ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧) શબ્દસંકેત: Difference between revisions

સુધારા
No edit summary
(સુધારા)
 
Line 16: Line 16:
'''૨. ‘જાત્યાદિવાદ’'''
'''૨. ‘જાત્યાદિવાદ’'''
{{Poem2Open}}
{{Poem2Open}}
આ મત પ્રમાણે શબ્દનો સંકેત તેની ઉપાધિમાં, એટલે કે સંજ્ઞા વગેરે જે ભિન્ન ભિન્ન વિષયો છે તેમાં, રહેલો છે. ‘ગાય’ શબ્દ બોલતાં ‘ગોત્વ’ જાતિનો, ‘શુક્લ’ શબ્દ બોલતાં ‘શુક્લત્વ’ એ ગુણનો, ‘ચાલતો’ શબ્દ બોલતાં ચાલવાની ક્રિયાનો અને ‘ડિત્થ’ શબ્દ બોલતાં એ સંજ્ઞાના સ્ફોટરૂપનો૧<ref>૧. સ્ફોટવાદ માટે જુઓ પરિશિષ્ટ (૯)</ref> બોધ થાય છે.
આ મત પ્રમાણે શબ્દનો સંકેત તેની ઉપાધિમાં, એટલે કે સંજ્ઞા વગેરે જે ભિન્ન ભિન્ન વિષયો છે તેમાં, રહેલો છે. ‘ગાય’ શબ્દ બોલતાં ‘ગોત્વ’ જાતિનો, ‘શુક્લ’ શબ્દ બોલતાં ‘શુક્લત્વ’ એ ગુણનો, ‘ચાલતો’ શબ્દ બોલતાં ચાલવાની ક્રિયાનો અને ‘ડિત્થ’ શબ્દ બોલતાં એ સંજ્ઞાના સ્ફોટરૂપનો<ref>સ્ફોટવાદ માટે જુઓ પરિશિષ્ટ (૯)</ref> બોધ થાય છે.
હવે પ્રશ્ન એ થાય છે કે ઉપાધિઓનું સ્વતંત્ર અસ્તિત્વ તો છે જ નહિ, એમનો આશ્રય તો વ્યક્તિમાં જ છે. વળી આપણો સઘળો વ્યવહાર વ્યક્તિ સાથે છે, તો આ મતની સાથે એનો મેળ કેમ બેસાડવો? આ મતમાં માનનારાઓ કહે છે કે શબ્દમાંથી સૌપ્રથમ આપણને એની જાતિ વગેરે ઉપાધિનો જ બોધ થાય છે, પણ પછી આક્ષેપ અગર અનુમાનથી આપણને વ્યક્તિનું જ્ઞાન થાય છે. જેમ કે ‘ધોળુ’ શબ્દ બોલતાં ‘ધોળાશ’ એ ગુણનો અને પછી અનુમાનથી ધોળી વ્યક્તિનો બોધ થાય છે.
હવે પ્રશ્ન એ થાય છે કે ઉપાધિઓનું સ્વતંત્ર અસ્તિત્વ તો છે જ નહિ, એમનો આશ્રય તો વ્યક્તિમાં જ છે. વળી આપણો સઘળો વ્યવહાર વ્યક્તિ સાથે છે, તો આ મતની સાથે એનો મેળ કેમ બેસાડવો? આ મતમાં માનનારાઓ કહે છે કે શબ્દમાંથી સૌપ્રથમ આપણને એની જાતિ વગેરે ઉપાધિનો જ બોધ થાય છે, પણ પછી આક્ષેપ અગર અનુમાનથી આપણને વ્યક્તિનું જ્ઞાન થાય છે. જેમ કે ‘ધોળુ’ શબ્દ બોલતાં ‘ધોળાશ’ એ ગુણનો અને પછી અનુમાનથી ધોળી વ્યક્તિનો બોધ થાય છે.
જાત્યાદિવાદીઓની આ વિચારણામાં એક મુદ્દો ચિંત્ય છે. સ્ફોટરૂપ તો બધા શબ્દોને હોય છે, તો તેમણે માત્ર સંજ્ઞાવાચક શબ્દોમાં જ સ્ફોટરૂપનો બોધ થાય છે એમ કેમ કહ્યું છે? આનો ખુલાસો એમ અપાય છે કે જાતિ, ગુણ અને ક્રિયાનું બળ રહેલું છે, જ્યારે સંજ્ઞા તો સ્વેચ્છાએ આરોપવામાં આવે છે; એટલે એના વાચકત્વ પાછળ એવું કોઈ બળ રહેલું નથી. તેનું સ્ફોટરૂપ દર્શાવવાથી તેનું વાચકત્વ નિત્ય સ્વરૂપ ધારણ કરે છે.
જાત્યાદિવાદીઓની આ વિચારણામાં એક મુદ્દો ચિંત્ય છે. સ્ફોટરૂપ તો બધા શબ્દોને હોય છે, તો તેમણે માત્ર સંજ્ઞાવાચક શબ્દોમાં જ સ્ફોટરૂપનો બોધ થાય છે એમ કેમ કહ્યું છે? આનો ખુલાસો એમ અપાય છે કે જાતિ, ગુણ અને ક્રિયાનું બળ રહેલું છે, જ્યારે સંજ્ઞા તો સ્વેચ્છાએ આરોપવામાં આવે છે; એટલે એના વાચકત્વ પાછળ એવું કોઈ બળ રહેલું નથી. તેનું સ્ફોટરૂપ દર્શાવવાથી તેનું વાચકત્વ નિત્ય સ્વરૂપ ધારણ કરે છે.
પણ આ જાતનો ખુલાસો કોઈ રીતે સંતોષકારક નથી, કારણ કે સ્ફોટને ઉચ્ચારણ સાથે સંબંધ છે, અર્થ સાથે નહિ; અને એથી સ્ફોટનો સિદ્ધાંત માત્ર સંજ્ઞાવાચક શબ્દોને જ નહિ, પણ જાતિવાચક, ગુણવાચક અને ક્રિયાવાચક એ બધી જાતના શબ્દોને સરખી રીતે લાગુ પડે. ખરી વાત તો એ છે કે સંજ્ઞાવાચક શબ્દોમાં આપણને વ્યક્તિનો બોધ થાય છે, એમ માનવું જ વધારે ઉચિત છે; કારણ કે સંજ્ઞા કોઈ એક વિશિષ્ટ વ્યક્તિને જ દર્શાવે છે.<ref>૧. પ્રો. સુકથંકર પણ સંજ્ઞાવાચક શબ્દોમાં વ્યક્તિનો બોધ થાય છે એમ માને છે.</ref> એનાં કોઈ અંતર્ગત લક્ષણો સાથે એને સંબંધ નથી.
પણ આ જાતનો ખુલાસો કોઈ રીતે સંતોષકારક નથી, કારણ કે સ્ફોટને ઉચ્ચારણ સાથે સંબંધ છે, અર્થ સાથે નહિ; અને એથી સ્ફોટનો સિદ્ધાંત માત્ર સંજ્ઞાવાચક શબ્દોને જ નહિ, પણ જાતિવાચક, ગુણવાચક અને ક્રિયાવાચક એ બધી જાતના શબ્દોને સરખી રીતે લાગુ પડે. ખરી વાત તો એ છે કે સંજ્ઞાવાચક શબ્દોમાં આપણને વ્યક્તિનો બોધ થાય છે, એમ માનવું જ વધારે ઉચિત છે; કારણ કે સંજ્ઞા કોઈ એક વિશિષ્ટ વ્યક્તિને જ દર્શાવે છે.<ref>પ્રો. સુકથંકર પણ સંજ્ઞાવાચક શબ્દોમાં વ્યક્તિનો બોધ થાય છે એમ માને છે.</ref> એનાં કોઈ અંતર્ગત લક્ષણો સાથે એને સંબંધ નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''૩. ‘જાતિરેવવાદ’ :'''
'''૩. ‘જાતિરેવવાદ’ :'''