અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રિયકાન્તની કવિતા: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading|૩૧. પ્રિયકાન્તની કવિતા|દક્ષા વ્યાસ}} {{Poem2Open}} ગુજરાતીનો અધ્યાપક સંઘે વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા નિમિત્તે એક વૈભવી કવિનો સ્વાધ્યાય કરવાની તક આપી તે માટે સંઘનો હું હૃદયપૂર્...") |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
ગુજરાતીનો અધ્યાપક સંઘે વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા નિમિત્તે એક વૈભવી કવિનો સ્વાધ્યાય કરવાની તક આપી તે માટે સંઘનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રિયકાન્તની કવિતાને કદાચ વૈભવ કરતાં ય છાક શબ્દ વધુ બંધબેસે - ભાવ – ભાષા-કલ્પના-છંદોલય…નો છાક. એ તમારા રોમરોમને વ્યાપી વળે, રોમાંચિત કરે અને ઘેરું ઘેન ચઢાવે. પ્રિયકાન્તની કવિતાને વિવેચકોએ મન મૂકીને વધાવી છે. એની પ્રશંસા કરતાં આ પંક્તિઓ વારંવાર ટાંકવામાં આવી છે : | ગુજરાતીનો અધ્યાપક સંઘે વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા નિમિત્તે એક વૈભવી કવિનો સ્વાધ્યાય કરવાની તક આપી તે માટે સંઘનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રિયકાન્તની કવિતાને કદાચ વૈભવ કરતાં ય છાક શબ્દ વધુ બંધબેસે - ભાવ – ભાષા-કલ્પના-છંદોલય…નો છાક. એ તમારા રોમરોમને વ્યાપી વળે, રોમાંચિત કરે અને ઘેરું ઘેન ચઢાવે. પ્રિયકાન્તની કવિતાને વિવેચકોએ મન મૂકીને વધાવી છે. એની પ્રશંસા કરતાં આ પંક્તિઓ વારંવાર ટાંકવામાં આવી છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>એ તમે માની લીધું કે આ કલમ અટકી જશે | {{Block center|'''<poem>એ તમે માની લીધું કે આ કલમ અટકી જશે | ||
રોપતાં રોપી દીધી એ ફૂલ લાવી બેસશે.</poem>}} | રોપતાં રોપી દીધી એ ફૂલ લાવી બેસશે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘રોપતાં રોપી દીધી’માં વ્યક્ત સહજસ્ફૂર્તતા, સર્જકની અવઢવ અને આશાયેશ - મિજાજ ને ખુમારી, ફૂલનું આકર્ષણ, કલ્પનાશીલતા, એકાદ ટકોરો મારીને શબ્દને જીવતો કરી દેવાની કુશળતા-વૃત્તિ, અલંકાર પ્રત્યેનું આકર્ષણ અને ગઝલ સ્વરૂપમાં કવિને ગોઠશે નહીંના અણસાર- કવિની કવિતાની આ તમામ લાક્ષણિકતાઓ અહીં પ્રતિબિંબિત થયેલી જણાશે. | ‘રોપતાં રોપી દીધી’માં વ્યક્ત સહજસ્ફૂર્તતા, સર્જકની અવઢવ અને આશાયેશ - મિજાજ ને ખુમારી, ફૂલનું આકર્ષણ, કલ્પનાશીલતા, એકાદ ટકોરો મારીને શબ્દને જીવતો કરી દેવાની કુશળતા-વૃત્તિ, અલંકાર પ્રત્યેનું આકર્ષણ અને ગઝલ સ્વરૂપમાં કવિને ગોઠશે નહીંના અણસાર- કવિની કવિતાની આ તમામ લાક્ષણિકતાઓ અહીં પ્રતિબિંબિત થયેલી જણાશે. | ||
| Line 14: | Line 14: | ||
પ્રણય કવિનો પ્રમુખ વિષય રહ્યો છે. યૌવનનો ઉત્કટ રાગાવેગ, તરવરાટ, ઉલ્લાસ, મસ્તી, છાક અનેક ગીતોમાં આલેખાયાં છે. પ્રિયકાન્તની તમામ ખૂબીઓ સાથે પ્રગટતી ગીત રચના ‘એ સોળ વરસની છોરી’ લઈએ : | પ્રણય કવિનો પ્રમુખ વિષય રહ્યો છે. યૌવનનો ઉત્કટ રાગાવેગ, તરવરાટ, ઉલ્લાસ, મસ્તી, છાક અનેક ગીતોમાં આલેખાયાં છે. પ્રિયકાન્તની તમામ ખૂબીઓ સાથે પ્રગટતી ગીત રચના ‘એ સોળ વરસની છોરી’ લઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>એ સોળ વરસની છોરી, | {{Block center|'''<poem>એ સોળ વરસની છોરી, | ||
સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી. (૨૧)</poem>}} | સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી. (૨૧)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મુગ્ધ હૃદયનો ઊર્મિ ઉછાળ અહીં શબ્દેશબ્દમાં અને લયમાં કેવો અંકિત થયો છે! ગીતોમાં કથનવર્ણનની કુશળતા સાથે કલ્પનાનું નાવીન્ય અને લયનું વૈવિધ્ય ઘણું માણવા મળે છે. | મુગ્ધ હૃદયનો ઊર્મિ ઉછાળ અહીં શબ્દેશબ્દમાં અને લયમાં કેવો અંકિત થયો છે! ગીતોમાં કથનવર્ણનની કુશળતા સાથે કલ્પનાનું નાવીન્ય અને લયનું વૈવિધ્ય ઘણું માણવા મળે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>શ્રાવણની સાંજનો તડકો ઢોળાયો, મારા ચોકમાં, | {{Block center|'''<poem>શ્રાવણની સાંજનો તડકો ઢોળાયો, મારા ચોકમાં, | ||
જાણે હેમનો સોહાયો હાર ગરવી તે ગાયની ડોકમાં. (૨૪)</poem>}} | જાણે હેમનો સોહાયો હાર ગરવી તે ગાયની ડોકમાં. (૨૪)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિનાં છુટ્ટી ચાલનાં ગીતો લયના નિર્બંધ વહેણને માણવાનો અનેરો અનુભવ આપે છે : | કવિનાં છુટ્ટી ચાલનાં ગીતો લયના નિર્બંધ વહેણને માણવાનો અનેરો અનુભવ આપે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ગીત એક ગાયું ને વાયરે વાવ્યું | {{Block center|'''<poem>ગીત એક ગાયું ને વાયરે વાવ્યું | ||
કે છોડ એનો છુટ્ટો મેલ્યો રે લોલ! (૩૭)</poem>}} | કે છોડ એનો છુટ્ટો મેલ્યો રે લોલ! (૩૭)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘નાગ પાંચમનું ગીત’ (૭૨)માં બને છે તેમ ક્યારેક આધુનિકતાના સંસ્કાર પણ વરતાય છે. અહીં ગ્રામીણ નારીની દુર્દમ્ય કામના, એના ઓરતા અને વિરહના વલખાટને લોકબોલીમાં અસરકારક વાચા મળે છે. ભાવ અને ભાષાની નવીનતા અને નવીન લયપ્રયોગની દૃષ્ટિએ ‘તને એક ખૂંપરો હુવે!’ (૭૪) ધ્યાન ખેંચે છે. રમતિયાળ કૌતુકરાગી અભિવ્યક્તિમાં નારીને માતૃત્વ માટેની શુભેચ્છા પાઠવતી આ રચનામાં આદિવાસી બોલીનો વિલક્ષણ પ્રયોગ છે. નવતર કવિતામાં સૌંદર્યનિમિત્તે નારી આકર્ષણનું રંગરાગી નિરૂપણ થવા માંડે છે અને પ્રેમ સાથે ઉત્કટ કામનું આલેખન કરવાનું વલણ પણ પ્રબળ બને છે તે પ્રિયકાન્તની ઘણી કૃતિઓનાં જોઈ શકાય. ઉમાશંકરનાં જોશીએ કહેલું કે કવિની કલમ વારંવાર શયનકક્ષમાં ધસી જાય છે. અલબત્ત, એમાંય ક્યાંક ક્યાંક ‘કંચૂકીબંધ છૂટ્યાને’ જેવી રોમહર્ષણ રચના મળી આવે છે. | ‘નાગ પાંચમનું ગીત’ (૭૨)માં બને છે તેમ ક્યારેક આધુનિકતાના સંસ્કાર પણ વરતાય છે. અહીં ગ્રામીણ નારીની દુર્દમ્ય કામના, એના ઓરતા અને વિરહના વલખાટને લોકબોલીમાં અસરકારક વાચા મળે છે. ભાવ અને ભાષાની નવીનતા અને નવીન લયપ્રયોગની દૃષ્ટિએ ‘તને એક ખૂંપરો હુવે!’ (૭૪) ધ્યાન ખેંચે છે. રમતિયાળ કૌતુકરાગી અભિવ્યક્તિમાં નારીને માતૃત્વ માટેની શુભેચ્છા પાઠવતી આ રચનામાં આદિવાસી બોલીનો વિલક્ષણ પ્રયોગ છે. નવતર કવિતામાં સૌંદર્યનિમિત્તે નારી આકર્ષણનું રંગરાગી નિરૂપણ થવા માંડે છે અને પ્રેમ સાથે ઉત્કટ કામનું આલેખન કરવાનું વલણ પણ પ્રબળ બને છે તે પ્રિયકાન્તની ઘણી કૃતિઓનાં જોઈ શકાય. ઉમાશંકરનાં જોશીએ કહેલું કે કવિની કલમ વારંવાર શયનકક્ષમાં ધસી જાય છે. અલબત્ત, એમાંય ક્યાંક ક્યાંક ‘કંચૂકીબંધ છૂટ્યાને’ જેવી રોમહર્ષણ રચના મળી આવે છે. | ||
પ્રીતિની ઉત્કટ ઝંખના વ્યક્ત કરવા કવિને રાધાકૃષ્ણનાં પ્રતીકો ખૂબ અનુકૂળ આવ્યાં છે. કવિએ વિરહ, મિલન, મસ્તી અને સ્વાર્પણના ગોપીભાવની પરાકાષ્ઠા દાખવતાં અપૂર્વ લયમાધુર્ય ભર્યાં ભાવચિત્રોનું એક એકથી અદકું નકશીકામ આ પ્રકારનાં ગીતોમાં કર્યું છે. એ જોઈ મકરન્દ દવેએ કહ્યું હતું, ‘રાસલીલામાંથી વિખૂટી પડી ગયેલી એક ગોપી અહીં અવતરી છે.’ કવિની છેલછબીલે' રચના લઈએ - | પ્રીતિની ઉત્કટ ઝંખના વ્યક્ત કરવા કવિને રાધાકૃષ્ણનાં પ્રતીકો ખૂબ અનુકૂળ આવ્યાં છે. કવિએ વિરહ, મિલન, મસ્તી અને સ્વાર્પણના ગોપીભાવની પરાકાષ્ઠા દાખવતાં અપૂર્વ લયમાધુર્ય ભર્યાં ભાવચિત્રોનું એક એકથી અદકું નકશીકામ આ પ્રકારનાં ગીતોમાં કર્યું છે. એ જોઈ મકરન્દ દવેએ કહ્યું હતું, ‘રાસલીલામાંથી વિખૂટી પડી ગયેલી એક ગોપી અહીં અવતરી છે.’ કવિની છેલછબીલે' રચના લઈએ - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>છેલ-છબીલે છાંટી મુજને છેલ-છબીલે છાંટી, | {{Block center|'''<poem>છેલ-છબીલે છાંટી મુજને છેલ-છબીલે છાંટી, | ||
જમુનાજલમાં રંગ ગુલાબી વાટી… | જમુનાજલમાં રંગ ગુલાબી વાટી… | ||
{{gap|5em}}* | {{gap|5em}}* | ||
સળવળ સળવળ થાય ઉરે જ્યમ પહેલી પહેરી હો કાંટી! | સળવળ સળવળ થાય ઉરે જ્યમ પહેલી પહેરી હો કાંટી! | ||
{{gap|5em}}* | {{gap|5em}}* | ||
જવા કરું ત્યાં એની નજરની અંતર પડતી આંટી! (૪૨)</poem>}} | જવા કરું ત્યાં એની નજરની અંતર પડતી આંટી! (૪૨)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
યૌવનનો ઉન્મત્ત રાગાવેગ અહીં સતત છલકે છે. જમુનાજલ જમુનાજલ ન રહેતાં પ્રણયખેલની સામગ્રી બની રહે છે ને હોળી ખેલવું દૃશ્ય રચાય છે. ભાવને અનુરૂપ પ્રણયની માદકતા છલકાવતો લયહિલ્લોળ, પદરચના અને પ્રાસરમણા મનને હરી લે છે. છાંટી-વાટી-ઘાટી-કાંટી-આંટી જેવી ચપોચપ બંધબેસતી સફાઈદાર પ્રાસરચનામાં આંટી-કાંટી જેવા ઘરાળુ શબ્દો કાવ્યભાવને કેવી નજાકતથી વ્યંજિત કરે છે! કલ્પનાની અને ભાવની નજાકત 'અલબેલો’ના ઉપાડમાં માણવા જેવી છે - | યૌવનનો ઉન્મત્ત રાગાવેગ અહીં સતત છલકે છે. જમુનાજલ જમુનાજલ ન રહેતાં પ્રણયખેલની સામગ્રી બની રહે છે ને હોળી ખેલવું દૃશ્ય રચાય છે. ભાવને અનુરૂપ પ્રણયની માદકતા છલકાવતો લયહિલ્લોળ, પદરચના અને પ્રાસરમણા મનને હરી લે છે. છાંટી-વાટી-ઘાટી-કાંટી-આંટી જેવી ચપોચપ બંધબેસતી સફાઈદાર પ્રાસરચનામાં આંટી-કાંટી જેવા ઘરાળુ શબ્દો કાવ્યભાવને કેવી નજાકતથી વ્યંજિત કરે છે! કલ્પનાની અને ભાવની નજાકત 'અલબેલો’ના ઉપાડમાં માણવા જેવી છે - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>અલબેલો અડકે મને આંખથી રે | {{Block center|'''<poem>અલબેલો અડકે મને આંખથી રે | ||
એનો કરવો તે કેમ રે ઉપાય? (૪૩)</poem>}} | એનો કરવો તે કેમ રે ઉપાય? (૪૩)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘આજ ગુલાલે ગોકુળ ગાંડુતૂર'માં તો કિવ રાધાકૃષ્ણ નિમિત્તે આખા વિશ્વમાં ચાલતા અખંડ રાસનો સાક્ષાત્કાર કરાવે છે! | ‘આજ ગુલાલે ગોકુળ ગાંડુતૂર'માં તો કિવ રાધાકૃષ્ણ નિમિત્તે આખા વિશ્વમાં ચાલતા અખંડ રાસનો સાક્ષાત્કાર કરાવે છે! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>સૂર્ય સ્વયં પીતાંબર પહેરી ધરણી ઉપર ઝૂમે | {{Block center|'''<poem>સૂર્ય સ્વયં પીતાંબર પહેરી ધરણી ઉપર ઝૂમે | ||
નિજ થકી જેહ રચ્યું જગ તેની ધૂલિ માંહે ઘૂમે (સ્પર્શ, ૫૩)</poem>}} | નિજ થકી જેહ રચ્યું જગ તેની ધૂલિ માંહે ઘૂમે (સ્પર્શ, ૫૩)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કૃષ્ણ-રાધાનાં ભાવપ્રતીકો લઈને રચાયેલી કૃષ્ણ-રાધા' પ્રિયકાન્તની યશોદાયી અને ‘નૈસર્ગિક લોકગીત’ની કક્ષાએ પહોંચેલી કૃતિ ગણાઈ છે. કેવળ પ્રકૃતિચિત્રો તરીકે પણ આસ્વાદ્ય એવી આ કૃતિમાં રૂપ અને અરૂપની દ્વૈતાભાસી લીલામાંથી સર્જાતી અનેરા સાયુજ્યની સૃષ્ટિ કવિએ તાજગીભર્યાં એક એકથી ચડિયાતાં કલ્પનો દ્વારા સર્જી છે : | કૃષ્ણ-રાધાનાં ભાવપ્રતીકો લઈને રચાયેલી કૃષ્ણ-રાધા' પ્રિયકાન્તની યશોદાયી અને ‘નૈસર્ગિક લોકગીત’ની કક્ષાએ પહોંચેલી કૃતિ ગણાઈ છે. કેવળ પ્રકૃતિચિત્રો તરીકે પણ આસ્વાદ્ય એવી આ કૃતિમાં રૂપ અને અરૂપની દ્વૈતાભાસી લીલામાંથી સર્જાતી અનેરા સાયુજ્યની સૃષ્ટિ કવિએ તાજગીભર્યાં એક એકથી ચડિયાતાં કલ્પનો દ્વારા સર્જી છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>આ નભ ઝૂક્યું તે કાનજી | {{Block center|'''<poem>આ નભ ઝૂક્યું તે કાનજી | ||
ને ચાંદની તે રાધા રે (૨૬)</poem>}} | ને ચાંદની તે રાધા રે (૨૬)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નભ-ચાંદની, સરવરજલ-પોયણી, બાગ-હેરી, પરવતશિખર-કેડી, ચરણ- પગલી, કેશ-સેંથી, દીપ-આરતી, લોચન-નજરું… આવાં યુગ્મોની પરંપરા લોકગીતોમાં મળે છે. પ્રિયકાન્ત વિસ્મયમુગ્ધ કવિ છે. વિસ્મય નવીનતા અને તાજગી લાવે છે, પણ મુગ્ધતા કલાની સફાઈ અને સંયમશીલતામાં અવરોધક નીવડી શકે છે. પ્રિયકાન્તની આ કૃતિ સમર્થ વિવેચકોની સરાણે ચડી પાર ઊતરી છે, પણ ક્યારેક કવિના મોધ્ય અને વિસ્મયનો પાસ વિવેચનાને પણ લાગે છે. અહીં બાગ-લ્હેરી અને કેશ-સેંથનાં યુગ્મો સ્વંતત્ર રીતે આસ્વાદ્ય છે તેટલાં વિશાળમાંથી સીમિત અને સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ ગતિ કરતી ભાવાત્મક સંવાદિતાને ખંડિત કરતાં નથી લાગતાં? | નભ-ચાંદની, સરવરજલ-પોયણી, બાગ-હેરી, પરવતશિખર-કેડી, ચરણ- પગલી, કેશ-સેંથી, દીપ-આરતી, લોચન-નજરું… આવાં યુગ્મોની પરંપરા લોકગીતોમાં મળે છે. પ્રિયકાન્ત વિસ્મયમુગ્ધ કવિ છે. વિસ્મય નવીનતા અને તાજગી લાવે છે, પણ મુગ્ધતા કલાની સફાઈ અને સંયમશીલતામાં અવરોધક નીવડી શકે છે. પ્રિયકાન્તની આ કૃતિ સમર્થ વિવેચકોની સરાણે ચડી પાર ઊતરી છે, પણ ક્યારેક કવિના મોધ્ય અને વિસ્મયનો પાસ વિવેચનાને પણ લાગે છે. અહીં બાગ-લ્હેરી અને કેશ-સેંથનાં યુગ્મો સ્વંતત્ર રીતે આસ્વાદ્ય છે તેટલાં વિશાળમાંથી સીમિત અને સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ ગતિ કરતી ભાવાત્મક સંવાદિતાને ખંડિત કરતાં નથી લાગતાં? | ||
નવતર કવિતામાં પ્રતીકનો મહિમા થયો. સામાન્ય, ચિરપરિચિત વસ્તુ- સામગ્રી-ઘટના-પાત્રનો આશ્રય લઈ તેને પ્રતીકની કક્ષાએ પહોંચાડવાની ક્ષમતા પ્રિયકાન્ત (નિરંજન અને હસમુખ પાઠકની જેમ) અનેક કૃતિઓમાં બતાવી છે. આવી કૃતિઓમાં ઘણુંખરું પરંપરિત છંદોવિધાન કવિને લયની બહુવિધ લીલા માટે અવકાશ આપે છે અને અભિવ્યક્તિની મોકળાશ આપે છે. પરંપરિતમાં કવિને હિરગીત, ઝૂલણા અને કટાવની ચાલમાં સૌથી વધુ ફાવટ આવી છે. આવી રચનાઓમાં વસ્તુ પરત્વેનો અભિગમ અને અભિવ્યક્તિની છટા ઉભયમાં સતત નિરંજનનો પ્રભાવ વરતાયા કરે છે. ખીલા', 'એક ગાય', 'અશ્વ', ખિસકોલીઓ', ‘ગાલ્લું’, ‘એકેય એવું ફૂલ' જેવી અનેક કૃતિઓ આ સંદર્ભે નોંધી શકાય. ‘ખીલા'માં ઈસુના કૃસાવરહોણનો પ્રસંગ લઈને સ્થિતિ વિપર્યાસને આશ્રયે વ્યંજનાની ધાર કઢાઈ છે. ઈસુના હાથ પર જડેલા ખીણા જોઈ લુહાર ઉદ્ગાર કાઢે છે : | નવતર કવિતામાં પ્રતીકનો મહિમા થયો. સામાન્ય, ચિરપરિચિત વસ્તુ- સામગ્રી-ઘટના-પાત્રનો આશ્રય લઈ તેને પ્રતીકની કક્ષાએ પહોંચાડવાની ક્ષમતા પ્રિયકાન્ત (નિરંજન અને હસમુખ પાઠકની જેમ) અનેક કૃતિઓમાં બતાવી છે. આવી કૃતિઓમાં ઘણુંખરું પરંપરિત છંદોવિધાન કવિને લયની બહુવિધ લીલા માટે અવકાશ આપે છે અને અભિવ્યક્તિની મોકળાશ આપે છે. પરંપરિતમાં કવિને હિરગીત, ઝૂલણા અને કટાવની ચાલમાં સૌથી વધુ ફાવટ આવી છે. આવી રચનાઓમાં વસ્તુ પરત્વેનો અભિગમ અને અભિવ્યક્તિની છટા ઉભયમાં સતત નિરંજનનો પ્રભાવ વરતાયા કરે છે. ખીલા', 'એક ગાય', 'અશ્વ', ખિસકોલીઓ', ‘ગાલ્લું’, ‘એકેય એવું ફૂલ' જેવી અનેક કૃતિઓ આ સંદર્ભે નોંધી શકાય. ‘ખીલા'માં ઈસુના કૃસાવરહોણનો પ્રસંગ લઈને સ્થિતિ વિપર્યાસને આશ્રયે વ્યંજનાની ધાર કઢાઈ છે. ઈસુના હાથ પર જડેલા ખીણા જોઈ લુહાર ઉદ્ગાર કાઢે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મેં મકાનો બાંધવાને જે ઘડ્યા | {{Block center|'''<poem>મેં મકાનો બાંધવાને જે ઘડ્યા | ||
રે તે ખીલા તો અહીં જડ્યા! (૨૩)</poem>}} | રે તે ખીલા તો અહીં જડ્યા! (૨૩)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘અશ્વ'માં (૩૦) કવિ ઘોડાનું ઝીણવટભર્યું વર્ણન કરે છે. વરસના વરસાદને નીચી ડોકે વેઠતા ઘોડાને પ્રશ્ન થાય છે : 'સૂરજના રથને ખેંચનારો હું, મારે કયા વાંકે આ વેઠવાનું?’ અહીં કરુણ વાસ્તવિક સ્થિતિમાં મુકાયેલ બેહાલ મનુષ્યનું પ્રતીક બની રહે છે. | ‘અશ્વ'માં (૩૦) કવિ ઘોડાનું ઝીણવટભર્યું વર્ણન કરે છે. વરસના વરસાદને નીચી ડોકે વેઠતા ઘોડાને પ્રશ્ન થાય છે : 'સૂરજના રથને ખેંચનારો હું, મારે કયા વાંકે આ વેઠવાનું?’ અહીં કરુણ વાસ્તવિક સ્થિતિમાં મુકાયેલ બેહાલ મનુષ્યનું પ્રતીક બની રહે છે. | ||
સામાજિક અભિજ્ઞતા દાખવતી તિર્યક્ વાક્ભંગિવાળી અછાંદસ રચનાઓમાં એ એ લોકો’ શોષકવર્ગની નિર્મમ, નિર્દય, નિવેણ શોષણરીતિનો વેધક ચિતાર આપે છે : | સામાજિક અભિજ્ઞતા દાખવતી તિર્યક્ વાક્ભંગિવાળી અછાંદસ રચનાઓમાં એ એ લોકો’ શોષકવર્ગની નિર્મમ, નિર્દય, નિવેણ શોષણરીતિનો વેધક ચિતાર આપે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે | {{Block center|'''<poem>એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે | ||
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે. {{gap}} | પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે. {{gap}} | ||
{{right|(૬૮)}}</poem>}} | {{right|(૬૮)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિની બાની અહીં ભાવાનુરૂપ વિદ્રોહાત્મકતા, બળ, ઓજસ અને આક્રોશ ધારણ કરે છે. લાક્ષણિક સંવેદનશીલત, તિર્યક્ વાગ્ભંગિને લીધે ગાંધીયુગીન ભાવનાશીલતા અને વર્ગવિષમતાને આલેખતી રચનાઓ કરતાં આ જુદી પડે છે. વાગ્મિતાનો આશ્રય લઈ ઉપસાવાયેલા ધારદાર વ્યંગમાં અહીં કવિની મનુષ્યપ્રીતિ વ્યક્ત થાય છે. અલબત્ત, કવિની કલમે અછાંદસમાં આવી અભિવ્યક્તિ વિરલ જ રહે છે. ‘હરણાં', 'કુત્તા’, ‘બળદ’, ભેંસ’, ‘હાથી’, વગેરે પ્રાણીઓને વિષય કરીને રચાયેલી કૃતિઓમાં આધુનિક સંપ્રજ્ઞતામાંથી જન્મેલો લાક્ષણિક અજંપો વ્યંજનાપૂર્ણ અભિવ્યક્તિની રીતે આસ્વાદ્ય બને છે. એ પ્રિયકાન્તનો પોતીકો વિશેષ બનીને આવે છે. ‘બળદ’માં | કવિની બાની અહીં ભાવાનુરૂપ વિદ્રોહાત્મકતા, બળ, ઓજસ અને આક્રોશ ધારણ કરે છે. લાક્ષણિક સંવેદનશીલત, તિર્યક્ વાગ્ભંગિને લીધે ગાંધીયુગીન ભાવનાશીલતા અને વર્ગવિષમતાને આલેખતી રચનાઓ કરતાં આ જુદી પડે છે. વાગ્મિતાનો આશ્રય લઈ ઉપસાવાયેલા ધારદાર વ્યંગમાં અહીં કવિની મનુષ્યપ્રીતિ વ્યક્ત થાય છે. અલબત્ત, કવિની કલમે અછાંદસમાં આવી અભિવ્યક્તિ વિરલ જ રહે છે. ‘હરણાં', 'કુત્તા’, ‘બળદ’, ભેંસ’, ‘હાથી’, વગેરે પ્રાણીઓને વિષય કરીને રચાયેલી કૃતિઓમાં આધુનિક સંપ્રજ્ઞતામાંથી જન્મેલો લાક્ષણિક અજંપો વ્યંજનાપૂર્ણ અભિવ્યક્તિની રીતે આસ્વાદ્ય બને છે. એ પ્રિયકાન્તનો પોતીકો વિશેષ બનીને આવે છે. ‘બળદ’માં | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હું ગાડું તાણતો હતો | {{Block center|'''<poem>હું ગાડું તાણતો હતો | ||
મને મૃત્યુ તાણી ગયું.</poem>}} | મને મૃત્યુ તાણી ગયું.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(પ્રિયકાન્તની ચેતના બાજઝડપે વિરોધો પકડી લે છે!) એવી મૃત બળદની ઉક્તિ સરળ વેધકતાનો અપૂર્વ નમૂનો બની રહે છે, ‘નક્કી અહીં આ હું રહું છું?માં નાનકડી ભોંયતળિયાની ઓરડીના અસબાબનું વર્ણન થાય છે જે જીવનના અભાવને વ્યંજિત કરે છે : | (પ્રિયકાન્તની ચેતના બાજઝડપે વિરોધો પકડી લે છે!) એવી મૃત બળદની ઉક્તિ સરળ વેધકતાનો અપૂર્વ નમૂનો બની રહે છે, ‘નક્કી અહીં આ હું રહું છું?માં નાનકડી ભોંયતળિયાની ઓરડીના અસબાબનું વર્ણન થાય છે જે જીવનના અભાવને વ્યંજિત કરે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>દિવસ જન્મ્યો ને છતાં ના દર્પણે દેખાઉં હું</poem>}} | {{Block center|'''<poem>દિવસ જન્મ્યો ને છતાં ના દર્પણે દેખાઉં હું</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભીડમાં ભળી ગયેલા ચહેરા વિનાના આજના માનવીની છબિ કવિની કવિતામાં આ શબ્દોમાં ઝિલાય છે : | ભીડમાં ભળી ગયેલા ચહેરા વિનાના આજના માનવીની છબિ કવિની કવિતામાં આ શબ્દોમાં ઝિલાય છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>કોક છાપાની હજારો પ્રત સમા સૌ આપશો</poem>}} | {{Block center|'''<poem>કોક છાપાની હજારો પ્રત સમા સૌ આપશો</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવા જગતમાં ઈશ્વરની વિડંબના પણ સ્વાભાવિક બની રહે છે : | આવા જગતમાં ઈશ્વરની વિડંબના પણ સ્વાભાવિક બની રહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ત્યાં કૃષ્ણ કરતા સ્મિત, વેજીટેબલ કંપની કેલેન્ડરે</poem>}} | {{Block center|'''<poem>ત્યાં કૃષ્ણ કરતા સ્મિત, વેજીટેબલ કંપની કેલેન્ડરે</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રિયકાન્તની કવિતાની આવી કેટલી પંક્તિઓ ચલણી બની ગઈ છે! 'પ્રબલગતિ'ની ઘણી અછાંદસ રચનાઓમાં પ્રણયની ચિર તૃષા-અતૃપ્તિ - એનો વિષાદ આલેખાયાં છે; અલબત્ત એનાં કાવ્યમય આવિષ્કાર જવલ્લે જ મળે છે : | પ્રિયકાન્તની કવિતાની આવી કેટલી પંક્તિઓ ચલણી બની ગઈ છે! 'પ્રબલગતિ'ની ઘણી અછાંદસ રચનાઓમાં પ્રણયની ચિર તૃષા-અતૃપ્તિ - એનો વિષાદ આલેખાયાં છે; અલબત્ત એનાં કાવ્યમય આવિષ્કાર જવલ્લે જ મળે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ગુલાબની પાંદડીઓ તો ખરી જાય છે, | {{Block center|'''<poem>ગુલાબની પાંદડીઓ તો ખરી જાય છે, | ||
ગુલાબ તો તેમ કરવાને ટેવાયેલું છે. | ગુલાબ તો તેમ કરવાને ટેવાયેલું છે. | ||
આ હોઠ તરફડી તરફડી પાંદડીની જેમ પડી જતા નથી. | આ હોઠ તરફડી તરફડી પાંદડીની જેમ પડી જતા નથી. | ||
તરસના એ તરસ્યા (પ્રબલગતિ, ૪૨)</poem>}} | તરસના એ તરસ્યા (પ્રબલગતિ, ૪૨)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તથાપિ અછાંદસમાં કવિ ખાસ જામતા નથી. | તથાપિ અછાંદસમાં કવિ ખાસ જામતા નથી. | ||
પ્રિયકાન્તને ‘ફૂલના કવિ’ તરીકે ઓળખાવામાં છે : | પ્રિયકાન્તને ‘ફૂલના કવિ’ તરીકે ઓળખાવામાં છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ફૂલનો પવન લોચન માટે વાયો | {{Block center|'''<poem>ફૂલનો પવન લોચન માટે વાયો | ||
{{gap|4em}}* | {{gap|4em}}* | ||
ફૂલ એક ફૂટ્યું ને લોચનિયે ચૂંટ્યું | ફૂલ એક ફૂટ્યું ને લોચનિયે ચૂંટ્યું | ||
| Line 101: | Line 101: | ||
{{gap|4em}}* | {{gap|4em}}* | ||
એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં | એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં | ||
કે જે મને હો ના ગમ્યું!</poem>}} | કે જે મને હો ના ગમ્યું!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
- જેવી અસંખ્ય પંક્તિઓ મળી આવે છે. | - જેવી અસંખ્ય પંક્તિઓ મળી આવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મ્હેંક મારામાં એમ ભળી કે | {{Block center|'''<poem>મ્હેંક મારામાં એમ ભળી કે | ||
ઘેનમાં હું તો મુજને સૂંઘું</poem>}} | ઘેનમાં હું તો મુજને સૂંઘું</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કહેતા પ્રિયકાન્ત પુષ્પોના મઘમઘતા કવિ છે. જયંત પાઠકે એમને ‘ઉઘાડના કવિ’, ‘ખીલવાની પ્રક્રિયાને વાણીમાં અવતારનાર કવિ' તરીકે ઓળખાવ્યા છે. એમની કવિતામાં ફૂલ જેવી હળવાશ માણવા મળે છે. એમાંથી ભાવની ઉન્માદક- મીઠી ફોરમ ફોર્યા કરે છે. | કહેતા પ્રિયકાન્ત પુષ્પોના મઘમઘતા કવિ છે. જયંત પાઠકે એમને ‘ઉઘાડના કવિ’, ‘ખીલવાની પ્રક્રિયાને વાણીમાં અવતારનાર કવિ' તરીકે ઓળખાવ્યા છે. એમની કવિતામાં ફૂલ જેવી હળવાશ માણવા મળે છે. એમાંથી ભાવની ઉન્માદક- મીઠી ફોરમ ફોર્યા કરે છે. | ||
પ્રિયકાન્તની કવિતામાં એવું કશુંક છે જે આપણને અભિભૂત કરે છે. એ છે લયનું કામણ, સહજસ્ફુરિત પદાવલિ, શબ્દસમૃદ્ધિ, પ્રાસરમણા, ઊર્મિછલકતું નર્યું તાજગીસભર ભાવસૌંદર્ય અને અભિવ્યક્તિનો નૈસર્ગિક ઉથાડ, જાણે રમતાં રમતાં-લીલયા-સહેજમાં શબ્દો ગોઠવાઈ જાય છે : | પ્રિયકાન્તની કવિતામાં એવું કશુંક છે જે આપણને અભિભૂત કરે છે. એ છે લયનું કામણ, સહજસ્ફુરિત પદાવલિ, શબ્દસમૃદ્ધિ, પ્રાસરમણા, ઊર્મિછલકતું નર્યું તાજગીસભર ભાવસૌંદર્ય અને અભિવ્યક્તિનો નૈસર્ગિક ઉથાડ, જાણે રમતાં રમતાં-લીલયા-સહેજમાં શબ્દો ગોઠવાઈ જાય છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>કોક મદીલી લોચનબાળા શીદ ઝરૂખે ઝૂકે? | {{Block center|'''<poem>કોક મદીલી લોચનબાળા શીદ ઝરૂખે ઝૂકે? | ||
સાંજને સમે આંખડી એને કેમ જોવાનું ચૂકે? (૪૦)</poem>}} | સાંજને સમે આંખડી એને કેમ જોવાનું ચૂકે? (૪૦)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નિરંજને કહ્યું છે : ‘પ્રિયકાન્ત બાળક હતા. એમણે બાળકની જેમ ચોમેરેથી સૌંદર્ય અને આનંદની લૂંટ ચલાવી છે. એ જે કાંઈ જુએ એમાં ‘તલ્લીન, તન્મય’ વિસ્મય વિસ્ફારિત નેત્રે માણેલો ઊર્મિ ઉછાળ આ કવિતામાં અંકિત થયેલો છે. કવિતા કવિને મન અમૂર્ત ભાવોને મૂર્તરૂપ આપવાની- વાયુમાં શિલ્પ કોરી કાઢવાની પ્રવૃત્તિ છે : | નિરંજને કહ્યું છે : ‘પ્રિયકાન્ત બાળક હતા. એમણે બાળકની જેમ ચોમેરેથી સૌંદર્ય અને આનંદની લૂંટ ચલાવી છે. એ જે કાંઈ જુએ એમાં ‘તલ્લીન, તન્મય’ વિસ્મય વિસ્ફારિત નેત્રે માણેલો ઊર્મિ ઉછાળ આ કવિતામાં અંકિત થયેલો છે. કવિતા કવિને મન અમૂર્ત ભાવોને મૂર્તરૂપ આપવાની- વાયુમાં શિલ્પ કોરી કાઢવાની પ્રવૃત્તિ છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>નિહાળ્યો જેહને છે ના, તેનું રે ચિત્ર દોરવું! | {{Block center|'''<poem>નિહાળ્યો જેહને છે ના, તેનું રે ચિત્ર દોરવું! | ||
મારે આ વાયુની માંહે કોનું રે શિલ્પ કોરવું?</poem>}} | મારે આ વાયુની માંહે કોનું રે શિલ્પ કોરવું?</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવું કેટલુંય પ્રિયકાન્તની કવિતામાં છે જે માણ્યા પછી વીસરાય નહીં. એવી અગણિત પંક્તિઓ મળી આવે છે જે ગળામાં ગુંજ્યા કરે-મનમાં રમ્યા કરે – ચિત્તમાં ફરક્યા કરે… અને એ જ તો કવિની પ્રાપ્તિ છે! | આવું કેટલુંય પ્રિયકાન્તની કવિતામાં છે જે માણ્યા પછી વીસરાય નહીં. એવી અગણિત પંક્તિઓ મળી આવે છે જે ગળામાં ગુંજ્યા કરે-મનમાં રમ્યા કરે – ચિત્તમાં ફરક્યા કરે… અને એ જ તો કવિની પ્રાપ્તિ છે! | ||
Latest revision as of 01:56, 30 November 2024
દક્ષા વ્યાસ
ગુજરાતીનો અધ્યાપક સંઘે વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા નિમિત્તે એક વૈભવી કવિનો સ્વાધ્યાય કરવાની તક આપી તે માટે સંઘનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રિયકાન્તની કવિતાને કદાચ વૈભવ કરતાં ય છાક શબ્દ વધુ બંધબેસે - ભાવ – ભાષા-કલ્પના-છંદોલય…નો છાક. એ તમારા રોમરોમને વ્યાપી વળે, રોમાંચિત કરે અને ઘેરું ઘેન ચઢાવે. પ્રિયકાન્તની કવિતાને વિવેચકોએ મન મૂકીને વધાવી છે. એની પ્રશંસા કરતાં આ પંક્તિઓ વારંવાર ટાંકવામાં આવી છે :
એ તમે માની લીધું કે આ કલમ અટકી જશે
રોપતાં રોપી દીધી એ ફૂલ લાવી બેસશે.
‘રોપતાં રોપી દીધી’માં વ્યક્ત સહજસ્ફૂર્તતા, સર્જકની અવઢવ અને આશાયેશ - મિજાજ ને ખુમારી, ફૂલનું આકર્ષણ, કલ્પનાશીલતા, એકાદ ટકોરો મારીને શબ્દને જીવતો કરી દેવાની કુશળતા-વૃત્તિ, અલંકાર પ્રત્યેનું આકર્ષણ અને ગઝલ સ્વરૂપમાં કવિને ગોઠશે નહીંના અણસાર- કવિની કવિતાની આ તમામ લાક્ષણિકતાઓ અહીં પ્રતિબિંબિત થયેલી જણાશે. કોઈ પણ કવિની કવિતાની તપાસ કયા માપદંડથી કરવી એ એક મૂંઝવનારો પ્રશ્ન છે – એના જીવન સંદર્ભે? એના સમકાલીનોના સંદર્ભે? એના ઘડતરનાં પિરબળોને લક્ષમાં લઈને? એના સમયના સંદર્ભે? કોઈ કવિની કાવ્યયાત્રાને સમગ્રતાથી જોવી હોય તો આ સર્વ માપદંડો ખપમાં આવે ખરા, પરંતુ વિવેક ન જળવાય, કોને કેટલું મહત્ત્વ આપવું તેનું પ્રમાણ ન રખાય તો એ કવિતાતત્ત્વ સુધી પહોંચવામાં, કવિતાને શુદ્ધ કલાકૃતિરૂપે આસ્વાદવામાં અવરોધક નીવડી શકે. જેમ કે પ્રિયકાન્તની કવિતાનું મૂલ્યાંકન કરતાં અહોભાવભર્યા ઉદ્ગાર કાઢીએ કે કોલેજનું પગથિયું પણ ન ચઢેલા કવિની કવિતા કોલેજિયનોને મંત્રમુગ્ધ કરે છે! કૉલેજોમાં ભણાવાય છે! ભાઈ, નરસિંહ-મીરાં-દયારામ-અખો કંઈ મહાશાળામાં ભણવા ગયેલા? કવિ ભણેલા હોય કે ન હોય, ગણેલા હોય. એક જાગ્રત કવિ - સભાન કવિ પોતાને સજ્જ કરવા શું શું ન કરે! કવિ તો પટુકરણ હોવાનો. પતંગિયા સમી એની ચેતના આસપાસની આબોહવામાંથી, સંપર્કોમાંથી, પરિશીલનથી જાણ્યે - અજાણ્યે કશુંક નવું નવું હંમેશ ગ્રહણ કરતી રહેવાની શિશુવયમાં માતાના કંઠે સાંભળેલાં ગીત-ભજન-હાલરડાંના લયે કવિનો કાન કેવો કેળવ્યો છે! નવમું ધોરણ ભણેલા છોકરાએ નરસિંહ-મીરાં કે દયારામને જ માણ્યાં નહોતાં, ન્હાનાલાલ-કબીર-રવીન્દ્રનાથનેય ઝીલ્યા હતા. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનું પરિશીલન અને વિશ્વકવિતાનો પરિચય પણ કેળવ્યો હતો. સર્જકતાથી છલકાતા કવિને બુધ સભાની તાલીમ મળી હતી. મકરન્દ દવે, બાલમુકુન્દ દવે, પિનાકિન ઠાકોર, નિરંજન ભગત અને રાજેન્દ્ર શાહની કવિતા અને કાવ્યસમજથી એમની કવિતા સંસ્કારાઈ હતી. પરંપરિત માત્રામેળી પ્રયોગો, વિડંબનાના તિર્યક્ કાકુઓ, કૌંસપ્રયોગ, સામાજિક સંપ્રજ્ઞતા, ઉક્તિઓ, પ્રાસરમણ, રચવાની સફાઈ જેવી કેટકેટલી બાબતો નિરંજનનું મધુર સ્મરણ કરાવે છે! પ્રિયકાન્ત સતત સમયની સાથે જીવનારા, સમયનાં આંદોલનોને ઝીલનારા કવિ રહ્યા છે. નવતર કવિતાનો સૌંદર્યરાગ, ગીતરચનાઓનું બાહુલ્ય, કૃષ્ણકવિતાનું આકર્ષણ, કૌતુકરાગની સાથે સાથે પરંપરિત માત્રામેળના પ્રયોગો, સામાજિક સંપ્રજ્ઞતા, નગરસભ્યતાની કૃતકતા અને દંભ પરાયણતા, નવ્ય માનવતાવાદ, ગદ્યકાવ્ય અને અછાંદસની આરાધના… આ બધાં પરિમાણો એની કવિતામાં સમયે સમયે ઊઘડતાં રહ્યાં છે. પરંતુ આ બધાને અંતે પ્રિયકાન્તની કવિતામાં સર્જકતા કેવા રૂપે ઊઘડી છે એ જ એક મહત્ત્વનો મુદ્દો બની રહે છે. પ્રિયકાન્તની કાવ્યપ્રવૃત્તિ ૧૯૪૮થી ૧૯૭૯ના સમયપટ પર વિસ્તરેલી છે. પ્રથમ સંગ્રહ ‘પ્રતીક’ ૧૯૫૩માં પ્રગટ થાય છે, કવિની ૨૭ વર્ષની વયે. શુદ્ધ સૌંદર્યલક્ષી અભિગમ અને માનવવાદથી અનુપ્રાણિત યથાર્થલક્ષી રચનાઓ અહીં ધ્યાન ખેંચે છે. આ કવિતા જીવનનો ભરપુર ઉલ્લાસ, અભિનવ કલ્પનાનું તેજ, લોભામણે, લયહિલ્લોળ, ઊર્મિનો ઉત્કટ આવેગ અને અભિવ્યક્તિની તાજગી લઈને આવે છે. એ સોળ વરસની છોરી’ કવિનું રિચાયક ગીત બની રહે છે. ‘અશબ્દ રાત્રિ’ (૧૯૫૯)માં નિરંજને પ્રગટાવેલાં વલણો, નૂતન પ્રયોગ પરાયણતાનું પરિમાણ ઉમેરાય છે. અહીં પણ વિષયનું નાવીન્ય, ઉત્કટ સંવેદનશીલતા સાથે વિલક્ષણ કલ્પનાકળાનો સમન્વય થતો અનુભવાય છે. ‘અશબ્દ રાત્રિમાં’માં હેમંતની શાંત મધરાતે પ્યાલામાંનું વધેલું પાણી ઢોળી દેવાની સામાન્ય ક્રિયાને આશ્રયે શાંતિનો ઇંદ્રિયાતીત અનુભવ મિશ્રોપજાતિમાં શક્ય બન્યો છે તે ધ્યાન ખેંચે છે. ‘સ્પર્શ’ (૧૯૬૬)માં ઊભય સંગ્રહોની લાક્ષણિકતાઓ સમન્વિત રૂપે ઊઘડે છે. ‘છેલ છબીલે છાંટી’ જેવાં કૃષ્ણગીતોમાં કાવ્યત્વની પરાકાષ્ઠા અનુભવાય છે. ‘સમીપ’ (૧૯૭૨) ‘બળદ’ જેવી સક્ષમ ગદ્ય કવિતા લઈને આવે છે. પરંતુ થોડી રચનાઓને બાદ કરતાં કવિપ્રતિભાનું તે જ કિંચિત્ ઝંખવાતું જણાય છે. ‘પ્રબલગતિ’ (૧૯૭૪) ‘એ લોકો’ જેવી ધારદાર કે ‘જલાશય’ જેવી સરલ - મર્માળી રચનાઓ લઈને આવે છે. પણ અહીં કવિ નવતર કાવ્યવલણોને છોડીને પૂર્ણપણે આધુનિક કાવ્યવલણોને અપનાવવાની મથામણ કરે છે. અભિવ્યક્તિ અછાંદસને આંબવા કરે છે; પરંતુ પ્રિયકાન્ત લયના કવિ છે, અછાંદસ રચનાઓમાં કોઈ આકાર કે અસરકારકતા જવલ્લે જ સિદ્ધ કરી શકે છે. હવે ઉલ્લાસ વિષાદમાં પલટાય છે. ‘વ્યોમલિપિ’ (૧૯૭૯)માં પણ આધુનિક મનુષ્યનાં સંકુલ સંવેદનો ઝિલાય છે. ‘ખેતરમાં’ જેવી રચના ધ્યાન ખેંચે છે ખરી, પરંતુ તીરની પેઠે સોંસરી ઊતરી જાય તેવી કૃતિઓ મળતી નથી. ‘લીલેરો ઢાળ’ (૧૯૭૯) ‘કદમ્બ’ જેવાં લયમધુર ગીતોનો સંચય છે. આમ પ્રિયકાન્તની કવિતા એક બાજુ શુદ્ધ સૌંદર્યબોધની પીઠિકા પર કમનીય પદાવિલમાં ભાવનકશી કરતી નવતર કવિતાનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રતીકરાગી વલણ દાખવે છે તો બીજી બાજુ સામાજિક સંપ્રજ્ઞતાથી પ્રેરાઈ નગરજીવનની વિષમતાઓને પણ કવનવિષય બનાવે છે અને આધુનિક ભાવબોધ પ્રગટાવે છે. બંને છેડે કવિ કેટલુંક અવિસ્મરણીય પ્રદાન કરી શક્યા છે. પ્રિયકાન્તની કવિતાનાં આંખે ઊડીને વળગે તેવાં તત્ત્વો ક્યાં? આ રચનાઓમાંથી પસાર થતાં સમજાય છે કે કવિને સૌથી વધુ ફાવટ બે કાવ્યરૂપોમાં આવી છે : લયમધુર ગીતોમાં અને સરળ વેધકતા પ્રગટાવતી પરંપરિત માત્રામેળી રચનાઓમાં ઉત્કટ ઊર્મિશીલતા, તરલ લયહિલ્લોળ, સહજ સ્ફુરિત પદાવલિ, અભિવ્યક્તિની તાજગી, પ્રતીકાત્મકતા અને સ્પર્શક્ષમતા એમની કવિતાની પ્રમુખ લાક્ષણિકતાઓ ગણી શકાય. એ એમની કવિતાને અન્યોથી અલગ પાડે છે. પ્રણય કવિનો પ્રમુખ વિષય રહ્યો છે. યૌવનનો ઉત્કટ રાગાવેગ, તરવરાટ, ઉલ્લાસ, મસ્તી, છાક અનેક ગીતોમાં આલેખાયાં છે. પ્રિયકાન્તની તમામ ખૂબીઓ સાથે પ્રગટતી ગીત રચના ‘એ સોળ વરસની છોરી’ લઈએ :
એ સોળ વરસની છોરી,
સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી. (૨૧)
મુગ્ધ હૃદયનો ઊર્મિ ઉછાળ અહીં શબ્દેશબ્દમાં અને લયમાં કેવો અંકિત થયો છે! ગીતોમાં કથનવર્ણનની કુશળતા સાથે કલ્પનાનું નાવીન્ય અને લયનું વૈવિધ્ય ઘણું માણવા મળે છે.
શ્રાવણની સાંજનો તડકો ઢોળાયો, મારા ચોકમાં,
જાણે હેમનો સોહાયો હાર ગરવી તે ગાયની ડોકમાં. (૨૪)
કવિનાં છુટ્ટી ચાલનાં ગીતો લયના નિર્બંધ વહેણને માણવાનો અનેરો અનુભવ આપે છે :
ગીત એક ગાયું ને વાયરે વાવ્યું
કે છોડ એનો છુટ્ટો મેલ્યો રે લોલ! (૩૭)
‘નાગ પાંચમનું ગીત’ (૭૨)માં બને છે તેમ ક્યારેક આધુનિકતાના સંસ્કાર પણ વરતાય છે. અહીં ગ્રામીણ નારીની દુર્દમ્ય કામના, એના ઓરતા અને વિરહના વલખાટને લોકબોલીમાં અસરકારક વાચા મળે છે. ભાવ અને ભાષાની નવીનતા અને નવીન લયપ્રયોગની દૃષ્ટિએ ‘તને એક ખૂંપરો હુવે!’ (૭૪) ધ્યાન ખેંચે છે. રમતિયાળ કૌતુકરાગી અભિવ્યક્તિમાં નારીને માતૃત્વ માટેની શુભેચ્છા પાઠવતી આ રચનામાં આદિવાસી બોલીનો વિલક્ષણ પ્રયોગ છે. નવતર કવિતામાં સૌંદર્યનિમિત્તે નારી આકર્ષણનું રંગરાગી નિરૂપણ થવા માંડે છે અને પ્રેમ સાથે ઉત્કટ કામનું આલેખન કરવાનું વલણ પણ પ્રબળ બને છે તે પ્રિયકાન્તની ઘણી કૃતિઓનાં જોઈ શકાય. ઉમાશંકરનાં જોશીએ કહેલું કે કવિની કલમ વારંવાર શયનકક્ષમાં ધસી જાય છે. અલબત્ત, એમાંય ક્યાંક ક્યાંક ‘કંચૂકીબંધ છૂટ્યાને’ જેવી રોમહર્ષણ રચના મળી આવે છે. પ્રીતિની ઉત્કટ ઝંખના વ્યક્ત કરવા કવિને રાધાકૃષ્ણનાં પ્રતીકો ખૂબ અનુકૂળ આવ્યાં છે. કવિએ વિરહ, મિલન, મસ્તી અને સ્વાર્પણના ગોપીભાવની પરાકાષ્ઠા દાખવતાં અપૂર્વ લયમાધુર્ય ભર્યાં ભાવચિત્રોનું એક એકથી અદકું નકશીકામ આ પ્રકારનાં ગીતોમાં કર્યું છે. એ જોઈ મકરન્દ દવેએ કહ્યું હતું, ‘રાસલીલામાંથી વિખૂટી પડી ગયેલી એક ગોપી અહીં અવતરી છે.’ કવિની છેલછબીલે’ રચના લઈએ -
છેલ-છબીલે છાંટી મુજને છેલ-છબીલે છાંટી,
જમુનાજલમાં રંગ ગુલાબી વાટી…
*
સળવળ સળવળ થાય ઉરે જ્યમ પહેલી પહેરી હો કાંટી!
*
જવા કરું ત્યાં એની નજરની અંતર પડતી આંટી! (૪૨)
યૌવનનો ઉન્મત્ત રાગાવેગ અહીં સતત છલકે છે. જમુનાજલ જમુનાજલ ન રહેતાં પ્રણયખેલની સામગ્રી બની રહે છે ને હોળી ખેલવું દૃશ્ય રચાય છે. ભાવને અનુરૂપ પ્રણયની માદકતા છલકાવતો લયહિલ્લોળ, પદરચના અને પ્રાસરમણા મનને હરી લે છે. છાંટી-વાટી-ઘાટી-કાંટી-આંટી જેવી ચપોચપ બંધબેસતી સફાઈદાર પ્રાસરચનામાં આંટી-કાંટી જેવા ઘરાળુ શબ્દો કાવ્યભાવને કેવી નજાકતથી વ્યંજિત કરે છે! કલ્પનાની અને ભાવની નજાકત ‘અલબેલો’ના ઉપાડમાં માણવા જેવી છે -
અલબેલો અડકે મને આંખથી રે
એનો કરવો તે કેમ રે ઉપાય? (૪૩)
‘આજ ગુલાલે ગોકુળ ગાંડુતૂર’માં તો કિવ રાધાકૃષ્ણ નિમિત્તે આખા વિશ્વમાં ચાલતા અખંડ રાસનો સાક્ષાત્કાર કરાવે છે!
સૂર્ય સ્વયં પીતાંબર પહેરી ધરણી ઉપર ઝૂમે
નિજ થકી જેહ રચ્યું જગ તેની ધૂલિ માંહે ઘૂમે (સ્પર્શ, ૫૩)
કૃષ્ણ-રાધાનાં ભાવપ્રતીકો લઈને રચાયેલી કૃષ્ણ-રાધા’ પ્રિયકાન્તની યશોદાયી અને ‘નૈસર્ગિક લોકગીત’ની કક્ષાએ પહોંચેલી કૃતિ ગણાઈ છે. કેવળ પ્રકૃતિચિત્રો તરીકે પણ આસ્વાદ્ય એવી આ કૃતિમાં રૂપ અને અરૂપની દ્વૈતાભાસી લીલામાંથી સર્જાતી અનેરા સાયુજ્યની સૃષ્ટિ કવિએ તાજગીભર્યાં એક એકથી ચડિયાતાં કલ્પનો દ્વારા સર્જી છે :
આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે (૨૬)
નભ-ચાંદની, સરવરજલ-પોયણી, બાગ-હેરી, પરવતશિખર-કેડી, ચરણ- પગલી, કેશ-સેંથી, દીપ-આરતી, લોચન-નજરું… આવાં યુગ્મોની પરંપરા લોકગીતોમાં મળે છે. પ્રિયકાન્ત વિસ્મયમુગ્ધ કવિ છે. વિસ્મય નવીનતા અને તાજગી લાવે છે, પણ મુગ્ધતા કલાની સફાઈ અને સંયમશીલતામાં અવરોધક નીવડી શકે છે. પ્રિયકાન્તની આ કૃતિ સમર્થ વિવેચકોની સરાણે ચડી પાર ઊતરી છે, પણ ક્યારેક કવિના મોધ્ય અને વિસ્મયનો પાસ વિવેચનાને પણ લાગે છે. અહીં બાગ-લ્હેરી અને કેશ-સેંથનાં યુગ્મો સ્વંતત્ર રીતે આસ્વાદ્ય છે તેટલાં વિશાળમાંથી સીમિત અને સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ ગતિ કરતી ભાવાત્મક સંવાદિતાને ખંડિત કરતાં નથી લાગતાં? નવતર કવિતામાં પ્રતીકનો મહિમા થયો. સામાન્ય, ચિરપરિચિત વસ્તુ- સામગ્રી-ઘટના-પાત્રનો આશ્રય લઈ તેને પ્રતીકની કક્ષાએ પહોંચાડવાની ક્ષમતા પ્રિયકાન્ત (નિરંજન અને હસમુખ પાઠકની જેમ) અનેક કૃતિઓમાં બતાવી છે. આવી કૃતિઓમાં ઘણુંખરું પરંપરિત છંદોવિધાન કવિને લયની બહુવિધ લીલા માટે અવકાશ આપે છે અને અભિવ્યક્તિની મોકળાશ આપે છે. પરંપરિતમાં કવિને હિરગીત, ઝૂલણા અને કટાવની ચાલમાં સૌથી વધુ ફાવટ આવી છે. આવી રચનાઓમાં વસ્તુ પરત્વેનો અભિગમ અને અભિવ્યક્તિની છટા ઉભયમાં સતત નિરંજનનો પ્રભાવ વરતાયા કરે છે. ખીલા’, ‘એક ગાય’, ‘અશ્વ’, ખિસકોલીઓ’, ‘ગાલ્લું’, ‘એકેય એવું ફૂલ’ જેવી અનેક કૃતિઓ આ સંદર્ભે નોંધી શકાય. ‘ખીલા’માં ઈસુના કૃસાવરહોણનો પ્રસંગ લઈને સ્થિતિ વિપર્યાસને આશ્રયે વ્યંજનાની ધાર કઢાઈ છે. ઈસુના હાથ પર જડેલા ખીણા જોઈ લુહાર ઉદ્ગાર કાઢે છે :
મેં મકાનો બાંધવાને જે ઘડ્યા
રે તે ખીલા તો અહીં જડ્યા! (૨૩)
‘અશ્વ’માં (૩૦) કવિ ઘોડાનું ઝીણવટભર્યું વર્ણન કરે છે. વરસના વરસાદને નીચી ડોકે વેઠતા ઘોડાને પ્રશ્ન થાય છે : ‘સૂરજના રથને ખેંચનારો હું, મારે કયા વાંકે આ વેઠવાનું?’ અહીં કરુણ વાસ્તવિક સ્થિતિમાં મુકાયેલ બેહાલ મનુષ્યનું પ્રતીક બની રહે છે. સામાજિક અભિજ્ઞતા દાખવતી તિર્યક્ વાક્ભંગિવાળી અછાંદસ રચનાઓમાં એ એ લોકો’ શોષકવર્ગની નિર્મમ, નિર્દય, નિવેણ શોષણરીતિનો વેધક ચિતાર આપે છે :
એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે.
(૬૮)
કવિની બાની અહીં ભાવાનુરૂપ વિદ્રોહાત્મકતા, બળ, ઓજસ અને આક્રોશ ધારણ કરે છે. લાક્ષણિક સંવેદનશીલત, તિર્યક્ વાગ્ભંગિને લીધે ગાંધીયુગીન ભાવનાશીલતા અને વર્ગવિષમતાને આલેખતી રચનાઓ કરતાં આ જુદી પડે છે. વાગ્મિતાનો આશ્રય લઈ ઉપસાવાયેલા ધારદાર વ્યંગમાં અહીં કવિની મનુષ્યપ્રીતિ વ્યક્ત થાય છે. અલબત્ત, કવિની કલમે અછાંદસમાં આવી અભિવ્યક્તિ વિરલ જ રહે છે. ‘હરણાં’, ‘કુત્તા’, ‘બળદ’, ભેંસ’, ‘હાથી’, વગેરે પ્રાણીઓને વિષય કરીને રચાયેલી કૃતિઓમાં આધુનિક સંપ્રજ્ઞતામાંથી જન્મેલો લાક્ષણિક અજંપો વ્યંજનાપૂર્ણ અભિવ્યક્તિની રીતે આસ્વાદ્ય બને છે. એ પ્રિયકાન્તનો પોતીકો વિશેષ બનીને આવે છે. ‘બળદ’માં
હું ગાડું તાણતો હતો
મને મૃત્યુ તાણી ગયું.
(પ્રિયકાન્તની ચેતના બાજઝડપે વિરોધો પકડી લે છે!) એવી મૃત બળદની ઉક્તિ સરળ વેધકતાનો અપૂર્વ નમૂનો બની રહે છે, ‘નક્કી અહીં આ હું રહું છું?માં નાનકડી ભોંયતળિયાની ઓરડીના અસબાબનું વર્ણન થાય છે જે જીવનના અભાવને વ્યંજિત કરે છે :
દિવસ જન્મ્યો ને છતાં ના દર્પણે દેખાઉં હું
ભીડમાં ભળી ગયેલા ચહેરા વિનાના આજના માનવીની છબિ કવિની કવિતામાં આ શબ્દોમાં ઝિલાય છે :
કોક છાપાની હજારો પ્રત સમા સૌ આપશો
આવા જગતમાં ઈશ્વરની વિડંબના પણ સ્વાભાવિક બની રહે છે :
ત્યાં કૃષ્ણ કરતા સ્મિત, વેજીટેબલ કંપની કેલેન્ડરે
પ્રિયકાન્તની કવિતાની આવી કેટલી પંક્તિઓ ચલણી બની ગઈ છે! ‘પ્રબલગતિ’ની ઘણી અછાંદસ રચનાઓમાં પ્રણયની ચિર તૃષા-અતૃપ્તિ - એનો વિષાદ આલેખાયાં છે; અલબત્ત એનાં કાવ્યમય આવિષ્કાર જવલ્લે જ મળે છે :
ગુલાબની પાંદડીઓ તો ખરી જાય છે,
ગુલાબ તો તેમ કરવાને ટેવાયેલું છે.
આ હોઠ તરફડી તરફડી પાંદડીની જેમ પડી જતા નથી.
તરસના એ તરસ્યા (પ્રબલગતિ, ૪૨)
તથાપિ અછાંદસમાં કવિ ખાસ જામતા નથી. પ્રિયકાન્તને ‘ફૂલના કવિ’ તરીકે ઓળખાવામાં છે :
ફૂલનો પવન લોચન માટે વાયો
*
ફૂલ એક ફૂટ્યું ને લોચનિયે ચૂંટ્યું
કે પાંખડી એવી ને એવી રે લોલ
*
ફરતું ફરે ફૂલ
એ તો જલમાં જગવે ઝૂલ...
*
એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં
કે જે મને હો ના ગમ્યું!
- જેવી અસંખ્ય પંક્તિઓ મળી આવે છે.
મ્હેંક મારામાં એમ ભળી કે
ઘેનમાં હું તો મુજને સૂંઘું
કહેતા પ્રિયકાન્ત પુષ્પોના મઘમઘતા કવિ છે. જયંત પાઠકે એમને ‘ઉઘાડના કવિ’, ‘ખીલવાની પ્રક્રિયાને વાણીમાં અવતારનાર કવિ’ તરીકે ઓળખાવ્યા છે. એમની કવિતામાં ફૂલ જેવી હળવાશ માણવા મળે છે. એમાંથી ભાવની ઉન્માદક- મીઠી ફોરમ ફોર્યા કરે છે. પ્રિયકાન્તની કવિતામાં એવું કશુંક છે જે આપણને અભિભૂત કરે છે. એ છે લયનું કામણ, સહજસ્ફુરિત પદાવલિ, શબ્દસમૃદ્ધિ, પ્રાસરમણા, ઊર્મિછલકતું નર્યું તાજગીસભર ભાવસૌંદર્ય અને અભિવ્યક્તિનો નૈસર્ગિક ઉથાડ, જાણે રમતાં રમતાં-લીલયા-સહેજમાં શબ્દો ગોઠવાઈ જાય છે :
કોક મદીલી લોચનબાળા શીદ ઝરૂખે ઝૂકે?
સાંજને સમે આંખડી એને કેમ જોવાનું ચૂકે? (૪૦)
નિરંજને કહ્યું છે : ‘પ્રિયકાન્ત બાળક હતા. એમણે બાળકની જેમ ચોમેરેથી સૌંદર્ય અને આનંદની લૂંટ ચલાવી છે. એ જે કાંઈ જુએ એમાં ‘તલ્લીન, તન્મય’ વિસ્મય વિસ્ફારિત નેત્રે માણેલો ઊર્મિ ઉછાળ આ કવિતામાં અંકિત થયેલો છે. કવિતા કવિને મન અમૂર્ત ભાવોને મૂર્તરૂપ આપવાની- વાયુમાં શિલ્પ કોરી કાઢવાની પ્રવૃત્તિ છે :
નિહાળ્યો જેહને છે ના, તેનું રે ચિત્ર દોરવું!
મારે આ વાયુની માંહે કોનું રે શિલ્પ કોરવું?
આવું કેટલુંય પ્રિયકાન્તની કવિતામાં છે જે માણ્યા પછી વીસરાય નહીં. એવી અગણિત પંક્તિઓ મળી આવે છે જે ગળામાં ગુંજ્યા કરે-મનમાં રમ્યા કરે – ચિત્તમાં ફરક્યા કરે… અને એ જ તો કવિની પ્રાપ્તિ છે!
❖
(‘અધીત : ચોવીસ’)