નીતિન મહેતાનાં કાવ્યો/સંપાદકીય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| નીતિન મહેતા : શબ્દ-સંગે એકલતાના યાત્રી | – કમલ વોરા }} {{Poem2Open}}...")
 
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 14: Line 14:
લખવું, લખાવું ને છેકાઈ જઈ ફરીથી શબ્દને સમજવાની આરતભરી, આશ્ચર્યભરી મથામણની આ યાત્રા એકલાની જ હોય છે. કવિતા હોય જ. લોહીમાં. અહીં. આ ક્ષણે.
લખવું, લખાવું ને છેકાઈ જઈ ફરીથી શબ્દને સમજવાની આરતભરી, આશ્ચર્યભરી મથામણની આ યાત્રા એકલાની જ હોય છે. કવિતા હોય જ. લોહીમાં. અહીં. આ ક્ષણે.
કવિ નીતિન મહેતાની આ નોંધને આધારે, ભાવક કેવી કાવ્યસૃષ્ટિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે તેનો અંદાજ બાંંધી શકે છે, એકલતાની યાત્રાનો સહયાત્રી બની શકે છે, લોહીમાં કવિતાનો અનુભવ લેવા ઉદ્યમી બની શકે છે. એમના ખૂબ જાણીતા કાવ્ય ‘એક પત્ર’માં એકલતા-ઉદાસીના બયાનથી આ યાત્રા આરંભાય છેઃ
કવિ નીતિન મહેતાની આ નોંધને આધારે, ભાવક કેવી કાવ્યસૃષ્ટિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે તેનો અંદાજ બાંંધી શકે છે, એકલતાની યાત્રાનો સહયાત્રી બની શકે છે, લોહીમાં કવિતાનો અનુભવ લેવા ઉદ્યમી બની શકે છે. એમના ખૂબ જાણીતા કાવ્ય ‘એક પત્ર’માં એકલતા-ઉદાસીના બયાનથી આ યાત્રા આરંભાય છેઃ
{{Poem2Close}}
<poem>
હું શબ્દોથી વિશેષ કશું લંબાવી નથી શકતો તારી તરફ. તારો નીતિન પણ આ શહેરમાં બોલતો, કોલ્ડ કૉફી પીતો, જૅઝ સાંભળતો ઉદાસ હસે છે. ઇમોશનલી ઇર્‌રૅશનલ થઈ ગયો છે એ. વધુ પૂછીશ તો કહીશ ટ્રેન બની આવ-જા કરું છું અહીંથી ત્યાં. તારે મને યાદ ન આવવું. (‘એક પત્ર’)
હું શબ્દોથી વિશેષ કશું લંબાવી નથી શકતો તારી તરફ. તારો નીતિન પણ આ શહેરમાં બોલતો, કોલ્ડ કૉફી પીતો, જૅઝ સાંભળતો ઉદાસ હસે છે. ઇમોશનલી ઇર્‌રૅશનલ થઈ ગયો છે એ. વધુ પૂછીશ તો કહીશ ટ્રેન બની આવ-જા કરું છું અહીંથી ત્યાં. તારે મને યાદ ન આવવું. (‘એક પત્ર’)
</poem>


{{Poem2Open}}
કાવ્યરસિકોને આ ગદ્યકાવ્યની પંક્તિઓ કોઈ ગીત-ગઝલની જેમ કંઠસ્થ છે. પત્ર છે એટલે નક્કી જ કોઈ પ્રિયને સંબોધન છે; પણ જોડનારો અથવા તો ન જોડી શકતો તંતુ આ શહેર છે, શહેરને કારણે અનુભવાતી એકલતા છે, ઇમોશનલ ઇર્‌રૅશનલિટી છે. તારે મને યાદ ન આવવું - આપણને ઉદાસ કરી મૂકે છે, કાચની કચ્ચર થઈ ભોંકાય છે, પીડે છે.
કાવ્યરસિકોને આ ગદ્યકાવ્યની પંક્તિઓ કોઈ ગીત-ગઝલની જેમ કંઠસ્થ છે. પત્ર છે એટલે નક્કી જ કોઈ પ્રિયને સંબોધન છે; પણ જોડનારો અથવા તો ન જોડી શકતો તંતુ આ શહેર છે, શહેરને કારણે અનુભવાતી એકલતા છે, ઇમોશનલ ઇર્‌રૅશનલિટી છે. તારે મને યાદ ન આવવું - આપણને ઉદાસ કરી મૂકે છે, કાચની કચ્ચર થઈ ભોંકાય છે, પીડે છે.
મુંબઈના કવિ કવિતામાં લોકલ ટ્રેન અને દરિયો ન લાવે તો જ નવાઈ! આ બન્ને એમની કવિતામાં છેક લગી આવ્યા કરે છે. ‘દરિયો’ શીર્ષકનાં તો ત્રણ કાવ્યો છે. ટ્રેન અને દરિયાને કારણે મુંબઈના રહેવાસીનો શહેર સાથેનો સંબંધ અમદાવાદ કે વડોદરાવાસી કરતાં લાક્ષણિક રીતે જુદો જ રહેવાનો. લોકલ ટ્રેનનાં દૃશ્યો, ગુજરાતી-મરાઠી-હિંદીની સેળભેળવાળા સંવાદો, એકમેક સાથેની ખેંચતાણ-ચડભડ, અડોઅડ ભીંસતા પણ પરસ્પરથી જોજનો દૂર – અજાણ્યા જ રહેતા નગરવાસીઓની વેદનાને બોલચાલની ભાષામાં અભિવ્યક્તિ, અટકતી, અટકીને એકાએક શરૂ થઈ જતી - વેગ પકડી લેતી ટ્રેનની ગતિનો અનુભવ કરાવે છે. માનવીય સંબંધો જેટલો જ સાચો, મહત્ત્વનો છતાં છેતરામણો ટ્રેન સાથેનો સંબંધ છે. {{Poem2Close}}
મુંબઈના કવિ કવિતામાં લોકલ ટ્રેન અને દરિયો ન લાવે તો જ નવાઈ! આ બન્ને એમની કવિતામાં છેક લગી આવ્યા કરે છે. ‘દરિયો’ શીર્ષકનાં તો ત્રણ કાવ્યો છે. ટ્રેન અને દરિયાને કારણે મુંબઈના રહેવાસીનો શહેર સાથેનો સંબંધ અમદાવાદ કે વડોદરાવાસી કરતાં લાક્ષણિક રીતે જુદો જ રહેવાનો. લોકલ ટ્રેનનાં દૃશ્યો, ગુજરાતી-મરાઠી-હિંદીની સેળભેળવાળા સંવાદો, એકમેક સાથેની ખેંચતાણ-ચડભડ, અડોઅડ ભીંસતા પણ પરસ્પરથી જોજનો દૂર – અજાણ્યા જ રહેતા નગરવાસીઓની વેદનાને બોલચાલની ભાષામાં અભિવ્યક્તિ, અટકતી, અટકીને એકાએક શરૂ થઈ જતી - વેગ પકડી લેતી ટ્રેનની ગતિનો અનુભવ કરાવે છે. માનવીય સંબંધો જેટલો જ સાચો, મહત્ત્વનો છતાં છેતરામણો ટ્રેન સાથેનો સંબંધ છે. {{Poem2Close}}
Line 147: Line 151:
તને થોડો સમય મળી રહેશે
તને થોડો સમય મળી રહેશે
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘અનિત્ય’નાં મોટા ભાગનાં કાવ્યો મરણના ઓથાર નીચે લખાયાં છે. ભાષા વિનાના પ્રદેશમાં પહોંચવાની જાણે ઉતાવળ છે. આ એમનું વૈયક્તિક કે આધ્યાત્મિક નહીં પણ કાવ્યાત્મક સત્ય છે! એનો દાબ આપણને વ્યથિત કરી મૂકે છે. નીતિન મહેતાનાં કાવ્યો અથથી ઇતિ સુધી લાગણીવેડથી, અરે, ઊર્મિલતાથીય અળગાં રહી, ઉદાસી ને એકલતાનો ભાવ ઘૂંટ્યા કરે છે; કોઈ ઘોંઘાટ કર્યા વગર. તો બીજી તરફ, એ જ શબ્દનો સંગ જ એમને જંપ પણ વળવા દેતો નથી. છેક ૨૦૦૭માં પણ કવિને આમ જ કહેવું છેઃ
આમ ‘અનિત્ય’નાં મોટા ભાગનાં કાવ્યો મરણના ઓથાર નીચે લખાયાં છે. ભાષા વિનાના પ્રદેશમાં પહોંચવાની જાણે ઉતાવળ છે. આ એમનું વૈયક્તિક કે આધ્યાત્મિક નહીં પણ કાવ્યાત્મક સત્ય છે! એનો દાબ આપણને વ્યથિત કરી મૂકે છે. નીતિન મહેતાનાં કાવ્યો અથથી ઇતિ સુધી લાગણીવેડથી, અરે, ઊર્મિલતાથીય અળગાં રહી, ઉદાસી ને એકલતાનો ભાવ ઘૂંટ્યા કરે છે; કોઈ ઘોંઘાટ કર્યા વગર. તો બીજી તરફ, એ જ શબ્દનો સંગ જ એમને જંપ પણ વળવા દેતો નથી. છેક ૨૦૦૭માં પણ કવિને આમ જ કહેવું છેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 157: Line 161:
ગુજરાતી ગદ્ય-કવિતાને સમૃદ્ધ કરતું નીતિન મહેતાનું કાવ્ય-કર્મ અનોખું છે. એ ઓછું લખવાના કે લોકપ્રિય ન હોવાના ગરીબડા ગૌરવમાં પણ નથી રાચતા અને અન્ય સર્વ પ્રલોભનોથી નિર્લેપ રહી, પોતાની શરતે કાવ્ય-સર્જન કરતા રહે છે. શબ્દના સંગથી એમની એકલતાનું જતન કરતા રહે છે. દરેક લખાણ પછી, ફરી શબ્દો અજાણ્યા બની જાય છે તે કવિનું તેમ જ ગુજરાતી ભાષાનું સદ્‌ભાગ્ય છે. આ ચયન સહૃદય ભાવકોને એમના બન્ને કાવ્યસંગ્રહો સુધી લઈ જાય એ શુભેચ્છા!
ગુજરાતી ગદ્ય-કવિતાને સમૃદ્ધ કરતું નીતિન મહેતાનું કાવ્ય-કર્મ અનોખું છે. એ ઓછું લખવાના કે લોકપ્રિય ન હોવાના ગરીબડા ગૌરવમાં પણ નથી રાચતા અને અન્ય સર્વ પ્રલોભનોથી નિર્લેપ રહી, પોતાની શરતે કાવ્ય-સર્જન કરતા રહે છે. શબ્દના સંગથી એમની એકલતાનું જતન કરતા રહે છે. દરેક લખાણ પછી, ફરી શબ્દો અજાણ્યા બની જાય છે તે કવિનું તેમ જ ગુજરાતી ભાષાનું સદ્‌ભાગ્ય છે. આ ચયન સહૃદય ભાવકોને એમના બન્ને કાવ્યસંગ્રહો સુધી લઈ જાય એ શુભેચ્છા!
{{Poem2Close}}
{{Poem2Close}}


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પ્રારંભિક
|next =  
|next = સંપાદક-પરિચય
}}
}}
<br>

Navigation menu