બાળ કાવ્ય સંપદા/પ્રશ્ન: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 02:33, 14 February 2025
પ્રશ્ન
લેખક : નાથાલાલ દવે
(1912-1991)
વાદળ વરસી જાય તે આભે
કેમ ચડે પૂર-પાણી ?
કોણ ક્યાંથી નિત સીંચતું ? એને
જોઈ નહીં, નહીં જાણી.
કૂવાને ૫૨થા૨ નહીં,
નહીં તળાવના કોઈ તીરે !
નદીએ બેસી નીરખું ત્યાં
જળ ઊછળે સ્હેજ સમીરે.
કોઈ ઝૂકે આકાશથી નહીં,
નહીં ગાગ૨ની એંધાણી,
વાદળ વ૨સી જાય તે આભે
કેમ ચડે પૂર-પાણી ?