આત્માની માતૃભાષા/42: Difference between revisions

m
No edit summary
 
(3 intermediate revisions by one other user not shown)
Line 13: Line 13:
રચી સૌહાર્દોનો મધુપુટ અવિશ્રાંત વિલસ્યો.
રચી સૌહાર્દોનો મધુપુટ અવિશ્રાંત વિલસ્યો.
અહો હૈયું! જેણે જીવતર તણો પંથ જ રસ્યો.
અહો હૈયું! જેણે જીવતર તણો પંથ જ રસ્યો.
ન કે ના'વ્યાં માર્ગે વિષ, વિષમ ઑથાર, અદયા
ન કે ના'વ્યાં માર્ગે વિષ, વિષમ ઑથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.
Line 19: Line 20:
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં:
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં:
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં!
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં!
{{Right|અમદાવાદ, ૨૧-૭-૧૯૫૨૫૩}}
{{Right|અમદાવાદ, ૨૧-૭-૧૯૫૨૫૩}}<br>


<center>'''રહ્યાં વર્ષો તેમાં —'''</center>
<center>'''રહ્યાં વર્ષો તેમાં —'''</center>
Line 36: Line 37:
—બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું:
—બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું:
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.
{{Right|અમદાવાદ, ૨૧-૭-૧૯૫૨૫૩}}
{{Right|અમદાવાદ, ૨૧-૭-૧૯૫૨૫૩}}<br>
</poem>
</poem>


Line 45: Line 46:
ઠીક, હવે? ‘રહ્યાં વર્ષો તેમાં?’ એવી જિજ્ઞાસા પછીના સૉનેટનું સંધાન કરી આપી શકે તેમ છે. અને ન કરવું હોય તો પ્રથમ પંક્તિના ભાવાનુવર્તન સાથે પૂરું થતું અને ગયાં વર્ષો કેમ ગયાં તેની કથની સહજોદ્ગાર રૂપે કહેતું આ કાવ્ય સ્વતંત્ર સ્વાયત્ત સૉનેટ તરીકે પણ આસ્વાદી શકાય છે. પરંતુ કવિએ પોતે કહ્યું છે:
ઠીક, હવે? ‘રહ્યાં વર્ષો તેમાં?’ એવી જિજ્ઞાસા પછીના સૉનેટનું સંધાન કરી આપી શકે તેમ છે. અને ન કરવું હોય તો પ્રથમ પંક્તિના ભાવાનુવર્તન સાથે પૂરું થતું અને ગયાં વર્ષો કેમ ગયાં તેની કથની સહજોદ્ગાર રૂપે કહેતું આ કાવ્ય સ્વતંત્ર સ્વાયત્ત સૉનેટ તરીકે પણ આસ્વાદી શકાય છે. પરંતુ કવિએ પોતે કહ્યું છે:
‘ઘણુંખરું કોઈ વિચારઅણુ, ચિંતનકણ સૉનેટમાં મૂર્ત કરવાનો આશય હોય છે. અલબત્ત, એ ચિંતનકણ ઊર્મિપ્રણિત તો હોવો જ જોઈએ,’
‘ઘણુંખરું કોઈ વિચારઅણુ, ચિંતનકણ સૉનેટમાં મૂર્ત કરવાનો આશય હોય છે. અલબત્ત, એ ચિંતનકણ ઊર્મિપ્રણિત તો હોવો જ જોઈએ,’
{{Right|(‘શૈલી અને સ્વરૂપ,’ ૧૬૪)}}
{{Right|(‘શૈલી અને સ્વરૂપ,’ ૧૬૪)}}<br>


આ સૉનેટમાં કંઈક પરિપક્વ થયેલી સ્વસ્થ દૃષ્ટિએ કરેલું વીતી ગયેલા મુગ્ધ વયના જીવનનું દર્શન છે. એ દૃષ્ટિ હવે પછીના જીવનને કઈ રીતે જીવવા ચાહે છે? આયુર્માર્ગે જે ‘વિષ, વિષમ ઓથાર, અદયા અસત્ સંયોગોની’ મળ્યાં એથી રખેને પોતે વીલે મુખ ફરતો થઈ જાય. એથી એ જાતને એક સત્ય સમજાવે છે:
આ સૉનેટમાં કંઈક પરિપક્વ થયેલી સ્વસ્થ દૃષ્ટિએ કરેલું વીતી ગયેલા મુગ્ધ વયના જીવનનું દર્શન છે. એ દૃષ્ટિ હવે પછીના જીવનને કઈ રીતે જીવવા ચાહે છે? આયુર્માર્ગે જે ‘વિષ, વિષમ ઓથાર, અદયા અસત્ સંયોગોની’ મળ્યાં એથી રખેને પોતે વીલે મુખ ફરતો થઈ જાય. એથી એ જાતને એક સત્ય સમજાવે છે:
Line 59: Line 60:
{{Right|(‘શૈલી અને સ્વરૂપ', ૧૪)}}
{{Right|(‘શૈલી અને સ્વરૂપ', ૧૪)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 41
|next = 43.
}}