બાળ કાવ્ય સંપદા/પ્રશ્ન: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:33, 14 February 2025

પ્રશ્ન

લેખક : નાથાલાલ દવે
(1912-1991)

વાદળ વરસી જાય તે આભે
કેમ ચડે પૂર-પાણી ?
કોણ ક્યાંથી નિત સીંચતું ? એને
જોઈ નહીં, નહીં જાણી.

કૂવાને ૫૨થા૨ નહીં,
નહીં તળાવના કોઈ તીરે !
નદીએ બેસી નીરખું ત્યાં
જળ ઊછળે સ્હેજ સમીરે.

કોઈ ઝૂકે આકાશથી નહીં,
નહીં ગાગ૨ની એંધાણી,
વાદળ વ૨સી જાય તે આભે
કેમ ચડે પૂર-પાણી ?