કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨. ધ્રુવતારા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨. ધ્રુવતારા| નિરંજન ભગત}} <poem> એ જ આભે એ જ તારા, એ જ સૌની એની એ જ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 16: Line 16:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૨)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૨)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧. જાગૃતિ|૧. જાગૃતિ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩. સુધામય વારુણી|૩. સુધામય વારુણી]]
}}

Latest revision as of 10:32, 3 September 2021

૨. ધ્રુવતારા

નિરંજન ભગત

એ જ આભે એ જ તારા,
એ જ સૌની એની એ જ તેજધારા,
ને છતાં લાગી રહ્યાં છે આજ સૌનાં રૂપ ન્યારાં!

સૌમ્ય એવી શી છટામાં,
બે ભ્રૂકુટિની નીચે ઘેરી ઘટામાં,
જ્યારથી મેં જોઈ લીધા છે પ્રિયે, તવ ઘૂમટામાં
નેનના બે ધ્રુવતારા,
ત્યારથી લાગી રહ્યાં સૌ રૂપ ન્યારાં!
એ જ આભે એ જ તારા, એની એ છે તેજધારા!


૧૯૪૮

(બૃહદ છંદોલય, પૃ. ૧૨)