આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/D: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading|સંજ્ઞાકોશ<br>D}} Dadaism દાદાવાદ દાદાવાદ ઝ્યુરિખમાં ૧૯૧૬માં જન્મ્યો. ‘દાદા’ સંજ્ઞા વિશે કહેવાય છે કે પેપરનાઈફ લઈને ફ્રેંચ જર્મન શબ્દકોશનાં વણકપાયેલાં પાનાંઓમાંથી મેળવેલો. પાન...") |
No edit summary |
||
| (5 intermediate revisions by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|સંજ્ઞાકોશ<br>D}} | {{Heading|સંજ્ઞાકોશ<br>D}} | ||
'''Dadaism દાદાવાદ''' | |||
Dadaism દાદાવાદ | :દાદાવાદ ઝ્યુરિખમાં ૧૯૧૬માં જન્મ્યો. ‘દાદા’ સંજ્ઞા વિશે કહેવાય છે કે પેપરનાઈફ લઈને ફ્રેંચ જર્મન શબ્દકોશનાં વણકપાયેલાં પાનાંઓમાંથી મેળવેલો. પાનું કપાયું ત્યારે પેપરનાઈફની અણી આ દાદા સંજ્ઞા પર આવીને ઊભી રહેલી. સાહિત્યિક ઇતિહાસકારોએ આ શબ્દનાં અનેક અર્થઘટનો કર્યાં છે. આ વાદના મુખ્ય પુરસ્કર્તા જણાવે છે કે આ શબ્દ પરત્વેના મૂળ આકર્ષણનું કારણ, એ અનર્થ છે, તે છે. આ શબ્દ ન-કશું’ (Nothingness) સૂચવે છે, અને ન-કશું એ આ વાદનો મુખ્ય વિષય છે. આ ન-કશુંનો અર્થ ટ્રિસ્ટન ઝારાને મન નિષેધમૂલક નહોતો પરંતુ યાદૃચ્છિકતાની મુક્તિદાયી શક્તિના પ્રસ્થાપનનો હતો. કવિતા ન-કશું બનવા સાથે ઇતિહાસ, વિચારધારા, તૈયાર કાવ્યબાની અને સૌન્દર્ય અંગેના કલાન્ત નિયમોમાંથી છૂટકારો મેળવે છે. | ||
દાદાવાદ ઝ્યુરિખમાં ૧૯૧૬માં જન્મ્યો. ‘દાદા’ સંજ્ઞા વિશે કહેવાય છે કે પેપરનાઈફ લઈને ફ્રેંચ જર્મન શબ્દકોશનાં વણકપાયેલાં પાનાંઓમાંથી મેળવેલો. પાનું કપાયું ત્યારે પેપરનાઈફની અણી આ દાદા સંજ્ઞા પર આવીને ઊભી રહેલી. સાહિત્યિક ઇતિહાસકારોએ આ શબ્દનાં અનેક અર્થઘટનો કર્યાં છે. આ વાદના મુખ્ય પુરસ્કર્તા જણાવે છે કે આ શબ્દ પરત્વેના મૂળ આકર્ષણનું કારણ, એ અનર્થ છે, તે છે. આ શબ્દ ન-કશું’ (Nothingness) સૂચવે છે, અને ન-કશું એ આ વાદનો મુખ્ય વિષય છે. આ ન-કશુંનો અર્થ ટ્રિસ્ટન ઝારાને મન નિષેધમૂલક નહોતો પરંતુ યાદૃચ્છિકતાની મુક્તિદાયી શક્તિના પ્રસ્થાપનનો હતો. કવિતા ન-કશું બનવા સાથે ઇતિહાસ, વિચારધારા, તૈયાર કાવ્યબાની અને સૌન્દર્ય અંગેના કલાન્ત નિયમોમાંથી છૂટકારો મેળવે છે. | :દાદાવાદની મહત્ત્વની સંજ્ઞા છે યાદૃચ્છિકતા. યાદૃચ્છિકતા સિદ્ધ કરવી ધારવા કરતાં ખૂબ કઠિન છે. કારણ કે યાદૃચ્છિકતા તરફનો કોઈપણ સરલ અભિગમ તરેહને જન્માવે છે. દાદા કવિતા રચવાની વિશિષ્ટ પદ્ધતિ છે : ન્યૂઝપેપરના શબ્દો કે વાક્યખંડોને કાપવા, હેટમાં હલાવવા અને એક પછી એક જેમ હાથમાં આવે તેમ કાગળ પર ગુંદરથી ચીપકાવતા જવાનું. | ||
દાદાવાદની મહત્ત્વની સંજ્ઞા છે યાદૃચ્છિકતા. યાદૃચ્છિકતા સિદ્ધ કરવી ધારવા કરતાં ખૂબ કઠિન છે. કારણ કે યાદૃચ્છિકતા તરફનો કોઈપણ સરલ અભિગમ તરેહને જન્માવે છે. દાદા કવિતા રચવાની વિશિષ્ટ પદ્ધતિ છે : ન્યૂઝપેપરના શબ્દો કે વાક્યખંડોને કાપવા, હેટમાં હલાવવા અને એક પછી એક જેમ હાથમાં આવે તેમ કાગળ પર ગુંદરથી ચીપકાવતા જવાનું. | :દાદાવાદ, મૂર્ત કવિતા અને વિધિ વિશેષપરક (Algorithmic poetry) કવિતા—આ ત્રણે ઝુંબેશોએ નૈસર્ગિક ભાષાને અપારદર્શી વૈશ્વિક માધ્યમ તરીકે સ્વીકારવાનો પ્રયત્ન કર્યો. પરંતુ બધી જ ભાષાઓ ભૌગોલિક રીતે સ્થાનિક હોય છે અને એમના ધ્વનિઓમાં, શબ્દકોશ અને વ્યાકરણમાં તેમ જ સાહિત્ય સ્વરૂપોમાં ઐતિહાસિક રીતે અભિસંધિત હોય છે ચિત્રકલા શિલ્પ, નૃત્ય અને સંગીતની જેમ ભાષાને વૈશ્વિક રીતે પારદર્શક બનાવવા માટે વિવિધ પ્રવિધિઓ અખત્યાર કરવામાં આવે છે, તેથી ભાષા વિકૃત બને છે. ભાષા નવી રચાય છે પણ સમજવી અઘરી બને છે. આ વિરોધાભાસ છે, પણ દાદાવાદના મૂળમાં આ વિરોધાભાસ નિહિત છે. આથી દાદાવાદ પહેલેથી જ નિષ્ફળ જવાને સર્જાયેલો હતો. કારણ નૈસર્ગિક ભાષાને ટેકનોલોજિક સમાજના અનુભવને સમાવવાનું કહેવું એ ઓ. બી. હાર્ડિસનના શબ્દોમાં કહીએ તો પૃથ્વીને અગ્નિના પ્રતીક બનવાનું કહેવા બરાબર છે. | ||
દાદાવાદ, મૂર્ત કવિતા અને વિધિ વિશેષપરક (Algorithmic poetry) કવિતા—આ ત્રણે ઝુંબેશોએ નૈસર્ગિક ભાષાને અપારદર્શી વૈશ્વિક માધ્યમ તરીકે સ્વીકારવાનો પ્રયત્ન કર્યો. પરંતુ બધી જ ભાષાઓ ભૌગોલિક રીતે સ્થાનિક હોય છે અને એમના ધ્વનિઓમાં, શબ્દકોશ અને વ્યાકરણમાં તેમ જ સાહિત્ય સ્વરૂપોમાં ઐતિહાસિક રીતે અભિસંધિત હોય છે ચિત્રકલા શિલ્પ, નૃત્ય અને સંગીતની જેમ ભાષાને વૈશ્વિક રીતે પારદર્શક બનાવવા માટે વિવિધ પ્રવિધિઓ અખત્યાર કરવામાં આવે છે, તેથી ભાષા વિકૃત બને છે. ભાષા નવી રચાય છે પણ સમજવી અઘરી બને છે. આ વિરોધાભાસ છે, પણ દાદાવાદના મૂળમાં આ વિરોધાભાસ નિહિત છે. આથી દાદાવાદ પહેલેથી જ નિષ્ફળ જવાને સર્જાયેલો હતો. કારણ નૈસર્ગિક ભાષાને ટેકનોલોજિક સમાજના અનુભવને સમાવવાનું કહેવું એ ઓ. બી. હાર્ડિસનના શબ્દોમાં કહીએ તો પૃથ્વીને અગ્નિના પ્રતીક બનવાનું કહેવા બરાબર છે. | :૧૯૨૦ સુધીમાં દાદાવાદ પરાવાસ્તવાદ સાથે ભળી ગયો. | ||
૧૯૨૦ સુધીમાં દાદાવાદ પરાવાસ્તવાદ સાથે ભળી ગયો. | '''Daemonization અનુશોધન''' | ||
Daemonization અનુશોધન | :જુઓ : Influence, the anxiety of. | ||
જુઓ : Influence, the anxiety of. | '''Dead Metaphor મૃત રૂપકો''' | ||
Dead Metaphor મૃત રૂપકો | :ગુજરાતી ભાષામાં ‘મુખચંદ્ર’ ‘કમલનયન’ જેવા શબ્દ-પ્રયોગો એટલા સામાન્ય થઈ ગયા છે કે આપણે ઉપમેય અને ઉપમાન વચ્ચેના ભેદ અંગેની સંપ્રજ્ઞતા જાળવવાનું જ છોડી દીધું છે. આ પ્રકારના ભાષાપ્રયોગો મૃત રૂપકો કહેવાય ભાષાને ઇતિહાસ દર્શાવે છે કે મોટા ભાગના પ્રવર્તમાન શબ્દો, જેને આપણે વાચ્યાર્થમાં લઈએ છીએ તે ફરતા ભૂતકાળમાં રૂપકો હતા. | ||
ગુજરાતી ભાષામાં ‘મુખચંદ્ર’ ‘કમલનયન’ જેવા શબ્દ-પ્રયોગો એટલા સામાન્ય થઈ ગયા છે કે આપણે ઉપમેય અને ઉપમાન વચ્ચેના ભેદ અંગેની સંપ્રજ્ઞતા જાળવવાનું જ છોડી દીધું છે. આ પ્રકારના ભાષાપ્રયોગો મૃત રૂપકો કહેવાય ભાષાને ઇતિહાસ દર્શાવે છે કે મોટા ભાગના પ્રવર્તમાન શબ્દો, જેને આપણે વાચ્યાર્થમાં લઈએ છીએ તે ફરતા ભૂતકાળમાં રૂપકો હતા. | '''Debut વાદકાવ્ય''' | ||
Debut વાદકાવ્ય | :કાવ્યાત્મક પ્રતિરોધનો આ એક સાધારણ પ્રકાર છે, જેમાં નૈતિકતા, રાજકારણ કે પ્રેમ વિશે વિવાદ હોય અને બે વ્યક્તિઓ, પાત્રો વચ્ચે પ્રશ્ન ચર્ચાય. કૃતિ વાદના વિષયથી આરંભાય અને પછી એમાં નાટ્યાત્મક ચર્ચાઓ આવ્યે જાયે. વાદકાવ્ય મધ્યકાલીન યુરોપીય રૂપક સાહિત્યના વિપુલ રાશિનો એક ભાગ છે. | ||
કાવ્યાત્મક પ્રતિરોધનો આ એક સાધારણ પ્રકાર છે, જેમાં નૈતિકતા, રાજકારણ કે પ્રેમ વિશે વિવાદ હોય અને બે વ્યક્તિઓ, પાત્રો વચ્ચે પ્રશ્ન ચર્ચાય. કૃતિ વાદના વિષયથી આરંભાય અને પછી એમાં નાટ્યાત્મક ચર્ચાઓ આવ્યે જાયે. વાદકાવ્ય મધ્યકાલીન યુરોપીય રૂપક સાહિત્યના વિપુલ રાશિનો એક ભાગ છે. | '''Decadence અવનતિ કાળ''' | ||
Decadence અવનતિ કાળ | :પૂર્વેના ઉત્તમ પ્રકારના યુગની સરખામણીમાં અવનતિમાં આવી પડેલા કલા કે સાહિત્યના યુગને આ સંજ્ઞા વર્ણવે છે. આધુનિક કાળમાં, ૧૯મી સદીની પ્રતીકવાદી ફ્રેંચ કવિતાના સંદર્ભમાં આ સંજ્ઞા વપરાય છે. મોટા ભાગની ‘અવનતિ’ કાળની કવિતા વૈયક્તિક અનુભવ, આત્મવિશ્લેષણ, વિકૃતિ અને અપરિચિત સંવેદનોથી ગ્રસ્ત છે. ફ્રાન્સમાં અવનતિ કાળનો સૌથી અગ્રણી બોદલેર છે. વર્લેં સુધી પહોંચતા આ સંજ્ઞા ટીકાને બદલે પ્રશંસાના અર્થમાં ફેરવાઈ ગયેલી. | ||
પૂર્વેના ઉત્તમ પ્રકારના યુગની સરખામણીમાં અવનતિમાં આવી પડેલા કલા કે સાહિત્યના યુગને આ સંજ્ઞા વર્ણવે છે. આધુનિક કાળમાં, ૧૯મી સદીની પ્રતીકવાદી ફ્રેંચ કવિતાના સંદર્ભમાં આ સંજ્ઞા વપરાય છે. મોટા ભાગની ‘અવનતિ’ કાળની કવિતા વૈયક્તિક અનુભવ, આત્મવિશ્લેષણ, વિકૃતિ અને અપરિચિત સંવેદનોથી ગ્રસ્ત છે. ફ્રાન્સમાં અવનતિ કાળનો સૌથી અગ્રણી બોદલેર છે. વર્લેં સુધી પહોંચતા આ સંજ્ઞા ટીકાને બદલે પ્રશંસાના અર્થમાં ફેરવાઈ ગયેલી. | '''Decoding વિસંકેતક્રિયા''' | ||
Decoding વિસંકેતક્રિયા | :સંચાર-યાંત્રિકી (communication Engineering)માંથી આવેલી સંજ્ઞા. આ પદ્ધતિ દ્વારા સંકેતોનું અર્થઘટન કરવામાં આવે છે અને તદનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. વિસંકેતક્રિયા હકીકતે તો વ્યક્તિના ભાષા-સામર્થ્ય દ્વારા જ શક્ય બને છે. સાહિત્યનું સર્જન એ એક પ્રકારની સંકેત ક્રિયા જ છે, તો એનું ભાવન એ વિસંકેતક્રિયા છે. સાહિત્યકાર જે સંકેતોનું સંહિતાકરણ (codification) કરે છે તેનું ભાવક વિસંકતક્રિયા દ્વારા અર્થઘટન કરે છે. | ||
સંચાર-યાંત્રિકી (communication Engineering)માંથી આવેલી સંજ્ઞા. આ પદ્ધતિ દ્વારા સંકેતોનું અર્થઘટન કરવામાં આવે છે અને તદનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. વિસંકેતક્રિયા હકીકતે તો વ્યક્તિના ભાષા-સામર્થ્ય દ્વારા જ શક્ય બને છે. સાહિત્યનું સર્જન એ એક પ્રકારની સંકેત ક્રિયા જ છે, તો એનું ભાવન એ વિસંકેતક્રિયા છે. સાહિત્યકાર જે સંકેતોનું સંહિતાકરણ (codification) કરે છે તેનું ભાવક વિસંકતક્રિયા દ્વારા અર્થઘટન કરે છે. | '''Deconstruction વિનિર્મિતિ''' | ||
Deconstruction વિનિર્મિતિ | :ઝાક દેરિદાએ બતાવ્યું કે સોસૂરનો ભાષાવિચાર મૂળમાં જ યુરોપીય તત્ત્વ-વિચારથી અત્યંત પ્રભાવિત અને અભિભૂત રહ્યો છે અને તેથી યુરોપીય તત્ત્વવિચારથી અભિભૂત ભાષાવિચાર જે સંકેતવિચાર કે સાહિત્યવિચારમાં ઊભો છે એને એનાથી મુક્ત કેમ કરવો, તત્ત્વવિચારની ચૂડમાંથી એને કેમ છોડાવવો એ જ મુખ્ય પ્રશ્ન હોઈ શકે. આ માટે દેરિદાએ ઊભી કરેલી વિનિર્મિતિ અંગેની પ્રવૃત્તિ આજના વિવેચનક્ષેત્રમાં અત્યંત વિવાદાસ્પદ બની છે. | ||
ઝાક દેરિદાએ બતાવ્યું કે સોસૂરનો ભાષાવિચાર મૂળમાં જ યુરોપીય તત્ત્વ-વિચારથી અત્યંત પ્રભાવિત અને અભિભૂત રહ્યો છે અને તેથી યુરોપીય તત્ત્વવિચારથી અભિભૂત ભાષાવિચાર જે સંકેતવિચાર કે સાહિત્યવિચારમાં ઊભો છે એને એનાથી મુક્ત કેમ કરવો, તત્ત્વવિચારની ચૂડમાંથી એને કેમ છોડાવવો એ જ મુખ્ય પ્રશ્ન હોઈ શકે. આ માટે દેરિદાએ ઊભી કરેલી વિનિર્મિતિ અંગેની પ્રવૃત્તિ આજના વિવેચનક્ષેત્રમાં અત્યંત વિવાદાસ્પદ બની છે. | :વાણી અને લેખન આ બે શબ્દો દેરિદાની ભાષાવિચારણામાં અત્યંત મહત્ત્વના છે. દેરિદાનું માનવું છે કે ઉચ્ચારિત શબ્દને મુખ્ય અને લેખિત શબ્દને ગૌણ ગણવાની અને અર્થને સર્વોપરી ગણવાની પરંપરાગત વિચારણા તત્ત્વવિચારપરક છે, જેને દેરિદા તત્ત્વવિચાર કેન્દ્રિતા (logocentrism) ઓળખાવે છે. વળી તત્ત્વવિચારકેન્દ્રિતાના મૂળમાં ધ્વનિકેન્દ્રિતા (phonocentrism) રહેલી છે. તત્ત્વવિચારકેન્દ્રિતા અને ધ્વનિકેન્દ્રિતા બંને નાદ પર ભાર મૂકે છે. આની દેરિદા નવી સંજ્ઞા પ્રયોજે છે અને તે છે આલેખકેન્દ્રિતા (graphocentrism). પરંપરાના ઉચ્ચાવચ મૉડેલમાં વિચારો કે અર્થોનું સ્થાન શિખર બિન્દુએ છે, જ્યારે લેખનને અપકૃષ્ટ સ્વરૂપ તરીકે છેક તળિયે સમજવામાં આવે છે. પણ દેરિદાની આલેખકેન્દ્રિતાને કારણે વાણી પરથી હટીને ભાર લેખન પર આવે છે, દેરિદાની લેખન અંગેની નવી આલેખકેન્દ્રી વિભાવના ત્રણ સંકુલ શબ્દ પર આધારિત છે : વ્યતિરેક/વ્યાક્ષેપ (differance); જુઓ differAnce મૃગ (trace) જુઓ, trace; અને મૂળ લેખન (Arche writing) જુઓ, Arche writing. | ||
વાણી અને લેખન આ બે શબ્દો દેરિદાની ભાષાવિચારણામાં અત્યંત મહત્ત્વના છે. દેરિદાનું માનવું છે કે ઉચ્ચારિત શબ્દને મુખ્ય અને લેખિત શબ્દને ગૌણ ગણવાની અને અર્થને સર્વોપરી ગણવાની પરંપરાગત વિચારણા તત્ત્વવિચારપરક છે, જેને દેરિદા તત્ત્વવિચાર કેન્દ્રિતા (logocentrism) ઓળખાવે છે. વળી તત્ત્વવિચારકેન્દ્રિતાના મૂળમાં ધ્વનિકેન્દ્રિતા (phonocentrism) રહેલી છે. તત્ત્વવિચારકેન્દ્રિતા અને ધ્વનિકેન્દ્રિતા બંને નાદ પર ભાર મૂકે છે. આની દેરિદા નવી સંજ્ઞા પ્રયોજે છે અને તે છે આલેખકેન્દ્રિતા (graphocentrism). પરંપરાના ઉચ્ચાવચ મૉડેલમાં વિચારો કે અર્થોનું સ્થાન શિખર બિન્દુએ છે, જ્યારે લેખનને અપકૃષ્ટ સ્વરૂપ તરીકે છેક તળિયે સમજવામાં આવે છે. પણ દેરિદાની આલેખકેન્દ્રિતાને કારણે વાણી પરથી હટીને ભાર લેખન પર આવે છે, દેરિદાની લેખન અંગેની નવી આલેખકેન્દ્રી વિભાવના ત્રણ સંકુલ શબ્દ પર આધારિત છે : વ્યતિરેક/વ્યાક્ષેપ (differance); જુઓ differAnce મૃગ (trace) જુઓ, trace; અને મૂળ લેખન (Arche writing) જુઓ, Arche writing. | :દેરિદા સ્પષ્ટ કરે છે કે સંકેતનું સ્વરૂપ સંકેતક સંકેતિતના દ્વન્દ્વથી નહિ પણ વ્યતિરેક અને વ્યાક્ષેપથી અભિસંધિત છે. એટલે કે પ્રત્યેક સંકેત અન્ય પ્રત્યેક સંકેતથી જુદો પડે છે અને પ્રત્યેક સંકેતમાં વિલંબની શક્તિ છે. કોઈ પણ સંકેત કશાક શાશ્વતને ચીંધતો નથી. એનું કોઈ નિશ્ચલ મૂલ્ય નથી. સંકેત જો કાંઈ કરી શકે તો એટલું જ કે એનામાં જેનો અભાવ હોય એની શોધમાં આપણને મોકલી શકે. આથી સંકેત એ મૃગણા છે. આમ ‘સંકેત’માં જે છે તે સંકેતમાં જે નથી એની દિશામાં ચિત્તને ગતિ આપે છે. આ અર્થમાં બધું જ ‘લેખન’ છે. દેરિદા ‘લેખન’ને મૂળ લેખન કહે છે. દેરિદા માને છે સાહિત્ય પણ એક લેખનનું સ્વરૂપ છે; મૃગણાનું ક્ષેત્ર છે. મૂળભૂત રીતે ચિત્તને સંવેદનના ક્ષેત્રમાંથી અર્થઘટનના હેતુ માટે શોધના ક્ષેત્રમાં ગતિ કરાવતા શબ્દ, પંક્તિ કે કૃતિ અંગેનો વિમર્શ તે વિવેચન, દેરિદાના સિદ્ધાન્તમાં વિવેચન “સંશય”થી શરૂ થાય છે. વિવેચક શબ્દ પંક્તિ વાર્તા કે વ્યક્તિચિત્ર ઇત્યાદિ સંકેતના દેખાવ પરથી સંશય કરે છે. એની માન્યતા એવી છે કે સંકેત એ કંઈ બીજું જ છે અને ત્યાંથી મૃગણા શરૂ થાય છે. | ||
દેરિદા સ્પષ્ટ કરે છે કે સંકેતનું સ્વરૂપ સંકેતક સંકેતિતના દ્વન્દ્વથી નહિ પણ વ્યતિરેક અને વ્યાક્ષેપથી અભિસંધિત છે. એટલે કે પ્રત્યેક સંકેત અન્ય પ્રત્યેક સંકેતથી જુદો પડે છે અને પ્રત્યેક સંકેતમાં વિલંબની શક્તિ છે. કોઈ પણ સંકેત કશાક શાશ્વતને ચીંધતો નથી. એનું કોઈ નિશ્ચલ મૂલ્ય નથી. સંકેત જો કાંઈ કરી શકે તો એટલું જ કે એનામાં જેનો અભાવ હોય એની શોધમાં આપણને મોકલી શકે. આથી સંકેત એ મૃગણા છે. આમ ‘સંકેત’માં જે છે તે સંકેતમાં જે નથી એની દિશામાં ચિત્તને ગતિ આપે છે. આ અર્થમાં બધું જ ‘લેખન’ છે. દેરિદા ‘લેખન’ને મૂળ લેખન કહે છે. દેરિદા માને છે સાહિત્ય પણ એક લેખનનું સ્વરૂપ છે; મૃગણાનું ક્ષેત્ર છે. મૂળભૂત રીતે ચિત્તને સંવેદનના ક્ષેત્રમાંથી અર્થઘટનના હેતુ માટે શોધના ક્ષેત્રમાં ગતિ કરાવતા શબ્દ, પંક્તિ કે કૃતિ અંગેનો વિમર્શ તે વિવેચન, દેરિદાના સિદ્ધાન્તમાં વિવેચન “સંશય”થી શરૂ થાય છે. વિવેચક શબ્દ પંક્તિ વાર્તા કે વ્યક્તિચિત્ર ઇત્યાદિ સંકેતના દેખાવ પરથી સંશય કરે છે. એની માન્યતા એવી છે કે સંકેત એ કંઈ બીજું જ છે અને ત્યાંથી મૃગણા શરૂ થાય છે. | :આમ, વિનિર્મિતિ સિદ્ધાન્ત સાથે અનિર્ણયાત્મકતા સંકળાયેલી છે. પરંતુ એ પ્રતિતત્ત્વવિચારકેન્દ્રી દિશામાં મેળવેલી મુક્તિનો પર્યાય છે. | ||
આમ, વિનિર્મિતિ સિદ્ધાન્ત સાથે અનિર્ણયાત્મકતા સંકળાયેલી છે. પરંતુ એ પ્રતિતત્ત્વવિચારકેન્દ્રી દિશામાં મેળવેલી મુક્તિનો પર્યાય છે. | '''Decorum સમુચિતતા''' | ||
Decorum સમુચિતતા | :પ્રમાણ અને ઔચિત્યના સંદર્ભમાં આ સંજ્ઞાને સૌન્દર્ય સાથે સાંકળવામાં આવે છે, ગિરાલ્ડિ સિન્થિયો લખે છે : ‘સમુચિતતા બીજું કશું નથી પરંતુ રમણીયતા અને વસ્તુની સપ્રમાણતા છે, એને માત્ર કાર્યના સંદર્ભમાં નહિ પરન્તુ મનુષ્યો વચ્ચેની ઉક્તિપ્રયુક્તિ સંદર્ભે પણ મૂલવવી જોઈએ. વળી માત્ર સમગ્ર કૃતિની અખિલાઈના સંદર્ભમાં જ નહિ પરંતુ પ્રત્યેક અંગના સંદર્ભમાં એનો વિચાર થવો ઘટે’. | ||
પ્રમાણ અને ઔચિત્યના સંદર્ભમાં આ સંજ્ઞાને સૌન્દર્ય સાથે સાંકળવામાં આવે છે, ગિરાલ્ડિ સિન્થિયો લખે છે : ‘સમુચિતતા બીજું કશું નથી પરંતુ રમણીયતા અને વસ્તુની સપ્રમાણતા છે, એને માત્ર કાર્યના સંદર્ભમાં નહિ પરન્તુ મનુષ્યો વચ્ચેની ઉક્તિપ્રયુક્તિ સંદર્ભે પણ મૂલવવી જોઈએ. વળી માત્ર સમગ્ર કૃતિની અખિલાઈના સંદર્ભમાં જ નહિ પરંતુ પ્રત્યેક અંગના સંદર્ભમાં એનો વિચાર થવો ઘટે’. | '''Deep Structure અંતરંગ સંરચના''' | ||
Deep Structure અંતરંગ સંરચના | :વાક્યની અંતરંગ સંરચના એ એના અમૂર્ત અધઃસ્થ રૂપને કહેવામાં આવે છે, જે વાક્યનો અર્થ નક્કી કરે છે. અંતરંગ સંરચના ચિત્તમાં તો વિદ્યમાન હોય છે જ, પણ ભૌતિક સંકેતમાં અનિવાર્યપણે અભિલક્ષિત થતી નથી. આધુનિક ભાષાવિજ્ઞાનનો આ મહત્ત્વનો ખ્યાલ છે. રોજર ફાવલર જેવા ભાષા વિજ્ઞાનીય અભિગમ ધરાવતા વિવેચકો સાહિત્યકૃતિના બે સ્તરો હોવાનું માને છે : અંતરંગ સ્તર અને બહિરંગ સ્તર. | ||
વાક્યની અંતરંગ સંરચના એ એના અમૂર્ત અધઃસ્થ રૂપને કહેવામાં આવે છે, જે વાક્યનો અર્થ નક્કી કરે છે. અંતરંગ સંરચના ચિત્તમાં તો વિદ્યમાન હોય છે જ, પણ ભૌતિક સંકેતમાં અનિવાર્યપણે અભિલક્ષિત થતી નથી. આધુનિક ભાષાવિજ્ઞાનનો આ મહત્ત્વનો ખ્યાલ છે. રોજર ફાવલર જેવા ભાષા વિજ્ઞાનીય અભિગમ ધરાવતા વિવેચકો સાહિત્યકૃતિના બે સ્તરો હોવાનું માને છે : અંતરંગ સ્તર અને બહિરંગ સ્તર. | '''Defamiliarization અપરિચિતીકરણ''' | ||
Defamiliarization અપરિચિતીકરણ | :રશિયન સ્વરૂપવાદમાં વિકટર શ્ક્લોવ્સ્કી પ્રત્યક્ષ(perception)ના સિદ્ધાન્તને આગળ ધરી બતાવે છે કે ટેવવશ આપણે વિચારની ગણિતપદ્ધતિમાં સરકી જઈએ છીએ. આ ગાણિતિક ક્રિયાને કારણે વસ્તુ અંગેની અતિસ્વયંસંચાલિતતા પ્રત્યક્ષના પ્રયત્નમાં જબરદસ્ત કરકસર ચાલે છે. ટેવની આ ક્રિયા કલાકૃતિઓને, વસ્ત્રોને, ફર્નિચરને, પત્નીને અને યુદ્ધના ભયને પણ હડપ કરી જાય છે. | ||
રશિયન સ્વરૂપવાદમાં વિકટર શ્ક્લોવ્સ્કી પ્રત્યક્ષ(perception)ના સિદ્ધાન્તને આગળ ધરી બતાવે છે કે ટેવવશ આપણે વિચારની ગણિતપદ્ધતિમાં સરકી જઈએ છીએ. આ ગાણિતિક ક્રિયાને કારણે વસ્તુ અંગેની અતિસ્વયંસંચાલિતતા પ્રત્યક્ષના પ્રયત્નમાં જબરદસ્ત કરકસર ચાલે છે. ટેવની આ ક્રિયા કલાકૃતિઓને, વસ્ત્રોને, ફર્નિચરને, પત્નીને અને યુદ્ધના ભયને પણ હડપ કરી જાય છે. | :આ બધાની સામે કાવ્યનો હેતુ વસ્તુઓની ઓળખ આપવાનો નહિ પણ વસ્તુઓના પ્રત્યક્ષ સાથે વસ્તુઓ અંગેનું સંવેદન આપવાનો છે. આથી સર્જક કવિ કવિતાકલાની પ્રવિધિ સાથે સંકળાયેલો રહે છે અને પ્રવિધિ દ્વારા વસ્તુઓને અપરિચિત કરે છે. આથી ભાવકને માટે વસ્તુની એના સંવેદનશીલ સ્વરૂપમાં પુનઃપ્રાપ્તિ શક્ય બને છે. ભાવક સ્વરૂપને લંબાવવાની કે કઠિન કરવાની પ્રવિધિને અનુભવે છે. આ સિદ્ધાન્તમાં કાવ્યભાષા અને રોજિંદી ભાષાનો વિરોધ સૂચિત છે. | ||
આ બધાની સામે કાવ્યનો હેતુ વસ્તુઓની ઓળખ આપવાનો નહિ પણ વસ્તુઓના પ્રત્યક્ષ સાથે વસ્તુઓ અંગેનું સંવેદન આપવાનો છે. આથી સર્જક કવિ કવિતાકલાની પ્રવિધિ સાથે સંકળાયેલો રહે છે અને પ્રવિધિ દ્વારા વસ્તુઓને અપરિચિત કરે છે. આથી ભાવકને માટે વસ્તુની એના સંવેદનશીલ સ્વરૂપમાં પુનઃપ્રાપ્તિ શક્ય બને છે. ભાવક સ્વરૂપને લંબાવવાની કે કઠિન કરવાની પ્રવિધિને અનુભવે છે. આ સિદ્ધાન્તમાં કાવ્યભાષા અને રોજિંદી ભાષાનો વિરોધ સૂચિત છે. | '''Definitive Edition આધારભૂત આવૃત્તિ''' | ||
Definitive Edition આધારભૂત આવૃત્તિ | :સર્જકની પોતાની અંતિમ, આધારભૂત વાચના, જેને તે સ્વીકૃત સંસ્કરણ (version) તરીકે લેવાય એવું ઇચ્છતો હોય અથવા એવી કોઈ પણ કૃતિ જે, જે તે વિષય પર ‘અંતિમ શબ્દ’ રૂપ લેખાતી હોય. | ||
સર્જકની પોતાની અંતિમ, આધારભૂત વાચના, જેને તે સ્વીકૃત સંસ્કરણ (version) તરીકે લેવાય એવું ઇચ્છતો હોય અથવા એવી કોઈ પણ કૃતિ જે, જે તે વિષય પર ‘અંતિમ શબ્દ’ રૂપ લેખાતી હોય. | '''De-formation વિ-રૂપીકરણ''' | ||
De-formation વિ-રૂપીકરણ | :રશિયન સ્વરૂપવાદીઓ દ્વારા પ્રચલિત સંજ્ઞા. સાહિત્યમાં, ખાસ કરીને, કાવ્યમાં શબ્દક્રમનો વ્યત્યય-વ્યુત્ક્રમ કોઈ સ્વચ્છંદતાને કારણે જન્મેલો દોષ નથી. તે પ્રયોજનપૂર્વક યોજેલું સાભિપ્રાય વિ-રૂપીકરણ છે. આમ કરવાનું પ્રયોજન વિચિત્રતા તથા કૂટતા સાધવાનું છે. આ જાતનું વિ-રૂપીકરણ વર્ણ રૂપ અને વાક્ય એમ ભાષાના દરેક અંગને સ્પર્શે છે. સ્વરૂપવાદીઓ માને છે કે ભાષા એ કાવ્ય પર ગુજારેલો સુયોજિત અત્યાચાર (organized violence) છે. એટલે જ શ્ક્લોવ્સ્કી જેવા વિવેચકો કહે છે કે કાવ્ય એ તત્ત્વતઃ પુનર્ઘટિત વિ-કૃત ભાષા છે. | ||
રશિયન સ્વરૂપવાદીઓ દ્વારા પ્રચલિત સંજ્ઞા. સાહિત્યમાં, ખાસ કરીને, કાવ્યમાં શબ્દક્રમનો વ્યત્યય-વ્યુત્ક્રમ કોઈ સ્વચ્છંદતાને કારણે જન્મેલો દોષ નથી. તે પ્રયોજનપૂર્વક યોજેલું સાભિપ્રાય વિ-રૂપીકરણ છે. આમ કરવાનું પ્રયોજન વિચિત્રતા તથા કૂટતા સાધવાનું છે. આ જાતનું વિ-રૂપીકરણ વર્ણ રૂપ અને વાક્ય એમ ભાષાના દરેક અંગને સ્પર્શે છે. સ્વરૂપવાદીઓ માને છે કે ભાષા એ કાવ્ય પર ગુજારેલો સુયોજિત અત્યાચાર (organized violence) છે. એટલે જ શ્ક્લોવ્સ્કી જેવા વિવેચકો કહે છે કે કાવ્ય એ તત્ત્વતઃ પુનર્ઘટિત વિ-કૃત ભાષા છે. | '''Dehumuanization of Art કલાનું અમાનવીકરણ''' | ||
Dehumuanization of Art કલાનું અમાનવીકરણ | :એડવર્ડ બ્યૂલોના ‘માનસિક અંતરાય’ (psychic distance) સિદ્ધાન્તની પરંપરામાં સ્પેનિશ-તત્ત્વજ્ઞાની ઓર્તેગાએ સર્જન અને ભાવનના સંદર્ભમાં ‘અમાનવીકરણ’નો સિદ્ધાંત રજૂ કર્યો હતો. આર્તેગા મત મુજબ ‘અમાનવીકરણ’ એ સૌન્દર્યાનુભૂતિની અનિવાર્ય શરત છે, સૌન્દર્યાનુભૂતિમાં, કલાકૃતિ અને ભાવન બંનેનું ‘અમાનવીકરણ’ અપેક્ષિત છે. કલાકૃતિના સ્તરે અમાનવીકરણ એટલે વર્ણન યા ચિત્રણનું એના વ્યાવહારિક, વાસ્તવિક સ્વરૂપથી વિચ્છેદન અને ભાવનના સ્તરે ‘અમાનવીકરણ’ એટલે કલાકૃતિના અનુભવનું વૈયક્તિતતા અને સંવેગોથી પાર્થક્ય. | ||
એડવર્ડ બ્યૂલોના ‘માનસિક અંતરાય’ (psychic distance) સિદ્ધાન્તની પરંપરામાં સ્પેનિશ-તત્ત્વજ્ઞાની ઓર્તેગાએ સર્જન અને ભાવનના સંદર્ભમાં ‘અમાનવીકરણ’નો સિદ્ધાંત રજૂ કર્યો હતો. આર્તેગા મત મુજબ ‘અમાનવીકરણ’ એ સૌન્દર્યાનુભૂતિની અનિવાર્ય શરત છે, સૌન્દર્યાનુભૂતિમાં, કલાકૃતિ અને ભાવન બંનેનું ‘અમાનવીકરણ’ અપેક્ષિત છે. કલાકૃતિના સ્તરે અમાનવીકરણ એટલે વર્ણન યા ચિત્રણનું એના વ્યાવહારિક, વાસ્તવિક સ્વરૂપથી વિચ્છેદન અને ભાવનના સ્તરે ‘અમાનવીકરણ’ એટલે કલાકૃતિના અનુભવનું વૈયક્તિતતા અને સંવેગોથી પાર્થક્ય. | '''Deism કેવલેશ્વરવાદ''' | ||
Deism કેવલેશ્વરવાદ | :માત્ર નિસર્ગ અને તર્કનાં પ્રમાણોથી જ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતી વિચારધારા. આ વિચારધારાના અનુયાયીઓ ધર્મગ્રંથો અને ધર્મગુરુઓના દેવત્વનો અસ્વીકાર કરે છે. કોપરનિક્સ ગૅલલિયો, કલમ્બસ વગેરેની વૈજ્ઞાનિક શોધો બાદ આ વિચારધારાનો વિકાસ થયો. તાર્કિક દૃષ્ટિબિંદુનો પુરસ્કાર કરતા આ પ્રાકૃતિક ધર્મનો સાહિત્ય ઉપર ઘણો પ્રભાવ છે. વડર્ઝવર્થ, શેલી, પોપ વગેરે આના પુરસ્કર્તા છે. | ||
માત્ર નિસર્ગ અને તર્કનાં પ્રમાણોથી જ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતી વિચારધારા. આ વિચારધારાના અનુયાયીઓ ધર્મગ્રંથો અને ધર્મગુરુઓના દેવત્વનો અસ્વીકાર કરે છે. કોપરનિક્સ ગૅલલિયો, કલમ્બસ વગેરેની વૈજ્ઞાનિક શોધો બાદ આ વિચારધારાનો વિકાસ થયો. તાર્કિક દૃષ્ટિબિંદુનો પુરસ્કાર કરતા આ પ્રાકૃતિક ધર્મનો સાહિત્ય ઉપર ઘણો પ્રભાવ છે. વડર્ઝવર્થ, શેલી, પોપ વગેરે આના પુરસ્કર્તા છે. | '''Denotation વાચ્યાર્થ''' | ||
Denotation વાચ્યાર્થ | :શબ્દનો પ્રાથમિક કે શાબ્દિક અર્થ. અર્થ એ સાહિત્યને સાહિત્યેતર લખાણોથી અલગ પાડનારું તત્ત્વ છે. વાચ્યાર્થ મુખ્યત્વે સાહિત્યેતર લખાણોનું લક્ષણ ગણાયું છે, જ્યારે સાહિત્યિક સામગ્રીનું મુખ્ય લક્ષણ સંપુક્તાર્થ (connotation) છે. | ||
શબ્દનો પ્રાથમિક કે શાબ્દિક અર્થ. અર્થ એ સાહિત્યને સાહિત્યેતર લખાણોથી અલગ પાડનારું તત્ત્વ છે. વાચ્યાર્થ મુખ્યત્વે સાહિત્યેતર લખાણોનું લક્ષણ ગણાયું છે, જ્યારે સાહિત્યિક સામગ્રીનું મુખ્ય લક્ષણ સંપુક્તાર્થ (connotation) છે. | '''Denoument નિર્વહણ''' | ||
Denoument નિર્વહણ | :જુઓ : Catastrophe. | ||
જુઓ : Catastrophe. | '''Description વર્ણન''' | ||
Description વર્ણન | :સાહિત્યકૃતિમાં આવતું વર્ણન સમય તેમ જ સ્થળની મુખ્ય વિશેષતાઓને રજૂ કરે છે; અને કૃતિના પરિવેશ(setting)નું સર્જન કરે છે. કાલિદાસ, વાલ્મીકિ આદિનાં ઋતુવર્ણનો, સ્થળવર્ણનો વગેરે સુવિદિત છે. | ||
સાહિત્યકૃતિમાં આવતું વર્ણન સમય તેમ જ સ્થળની મુખ્ય વિશેષતાઓને રજૂ કરે છે; અને કૃતિના પરિવેશ(setting)નું સર્જન કરે છે. કાલિદાસ, વાલ્મીકિ આદિનાં ઋતુવર્ણનો, સ્થળવર્ણનો વગેરે સુવિદિત છે. | :ઉપરાંત વિવેચનમાં તાર્કિક વિશ્લેષણની દૃષ્ટિએ ‘વર્ણન’ એક વિવેચનાત્મક ઉપકરણ છે. આ ઉપકરણ કૃતિનાં ઘટક તત્ત્વોના વિશ્લેષણમાં ઉપકારક નીવડે છે. જેમકે, ભૃગુરાય અંજારિયાએ કરેલું કાન્તનાં ખંડકાવ્યોના છંદોનું વિશ્લેષણ. | ||
ઉપરાંત વિવેચનમાં તાર્કિક વિશ્લેષણની દૃષ્ટિએ ‘વર્ણન’ એક વિવેચનાત્મક ઉપકરણ છે. આ ઉપકરણ કૃતિનાં ઘટક તત્ત્વોના વિશ્લેષણમાં ઉપકારક નીવડે છે. જેમકે, ભૃગુરાય અંજારિયાએ કરેલું કાન્તનાં ખંડકાવ્યોના છંદોનું વિશ્લેષણ. | '''Destructive Criticism વિસંયોજનપરક વિવેચન''' | ||
Destructive Criticism વિસંયોજનપરક વિવેચન | :અમેરિકામાં આઠમા દાયકાના અંત ભાગમાં પૉલ બોવ અને વિલ્યમ વી. સ્પેનાસ દ્વારા હાઈડેગરના ‘સત્તા અને સમય’ પર આધારિત વિનિર્મિતિપરક વિવેચનની સમાન્તર વિસંયોજનપરક વિવેચન અસ્તિત્વમાં આવ્યું. ભાષાના સિદ્ધાંતની બાબતમાં વિસંયોજનપરક વિવેચન અને વિનિર્મિતિપરક વિવેચન જુદાં પડે છે. સ્પેનોસ ‘લેખન’નો પુરસ્કાર કરનાર અનુસંરચનાવાદીઓ પર પ્રહાર કરે છે અને ખાસ તો, દેરિદાને તેમજ અન્ય સ્થલગત અર્થઘટનશાસ્ત્રના વિનિર્મિતિકારોને નિંદે છે. કારણ સ્થલગત અર્થઘટનશાસ્ત્ર કૃતિની કાલગતતાનું પરિમાણ ચૂકી જાય છે. સ્પેनોસને મન સાહિત્યની ખરેખરી સત્તા શબ્દના કાલગત શ્રવણમાં છે. આથી એ પરંપરાના વિવેચનની જેમ લેખકની પ્રતિભા કે કૃતિની સંરચના પર ભાર મૂકવાને બદલે વાચનની પ્રવૃત્તિ અને આવિષ્કૃતિ પર ભાર મૂકે છે. સ્વરૂપવાદ, સંરચનાવાદ, સંકેતવિજ્ઞાન, મિથવિવેચન. જિનિવા વિવેચન અને અન્ય તત્ત્વવિચારપરક વિચારણા મોટે ભાગે સ્થલગત પદ્ધતિઓ છે. સમગ્ર કૃતિને લક્ષમાં રાખી કૃતિના વાચનના આરંભ પહેલાં અંતને લક્ષમાં રાખે છે. ‘અખિલાઈ’ના પૂર્વનિર્ણિત અર્થ સાથે તપાસ આદરે છે. આની સામે વિસંયોજનપરક તપાસ કૃતિને ઉઘાડે છે, સમયમાં આગળ વધે છે, સ્થલગત દૃષ્ટિકોણનો છેદ ઉડાડે છે અને એમ અર્થઘટન એ સત્તાવિષયક સત્યનાં ગોપન અને પ્રાગટ્યનો અંતહીન અનુભવ છે એવું સિદ્ધ કરે છે. પ્રારંભથી જ અંત મનમાં હોવાથી અનુસ્મૃતિપરક (Recollective) સ્થલગત અર્થઘટનશાસ્ત્ર કૃતિના ભાષાપરક અનુભવમાં વારંવાર પાછું ફર્યા કરે છે. જ્યારે પ્રક્ષેપાત્મક કાલગત વિસંયોજનપરક અર્થઘટનશાસ્ત્ર અન્વેષણની પ્રક્રિયામાં શબ્દોની શ્રેણીઓને વારંવાર આગળ ફેંકીને કૃતિનું સમુદ્ધરણ કરે છે; પૉલ બોવે તો કૃતિની સાથે આંતરકૃતિત્વનો વિચાર ઉપસાવીને અને સાહિત્યના ઇતિહાસને નવેસરથી જોવાનું શરૂ કરીને બતાવ્યું છે કે સાહિત્યનો ઇતિહાસ કૃતિઓની શ્રેણી છે તેમ જ આપણે જે કાવ્યોનો સામનો કરીએ છીએ તે અન્ય કાવ્યોનાં અર્થઘટનો હોય છે. આ રીતે વિસંયોજનપરક વિવેચનનો આશય કૃતિને કાલના પરિમાણની મુક્તતામાં તપાસવાનો છે. | ||
અમેરિકામાં આઠમા દાયકાના અંત ભાગમાં પૉલ બોવ અને વિલ્યમ વી. સ્પેનાસ દ્વારા હાઈડેગરના ‘સત્તા અને સમય’ પર આધારિત વિનિર્મિતિપરક વિવેચનની સમાન્તર વિસંયોજનપરક વિવેચન અસ્તિત્વમાં આવ્યું. ભાષાના સિદ્ધાંતની બાબતમાં વિસંયોજનપરક વિવેચન અને વિનિર્મિતિપરક વિવેચન જુદાં પડે છે. સ્પેનોસ ‘લેખન’નો પુરસ્કાર કરનાર અનુસંરચનાવાદીઓ પર પ્રહાર કરે છે અને ખાસ તો, દેરિદાને તેમજ અન્ય સ્થલગત અર્થઘટનશાસ્ત્રના વિનિર્મિતિકારોને નિંદે છે. કારણ સ્થલગત અર્થઘટનશાસ્ત્ર કૃતિની કાલગતતાનું પરિમાણ ચૂકી જાય છે. | '''Detective Story રહસ્ય કથા''' | ||
Detective Story રહસ્ય કથા | :મોટે ભાગે હત્યા જેવા ગુનાઓનો ગુપ્તચર દ્વારા રહસ્યસ્ફોટ થતો હોય એવી નિરૂપણાત્મક રહસ્યકથા. અંગ્રેજી સાહિત્યમાં, ઈ.સ. ૧૮૪૧માં ‘The murder in the Rue morgue’ દ્વારા એડગર એલન પોએ પ્રથમ કલ્પનોત્થ રહસ્યકથાનું સર્જન કર્યું. ૧૮૮૭માં સર આર્થર કૉનન ડૉયૂલની ‘શર્લોક હોમ્ઝ શ્રેણી’ દ્વારા રહસ્યકથાનો પ્રશિષ્ટ યુગ શરૂ થયો. ઍગથ ક્રિસ્ટી. અર્લ સ્ટેન્લી ગાર્ડનર અને છેલ્લે જેયમ્સ હૅડલી ચેય્સ જેવા રહસ્યકથાકારો દ્વારા આ સ્વરૂપનો વિકાસ થયો. આજની મોટા ભાગની વેચાણ-વિક્રમો ધરાવતી નવલકથાઓ રહસ્યકથાઓ છે. | ||
મોટે ભાગે હત્યા જેવા ગુનાઓનો ગુપ્તચર દ્વારા રહસ્યસ્ફોટ થતો હોય એવી નિરૂપણાત્મક રહસ્યકથા. અંગ્રેજી સાહિત્યમાં, ઈ.સ. ૧૮૪૧માં ‘The murder in the Rue morgue’ દ્વારા એડગર એલન પોએ પ્રથમ કલ્પનોત્થ રહસ્યકથાનું સર્જન કર્યું. ૧૮૮૭માં સર આર્થર કૉનન ડૉયૂલની ‘શર્લોક હોમ્ઝ શ્રેણી’ દ્વારા રહસ્યકથાનો પ્રશિષ્ટ યુગ શરૂ થયો. ઍગથ ક્રિસ્ટી. અર્લ સ્ટેન્લી ગાર્ડનર અને છેલ્લે | '''Determinism નિયતિવાદ''' | ||
Determinism નિયતિવાદ | :બધી હકીકતો અને ઘટનાઓ કુદરતી નિયમોને અનુસરે છે. કુદરત નિયમપૂર્ણ છે અને પ્રત્યેક ઘટના પાછળ કારણ છે, એવું માનનાર તત્ત્વસિદ્ધાન્ત. આ સિદ્ધાન્ત સ્પષ્ટપણે માને છે કે પોતાની ઇચ્છાશક્તિથી સ્વતંત્ર કારણપરંપરાથી જ બધું નિર્ણીંત થાય છે અને ખાસ તો વ્યક્તિની કાર્યપસંદગી વિજ્ઞાન અને માનવવિદ્યાઓના સંઘર્ષના સંદર્ભમાં સાહિત્યસિદ્ધાન્તક્ષેત્રે નિયતિવાદ વારંવાર વિવાદાસ્પદ બન્યો છે, નવ્ય માનવતાવાદીઓના દાવા પ્રમાણે નિયતિવાદ વાસ્તવવાદી અને પ્રકૃતિવાદી સાહિત્યનું લક્ષણ છે. | ||
બધી હકીકતો અને ઘટનાઓ કુદરતી નિયમોને અનુસરે છે. કુદરત નિયમપૂર્ણ છે અને પ્રત્યેક ઘટના પાછળ કારણ છે, એવું માનનાર તત્ત્વસિદ્ધાન્ત. આ સિદ્ધાન્ત સ્પષ્ટપણે માને છે કે પોતાની ઇચ્છાશક્તિથી સ્વતંત્ર કારણપરંપરાથી જ બધું નિર્ણીંત થાય છે અને ખાસ તો વ્યક્તિની કાર્યપસંદગી વિજ્ઞાન અને માનવવિદ્યાઓના સંઘર્ષના સંદર્ભમાં સાહિત્યસિદ્ધાન્તક્ષેત્રે નિયતિવાદ વારંવાર વિવાદાસ્પદ બન્યો છે, નવ્ય માનવતાવાદીઓના દાવા પ્રમાણે નિયતિવાદ વાસ્તવવાદી અને પ્રકૃતિવાદી સાહિત્યનું લક્ષણ છે. | '''Deus Ex Machine ‘યંત્રોત્થ દેવ’ ‘દિવ્ય વિભૂતિ’''' | ||
Deus Ex Machine ‘યંત્રોત્થ દેવ’ ‘દિવ્ય વિભૂતિ’ | :મૂળ તો યુરિપિડીઝ નાટકને અંતે અત્યંત કઠિન પરિસ્થિતિમાંથી નાયકને બહાર લાવવા માટે યંત્રપ્રપંચ દ્વારા દેવને રંગમંચ પર ઉતારતો. પરંતુ આજે આ ઉક્તિ કઠિન પરિસ્થિતિમાંથી ઉકેલ લાવનાર કોઈ પણ અનપેક્ષિત કૃતક ઘટના પ્રપંચ માટે વપરાય છે. | ||
મૂળ તો યુરિપિડીઝ નાટકને અંતે અત્યંત કઠિન પરિસ્થિતિમાંથી નાયકને બહાર લાવવા માટે યંત્રપ્રપંચ દ્વારા દેવને રંગમંચ પર ઉતારતો. પરંતુ આજે આ ઉક્તિ કઠિન પરિસ્થિતિમાંથી ઉકેલ લાવનાર કોઈ પણ અનપેક્ષિત કૃતક ઘટના પ્રપંચ માટે વપરાય છે. | '''Deuteragonist અનુનાયક, પીઠમર્દ''' | ||
Deuteragonist અનુનાયક, પીઠમર્દ | :નાટકમાં નાયક પછીનું તરત મહત્ત્વ ધરાવતું પાત્ર, ગ્રીક, કરુણાન્તિક નાટકનો પ્રારંભક, સામાન્ય રીતે, ઈસ્કિલસ ગણાય છે, અને એણે આ અનુનાયકનું પાત્ર દાખલ કરેલું. આને કારણે સંવાદ અને નાટ્યકાર્યને વેગ મળ્યો. | ||
નાટકમાં નાયક પછીનું તરત મહત્ત્વ ધરાવતું પાત્ર, ગ્રીક, કરુણાન્તિક નાટકનો પ્રારંભક, સામાન્ય રીતે, ઈસ્કિલસ ગણાય છે, અને એણે આ અનુનાયકનું પાત્ર દાખલ કરેલું. આને કારણે સંવાદ અને નાટ્યકાર્યને વેગ મળ્યો. | '''Deviation વિચલન''' | ||
Deviation વિચલન | :કવિ વ્યાકરણની ભીતર પ્રતિવ્યાકરણના તત્ત્વોને દાખલ કરે છે, એને કારણે વિચલિત વાક્યો સંસર્જે છે અને એમ એની સર્જકતા ભાષકની સર્જકતાથી જુદી પડે છે. પ્રતિવ્યાકરણતત્ત્વોથી તૈયાર થયેલી વિચલનઉક્તિ ભાવકનો વિશેષ પ્રકારનો પ્રતિભાવ માગે છે અને એને કારણે વિચલન ઉક્તિ દ્વારા શું કહેવાય છે એ ગૌણ બની જાય છે અને ખુદ વિચલન-ઉક્તિ જ ધ્યાનનું મુખ્ય કેન્દ્ર બની રહે છે. ભાષાવિદ લેવિને તો વિચલનને કવિતાના સ્વરૂપનો વિશેષ ધર્મ માન્યો છે. લેવિને વિચલનને બે પ્રકારમાં સમજાવે છે : આંતરવિચલન (Internal deviation) અને બાહ્ય વિચલન (external deviation). આંતરવિચલન એવું છે જે સમગ્ર કવિતાની ભૂમિકા પડછે થાય છે, જેમાં કવિતાનો શેષભાગ તે એનું ધોરણ (Norm) બને છે. બાહ્ય વિચલન એવું છે જેને કવિતાની બહાર રહેલા ધોરણને આધારે સમજાવી શકાય છે. | ||
કવિ વ્યાકરણની ભીતર પ્રતિવ્યાકરણના તત્ત્વોને દાખલ કરે છે, એને કારણે વિચલિત વાક્યો સંસર્જે છે અને એમ એની સર્જકતા ભાષકની સર્જકતાથી જુદી પડે છે. પ્રતિવ્યાકરણતત્ત્વોથી તૈયાર થયેલી વિચલનઉક્તિ ભાવકનો વિશેષ પ્રકારનો પ્રતિભાવ માગે છે અને એને કારણે વિચલન ઉક્તિ દ્વારા શું કહેવાય છે એ ગૌણ બની જાય છે અને ખુદ વિચલન-ઉક્તિ જ ધ્યાનનું મુખ્ય કેન્દ્ર બની રહે છે. ભાષાવિદ લેવિને તો વિચલનને કવિતાના સ્વરૂપનો વિશેષ ધર્મ માન્યો છે. લેવિને વિચલનને બે પ્રકારમાં સમજાવે છે : આંતરવિચલન (Internal deviation) અને બાહ્ય વિચલન (external deviation). આંતરવિચલન એવું છે જે સમગ્ર કવિતાની ભૂમિકા પડછે થાય છે, જેમાં કવિતાનો શેષભાગ તે એનું ધોરણ (Norm) બને છે. બાહ્ય વિચલન એવું છે જેને કવિતાની બહાર રહેલા ધોરણને આધારે સમજાવી શકાય છે. | '''Device રચના પ્રયુક્તિ''' | ||
Device રચના પ્રયુક્તિ | :સાહિત્યકૃતિમાં વિશેષ શબ્દતરેહ, અલંકાર કે ધ્વનિસંયોજનો આદિનો કશોક એવો વિનિયોગ, જેને કારણે ભાવકમાં ઇચ્છિત પ્રભાવ જન્માવી શકાય. | ||
સાહિત્યકૃતિમાં વિશેષ શબ્દતરેહ, અલંકાર કે ધ્વનિસંયોજનો આદિનો કશોક એવો વિનિયોગ, જેને કારણે ભાવકમાં ઇચ્છિત પ્રભાવ જન્માવી શકાય. | '''Dialect બોલી''' | ||
Dialect બોલી | :એક જ ભૌગોલિક વિસ્તારમાં રહેલા, એક જ ભાષાના ભાષકો અને એક જ ભાષા-સમુદાય(speech-community)નું સભ્યપદ ધરાવતા લોકો ચોક્કસપણે એક જ ભાષા નથી બોલતા. આ લોકોનાં જુદાં જુદાં જૂથો હોય છે, અને એ જૂથોને તેમની જુદી જુદી બોલીઓથી અલગ પાડી શકાય છે. આમ હોવા છતાં ભાષાની બોલીઓના પ્રયોજકો વચ્ચે પ્રત્યાયન શક્ય બને છે. સાહિત્યના અભિવ્યક્તિ માધ્યમ તરીકે બોલીઓ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ભૌગોલિક વાતાવરણ ઊભું કરવા માટે તેમ જ કાવ્યમાં શૈલીવિજ્ઞાનીય ઉપકરણ તરીકે બોલીઓ પ્રયોજાય છે. પન્નાલાલ પટેલ કે રઘુવીર ચૌધરી જેવા નવલકથાકારોની કેટલીક કૃતિઓની ભાષા આનાં ઉદાહરણો છે. | ||
એક જ ભૌગોલિક વિસ્તારમાં રહેલા, એક જ ભાષાના ભાષકો અને એક જ ભાષા-સમુદાય(speech-community)નું સભ્યપદ ધરાવતા લોકો ચોક્કસપણે એક જ ભાષા નથી બોલતા. આ લોકોનાં જુદાં જુદાં જૂથો હોય છે, અને એ જૂથોને તેમની જુદી જુદી બોલીઓથી અલગ પાડી શકાય છે. આમ હોવા છતાં ભાષાની બોલીઓના પ્રયોજકો વચ્ચે પ્રત્યાયન શક્ય બને છે. સાહિત્યના અભિવ્યક્તિ માધ્યમ તરીકે બોલીઓ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ભૌગોલિક વાતાવરણ ઊભું કરવા માટે તેમ જ કાવ્યમાં શૈલીવિજ્ઞાનીય ઉપકરણ તરીકે બોલીઓ પ્રયોજાય છે. પન્નાલાલ પટેલ કે રઘુવીર ચૌધરી જેવા નવલકથાકારોની કેટલીક કૃતિઓની ભાષા આનાં ઉદાહરણો છે. | '''Dialectical Materialism દ્વન્દ્વાત્મક ભૌતિકવાદ''' | ||
Dialectical Materialism દ્વન્દ્વાત્મક ભૌતિકવાદ | :સમાજની એક વ્યવસ્થામાંથી તેની વિરોધી વ્યવસ્થા ઉત્પન્ન થાય છે અને એ વિરોધી વ્યવસ્થામાંથી કાળક્રમે તેની પણ વિરોધી નવી વ્યવસ્થા ઉત્પન્ન થાય છે એવો મત ધરાવતો સિદ્ધાન્ત. આ સિદ્ધાન્તના મુખ્ય પુરસ્કતા કાર્લ માર્ક્સના મત મુજબ દ્વન્દ્વવાદ બાહ્ય વિશ્વ અને માનવીય ચિંતન બંનેની ગતિના સામાન્ય નિયમોનું વિજ્ઞાન છે. દ્વન્દ્વાત્મક ભૌતિકવાદનો અભિગમ ભૌતિક માન્યતાઓ પર અને તેની પ્રકૃતિ, પ્રાકૃતિક તત્ત્વો તથા તેમની પ્રક્રિયાઓના અધ્યયનની દ્વન્દ્વની પદ્ધતિ પર આધારિત છે. માકર્સવાદી સાહિત્યવિચારની આ પાયાની સંજ્ઞા છે. | ||
સમાજની એક વ્યવસ્થામાંથી તેની વિરોધી વ્યવસ્થા ઉત્પન્ન થાય છે અને એ વિરોધી વ્યવસ્થામાંથી કાળક્રમે તેની પણ વિરોધી નવી વ્યવસ્થા ઉત્પન્ન થાય છે એવો મત ધરાવતો સિદ્ધાન્ત. આ સિદ્ધાન્તના મુખ્ય પુરસ્કતા કાર્લ માર્ક્સના મત મુજબ દ્વન્દ્વવાદ બાહ્ય વિશ્વ અને માનવીય ચિંતન બંનેની ગતિના સામાન્ય નિયમોનું વિજ્ઞાન છે. દ્વન્દ્વાત્મક ભૌતિકવાદનો અભિગમ ભૌતિક માન્યતાઓ પર અને તેની પ્રકૃતિ, પ્રાકૃતિક તત્ત્વો તથા તેમની પ્રક્રિયાઓના અધ્યયનની દ્વન્દ્વની પદ્ધતિ પર આધારિત છે. માકર્સવાદી સાહિત્યવિચારની આ પાયાની સંજ્ઞા છે. | '''Dialogue સંવાદ''' | ||
Dialogue સંવાદ | :કોઈ પણ પ્રકારનાં, કથા કે નાટકમાં, પાત્રોની ઉક્તિ તે સંવાદ. સંવાદમાં કાર્ય (action) ભળે એટલે નાટક જન્મે. | ||
કોઈ પણ પ્રકારનાં, કથા કે નાટકમાં, પાત્રોની ઉક્તિ તે સંવાદ. સંવાદમાં કાર્ય (action) ભળે એટલે નાટક જન્મે. | :વળી, ગ્રીક ફિલસૂફોએ શિષ્યોના શિક્ષણ માટે સંવાદની રીતિ ઉત્તમ ગણેલી. | ||
વળી, ગ્રીક ફિલસૂફોએ શિષ્યોના શિક્ષણ માટે સંવાદની રીતિ ઉત્તમ ગણેલી. | '''Diary વાસરી, વાસરિકા''' | ||
Diary વાસરી, વાસરિકા | :ઘટનાઓની રોજિંદી નોંધ. ૧૭મી સદીના સેમ્યૂઅલ પેપિસ (Samuel Pepys) અને જ્હોન એવેલીન (John Evelyn)ની વાસરીઓ પ્રખ્યાત છે. આ પ્રકારની વાસરિકાઓ અસાધારણ રીતે મહત્ત્વના દસ્તાવેજરૂપ છે, જે સર્જકના વ્યક્તિત્વ અને સમકાલીન રોજિંદા જીવન પર સારો એવો પ્રકાશ ફેંકે છે. | ||
ઘટનાઓની રોજિંદી નોંધ. ૧૭મી સદીના સેમ્યૂઅલ પેપિસ (Samuel Pepys) અને જ્હોન એવેલીન (John Evelyn)ની વાસરીઓ પ્રખ્યાત છે. આ પ્રકારની વાસરિકાઓ અસાધારણ રીતે મહત્ત્વના દસ્તાવેજરૂપ છે, જે સર્જકના વ્યક્તિત્વ અને સમકાલીન રોજિંદા જીવન પર સારો એવો પ્રકાશ ફેંકે છે. | :ગુજરાતીમાં ‘નરસિંહરાવની રોજનીશી’ તેમ જ ‘મહાદેવભાઈની ડાયરી’ જાણીતી છે. | ||
ગુજરાતીમાં ‘નરસિંહરાવની રોજનીશી’ તેમ જ ‘મહાદેવભાઈની ડાયરી’ જાણીતી છે. | '''Diatribe પ્રહારલેખ''' | ||
Diatribe પ્રહારલેખ | :આકરી વિવેચન ટીકા. કોઈ કૃતિ ઉપર આક્રોશપૂર્ણ ઉગ્ર અનિયંત્રિત શાબ્દિક પ્રહાર. | ||
આકરી વિવેચન ટીકા. કોઈ કૃતિ ઉપર આક્રોશપૂર્ણ ઉગ્ર અનિયંત્રિત શાબ્દિક પ્રહાર. | '''Diatyposis સ્વભાવોક્તિ''' | ||
Diatyposis સ્વભાવોક્તિ | :તાદૃશ અને પ્રત્યક્ષ વર્ણન માટે યોજાતી અલંકાર સંજ્ઞા. સંસ્કૃત કાવ્યશાસ્ત્રે પણ સૂક્ષ્મ પર્યવેક્ષણક્ષમતા તથા અભિવ્યક્તિપટુતાની અપેક્ષા રાખતા સ્વભાવોક્તિ અલંકારને ઓળખાવ્યો છે. | ||
તાદૃશ અને પ્રત્યક્ષ વર્ણન માટે યોજાતી અલંકાર સંજ્ઞા. સંસ્કૃત કાવ્યશાસ્ત્રે પણ સૂક્ષ્મ પર્યવેક્ષણક્ષમતા તથા અભિવ્યક્તિપટુતાની અપેક્ષા રાખતા સ્વભાવોક્તિ અલંકારને ઓળખાવ્યો છે. | '''Diction, Poetic કાવ્ય પદાવલી''' | ||
Diction, Poetic કાવ્ય પદાવલી | :વાણી અને લેખનમાં શબ્દોની વિશિષ્ટ વરણી અને ગોઠવણી. શૈલીવિજ્ઞાનીઓ સામાન્ય ભાષા અને કાવ્યભાષા વચ્ચે ભેદ કરે છે. કાવ્યપદાવલી એ વ્યાપકપણે તો કાવ્યભાષાના પ્રશ્નનો જ એક ભાગ છે. વડર્ઝવર્થ અને કોલિરજે કાવ્ય પદાવલીના સંપ્રત્યયની વિવેચનના સંદર્ભમાં વિશેષ પ્રતિષ્ઠા કરી. વડર્ઝવર્થ જે સ્વાભાવિક હોય તે જ કાવ્યપદાવલીનો પુરસ્કાર કરે છે અને જે કૃત્રિમ હોય તેનો આની સામે વિરોધ કરે છે. કોલરિજ કહે છે કે સાધારણ ભાષાથી કાવ્યભાષા ભિન્ન જ હોવી જોઈએ, કારણ કે એ બંનેનાં પ્રયોજન પણ જુદાં છે અને અંતઃસત્ત્વ પણ જુદાં છે. જોકે આમ છતાં, કોલરિજ કવિને એના ચિત્તની પ્રકૃતિ પ્રમાણે પદાવલી યોજવાની છૂટ આપવામાં પણ માને છે. | ||
વાણી અને લેખનમાં શબ્દોની વિશિષ્ટ વરણી અને ગોઠવણી. શૈલીવિજ્ઞાનીઓ સામાન્ય ભાષા અને કાવ્યભાષા વચ્ચે ભેદ કરે છે. કાવ્યપદાવલી એ વ્યાપકપણે તો કાવ્યભાષાના પ્રશ્નનો જ એક ભાગ છે. વડર્ઝવર્થ અને કોલિરજે કાવ્ય પદાવલીના સંપ્રત્યયની વિવેચનના સંદર્ભમાં વિશેષ પ્રતિષ્ઠા કરી. વડર્ઝવર્થ જે સ્વાભાવિક હોય તે જ કાવ્યપદાવલીનો પુરસ્કાર કરે છે અને જે કૃત્રિમ હોય તેનો આની સામે વિરોધ કરે છે. કોલરિજ કહે છે કે સાધારણ ભાષાથી કાવ્યભાષા ભિન્ન જ હોવી જોઈએ, કારણ કે એ બંનેનાં પ્રયોજન પણ જુદાં છે અને અંતઃસત્ત્વ પણ જુદાં છે. જોકે આમ છતાં, કોલરિજ કવિને એના ચિત્તની પ્રકૃતિ પ્રમાણે પદાવલી યોજવાની છૂટ આપવામાં પણ માને છે. | '''Didactic બોધપ્રધાન''' | ||
Didactic બોધપ્રધાન | :ઉપદેશ, બોધ, શિક્ષણ વગેરે જેનો હેતુ છે તે. મધ્યકાલીન સાહિત્ય સર્જનમાં આ પ્રકારનું બોધપ્રાધાન્ય વિશેષ જોવા મળતું. સાહિત્યકારનો મુખ્ય ઉદ્દેશ જ સમાજશિક્ષણનો હતો. ભક્તિસાહિત્ય, બાળસાહિત્ય વગેરે આથી જ બોધપ્રધાન જોવા મળે છે, હિતોપદેશ, પંચતંત્ર આદિ બોધપ્રધાન સાહિત્યનાં ઉદાહરણો છે. | ||
ઉપદેશ, બોધ, શિક્ષણ વગેરે જેનો હેતુ છે તે. મધ્યકાલીન સાહિત્ય સર્જનમાં આ પ્રકારનું બોધપ્રાધાન્ય વિશેષ જોવા મળતું. સાહિત્યકારનો મુખ્ય ઉદ્દેશ જ સમાજશિક્ષણનો હતો. ભક્તિસાહિત્ય, બાળસાહિત્ય વગેરે આથી જ બોધપ્રધાન જોવા મળે છે, હિતોપદેશ, પંચતંત્ર આદિ બોધપ્રધાન સાહિત્યનાં ઉદાહરણો છે. | '''Diegesis ક્રિયા-વૃત્તાન્ત''' | ||
Diegesis ક્રિયા-વૃત્તાન્ત | :ક્રિયાવૃત્તાન્ત અને ક્રિયા-પ્રતિનિધાન (Mimesis) બંને કાર્યો કે પ્રસંગોનાં નિરૂપણનાં પાસાંઓ છે. જે દર્શાવવામાં આવે કે ભજવવામાં આવે તે ક્રિયા-પ્રતિનિધાન. જેનું કથન થયું હોય કે જેનું વૃત્તાન્ત આપવામાં આવ્યું હોય તે ક્રિયા-વૃત્તાન્ત. આમ ક્રિયા-વૃત્તાન્ત એ નિરૂપણાત્મક પાઠમાંનાં કાર્યો અને પ્રસંગોની શ્રેણીનો અર્થઘટનકાર દ્વારા થયેલો અન્વય છે. | ||
ક્રિયાવૃત્તાન્ત અને ક્રિયા-પ્રતિનિધાન (Mimesis) બંને કાર્યો કે પ્રસંગોનાં નિરૂપણનાં પાસાંઓ છે. જે દર્શાવવામાં આવે કે ભજવવામાં આવે તે ક્રિયા-પ્રતિનિધાન. જેનું કથન થયું હોય કે જેનું વૃત્તાન્ત આપવામાં આવ્યું હોય તે ક્રિયા-વૃત્તાન્ત. આમ ક્રિયા-વૃત્તાન્ત એ નિરૂપણાત્મક પાઠમાંનાં કાર્યો અને પ્રસંગોની શ્રેણીનો અર્થઘટનકાર દ્વારા થયેલો અન્વય છે. | '''Differance વ્યતિરેક-વ્યાક્ષેપ''' | ||
Differance વ્યતિરેક-વ્યાક્ષેપ | :દેરિદા આ સંજ્ઞાને તત્ત્વવિચારકેન્દ્રિતા સામે પ્રયોજે છે. ફ્રેન્ચ શબ્દ differer પરથી ઘડી કાઢેલી આ સંજ્ઞાના બે અર્થ થાય છે : (૧) to differ, be different from વ્યતિરેક કરવો, અન્યથી ભેદ કરવો અને (૨) to defer, postpone, delay વ્યાક્ષેપ કરે. મુલતવી રાખવું, વિલંબ કરવો. differAnceના બંને અર્થ જરૂરી છે, કારણ કે કોઈ પણ ભાષા-ઘટકનું કાર્ય કે એનો અર્થ ક્યારેય સંપૂર્ણ હોતાં નથી. અને આગળ પાછળના નિર્દેશ માટે અન્ય ભાષાઘટકોમાં સાહચર્ય પર નિર્ભર રહેવું પડે. તેથી વ્યાક્ષેપ કે વિલંબને અવકાશ છે. સાથે સાથે એક ભાષાઘટક તરીકે એનું અસ્તિત્વ અન્ય ઘટકોથી થતા એના વ્યતિરેક પર આધારિત છે. એક ઉદાહરણ લઈએ, કાવ્યમાં ‘નદી’ આવે તો ‘નદી’ એટલે ‘વૃક્ષ’ નહિ, ‘રેતી’ નહિ, ‘ખુરશી’ નહિ, ‘ઘોડો’ નહિ, ‘નદી’ એટલે નદી સિવાય કાંઈ જ નહિ. અન્ય સર્વ સંકેતોથી એનો વ્યતિરેક, પરંતુ આ ‘નદી’ કાવ્યમાં આગળ વધે એટલે આપણને ધીરે ધીરે ખબર પડે કે વાસ્તવમાં જે ‘નદી’ જોઈએ છીએ તે આ ‘નદી’ નથી. એને કાવ્યમાં બીજું કશુંક બનવું પડે છે, આથી સંકેતમાં અડધો સંકેત જે એ નથી તેનો છે અને બાકીનો અડધો સંકેત જે એમાં નથી તેનો છે. આમ પ્રત્યેક સંકેતમાં વ્યતિરેક અને વ્યાક્ષેપનાં બે બળ હાજર છે. | ||
દેરિદા આ સંજ્ઞાને તત્ત્વવિચારકેન્દ્રિતા સામે પ્રયોજે છે. ફ્રેન્ચ શબ્દ differer પરથી ઘડી કાઢેલી આ સંજ્ઞાના બે અર્થ થાય છે : (૧) to differ, be different from વ્યતિરેક કરવો, અન્યથી ભેદ કરવો અને (૨) to defer, postpone, delay વ્યાક્ષેપ કરે. મુલતવી રાખવું, વિલંબ કરવો. differAnceના બંને અર્થ જરૂરી છે, કારણ કે કોઈ પણ ભાષા-ઘટકનું કાર્ય કે એનો અર્થ ક્યારેય સંપૂર્ણ હોતાં નથી. અને આગળ પાછળના નિર્દેશ માટે અન્ય ભાષાઘટકોમાં સાહચર્ય પર નિર્ભર રહેવું પડે. તેથી વ્યાક્ષેપ કે વિલંબને અવકાશ છે. સાથે સાથે એક ભાષાઘટક તરીકે એનું અસ્તિત્વ અન્ય ઘટકોથી થતા એના વ્યતિરેક પર આધારિત છે. એક ઉદાહરણ લઈએ, કાવ્યમાં ‘નદી’ આવે તો ‘નદી’ એટલે ‘વૃક્ષ’ નહિ, ‘રેતી’ નહિ, ‘ખુરશી’ નહિ, ‘ઘોડો’ નહિ, ‘નદી’ એટલે નદી સિવાય કાંઈ જ નહિ. અન્ય સર્વ સંકેતોથી એનો વ્યતિરેક, પરંતુ આ ‘નદી’ કાવ્યમાં આગળ વધે એટલે આપણને ધીરે ધીરે ખબર પડે કે વાસ્તવમાં જે ‘નદી’ જોઈએ છીએ તે આ ‘નદી’ નથી. એને કાવ્યમાં બીજું કશુંક બનવું પડે છે, આથી સંકેતમાં અડધો સંકેત જે એ નથી તેનો છે અને બાકીનો અડધો સંકેત જે એમાં નથી તેનો છે. આમ પ્રત્યેક સંકેતમાં વ્યતિરેક અને વ્યાક્ષેપનાં બે બળ હાજર | '''Dirge શોકગીત, મરશિયું''' | ||
Dirge શોકગીત, મરશિયું | :મૃત વિશે શોક અભિવ્યક્ત કરતું ગીત યા ઊર્મિકાવ્ય. જેમકે, રાવજી પટેલનું કાવ્ય ‘સ્વ. હુંશીલાલની યાદમાં.’ | ||
મૃત વિશે શોક અભિવ્યક્ત કરતું ગીત યા ઊર્મિકાવ્ય. જેમકે, રાવજી પટેલનું કાવ્ય ‘સ્વ. હુંશીલાલની યાદમાં.’ | '''Discourse પ્રોક્તિ, વાક્યબંધ''' | ||
Discourse પ્રોક્તિ, વાક્યબંધ | :કોઈ ચોક્કસ હેતુની સિદ્ધિ માટે પ્રયોજાયેલાં વિશિષ્ટ સંકેતો કે ઉચ્ચારણોની શ્રેણી, આધુનિક સમાજભાષાવિજ્ઞાન, શૈલીવિજ્ઞાન, સંરચનાવાદી સાહિત્ય-વિચાર, પાઠવ્યાકરણ વગેરેમાં આ સંજ્ઞા વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ભાષા-વિજ્ઞાનમાં વાક્ય, જ ભાષાવૈજ્ઞાનિક વિશ્લેષણનું અંતિમ ધ્યેય મનાતું રહ્યું છે. આથી ભાષાવિજ્ઞાનમાં વાક્ય-કેન્દ્રિત વ્યાકરણનું પ્રાધાન્ય રહ્યું છે. પરંતુ હવે ભાષાવિજ્ઞાનીઓ એવું માનવા લાગ્યા છે કે ભાષાના એકમોના સ્વરૂપનિર્ધારણ માટે આપણે વાક્યની સીમા ઓળંગવી પડશે. આનું ઉત્તમ ઉદાહરણ સર્વનામ છે. | ||
કોઈ ચોક્કસ હેતુની સિદ્ધિ માટે પ્રયોજાયેલાં વિશિષ્ટ સંકેતો કે ઉચ્ચારણોની શ્રેણી, આધુનિક સમાજભાષાવિજ્ઞાન, શૈલીવિજ્ઞાન, સંરચનાવાદી સાહિત્ય-વિચાર, પાઠવ્યાકરણ વગેરેમાં આ સંજ્ઞા વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ભાષા-વિજ્ઞાનમાં વાક્ય, જ ભાષાવૈજ્ઞાનિક વિશ્લેષણનું અંતિમ ધ્યેય મનાતું રહ્યું છે. આથી ભાષાવિજ્ઞાનમાં વાક્ય-કેન્દ્રિત વ્યાકરણનું પ્રાધાન્ય રહ્યું છે. પરંતુ હવે ભાષાવિજ્ઞાનીઓ એવું માનવા લાગ્યા છે કે ભાષાના એકમોના સ્વરૂપનિર્ધારણ માટે આપણે વાક્યની સીમા ઓળંગવી પડશે. આનું ઉત્તમ ઉદાહરણ સર્વનામ છે. | :સર્વનામ નક્કી કરવા માટે વાક્યથી આગળના એકમ ‘વાક્યબંધ’ સુધી જવું આવશ્યક છે. વાક્યબંધને એકથી વધુ વાક્યોનો માત્ર ગુચ્છ ન માની શકાય, એમાં એક પ્રકારની આંતરિક અન્વિતિ હોય છે. આંતરિક અન્વિતિથી યુક્ત વાક્યસમષ્ટિના રૂપમાં વાક્યબંધ પોતાનાં ઘટકવાક્યોના અલગ અલગ અર્થોના કુલ સરવાળાથી કંઈક વધુ હોય છે, જો વાક્યબંધ સાહિત્યિક હોય તે સૌંદર્યગુણોની સમષ્ટિની સાથોસાથ એમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિમાણો પણ સંલગ્ન હોય છે. તોદોરોવ, વૅન ડિક જેવા વિદ્વાનો આ વિચારના પુરસ્કર્તાઓ છે. | ||
સર્વનામ નક્કી કરવા માટે વાક્યથી આગળના એકમ ‘વાક્યબંધ’ સુધી જવું આવશ્યક છે. વાક્યબંધને એકથી વધુ વાક્યોનો માત્ર ગુચ્છ ન માની શકાય, એમાં એક પ્રકારની આંતરિક અન્વિતિ હોય છે. આંતરિક અન્વિતિથી યુક્ત વાક્યસમષ્ટિના રૂપમાં વાક્યબંધ પોતાનાં ઘટકવાક્યોના અલગ અલગ અર્થોના કુલ સરવાળાથી કંઈક વધુ હોય છે, જો વાક્યબંધ સાહિત્યિક હોય તે સૌંદર્યગુણોની સમષ્ટિની સાથોસાથ એમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિમાણો પણ સંલગ્ન હોય છે. તોદોરોવ, વૅન ડિક જેવા વિદ્વાનો આ વિચારના પુરસ્કર્તાઓ છે. | '''Disinterestedness in Criticism વિવેચનમાં તાટસ્થ્ય''' | ||
Disinterestedness in Criticism વિવેચનમાં તાટસ્થ્ય | :મૅથ્યૂ આર્નલ્ડના વિવેચનવિચારની આ મહત્ત્વની સંજ્ઞા છે. આર્નલ્ડ જ્ઞાનની બધી શાખાઓના એવા અભ્યાસની શક્યતાઓ તપાસે છે, જેનો હેતુ પદાર્થને યથાતથ રીતે પામવાનો હોય. એમના મત મુજબ સાહિત્યનો અભ્યાસ વિવેચકના વસ્તુલક્ષી દૃષ્ટિકોણ પર આધાર રાખે છે. | ||
મૅથ્યૂ આર્નલ્ડના વિવેચનવિચારની આ મહત્ત્વની સંજ્ઞા છે. આર્નલ્ડ જ્ઞાનની બધી શાખાઓના એવા અભ્યાસની શક્યતાઓ તપાસે છે, જેનો હેતુ પદાર્થને યથાતથ રીતે પામવાનો હોય. એમના મત મુજબ સાહિત્યનો અભ્યાસ વિવેચકના વસ્તુલક્ષી દૃષ્ટિકોણ પર આધાર રાખે છે. | '''Dissemination પ્રસારણ''' | ||
Dissemination પ્રસારણ | :સાહિત્યનો પરંપરાનો સિદ્ધાન્ત ‘અનુકરણ’નો છે, તો વિનિર્મિતિ સિદ્ધાન્ત ‘કૃતિત્વ’નો છે. કૃતિના ફલક પરથી અંતહીન અર્થો પ્રસારિત થયા કરતા હોય છે. વિનિર્મિતિ સિદ્ધાન્તમાં સત્યને બદલે આવા પ્રસારણે સ્થાન લીધું છે. | ||
સાહિત્યનો પરંપરાનો સિદ્ધાન્ત ‘અનુકરણ’નો છે, તો વિનિર્મિતિ સિદ્ધાન્ત ‘કૃતિત્વ’નો છે. કૃતિના ફલક પરથી અંતહીન અર્થો પ્રસારિત થયા કરતા હોય છે. વિનિર્મિતિ સિદ્ધાન્તમાં સત્યને બદલે આવા પ્રસારણે સ્થાન લીધું છે. | '''Dissociation of Sensibility સંવેદનાનું વિયોજન''' | ||
Dissociation of Sensibility સંવેદનાનું વિયોજન | :ટી. એસ. એલિયટ દ્વારા પ્રચલિત સંજ્ઞા. જ્યારે કવિનો વિચાર ભાવમાં રૂપાંતરિત ન થાય તો સંવેદનાનું વિયોજન જન્મે છે. ૧૭મી સદીના કવિઓ અને નાટ્યકારોમાં એલિયટને સંવેદનાના વિયોજનનો દોષ જણાયો છે. આ કાવ્યો વિચારપ્રધાન છે. એલિયટના મત મુજબ કવિતામાં વિચારનું ભાવમય રસાયણ સિદ્ધ થવું જોઈએ. | ||
ટી. એસ. એલિયટ દ્વારા પ્રચલિત સંજ્ઞા. જ્યારે કવિનો વિચાર ભાવમાં રૂપાંતરિત ન થાય તો સંવેદનાનું વિયોજન જન્મે છે. ૧૭મી સદીના કવિઓ અને નાટ્યકારોમાં એલિયટને સંવેદનાના વિયોજનનો દોષ જણાયો છે. આ કાવ્યો વિચારપ્રધાન છે. એલિયટના મત મુજબ કવિતામાં વિચારનું ભાવમય રસાયણ સિદ્ધ થવું જોઈએ. | '''Dissonance શ્રુતિવૈષમ્ય''' | ||
Dissonance શ્રુતિવૈષમ્ય | :લયાત્મક તરેહો અને શબ્દોમાં કર્કશ ધ્વનિઓની ગોઠવણી. કૃતિમાં કાવ્યાત્મક અસર ઊભી કરવા માટે પ્રયોજાતું એક સર્વ સામાન્ય ઉપકરણ. | ||
લયાત્મક તરેહો અને શબ્દોમાં કર્કશ ધ્વનિઓની ગોઠવણી. કૃતિમાં કાવ્યાત્મક અસર ઊભી કરવા માટે પ્રયોજાતું એક સર્વ સામાન્ય ઉપકરણ. | :પ્રેમાનંદનાં આખ્યાનોમાં આવતાં યુદ્ધવર્ણનોમાં આનો વિનિયોગ જોઈ શકાય છે. જેમકે, | ||
પ્રેમાનંદનાં આખ્યાનોમાં આવતાં યુદ્ધવર્ણનોમાં આનો વિનિયોગ જોઈ શકાય છે. જેમકે, | {{Block center|'''<poem>“ભડાભડ ગદા કેરા ભટકા ઝડાઝડ થાયે ખડ્ગના ઝટકા | ||
“ભડાભડ ગદા કેરા ભટકા ઝડાઝડ થાયે ખડ્ગના ઝટકા | |||
વાધી રાઢ મંડાયો થંધ વઢે શિશવિહોણા કબંધ” | વાધી રાઢ મંડાયો થંધ વઢે શિશવિહોણા કબંધ” | ||
(‘અભિમન્યુ આખ્યાન’, કડવું ૪૭/૩) | {{right|(‘અભિમન્યુ આખ્યાન’, કડવું ૪૭/૩)}}</poem>'''}} | ||
Documentary દસ્તાવેજી | '''Documentary દસ્તાવેજી''' | ||
સાહિત્યક્ષેત્રે જીવનના વાસ્તવિક પ્રસંગો, દસ્તાવેજો, તથ્યોને આધારે સાહિત્યકૃતિ રચવાનું પણ એક વલણ છે. આને આધારે પ્રગટ થયેલી દસ્તાવેજી શૈલીનું વાસ્તવવાદી સાહિત્યસર્જનમાં મહત્ત્વનું પ્રદાન છે. કથાલેખનમાં કલ્પના અને વાસ્તવને પરસ્પરની વધુ નજીક લાવતું આ વલણ આધુનિક ચલચિત્રોમાં પણ મહત્ત્વનું સ્થાન પામ્યું છે. રઘુવીર ચૌધરીકૃત ‘કથાત્રયી’માં દસ્તાવેજી શૈલીના આધારે જોવા મળે છે. | :સાહિત્યક્ષેત્રે જીવનના વાસ્તવિક પ્રસંગો, દસ્તાવેજો, તથ્યોને આધારે સાહિત્યકૃતિ રચવાનું પણ એક વલણ છે. આને આધારે પ્રગટ થયેલી દસ્તાવેજી શૈલીનું વાસ્તવવાદી સાહિત્યસર્જનમાં મહત્ત્વનું પ્રદાન છે. કથાલેખનમાં કલ્પના અને વાસ્તવને પરસ્પરની વધુ નજીક લાવતું આ વલણ આધુનિક ચલચિત્રોમાં પણ મહત્ત્વનું સ્થાન પામ્યું છે. રઘુવીર ચૌધરીકૃત ‘કથાત્રયી’માં દસ્તાવેજી શૈલીના આધારે જોવા મળે છે. | ||
Dogma મતાગ્રહ | '''Dogma મતાગ્રહ''' | ||
જે સ્વીકારીને જ ચાલવાની હોય અને જેની સામે દલીલ કરવાની ન હોય એ રીતે રજૂ થતી માન્યતાઓ. | :જે સ્વીકારીને જ ચાલવાની હોય અને જેની સામે દલીલ કરવાની ન હોય એ રીતે રજૂ થતી માન્યતાઓ. | ||
Domestic Tragedy કૌટુંમ્બિક કરુણાન્તિકા | '''Domestic Tragedy કૌટુંમ્બિક કરુણાન્તિકા''' | ||
કારુણ્યના અંગત અને ઘરગથ્થુ તત્ત્વો પર કેન્દ્રિત થયેલું મધ્યમવર્ગીય જીવન વિશેનું નાટક, રાજાઓ, રાજકુમારો વગેરે સાથે સંકળાયેલી ભવ્ય શૈલીનાં કરુણાન્ત નાટકોથી આ અલગ પ્રકારનું નાટ્યસ્વરૂપ છે. યુજિન ઓનીલ, ઈબ્સન, ટેનિસી વિલ્યમ્ઝ વગેરેનાં કેટલાંક નાટકો આ પ્રકારનાં છે. | :કારુણ્યના અંગત અને ઘરગથ્થુ તત્ત્વો પર કેન્દ્રિત થયેલું મધ્યમવર્ગીય જીવન વિશેનું નાટક, રાજાઓ, રાજકુમારો વગેરે સાથે સંકળાયેલી ભવ્ય શૈલીનાં કરુણાન્ત નાટકોથી આ અલગ પ્રકારનું નાટ્યસ્વરૂપ છે. યુજિન ઓનીલ, ઈબ્સન, ટેનિસી વિલ્યમ્ઝ વગેરેનાં કેટલાંક નાટકો આ પ્રકારનાં છે. | ||
Double Decker Novel દ્વિખંડ નવલકથા | '''Double Decker Novel દ્વિખંડ નવલકથા''' | ||
બે ભાગમાં પ્રગટ કરવામાં આવી હોય એવી અત્યંત લાંબી નવલથા માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. | :બે ભાગમાં પ્રગટ કરવામાં આવી હોય એવી અત્યંત લાંબી નવલથા માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. | ||
‘ઓથાર’ (અશ્વિની ભટ્ટ). કુલ ૧૪૦૦ પૃષ્ઠની આ નવલકથા બે ભાગમાં પ્રગટ થઈ છે. | :‘ઓથાર’ (અશ્વિની ભટ્ટ). કુલ ૧૪૦૦ પૃષ્ઠની આ નવલકથા બે ભાગમાં પ્રગટ થઈ છે. | ||
Drama નાટક | '''Drama નાટક''' | ||
અભિનેતાઓ પાત્ર ભજવે, સૂચિત કાર્ય કરે અને સંવાદો બોલે એવું રંગમંચ માટે તૈયાર કરેલું સાહિત્યસ્વરૂપ, સાહિત્યના ત્રણ મૂળભૂત પ્રકાર (Basic genres)માં ઊર્મિકાવ્ય ભાષા પરત્વેની અભિવ્યક્તિશીલ અભિવૃત્તિને, મહાકાવ્ય પ્રતિનિધાનશીલ અભિવૃત્તિને અને નાટક પ્રતિભાવશીલ અભિવૃત્તિને સ્વીકારીને ચાલે છે. | :અભિનેતાઓ પાત્ર ભજવે, સૂચિત કાર્ય કરે અને સંવાદો બોલે એવું રંગમંચ માટે તૈયાર કરેલું સાહિત્યસ્વરૂપ, સાહિત્યના ત્રણ મૂળભૂત પ્રકાર (Basic genres)માં ઊર્મિકાવ્ય ભાષા પરત્વેની અભિવ્યક્તિશીલ અભિવૃત્તિને, મહાકાવ્ય પ્રતિનિધાનશીલ અભિવૃત્તિને અને નાટક પ્રતિભાવશીલ અભિવૃત્તિને સ્વીકારીને ચાલે છે. | ||
નાટકમાં કોઈ સીધું પ્રત્યાયન નથી કરતું. પાત્રો એકબીજાને પ્રત્યાયન કરે છે અને નાટકનાં પાત્રોના એકબીજાને થતા પ્રત્યાયન દ્વારા સમગ્ર નાટકનું આડકતરી રીતે પ્રત્યાયન થાય છે. બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે નાટકમાં પ્રત્યાયનો દ્વારા પ્રત્યાયન થાય છે. | :નાટકમાં કોઈ સીધું પ્રત્યાયન નથી કરતું. પાત્રો એકબીજાને પ્રત્યાયન કરે છે અને નાટકનાં પાત્રોના એકબીજાને થતા પ્રત્યાયન દ્વારા સમગ્ર નાટકનું આડકતરી રીતે પ્રત્યાયન થાય છે. બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે નાટકમાં પ્રત્યાયનો દ્વારા પ્રત્યાયન થાય છે. | ||
Dramatic નાટ્યાત્મક | '''Dramatic નાટ્યાત્મક''' | ||
સ્વાભાવિક નહિ એવું. કોઈ પણ પરિસ્થિતિ કે વક્તવ્યને ને સાહજિક રીતે રજૂ ન કરતાં નાટ્યની શૈલીનો ઉપયોગ કરીને રજૂ કરવું. | :સ્વાભાવિક નહિ એવું. કોઈ પણ પરિસ્થિતિ કે વક્તવ્યને ને સાહજિક રીતે રજૂ ન કરતાં નાટ્યની શૈલીનો ઉપયોગ કરીને રજૂ કરવું. | ||
કોઈ ઘટના સ્વાભાવિક રીતે ન ઘટે તો તેને નાટ્યાત્મક કહેવાય. જેમકે, અમુક ઘટનાએ લીધેલો નાટ્યાત્મક વળાંક. | :કોઈ ઘટના સ્વાભાવિક રીતે ન ઘટે તો તેને નાટ્યાત્મક કહેવાય. જેમકે, અમુક ઘટનાએ લીધેલો નાટ્યાત્મક વળાંક. | ||
Dramatic Irony નાટ્યાત્મક વ્યંગોક્તિ | '''Dramatic Irony નાટ્યાત્મક વ્યંગોક્તિ''' | ||
જ્યારે પ્રેક્ષકો રંગમંચ પરની પરિસ્થિતિનો અર્થ અને તેના સૂચિતાર્થો સમજી શકે અને પાત્રો તે પામી શકતાં ન હોય તેને નાટ્યાત્મક વ્યંગોક્તિ કહે છે. આવું સુખાન્ત અને કરુણાન્ત નાટકોમાં સહજ છે. | :જ્યારે પ્રેક્ષકો રંગમંચ પરની પરિસ્થિતિનો અર્થ અને તેના સૂચિતાર્થો સમજી શકે અને પાત્રો તે પામી શકતાં ન હોય તેને નાટ્યાત્મક વ્યંગોક્તિ કહે છે. આવું સુખાન્ત અને કરુણાન્ત નાટકોમાં સહજ છે. | ||
Dramatic Lyric નાટ્યાત્મક ઊર્મિકાવ્ય, નાટ્યોર્મિકાવ્ય | '''Dramatic Lyric નાટ્યાત્મક ઊર્મિકાવ્ય, નાટ્યોર્મિકાવ્ય''' | ||
બ્રાઉનિંગે એની પોતાની નાટ્યાત્મક એકોક્તિવાળી કાવ્યરચનાઓ માટે આ સંજ્ઞા વાપરેલી, બ્રાઉનિંગે આ રચનાઓ ૧૮૪૨માં કરી. આ સ્વરૂપમાં એને સારી સિદ્ધિ મળી. અહીં એક જ પાત્ર એની ઉક્તિમાં એનું પોતાનું વ્યક્તિત્વ અને એની વિશિષ્ટ નાટ્યાત્મક પરિસ્થિતિને પ્રગટ કરે છે. | :બ્રાઉનિંગે એની પોતાની નાટ્યાત્મક એકોક્તિવાળી કાવ્યરચનાઓ માટે આ સંજ્ઞા વાપરેલી, બ્રાઉનિંગે આ રચનાઓ ૧૮૪૨માં કરી. આ સ્વરૂપમાં એને સારી સિદ્ધિ મળી. અહીં એક જ પાત્ર એની ઉક્તિમાં એનું પોતાનું વ્યક્તિત્વ અને એની વિશિષ્ટ નાટ્યાત્મક પરિસ્થિતિને પ્રગટ કરે છે. | ||
Dramatic Poetry પદ્યનાટક | '''Dramatic Poetry પદ્યનાટક''' | ||
નાટ્યાત્મક સ્વરૂપને અખત્યાર કરતી કવિતા માટે આ સંજ્ઞા વપરાય છે અને એનો અર્થવિસ્તાર થતાં આ સંજ્ઞા ગદ્ય-પદ્યમાં લખાયેલાં નાટકોને પણ લાગુ પડે છે. ૫દ્યનાટકમાં આવતું પદ્યનું તત્ત્વ એ આગંતુક નહીં પણ એનું અંતર્ગત તત્ત્વ છે. પદ્યનાટકકારો માને છે કે પદ્યનો સમુચિત પ્રયોગ કાવ્યાત્મક સઘનતા સાધવામાં અત્યંત સહાયરૂપ બને છે. પદ્ય વિવિધ સ્તરે લયસિદ્ધિ પ્રાપ્ત કરે છે. વીસમી સદીમાં કવિઓએ ‘કહેવા’ કરતાં ‘દર્શાવવા’ તરફનું વિશેષ વલણ અપનાવ્યું હોવાથી તેઓ નાટ્યાત્મકતા તરફ વળ્યા છે. પાત્રો દ્વારા કે ‘મનોગત એકોક્તિ’ દ્વારા તેમણે અભિવ્યક્ત થવાનું સ્વીકાર્યું છે. એલિયટ તેના મુખ્ય પુરસ્કર્તા છે. આપણે ત્યાં ઉમાશંકર જોશીના ‘મહાપ્રસ્થાન’માં અને ચિનુ મોદીના ‘ડાયલના પંખી’માં આ પ્રકારના પદ્યનાટકના પ્રયોગો જોઈ શકાય છે. | :નાટ્યાત્મક સ્વરૂપને અખત્યાર કરતી કવિતા માટે આ સંજ્ઞા વપરાય છે અને એનો અર્થવિસ્તાર થતાં આ સંજ્ઞા ગદ્ય-પદ્યમાં લખાયેલાં નાટકોને પણ લાગુ પડે છે. ૫દ્યનાટકમાં આવતું પદ્યનું તત્ત્વ એ આગંતુક નહીં પણ એનું અંતર્ગત તત્ત્વ છે. પદ્યનાટકકારો માને છે કે પદ્યનો સમુચિત પ્રયોગ કાવ્યાત્મક સઘનતા સાધવામાં અત્યંત સહાયરૂપ બને છે. પદ્ય વિવિધ સ્તરે લયસિદ્ધિ પ્રાપ્ત કરે છે. વીસમી સદીમાં કવિઓએ ‘કહેવા’ કરતાં ‘દર્શાવવા’ તરફનું વિશેષ વલણ અપનાવ્યું હોવાથી તેઓ નાટ્યાત્મકતા તરફ વળ્યા છે. પાત્રો દ્વારા કે ‘મનોગત એકોક્તિ’ દ્વારા તેમણે અભિવ્યક્ત થવાનું સ્વીકાર્યું છે. એલિયટ તેના મુખ્ય પુરસ્કર્તા છે. આપણે ત્યાં ઉમાશંકર જોશીના ‘મહાપ્રસ્થાન’માં અને ચિનુ મોદીના ‘ડાયલના પંખી’માં આ પ્રકારના પદ્યનાટકના પ્રયોગો જોઈ શકાય છે. | ||
Dramatization નાટ્ય રૂપાન્તર, નાટકીકરણ | '''Dramatization નાટ્ય રૂપાન્તર, નાટકીકરણ''' | ||
ઇતિવૃત્ત, નવલકથા, ટૂંકી વાર્તા કે એવા કોઈ અન્ય સાહિત્યસ્વરૂપમાં રહેલી કથાનું નાટકમાં રૂપાન્તર કરવાની કલા. જેમકે, યુરોપમાં મધ્યકાલીન નાટકમાં બાઈબલનું રહસ્ય નાટકોમાં રૂપાન્તર થયું છે. આપણે ત્યાં નવલકથા ‘સરસ્વતીચન્દ્ર’નું નાટ્યરૂપાન્તર થયું છે. | :ઇતિવૃત્ત, નવલકથા, ટૂંકી વાર્તા કે એવા કોઈ અન્ય સાહિત્યસ્વરૂપમાં રહેલી કથાનું નાટકમાં રૂપાન્તર કરવાની કલા. જેમકે, યુરોપમાં મધ્યકાલીન નાટકમાં બાઈબલનું રહસ્ય નાટકોમાં રૂપાન્તર થયું છે. આપણે ત્યાં નવલકથા ‘સરસ્વતીચન્દ્ર’નું નાટ્યરૂપાન્તર થયું છે. | ||
Dramaturgy નાટકકાર, નાટ્યપ્રયોગકલા | '''Dramaturgy નાટકકાર, નાટ્યપ્રયોગકલા''' | ||
નાટકકાર માટે પણ, અને નાટ્યસર્જન તેમ જ નાટ્યપ્રયોગની મંચનકલા માટે પણ આ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. લેખન, દિગ્દર્શન, વેશભૂષા જેવાં નાટ્યનાં સર્જન અને મંચનના મોટા ભાગનાં પાસાંઓનો આમાં સમાવેશ થાય છે. | :નાટકકાર માટે પણ, અને નાટ્યસર્જન તેમ જ નાટ્યપ્રયોગની મંચનકલા માટે પણ આ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. લેખન, દિગ્દર્શન, વેશભૂષા જેવાં નાટ્યનાં સર્જન અને મંચનના મોટા ભાગનાં પાસાંઓનો આમાં સમાવેશ થાય છે. | ||
Dream-Allegory સ્વપ્ન-રૂપક કથા | '''Dream-Allegory સ્વપ્ન-રૂપક કથા''' | ||
મધ્યકાલીન અંગ્રેજ કવિઓ દ્વારા સર્જાયેલું રૂઢ નિરૂપણાત્મક સ્વરૂપ નિરૂપક (narrator) નિદ્રાધીન થાય છે અને સ્વપ્નસૃષ્ટિમાં સરી પડે છે, જે સ્વપ્નો તે જુએ છે તે રૂપકનો જ એક ભાગ હોય છે. ૧૩મી સદીમાં ફ્રેન્ચ ભાષામાં લખાયેલ ‘Romen de la Rose’ આ પ્રકારનું ઉદાહરણ છે. મધ્યકાળ પછી આ સ્વરૂપનું મહત્ત્વ ઓછું થયું પણ સપૂર્ણપણે લુપ્ત થયું નહિ. આધુનિક કાળ પર્યંત આ સ્વરૂપ એક યા બીજી રીતે સર્જાતું રહ્યું છે. જેમ્સ જોય્સની નવલકથા ‘finnagans wake’ કે ગુજરાતીમાં રાધેશ્યામ શર્માની ‘સ્વપ્નતીર્થ’ જેવી નવલકથા આ સ્વરૂપના નિદર્શનરૂપ છે. | :મધ્યકાલીન અંગ્રેજ કવિઓ દ્વારા સર્જાયેલું રૂઢ નિરૂપણાત્મક સ્વરૂપ નિરૂપક (narrator) નિદ્રાધીન થાય છે અને સ્વપ્નસૃષ્ટિમાં સરી પડે છે, જે સ્વપ્નો તે જુએ છે તે રૂપકનો જ એક ભાગ હોય છે. ૧૩મી સદીમાં ફ્રેન્ચ ભાષામાં લખાયેલ ‘Romen de la Rose’ આ પ્રકારનું ઉદાહરણ છે. મધ્યકાળ પછી આ સ્વરૂપનું મહત્ત્વ ઓછું થયું પણ સપૂર્ણપણે લુપ્ત થયું નહિ. આધુનિક કાળ પર્યંત આ સ્વરૂપ એક યા બીજી રીતે સર્જાતું રહ્યું છે. જેમ્સ જોય્સની નવલકથા ‘finnagans wake’ કે ગુજરાતીમાં રાધેશ્યામ શર્માની ‘સ્વપ્નતીર્થ’ જેવી નવલકથા આ સ્વરૂપના નિદર્શનરૂપ છે. | ||
Droll વિહાસિકા | '''Droll વિહાસિકા''' | ||
મોટે ભાગે નૃત્ય તેમ જ સંગીત સાથે રજૂ થતો રમૂજી નાટ્યાત્મક ટુકડો. ઈ. સ. ૧૬૪૯-૬૦માં જ્યારે નાટ્યગૃહો બંધ કરવામાં આવ્યા હતાં, ત્યારે મેળાવડાઓમાં આવા ટુકડાઓ રજૂ કરવામાં આવતા હતા. આ પ્રકારની વિહાસિકાઓ શુદ્ધિવાદીઓના (puritans) પ્રતિબંધમાંથી છટકવાનાં સૂક્ષ્મ સાધનો હતી. નવી દિલ્હીમાં કટોકટી દરમ્યાન કેટલાંક ‘નુક્કડ-નાટકો’ ભજવાયાં હતાં તેનું સ્વરૂપ વિહાસિકાની નજીકનું છે. | :મોટે ભાગે નૃત્ય તેમ જ સંગીત સાથે રજૂ થતો રમૂજી નાટ્યાત્મક ટુકડો. ઈ. સ. ૧૬૪૯-૬૦માં જ્યારે નાટ્યગૃહો બંધ કરવામાં આવ્યા હતાં, ત્યારે મેળાવડાઓમાં આવા ટુકડાઓ રજૂ કરવામાં આવતા હતા. આ પ્રકારની વિહાસિકાઓ શુદ્ધિવાદીઓના (puritans) પ્રતિબંધમાંથી છટકવાનાં સૂક્ષ્મ સાધનો હતી. નવી દિલ્હીમાં કટોકટી દરમ્યાન કેટલાંક ‘નુક્કડ-નાટકો’ ભજવાયાં હતાં તેનું સ્વરૂપ વિહાસિકાની નજીકનું છે. | ||
Duologue દ્વિ-સંવાદ | '''Duologue દ્વિ-સંવાદ''' | ||
નાટક, કથા કે કવિતામાં બે પાત્રો વચ્ચેનો સંવાદ, બે પાત્ર ધરાવતી નાટ્યકૃતિ. | :નાટક, કથા કે કવિતામાં બે પાત્રો વચ્ચેનો સંવાદ, બે પાત્ર ધરાવતી નાટ્યકૃતિ. | ||
Duration સમયાવધિ, ગાળો | '''Duration સમયાવધિ, ગાળો''' | ||
સમયાવધિ એ ઉચ્ચારિત શબ્દનું સ્વરમાન (pitch) ઉચ્ચસ્વરતા (loud-ness), અને ધ્વનિગુણ (quality) ઉપરાંતનું ચોથું લક્ષણ છે. કવિતામાં શબ્દ કે અક્ષરનો સમયાવધિ એટલે કે એમનું ધ્વન્યાત્મક સમયમૂલ્ય (phonetic time value) મહત્ત્વનું છે. આ પ્રકારના સમયાવધિ કાવ્યમાં કેટલીક સૂક્ષ્મ અસર ઊભી કરવામાં મદદ કરે છે. | :સમયાવધિ એ ઉચ્ચારિત શબ્દનું સ્વરમાન (pitch) ઉચ્ચસ્વરતા (loud-ness), અને ધ્વનિગુણ (quality) ઉપરાંતનું ચોથું લક્ષણ છે. કવિતામાં શબ્દ કે અક્ષરનો સમયાવધિ એટલે કે એમનું ધ્વન્યાત્મક સમયમૂલ્ય (phonetic time value) મહત્ત્વનું છે. આ પ્રકારના સમયાવધિ કાવ્યમાં કેટલીક સૂક્ષ્મ અસર ઊભી કરવામાં મદદ કરે છે. | ||
Dustbin drama કચરાપેટી નાટક | '''Dustbin drama કચરાપેટી નાટક''' | ||
કચરાપેટીમાં રહેતાં બે પાત્રવાળા બૅકિટના ‘એન્ડગેઈમ’ (૧૯૫૮) નાટક પરથી ઊતરી આવેલી આ સંજ્ઞા ગોબરા પરિવેશ અને દુર્ગમ કથાનકવાળા કેટલાંક આધુનિક નાટકો માટે વપરાય છે. | :કચરાપેટીમાં રહેતાં બે પાત્રવાળા બૅકિટના ‘એન્ડગેઈમ’ (૧૯૫૮) નાટક પરથી ઊતરી આવેલી આ સંજ્ઞા ગોબરા પરિવેશ અને દુર્ગમ કથાનકવાળા કેટલાંક આધુનિક નાટકો માટે વપરાય છે. | ||
Dystopia દુષ્કલ્પલોક | '''Dystopia દુષ્કલ્પલોક''' | ||
કલ્પલોકની વિરુદ્ધની સંજ્ઞા, આપણા જગત કરતાં પણ બદતર જગતની કલ્પના એમાં સૂચિત છે. ઑલ્ડસ હકઝલીનું ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ આનું ઉદાહરણ છે. | :કલ્પલોકની વિરુદ્ધની સંજ્ઞા, આપણા જગત કરતાં પણ બદતર જગતની કલ્પના એમાં સૂચિત છે. ઑલ્ડસ હકઝલીનું ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ આનું ઉદાહરણ છે. | ||
<br> | <br> | ||
{{ | {{HeaderNav2 | ||
|previous = | |previous = C | ||
|next = | |next = E | ||
}} | }} | ||
Latest revision as of 06:20, 22 November 2025
D
Dadaism દાદાવાદ
- દાદાવાદ ઝ્યુરિખમાં ૧૯૧૬માં જન્મ્યો. ‘દાદા’ સંજ્ઞા વિશે કહેવાય છે કે પેપરનાઈફ લઈને ફ્રેંચ જર્મન શબ્દકોશનાં વણકપાયેલાં પાનાંઓમાંથી મેળવેલો. પાનું કપાયું ત્યારે પેપરનાઈફની અણી આ દાદા સંજ્ઞા પર આવીને ઊભી રહેલી. સાહિત્યિક ઇતિહાસકારોએ આ શબ્દનાં અનેક અર્થઘટનો કર્યાં છે. આ વાદના મુખ્ય પુરસ્કર્તા જણાવે છે કે આ શબ્દ પરત્વેના મૂળ આકર્ષણનું કારણ, એ અનર્થ છે, તે છે. આ શબ્દ ન-કશું’ (Nothingness) સૂચવે છે, અને ન-કશું એ આ વાદનો મુખ્ય વિષય છે. આ ન-કશુંનો અર્થ ટ્રિસ્ટન ઝારાને મન નિષેધમૂલક નહોતો પરંતુ યાદૃચ્છિકતાની મુક્તિદાયી શક્તિના પ્રસ્થાપનનો હતો. કવિતા ન-કશું બનવા સાથે ઇતિહાસ, વિચારધારા, તૈયાર કાવ્યબાની અને સૌન્દર્ય અંગેના કલાન્ત નિયમોમાંથી છૂટકારો મેળવે છે.
- દાદાવાદની મહત્ત્વની સંજ્ઞા છે યાદૃચ્છિકતા. યાદૃચ્છિકતા સિદ્ધ કરવી ધારવા કરતાં ખૂબ કઠિન છે. કારણ કે યાદૃચ્છિકતા તરફનો કોઈપણ સરલ અભિગમ તરેહને જન્માવે છે. દાદા કવિતા રચવાની વિશિષ્ટ પદ્ધતિ છે : ન્યૂઝપેપરના શબ્દો કે વાક્યખંડોને કાપવા, હેટમાં હલાવવા અને એક પછી એક જેમ હાથમાં આવે તેમ કાગળ પર ગુંદરથી ચીપકાવતા જવાનું.
- દાદાવાદ, મૂર્ત કવિતા અને વિધિ વિશેષપરક (Algorithmic poetry) કવિતા—આ ત્રણે ઝુંબેશોએ નૈસર્ગિક ભાષાને અપારદર્શી વૈશ્વિક માધ્યમ તરીકે સ્વીકારવાનો પ્રયત્ન કર્યો. પરંતુ બધી જ ભાષાઓ ભૌગોલિક રીતે સ્થાનિક હોય છે અને એમના ધ્વનિઓમાં, શબ્દકોશ અને વ્યાકરણમાં તેમ જ સાહિત્ય સ્વરૂપોમાં ઐતિહાસિક રીતે અભિસંધિત હોય છે ચિત્રકલા શિલ્પ, નૃત્ય અને સંગીતની જેમ ભાષાને વૈશ્વિક રીતે પારદર્શક બનાવવા માટે વિવિધ પ્રવિધિઓ અખત્યાર કરવામાં આવે છે, તેથી ભાષા વિકૃત બને છે. ભાષા નવી રચાય છે પણ સમજવી અઘરી બને છે. આ વિરોધાભાસ છે, પણ દાદાવાદના મૂળમાં આ વિરોધાભાસ નિહિત છે. આથી દાદાવાદ પહેલેથી જ નિષ્ફળ જવાને સર્જાયેલો હતો. કારણ નૈસર્ગિક ભાષાને ટેકનોલોજિક સમાજના અનુભવને સમાવવાનું કહેવું એ ઓ. બી. હાર્ડિસનના શબ્દોમાં કહીએ તો પૃથ્વીને અગ્નિના પ્રતીક બનવાનું કહેવા બરાબર છે.
- ૧૯૨૦ સુધીમાં દાદાવાદ પરાવાસ્તવાદ સાથે ભળી ગયો.
Daemonization અનુશોધન
- જુઓ : Influence, the anxiety of.
Dead Metaphor મૃત રૂપકો
- ગુજરાતી ભાષામાં ‘મુખચંદ્ર’ ‘કમલનયન’ જેવા શબ્દ-પ્રયોગો એટલા સામાન્ય થઈ ગયા છે કે આપણે ઉપમેય અને ઉપમાન વચ્ચેના ભેદ અંગેની સંપ્રજ્ઞતા જાળવવાનું જ છોડી દીધું છે. આ પ્રકારના ભાષાપ્રયોગો મૃત રૂપકો કહેવાય ભાષાને ઇતિહાસ દર્શાવે છે કે મોટા ભાગના પ્રવર્તમાન શબ્દો, જેને આપણે વાચ્યાર્થમાં લઈએ છીએ તે ફરતા ભૂતકાળમાં રૂપકો હતા.
Debut વાદકાવ્ય
- કાવ્યાત્મક પ્રતિરોધનો આ એક સાધારણ પ્રકાર છે, જેમાં નૈતિકતા, રાજકારણ કે પ્રેમ વિશે વિવાદ હોય અને બે વ્યક્તિઓ, પાત્રો વચ્ચે પ્રશ્ન ચર્ચાય. કૃતિ વાદના વિષયથી આરંભાય અને પછી એમાં નાટ્યાત્મક ચર્ચાઓ આવ્યે જાયે. વાદકાવ્ય મધ્યકાલીન યુરોપીય રૂપક સાહિત્યના વિપુલ રાશિનો એક ભાગ છે.
Decadence અવનતિ કાળ
- પૂર્વેના ઉત્તમ પ્રકારના યુગની સરખામણીમાં અવનતિમાં આવી પડેલા કલા કે સાહિત્યના યુગને આ સંજ્ઞા વર્ણવે છે. આધુનિક કાળમાં, ૧૯મી સદીની પ્રતીકવાદી ફ્રેંચ કવિતાના સંદર્ભમાં આ સંજ્ઞા વપરાય છે. મોટા ભાગની ‘અવનતિ’ કાળની કવિતા વૈયક્તિક અનુભવ, આત્મવિશ્લેષણ, વિકૃતિ અને અપરિચિત સંવેદનોથી ગ્રસ્ત છે. ફ્રાન્સમાં અવનતિ કાળનો સૌથી અગ્રણી બોદલેર છે. વર્લેં સુધી પહોંચતા આ સંજ્ઞા ટીકાને બદલે પ્રશંસાના અર્થમાં ફેરવાઈ ગયેલી.
Decoding વિસંકેતક્રિયા
- સંચાર-યાંત્રિકી (communication Engineering)માંથી આવેલી સંજ્ઞા. આ પદ્ધતિ દ્વારા સંકેતોનું અર્થઘટન કરવામાં આવે છે અને તદનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. વિસંકેતક્રિયા હકીકતે તો વ્યક્તિના ભાષા-સામર્થ્ય દ્વારા જ શક્ય બને છે. સાહિત્યનું સર્જન એ એક પ્રકારની સંકેત ક્રિયા જ છે, તો એનું ભાવન એ વિસંકેતક્રિયા છે. સાહિત્યકાર જે સંકેતોનું સંહિતાકરણ (codification) કરે છે તેનું ભાવક વિસંકતક્રિયા દ્વારા અર્થઘટન કરે છે.
Deconstruction વિનિર્મિતિ
- ઝાક દેરિદાએ બતાવ્યું કે સોસૂરનો ભાષાવિચાર મૂળમાં જ યુરોપીય તત્ત્વ-વિચારથી અત્યંત પ્રભાવિત અને અભિભૂત રહ્યો છે અને તેથી યુરોપીય તત્ત્વવિચારથી અભિભૂત ભાષાવિચાર જે સંકેતવિચાર કે સાહિત્યવિચારમાં ઊભો છે એને એનાથી મુક્ત કેમ કરવો, તત્ત્વવિચારની ચૂડમાંથી એને કેમ છોડાવવો એ જ મુખ્ય પ્રશ્ન હોઈ શકે. આ માટે દેરિદાએ ઊભી કરેલી વિનિર્મિતિ અંગેની પ્રવૃત્તિ આજના વિવેચનક્ષેત્રમાં અત્યંત વિવાદાસ્પદ બની છે.
- વાણી અને લેખન આ બે શબ્દો દેરિદાની ભાષાવિચારણામાં અત્યંત મહત્ત્વના છે. દેરિદાનું માનવું છે કે ઉચ્ચારિત શબ્દને મુખ્ય અને લેખિત શબ્દને ગૌણ ગણવાની અને અર્થને સર્વોપરી ગણવાની પરંપરાગત વિચારણા તત્ત્વવિચારપરક છે, જેને દેરિદા તત્ત્વવિચાર કેન્દ્રિતા (logocentrism) ઓળખાવે છે. વળી તત્ત્વવિચારકેન્દ્રિતાના મૂળમાં ધ્વનિકેન્દ્રિતા (phonocentrism) રહેલી છે. તત્ત્વવિચારકેન્દ્રિતા અને ધ્વનિકેન્દ્રિતા બંને નાદ પર ભાર મૂકે છે. આની દેરિદા નવી સંજ્ઞા પ્રયોજે છે અને તે છે આલેખકેન્દ્રિતા (graphocentrism). પરંપરાના ઉચ્ચાવચ મૉડેલમાં વિચારો કે અર્થોનું સ્થાન શિખર બિન્દુએ છે, જ્યારે લેખનને અપકૃષ્ટ સ્વરૂપ તરીકે છેક તળિયે સમજવામાં આવે છે. પણ દેરિદાની આલેખકેન્દ્રિતાને કારણે વાણી પરથી હટીને ભાર લેખન પર આવે છે, દેરિદાની લેખન અંગેની નવી આલેખકેન્દ્રી વિભાવના ત્રણ સંકુલ શબ્દ પર આધારિત છે : વ્યતિરેક/વ્યાક્ષેપ (differance); જુઓ differAnce મૃગ (trace) જુઓ, trace; અને મૂળ લેખન (Arche writing) જુઓ, Arche writing.
- દેરિદા સ્પષ્ટ કરે છે કે સંકેતનું સ્વરૂપ સંકેતક સંકેતિતના દ્વન્દ્વથી નહિ પણ વ્યતિરેક અને વ્યાક્ષેપથી અભિસંધિત છે. એટલે કે પ્રત્યેક સંકેત અન્ય પ્રત્યેક સંકેતથી જુદો પડે છે અને પ્રત્યેક સંકેતમાં વિલંબની શક્તિ છે. કોઈ પણ સંકેત કશાક શાશ્વતને ચીંધતો નથી. એનું કોઈ નિશ્ચલ મૂલ્ય નથી. સંકેત જો કાંઈ કરી શકે તો એટલું જ કે એનામાં જેનો અભાવ હોય એની શોધમાં આપણને મોકલી શકે. આથી સંકેત એ મૃગણા છે. આમ ‘સંકેત’માં જે છે તે સંકેતમાં જે નથી એની દિશામાં ચિત્તને ગતિ આપે છે. આ અર્થમાં બધું જ ‘લેખન’ છે. દેરિદા ‘લેખન’ને મૂળ લેખન કહે છે. દેરિદા માને છે સાહિત્ય પણ એક લેખનનું સ્વરૂપ છે; મૃગણાનું ક્ષેત્ર છે. મૂળભૂત રીતે ચિત્તને સંવેદનના ક્ષેત્રમાંથી અર્થઘટનના હેતુ માટે શોધના ક્ષેત્રમાં ગતિ કરાવતા શબ્દ, પંક્તિ કે કૃતિ અંગેનો વિમર્શ તે વિવેચન, દેરિદાના સિદ્ધાન્તમાં વિવેચન “સંશય”થી શરૂ થાય છે. વિવેચક શબ્દ પંક્તિ વાર્તા કે વ્યક્તિચિત્ર ઇત્યાદિ સંકેતના દેખાવ પરથી સંશય કરે છે. એની માન્યતા એવી છે કે સંકેત એ કંઈ બીજું જ છે અને ત્યાંથી મૃગણા શરૂ થાય છે.
- આમ, વિનિર્મિતિ સિદ્ધાન્ત સાથે અનિર્ણયાત્મકતા સંકળાયેલી છે. પરંતુ એ પ્રતિતત્ત્વવિચારકેન્દ્રી દિશામાં મેળવેલી મુક્તિનો પર્યાય છે.
Decorum સમુચિતતા
- પ્રમાણ અને ઔચિત્યના સંદર્ભમાં આ સંજ્ઞાને સૌન્દર્ય સાથે સાંકળવામાં આવે છે, ગિરાલ્ડિ સિન્થિયો લખે છે : ‘સમુચિતતા બીજું કશું નથી પરંતુ રમણીયતા અને વસ્તુની સપ્રમાણતા છે, એને માત્ર કાર્યના સંદર્ભમાં નહિ પરન્તુ મનુષ્યો વચ્ચેની ઉક્તિપ્રયુક્તિ સંદર્ભે પણ મૂલવવી જોઈએ. વળી માત્ર સમગ્ર કૃતિની અખિલાઈના સંદર્ભમાં જ નહિ પરંતુ પ્રત્યેક અંગના સંદર્ભમાં એનો વિચાર થવો ઘટે’.
Deep Structure અંતરંગ સંરચના
- વાક્યની અંતરંગ સંરચના એ એના અમૂર્ત અધઃસ્થ રૂપને કહેવામાં આવે છે, જે વાક્યનો અર્થ નક્કી કરે છે. અંતરંગ સંરચના ચિત્તમાં તો વિદ્યમાન હોય છે જ, પણ ભૌતિક સંકેતમાં અનિવાર્યપણે અભિલક્ષિત થતી નથી. આધુનિક ભાષાવિજ્ઞાનનો આ મહત્ત્વનો ખ્યાલ છે. રોજર ફાવલર જેવા ભાષા વિજ્ઞાનીય અભિગમ ધરાવતા વિવેચકો સાહિત્યકૃતિના બે સ્તરો હોવાનું માને છે : અંતરંગ સ્તર અને બહિરંગ સ્તર.
Defamiliarization અપરિચિતીકરણ
- રશિયન સ્વરૂપવાદમાં વિકટર શ્ક્લોવ્સ્કી પ્રત્યક્ષ(perception)ના સિદ્ધાન્તને આગળ ધરી બતાવે છે કે ટેવવશ આપણે વિચારની ગણિતપદ્ધતિમાં સરકી જઈએ છીએ. આ ગાણિતિક ક્રિયાને કારણે વસ્તુ અંગેની અતિસ્વયંસંચાલિતતા પ્રત્યક્ષના પ્રયત્નમાં જબરદસ્ત કરકસર ચાલે છે. ટેવની આ ક્રિયા કલાકૃતિઓને, વસ્ત્રોને, ફર્નિચરને, પત્નીને અને યુદ્ધના ભયને પણ હડપ કરી જાય છે.
- આ બધાની સામે કાવ્યનો હેતુ વસ્તુઓની ઓળખ આપવાનો નહિ પણ વસ્તુઓના પ્રત્યક્ષ સાથે વસ્તુઓ અંગેનું સંવેદન આપવાનો છે. આથી સર્જક કવિ કવિતાકલાની પ્રવિધિ સાથે સંકળાયેલો રહે છે અને પ્રવિધિ દ્વારા વસ્તુઓને અપરિચિત કરે છે. આથી ભાવકને માટે વસ્તુની એના સંવેદનશીલ સ્વરૂપમાં પુનઃપ્રાપ્તિ શક્ય બને છે. ભાવક સ્વરૂપને લંબાવવાની કે કઠિન કરવાની પ્રવિધિને અનુભવે છે. આ સિદ્ધાન્તમાં કાવ્યભાષા અને રોજિંદી ભાષાનો વિરોધ સૂચિત છે.
Definitive Edition આધારભૂત આવૃત્તિ
- સર્જકની પોતાની અંતિમ, આધારભૂત વાચના, જેને તે સ્વીકૃત સંસ્કરણ (version) તરીકે લેવાય એવું ઇચ્છતો હોય અથવા એવી કોઈ પણ કૃતિ જે, જે તે વિષય પર ‘અંતિમ શબ્દ’ રૂપ લેખાતી હોય.
De-formation વિ-રૂપીકરણ
- રશિયન સ્વરૂપવાદીઓ દ્વારા પ્રચલિત સંજ્ઞા. સાહિત્યમાં, ખાસ કરીને, કાવ્યમાં શબ્દક્રમનો વ્યત્યય-વ્યુત્ક્રમ કોઈ સ્વચ્છંદતાને કારણે જન્મેલો દોષ નથી. તે પ્રયોજનપૂર્વક યોજેલું સાભિપ્રાય વિ-રૂપીકરણ છે. આમ કરવાનું પ્રયોજન વિચિત્રતા તથા કૂટતા સાધવાનું છે. આ જાતનું વિ-રૂપીકરણ વર્ણ રૂપ અને વાક્ય એમ ભાષાના દરેક અંગને સ્પર્શે છે. સ્વરૂપવાદીઓ માને છે કે ભાષા એ કાવ્ય પર ગુજારેલો સુયોજિત અત્યાચાર (organized violence) છે. એટલે જ શ્ક્લોવ્સ્કી જેવા વિવેચકો કહે છે કે કાવ્ય એ તત્ત્વતઃ પુનર્ઘટિત વિ-કૃત ભાષા છે.
Dehumuanization of Art કલાનું અમાનવીકરણ
- એડવર્ડ બ્યૂલોના ‘માનસિક અંતરાય’ (psychic distance) સિદ્ધાન્તની પરંપરામાં સ્પેનિશ-તત્ત્વજ્ઞાની ઓર્તેગાએ સર્જન અને ભાવનના સંદર્ભમાં ‘અમાનવીકરણ’નો સિદ્ધાંત રજૂ કર્યો હતો. આર્તેગા મત મુજબ ‘અમાનવીકરણ’ એ સૌન્દર્યાનુભૂતિની અનિવાર્ય શરત છે, સૌન્દર્યાનુભૂતિમાં, કલાકૃતિ અને ભાવન બંનેનું ‘અમાનવીકરણ’ અપેક્ષિત છે. કલાકૃતિના સ્તરે અમાનવીકરણ એટલે વર્ણન યા ચિત્રણનું એના વ્યાવહારિક, વાસ્તવિક સ્વરૂપથી વિચ્છેદન અને ભાવનના સ્તરે ‘અમાનવીકરણ’ એટલે કલાકૃતિના અનુભવનું વૈયક્તિતતા અને સંવેગોથી પાર્થક્ય.
Deism કેવલેશ્વરવાદ
- માત્ર નિસર્ગ અને તર્કનાં પ્રમાણોથી જ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતી વિચારધારા. આ વિચારધારાના અનુયાયીઓ ધર્મગ્રંથો અને ધર્મગુરુઓના દેવત્વનો અસ્વીકાર કરે છે. કોપરનિક્સ ગૅલલિયો, કલમ્બસ વગેરેની વૈજ્ઞાનિક શોધો બાદ આ વિચારધારાનો વિકાસ થયો. તાર્કિક દૃષ્ટિબિંદુનો પુરસ્કાર કરતા આ પ્રાકૃતિક ધર્મનો સાહિત્ય ઉપર ઘણો પ્રભાવ છે. વડર્ઝવર્થ, શેલી, પોપ વગેરે આના પુરસ્કર્તા છે.
Denotation વાચ્યાર્થ
- શબ્દનો પ્રાથમિક કે શાબ્દિક અર્થ. અર્થ એ સાહિત્યને સાહિત્યેતર લખાણોથી અલગ પાડનારું તત્ત્વ છે. વાચ્યાર્થ મુખ્યત્વે સાહિત્યેતર લખાણોનું લક્ષણ ગણાયું છે, જ્યારે સાહિત્યિક સામગ્રીનું મુખ્ય લક્ષણ સંપુક્તાર્થ (connotation) છે.
Denoument નિર્વહણ
- જુઓ : Catastrophe.
Description વર્ણન
- સાહિત્યકૃતિમાં આવતું વર્ણન સમય તેમ જ સ્થળની મુખ્ય વિશેષતાઓને રજૂ કરે છે; અને કૃતિના પરિવેશ(setting)નું સર્જન કરે છે. કાલિદાસ, વાલ્મીકિ આદિનાં ઋતુવર્ણનો, સ્થળવર્ણનો વગેરે સુવિદિત છે.
- ઉપરાંત વિવેચનમાં તાર્કિક વિશ્લેષણની દૃષ્ટિએ ‘વર્ણન’ એક વિવેચનાત્મક ઉપકરણ છે. આ ઉપકરણ કૃતિનાં ઘટક તત્ત્વોના વિશ્લેષણમાં ઉપકારક નીવડે છે. જેમકે, ભૃગુરાય અંજારિયાએ કરેલું કાન્તનાં ખંડકાવ્યોના છંદોનું વિશ્લેષણ.
Destructive Criticism વિસંયોજનપરક વિવેચન
- અમેરિકામાં આઠમા દાયકાના અંત ભાગમાં પૉલ બોવ અને વિલ્યમ વી. સ્પેનાસ દ્વારા હાઈડેગરના ‘સત્તા અને સમય’ પર આધારિત વિનિર્મિતિપરક વિવેચનની સમાન્તર વિસંયોજનપરક વિવેચન અસ્તિત્વમાં આવ્યું. ભાષાના સિદ્ધાંતની બાબતમાં વિસંયોજનપરક વિવેચન અને વિનિર્મિતિપરક વિવેચન જુદાં પડે છે. સ્પેનોસ ‘લેખન’નો પુરસ્કાર કરનાર અનુસંરચનાવાદીઓ પર પ્રહાર કરે છે અને ખાસ તો, દેરિદાને તેમજ અન્ય સ્થલગત અર્થઘટનશાસ્ત્રના વિનિર્મિતિકારોને નિંદે છે. કારણ સ્થલગત અર્થઘટનશાસ્ત્ર કૃતિની કાલગતતાનું પરિમાણ ચૂકી જાય છે. સ્પેनોસને મન સાહિત્યની ખરેખરી સત્તા શબ્દના કાલગત શ્રવણમાં છે. આથી એ પરંપરાના વિવેચનની જેમ લેખકની પ્રતિભા કે કૃતિની સંરચના પર ભાર મૂકવાને બદલે વાચનની પ્રવૃત્તિ અને આવિષ્કૃતિ પર ભાર મૂકે છે. સ્વરૂપવાદ, સંરચનાવાદ, સંકેતવિજ્ઞાન, મિથવિવેચન. જિનિવા વિવેચન અને અન્ય તત્ત્વવિચારપરક વિચારણા મોટે ભાગે સ્થલગત પદ્ધતિઓ છે. સમગ્ર કૃતિને લક્ષમાં રાખી કૃતિના વાચનના આરંભ પહેલાં અંતને લક્ષમાં રાખે છે. ‘અખિલાઈ’ના પૂર્વનિર્ણિત અર્થ સાથે તપાસ આદરે છે. આની સામે વિસંયોજનપરક તપાસ કૃતિને ઉઘાડે છે, સમયમાં આગળ વધે છે, સ્થલગત દૃષ્ટિકોણનો છેદ ઉડાડે છે અને એમ અર્થઘટન એ સત્તાવિષયક સત્યનાં ગોપન અને પ્રાગટ્યનો અંતહીન અનુભવ છે એવું સિદ્ધ કરે છે. પ્રારંભથી જ અંત મનમાં હોવાથી અનુસ્મૃતિપરક (Recollective) સ્થલગત અર્થઘટનશાસ્ત્ર કૃતિના ભાષાપરક અનુભવમાં વારંવાર પાછું ફર્યા કરે છે. જ્યારે પ્રક્ષેપાત્મક કાલગત વિસંયોજનપરક અર્થઘટનશાસ્ત્ર અન્વેષણની પ્રક્રિયામાં શબ્દોની શ્રેણીઓને વારંવાર આગળ ફેંકીને કૃતિનું સમુદ્ધરણ કરે છે; પૉલ બોવે તો કૃતિની સાથે આંતરકૃતિત્વનો વિચાર ઉપસાવીને અને સાહિત્યના ઇતિહાસને નવેસરથી જોવાનું શરૂ કરીને બતાવ્યું છે કે સાહિત્યનો ઇતિહાસ કૃતિઓની શ્રેણી છે તેમ જ આપણે જે કાવ્યોનો સામનો કરીએ છીએ તે અન્ય કાવ્યોનાં અર્થઘટનો હોય છે. આ રીતે વિસંયોજનપરક વિવેચનનો આશય કૃતિને કાલના પરિમાણની મુક્તતામાં તપાસવાનો છે.
Detective Story રહસ્ય કથા
- મોટે ભાગે હત્યા જેવા ગુનાઓનો ગુપ્તચર દ્વારા રહસ્યસ્ફોટ થતો હોય એવી નિરૂપણાત્મક રહસ્યકથા. અંગ્રેજી સાહિત્યમાં, ઈ.સ. ૧૮૪૧માં ‘The murder in the Rue morgue’ દ્વારા એડગર એલન પોએ પ્રથમ કલ્પનોત્થ રહસ્યકથાનું સર્જન કર્યું. ૧૮૮૭માં સર આર્થર કૉનન ડૉયૂલની ‘શર્લોક હોમ્ઝ શ્રેણી’ દ્વારા રહસ્યકથાનો પ્રશિષ્ટ યુગ શરૂ થયો. ઍગથ ક્રિસ્ટી. અર્લ સ્ટેન્લી ગાર્ડનર અને છેલ્લે જેયમ્સ હૅડલી ચેય્સ જેવા રહસ્યકથાકારો દ્વારા આ સ્વરૂપનો વિકાસ થયો. આજની મોટા ભાગની વેચાણ-વિક્રમો ધરાવતી નવલકથાઓ રહસ્યકથાઓ છે.
Determinism નિયતિવાદ
- બધી હકીકતો અને ઘટનાઓ કુદરતી નિયમોને અનુસરે છે. કુદરત નિયમપૂર્ણ છે અને પ્રત્યેક ઘટના પાછળ કારણ છે, એવું માનનાર તત્ત્વસિદ્ધાન્ત. આ સિદ્ધાન્ત સ્પષ્ટપણે માને છે કે પોતાની ઇચ્છાશક્તિથી સ્વતંત્ર કારણપરંપરાથી જ બધું નિર્ણીંત થાય છે અને ખાસ તો વ્યક્તિની કાર્યપસંદગી વિજ્ઞાન અને માનવવિદ્યાઓના સંઘર્ષના સંદર્ભમાં સાહિત્યસિદ્ધાન્તક્ષેત્રે નિયતિવાદ વારંવાર વિવાદાસ્પદ બન્યો છે, નવ્ય માનવતાવાદીઓના દાવા પ્રમાણે નિયતિવાદ વાસ્તવવાદી અને પ્રકૃતિવાદી સાહિત્યનું લક્ષણ છે.
Deus Ex Machine ‘યંત્રોત્થ દેવ’ ‘દિવ્ય વિભૂતિ’
- મૂળ તો યુરિપિડીઝ નાટકને અંતે અત્યંત કઠિન પરિસ્થિતિમાંથી નાયકને બહાર લાવવા માટે યંત્રપ્રપંચ દ્વારા દેવને રંગમંચ પર ઉતારતો. પરંતુ આજે આ ઉક્તિ કઠિન પરિસ્થિતિમાંથી ઉકેલ લાવનાર કોઈ પણ અનપેક્ષિત કૃતક ઘટના પ્રપંચ માટે વપરાય છે.
Deuteragonist અનુનાયક, પીઠમર્દ
- નાટકમાં નાયક પછીનું તરત મહત્ત્વ ધરાવતું પાત્ર, ગ્રીક, કરુણાન્તિક નાટકનો પ્રારંભક, સામાન્ય રીતે, ઈસ્કિલસ ગણાય છે, અને એણે આ અનુનાયકનું પાત્ર દાખલ કરેલું. આને કારણે સંવાદ અને નાટ્યકાર્યને વેગ મળ્યો.
Deviation વિચલન
- કવિ વ્યાકરણની ભીતર પ્રતિવ્યાકરણના તત્ત્વોને દાખલ કરે છે, એને કારણે વિચલિત વાક્યો સંસર્જે છે અને એમ એની સર્જકતા ભાષકની સર્જકતાથી જુદી પડે છે. પ્રતિવ્યાકરણતત્ત્વોથી તૈયાર થયેલી વિચલનઉક્તિ ભાવકનો વિશેષ પ્રકારનો પ્રતિભાવ માગે છે અને એને કારણે વિચલન ઉક્તિ દ્વારા શું કહેવાય છે એ ગૌણ બની જાય છે અને ખુદ વિચલન-ઉક્તિ જ ધ્યાનનું મુખ્ય કેન્દ્ર બની રહે છે. ભાષાવિદ લેવિને તો વિચલનને કવિતાના સ્વરૂપનો વિશેષ ધર્મ માન્યો છે. લેવિને વિચલનને બે પ્રકારમાં સમજાવે છે : આંતરવિચલન (Internal deviation) અને બાહ્ય વિચલન (external deviation). આંતરવિચલન એવું છે જે સમગ્ર કવિતાની ભૂમિકા પડછે થાય છે, જેમાં કવિતાનો શેષભાગ તે એનું ધોરણ (Norm) બને છે. બાહ્ય વિચલન એવું છે જેને કવિતાની બહાર રહેલા ધોરણને આધારે સમજાવી શકાય છે.
Device રચના પ્રયુક્તિ
- સાહિત્યકૃતિમાં વિશેષ શબ્દતરેહ, અલંકાર કે ધ્વનિસંયોજનો આદિનો કશોક એવો વિનિયોગ, જેને કારણે ભાવકમાં ઇચ્છિત પ્રભાવ જન્માવી શકાય.
Dialect બોલી
- એક જ ભૌગોલિક વિસ્તારમાં રહેલા, એક જ ભાષાના ભાષકો અને એક જ ભાષા-સમુદાય(speech-community)નું સભ્યપદ ધરાવતા લોકો ચોક્કસપણે એક જ ભાષા નથી બોલતા. આ લોકોનાં જુદાં જુદાં જૂથો હોય છે, અને એ જૂથોને તેમની જુદી જુદી બોલીઓથી અલગ પાડી શકાય છે. આમ હોવા છતાં ભાષાની બોલીઓના પ્રયોજકો વચ્ચે પ્રત્યાયન શક્ય બને છે. સાહિત્યના અભિવ્યક્તિ માધ્યમ તરીકે બોલીઓ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ભૌગોલિક વાતાવરણ ઊભું કરવા માટે તેમ જ કાવ્યમાં શૈલીવિજ્ઞાનીય ઉપકરણ તરીકે બોલીઓ પ્રયોજાય છે. પન્નાલાલ પટેલ કે રઘુવીર ચૌધરી જેવા નવલકથાકારોની કેટલીક કૃતિઓની ભાષા આનાં ઉદાહરણો છે.
Dialectical Materialism દ્વન્દ્વાત્મક ભૌતિકવાદ
- સમાજની એક વ્યવસ્થામાંથી તેની વિરોધી વ્યવસ્થા ઉત્પન્ન થાય છે અને એ વિરોધી વ્યવસ્થામાંથી કાળક્રમે તેની પણ વિરોધી નવી વ્યવસ્થા ઉત્પન્ન થાય છે એવો મત ધરાવતો સિદ્ધાન્ત. આ સિદ્ધાન્તના મુખ્ય પુરસ્કતા કાર્લ માર્ક્સના મત મુજબ દ્વન્દ્વવાદ બાહ્ય વિશ્વ અને માનવીય ચિંતન બંનેની ગતિના સામાન્ય નિયમોનું વિજ્ઞાન છે. દ્વન્દ્વાત્મક ભૌતિકવાદનો અભિગમ ભૌતિક માન્યતાઓ પર અને તેની પ્રકૃતિ, પ્રાકૃતિક તત્ત્વો તથા તેમની પ્રક્રિયાઓના અધ્યયનની દ્વન્દ્વની પદ્ધતિ પર આધારિત છે. માકર્સવાદી સાહિત્યવિચારની આ પાયાની સંજ્ઞા છે.
Dialogue સંવાદ
- કોઈ પણ પ્રકારનાં, કથા કે નાટકમાં, પાત્રોની ઉક્તિ તે સંવાદ. સંવાદમાં કાર્ય (action) ભળે એટલે નાટક જન્મે.
- વળી, ગ્રીક ફિલસૂફોએ શિષ્યોના શિક્ષણ માટે સંવાદની રીતિ ઉત્તમ ગણેલી.
Diary વાસરી, વાસરિકા
- ઘટનાઓની રોજિંદી નોંધ. ૧૭મી સદીના સેમ્યૂઅલ પેપિસ (Samuel Pepys) અને જ્હોન એવેલીન (John Evelyn)ની વાસરીઓ પ્રખ્યાત છે. આ પ્રકારની વાસરિકાઓ અસાધારણ રીતે મહત્ત્વના દસ્તાવેજરૂપ છે, જે સર્જકના વ્યક્તિત્વ અને સમકાલીન રોજિંદા જીવન પર સારો એવો પ્રકાશ ફેંકે છે.
- ગુજરાતીમાં ‘નરસિંહરાવની રોજનીશી’ તેમ જ ‘મહાદેવભાઈની ડાયરી’ જાણીતી છે.
Diatribe પ્રહારલેખ
- આકરી વિવેચન ટીકા. કોઈ કૃતિ ઉપર આક્રોશપૂર્ણ ઉગ્ર અનિયંત્રિત શાબ્દિક પ્રહાર.
Diatyposis સ્વભાવોક્તિ
- તાદૃશ અને પ્રત્યક્ષ વર્ણન માટે યોજાતી અલંકાર સંજ્ઞા. સંસ્કૃત કાવ્યશાસ્ત્રે પણ સૂક્ષ્મ પર્યવેક્ષણક્ષમતા તથા અભિવ્યક્તિપટુતાની અપેક્ષા રાખતા સ્વભાવોક્તિ અલંકારને ઓળખાવ્યો છે.
Diction, Poetic કાવ્ય પદાવલી
- વાણી અને લેખનમાં શબ્દોની વિશિષ્ટ વરણી અને ગોઠવણી. શૈલીવિજ્ઞાનીઓ સામાન્ય ભાષા અને કાવ્યભાષા વચ્ચે ભેદ કરે છે. કાવ્યપદાવલી એ વ્યાપકપણે તો કાવ્યભાષાના પ્રશ્નનો જ એક ભાગ છે. વડર્ઝવર્થ અને કોલિરજે કાવ્ય પદાવલીના સંપ્રત્યયની વિવેચનના સંદર્ભમાં વિશેષ પ્રતિષ્ઠા કરી. વડર્ઝવર્થ જે સ્વાભાવિક હોય તે જ કાવ્યપદાવલીનો પુરસ્કાર કરે છે અને જે કૃત્રિમ હોય તેનો આની સામે વિરોધ કરે છે. કોલરિજ કહે છે કે સાધારણ ભાષાથી કાવ્યભાષા ભિન્ન જ હોવી જોઈએ, કારણ કે એ બંનેનાં પ્રયોજન પણ જુદાં છે અને અંતઃસત્ત્વ પણ જુદાં છે. જોકે આમ છતાં, કોલરિજ કવિને એના ચિત્તની પ્રકૃતિ પ્રમાણે પદાવલી યોજવાની છૂટ આપવામાં પણ માને છે.
Didactic બોધપ્રધાન
- ઉપદેશ, બોધ, શિક્ષણ વગેરે જેનો હેતુ છે તે. મધ્યકાલીન સાહિત્ય સર્જનમાં આ પ્રકારનું બોધપ્રાધાન્ય વિશેષ જોવા મળતું. સાહિત્યકારનો મુખ્ય ઉદ્દેશ જ સમાજશિક્ષણનો હતો. ભક્તિસાહિત્ય, બાળસાહિત્ય વગેરે આથી જ બોધપ્રધાન જોવા મળે છે, હિતોપદેશ, પંચતંત્ર આદિ બોધપ્રધાન સાહિત્યનાં ઉદાહરણો છે.
Diegesis ક્રિયા-વૃત્તાન્ત
- ક્રિયાવૃત્તાન્ત અને ક્રિયા-પ્રતિનિધાન (Mimesis) બંને કાર્યો કે પ્રસંગોનાં નિરૂપણનાં પાસાંઓ છે. જે દર્શાવવામાં આવે કે ભજવવામાં આવે તે ક્રિયા-પ્રતિનિધાન. જેનું કથન થયું હોય કે જેનું વૃત્તાન્ત આપવામાં આવ્યું હોય તે ક્રિયા-વૃત્તાન્ત. આમ ક્રિયા-વૃત્તાન્ત એ નિરૂપણાત્મક પાઠમાંનાં કાર્યો અને પ્રસંગોની શ્રેણીનો અર્થઘટનકાર દ્વારા થયેલો અન્વય છે.
Differance વ્યતિરેક-વ્યાક્ષેપ
- દેરિદા આ સંજ્ઞાને તત્ત્વવિચારકેન્દ્રિતા સામે પ્રયોજે છે. ફ્રેન્ચ શબ્દ differer પરથી ઘડી કાઢેલી આ સંજ્ઞાના બે અર્થ થાય છે : (૧) to differ, be different from વ્યતિરેક કરવો, અન્યથી ભેદ કરવો અને (૨) to defer, postpone, delay વ્યાક્ષેપ કરે. મુલતવી રાખવું, વિલંબ કરવો. differAnceના બંને અર્થ જરૂરી છે, કારણ કે કોઈ પણ ભાષા-ઘટકનું કાર્ય કે એનો અર્થ ક્યારેય સંપૂર્ણ હોતાં નથી. અને આગળ પાછળના નિર્દેશ માટે અન્ય ભાષાઘટકોમાં સાહચર્ય પર નિર્ભર રહેવું પડે. તેથી વ્યાક્ષેપ કે વિલંબને અવકાશ છે. સાથે સાથે એક ભાષાઘટક તરીકે એનું અસ્તિત્વ અન્ય ઘટકોથી થતા એના વ્યતિરેક પર આધારિત છે. એક ઉદાહરણ લઈએ, કાવ્યમાં ‘નદી’ આવે તો ‘નદી’ એટલે ‘વૃક્ષ’ નહિ, ‘રેતી’ નહિ, ‘ખુરશી’ નહિ, ‘ઘોડો’ નહિ, ‘નદી’ એટલે નદી સિવાય કાંઈ જ નહિ. અન્ય સર્વ સંકેતોથી એનો વ્યતિરેક, પરંતુ આ ‘નદી’ કાવ્યમાં આગળ વધે એટલે આપણને ધીરે ધીરે ખબર પડે કે વાસ્તવમાં જે ‘નદી’ જોઈએ છીએ તે આ ‘નદી’ નથી. એને કાવ્યમાં બીજું કશુંક બનવું પડે છે, આથી સંકેતમાં અડધો સંકેત જે એ નથી તેનો છે અને બાકીનો અડધો સંકેત જે એમાં નથી તેનો છે. આમ પ્રત્યેક સંકેતમાં વ્યતિરેક અને વ્યાક્ષેપનાં બે બળ હાજર છે.
Dirge શોકગીત, મરશિયું
- મૃત વિશે શોક અભિવ્યક્ત કરતું ગીત યા ઊર્મિકાવ્ય. જેમકે, રાવજી પટેલનું કાવ્ય ‘સ્વ. હુંશીલાલની યાદમાં.’
Discourse પ્રોક્તિ, વાક્યબંધ
- કોઈ ચોક્કસ હેતુની સિદ્ધિ માટે પ્રયોજાયેલાં વિશિષ્ટ સંકેતો કે ઉચ્ચારણોની શ્રેણી, આધુનિક સમાજભાષાવિજ્ઞાન, શૈલીવિજ્ઞાન, સંરચનાવાદી સાહિત્ય-વિચાર, પાઠવ્યાકરણ વગેરેમાં આ સંજ્ઞા વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ભાષા-વિજ્ઞાનમાં વાક્ય, જ ભાષાવૈજ્ઞાનિક વિશ્લેષણનું અંતિમ ધ્યેય મનાતું રહ્યું છે. આથી ભાષાવિજ્ઞાનમાં વાક્ય-કેન્દ્રિત વ્યાકરણનું પ્રાધાન્ય રહ્યું છે. પરંતુ હવે ભાષાવિજ્ઞાનીઓ એવું માનવા લાગ્યા છે કે ભાષાના એકમોના સ્વરૂપનિર્ધારણ માટે આપણે વાક્યની સીમા ઓળંગવી પડશે. આનું ઉત્તમ ઉદાહરણ સર્વનામ છે.
- સર્વનામ નક્કી કરવા માટે વાક્યથી આગળના એકમ ‘વાક્યબંધ’ સુધી જવું આવશ્યક છે. વાક્યબંધને એકથી વધુ વાક્યોનો માત્ર ગુચ્છ ન માની શકાય, એમાં એક પ્રકારની આંતરિક અન્વિતિ હોય છે. આંતરિક અન્વિતિથી યુક્ત વાક્યસમષ્ટિના રૂપમાં વાક્યબંધ પોતાનાં ઘટકવાક્યોના અલગ અલગ અર્થોના કુલ સરવાળાથી કંઈક વધુ હોય છે, જો વાક્યબંધ સાહિત્યિક હોય તે સૌંદર્યગુણોની સમષ્ટિની સાથોસાથ એમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિમાણો પણ સંલગ્ન હોય છે. તોદોરોવ, વૅન ડિક જેવા વિદ્વાનો આ વિચારના પુરસ્કર્તાઓ છે.
Disinterestedness in Criticism વિવેચનમાં તાટસ્થ્ય
- મૅથ્યૂ આર્નલ્ડના વિવેચનવિચારની આ મહત્ત્વની સંજ્ઞા છે. આર્નલ્ડ જ્ઞાનની બધી શાખાઓના એવા અભ્યાસની શક્યતાઓ તપાસે છે, જેનો હેતુ પદાર્થને યથાતથ રીતે પામવાનો હોય. એમના મત મુજબ સાહિત્યનો અભ્યાસ વિવેચકના વસ્તુલક્ષી દૃષ્ટિકોણ પર આધાર રાખે છે.
Dissemination પ્રસારણ
- સાહિત્યનો પરંપરાનો સિદ્ધાન્ત ‘અનુકરણ’નો છે, તો વિનિર્મિતિ સિદ્ધાન્ત ‘કૃતિત્વ’નો છે. કૃતિના ફલક પરથી અંતહીન અર્થો પ્રસારિત થયા કરતા હોય છે. વિનિર્મિતિ સિદ્ધાન્તમાં સત્યને બદલે આવા પ્રસારણે સ્થાન લીધું છે.
Dissociation of Sensibility સંવેદનાનું વિયોજન
- ટી. એસ. એલિયટ દ્વારા પ્રચલિત સંજ્ઞા. જ્યારે કવિનો વિચાર ભાવમાં રૂપાંતરિત ન થાય તો સંવેદનાનું વિયોજન જન્મે છે. ૧૭મી સદીના કવિઓ અને નાટ્યકારોમાં એલિયટને સંવેદનાના વિયોજનનો દોષ જણાયો છે. આ કાવ્યો વિચારપ્રધાન છે. એલિયટના મત મુજબ કવિતામાં વિચારનું ભાવમય રસાયણ સિદ્ધ થવું જોઈએ.
Dissonance શ્રુતિવૈષમ્ય
- લયાત્મક તરેહો અને શબ્દોમાં કર્કશ ધ્વનિઓની ગોઠવણી. કૃતિમાં કાવ્યાત્મક અસર ઊભી કરવા માટે પ્રયોજાતું એક સર્વ સામાન્ય ઉપકરણ.
- પ્રેમાનંદનાં આખ્યાનોમાં આવતાં યુદ્ધવર્ણનોમાં આનો વિનિયોગ જોઈ શકાય છે. જેમકે,
“ભડાભડ ગદા કેરા ભટકા ઝડાઝડ થાયે ખડ્ગના ઝટકા
વાધી રાઢ મંડાયો થંધ વઢે શિશવિહોણા કબંધ”
(‘અભિમન્યુ આખ્યાન’, કડવું ૪૭/૩)
Documentary દસ્તાવેજી
- સાહિત્યક્ષેત્રે જીવનના વાસ્તવિક પ્રસંગો, દસ્તાવેજો, તથ્યોને આધારે સાહિત્યકૃતિ રચવાનું પણ એક વલણ છે. આને આધારે પ્રગટ થયેલી દસ્તાવેજી શૈલીનું વાસ્તવવાદી સાહિત્યસર્જનમાં મહત્ત્વનું પ્રદાન છે. કથાલેખનમાં કલ્પના અને વાસ્તવને પરસ્પરની વધુ નજીક લાવતું આ વલણ આધુનિક ચલચિત્રોમાં પણ મહત્ત્વનું સ્થાન પામ્યું છે. રઘુવીર ચૌધરીકૃત ‘કથાત્રયી’માં દસ્તાવેજી શૈલીના આધારે જોવા મળે છે.
Dogma મતાગ્રહ
- જે સ્વીકારીને જ ચાલવાની હોય અને જેની સામે દલીલ કરવાની ન હોય એ રીતે રજૂ થતી માન્યતાઓ.
Domestic Tragedy કૌટુંમ્બિક કરુણાન્તિકા
- કારુણ્યના અંગત અને ઘરગથ્થુ તત્ત્વો પર કેન્દ્રિત થયેલું મધ્યમવર્ગીય જીવન વિશેનું નાટક, રાજાઓ, રાજકુમારો વગેરે સાથે સંકળાયેલી ભવ્ય શૈલીનાં કરુણાન્ત નાટકોથી આ અલગ પ્રકારનું નાટ્યસ્વરૂપ છે. યુજિન ઓનીલ, ઈબ્સન, ટેનિસી વિલ્યમ્ઝ વગેરેનાં કેટલાંક નાટકો આ પ્રકારનાં છે.
Double Decker Novel દ્વિખંડ નવલકથા
- બે ભાગમાં પ્રગટ કરવામાં આવી હોય એવી અત્યંત લાંબી નવલથા માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે.
- ‘ઓથાર’ (અશ્વિની ભટ્ટ). કુલ ૧૪૦૦ પૃષ્ઠની આ નવલકથા બે ભાગમાં પ્રગટ થઈ છે.
Drama નાટક
- અભિનેતાઓ પાત્ર ભજવે, સૂચિત કાર્ય કરે અને સંવાદો બોલે એવું રંગમંચ માટે તૈયાર કરેલું સાહિત્યસ્વરૂપ, સાહિત્યના ત્રણ મૂળભૂત પ્રકાર (Basic genres)માં ઊર્મિકાવ્ય ભાષા પરત્વેની અભિવ્યક્તિશીલ અભિવૃત્તિને, મહાકાવ્ય પ્રતિનિધાનશીલ અભિવૃત્તિને અને નાટક પ્રતિભાવશીલ અભિવૃત્તિને સ્વીકારીને ચાલે છે.
- નાટકમાં કોઈ સીધું પ્રત્યાયન નથી કરતું. પાત્રો એકબીજાને પ્રત્યાયન કરે છે અને નાટકનાં પાત્રોના એકબીજાને થતા પ્રત્યાયન દ્વારા સમગ્ર નાટકનું આડકતરી રીતે પ્રત્યાયન થાય છે. બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે નાટકમાં પ્રત્યાયનો દ્વારા પ્રત્યાયન થાય છે.
Dramatic નાટ્યાત્મક
- સ્વાભાવિક નહિ એવું. કોઈ પણ પરિસ્થિતિ કે વક્તવ્યને ને સાહજિક રીતે રજૂ ન કરતાં નાટ્યની શૈલીનો ઉપયોગ કરીને રજૂ કરવું.
- કોઈ ઘટના સ્વાભાવિક રીતે ન ઘટે તો તેને નાટ્યાત્મક કહેવાય. જેમકે, અમુક ઘટનાએ લીધેલો નાટ્યાત્મક વળાંક.
Dramatic Irony નાટ્યાત્મક વ્યંગોક્તિ
- જ્યારે પ્રેક્ષકો રંગમંચ પરની પરિસ્થિતિનો અર્થ અને તેના સૂચિતાર્થો સમજી શકે અને પાત્રો તે પામી શકતાં ન હોય તેને નાટ્યાત્મક વ્યંગોક્તિ કહે છે. આવું સુખાન્ત અને કરુણાન્ત નાટકોમાં સહજ છે.
Dramatic Lyric નાટ્યાત્મક ઊર્મિકાવ્ય, નાટ્યોર્મિકાવ્ય
- બ્રાઉનિંગે એની પોતાની નાટ્યાત્મક એકોક્તિવાળી કાવ્યરચનાઓ માટે આ સંજ્ઞા વાપરેલી, બ્રાઉનિંગે આ રચનાઓ ૧૮૪૨માં કરી. આ સ્વરૂપમાં એને સારી સિદ્ધિ મળી. અહીં એક જ પાત્ર એની ઉક્તિમાં એનું પોતાનું વ્યક્તિત્વ અને એની વિશિષ્ટ નાટ્યાત્મક પરિસ્થિતિને પ્રગટ કરે છે.
Dramatic Poetry પદ્યનાટક
- નાટ્યાત્મક સ્વરૂપને અખત્યાર કરતી કવિતા માટે આ સંજ્ઞા વપરાય છે અને એનો અર્થવિસ્તાર થતાં આ સંજ્ઞા ગદ્ય-પદ્યમાં લખાયેલાં નાટકોને પણ લાગુ પડે છે. ૫દ્યનાટકમાં આવતું પદ્યનું તત્ત્વ એ આગંતુક નહીં પણ એનું અંતર્ગત તત્ત્વ છે. પદ્યનાટકકારો માને છે કે પદ્યનો સમુચિત પ્રયોગ કાવ્યાત્મક સઘનતા સાધવામાં અત્યંત સહાયરૂપ બને છે. પદ્ય વિવિધ સ્તરે લયસિદ્ધિ પ્રાપ્ત કરે છે. વીસમી સદીમાં કવિઓએ ‘કહેવા’ કરતાં ‘દર્શાવવા’ તરફનું વિશેષ વલણ અપનાવ્યું હોવાથી તેઓ નાટ્યાત્મકતા તરફ વળ્યા છે. પાત્રો દ્વારા કે ‘મનોગત એકોક્તિ’ દ્વારા તેમણે અભિવ્યક્ત થવાનું સ્વીકાર્યું છે. એલિયટ તેના મુખ્ય પુરસ્કર્તા છે. આપણે ત્યાં ઉમાશંકર જોશીના ‘મહાપ્રસ્થાન’માં અને ચિનુ મોદીના ‘ડાયલના પંખી’માં આ પ્રકારના પદ્યનાટકના પ્રયોગો જોઈ શકાય છે.
Dramatization નાટ્ય રૂપાન્તર, નાટકીકરણ
- ઇતિવૃત્ત, નવલકથા, ટૂંકી વાર્તા કે એવા કોઈ અન્ય સાહિત્યસ્વરૂપમાં રહેલી કથાનું નાટકમાં રૂપાન્તર કરવાની કલા. જેમકે, યુરોપમાં મધ્યકાલીન નાટકમાં બાઈબલનું રહસ્ય નાટકોમાં રૂપાન્તર થયું છે. આપણે ત્યાં નવલકથા ‘સરસ્વતીચન્દ્ર’નું નાટ્યરૂપાન્તર થયું છે.
Dramaturgy નાટકકાર, નાટ્યપ્રયોગકલા
- નાટકકાર માટે પણ, અને નાટ્યસર્જન તેમ જ નાટ્યપ્રયોગની મંચનકલા માટે પણ આ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. લેખન, દિગ્દર્શન, વેશભૂષા જેવાં નાટ્યનાં સર્જન અને મંચનના મોટા ભાગનાં પાસાંઓનો આમાં સમાવેશ થાય છે.
Dream-Allegory સ્વપ્ન-રૂપક કથા
- મધ્યકાલીન અંગ્રેજ કવિઓ દ્વારા સર્જાયેલું રૂઢ નિરૂપણાત્મક સ્વરૂપ નિરૂપક (narrator) નિદ્રાધીન થાય છે અને સ્વપ્નસૃષ્ટિમાં સરી પડે છે, જે સ્વપ્નો તે જુએ છે તે રૂપકનો જ એક ભાગ હોય છે. ૧૩મી સદીમાં ફ્રેન્ચ ભાષામાં લખાયેલ ‘Romen de la Rose’ આ પ્રકારનું ઉદાહરણ છે. મધ્યકાળ પછી આ સ્વરૂપનું મહત્ત્વ ઓછું થયું પણ સપૂર્ણપણે લુપ્ત થયું નહિ. આધુનિક કાળ પર્યંત આ સ્વરૂપ એક યા બીજી રીતે સર્જાતું રહ્યું છે. જેમ્સ જોય્સની નવલકથા ‘finnagans wake’ કે ગુજરાતીમાં રાધેશ્યામ શર્માની ‘સ્વપ્નતીર્થ’ જેવી નવલકથા આ સ્વરૂપના નિદર્શનરૂપ છે.
Droll વિહાસિકા
- મોટે ભાગે નૃત્ય તેમ જ સંગીત સાથે રજૂ થતો રમૂજી નાટ્યાત્મક ટુકડો. ઈ. સ. ૧૬૪૯-૬૦માં જ્યારે નાટ્યગૃહો બંધ કરવામાં આવ્યા હતાં, ત્યારે મેળાવડાઓમાં આવા ટુકડાઓ રજૂ કરવામાં આવતા હતા. આ પ્રકારની વિહાસિકાઓ શુદ્ધિવાદીઓના (puritans) પ્રતિબંધમાંથી છટકવાનાં સૂક્ષ્મ સાધનો હતી. નવી દિલ્હીમાં કટોકટી દરમ્યાન કેટલાંક ‘નુક્કડ-નાટકો’ ભજવાયાં હતાં તેનું સ્વરૂપ વિહાસિકાની નજીકનું છે.
Duologue દ્વિ-સંવાદ
- નાટક, કથા કે કવિતામાં બે પાત્રો વચ્ચેનો સંવાદ, બે પાત્ર ધરાવતી નાટ્યકૃતિ.
Duration સમયાવધિ, ગાળો
- સમયાવધિ એ ઉચ્ચારિત શબ્દનું સ્વરમાન (pitch) ઉચ્ચસ્વરતા (loud-ness), અને ધ્વનિગુણ (quality) ઉપરાંતનું ચોથું લક્ષણ છે. કવિતામાં શબ્દ કે અક્ષરનો સમયાવધિ એટલે કે એમનું ધ્વન્યાત્મક સમયમૂલ્ય (phonetic time value) મહત્ત્વનું છે. આ પ્રકારના સમયાવધિ કાવ્યમાં કેટલીક સૂક્ષ્મ અસર ઊભી કરવામાં મદદ કરે છે.
Dustbin drama કચરાપેટી નાટક
- કચરાપેટીમાં રહેતાં બે પાત્રવાળા બૅકિટના ‘એન્ડગેઈમ’ (૧૯૫૮) નાટક પરથી ઊતરી આવેલી આ સંજ્ઞા ગોબરા પરિવેશ અને દુર્ગમ કથાનકવાળા કેટલાંક આધુનિક નાટકો માટે વપરાય છે.
Dystopia દુષ્કલ્પલોક
- કલ્પલોકની વિરુદ્ધની સંજ્ઞા, આપણા જગત કરતાં પણ બદતર જગતની કલ્પના એમાં સૂચિત છે. ઑલ્ડસ હકઝલીનું ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ આનું ઉદાહરણ છે.