સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/વિવેચક-પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 6: Line 6:


{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી સાહિત્યના પંડિતયુગમાં મણિલાલ નભુભાઈ (૧૮૫૮–૧૮૯૮) એક પ્રતિભાસંપન્ન સર્જક અને સમર્થ તત્ત્વચિંતક તરીકે આગવું સ્થાન ધરાવે છે.
ચાળીસેક વર્ષના ટૂંકા આયુષ્યમાં પણ કવિતા, નાટક, નિબંધ, નવલકથા, વિવેચન, સંશોધન, ભાષાંતર, તત્ત્વજ્ઞાન, પત્રકારત્વ વગેરે ક્ષેત્રોમાં સત્ત્વશાળી પ્રદાન કરનાર મણિલાલ નભુભાઈ (૧૮૫૮–૧૮૯૮) ગુજરાતી સાહિત્યના પંડિતયુગના એક પ્રતિભાસંપન્ન સર્જક અને સમર્થ તત્ત્વચિંતક તરીકે આગવું સ્થાન ધરાવે છે.


મણિલાલ ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. એમનું જીવનદર્શન અને તત્ત્વદર્શન મૂળતઃ શાંકર અદ્વૈતના વિચારથી પ્રભાવિત છે. એમણે આ દર્શનના વ્યાપક સ્વીકારને પોતાના જીવનનો એક હેતુ માન્યો હતો. એમના સાક્ષરજીવનનો એક બહુ મોટો હિસ્સો આ દર્શનને વ્યાપક માન્યતા અપાવવા માટે ખર્ચાયો હતો. અને એ કારણે એમનાં લખાણોમાં અભેદવિચાર એક અથવા બીજી રીતે દેખા દે છે. ૧૮૯૮માં તેમનું અવસાન થયું ત્યાં સુધી પોતાનાં ‘પ્રિયંવદા' અને ‘સુદર્શન' સામયિકોમાં લેખો લખીને ગુજરાતી પ્રજાને સ્વધર્મ અને સ્વસંસ્કાર પ્રત્યે જાગૃત કરવાનો એમણે સમર્થ બૌદ્ધિક પુરુષાર્થ કર્યો હતો.
મણિલાલ ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. એમનું જીવનદર્શન અને તત્ત્વદર્શન મૂળતઃ શાંકર અદ્વૈતના વિચારથી પ્રભાવિત છે. એમણે આ દર્શનના વ્યાપક સ્વીકારને પોતાના જીવનનો એક હેતુ માન્યો હતો. એમના સાક્ષરજીવનનો એક બહુ મોટો હિસ્સો આ દર્શનને વ્યાપક માન્યતા અપાવવા માટે ખર્ચાયો હતો. અને એ કારણે એમનાં લખાણોમાં અભેદવિચાર એક અથવા બીજી રીતે દેખા દે છે. ૧૮૯૮માં તેમનું અવસાન થયું ત્યાં સુધી પોતાનાં ‘પ્રિયંવદા' અને ‘સુદર્શન' સામયિકોમાં લેખો લખીને ગુજરાતી પ્રજાને સ્વધર્મ અને સ્વસંસ્કાર પ્રત્યે જાગૃત કરવાનો એમણે સમર્થ બૌદ્ધિક પુરુષાર્થ કર્યો હતો.


૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ‘પાર્લમેન્ટ ઑફ વર્લ્ડ રિલિજન'માં પેપર વાંચવા માટે એમને આમંત્રણ મળ્યું હતું, પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ નહોતા જઈ શક્યા. છતાં એમણે મોકલેલો લેખ ત્યાં વાંચવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદે આ પાર્લમેન્ટમાં હાજરી આપી ત્યારબાદ તેઓ એક વિદ્વાન તત્ત્વજ્ઞ તરીકે વિશ્વસ્વીકૃતિ પામ્યા હતા. મણિલાલે જો આ પાર્લમેન્ટમાં હાજરી આપી હોત તો કદાચ ગુજરાતી સાહિત્યનો જ નહીં પણ સમગ્ર ભારતીય તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ કૈંક અલગ હોત.
૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ‘પાર્લમન્ટ ઑફ વર્લ્ડ રિલિજન'માં પેપર વાંચવા માટે એમને આમંત્રણ મળ્યું હતું, પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ નહોતા જઈ શક્યા. છતાં એમણે મોકલેલો લેખ ત્યાં વાંચવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદે આ પાર્લમન્ટમાં હાજરી આપી ત્યારબાદ તેઓ એક વિદ્વાન તત્ત્વજ્ઞ તરીકે વિશ્વસ્વીકૃતિ પામ્યા હતા. મણિલાલે જો આ પાર્લમન્ટમાં હાજરી આપી હોત તો કદાચ ગુજરાતી સાહિત્યનો જ નહીં પણ સમગ્ર ભારતીય તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ કૈંક અલગ હોત.
{{Right|'''– અનંત રાઠોડ'''}}<br>
{{Right|'''– અનંત રાઠોડ'''}}<br>
{{Poem2Close}}
{{Poem2Close}}