તત્ત્વસંદર્ભ/લેખકોની વર્કશોપમાં (૧. ઓ’કોનેર, ૨. ફ્રાન્કો મોરિયા): Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| લેખકોની વર્કશૉપમાં | ૧ ઑ’કોનરની મુલાકાત }} {{Poem2Open}} '''મુલાકાતી :''' કઈ વસ્તુએ તમને લેખક બનાવ્યા? '''ઓ’કોનર :''' લેખક થવા સિવાય અન્ય કશું હું થયો નથી. માંડ નવદસ વર્ષનો હોઈશ ત્યારે જ લેખ...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 14: Line 14:
'''મુલાકાતી :''' તમે પુનર્લેખન કરો છો?
'''મુલાકાતી :''' તમે પુનર્લેખન કરો છો?
'''ઓ’કોનર :''' પુનર્લેખન તો નિરંતર, નિરંતર નિરંતર ચાલ્યા જ કરે. હું પુનર્લેખન હંમેશ જારી રાખું છું, અને કૃતિ પ્રકાશિત થાય તે પછીયે, અને પુસ્તકરૂપે રજૂ થાય તે પછીયે, ફરીફરીને હું લખ્યે જ જાઉં છું. મારી આરંભકાળની મોટા ભાગની વાર્તાઓનાં નવાંનવાં પાઠાંતરો, હજીયે થયે જ જાય છે અને, ઈશ્વર ચાહે તો, એ સર્વને આજે પ્રગટ કરું.
'''ઓ’કોનર :''' પુનર્લેખન તો નિરંતર, નિરંતર નિરંતર ચાલ્યા જ કરે. હું પુનર્લેખન હંમેશ જારી રાખું છું, અને કૃતિ પ્રકાશિત થાય તે પછીયે, અને પુસ્તકરૂપે રજૂ થાય તે પછીયે, ફરીફરીને હું લખ્યે જ જાઉં છું. મારી આરંભકાળની મોટા ભાગની વાર્તાઓનાં નવાંનવાં પાઠાંતરો, હજીયે થયે જ જાય છે અને, ઈશ્વર ચાહે તો, એ સર્વને આજે પ્રગટ કરું.
 
{{Poem2Close}}
<br>
{{Heading|  | ૨ ફ્રાન્કો મૉરિયાની મુલાકાત}}
{{Heading|  | ૨ ફ્રાન્કો મૉરિયાની મુલાકાત}}
 
{{Poem2Open}}
'''મૉરિયા :''' ના, એ વિશે મારું મંતવ્ય બદલાયું નથી. મને એમ લાગે છે કે મારા તરુણ નવલકથાકાર મિત્રો ટેકનિકનો વધારે પડતો મહિમા કરી રહ્યા છે. સારી નવલકથાના સર્જન માટે કૃતિથી બાહ્ય રહેલા અમુક ચોક્કસ નિયમો અનુસરવા જોઈએ એમ તેઓ માનતા જણાય છે. હકીકતમાં આ જાતનો ખ્યાલ તેમને પોતાના સર્જનમાં અવરોધક બને છે તેમ તેમને ગૂંચવનારો પણ બને છે. મહાન નવલકથાકાર પોતાની જાત સિવાય બીજા કોઈ પર આધાર રાખતો નથી. પ્રુસ્ત એના કોઈ પુરોગામીઓને મળતો આવતો નથી, તેમ તેનો કોઈ અનુયાયી થયો નથી, થઈ શકે પણ નહિ. મહાન નવલકથાકાર પોતે જ પોતાનો ઢાંચો નિપજાવી લે છે; તે પોતે જ તેનો ઉપયોગ કરી શકે છે. બાલ્ઝાકે ‘બાલ્ઝાક શૈલી’ની નવલકથા સરજી; એ શૈલી માત્ર બાલ્ઝાકને જ અનુકૂળ હતી.
'''મૉરિયા :''' ના, એ વિશે મારું મંતવ્ય બદલાયું નથી. મને એમ લાગે છે કે મારા તરુણ નવલકથાકાર મિત્રો ટેકનિકનો વધારે પડતો મહિમા કરી રહ્યા છે. સારી નવલકથાના સર્જન માટે કૃતિથી બાહ્ય રહેલા અમુક ચોક્કસ નિયમો અનુસરવા જોઈએ એમ તેઓ માનતા જણાય છે. હકીકતમાં આ જાતનો ખ્યાલ તેમને પોતાના સર્જનમાં અવરોધક બને છે તેમ તેમને ગૂંચવનારો પણ બને છે. મહાન નવલકથાકાર પોતાની જાત સિવાય બીજા કોઈ પર આધાર રાખતો નથી. પ્રુસ્ત એના કોઈ પુરોગામીઓને મળતો આવતો નથી, તેમ તેનો કોઈ અનુયાયી થયો નથી, થઈ શકે પણ નહિ. મહાન નવલકથાકાર પોતે જ પોતાનો ઢાંચો નિપજાવી લે છે; તે પોતે જ તેનો ઉપયોગ કરી શકે છે. બાલ્ઝાકે ‘બાલ્ઝાક શૈલી’ની નવલકથા સરજી; એ શૈલી માત્ર બાલ્ઝાકને જ અનુકૂળ હતી.
નવલકથાકારની સામાન્ય રૂપની મૌલિકતા અને તેની શૈલીમાં વ્યક્ત થતી વૈયક્તિક મુદ્રા એ બે વચ્ચે ગાઢ સંબંધ રહ્યો હોય છે. અનુકરણરૂપ શૈલી એ ખરાબ શૈલી છે. ફૉકનેરથી માંડીને હેમિંગ્વે સુધીના અમેરિકન નવલકથાકારોએ, તેઓ જે કંઈ કહેવા ચાહતા હતા તે માટે નિજી શૈલીની ખોજ કરી – અને એ શૈલી એક એવી વસ્તુ છે જે બીજાઓને વારસામાં આપી શકાતી નથી.
નવલકથાકારની સામાન્ય રૂપની મૌલિકતા અને તેની શૈલીમાં વ્યક્ત થતી વૈયક્તિક મુદ્રા એ બે વચ્ચે ગાઢ સંબંધ રહ્યો હોય છે. અનુકરણરૂપ શૈલી એ ખરાબ શૈલી છે. ફૉકનેરથી માંડીને હેમિંગ્વે સુધીના અમેરિકન નવલકથાકારોએ, તેઓ જે કંઈ કહેવા ચાહતા હતા તે માટે નિજી શૈલીની ખોજ કરી – અને એ શૈલી એક એવી વસ્તુ છે જે બીજાઓને વારસામાં આપી શકાતી નથી.
Line 38: Line 39:
'''મુલાકાતી :''' આંખ કાન જેવી ઇંદ્રિયોનો વ્યાપાર – ઐન્દ્રિયિક ગ્રહણ તમારા લેખનમાં કેટલે અંશે પ્રભાવક બન્યું છે?
'''મુલાકાતી :''' આંખ કાન જેવી ઇંદ્રિયોનો વ્યાપાર – ઐન્દ્રિયિક ગ્રહણ તમારા લેખનમાં કેટલે અંશે પ્રભાવક બન્યું છે?
'''મૉરિયા :''' ઘણો મોટો પ્રભાવ – મારી નવલકથામાં ગંધની ઇંદ્રિય મહત્ત્વનું સ્થાન લે છે એમ લગભગ બધા જ વિવેચકોએ નોંધ્યું છે. હું નવલકથાનું સર્જન આરંભું તે પૂર્વે મારા ભીતરમાં એનાં સ્થળો, એનું વાતાવરણ, એના રંગો અને ગંધ એ સર્વનું પુનઃ સર્જન કરું છું. મારા પંડમાં હું મારા શૈશવ અને તરુણ કાળનું વાતાવરણ ફરીથી શ્વસું છું. મારાં પાત્રો અને તેમનું વિશ્વ હું સ્વયં બની રહું છું.<ref>‘પેરિસ રિવ્યૂ’એ યોજેલી મુલાકાતોના અંશો.</ref>
'''મૉરિયા :''' ઘણો મોટો પ્રભાવ – મારી નવલકથામાં ગંધની ઇંદ્રિય મહત્ત્વનું સ્થાન લે છે એમ લગભગ બધા જ વિવેચકોએ નોંધ્યું છે. હું નવલકથાનું સર્જન આરંભું તે પૂર્વે મારા ભીતરમાં એનાં સ્થળો, એનું વાતાવરણ, એના રંગો અને ગંધ એ સર્વનું પુનઃ સર્જન કરું છું. મારા પંડમાં હું મારા શૈશવ અને તરુણ કાળનું વાતાવરણ ફરીથી શ્વસું છું. મારાં પાત્રો અને તેમનું વિશ્વ હું સ્વયં બની રહું છું.<ref>‘પેરિસ રિવ્યૂ’એ યોજેલી મુલાકાતોના અંશો.</ref>
{{Right '''|કંકાવટી,''' એપ્રિલ, ૭૮. }} <br>
{{Right |'''કંકાવટી,''' એપ્રિલ, ૭૮.}} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = સાહિત્યકારનો યુગધર્મ (આલ્બેર કામૂ)
|next = રંગભૂમિનો અનુભવ (યુજિન આયનેસ્કો)
}}