સુદામાચરિત્ર/આસ્વાદલક્ષી અભ્યાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આસ્વાદલક્ષી અભ્યાસ|}} {{Poem2Open}} '''૧. ભૂમિકાઃ આખ્યાનનો વિશેષ''' ગુ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|આસ્વાદલક્ષી અભ્યાસ|}}
{{Heading| નિર્મળ મનુષ્યની ગાથાનું કાવ્ય|}}


{{Poem2Open}}
{{Poem2Open}}
'''૧. ભૂમિકાઃ આખ્યાનનો વિશેષ'''
મધ્યકાળના મહાકવિ પ્રેમાનંદે પોતાનાં આખ્યાનોને રસપ્રદ બનાવવા માટે રામાયણ, મહાભારત જેવાં મહાકાવ્યો ને ભાગવત જેવાં પુરાણમાંથી કથાનકો પસંદ કરીને તેને પોતાના મૌલિક અભિગમથી આલેખ્યાં છે, ને એમ કરીને તેણે મધ્યકાલીન શ્રોતાઓનું માત્ર મનોરંજન જ નથી કર્યું, પણ એ દ્વારા સહજ રીતે માનવમૂલ્યોનું યશોગાન કરીને મહાકવિને છાજતું દર્શન પણ પ્રગટ કર્યું છે. એ અર્થમાં પ્રેમાનંદ મધ્યકાળનો મોટો કવિ ઠરે છે.
ગુજરાતીની કથા-કથન-પરંપરામાં આખ્યાન એક વિશિષ્ટ અને લોકપ્રિય કથા-કાવ્યપ્રકાર હતો. એની લાંબી સમૃદ્ધ પરંપરા રહી છે. જૈન કવિઓની ચરિત્રાત્મક કથાઓ ‘રાસા’ નામે ઓળખાતી એમાં કથાના નિમિત્તે સાંપ્રદાયિક ધર્મબોધ કેન્દ્રમાં રહેતો એ કારણે સંપ્રદાયમાં એનું ઝાઝું મહત્ત્વ રહેતું એ ખરું, પણ એમાં કથા પણ શ્રોતાઓને માટે એટલી જ રસપ્રદ રહેતી. પુરાણીઓ જે કથા કહેતા એમાં પૌરાણિક કથાઓ અને ચરિત્રોની ભવ્યતા પ્રભાવક બનતી. પરંતુ આખ્યાનોએ પુરાણકથાઓને સમકાલીન  જીવન સાથે ઓતપ્રોત કરી વધુ રસપ્રદ ને વધુ જીવંત બનાવેલી. શામળની લોકવાર્તાઓમાં મનોરંજન ભરપૂર હતું પરંતુ એની કૌતુકમય સૃષ્ટિ  વાસ્તવિક કરતાં વધુ રંગદર્શી રહેતી હતી. એટલે, જીવાતા જીવનની સમાન્તરે રહીને આનંદદાયક બની શકે એવો કાવ્યપ્રકાર તો આખ્યાન જ હતો. એક તરફ એમાં ધાર્મિક-પૌરાણિક કથાનકોની ભવ્યતા ને પ્રેરકતા હતી જે આનંદ સાથે ધર્મલાભ પણ આપતી. તો બીજી તરફ એમાં તત્કાલીન જીવનની વિવિધ ભાતો હતી – શ્રોતાઓને આખ્યાન-કથાનકોનાં પ્રસંગો-પાત્રોની રજૂઆતમાં પોતાના જીવનનું પ્રતિબિંબ પણ દેખાતું. આખ્યાનમાં પ્રસંગોની ખીલવણી થતી ને પાત્રોનાં ઘેરાં ને વિસ્તારિત ચિત્રો આલેખાતાં; વનનાં, સ્થળનાં, પાત્રોનાં રસદાયક વર્ણનો થતાં; પાત્રો વચ્ચેના સંવાદો આલેખાતા; કથનની સાથે અભિનયનું તેમજ ગાયનનું તત્ત્વ પણ એમાં ઉમેરાતું. આખ્યાનકાર અસરકારક ને ભાવવાહી કથન કરતો; સંસ્કૃત શૈલીની ભવ્યતા ઉપસાવતાં પ્રસંગાલેખનો કરતો; ક્યારેક છટાથી પાત્રો-પ્રસંગોની તીવ્ર રેખાઓ દોરતો ને તળપદા લહેકાથી પાત્રના ભાવોને તાદૃશ કરી આપતો; કથાની વચ્ચે આવતા લાગણીના ઉદ્રેકોને પદ-ગાનથી પણ અસરકારક બનાવતો. આખ્યાનકારોમાં માણભટ્ટો પણ હતા ને માણ (ધાતુની ગાગર) પર તાલ દઈને કથન-ગાનમાં શ્રોતાઓને તદ્રૂપ કરતા.
‘કુંવરબાઈનું મામેરું’ ને ‘નળાખ્યાન’ની જેમ ‘સુદામાચરિત્ર’ પણ પ્રેમાનંદની યશોદાયી કૃતિ છે. આ કૃતિને આપણા વિવેચકોએ ‘મૈત્રી કાવ્ય’, ‘ભક્તિકાવ્ય’ ગણાવીને એનું અનેક રીતે મૂલ્યાંકન કર્યું છે. ‘સુદામાચરિત્ર’માં મૈત્રી ને ભક્તિનો, કહો કે ભક્તિપૂર્ણ મૈત્રીનો મહિમા અવશ્ય થયો છે. પણ પ્રેમાનંદનાં ‘મામેરું’, ‘નળાખ્યાન’ જેવાં આખ્યાનોમાંથી પસાર થતાં  આપણને જે તરત નજરે ચડે છે તે છે નિર્મળ મનુષ્યનું મહિમાગાન કરવાની પ્રેમાનંદની વૃત્તિ. પ્રેમાનંદ પ્રભાવિત થયો છે નળ ને યુધિષ્ઠિર જેવા પુણ્યશ્લોક રાજર્ષિઓથી ને નરસિંહ તેમ જ સુદામા જેવા સંસારની મધ્યમાં રહીને ‘વર્ત્યા જાય તે ઉપરછલ્લા’ રહીને ‘અસંગ’ પ્રમાણિત થતા વિરલ સાધુજનોથી. ‘સુદામાચરિત્ર’ માં પ્રેમાનંદને ગાવો છે આવા ચરિત્રનો મહિમા.
આ બધાને કારણે આખ્યાન વિવિધ વય-રુચિના શ્રોતાસમુદાયને મંત્રમુગ્ધ કરનારું મધ્યકાલીન સ્વરૂપ બન્યું હતું – નાટકની જેમ ભિન્નરુચિના સર્વ મનુષ્યોનું તૃપ્તિભર્યું સમારાધન કરતું.
આવું ‘સુદામાચરિત્ર’ પ્રેમાનંદનું એક ઉત્તમ આખ્યાન બની રહ્યું છે તેની કથાસંકલનાથી, પાત્રચિત્રણકળાથી, વર્ણનોનો ચિત્રાત્મક્તાથી, અલંકારોની સમુચિત ગોઠવણીથી ને કાવ્યમાં સિદ્ધ થતી વ્યંજનાથી.
આખ્યાનોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંસ્કૃતિનું જતન કરવાનું વિશિષ્ટ કાર્ય પણ બજાવેલું. પ્રજાનો મોટો વર્ગ નિરક્ષર હતો. એથી ધર્મગ્રંથો, મહાકાવ્યો આદિ દ્વારા ધર્મ-જ્ઞાનના વારસાનું જાતે આકલન કરવાનું ને એ રીતે દૃષ્ટિને સ્થિર ને વિકસિત રાખવાનું એને માટે શક્ય ન હતું. ત્યારે આખ્યાનોએ પૌરાણિક-ઐતિહાસિક ચરિત્રોનાં – નરસિંહ, ચંદ્રહાસ, રામ, સીતા, નળ ,દમયંતી, કૃષ્ણ, આદિનાં – રસપ્રદ ને સાક્ષાત્કારક આલેખનો દ્વારા ધર્મ અને જીવનના આદર્શો સામાન્ય પ્રજાજનોમાં જીવતા રાખવાની ને એ રીતે એમની ધર્મશ્રદ્ધાને તથા એમની સંસ્કારિતાને સંકોરતા જવાની અપ્રતિમ સેવા બજાવી છે. પદ-ભજનાદિ ઊર્મિકવિતાથી જેમ પ્રજાની ધર્મકેન્દ્રીતા જળવાઈ જ રીતે આખ્યાન આદિ કથાત્મક કવિતાથી એમનામાંનો સંસ્કૃતિ-શ્રદ્ધાનો તાર જીવંત રહ્યો, સંસ્કારિતા પોષાતી રહી અને વિધર્મી આક્રમણો વખતે પણ આંતરિક બળથી ટકી રહેવાની એક પોષક શક્તિ એમને મળતી રહી.
‘સુદામાચરિત્ર’ નો આરંભ થાય છે સાંદીપનિ ઋષિના આશ્રમમાં બલરામ-કૃષ્ણના વિદ્યાપ્રાપ્તિ હેતુ થયેલા આગમનથી, જ્યાં ‘વડા’ વિદ્યાર્થી તરીકે ‘ઋષિ’ સુદામાની નિયુક્તિ થયેલી છે. ગુરુ સાંદીપનિની મનુષ્યમાં પડેલી અનંત શક્યતાની ઓળખનો આડકતરો પરિચય કરાવીને પ્રેમાનંદે એમના ગુરુત્વનો મહિમા કરી દીધો છે.
ધર્મશ્રદ્ધા ભલે જીવનના કેન્દ્રમાં રહેલી હોય પણ જીવાતું જીવન કદી એક-વિધ રહી શકતું નથી. પ્રજાની ઉત્સવપ્રિયતા વિવિધતાનો એક મોટો સ્રોત બનતી હોય છે – એ ઉત્સવો ધાર્મિક પણ હોય અને સામાજિક પણ હોય. જન્મ, લગ્ન, સીમંત આદિ ઉત્સવોનું રૂપ જેટલું સામાજિક એટલું ધાર્મિક પણ રહેતું હતું. કૃષ્ણ-જન્મ, રુક્મિણીવિવાહ, સીતાસ્વયંવર આદિ, પૌરાણિક પાત્રો સાથે સંકળાયેલા ઉત્સવોને પ્રજાએ પોતાના સામાજિક-પારિવારિક ઉત્સવો સાથે ઓતપ્રોત કરેલા છે. નરસિંહ મહેતાએ કરેલા મામેરાના ‘વ્યવહાર’ નરસિંહના સમયથી લઈને છેક પ્રેમાનંદના સમયમાં તે તે સમાજના રીતિ-રિવાજને પ્રતિબિંબિત કરતા રહ્યા છે. આખ્યાનકારોએ જેમ તત્કાલીન સમાજજીવનના રંગોનું વૈવિધ્ય ગ્રહણ કર્યું એમ જ એમના શ્રોતાસમુદાયે, આખ્યાનકારોએ ખીલવેલા આ પ્રસંગોમાંથી વળી પાછું વિશેષ પોષણ પણ મેળવ્યું હશે. સંસ્કૃતિની એ પણ એક વિશિષ્ટ ભાત છે ને આખ્યાન જેવાં સ્વરૂપોમાં ઝિલાતી ને પ્રસરતી રહે છે.
પ્રેમાનંદ લાઘવનો કવિ હોવાની પ્રતીતિ પહેલા જ કડવામાં થઈ જાય છે. સુદામાનો પરિચય, બલરામ-કૃષ્ણ-સુદામાની ઉત્તરોત્તર ગાઢ થતી ગયેલી મૈત્રી, બલરામ-કૃષ્ણનું વિદ્યાપ્રાપ્તિ કરીને વિદાય થવું, વિદાય લેતી વેળાએ કૃષ્ણનું સુદામાને ‘મા’નુભાવ! ફરીને મળજો’ કહીને સૂચક રીતે પોતા પાસે આવવાનું નિમંત્રણ દેવું, ‘સદા તમારા ચરણ વિશે રહેજો મનસા મારી’ કહેતા ‘ઋષિ’ સુદામાની અનાસક્તિ વ્યક્ત કરીને તેમની નિર્મળતાનાં ફૂટું ફૂટું થતાં બીજનો પરિચય કરાવવો, ને બંને મિત્રોનું પોતપોતાના જીવનમાં સ્થિર થવું – આટલી ઘટનાઓ એકસાથે અહીં ઘટે છે.
સુદામાથી છૂટા પડીને કૃષ્ણ દ્વારકાના અધિપતિ બને છે ને બીજી બાજુ સુદામાનો પરિવાર અન્ન વિના ટળવળે છે. આવા વિષમ સંજોગોમાં સુદામાની પત્ની ધીરજ ને સલુકાઈથી માંડ માંડ પોતાની ગૃહસ્થી નિભાવે છે. પણ છેવટે વિવશ બનીને પોતાના દેવતુલ્ય પતિ સમક્ષ પોતાની વ્યાવહારિક મૂંઝવણો તારસ્વર વ્યક્ત કરે છે. પતિ સાથેના તેના સંવાદમાં તેનું કોમળ, ગરિમાયુક્ત, એક આચારનિષ્ઠ ગૃહસ્થી નારીનું પ્રેમાનંદે આંકેલું ચિત્ર સહૃદયના ચિત્તને રણઝણાવી દે રીતની અભિવ્યક્તિ પામ્યું છે.
સુદામાનાં જ્ઞાન ને ઋષિત્વનો અનહદ આદર કરે છે, પણ વ્યવહાર ને પરિવારની જાળવણી માટે આર્થિક ઉપાર્જનની અનિવાર્યતા પર ભાર દેતાં વિનીતભાવે પતિને કૃષ્ણ પાસે જવા એ વિવિધ દલીલોથી ઉદ્દીપ્ત કરે છે. તેની એ દલીલોમાં વિવેકપૂર્ણ વ્યવહારુતા છે, અભિજાત જીવનદૃષ્ટિ છે, ભવિષ્યના જીવનને લક્ષતી દીર્ઘદૃષ્ટિ છે, જીવન પ્રત્યેનો ગૌરવશીલ અભિગમ છે ને સુદામાની પત્નીને છાજતું ઔચિત્ય છે.
પત્નીની દલીલોના પ્રત્યુત્તરમાં સુદામાએ વ્યક્ત કરેલી ભાવનામાં એક ખાનદાન બ્રાહ્મણનું વ્યક્તિત્વ ભર્યું છે. ‘જાચતાં જીવ જાય’માં માનતો આ અજાચક વ્રતધારી ઋષિ, પત્નીની મૂંઝવણને પૂરેપૂરી સમજવા છતાં પોતાના સિદ્ધાંતને છોડવા રાજી નથી. પણ પત્ની પ્રત્યેના પ્રેમને લઈને છેવટે એ કૃષ્ણને મળવા માટે પોતાનાં ચરણ ઉપાડે છે, ખાલી હાથે નહીં પણ કૃષ્ણનાં બાળકો માટે તાંદુલથીય હલકા પ્રકારના ‘કાંગવા’ પડોશણ પાસેથી માગીને – ભરેલા હાથે.
‘સુદામાચરિત્ર’માં પ્રેમાનંદે અવારનવાર સામસામેની પરિસ્થિતિઓ મૂકીને વિરોધ નિષ્પન્ન કર્યો છે, જેથી એક બાજુ આખ્યાનમાં રંગત જામે છે ને બીજી બાજુ હાસ્ય ને કરુણ રસ ભાવકને હસતાં હસતાં રડાવી જાય છે. અહીં એક બાજુ છે ગરીબ સુદામો ને બીજી બાજુ સુવર્ણની ઝળહળતી નગરી દ્વારકા! જેમાં પ્રવેશતાંવેંત સુદામાને{{Poem2Close}}
<poem>
‘જાદવ સ્ત્રી તાળી દઈ દઈ હસે,
ધન્ય એ નગર જ્યાં આવો નર વસે’
</poem> 
{{Poem2Open}}
આ પ્રકારનો વ્યંગાત્મક સત્કાર સાંપડે છે. બાળકો કાંકરીચાળા કરતાં સુદામાનો પીછો પકડે છે ને નગરજનોનાં વીંધી નાખે એવાં વ્યંગબાણોની વચ્ચે ‘ભાવકની આંખો અશ્રુભીની બને છે ત્યારે ‘તો યે ઋષિજી હસતા જાય’ એવા સુદામાનો કૃષ્ણ દ્વારા સત્કાર થવો તો બાકી છે એની રાહમાં ભાવક કુતૂહલવશ છે.
બરાબર એ જ ક્ષણે એક બીજો વિરોધ પ્રેમાનંદે આલેખ્યો છે. એકાદા સમજુ જણની મદદથી માંડ માંડ કૃષ્ણદ્વારે પહોંચેલો સુદામો દાસીને પોતાની ઓળખ આપીને કૃષ્ણને પોતાના આગમનની જાણ કરે છે. એક બાજુ પ્રતીક્ષારત સુદામો છે, વચ્ચેનું દ્વાર બંધ છે ને એની પાછળ અનેક રાણીઓ ને પટ્ટરાણીઓથી ઘેરાયેલા, સોનાને હીંચકે પોઢેલા, સુખમાં ઝકઝોર એવા કૃષ્ણ  છે. એ ક્ષણે દાસીમુખેથી સુદામાના આગમનને જાણીને
{{Poem2Close}}
<poem>
‘હેં હેં કરતો ઊઠ્યો શામળિયો’,
આવ્યો સુદામો! હું દુઃખિયાનો વિસામો’
</poem>
{{Poem2Open}}
એવું ઉદ્‌ગારીને પડતા-આખડતા દોડતા કૃષ્ણનું ચિત્ર  આલેખીને પ્રેમાનંદે આડો આંક વાળી દીધો છે! જોવાનું તો એ છે કે દુઃખિયો જણ તો બહાર ઊભો છે ને સુખિયો જણ પોતાને  આ ક્ષણે દુઃખિયા તરીકે ઓળખાવે છે! પ્રેમાનંદને કહેવું તો એ છે કે આટલાં સુખ વચ્ચે પોતાને સમજે એવું જણ કૃષ્ણને વર્ષો પછી આજે સાંપડ્યું છે! હવે સાચા અર્થમાં સુખિયા થશે.
સુદામાની ઠઠ્ઠા ઉડાડતા ભેગા થયેલા લોકની વચ્ચે સુદામાનાં ચરણમાં કૃષ્ણે માથું મૂકી દીધું છે ત્યારે હસી પડવાની ક્ષણે આ ‘ઋષિ’ સંક્ષાભ પામીને રડી પડ્યો છે! સુદામા પર ઓળઘોળ થયેલા કૃષ્ણ તેનું સન્માન કરતાં કહે છે,
{{Poem2Close}}
<poem>
‘ઋષિ પાવન કર્યું મુજ ગામ રે,
હવાં પવિત્ર કરો મુજ ધામ રે;’
</poem>
{{Poem2Open}}
ને સુદામાને અંદર લઈ જઈને તેની સેવા કરતા કૃષ્ણનું ચિત્ર આલેખતા પ્રેમાનંદે ભક્ત ને ભક્તિનો મહિમા કરતું અનેરું ચિત્ર દોરીને ભાવકને ધન્ય કરતાં કરતાં જીવતરનો મર્મ પણ આલેખી દીધો છે.
{{Poem2Close}}
<poem>
‘સુખ સજ્જાએ ઋષિ બેસાડી
ચંમર કરે છે ચક્રપાણિ.
</poem>
{{Poem2Open}}
જેના હાથમાં કાયમ ચક્ર હોય છે એવા સમ્રાટ-શા કૃષ્ણ આજે સુદામાના ઋષિત્વને અખંડ રહેલું જોઈને તેને ચામર ઢોળવા બેસી ગયા છે. આ છે  અસંગત્વનો મહિમા! ભક્ત સુદામા નથી, ભક્ત તો છે કૃષ્ણ, મિત્રના ભક્ત. મિત્રના ઋષિત્વના આરાધક.
હા, ચામર ઢોળતાં ઢોળતાં કૃષ્ણે સુદામાનાં ઋષિત્વને એક ચિકિત્સકની અદાથી ચકાસ્યું છ.ે દૂબળા પડી ગયેલા ભગતને વારંવાર કૃષ્ણ એમનાં દુઃખો અંગે પૂછે છે પણ સુદામા એમ પકડાય તેમ નથી. કૃષ્ણે પૂછેલાં બધાં જ દુઃખો સુદામાએ ભોગવ્યાં હોવા છતાં એને મન દુઃખ એક જ છે ‘નથી કૃષ્ણજી પાસે.’ પણ હવે એ મળ્યા તેથી ‘દેહડી પુષ્ટ જ થાશે.
તો એ જ રીતે કૃષ્ણ અને ભૂતકાળ યાદ કરાવતાં પોતે તે બલરામ એની પાસે શીખતા એવું સુદામાને નમ્રતાપૂર્વક જણાવે છે ત્યારે અભિજાત ગણી સુદામાનો ઉત્તર છે તેમ, ‘મને મોટો કીધો મહારાજ, મને કેમ વીસરે રે!’ કૃષ્ણની માયાજાળને અતિક્રમતા સુદામાનું ઋષિત્વ અખંડ રહેલું જોઈને કૃષ્ણ તેના પ્રતિ લળી-ઢળીને પોતાનું તમામ સુખ તો તેને અર્પે છે પણ પ્રેમાનંદને મન જે અંતિમ સુખ સુદામાને મળ્યું તે કયું? સુદામાએ લાવેલા તાંદુલ તેના હાથમાંથી ઝૂંટવીને સોનાની થાળીમાં તેને ઠાલવતા કૃષ્ણે તેને આપ્યું તે આઃ
‘વેરાયા કણ ને પાત્ર ભરાયું’
મુઠ્ઠીભર તાંદુલના બદલામાં સુદામાને કૃષ્ણે મુક્ત કરી દીધા ગરીબાઈથી, ને સંસાર સુધ્ધાંથી. તેના ઋષિત્વને સાંપડેલું આ અંતિમ વરદાન હતું.
આ બંનેને જોઈ રહેલી રાણીઓમાં ખાસ તો સત્યભામા સુદામાની માર્મિર્ક મજાક કરે છે ત્યારે સાવધાન છે માત્ર રુક્મિણી. સુદામાને રાણીઓ સુધ્ધાં આપી દેવા ઇચ્છતા કૃષ્ણને વારતાં એ કહે છે, ‘અમે અન્યાય શો કીધો નાથ?’ આમ કહીને કૃષ્ણને રોકવાનું સામર્થ્ય માત્ર રુક્મિણીનું જ દર્શાવીને પ્રેમાનંદે એ બંનેનાં દામ્પત્યનેય વધાવી લીધું છે.
ઝગમગતી દ્વારકાનગરીનું, સુદામાની ગરીબાઈનું, કૃષ્ણના સુખનું, ને પાછા ફરેલા સુદામાની સમૃદ્ધિનું પ્રેમાનંદે કરેલું વર્ણન, તેની વર્ણનકલાની ક્ષમતા સૂચવે છે.
તો, એકાદ લસરકાથી સમજદાર કૃષ્ણ દાસીનું, સુદામા-પત્નીને તાંદુલ આપતી ભલી પડોશણનું પાત્ર આલેખતા પ્રેમાનંદની નિરીક્ષણશક્તિ તેને સમાજનો સાચો આલેખક ઠેરવે છે.
‘માધવ સાથે મિત્રાચાર’, ‘દ્રુમ દરિદ્રનાં’, ‘ચમર કરે છે ચક્રપાણિ’ જેવા અલંકારોમાં માત્ર શબ્દચાતુર્ય નથી પણ જીવતરનું વિરલ અર્થઘટન છે.
ઘેર જઈને માંડ માંડ પત્નીને ઓળખતો સુદામો તેની સાથે આલિંગનબદ્ધ બનીને પતિ તરીકે તેને ઉચિત ન્યાય આપવાની ક્ષણે પણ એનાં ઋષિત્વને ગૃહસ્થી સાથે સમન્વિત કરીને સાચા અર્થમાં અસંગ પુરુષ પ્રમાણિત થયો છે.
આખ્યાનના આરંભે સાંદિપનિના ગુરુકુળનો કિશોર વયનો ‘ઋષિ’ સુદામો આખ્યાનને અંતે અનેક ઊથલપાથલો પછીય ‘યદ્યપિ વૈભવ ઇન્દ્રનો, તો ય ઋષિ રહે ઉદાસ.’ તરીકે વર્તીને એનાં ઋષિત્વનાં વર્તુળને સંપન્ન કરે છે. એક બાજુ પ્રેમાનંદની કથાસંકલનાનો વિજય છે, તો બીજી બાજુ એક સાધક વ્યક્તિના વ્યક્તિત્વના ઐશ્વર્યનો આલેખ પણ અહીં અપાયો છે. પ્રેમાનંદ જેને ભક્તિ ગણે છે તે આ સ્વધર્મપ્રીતિ આચારનિષ્ઠા ને સ્વમાં સ્વસ્થ રહ્યાની કલા  ઈશ્વરનુંય અતિક્રમણ કરી શકે છે એની જ વાત આખરે તો પ્રેમાનંદને ‘સુદામાચરિત્ર’માં માંડવી છે. આ અર્થમાં આ આખ્યાન નિર્મળ મનુષ્યની ગાથાનું ગીત બને છે.  
{{Right|– દર્શના ધોળકિયા}}<br>


'''૨. સ્વરૂપનાં લક્ષણોનો ક્રમિક વિકાસ'''
આખ્યાનનું સ્વરૂપ નીપજાવવામાં એક તરફ મહાકાવ્યોની કથાઓ,  પુરાણોની કથાઓ  તથા તે સમયના જૈન રાસાઓ – કથા-કથનની એક પરંપરા રચવામાં કંઈક પ્રેરક બન્યાં. પરંતુ આ બધા કરતાં આખ્યાન મધ્યકાલીન ગુજરાતીનું એક વિશિષ્ટ સ્વરૂપ પુરવાર થયું એ એના ચિત્રાત્મક વાર્તાકથનની લાક્ષણિકતાને કારણે. મહાકાવ્યોમાં પહોળે પટે થતાં કાવ્યાત્મક વર્ણનો કેન્દ્રમાં રહે, પુરાણોમાં કથાઓ અને આખ્યાયિકાઓનું વટવૃક્ષ વિસ્તારથી આકાર ધારણ કરતું હોય જ્યારે આખ્યાન કોઈ એક પ્રસંગને – ઉપાખ્યાનને – લઈને કે એક ચરિત્રને લઈને ચાલતું હોય ને એ પ્રસંગ/ચરિત્રને બહેલાવીને રસાવહ કરવાની એની નેમ હોય. હેમચંદ્રાચાર્યે એમના ‘કાવ્યાનુશાસન’ નામના ગ્રંથમાં આખ્યાન સંજ્ઞા ઉપાખ્યાન આદિના અભિનયન્‌ પઠન્‌ ગાયન્‌-માં જોયેલી એ બતાવે છે કે આવી કથા-રજૂઆતની એક પરંપરા હતી. પછીથી ગુજરાતી આખ્યાનમાં એ પરંપરા સ્વતંત્ર રીતે વિકસી.
ઊર્મિઆલેખન કરતા પદ જેવા પ્રકારોમાં પ્રસંગો ઉમેરાતાં ને સંકલિત થતાં કથાનું આછું રૂપ બંધાતું ગયું, એ આપણને સૌથી પહેલાં નરસિંહમાં જોવા મળ્યું. એનાં આત્મચરિતનાં પદો તથા ‘સુદામાચરિત’ પદમાળારૂપ આખ્યાનો તરીકે સંકલન પામતાં ગયાં. ભાલણના ‘રામબાલચરિત’માં પણ વિવિધ ભાવ-પરિસ્થિતિ આલેખતાં પદો છે. પરંતુ આ વિદગ્ધ કવિ આપણો પહેલો એવો કવિ છે જેણે મોટા પ્રમાણમાં પૌરાણિક કથા-વિષયોનું આલેખન કર્યું. એની આવી રચનાઓમાં સૌ પ્રથમ કડવાબંધ (=પ્રકરણબંધ) જોવા મળે છે – કથાના પ્રસંગોની એક સાંકળ રચાય છે, ને એથી આખ્યાનને એક સુબદ્ધ કથાપ્રકાર તરીકેનો આકાર મળે છે. આ કારણે જ  ભાલણને આખ્યાન-કાવ્યપ્રકારનો પિતા કહેવામાં આવે છે.
નાકરમાં આખ્યાનનું માળખું વધારે સ્પષ્ટ બને છે. આખ્યાનના  આરંભે ‘મુખબંધ’ની પરંપરા હતી, નાકર કડવાને અંતે આવતા ‘વલણ’થી એને ઘાટ આપે છે. પૌરાણિક કથાનકોમાં સમકાલીન જીવનરંગો ઉમેરવાનું પણ નાકરથી આરંભાય છે ને પ્રેમાનંદમાં એ પૂર્ણ રૂપ પામે છે.
આખ્યાનના વિવિધ પ્રસંગો જેમાં પ્રકરણરૂપ પામે છે એ કડવું. કડવું સામાન્ય રીતે ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય – પ્રસંગનો આરંભ કરતી એક (કે બે) કડીઓનો પ્રસ્તાવનાદર્શી ‘મુખબંધ’ (કેશવલાલ હ. ધ્રુવે એને માટે ‘મ્હોડિયું’ શબ્દ પણ યોજ્યો છે.) એ પછી કડવાનો મુખ્ય પ્રસંગાલેખન-અંશ. એને ઢાળ કહેવાય. કોઈ એક દેશી(રાગઢાળ)માં એ આલેખાયું હોય. કડવાને અંતે સમાપ્તિસૂચક ‘વલણ’ની એક કડી હોય, જે જુદા છંદ/દેશીમાં હોય. (વલણને ક્યારેક ‘ઊથલો’ પણ કહેવાય છે.) વલણના કેટલાક શબ્દો બીજા કડવાના ‘મુખબંધ’ માં પુનરાવર્તિત થતા હોય એવું પણ જોવા મળે. આ રીતે સાંકળ જેવી રચનાનો એક ઘાટ પણ ઊપસે છે. વિવિધ કડવાંમાં વિવિધ દેશીઓ યોજાઈ હોય, કોઈ કડવું ક્યારેક ઉદ્રેકસભર પદ રૂપે પણ આલેખાતું હોય. આખ્યાનના આરંભે – પહેલા કડવામાં – કવિ ગણપતિ, સરસ્વતી કે કોઈપણ ઈષ્ટદેવની પ્રાર્થના કરે ને કથાવસ્તુને નિર્દેશતું મંગળાચરણ કરે ને પછી શ્રોતાઓને કથાપ્રવાહમાં આગળ લઈ જાય. આખ્યાનના અંતે ધર્મલાભ માટેની ફલશ્રુતિ હોય, ક્યારેક આખ્યાન રચ્યાનાં વર્ષ-માસ-તિથિનો ને સ્થળનો નિર્દેશ હોય ને કવિનામ(કવિપરિચય)નો નિર્દેશ પણ હોય. આખ્યાનનું  આ એક વ્યાપક માળખું. બધા જ કવિઓનાં બધાં જ આખ્યાનોમાં આ સર્વ અંશો ન પણ હોય.
રોજરોજ શ્રોતાસમુદાય સામે કહેવાતું, વર્ણવાતું, ગવાતું – એક રીતે કહીએ તો ‘ભજવાતું’ – આખ્યાન દરરોજ એક કે બે કડવાંમાં કથારસ પીરસી, પછીના દિવસની કથાનું વિસ્મયભર્યું સૂચન કરી, પ્રત્યેક દિવસે શ્રોતાના રસને જાગતો રાખીને, છેવટે કથાની રસભરી પૂર્ણાહુતિ કરે.
આખ્યાનમાં — ઉત્તમ કવિઓનાં ઉત્તમ આખ્યાનોમાં — આજે પણ કથનકલા-નિપુણતાનો તેમજ કવિત્વનો આહ્‌લાદક અનુભવ થાય છે. સમય ઘણો વહી ગયો છે અને સંદર્ભ ઘણા બદલાઈ ગયા છે છતાં આજે પણ આખ્યાન કથા અને કવિતાની સંતર્પકતાના અનુભવ સુધી આપણને લઈ જઈ શકે છે એ એની સિદ્ધિ છે.
અને આવી સિદ્ધિમાં સૌથી મોટો ફાળો છે કવિ પ્રેમાનંદનો.
{{Right|– શ્રે.}}
{{Poem2Close}}
{{Poem2Close}}



Latest revision as of 18:18, 17 November 2021


નિર્મળ મનુષ્યની ગાથાનું કાવ્ય

મધ્યકાળના મહાકવિ પ્રેમાનંદે પોતાનાં આખ્યાનોને રસપ્રદ બનાવવા માટે રામાયણ, મહાભારત જેવાં મહાકાવ્યો ને ભાગવત જેવાં પુરાણમાંથી કથાનકો પસંદ કરીને તેને પોતાના મૌલિક અભિગમથી આલેખ્યાં છે, ને એમ કરીને તેણે મધ્યકાલીન શ્રોતાઓનું માત્ર મનોરંજન જ નથી કર્યું, પણ એ દ્વારા સહજ રીતે માનવમૂલ્યોનું યશોગાન કરીને મહાકવિને છાજતું દર્શન પણ પ્રગટ કર્યું છે. એ અર્થમાં પ્રેમાનંદ મધ્યકાળનો મોટો કવિ ઠરે છે. ‘કુંવરબાઈનું મામેરું’ ને ‘નળાખ્યાન’ની જેમ ‘સુદામાચરિત્ર’ પણ પ્રેમાનંદની યશોદાયી કૃતિ છે. આ કૃતિને આપણા વિવેચકોએ ‘મૈત્રી કાવ્ય’, ‘ભક્તિકાવ્ય’ ગણાવીને એનું અનેક રીતે મૂલ્યાંકન કર્યું છે. ‘સુદામાચરિત્ર’માં મૈત્રી ને ભક્તિનો, કહો કે ભક્તિપૂર્ણ મૈત્રીનો મહિમા અવશ્ય થયો છે. પણ પ્રેમાનંદનાં ‘મામેરું’, ‘નળાખ્યાન’ જેવાં આખ્યાનોમાંથી પસાર થતાં આપણને જે તરત નજરે ચડે છે તે છે નિર્મળ મનુષ્યનું મહિમાગાન કરવાની પ્રેમાનંદની વૃત્તિ. પ્રેમાનંદ પ્રભાવિત થયો છે નળ ને યુધિષ્ઠિર જેવા પુણ્યશ્લોક રાજર્ષિઓથી ને નરસિંહ તેમ જ સુદામા જેવા સંસારની મધ્યમાં રહીને ‘વર્ત્યા જાય તે ઉપરછલ્લા’ રહીને ‘અસંગ’ પ્રમાણિત થતા વિરલ સાધુજનોથી. ‘સુદામાચરિત્ર’ માં પ્રેમાનંદને ગાવો છે આવા ચરિત્રનો મહિમા. આવું ‘સુદામાચરિત્ર’ પ્રેમાનંદનું એક ઉત્તમ આખ્યાન બની રહ્યું છે તેની કથાસંકલનાથી, પાત્રચિત્રણકળાથી, વર્ણનોનો ચિત્રાત્મક્તાથી, અલંકારોની સમુચિત ગોઠવણીથી ને કાવ્યમાં સિદ્ધ થતી વ્યંજનાથી. ‘સુદામાચરિત્ર’ નો આરંભ થાય છે સાંદીપનિ ઋષિના આશ્રમમાં બલરામ-કૃષ્ણના વિદ્યાપ્રાપ્તિ હેતુ થયેલા આગમનથી, જ્યાં ‘વડા’ વિદ્યાર્થી તરીકે ‘ઋષિ’ સુદામાની નિયુક્તિ થયેલી છે. ગુરુ સાંદીપનિની મનુષ્યમાં પડેલી અનંત શક્યતાની ઓળખનો આડકતરો પરિચય કરાવીને પ્રેમાનંદે એમના ગુરુત્વનો મહિમા કરી દીધો છે. પ્રેમાનંદ લાઘવનો કવિ હોવાની પ્રતીતિ પહેલા જ કડવામાં થઈ જાય છે. સુદામાનો પરિચય, બલરામ-કૃષ્ણ-સુદામાની ઉત્તરોત્તર ગાઢ થતી ગયેલી મૈત્રી, બલરામ-કૃષ્ણનું વિદ્યાપ્રાપ્તિ કરીને વિદાય થવું, વિદાય લેતી વેળાએ કૃષ્ણનું સુદામાને ‘મા’નુભાવ! ફરીને મળજો’ કહીને સૂચક રીતે પોતા પાસે આવવાનું નિમંત્રણ દેવું, ‘સદા તમારા ચરણ વિશે રહેજો મનસા મારી’ કહેતા ‘ઋષિ’ સુદામાની અનાસક્તિ વ્યક્ત કરીને તેમની નિર્મળતાનાં ફૂટું ફૂટું થતાં બીજનો પરિચય કરાવવો, ને બંને મિત્રોનું પોતપોતાના જીવનમાં સ્થિર થવું – આટલી ઘટનાઓ એકસાથે અહીં ઘટે છે. સુદામાથી છૂટા પડીને કૃષ્ણ દ્વારકાના અધિપતિ બને છે ને બીજી બાજુ સુદામાનો પરિવાર અન્ન વિના ટળવળે છે. આવા વિષમ સંજોગોમાં સુદામાની પત્ની ધીરજ ને સલુકાઈથી માંડ માંડ પોતાની ગૃહસ્થી નિભાવે છે. પણ છેવટે એ વિવશ બનીને પોતાના દેવતુલ્ય પતિ સમક્ષ પોતાની વ્યાવહારિક મૂંઝવણો તારસ્વર વ્યક્ત કરે છે. પતિ સાથેના તેના સંવાદમાં તેનું કોમળ, ગરિમાયુક્ત, એક આચારનિષ્ઠ ગૃહસ્થી નારીનું પ્રેમાનંદે આંકેલું ચિત્ર સહૃદયના ચિત્તને રણઝણાવી દે એ રીતની અભિવ્યક્તિ પામ્યું છે. સુદામાનાં જ્ઞાન ને ઋષિત્વનો એ અનહદ આદર કરે છે, પણ વ્યવહાર ને પરિવારની જાળવણી માટે આર્થિક ઉપાર્જનની અનિવાર્યતા પર ભાર દેતાં વિનીતભાવે પતિને કૃષ્ણ પાસે જવા એ વિવિધ દલીલોથી ઉદ્દીપ્ત કરે છે. તેની એ દલીલોમાં વિવેકપૂર્ણ વ્યવહારુતા છે, અભિજાત જીવનદૃષ્ટિ છે, ભવિષ્યના જીવનને લક્ષતી દીર્ઘદૃષ્ટિ છે, જીવન પ્રત્યેનો ગૌરવશીલ અભિગમ છે ને સુદામાની પત્નીને છાજતું ઔચિત્ય છે. પત્નીની દલીલોના પ્રત્યુત્તરમાં સુદામાએ વ્યક્ત કરેલી ભાવનામાં એક ખાનદાન બ્રાહ્મણનું વ્યક્તિત્વ ભર્યું છે. ‘જાચતાં જીવ જાય’માં માનતો આ અજાચક વ્રતધારી ઋષિ, પત્નીની મૂંઝવણને પૂરેપૂરી સમજવા છતાં પોતાના સિદ્ધાંતને છોડવા રાજી નથી. પણ પત્ની પ્રત્યેના પ્રેમને લઈને છેવટે એ કૃષ્ણને મળવા માટે પોતાનાં ચરણ ઉપાડે છે, ખાલી હાથે નહીં પણ કૃષ્ણનાં બાળકો માટે તાંદુલથીય હલકા પ્રકારના ‘કાંગવા’ પડોશણ પાસેથી માગીને – ભરેલા હાથે.

‘સુદામાચરિત્ર’માં પ્રેમાનંદે અવારનવાર સામસામેની પરિસ્થિતિઓ મૂકીને વિરોધ નિષ્પન્ન કર્યો છે, જેથી એક બાજુ આખ્યાનમાં રંગત જામે છે ને બીજી બાજુ હાસ્ય ને કરુણ રસ ભાવકને હસતાં હસતાં રડાવી જાય છે. અહીં એક બાજુ છે ગરીબ સુદામો ને બીજી બાજુ સુવર્ણની ઝળહળતી નગરી દ્વારકા! જેમાં પ્રવેશતાંવેંત સુદામાને

‘જાદવ સ્ત્રી તાળી દઈ દઈ હસે,
ધન્ય એ નગર જ્યાં આવો નર વસે’

આ પ્રકારનો વ્યંગાત્મક સત્કાર સાંપડે છે. બાળકો કાંકરીચાળા કરતાં સુદામાનો પીછો પકડે છે ને નગરજનોનાં વીંધી નાખે એવાં વ્યંગબાણોની વચ્ચે ‘ભાવકની આંખો અશ્રુભીની બને છે ત્યારે ‘તો યે ઋષિજી હસતા જાય’ એવા સુદામાનો કૃષ્ણ દ્વારા સત્કાર થવો તો બાકી છે એની રાહમાં ભાવક કુતૂહલવશ છે. બરાબર એ જ ક્ષણે એક બીજો વિરોધ પ્રેમાનંદે આલેખ્યો છે. એકાદા સમજુ જણની મદદથી માંડ માંડ કૃષ્ણદ્વારે પહોંચેલો સુદામો દાસીને પોતાની ઓળખ આપીને કૃષ્ણને પોતાના આગમનની જાણ કરે છે. એક બાજુ પ્રતીક્ષારત સુદામો છે, વચ્ચેનું દ્વાર બંધ છે ને એની પાછળ અનેક રાણીઓ ને પટ્ટરાણીઓથી ઘેરાયેલા, સોનાને હીંચકે પોઢેલા, સુખમાં ઝકઝોર એવા કૃષ્ણ છે. એ ક્ષણે દાસીમુખેથી સુદામાના આગમનને જાણીને

‘હેં હેં કરતો ઊઠ્યો શામળિયો’,
આવ્યો સુદામો! હું દુઃખિયાનો વિસામો’

એવું ઉદ્‌ગારીને પડતા-આખડતા દોડતા કૃષ્ણનું ચિત્ર આલેખીને પ્રેમાનંદે આડો આંક વાળી દીધો છે! જોવાનું તો એ છે કે દુઃખિયો જણ તો બહાર ઊભો છે ને સુખિયો જણ પોતાને આ ક્ષણે દુઃખિયા તરીકે ઓળખાવે છે! પ્રેમાનંદને કહેવું તો એ છે કે આટલાં સુખ વચ્ચે પોતાને સમજે એવું જણ કૃષ્ણને વર્ષો પછી આજે સાંપડ્યું છે! હવે એ સાચા અર્થમાં સુખિયા થશે. સુદામાની ઠઠ્ઠા ઉડાડતા ભેગા થયેલા લોકની વચ્ચે સુદામાનાં ચરણમાં કૃષ્ણે માથું મૂકી દીધું છે ત્યારે હસી પડવાની ક્ષણે આ ‘ઋષિ’ સંક્ષાભ પામીને રડી પડ્યો છે! સુદામા પર ઓળઘોળ થયેલા કૃષ્ણ તેનું સન્માન કરતાં કહે છે,

‘ઋષિ પાવન કર્યું મુજ ગામ રે,
હવાં પવિત્ર કરો મુજ ધામ રે;’

ને સુદામાને અંદર લઈ જઈને તેની સેવા કરતા કૃષ્ણનું ચિત્ર આલેખતા પ્રેમાનંદે ભક્ત ને ભક્તિનો મહિમા કરતું અનેરું ચિત્ર દોરીને ભાવકને ધન્ય કરતાં કરતાં જીવતરનો મર્મ પણ આલેખી દીધો છે.

‘સુખ સજ્જાએ ઋષિ બેસાડી
ચંમર કરે છે ચક્રપાણિ.’

જેના હાથમાં કાયમ ચક્ર હોય છે એવા સમ્રાટ-શા કૃષ્ણ આજે સુદામાના ઋષિત્વને અખંડ રહેલું જોઈને તેને ચામર ઢોળવા બેસી ગયા છે. આ છે અસંગત્વનો મહિમા! ભક્ત સુદામા નથી, ભક્ત તો છે કૃષ્ણ, મિત્રના ભક્ત. મિત્રના ઋષિત્વના આરાધક. હા, ચામર ઢોળતાં ઢોળતાં કૃષ્ણે સુદામાનાં ઋષિત્વને એક ચિકિત્સકની અદાથી ચકાસ્યું છ.ે દૂબળા પડી ગયેલા ભગતને વારંવાર કૃષ્ણ એમનાં દુઃખો અંગે પૂછે છે પણ સુદામા એમ પકડાય તેમ નથી. કૃષ્ણે પૂછેલાં બધાં જ દુઃખો સુદામાએ ભોગવ્યાં હોવા છતાં એને મન દુઃખ એક જ છે ‘નથી કૃષ્ણજી પાસે.’ પણ હવે એ મળ્યા તેથી ‘દેહડી પુષ્ટ જ થાશે. તો એ જ રીતે કૃષ્ણ અને ભૂતકાળ યાદ કરાવતાં પોતે તે બલરામ એની પાસે શીખતા એવું સુદામાને નમ્રતાપૂર્વક જણાવે છે ત્યારે અભિજાત ગણી સુદામાનો ઉત્તર છે તેમ, ‘મને મોટો કીધો મહારાજ, મને કેમ વીસરે રે!’ કૃષ્ણની માયાજાળને અતિક્રમતા સુદામાનું ઋષિત્વ અખંડ રહેલું જોઈને કૃષ્ણ તેના પ્રતિ લળી-ઢળીને પોતાનું તમામ સુખ તો તેને અર્પે જ છે પણ પ્રેમાનંદને મન જે અંતિમ સુખ સુદામાને મળ્યું તે કયું? સુદામાએ લાવેલા તાંદુલ તેના હાથમાંથી ઝૂંટવીને સોનાની થાળીમાં તેને ઠાલવતા કૃષ્ણે તેને આપ્યું તે આઃ ‘વેરાયા કણ ને પાત્ર ભરાયું’ મુઠ્ઠીભર તાંદુલના બદલામાં સુદામાને કૃષ્ણે મુક્ત કરી દીધા ગરીબાઈથી, ને સંસાર સુધ્ધાંથી. તેના ઋષિત્વને સાંપડેલું આ અંતિમ વરદાન હતું. આ બંનેને જોઈ રહેલી રાણીઓમાં ખાસ તો સત્યભામા સુદામાની માર્મિર્ક મજાક કરે છે ત્યારે સાવધાન છે માત્ર રુક્મિણી. સુદામાને રાણીઓ સુધ્ધાં આપી દેવા ઇચ્છતા કૃષ્ણને વારતાં એ કહે છે, ‘અમે અન્યાય શો કીધો નાથ?’ આમ કહીને કૃષ્ણને રોકવાનું સામર્થ્ય માત્ર રુક્મિણીનું જ દર્શાવીને પ્રેમાનંદે એ બંનેનાં દામ્પત્યનેય વધાવી લીધું છે. ઝગમગતી દ્વારકાનગરીનું, સુદામાની ગરીબાઈનું, કૃષ્ણના સુખનું, ને પાછા ફરેલા સુદામાની સમૃદ્ધિનું પ્રેમાનંદે કરેલું વર્ણન, તેની વર્ણનકલાની ક્ષમતા સૂચવે છે. તો, એકાદ લસરકાથી સમજદાર કૃષ્ણ દાસીનું, સુદામા-પત્નીને તાંદુલ આપતી ભલી પડોશણનું પાત્ર આલેખતા પ્રેમાનંદની નિરીક્ષણશક્તિ તેને સમાજનો સાચો આલેખક ઠેરવે છે. ‘માધવ સાથે મિત્રાચાર’, ‘દ્રુમ દરિદ્રનાં’, ‘ચમર કરે છે ચક્રપાણિ’ જેવા અલંકારોમાં માત્ર શબ્દચાતુર્ય નથી પણ જીવતરનું વિરલ અર્થઘટન છે. ઘેર જઈને માંડ માંડ પત્નીને ઓળખતો સુદામો તેની સાથે આલિંગનબદ્ધ બનીને પતિ તરીકે તેને ઉચિત ન્યાય આપવાની ક્ષણે પણ એનાં ઋષિત્વને ગૃહસ્થી સાથે સમન્વિત કરીને સાચા અર્થમાં અસંગ પુરુષ પ્રમાણિત થયો છે. આખ્યાનના આરંભે સાંદિપનિના ગુરુકુળનો કિશોર વયનો ‘ઋષિ’ સુદામો આખ્યાનને અંતે અનેક ઊથલપાથલો પછીય ‘યદ્યપિ વૈભવ ઇન્દ્રનો, તો ય ઋષિ રહે ઉદાસ.’ તરીકે વર્તીને એનાં ઋષિત્વનાં વર્તુળને સંપન્ન કરે છે. એક બાજુ પ્રેમાનંદની કથાસંકલનાનો આ વિજય છે, તો બીજી બાજુ એક સાધક વ્યક્તિના વ્યક્તિત્વના ઐશ્વર્યનો આલેખ પણ અહીં અપાયો છે. પ્રેમાનંદ જેને ભક્તિ ગણે છે તે આ સ્વધર્મપ્રીતિ આચારનિષ્ઠા ને સ્વમાં સ્વસ્થ રહ્યાની કલા ઈશ્વરનુંય અતિક્રમણ કરી શકે છે એની જ વાત આખરે તો પ્રેમાનંદને ‘સુદામાચરિત્ર’માં માંડવી છે. આ અર્થમાં આ આખ્યાન નિર્મળ મનુષ્યની ગાથાનું ગીત બને છે. – દર્શના ધોળકિયા