વાર્તાકાર હેમાંગિની રાનડે/સર્જક-પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સર્જક-પરિચય|હેમાંગિની રાનડે વિશે}}
{{Heading|સર્જક-પરિચય|હેમાંગિની રાનડે વિશે}}
[[File:Hemangini Ranade.jpg|frameless|center|200px]]<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતના એક મુસ્લિમ પરિવારમાં જન્મેલાં હેમાંગિની રાનડે (15-07-1932 – 23-01-2025)નું મૂળ નામ હમીદા હતું. મુંબઈ તથા ઈંદોરમાં શાળાશિક્ષણ લેનાર હમીદા વિશ્વપ્રસિદ્ધ સંગીતજ્ઞ ડૉ. અશોક દા. રાનડે સાથે 1967માં લગ્ન કરીને હેમાંગિની રાનડે થયાં. કૉલેજજીવનથી જ તેઓ આકાશવાણી સાથે સંકળાયેલાં હતાં. પહેલાં ઈન્દોર અને પછી મુંબઈ આકાશવાણી સાથે. મહિલાઓ તથા બાળકોના હિંદી કાર્યક્રમોનાં સંચાલન તથા પ્રસ્તુતીકરણ ઉપરાંત ગુજરાતી તથા અંગ્રેજી કાર્યક્રમોમાં પણ તેઓ સહયોગ આપતાં. કેટલાંય રેડિયો નાટકોનું નિદર્શન, લેખન તથા પ્રસ્તુતીકરણ ઉપરાંત અભિનય પણ કર્યો. 1992માં સેવાનિવૃત્ત થનાર હેમાંગિની રાનડેની વાર્તાઓ સારિકા, ધર્મયુગ, નવભારત ટાઇમ્સ (મુંબઈ), સબરંગ, આજકલ વગેરેમાં પ્રકાશિત થતી. ધર્મયુગમાં તેઓ નારી સમસ્યાઓ પર લખતાં. NAB દ્વારા ‘બોલતી પુસ્તકેં’માં દૃષ્ટિહીનો માટે વિભિન્ન ભાષાઓમાં તેઓ નિયમિત વાંચનાર વ્યક્તિ હતાં. રાજકમલ પ્રકાશન દ્વારા એમની બે હિંદી નવલકથાઓ પ્રકાશિત થઈ છે, ‘અનુભવ’ (1996) અને ‘સીમાંત’ (1999)માં. એમની ગુજરાતી વાર્તાઓ મોટાભાગે ‘ગદ્યપર્વ’ અને ‘નવનીત સમર્પણ’માં પ્રકાશિત થઈ છે. એમની ‘ઉનાળો’ વાર્તાને પ્રતિષ્ઠિત ‘કથા’ ઍવૉર્ડ મળ્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદે એમની 16 વાર્તાઓનો સંગ્રહ ‘પારિજાતક’ 2010માં પ્રકાશિત કર્યો હતો. આ સંગ્રહમાં એમણે પોતા વિશે જે કહ્યું છે તે અક્ષરશઃ નીચે ઉતારું છું.
ગુજરાતના એક મુસ્લિમ પરિવારમાં જન્મેલાં હેમાંગિની રાનડે (15-07-1932 – 23-01-2025)નું મૂળ નામ હમીદા હતું. મુંબઈ તથા ઈંદોરમાં શાળાશિક્ષણ લેનાર હમીદા વિશ્વપ્રસિદ્ધ સંગીતજ્ઞ ડૉ. અશોક દા. રાનડે સાથે 1967માં લગ્ન કરીને હેમાંગિની રાનડે થયાં. કૉલેજજીવનથી જ તેઓ આકાશવાણી સાથે સંકળાયેલાં હતાં. પહેલાં ઈન્દોર અને પછી મુંબઈ આકાશવાણી સાથે. મહિલાઓ તથા બાળકોના હિંદી કાર્યક્રમોનાં સંચાલન તથા પ્રસ્તુતીકરણ ઉપરાંત ગુજરાતી તથા અંગ્રેજી કાર્યક્રમોમાં પણ તેઓ સહયોગ આપતાં. કેટલાંય રેડિયો નાટકોનું નિદર્શન, લેખન તથા પ્રસ્તુતીકરણ ઉપરાંત અભિનય પણ કર્યો. 1992માં સેવાનિવૃત્ત થનાર હેમાંગિની રાનડેની વાર્તાઓ સારિકા, ધર્મયુગ, નવભારત ટાઇમ્સ (મુંબઈ), સબરંગ, આજકલ વગેરેમાં પ્રકાશિત થતી. ધર્મયુગમાં તેઓ નારી સમસ્યાઓ પર લખતાં. NAB દ્વારા ‘બોલતી પુસ્તકેં’માં દૃષ્ટિહીનો માટે વિભિન્ન ભાષાઓમાં તેઓ નિયમિત વાંચનાર વ્યક્તિ હતાં. રાજકમલ પ્રકાશન દ્વારા એમની બે હિંદી નવલકથાઓ પ્રકાશિત થઈ છે, ‘અનુભવ’ (1996) અને ‘સીમાંત’ (1999)માં. એમની ગુજરાતી વાર્તાઓ મોટાભાગે ‘ગદ્યપર્વ’ અને ‘નવનીત સમર્પણ’માં પ્રકાશિત થઈ છે. એમની ‘ઉનાળો’ વાર્તાને પ્રતિષ્ઠિત ‘કથા’ ઍવૉર્ડ મળ્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદે એમની 16 વાર્તાઓનો સંગ્રહ ‘પારિજાતક’ 2010માં પ્રકાશિત કર્યો હતો. આ સંગ્રહમાં એમણે પોતા વિશે જે કહ્યું છે તે અક્ષરશઃ નીચે ઉતારું છું.