રચનાવલી/૨૭: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭. ગઝલમાં ગીતા (જ્યોતીન્દ્ર દવે) |}} {{Poem2Open}} આજકાલ બાગબગીચા અને જાહેર સ્થાનોમાં એકઠાં થઈ લોકો ફેફસાં અને શ્વાસને તેમજ તંદુરસ્તીને સુધારતાં હાસ્યકસરતો કરે છે, જોર જોરથી હસે છ...")
 
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 2: Line 2:


{{Heading|૨૭. ગઝલમાં ગીતા (જ્યોતીન્દ્ર દવે)  |}}
{{Heading|૨૭. ગઝલમાં ગીતા (જ્યોતીન્દ્ર દવે)  |}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/e/e2/Rachanavali_27.mp3
}}
<br>
૨૭. ગઝલમાં ગીતા (જ્યોતીન્દ્ર દવે) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
<br>
&#9724;
</center>
<hr>




Line 10: Line 25:
એમનો એક જ હાસ્યનિબંધ ‘ગઝલમાં ગીતા' જોઈએ તો તરત જણાશે કે સદીઓથી બે જુદી જુદી સંસ્કૃતિઓ અથડાતી આવી છે અને એ સંસ્કૃતિઓને એકબીજામાં હાસ્યસામગ્રીથી ઓતપ્રોત કરીને હિન્દુ અને મુસ્લિમના સમભાવને કેવો સફળતાથી એમણે તાક્યો છે! જ્યોતીન્દ્ર દવે માત્ર હાસ્યકાર નથી પણ રસિક વિદ્વાન પણ છે. એમની હાસ્યાકારની જબરી પ્રસિદ્ધિમાં એમની અંદરનો વિદ્વાન ઢંકાઈ ગયો છે પણ આ હાસ્યનિબંધ જોઈએ ત્યારે એમનો છંદો પરનો કાબુ, આસપાસ લખાતી કવિતાનો ઉપહાસ કરવાનો કસબ અને સંસ્કૃતમાં પણ શ્લોક રચી આપવાની આવડત તરત જ નજરે પડે છે. ‘ગીતા’ના વાતાવરણને ગઝલની આબોહવા આપીને અને ઇસ્લામની ઓળખને સંસ્કૃતની આબોહવા આપીને વિનોદપૂર્વક એમણે બતાવ્યું છે કે મનુષ્ય અન્યના ધર્મમાં રસ લેતો નથી અને એમ પણ કહ્યું છે કે પોતાના ધર્મની પણ જ્યાં દ૨કા૨ ન કરતા હોય તો મનુષ્ય પારકા ધર્મમાં તો રસ લે જ શાનો? આથી હાસ્યપૂર્વક ઉપસાવે છે કે મુસલમાનોને જો ગીતામાં રસ લેતા કરવા હોય તો ‘ગઝલમાં ગીતા’ આપવી પડે, અને હિન્દુઓને મુસલમાનોમાં રસ લેતા કરવા હોય તો ઇસ્લામના સત્યને શ્લોકમાં મૂકવું પડે.  
એમનો એક જ હાસ્યનિબંધ ‘ગઝલમાં ગીતા' જોઈએ તો તરત જણાશે કે સદીઓથી બે જુદી જુદી સંસ્કૃતિઓ અથડાતી આવી છે અને એ સંસ્કૃતિઓને એકબીજામાં હાસ્યસામગ્રીથી ઓતપ્રોત કરીને હિન્દુ અને મુસ્લિમના સમભાવને કેવો સફળતાથી એમણે તાક્યો છે! જ્યોતીન્દ્ર દવે માત્ર હાસ્યકાર નથી પણ રસિક વિદ્વાન પણ છે. એમની હાસ્યાકારની જબરી પ્રસિદ્ધિમાં એમની અંદરનો વિદ્વાન ઢંકાઈ ગયો છે પણ આ હાસ્યનિબંધ જોઈએ ત્યારે એમનો છંદો પરનો કાબુ, આસપાસ લખાતી કવિતાનો ઉપહાસ કરવાનો કસબ અને સંસ્કૃતમાં પણ શ્લોક રચી આપવાની આવડત તરત જ નજરે પડે છે. ‘ગીતા’ના વાતાવરણને ગઝલની આબોહવા આપીને અને ઇસ્લામની ઓળખને સંસ્કૃતની આબોહવા આપીને વિનોદપૂર્વક એમણે બતાવ્યું છે કે મનુષ્ય અન્યના ધર્મમાં રસ લેતો નથી અને એમ પણ કહ્યું છે કે પોતાના ધર્મની પણ જ્યાં દ૨કા૨ ન કરતા હોય તો મનુષ્ય પારકા ધર્મમાં તો રસ લે જ શાનો? આથી હાસ્યપૂર્વક ઉપસાવે છે કે મુસલમાનોને જો ગીતામાં રસ લેતા કરવા હોય તો ‘ગઝલમાં ગીતા’ આપવી પડે, અને હિન્દુઓને મુસલમાનોમાં રસ લેતા કરવા હોય તો ઇસ્લામના સત્યને શ્લોકમાં મૂકવું પડે.  
જ્યોતીન્દ્ર દવેનો વિનોદ પ્રેરતો ગીતાના પહેલા શ્લોકનો ગઝલમાં કરેલો અનુવાદનો નમૂનો જુઓ : ‘મઝહબ મયદાન કુરુક્ષેત્રે મળ્યા પાંડવ અને કૌરવ / જમા થઈ શું કર્યું એણે? બિરાદર બોલ તું સંજય' વળી સ્થળ સૂચવ્યું છે તે પણ જોવા જેવું છે : ‘બાદશાહ દુર્યોધનના ‘મંઝિલે ભાનુમતી’ નામના મહેલનું દીવાનખાનું’ બીજી બાજુ સંસ્કૃત કવિનો કરુણાજનક મૂકતો વિલાપ જુઓ : ‘ન સંધ્યાં સંધત્રે નિયમિત નમાજં ન કુરુતે’  
જ્યોતીન્દ્ર દવેનો વિનોદ પ્રેરતો ગીતાના પહેલા શ્લોકનો ગઝલમાં કરેલો અનુવાદનો નમૂનો જુઓ : ‘મઝહબ મયદાન કુરુક્ષેત્રે મળ્યા પાંડવ અને કૌરવ / જમા થઈ શું કર્યું એણે? બિરાદર બોલ તું સંજય' વળી સ્થળ સૂચવ્યું છે તે પણ જોવા જેવું છે : ‘બાદશાહ દુર્યોધનના ‘મંઝિલે ભાનુમતી’ નામના મહેલનું દીવાનખાનું’ બીજી બાજુ સંસ્કૃત કવિનો કરુણાજનક મૂકતો વિલાપ જુઓ : ‘ન સંધ્યાં સંધત્રે નિયમિત નમાજં ન કુરુતે’  
જ્યોતીન્દ્ર દવેએ વાતવાતમાં આ નિબંધમાં યુદ્ધખોરીની સામે આ કેવા નાજુક વિનોદ સાથે શાંતિની વાત મૂકી છે દુર્યોધને યુધિષ્ઠિરને કહ્યું ‘હું તો આ ગઝલ સાંભળીશ. મારે કંઈ રાજ કરવું નથી. તું તારે રાજ્ય સંભાળી લે.’ યુધિષ્ઠિરે પ્રત્યુત્તર વાળ્યો : ‘ના, ના મારે રાજ્ય જો'તું નથી. હું તો કૃષ્ણની ગઝલ સાંભળતા સાંભળતાં મરી જવા માંગુ છું. રાજ તો જનાબ આપ લીજીયે’ દુર્યોધને કહ્યું : ‘નહિ જનાબ આપ લીજીયે’ કલહના મમતને બદલે મમતાનું સૂત્ર રણકાવતો આ વિનોદનો મર્મ કેવી ઊંડી અસર ઊભી કરે છે!  
જ્યોતીન્દ્ર દવેએ વાતવાતમાં આ નિબંધમાં યુદ્ધખોરીની સામે આ કેવા નાજુક વિનોદ સાથે શાંતિની વાત મૂકી છે: દુર્યોધને યુધિષ્ઠિરને કહ્યું ‘હું તો આ ગઝલ સાંભળીશ. મારે કંઈ રાજ કરવું નથી. તું તારે રાજ્ય સંભાળી લે.’ યુધિષ્ઠિરે પ્રત્યુત્તર વાળ્યો : ‘ના, ના મારે રાજ્ય જો'તું નથી. હું તો કૃષ્ણની ગઝલ સાંભળતા સાંભળતાં મરી જવા માંગુ છું. રાજ તો જનાબ આપ લીજીયે’ દુર્યોધને કહ્યું : ‘નહિ જનાબ આપ લીજીયે’ કલહના મમતને બદલે મમતાનું સૂત્ર રણકાવતો આ વિનોદનો મર્મ કેવી ઊંડી અસર ઊભી કરે છે!  
આ અને આવા અનેક હાસ્યનિબંધોથી મનુષ્યજીવનની નબળાઈઆનો ખબર ન પડે એમ ઈલાજ કરતા જ્યોતીન્દ્ર દવેના હાથમાંથી આજની અને આવતીકાલની પેઢીઓની નાડને છોડાવવી એ અઘરું કામ છે.
આ અને આવા અનેક હાસ્યનિબંધોથી મનુષ્યજીવનની નબળાઈઆનો ખબર ન પડે એમ ઈલાજ કરતા જ્યોતીન્દ્ર દવેના હાથમાંથી આજની અને આવતીકાલની પેઢીઓની નાડને છોડાવવી એ અઘરું કામ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 16: Line 31:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૨૬
|next =  
|next = ૨૮
}}
}}