What Are You Doing with Your Life?: Difference between revisions

no edit summary
()
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
<center>
<span style="color:#ff0000">
{{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }}
[[File:Granthsar-logo.jpg|frameless|center]]
[[File:Granthsar-logo.jpg|frameless|center]]
<center>
<span style="color:#ff0000">
<span style="color:#ff0000">
{{fine|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br>  
{{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br>  
</span>
</span>
</center>
</center>
<hr>
<hr>


{{BookCover
{{BookCover
Line 128: Line 131:
જીવનને દૂરના ઉદ્દેશ્યની શોધ તરીકે જોવાને બદલે, એ જોવું મહત્વપૂર્ણ છે અત્યારે આપણી આંખ સામે શું થઈ રહ્યું છે. આપણે જયારે પૂરું ધ્યાન આપીએ અને આપણા જીવનમાં કોઈ ગરબડ દેખાય છે, ત્યારે આપણે એ જાણવાની કોશિશ કરવી જોઈએ કે એવું કેમ છે. એક વાત નક્કી છે કે આપણાં ભ્રમ, દુઃખ અથવા ભયનો સામનો કરીને જ આપણે ઉદ્દેશ્યની લાલસામાંથી બચી શકીએ છીએ.  
જીવનને દૂરના ઉદ્દેશ્યની શોધ તરીકે જોવાને બદલે, એ જોવું મહત્વપૂર્ણ છે અત્યારે આપણી આંખ સામે શું થઈ રહ્યું છે. આપણે જયારે પૂરું ધ્યાન આપીએ અને આપણા જીવનમાં કોઈ ગરબડ દેખાય છે, ત્યારે આપણે એ જાણવાની કોશિશ કરવી જોઈએ કે એવું કેમ છે. એક વાત નક્કી છે કે આપણાં ભ્રમ, દુઃખ અથવા ભયનો સામનો કરીને જ આપણે ઉદ્દેશ્યની લાલસામાંથી બચી શકીએ છીએ.  
જીવન સ્વયં અસાધારણ રૂપે સમૃદ્ધ, રહસ્યમય અને સુંદર છે. આ જીવન, પોતાનામાં જ, પર્યાપ્ત હોવું જોઈએ.
જીવન સ્વયં અસાધારણ રૂપે સમૃદ્ધ, રહસ્યમય અને સુંદર છે. આ જીવન, પોતાનામાં જ, પર્યાપ્ત હોવું જોઈએ.
{{Poem2Close}}
== <span style="color: red"> સારાંશ: </span>==
{{Poem2Open}}
'''આ પ્રકરણોનો ચાવીરૂપ સાર:'''
દુનિયાને બદલવાનો એક માત્ર રસ્તો ખુદને બદલવાથી શરુ થાય છે- આપણી આસપાસ જે સંકટો દેખાય છે તેનો ઉકેલ કોઈ ક્રાંતિ કે ભવ્ય રાજકીય સિદ્ધાંત લાવી નહીં શકે. એ સમજવું જરૂરી છે કે આપણું કન્ડિશનિંગ દુનિયાને સ્પષ્ટ રીતે જોતાં આપણને અટકાવે છે. તેનો અર્થ એ થયો કે જીવનમાં સુખ અને માનસિક સુરક્ષા જેવી પાયાની બાબતોની ભૂમિકા અંગે આપણામાં પૂર્વગ્રહો ભરેલા પડ્યા છે- આપણે જો આપણા કન્ડિશનિંગની પાર જોવા સક્ષમ ન થઈએ, તો આ બાબત આપણને દુઃખી કરતી રહેશે. છેવટે, જીવન સ્વયં આસાધારણ છે; “ઉદ્દેશ્ય” નિરર્થક છે.
આ પુસ્તકના સારાંશ ફરી નજર નાખીએ.  What Are You Doing with Your Life? નામનું પુસ્તક આપણી પરંપરાગત માન્યતાઓ અને વિચારોને પડકાર ફેંકે છે. જિદ્દુ કૃષ્ણમૂર્તિ નામના ક્રાંતિકારી ભારતીય વિચારક અને આધ્યામિક સાધકનાં વિભિન્ન પુસ્તકોના વિચારોનો સાર આ પુસ્તકમાં છે. આ પુસ્તકમાં કૃષ્ણમૂર્તિ વાચકોને તેમનાં જીવન, આસ્થાઓ અને તેમના અસ્તિત્વના ઉદ્દેશ્યનું ઊંડાણથી પરીક્ષણ કરવા માટે પ્રેરે છે. તે લોકોને એ પરંપરાગત પ્રણાલીઓ, વિચારધારાઓ અને રૂઢિઓ સામે પ્રશ્ન કરવા માટે ઉશ્કેરે છે જે સમાજને આકાર આપે છે અને વ્યક્તિગત વિકલ્પોને પ્રભાવિત કરે છે.
કૃષ્ણમૂર્તિ આત્મ-જાગૃતિના મહત્વ પર ભાર આપે છે અને વાચકોને તેમનાં મન અને ચેતનાની તપાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમનો મત છે કે અસલી સ્વતંત્રતા અને સંતોષ આત્મ-ખોજ અને સમજના માધ્યમથી જ મેળવી શકાય છે. આ પુસ્તકમાં ઈચ્છા, ભય, સંબંધ અને સુખ જેવા વિભિન્ન વિષયોની છણાવટ કરવામાં આવી છે.
કૃષ્ણમૂર્તિ વાચકોને સમાજના કન્ડિશનિંગથી આઝાદ થવા અને ભૂતકાળના અનુભવો તેમજ ભવિષ્યની અપેક્ષાઓના ભારથી મુક્ત થઈને વર્તમાન ક્ષણમાં જીવવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ જીવન માટે એક એવા સમગ્ર દૃષ્ટિકોણની વકિલાત કરે છે, જેમાં વ્યક્તિ સામાજિક માપદંડો અને અપેક્ષાઓને અનુરૂપ થવાને બદલે પોતાની અનોખી ક્ષમતાને અપનાવે છે અને પોતાનો રસ્તો ખુદ શોધે છે.
ગહન અંતર્દૃષ્ટિ અને વિચારોત્તેજક પ્રશ્નો પૂછીને, કૃષ્ણમૂર્તિ વાચકોને તેમનાં સ્થાપિત ધારણાઓ, વિશ્વાસો અને દૈનિક જીવનમાં તેમણે પસંદ કરેલા વિકલ્પો અંગે સવાલો ઉઠાવવા માટે ઉશ્કેરે છે. તેઓ વ્યક્તિઓને સ્પષ્ટતા, સત્યનિષ્ઠતા અને પોતાની અને પોતાની આસપાસની દુનિયા પ્રત્યે જવાબદારીની ભાવના સાથે રહેવા માટે પ્રોત્સાહિત કરે છે.
એકંદરે, “What Are You Doing with Your Life?” પુસ્તક આત્મનિરીક્ષણ માટે માર્ગદર્શક તરીકે કામ કરે છે અને પ્રમાણિકતા, સ્વતંત્રતા અને ગહેરી સમજ સાથે જીવન જીવવા માટે આહ્વાન કરે છે. તેઓ વાચકોને જીવનની ઉપલકિયા બાબતોથી પર જઈને અસ્તિત્વના વાસ્તવિક ઉદ્દેશ્ય અને અર્થની શોધ કરવા પ્રેરે છે.
'''વ્યવહારિક બોધ:'''
તમે કેવી રીતે વિચારો છો તેનું નિરીક્ષણ કરો- તમારા અનુકૂલનની નોંધ લો.
રાજકીય બાબત હોય કે વ્યક્તિગત, તમે જયારે કોઈ ચીજ પર તમારો અભિપ્રાય આપવા ઉતાવળા થઈ જાવ, ત્યારે થોડું અટકીને વિચારજો કે તમારામાં આ અભિપ્રાય ક્યાંથી આવ્યો છે. શું તમારા સાંસ્કૃતિક કે આર્થિક પરિવેશની, તમારી રાષ્ટ્રીયતા કે તમે સ્ત્રી છો કે પુરુષ તેની તમારા અભિપ્રાયમાં ભૂમિકા છે? તમે જો જુદા બેકગ્રાઉન્ડમાંથી આવતા હોત તો તમારો અભિપ્રાય જુદો હોત? તમે એ જ અભિપ્રાયની બીજી બાજુનો વિચાર કરી શકો? તમે ખોટા હો એવું ન બને?
{{Poem2Close}}
{{Poem2Close}}