સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/વિવેચક-પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:


{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી સાહિત્યના પંડિતયુગમાં મણિલાલ નભુભાઈ (૧૮૫૮–૧૮૯૮) એક પ્રતિભાસંપન્ન સર્જક અને સમર્થ તત્ત્વચિંતક તરીકે આગવું સ્થાન ધરાવે છે.
ચાળીસેક વર્ષના ટૂંકા આયુષ્યમાં પણ કવિતા, નાટક, નિબંધ, નવલકથા, વિવેચન, સંશોધન, ભાષાંતર, તત્ત્વજ્ઞાન, પત્રકારત્વ વગેરે ક્ષેત્રોમાં સત્ત્વશાળી પ્રદાન કરનાર મણિલાલ નભુભાઈ (૧૮૫૮–૧૮૯૮) ગુજરાતી સાહિત્યના પંડિતયુગના એક પ્રતિભાસંપન્ન સર્જક અને સમર્થ તત્ત્વચિંતક તરીકે આગવું સ્થાન ધરાવે છે.


મણિલાલ ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. એમનું જીવનદર્શન અને તત્ત્વદર્શન મૂળતઃ શાંકર અદ્વૈતના વિચારથી પ્રભાવિત છે. એમણે આ દર્શનના વ્યાપક સ્વીકારને પોતાના જીવનનો એક હેતુ માન્યો હતો. એમના સાક્ષરજીવનનો એક બહુ મોટો હિસ્સો આ દર્શનને વ્યાપક માન્યતા અપાવવા માટે ખર્ચાયો હતો. અને એ કારણે એમનાં લખાણોમાં અભેદવિચાર એક અથવા બીજી રીતે દેખા દે છે. ૧૮૯૮માં તેમનું અવસાન થયું ત્યાં સુધી પોતાનાં ‘પ્રિયંવદા' અને ‘સુદર્શન' સામયિકોમાં લેખો લખીને ગુજરાતી પ્રજાને સ્વધર્મ અને સ્વસંસ્કાર પ્રત્યે જાગૃત કરવાનો એમણે સમર્થ બૌદ્ધિક પુરુષાર્થ કર્યો હતો.
મણિલાલ ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. એમનું જીવનદર્શન અને તત્ત્વદર્શન મૂળતઃ શાંકર અદ્વૈતના વિચારથી પ્રભાવિત છે. એમણે આ દર્શનના વ્યાપક સ્વીકારને પોતાના જીવનનો એક હેતુ માન્યો હતો. એમના સાક્ષરજીવનનો એક બહુ મોટો હિસ્સો આ દર્શનને વ્યાપક માન્યતા અપાવવા માટે ખર્ચાયો હતો. અને એ કારણે એમનાં લખાણોમાં અભેદવિચાર એક અથવા બીજી રીતે દેખા દે છે. ૧૮૯૮માં તેમનું અવસાન થયું ત્યાં સુધી પોતાનાં ‘પ્રિયંવદા' અને ‘સુદર્શન' સામયિકોમાં લેખો લખીને ગુજરાતી પ્રજાને સ્વધર્મ અને સ્વસંસ્કાર પ્રત્યે જાગૃત કરવાનો એમણે સમર્થ બૌદ્ધિક પુરુષાર્થ કર્યો હતો.