૃષ્ટિપાતે જ ગઅટેને મિલાનની ફૉસ્ટીનાની યાદ આવી ગઈ. એની આંખોમાં એણે ઇટલીનું પ્રકાશ પાથરતું આકાશ જોયું. શેલીના શબ્દોમાં ગઅટે એની આંખોને ‘Twin mirrors of Italian heaven’ કહી શક્યો હોત ! એકાએક, વીસ વર્ષની આ માલણ કન્યા સાથે પોતાના ઘરમાં જ એણે સહજીવન શરૂ કર્યું. એની સાથે જ શાર્લોટની ચૌદ વર્ષની મૈત્રી વિરામ પામી ને વાઇમારની પ્રજાનો રોષ ઉદય પામ્યો. ગમે તે ભોગે પણ એ ઇટલીને ભૂલવા માગતો નહોતો, — ત્યાં લગી કે ઈટલીના રંગસૌંદર્યની સ્મૃતિ જીવંત રાખવા એ રસાયણશાસ્ત્રની મીમાંસા કરતો થયો. જેમ પૂર્વકાળની રંગદર્શી કળા ગત્ઝ ને વેર્ટરમાં પરિણત થઈ તેમ આ મધ્યાહ્નકાળની દર્શનરંગી કળા ‘ઇફીજીની ઑફ ટૉરીસ’, ‘એગમોન્ટ’ અને ‘તોર્કાતો તાસ્સો’માં પરિણત થઈ. ૧૭૯૦માં ‘ફાઉસ્ટ — આયન ફ્રાગમેન્ટ’ (ફાઉસ્ટ — એક ખંડક) પ્રગટ થયું. ૧૭૯૨માં ડ્યૂકના આદેશથી યુદ્ધમાં સૈનિકપદ સ્વીકાર્યું અને તત્કાલ કાવ્યને વિસાર્યું.
ઈટલીથી આવ્યે એકાદ મહિનો થયો હતો, અને એના જીવનમાં કે કાવ્યમાં કોઈને રસ રહ્યો ન હતો ત્યારે, ઉદાસ મને એ એક જાહેર બગીચામાં બેઠો હતો ત્યાં, વાઇમારના એક સમયના આ પ્રજાપાલક પાસે એક ગભરુ બાળા રક્ષણાર્થે આવી. લોક જેને ડાઓનીસના લાડીલા નામે સંબોધતું તે જ આ ક્રિસ્ટીઆની. એના પરના પ્રથમ દૃષ્ટિપાતે જ ગઅટેને મિલાનની ફૉસ્ટીનાની યાદ આવી ગઈ. એની આંખોમાં એણે ઇટલીનું પ્રકાશ પાથરતું આકાશ જોયું. શેલીના શબ્દોમાં ગઅટે એની આંખોને ‘Twin mirrors of Italian heaven’ કહી શક્યો હોત ! એકાએક, વીસ વર્ષની આ માલણ કન્યા સાથે પોતાના ઘરમાં જ એણે સહજીવન શરૂ કર્યું. એની સાથે જ શાર્લોટની ચૌદ વર્ષની મૈત્રી વિરામ પામી ને વાઇમારની પ્રજાનો રોષ ઉદય પામ્યો. ગમે તે ભોગે પણ એ ઇટલીને ભૂલવા માગતો નહોતો, — ત્યાં લગી કે ઈટલીના રંગસૌંદર્યની સ્મૃતિ જીવંત રાખવા એ રસાયણશાસ્ત્રની મીમાંસા કરતો થયો. જેમ પૂર્વકાળની રંગદર્શી કળા ગત્ઝ ને વેર્ટરમાં પરિણત થઈ તેમ આ મધ્યાહ્નકાળની દર્શનરંગી કળા ‘ઇફીજીની ઑફ ટૉરીસ’, ‘એગમોન્ટ’ અને ‘તોર્કાતો તાસ્સો’માં પરિણત થઈ. ૧૭૯૦માં ‘ફાઉસ્ટ — આયન ફ્રાગમેન્ટ’ (ફાઉસ્ટ — એક ખંડક) પ્રગટ થયું. ૧૭૯૨માં ડ્યૂકના આદેશથી યુદ્ધમાં સૈનિકપદ સ્વીકાર્યું અને તત્કાલ કાવ્યને વિસાર્યું.
આમ, હર્ડર, શાર્લોટ અને ડ્યૂક સૌની હૂંફ ખોઈ બેઠેલા અને ક્રિસ્ટીઆની સાથેના સહજીવનથી સમાજનો રોષ વહોરી બેઠેલા ગઅટેના જીવનમાં ફરી એક પરિવર્તનકારી બનાવ બન્યો. ૧૭૯૪માં Die Horen (દી હૉરેન) પત્ર માટે લખવાનું એના તંત્રી શિલરનું એને આમંત્રણ મળ્યું. એના નીરસ પ્રાણમાં જાણે નવી ચેતનાનો સંચાર થયો. જર્મનીના એ ખ્યાતનામ કવિ શિલર સાથેની ગઅટેની આ મૈત્રી સાહિત્યસૃષ્ટિની અતિવિરલ મૈત્રી બની ગઈ. શરૂમાં શંકાશીલ મનની સ્પર્ધાઓથી જન્મેલી આ મૈત્રી અંતે તો એટલી ઉત્કટ બની ગઈ કે બેમાંથી એક મિત્ર માંદો હોય તો સામાને દુઃખકર ન થાય એ હેતુથી તેના ખબર જ ન આપવાની નાજુકાઈ સુધી તે પહોંચી. જોકે બન્નેના રુચિતંત્રમાં બહુ ફરક હતો. ગઅટે સ્વાનુભવથી સમાજની નાડ પારખી ગયો હતો. એથી એ પ્રજાકારણમાં નિરુત્સાહી ને ઉદાસ બની ગયો હતો. જ્યારે શિલર તો ‘Ode to Joy’ લખીને બેઠો હતો ! ગઅટેને યુદ્ધશાસ્ત્રથી યે વધુ રસ રસાયણશાસ્ત્રમાં હતો. પોતે ક્રાઇસ્ટ અને લ્યૂથરને માર્ગે છે એમ એ માનતો. પ્રજાના કૃત્રિમ ઉન્માદમાં એને ઉત્સાહ ન હતો. જ્યારે શિલર પ્રજાકારણ પ્રત્યે અતિ ઉત્સાહી, યુવાનોમાં અતિપ્રિય ને આદર્શઘેલો હતો. વાસ્તવ સાથે શિલરની આ સમાધાનવૃત્તિ ને ગઅટેની સંઘર્ષવૃત્તિ, પ્રથમ મિલનમાં જ એ બન્ને મિત્રો પરસ્પર પામી ગયા છતાંયે વિરોધી તટોની વચમાં સ્નેહસરિતા તો વહેતી જ ચાલી. વાઇમારના નાટકઘરમાં શિલરની કરુણ રસ વહાવતી અમર નાટ્યકૃતિઓ ને ગઅટેની વિપુલ મહાસાગરની ઊર્મિઓ જેવી કવિતા દિનપ્રતિદિન ઊભરાતી ચાલી. શિલરની પ્રેરણાથી ગઅટેની કૃતકૃત્યતાએ ઓગણપચાસની વયે કાઢેલો આ ઉદ્ગાર છે ‘તેં મને બીજી જુવાની આપી અને મારામાં મૃતપ્રાયઃ થયેલા કવિને તેં સજીવન કર્યો.’
આમ, હર્ડર, શાર્લોટ અને ડ્યૂક સૌની હૂંફ ખોઈ બેઠેલા અને ક્રિસ્ટીઆની સાથેના સહજીવનથી સમાજનો રોષ વહોરી બેઠેલા ગઅટેના જીવનમાં ફરી એક પરિવર્તનકારી બનાવ બન્યો. ૧૭૯૪માં Die Horen (દી હૉરેન) પત્ર માટે લખવાનું એના તંત્રી શિલરનું એને આમંત્રણ મળ્યું. એના નીરસ પ્રાણમાં જાણે નવી ચેતનાનો સંચાર થયો. જર્મનીના એ ખ્યાતનામ કવિ શિલર સાથેની ગઅટેની આ મૈત્રી સાહિત્યસૃષ્ટિની અતિવિરલ મૈત્રી બની ગઈ. શરૂમાં શંકાશીલ મનની સ્પર્ધાઓથી જન્મેલી આ મૈત્રી અંતે તો એટલી ઉત્કટ બની ગઈ કે બેમાંથી એક મિત્ર માંદો હોય તો સામાને દુઃખકર ન થાય એ હેતુથી તેના ખબર જ ન આપવાની નાજુકાઈ સુધી તે પહોંચી. જોકે બન્નેના રુચિતંત્રમાં બહુ ફરક હતો. ગઅટે સ્વાનુભવથી સમાજની નાડ પારખી ગયો હતો. એથી એ પ્રજાકારણમાં નિરુત્સાહી ને ઉદાસ બની ગયો હતો. જ્યારે શિલર તો ‘Ode to Joy’ લખીને બેઠો હતો ! ગઅટેને યુદ્ધશાસ્ત્રથી યે વધુ રસ રસાયણશાસ્ત્રમાં હતો. પોતે ક્રાઇસ્ટ અને લ્યૂથરને માર્ગે છે એમ એ માનતો. પ્રજાના કૃત્રિમ ઉન્માદમાં એને ઉત્સાહ ન હતો. જ્યારે શિલર પ્રજાકારણ પ્રત્યે અતિ ઉત્સાહી, યુવાનોમાં અતિપ્રિય ને આદર્શઘેલો હતો. વાસ્તવ સાથે શિલરની આ સમાધાનવૃત્તિ ને ગઅટેની સંઘર્ષવૃત્તિ, પ્રથમ મિલનમાં જ એ બન્ને મિત્રો પરસ્પર પામી ગયા છતાંયે વિરોધી તટોની વચમાં સ્નેહસરિતા તો વહેતી જ ચાલી. વાઇમારના નાટકઘરમાં શિલરની કરુણ રસ વહાવતી અમર નાટ્યકૃતિઓ ને ગઅટેની વિપુલ મહાસાગરની ઊર્મિઓ જેવી કવિતા દિનપ્રતિદિન ઊભરાતી ચાલી. શિલરની પ્રેરણાથી ગઅટેની કૃતકૃત્યતાએ ઓગણપચાસની વયે કાઢેલો આ ઉદ્ગાર છે: ‘તેં મને બીજી જુવાની આપી અને મારામાં મૃતપ્રાયઃ થયેલા કવિને તેં સજીવન કર્યો.’
પણ વચમાં મનોમન પોતાનું એક નિરાળું જગત સર્જી રહેલા આ બન્ને કવિ-મિત્રોને જગતે જાકારો દીધાની એક દુઃખદ ઘટના બની ગઈ. ‘દી હૉરેન’ની પડતીના દિવસમાં એને જિવાડવાને ગઅટેએ એ પત્રમાં મિલાનની ફૉસ્ટીનાની ઉન્માદક સ્મૃતિમાંથી પ્રાચીન છંદશૈલીમાં રચેલી Roman El-egies (જે પરથી ગઅટે The Pagan ને નામે ઓળખાયો તે) પ્રસિદ્ધ કરી. એમાં એણે પાગલની જેમ પ્રેમના પુરસ્કારતું જયગાન કરી સમાજનું સગર્વ અપમાન કર્યું. પરિણામે પ્રજાએ ગઅટેની ‘સાહિત્યકૃતિઓ’ની નકલો સળગાવી દીધી અને ‘દી હૉરેન’નો અંત વહેલો આવ્યો. આથી શિલર ને ગઅટેનો પુણ્યપ્રકોપ પણ સળગી ઊઠ્યો. બન્નેએ મળીને Xenien (ત્સેનિયેન)નું સહલેખન કર્યું અને તેનાં મુક્તકોમાં સમાજની ક્રૂરમાં ક્રૂર હાંસી કરી. ૧૭૯૭માં ગઅટેએ કટાક્ષમય હાસ્ય રેલાવતું બાયરનના ‘ડૉન યુઆન’ જેવું ‘હેરમાન ઉન્ડ ડોરોથીઆ’ નામનું સર્વાંગસુન્દર સળંગ કાવ્ય પ્રગટ કર્યું. શિલરે એને જર્મનીનું મહાકાવ્ય કહ્યું. આ જ પુણ્યકોપથી પ્રેરાઈને આ બન્ને કવિબંધુઓએ અનેક ‘બૅલૅડ’ રચી. એમાં શિલર વધુ સફળ થયો.
પણ વચમાં મનોમન પોતાનું એક નિરાળું જગત સર્જી રહેલા આ બન્ને કવિ-મિત્રોને જગતે જાકારો દીધાની એક દુઃખદ ઘટના બની ગઈ. ‘દી હૉરેન’ની પડતીના દિવસમાં એને જિવાડવાને ગઅટેએ એ પત્રમાં મિલાનની ફૉસ્ટીનાની ઉન્માદક સ્મૃતિમાંથી પ્રાચીન છંદશૈલીમાં રચેલી Roman El-egies (જે પરથી ગઅટે The Pagan ને નામે ઓળખાયો તે) પ્રસિદ્ધ કરી. એમાં એણે પાગલની જેમ પ્રેમના પુરસ્કારતું જયગાન કરી સમાજનું સગર્વ અપમાન કર્યું. પરિણામે પ્રજાએ ગઅટેની ‘સાહિત્યકૃતિઓ’ની નકલો સળગાવી દીધી અને ‘દી હૉરેન’નો અંત વહેલો આવ્યો. આથી શિલર ને ગઅટેનો પુણ્યપ્રકોપ પણ સળગી ઊઠ્યો. બન્નેએ મળીને Xenien (ત્સેનિયેન)નું સહલેખન કર્યું અને તેનાં મુક્તકોમાં સમાજની ક્રૂરમાં ક્રૂર હાંસી કરી. ૧૭૯૭માં ગઅટેએ કટાક્ષમય હાસ્ય રેલાવતું બાયરનના ‘ડૉન યુઆન’ જેવું ‘હેરમાન ઉન્ડ ડોરોથીઆ’ નામનું સર્વાંગસુન્દર સળંગ કાવ્ય પ્રગટ કર્યું. શિલરે એને જર્મનીનું મહાકાવ્ય કહ્યું. આ જ પુણ્યકોપથી પ્રેરાઈને આ બન્ને કવિબંધુઓએ અનેક ‘બૅલૅડ’ રચી. એમાં શિલર વધુ સફળ થયો.
પણ દસ વર્ષના આ મૈત્રીકાળમાં એમનો પ્રધાન રસ તો રંગભૂમિમાં જ રહ્યો. જોકે અંતકાળની એમની કૃતિઓ ઉત્કૃષ્ટ હોવા છતાં પ્રચલિત ન થઈ, કારણ કે એમાં શિલરનો કરુણ રસ ઘેરો થતો ગયો અને નાટકોમાં ગઅટેની કલમ કથળતી ગઈ. ૧૮૦૦ના વર્ષમાં બન્નેને અલ્પ કાળની માંદગી આવી, ને નવી સદીના ઉષઃકાળમાં તો જગતની રંગભૂમિ પરથી રૂસો, લેસિંગ, ક્લૉપ્સ્ટૉક ને હર્ડર ચાલ્યા ગયા. આમ, જીવનમાં ઓળા ઊતરતા જતા હતા ત્યાં, ૧૮૦૫ના મેની ૯મીએ ગઅટેના જીવન પર જાણે એક શીહા અંધકાર ઊતર્યો. એ દિવસે સાંજે અચાનક શિલરનું મૃત્યુ થયું. પણ એના સમાચાર ગઅટેને આપવાની કોઈની છાતી ચાલી નહિ. સૌને સ્તબ્ધ જોઈ ગઅટે બોલી ઊઠ્યા ઃ ‘શિલર વધુ માંદો છે ?’ તો ય કોઈને વાચા ફૂટી નહિ. ગઅટે ફરી બોલી ઊઠ્યો ઃ ‘એમ લાગે છે કે શિલરની છેલ્લી ઘડીઓ છે.’ પણ પોતાના જ શબ્દો પડઘા રૂપે પાછા મળતાં આખી રાત એણે રડી રડીને કાઢી. સવારે એને સમજાઈ ગયું, ‘તો શિલર ગયો ?’ ગઅટેની જાણે એક પાંખ કપાઈ ગઈ. શિલરમાં એણે શું શું ખોયું એનો અંદાજ એક વાક્યમાં એણે આપ્યો ઃ ‘મેં મારો મિત્ર ખોયો, પણ એમાં હું મારો અરધો પ્રાણ ખોઈ બેઠો.’ પણ અંતે તો શિલરના શબ્દો ‘મૃત્યુ અમંગલ હોય જ નહિ, કારણ કે એ સાર્વભૌમ છે’ એમાં જ એણે આશ્વાસન શોધવાનું હતું.
પણ દસ વર્ષના આ મૈત્રીકાળમાં એમનો પ્રધાન રસ તો રંગભૂમિમાં જ રહ્યો. જોકે અંતકાળની એમની કૃતિઓ ઉત્કૃષ્ટ હોવા છતાં પ્રચલિત ન થઈ, કારણ કે એમાં શિલરનો કરુણ રસ ઘેરો થતો ગયો અને નાટકોમાં ગઅટેની કલમ કથળતી ગઈ. ૧૮૦૦ના વર્ષમાં બન્નેને અલ્પ કાળની માંદગી આવી, ને નવી સદીના ઉષઃકાળમાં તો જગતની રંગભૂમિ પરથી રૂસો, લેસિંગ, ક્લૉપ્સ્ટૉક ને હર્ડર ચાલ્યા ગયા. આમ, જીવનમાં ઓળા ઊતરતા જતા હતા ત્યાં, ૧૮૦૫ના મેની ૯મીએ ગઅટેના જીવન પર જાણે એક શીહા અંધકાર ઊતર્યો. એ દિવસે સાંજે અચાનક શિલરનું મૃત્યુ થયું. પણ એના સમાચાર ગઅટેને આપવાની કોઈની છાતી ચાલી નહિ. સૌને સ્તબ્ધ જોઈ ગઅટે બોલી ઊઠ્યા ઃ ‘શિલર વધુ માંદો છે ?’ તો ય કોઈને વાચા ફૂટી નહિ. ગઅટે ફરી બોલી ઊઠ્યો ઃ ‘એમ લાગે છે કે શિલરની છેલ્લી ઘડીઓ છે.’ પણ પોતાના જ શબ્દો પડઘા રૂપે પાછા મળતાં આખી રાત એણે રડી રડીને કાઢી. સવારે એને સમજાઈ ગયું, ‘તો શિલર ગયો ?’ ગઅટેની જાણે એક પાંખ કપાઈ ગઈ. શિલરમાં એણે શું શું ખોયું એનો અંદાજ એક વાક્યમાં એણે આપ્યો ઃ ‘મેં મારો મિત્ર ખોયો, પણ એમાં હું મારો અરધો પ્રાણ ખોઈ બેઠો.’ પણ અંતે તો શિલરના શબ્દો ‘મૃત્યુ અમંગલ હોય જ નહિ, કારણ કે એ સાર્વભૌમ છે’ એમાં જ એણે આશ્વાસન શોધવાનું હતું.