સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/હૃદયવીણા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:
આ કાવ્યસમૂહમાં કેટલાંક ખંડકાવ્યો છે, તેમને પોતપોતાનું વસ્તુ છે પણ તે વસ્તુના ધ્વનિથી તેમાં આવતાં વર્ણનોને પોષણ મળેલું જણાતું નથી. રાત્રિ, સમુદ્ર, નદી, પર્વત, ચંદા, તારા, બધાં તેનાં તેજ ઠેકાણે ઠેકાણે આવે છે, અને કલ્પના કે અલંકારનું વૈચિત્ર્ય પ્રત્યેક પ્રસંગે જણાવી ન શકતાં, જુદા જુદા શબ્દોથી પણ તેને તેજ રૂપે વર્ણવાયલાં મળી આવે છે. કિંબહુના, તે તે સ્થાનના વસ્તુનો પણ તે તે વર્ણનને રંગ લાગતો નથી. આખા આ કાવ્ય પ્રવાહનું તત્ત્વ એક શબ્દમાં જ છે એમ કહીએ તો ચાલે. ‘દિવ્ય’ એ શબ્દમાં કોઇ મહોટું કાવ્યત્વ અને વ્યંજકત્વ આપણા આ કવિને લાગ્યું છે, અને ‘કીનારા’, ‘સત્વ’, ‘સુંદરી,’ ‘તારા,’ ‘વાસ’ ગમે તેને પણ ‘દિવ્ય’ એ વિશેષણ લાગવાથી ઘણું ગૂઢ વ્યંજકત્વ આવી જતું હોય એમ તેઓ માને છે. પણ શબ્દશક્તિનો વિચાર કરતાં સ્પષ્ટ જણાશે કે ‘દિવ્ય’ શબ્દની શક્તિ આપણા ગૂજરાતી વાચકોને હજી અવગત નથી, તેમ સંસ્કૃતમાં એ દિવ્ય એટલે ‘દેવતાસંબંધી’–‘સ્વર્ગનું’ એ કરતાં કોઈ વધારે ભવ્ય અર્થ જાણવામાં નથી. આ કવિને તો Divine—ખાસ ઇશ્વરે પ્રેરેલું, મોકલેલું, ઇશ્વરી, એ અર્થ દિવ્ય શબ્દથી ઇષ્ટ છે. અંગરેજીમાં Divine child કહીએ તો ‘ક્રાઇસ્ટ’ એમ હરકોઇ તુરત સમજે અને એ શબ્દોની લાક્ષણિક તથા વ્યંગ્યમર્યાદા ગ્રહણ થઇ શકે; પણ ગૂજરાતીમાં કે સંસ્કૃતમાં એનોજ તરજુમો ‘દિવ્ય બાલક’ કહીએ તો કોઇ તેવા અર્થનું ગ્રહણ કરી શકે નહિ એ ખુલ્લું છે. એજ રીતે ‘અનંતતાદેવી’ (Infinity) ‘નવજીવન’ (New life) (Lifeafter death), અમરભૂ (Immortal heaven), અમૃતત્વ સિંધુ (Ocean of Immortality) એવા કેવલ યુરોપીયવાચકથી અંગરેજી આકારે સમજી અને ગ્રહી શકાય તેવી શક્તિવાળા શબ્દોને પ્રયોજી તથા ઉદ્દેશી જે કાવ્યો રચાય તે કેવલ નીરસ અને ગ્રહણ પણ ન થઈ શકે એવાં ક્લિષ્ટ કહેવાય તો તેમાં આશ્ચર્ય નથી. એ બધા શબ્દો ક્રીસ્ચીઅન ધર્મ જાણનારને પરિચિત હોઈ ધ્વનિના બોધક છે, આપણને કશો અર્થબોધ કરી શકતા નથી. મુક્તિફોજવાળા ગાય છે કે  
આ કાવ્યસમૂહમાં કેટલાંક ખંડકાવ્યો છે, તેમને પોતપોતાનું વસ્તુ છે પણ તે વસ્તુના ધ્વનિથી તેમાં આવતાં વર્ણનોને પોષણ મળેલું જણાતું નથી. રાત્રિ, સમુદ્ર, નદી, પર્વત, ચંદા, તારા, બધાં તેનાં તેજ ઠેકાણે ઠેકાણે આવે છે, અને કલ્પના કે અલંકારનું વૈચિત્ર્ય પ્રત્યેક પ્રસંગે જણાવી ન શકતાં, જુદા જુદા શબ્દોથી પણ તેને તેજ રૂપે વર્ણવાયલાં મળી આવે છે. કિંબહુના, તે તે સ્થાનના વસ્તુનો પણ તે તે વર્ણનને રંગ લાગતો નથી. આખા આ કાવ્ય પ્રવાહનું તત્ત્વ એક શબ્દમાં જ છે એમ કહીએ તો ચાલે. ‘દિવ્ય’ એ શબ્દમાં કોઇ મહોટું કાવ્યત્વ અને વ્યંજકત્વ આપણા આ કવિને લાગ્યું છે, અને ‘કીનારા’, ‘સત્વ’, ‘સુંદરી,’ ‘તારા,’ ‘વાસ’ ગમે તેને પણ ‘દિવ્ય’ એ વિશેષણ લાગવાથી ઘણું ગૂઢ વ્યંજકત્વ આવી જતું હોય એમ તેઓ માને છે. પણ શબ્દશક્તિનો વિચાર કરતાં સ્પષ્ટ જણાશે કે ‘દિવ્ય’ શબ્દની શક્તિ આપણા ગૂજરાતી વાચકોને હજી અવગત નથી, તેમ સંસ્કૃતમાં એ દિવ્ય એટલે ‘દેવતાસંબંધી’–‘સ્વર્ગનું’ એ કરતાં કોઈ વધારે ભવ્ય અર્થ જાણવામાં નથી. આ કવિને તો Divine—ખાસ ઇશ્વરે પ્રેરેલું, મોકલેલું, ઇશ્વરી, એ અર્થ દિવ્ય શબ્દથી ઇષ્ટ છે. અંગરેજીમાં Divine child કહીએ તો ‘ક્રાઇસ્ટ’ એમ હરકોઇ તુરત સમજે અને એ શબ્દોની લાક્ષણિક તથા વ્યંગ્યમર્યાદા ગ્રહણ થઇ શકે; પણ ગૂજરાતીમાં કે સંસ્કૃતમાં એનોજ તરજુમો ‘દિવ્ય બાલક’ કહીએ તો કોઇ તેવા અર્થનું ગ્રહણ કરી શકે નહિ એ ખુલ્લું છે. એજ રીતે ‘અનંતતાદેવી’ (Infinity) ‘નવજીવન’ (New life) (Lifeafter death), અમરભૂ (Immortal heaven), અમૃતત્વ સિંધુ (Ocean of Immortality) એવા કેવલ યુરોપીયવાચકથી અંગરેજી આકારે સમજી અને ગ્રહી શકાય તેવી શક્તિવાળા શબ્દોને પ્રયોજી તથા ઉદ્દેશી જે કાવ્યો રચાય તે કેવલ નીરસ અને ગ્રહણ પણ ન થઈ શકે એવાં ક્લિષ્ટ કહેવાય તો તેમાં આશ્ચર્ય નથી. એ બધા શબ્દો ક્રીસ્ચીઅન ધર્મ જાણનારને પરિચિત હોઈ ધ્વનિના બોધક છે, આપણને કશો અર્થબોધ કરી શકતા નથી. મુક્તિફોજવાળા ગાય છે કે  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘કાલનો વાયદો ના કરશો ના કરશો’</poem>}}  
{{Block center|'''<poem>‘કાલનો વાયદો ના કરશો ના કરશો’</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
તેનો અર્થ જેમ કોઇ સમજી શકતું નથી, તેમ મુક્તિફોજનું એટલે પરધર્મી અને નકામું માની સમજવાની દરકારે કરતું નથી, તેવી રીતે આવા શબ્દોથી ભરપુર આ કાવ્યો કાવ્યરૂપે ચાલી શકે એમાં અમને પોતાને તો ઘણોજ સંશય છે.  
તેનો અર્થ જેમ કોઇ સમજી શકતું નથી, તેમ મુક્તિફોજનું એટલે પરધર્મી અને નકામું માની સમજવાની દરકારે કરતું નથી, તેવી રીતે આવા શબ્દોથી ભરપુર આ કાવ્યો કાવ્યરૂપે ચાલી શકે એમાં અમને પોતાને તો ઘણોજ સંશય છે.  
વળી ઠેકાણે ઠેકાણે ‘પાપ’, આદિને જીવન આરોપીને કાવ્ય રચાયાં છે,  
વળી ઠેકાણે ઠેકાણે ‘પાપ’, આદિને જીવન આરોપીને કાવ્ય રચાયાં છે,  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>રે ઘેલા પાપ! તુજ ઘોર સ્વરૂપધારી.</poem>}}  
{{Block center|'''<poem>રે ઘેલા પાપ! તુજ ઘોર સ્વરૂપધારી.</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્યાં પાપ (Sin) નો ભાવ આપણા વાચકોને, ક્રિશ્ચીઅનોના જેવો બોધક નથી, એટલે આખું કાવ્ય શુષ્ક પડી જાય છે. ક્રિશ્ચીઅનોને ‘પાપ’ ઈત્યાદિ સેતાનના મહા દારુણ મિત્રરૂપે પ્રસિદ્ધછે, ‘મીસ્ટરીઝ’ નામનાં તેમનાં જાૂનાં નાટકોમાં સુવિદિત છે, અને ‘પાપ’ એ એકલું અમુક પુરુષવાચક થઇ શકે છે. પણ આપણને ‘પાપ’ સાથે સેતાન જેવા પુરુષનો ભાવ જોડવાની જરાએ ટેવ નથી, આપણે તો પાપને જળ એવા કર્મરૂપે માનીએ છીએ, પાપને પુરુષેચ્છારહિત જ સમજીએ છીએે, એટલે આવા જીવારોપણથી કરેલાં આ સંગ્રહમાંનાં કાવ્યમાત્ર નિવરકાશજ છે. ‘દિવ્ય સુંદરીઓનો ગરબો’ એમ કરીને જે કવિતા લખી છે. તેજ જુઓ, ‘દિવ્ય સુંદરી’ આ શબ્દની શક્તિ જ પ્રથમ તો આપણા વાચકોને જડવાની નહિ, પછી દિવ્ય સુંદરીઓના ગરબાને શી રીતે ગ્રહણ કરે? તેમાં પણ તે દિવ્ય સુંદરીઓ ચંદા, શુક્ર તારા ને તારાસખી એવી દેખીને તો મનને ક્લેશજ થાય, કેમકે ચંદ્ર કે શુક્રને સખી-રૂપે આપણો વાચક વર્ગ ઓળખતો જ નથી, તો તેને ‘દિવ્ય સુંદરીઓ’ કહેનાર કવિની ઉક્તિમાં કાવ્યત્ય હોય તોપણ તે તેના પોતાના મનને ખુશી કરી શકે, વાચકને તો ભાગ્યેજ કરી શકે. કારણ એજ કે અત્ર શબ્દ શક્તિથી ધારેલું કાર્ય થતું નથી. બીજું દૃષ્ટાન્ત લઈએઃ—
ત્યાં પાપ (Sin) નો ભાવ આપણા વાચકોને, ક્રિશ્ચીઅનોના જેવો બોધક નથી, એટલે આખું કાવ્ય શુષ્ક પડી જાય છે. ક્રિશ્ચીઅનોને ‘પાપ’ ઈત્યાદિ સેતાનના મહા દારુણ મિત્રરૂપે પ્રસિદ્ધછે, ‘મીસ્ટરીઝ’ નામનાં તેમનાં જાૂનાં નાટકોમાં સુવિદિત છે, અને ‘પાપ’ એ એકલું અમુક પુરુષવાચક થઇ શકે છે. પણ આપણને ‘પાપ’ સાથે સેતાન જેવા પુરુષનો ભાવ જોડવાની જરાએ ટેવ નથી, આપણે તો પાપને જળ એવા કર્મરૂપે માનીએ છીએ, પાપને પુરુષેચ્છારહિત જ સમજીએ છીએે, એટલે આવા જીવારોપણથી કરેલાં આ સંગ્રહમાંનાં કાવ્યમાત્ર નિવરકાશજ છે. ‘દિવ્ય સુંદરીઓનો ગરબો’ એમ કરીને જે કવિતા લખી છે. તેજ જુઓ, ‘દિવ્ય સુંદરી’ આ શબ્દની શક્તિ જ પ્રથમ તો આપણા વાચકોને જડવાની નહિ, પછી દિવ્ય સુંદરીઓના ગરબાને શી રીતે ગ્રહણ કરે? તેમાં પણ તે દિવ્ય સુંદરીઓ ચંદા, શુક્ર તારા ને તારાસખી એવી દેખીને તો મનને ક્લેશજ થાય, કેમકે ચંદ્ર કે શુક્રને સખી-રૂપે આપણો વાચક વર્ગ ઓળખતો જ નથી, તો તેને ‘દિવ્ય સુંદરીઓ’ કહેનાર કવિની ઉક્તિમાં કાવ્યત્ય હોય તોપણ તે તેના પોતાના મનને ખુશી કરી શકે, વાચકને તો ભાગ્યેજ કરી શકે. કારણ એજ કે અત્ર શબ્દ શક્તિથી ધારેલું કાર્ય થતું નથી. બીજું દૃષ્ટાન્ત લઈએઃ—
{{Poem2Close}}
{{Block center|'''<poem>પંથ અરણ્ય ચીરી જતોરે અંતે ઉંચી જ્યહાં કમાન.
દ્વારપાલ મૃત્યુ નામક ઉભો જાવું તે મહીંથી અવસાન.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
{{Block center|<poem>પંથ અરણ્ય ચીરી જતોરે અંતે ઉંચી જ્યહાં કમાન.
દ્વારપાલ મૃત્યુ નામક ઉભો જાવું તે મહીંથી અવસાન.</poem>}}
{{Poem2Close}}
એ દિવ્ય કિનારા-વાળા કાવ્યમાંની કડી કોણ સમજી શકશે? પ્રથમ તો ‘દિવ્ય કિનારા’ એજ આંટી છે, ત્યાં આ કડીનો એક અક્ષર કોઇ ગૂજરાતી વાચક ગ્રહણ કેમ કરશે? બનીયનના પીલ્ગ્રીમ્સ પ્રોગ્રેસમાં આવાં વાક્યો ઘણાં છે, ને ત્યાં તે દેશના વાચકને સુગમ છે; પણ આ દેશના કાવ્યમાં તેવાં વચનો શબ્દમાત્રજ છે. તેમાં કશો અર્થ નથી, તો કાવ્યનું આલ્હાદકત્વ તો ક્યાંથીજ હોય?
એ દિવ્ય કિનારા-વાળા કાવ્યમાંની કડી કોણ સમજી શકશે? પ્રથમ તો ‘દિવ્ય કિનારા’ એજ આંટી છે, ત્યાં આ કડીનો એક અક્ષર કોઇ ગૂજરાતી વાચક ગ્રહણ કેમ કરશે? બનીયનના પીલ્ગ્રીમ્સ પ્રોગ્રેસમાં આવાં વાક્યો ઘણાં છે, ને ત્યાં તે દેશના વાચકને સુગમ છે; પણ આ દેશના કાવ્યમાં તેવાં વચનો શબ્દમાત્રજ છે. તેમાં કશો અર્થ નથી, તો કાવ્યનું આલ્હાદકત્વ તો ક્યાંથીજ હોય?
આ બધી વાતનું મુખ્ય કારણ એ છે કે આ કાવ્યના રચનારને તત્ત્વસંબંધે કોઇ અમુક પ્રકારની, અને ઘણું કરી કીશ્ચીઅન ધર્મને અનુકુલ આવે તેવી, તત્ત્વવ્યવસ્થા ઇષ્ટ જણાય છે, ને તેનો રંગ તેનાં કાવ્યમાત્રને લાગ્યો છે. એટલે આવાં કાવ્યો અંગરેજી ભાષામાં લખાયાં હોત, અથવા અમુક પ્રકારનો ધર્મ શીખવવાના ગ્રંથમાં લખાયાં હોત, તો તેમની કાવ્ય તરીકે કાંઇક પણ કિંમત થાત, ગૂજરાતી ભાષામાં તો એ કાવ્યોને માટે જગો હોય એમ અમો માની શકતા નથી. ગૂજરાતી ભાષામાં પણ એવાં કાવ્યોની જગો કરવી જોઇએ ને તે આવા સમારંભ વિના થશે નહિ એવું કહેવાનો અવકાશ છે; પરંતુ અમો એમ માનીએ છીએ કે નવી ભાષા બનાવવી એ કાવ્યરચનાનું કામ નથી, ભાષાના તે તે સમયના પરિપાક કરતાં શબ્દપ્રયોગ પરત્વે તો, કાવ્યની ભાષા હમેશાં કાંઇક પાછળજ રહે છે નવા શબ્દો તો વારંવાર કરી નથી શકતી કારણ કે શબ્દની વ્યંજનાશક્તિદ્વારા કાવ્યનો વ્યાપાર ચાલે છે, એટલે નિશ્ચિત વાચ્યાર્થવાળા શબ્દોદ્વારાજ કવિ પોતાની રચના કરી શકે અને પોતાના હૃદયને વાચકના હદયમાં ઉતારી શકે. નવી ભાષા યોજીને કાવ્ય રચે તો તે અરણ્યરુદિતજ થાય. ઉપર જે દિવ્ય સુંદરીઓનો ગરબો’ અમે કેવલ શુષ્ક માન્યો તેની સાથેજ દેવીભક્ત વલ્લભ ભટ્ટનો પ્રસિદ્ધ ‘આનંદનો કે ‘શણગાર’નો ગરબો સરખાવો તો શબ્દશક્તિના સ્વરૂપ ઉપર કાવ્યનો કેવો આધાર રહે છે તે સહજમાં સમજાઇ જશે.
આ બધી વાતનું મુખ્ય કારણ એ છે કે આ કાવ્યના રચનારને તત્ત્વસંબંધે કોઇ અમુક પ્રકારની, અને ઘણું કરી કીશ્ચીઅન ધર્મને અનુકુલ આવે તેવી, તત્ત્વવ્યવસ્થા ઇષ્ટ જણાય છે, ને તેનો રંગ તેનાં કાવ્યમાત્રને લાગ્યો છે. એટલે આવાં કાવ્યો અંગરેજી ભાષામાં લખાયાં હોત, અથવા અમુક પ્રકારનો ધર્મ શીખવવાના ગ્રંથમાં લખાયાં હોત, તો તેમની કાવ્ય તરીકે કાંઇક પણ કિંમત થાત, ગૂજરાતી ભાષામાં તો એ કાવ્યોને માટે જગો હોય એમ અમો માની શકતા નથી. ગૂજરાતી ભાષામાં પણ એવાં કાવ્યોની જગો કરવી જોઇએ ને તે આવા સમારંભ વિના થશે નહિ એવું કહેવાનો અવકાશ છે; પરંતુ અમો એમ માનીએ છીએ કે નવી ભાષા બનાવવી એ કાવ્યરચનાનું કામ નથી, ભાષાના તે તે સમયના પરિપાક કરતાં શબ્દપ્રયોગ પરત્વે તો, કાવ્યની ભાષા હમેશાં કાંઇક પાછળજ રહે છે નવા શબ્દો તો વારંવાર કરી નથી શકતી કારણ કે શબ્દની વ્યંજનાશક્તિદ્વારા કાવ્યનો વ્યાપાર ચાલે છે, એટલે નિશ્ચિત વાચ્યાર્થવાળા શબ્દોદ્વારાજ કવિ પોતાની રચના કરી શકે અને પોતાના હૃદયને વાચકના હદયમાં ઉતારી શકે. નવી ભાષા યોજીને કાવ્ય રચે તો તે અરણ્યરુદિતજ થાય. ઉપર જે દિવ્ય સુંદરીઓનો ગરબો’ અમે કેવલ શુષ્ક માન્યો તેની સાથેજ દેવીભક્ત વલ્લભ ભટ્ટનો પ્રસિદ્ધ ‘આનંદનો કે ‘શણગાર’નો ગરબો સરખાવો તો શબ્દશક્તિના સ્વરૂપ ઉપર કાવ્યનો કેવો આધાર રહે છે તે સહજમાં સમજાઇ જશે.
નવી શબ્દયોજના છતાં એ કાવ્યત્વ બહુ ઉંચા પ્રકારનું જણાતું નથી. અંગરેજી કવિતાઓના મુખ્ય મુખ્ય વિચારોના દુર્બલ અનુકરણ કરતાં અધિક મળી આવતું નથી. ‘અલૌકિક રજની’ એ કાવ્યમાં રજનીનું વર્ણન છે. અંગરેજીમાં સામાન્ય કવિઓ લખે છે તેવા પ્રકારનું છે, પણ ત્યાં એ ભાવનું આરોપણ કરવાનો જે પ્રયાસ છે તે અતીવ દુર્બલ છે. જે ‘ગૂઢ વાત’ ત્યાં રજની આદિના સમાગમનું નિમિત્ત કલ્પી છે, તે ગૂઢની ગૂઢજ રહે છે, ધ્વનિથી પણ વાચકને તેનું ભાન થતું નથી. વળી,  
નવી શબ્દયોજના છતાં એ કાવ્યત્વ બહુ ઉંચા પ્રકારનું જણાતું નથી. અંગરેજી કવિતાઓના મુખ્ય મુખ્ય વિચારોના દુર્બલ અનુકરણ કરતાં અધિક મળી આવતું નથી. ‘અલૌકિક રજની’ એ કાવ્યમાં રજનીનું વર્ણન છે. અંગરેજીમાં સામાન્ય કવિઓ લખે છે તેવા પ્રકારનું છે, પણ ત્યાં એ ભાવનું આરોપણ કરવાનો જે પ્રયાસ છે તે અતીવ દુર્બલ છે. જે ‘ગૂઢ વાત’ ત્યાં રજની આદિના સમાગમનું નિમિત્ત કલ્પી છે, તે ગૂઢની ગૂઢજ રહે છે, ધ્વનિથી પણ વાચકને તેનું ભાન થતું નથી. વળી,  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ઉખેડી ભૂમિથી તેને રોપિયાં પતિ નેનમાં,
{{Block center|'''<poem>ઉખેડી ભૂમિથી તેને રોપિયાં પતિ નેનમાં,
લસતાં દીર્ઘ પક્ષ્મોમાં આંસુડાં ગુંથીને નવાં.</poem>}}
લસતાં દીર્ઘ પક્ષ્મોમાં આંસુડાં ગુંથીને નવાં.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ વર્ણન સ્વપ્નથી બનેલી ઉત્તરા વાત કરતાં અભિમન્યુ સામું જુવે છે તેનું છે. આ ઠેકાણે નયનોને ઉખેડવામાં જેમ તેમ કરીને સ્વારસ્ય માનીશું કેમકે સ્વપ્નના ભયથી તે સ્તબ્ધ થઈ હતી એટલે પૃથ્વી ઉપરથી નયનો ઉપાડ્યા વિના ઉપડે નહિ, પણ પતિના નયનમાં તેમને ‘રોપવા’ અને દીર્ઘ પાંપણોમાં ‘આંસુડાં ગુંથવાનો’ શ્રમ લેવો તે શા માટે? ‘આંસુ’ને પાંપણોમાં ‘ગુંથવાનો’ પ્રકાર નવોજ છે, તથાપિ ભયથી સ્તબ્ધ બાલા નયનને જેમતેમ ‘ઉખેડી’ આશ્રય અને વિશ્વાસ લેવા પતિના નયનમાં પડે છે ત્યાં ‘આંસુડાં ગુંથવાનું’ કૃત્રિમ કાર્ય તેની પાસે કરાવીને રસભંગ ઉપજાવવાથી કાવ્યમાં શી સાર્થકતા આવે છે તે અમે સમજતા નથી ‘ગુંથીને’ એને ઠેકાણે ‘ગુંથાયાં’ એમ હોત તો રસભંગ ન થાત, પણ આ સ્થાને આ શબ્દશક્તિનો સંપૂર્ણ ભાવ લક્ષમાં રહ્યો નથી એજ કારણ છે. મુખ્ય કારણ તો એજ છે કે અંગરેજી કવિઓનાં કાવ્યોનું અનુકરણ કરવામાં શબ્દશક્તિ ઉપર લક્ષ રહ્યું નથી, અને અનુકરણને બદલે વિકરણ થઇને રહ્યું છે. વળી ‘તિમિરનું ગાન’ એવું એક કાવ્ય છે તેમાં પ્રથમ પાંચ કડીઓ સુધી તો કાવ્યરચના સારી છે અને ‘ગાન’ કોઇ‘ દિવ્ય’-તા વાળું હશે એમ લાગે છે, પણ છઠ્ઠી કડીમાંથી તિમિરને વિશ્વના દુઃખ પ્રપંચાદિ રૂપ માનીને દુઃખ પ્રપંચ ક્લેશાદિના વિરાવને ગાન માન્યું છે એમ સમજાતાં કલ્પનાની દુર્બલતા અને કાવ્યનું અનાલ્હાદકત્વજ લક્ષમાં આવે છે, જે જે ઉત્તમ અંગ્રેજ કવિઓએ વિશ્વના સહજ વ્યાપારમાં ‘ગાન’નો આરોપ કર્યો છે તેમણે, તે ગાનને કોઇ ઉચ્ચતાવાળું, ઉન્નત, અને પ્રાપંચિક જીવન પારના આનંદરૂપે ગાયું છે. એમ કરવામાંજ કાવ્યત્વ છે. :  
એ વર્ણન સ્વપ્નથી બનેલી ઉત્તરા વાત કરતાં અભિમન્યુ સામું જુવે છે તેનું છે. આ ઠેકાણે નયનોને ઉખેડવામાં જેમ તેમ કરીને સ્વારસ્ય માનીશું કેમકે સ્વપ્નના ભયથી તે સ્તબ્ધ થઈ હતી એટલે પૃથ્વી ઉપરથી નયનો ઉપાડ્યા વિના ઉપડે નહિ, પણ પતિના નયનમાં તેમને ‘રોપવા’ અને દીર્ઘ પાંપણોમાં ‘આંસુડાં ગુંથવાનો’ શ્રમ લેવો તે શા માટે? ‘આંસુ’ને પાંપણોમાં ‘ગુંથવાનો’ પ્રકાર નવોજ છે, તથાપિ ભયથી સ્તબ્ધ બાલા નયનને જેમતેમ ‘ઉખેડી’ આશ્રય અને વિશ્વાસ લેવા પતિના નયનમાં પડે છે ત્યાં ‘આંસુડાં ગુંથવાનું’ કૃત્રિમ કાર્ય તેની પાસે કરાવીને રસભંગ ઉપજાવવાથી કાવ્યમાં શી સાર્થકતા આવે છે તે અમે સમજતા નથી ‘ગુંથીને’ એને ઠેકાણે ‘ગુંથાયાં’ એમ હોત તો રસભંગ ન થાત, પણ આ સ્થાને આ શબ્દશક્તિનો સંપૂર્ણ ભાવ લક્ષમાં રહ્યો નથી એજ કારણ છે. મુખ્ય કારણ તો એજ છે કે અંગરેજી કવિઓનાં કાવ્યોનું અનુકરણ કરવામાં શબ્દશક્તિ ઉપર લક્ષ રહ્યું નથી, અને અનુકરણને બદલે વિકરણ થઇને રહ્યું છે. વળી ‘તિમિરનું ગાન’ એવું એક કાવ્ય છે તેમાં પ્રથમ પાંચ કડીઓ સુધી તો કાવ્યરચના સારી છે અને ‘ગાન’ કોઇ‘ દિવ્ય’-તા વાળું હશે એમ લાગે છે, પણ છઠ્ઠી કડીમાંથી તિમિરને વિશ્વના દુઃખ પ્રપંચાદિ રૂપ માનીને દુઃખ પ્રપંચ ક્લેશાદિના વિરાવને ગાન માન્યું છે એમ સમજાતાં કલ્પનાની દુર્બલતા અને કાવ્યનું અનાલ્હાદકત્વજ લક્ષમાં આવે છે, જે જે ઉત્તમ અંગ્રેજ કવિઓએ વિશ્વના સહજ વ્યાપારમાં ‘ગાન’નો આરોપ કર્યો છે તેમણે, તે ગાનને કોઇ ઉચ્ચતાવાળું, ઉન્નત, અને પ્રાપંચિક જીવન પારના આનંદરૂપે ગાયું છે. એમ કરવામાંજ કાવ્યત્વ છે. :  
Line 28: Line 28:
રા. રા. નરસિંહરાવ જેવા સંગીત અને કાવ્યના ઉત્તમ વિલાસીએ કેટલેક ઠેકાણે માત્રાની ચૂકો કેમ કરી હશે તે કહી શકાતું નથી.
રા. રા. નરસિંહરાવ જેવા સંગીત અને કાવ્યના ઉત્તમ વિલાસીએ કેટલેક ઠેકાણે માત્રાની ચૂકો કેમ કરી હશે તે કહી શકાતું નથી.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem> થઇ લુપ્ત કય્હાં છબી રૂડી.  
{{Block center|'''<poem> થઇ લુપ્ત કય્હાં છબી રૂડી.  
{{gap|4em}}૦
{{gap|4em}}૦
ફરૂં એકલો મનુજ લોકે  
ફરૂં એકલો મનુજ લોકે  
Line 34: Line 34:
{{gap|4em}}૦
{{gap|4em}}૦
તપ ડુબી ગગન સુંદરી  
તપ ડુબી ગગન સુંદરી  
નહિં ધણીશું દિસે હવે ફરી</poem>}}  
નહિં ધણીશું દિસે હવે ફરી</poem>'''}}  
ઇત્યાદિ રેખતાની કડીઓમાં, તેમ  
ઇત્યાદિ રેખતાની કડીઓમાં, તેમ  
{{Block center|<poem>ને બુદબુદ સમ ફુટી જઇ લુપ્ત થતા ક્ષણમાં</poem>}}  
{{Block center|'''<poem>ને બુદબુદ સમ ફુટી જઇ લુપ્ત થતા ક્ષણમાં</poem>'''}}  
એ રોલાની કડીમાં, તેમ  
એ રોલાની કડીમાં, તેમ  
{{Block center|<poem>ઘેલા પાપ! તુજ ઘોર સ્વરૂપધારી</poem>}}
{{Block center|'''<poem>ઘેલા પાપ! તુજ ઘોર સ્વરૂપધારી</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ વસંતતિલકાના ચરણમાં માત્રાનો દોષ જણાય છે. આપણી ભાષામાં નવીજ ૫દ્ધતિની અને અંગરેજી અનુકરણવાળી કવિતાના નમુનારૂપે પુસ્તક ભાષાના અભ્યાસીઓને, વિચારક્રમના વિલોકનારને, અને નવી કવિતાના શોકીનોને, સંગ્રહમાં રાખવા યોગ્ય છે.
એ વસંતતિલકાના ચરણમાં માત્રાનો દોષ જણાય છે. આપણી ભાષામાં નવીજ ૫દ્ધતિની અને અંગરેજી અનુકરણવાળી કવિતાના નમુનારૂપે પુસ્તક ભાષાના અભ્યાસીઓને, વિચારક્રમના વિલોકનારને, અને નવી કવિતાના શોકીનોને, સંગ્રહમાં રાખવા યોગ્ય છે.

Latest revision as of 12:08, 30 March 2025

હૃદયવિણા[1]

આ કાવ્યસંગ્રહ કીયા વર્ગને આનંદ આપશે તે કહી શકાતું નથી. કુસુમમાળા’ નાં કુસુમો વીલાયતી કુસુમોના જેવાં રંગની ભભકવાળાં છતાં સુગંધહીન હોઈ આકર્ષક લાગે છે એમ કહ્યા પછી ‘હૃદયવીણા’ ના આલાપોમાં હૃદયને વધારે દ્રાવક અને બાહ્ય કરતાં આંતર પરિતોષ ઉપજાવે તેવું સાંભળવાની આશા રાખી હતી. જેમ આ કવિને પરદેશીય એટલે કે સુગંધહીન પણ બાહ્ય ભભકવાળાં કુસુમોનો શોખ છે, તેમ તેમની હૃદયવીણા પણ પાશ્ચાત્ય સંગીતના આલાપોથી ભરેલી જણાય છે. આ દેશના સંગીતને ટેવાયલો શ્રવણ જ્યાં સમની આશા રાખે કે રાગમાં સ્વરોના સંવાદથી રસ ઉપજાવે ત્યાં વિદેશીય સંગીત વિષમતા ઉપજાવે છે અથવા વિવાદી સ્વરોના મિશ્રણથી સંગીતની ખુબી માને છે. એમજ આ કાવ્યોના સંગ્રહમાં પણ દીઠામાં આવે છે. બાહ્ય દૃષ્ટિથી કરેલાં વર્ણનો દર્શાવનાર શબ્દસમૂહમાં કાવ્યત્વ આવતું હોય તો તેવા કાવ્યત્વનો આ સંગ્રહ સારો નમુનો છે. કાવ્યમાં વિશ્વના પદાર્થોના સ્વભાવનું વર્ણન કરવાની શૈલી અયોગ્ય કે અનુચિત નથી, ઘણી કઠિન છે, પરંતુ તેમાં એ કેવલ રેખાચિત્ર શબ્દોથી ગણાવી જવામાં કે બે ચાર અલંકારોથી તે ચિત્રને રળીયામણું બનાવવાનો યત્ન કરવામાં આ ચિત્રની કૃતાર્થતા નથી. ઉત્તમ કવિ તેવા ચિત્રને પણ ભાવવાહી કરી શકે છે, કોઇ ભાવનું પ્રતિબિંબ બનાવી શકે છે, અને જો એ ચિત્ર ગમે તેવા નાના સરખા પણ વસ્તુનો એક ભાગ હોય તો તે ચિત્રમાં તે વસ્તુને પોષક જે ધ્વનિ હોય તેનો સંચાર કરાવી સહૃદયોને દ્રાવ ઉપજાવી શકે છે. આ કાવ્યસમૂહમાં કેટલાંક ખંડકાવ્યો છે, તેમને પોતપોતાનું વસ્તુ છે પણ તે વસ્તુના ધ્વનિથી તેમાં આવતાં વર્ણનોને પોષણ મળેલું જણાતું નથી. રાત્રિ, સમુદ્ર, નદી, પર્વત, ચંદા, તારા, બધાં તેનાં તેજ ઠેકાણે ઠેકાણે આવે છે, અને કલ્પના કે અલંકારનું વૈચિત્ર્ય પ્રત્યેક પ્રસંગે જણાવી ન શકતાં, જુદા જુદા શબ્દોથી પણ તેને તેજ રૂપે વર્ણવાયલાં મળી આવે છે. કિંબહુના, તે તે સ્થાનના વસ્તુનો પણ તે તે વર્ણનને રંગ લાગતો નથી. આખા આ કાવ્ય પ્રવાહનું તત્ત્વ એક શબ્દમાં જ છે એમ કહીએ તો ચાલે. ‘દિવ્ય’ એ શબ્દમાં કોઇ મહોટું કાવ્યત્વ અને વ્યંજકત્વ આપણા આ કવિને લાગ્યું છે, અને ‘કીનારા’, ‘સત્વ’, ‘સુંદરી,’ ‘તારા,’ ‘વાસ’ ગમે તેને પણ ‘દિવ્ય’ એ વિશેષણ લાગવાથી ઘણું ગૂઢ વ્યંજકત્વ આવી જતું હોય એમ તેઓ માને છે. પણ શબ્દશક્તિનો વિચાર કરતાં સ્પષ્ટ જણાશે કે ‘દિવ્ય’ શબ્દની શક્તિ આપણા ગૂજરાતી વાચકોને હજી અવગત નથી, તેમ સંસ્કૃતમાં એ દિવ્ય એટલે ‘દેવતાસંબંધી’–‘સ્વર્ગનું’ એ કરતાં કોઈ વધારે ભવ્ય અર્થ જાણવામાં નથી. આ કવિને તો Divine—ખાસ ઇશ્વરે પ્રેરેલું, મોકલેલું, ઇશ્વરી, એ અર્થ દિવ્ય શબ્દથી ઇષ્ટ છે. અંગરેજીમાં Divine child કહીએ તો ‘ક્રાઇસ્ટ’ એમ હરકોઇ તુરત સમજે અને એ શબ્દોની લાક્ષણિક તથા વ્યંગ્યમર્યાદા ગ્રહણ થઇ શકે; પણ ગૂજરાતીમાં કે સંસ્કૃતમાં એનોજ તરજુમો ‘દિવ્ય બાલક’ કહીએ તો કોઇ તેવા અર્થનું ગ્રહણ કરી શકે નહિ એ ખુલ્લું છે. એજ રીતે ‘અનંતતાદેવી’ (Infinity) ‘નવજીવન’ (New life) (Lifeafter death), અમરભૂ (Immortal heaven), અમૃતત્વ સિંધુ (Ocean of Immortality) એવા કેવલ યુરોપીયવાચકથી અંગરેજી આકારે સમજી અને ગ્રહી શકાય તેવી શક્તિવાળા શબ્દોને પ્રયોજી તથા ઉદ્દેશી જે કાવ્યો રચાય તે કેવલ નીરસ અને ગ્રહણ પણ ન થઈ શકે એવાં ક્લિષ્ટ કહેવાય તો તેમાં આશ્ચર્ય નથી. એ બધા શબ્દો ક્રીસ્ચીઅન ધર્મ જાણનારને પરિચિત હોઈ ધ્વનિના બોધક છે, આપણને કશો અર્થબોધ કરી શકતા નથી. મુક્તિફોજવાળા ગાય છે કે

‘કાલનો વાયદો ના કરશો ના કરશો’

તેનો અર્થ જેમ કોઇ સમજી શકતું નથી, તેમ મુક્તિફોજનું એટલે પરધર્મી અને નકામું માની સમજવાની દરકારે કરતું નથી, તેવી રીતે આવા શબ્દોથી ભરપુર આ કાવ્યો કાવ્યરૂપે ચાલી શકે એમાં અમને પોતાને તો ઘણોજ સંશય છે. વળી ઠેકાણે ઠેકાણે ‘પાપ’, આદિને જીવન આરોપીને કાવ્ય રચાયાં છે,

રે ઘેલા પાપ! તુજ ઘોર સ્વરૂપધારી.

ત્યાં પાપ (Sin) નો ભાવ આપણા વાચકોને, ક્રિશ્ચીઅનોના જેવો બોધક નથી, એટલે આખું કાવ્ય શુષ્ક પડી જાય છે. ક્રિશ્ચીઅનોને ‘પાપ’ ઈત્યાદિ સેતાનના મહા દારુણ મિત્રરૂપે પ્રસિદ્ધછે, ‘મીસ્ટરીઝ’ નામનાં તેમનાં જાૂનાં નાટકોમાં સુવિદિત છે, અને ‘પાપ’ એ એકલું અમુક પુરુષવાચક થઇ શકે છે. પણ આપણને ‘પાપ’ સાથે સેતાન જેવા પુરુષનો ભાવ જોડવાની જરાએ ટેવ નથી, આપણે તો પાપને જળ એવા કર્મરૂપે માનીએ છીએ, પાપને પુરુષેચ્છારહિત જ સમજીએ છીએે, એટલે આવા જીવારોપણથી કરેલાં આ સંગ્રહમાંનાં કાવ્યમાત્ર નિવરકાશજ છે. ‘દિવ્ય સુંદરીઓનો ગરબો’ એમ કરીને જે કવિતા લખી છે. તેજ જુઓ, ‘દિવ્ય સુંદરી’ આ શબ્દની શક્તિ જ પ્રથમ તો આપણા વાચકોને જડવાની નહિ, પછી દિવ્ય સુંદરીઓના ગરબાને શી રીતે ગ્રહણ કરે? તેમાં પણ તે દિવ્ય સુંદરીઓ ચંદા, શુક્ર તારા ને તારાસખી એવી દેખીને તો મનને ક્લેશજ થાય, કેમકે ચંદ્ર કે શુક્રને સખી-રૂપે આપણો વાચક વર્ગ ઓળખતો જ નથી, તો તેને ‘દિવ્ય સુંદરીઓ’ કહેનાર કવિની ઉક્તિમાં કાવ્યત્ય હોય તોપણ તે તેના પોતાના મનને ખુશી કરી શકે, વાચકને તો ભાગ્યેજ કરી શકે. કારણ એજ કે અત્ર શબ્દ શક્તિથી ધારેલું કાર્ય થતું નથી. બીજું દૃષ્ટાન્ત લઈએઃ—

પંથ અરણ્ય ચીરી જતોરે અંતે ઉંચી જ્યહાં કમાન.
દ્વારપાલ મૃત્યુ નામક ઉભો જાવું તે મહીંથી અવસાન.

એ દિવ્ય કિનારા-વાળા કાવ્યમાંની કડી કોણ સમજી શકશે? પ્રથમ તો ‘દિવ્ય કિનારા’ એજ આંટી છે, ત્યાં આ કડીનો એક અક્ષર કોઇ ગૂજરાતી વાચક ગ્રહણ કેમ કરશે? બનીયનના પીલ્ગ્રીમ્સ પ્રોગ્રેસમાં આવાં વાક્યો ઘણાં છે, ને ત્યાં તે દેશના વાચકને સુગમ છે; પણ આ દેશના કાવ્યમાં તેવાં વચનો શબ્દમાત્રજ છે. તેમાં કશો અર્થ નથી, તો કાવ્યનું આલ્હાદકત્વ તો ક્યાંથીજ હોય? આ બધી વાતનું મુખ્ય કારણ એ છે કે આ કાવ્યના રચનારને તત્ત્વસંબંધે કોઇ અમુક પ્રકારની, અને ઘણું કરી કીશ્ચીઅન ધર્મને અનુકુલ આવે તેવી, તત્ત્વવ્યવસ્થા ઇષ્ટ જણાય છે, ને તેનો રંગ તેનાં કાવ્યમાત્રને લાગ્યો છે. એટલે આવાં કાવ્યો અંગરેજી ભાષામાં લખાયાં હોત, અથવા અમુક પ્રકારનો ધર્મ શીખવવાના ગ્રંથમાં લખાયાં હોત, તો તેમની કાવ્ય તરીકે કાંઇક પણ કિંમત થાત, ગૂજરાતી ભાષામાં તો એ કાવ્યોને માટે જગો હોય એમ અમો માની શકતા નથી. ગૂજરાતી ભાષામાં પણ એવાં કાવ્યોની જગો કરવી જોઇએ ને તે આવા સમારંભ વિના થશે નહિ એવું કહેવાનો અવકાશ છે; પરંતુ અમો એમ માનીએ છીએ કે નવી ભાષા બનાવવી એ કાવ્યરચનાનું કામ નથી, ભાષાના તે તે સમયના પરિપાક કરતાં શબ્દપ્રયોગ પરત્વે તો, કાવ્યની ભાષા હમેશાં કાંઇક પાછળજ રહે છે નવા શબ્દો તો વારંવાર કરી નથી શકતી કારણ કે શબ્દની વ્યંજનાશક્તિદ્વારા કાવ્યનો વ્યાપાર ચાલે છે, એટલે નિશ્ચિત વાચ્યાર્થવાળા શબ્દોદ્વારાજ કવિ પોતાની રચના કરી શકે અને પોતાના હૃદયને વાચકના હદયમાં ઉતારી શકે. નવી ભાષા યોજીને કાવ્ય રચે તો તે અરણ્યરુદિતજ થાય. ઉપર જે દિવ્ય સુંદરીઓનો ગરબો’ અમે કેવલ શુષ્ક માન્યો તેની સાથેજ દેવીભક્ત વલ્લભ ભટ્ટનો પ્રસિદ્ધ ‘આનંદનો કે ‘શણગાર’નો ગરબો સરખાવો તો શબ્દશક્તિના સ્વરૂપ ઉપર કાવ્યનો કેવો આધાર રહે છે તે સહજમાં સમજાઇ જશે. નવી શબ્દયોજના છતાં એ કાવ્યત્વ બહુ ઉંચા પ્રકારનું જણાતું નથી. અંગરેજી કવિતાઓના મુખ્ય મુખ્ય વિચારોના દુર્બલ અનુકરણ કરતાં અધિક મળી આવતું નથી. ‘અલૌકિક રજની’ એ કાવ્યમાં રજનીનું વર્ણન છે. અંગરેજીમાં સામાન્ય કવિઓ લખે છે તેવા પ્રકારનું છે, પણ ત્યાં એ ભાવનું આરોપણ કરવાનો જે પ્રયાસ છે તે અતીવ દુર્બલ છે. જે ‘ગૂઢ વાત’ ત્યાં રજની આદિના સમાગમનું નિમિત્ત કલ્પી છે, તે ગૂઢની ગૂઢજ રહે છે, ધ્વનિથી પણ વાચકને તેનું ભાન થતું નથી. વળી,

ઉખેડી ભૂમિથી તેને રોપિયાં પતિ નેનમાં,
લસતાં દીર્ઘ પક્ષ્મોમાં આંસુડાં ગુંથીને નવાં.

એ વર્ણન સ્વપ્નથી બનેલી ઉત્તરા વાત કરતાં અભિમન્યુ સામું જુવે છે તેનું છે. આ ઠેકાણે નયનોને ઉખેડવામાં જેમ તેમ કરીને સ્વારસ્ય માનીશું કેમકે સ્વપ્નના ભયથી તે સ્તબ્ધ થઈ હતી એટલે પૃથ્વી ઉપરથી નયનો ઉપાડ્યા વિના ઉપડે નહિ, પણ પતિના નયનમાં તેમને ‘રોપવા’ અને દીર્ઘ પાંપણોમાં ‘આંસુડાં ગુંથવાનો’ શ્રમ લેવો તે શા માટે? ‘આંસુ’ને પાંપણોમાં ‘ગુંથવાનો’ પ્રકાર નવોજ છે, તથાપિ ભયથી સ્તબ્ધ બાલા નયનને જેમતેમ ‘ઉખેડી’ આશ્રય અને વિશ્વાસ લેવા પતિના નયનમાં પડે છે ત્યાં ‘આંસુડાં ગુંથવાનું’ કૃત્રિમ કાર્ય તેની પાસે કરાવીને રસભંગ ઉપજાવવાથી કાવ્યમાં શી સાર્થકતા આવે છે તે અમે સમજતા નથી ‘ગુંથીને’ એને ઠેકાણે ‘ગુંથાયાં’ એમ હોત તો રસભંગ ન થાત, પણ આ સ્થાને આ શબ્દશક્તિનો સંપૂર્ણ ભાવ લક્ષમાં રહ્યો નથી એજ કારણ છે. મુખ્ય કારણ તો એજ છે કે અંગરેજી કવિઓનાં કાવ્યોનું અનુકરણ કરવામાં શબ્દશક્તિ ઉપર લક્ષ રહ્યું નથી, અને અનુકરણને બદલે વિકરણ થઇને રહ્યું છે. વળી ‘તિમિરનું ગાન’ એવું એક કાવ્ય છે તેમાં પ્રથમ પાંચ કડીઓ સુધી તો કાવ્યરચના સારી છે અને ‘ગાન’ કોઇ‘ દિવ્ય’-તા વાળું હશે એમ લાગે છે, પણ છઠ્ઠી કડીમાંથી તિમિરને વિશ્વના દુઃખ પ્રપંચાદિ રૂપ માનીને દુઃખ પ્રપંચ ક્લેશાદિના વિરાવને ગાન માન્યું છે એમ સમજાતાં કલ્પનાની દુર્બલતા અને કાવ્યનું અનાલ્હાદકત્વજ લક્ષમાં આવે છે, જે જે ઉત્તમ અંગ્રેજ કવિઓએ વિશ્વના સહજ વ્યાપારમાં ‘ગાન’નો આરોપ કર્યો છે તેમણે, તે ગાનને કોઇ ઉચ્ચતાવાળું, ઉન્નત, અને પ્રાપંચિક જીવન પારના આનંદરૂપે ગાયું છે. એમ કરવામાંજ કાવ્યત્વ છે. : આવી રીતે તત્ત્વવિચારના ભિન્નત્વથી, શબ્દશક્તિના અગ્રહથી, કે અંગરેજી નમુનાનું અનુકરણ કરવાની લાલસાથી આ કાવ્યમાં અનેક પ્રકારે કાવ્યત્વની ક્ષતિ થઇ છે. જ્યાં જ્યાં એવી વક્રતા નથી ત્યાં ત્યાં કાવ્ય સારાં અને હૃદયગ્રાહી છે એ પણ કહેવું જોઈએ. ‘અર્પણપત્રિકાનું કાવ્ય,’ ‘અભિમન્યુ અને ઉત્તરા,’ ‘મત્સ્યગંધા અને શાન્તનું,’ ‘ફુલમણિ’ આદિ કાવ્યો બહુ ઉત્તમ અને સારાં છે. રા. રા. નરસિંહરાવ જેવા સંગીત અને કાવ્યના ઉત્તમ વિલાસીએ કેટલેક ઠેકાણે માત્રાની ચૂકો કેમ કરી હશે તે કહી શકાતું નથી.

થઇ લુપ્ત કય્હાં છબી રૂડી.

ફરૂં એકલો મનુજ લોકે
અરે કોણ આ જવલન રોકે

તપ ડુબી ગગન સુંદરી
નહિં ધણીશું દિસે હવે ફરી

ઇત્યાદિ રેખતાની કડીઓમાં, તેમ

ને બુદબુદ સમ ફુટી જઇ લુપ્ત થતા ક્ષણમાં

એ રોલાની કડીમાં, તેમ

ઘેલા પાપ! તુજ ઘોર સ્વરૂપધારી

એ વસંતતિલકાના ચરણમાં માત્રાનો દોષ જણાય છે. આપણી ભાષામાં નવીજ ૫દ્ધતિની અને અંગરેજી અનુકરણવાળી કવિતાના નમુનારૂપે પુસ્તક ભાષાના અભ્યાસીઓને, વિચારક્રમના વિલોકનારને, અને નવી કવિતાના શોકીનોને, સંગ્રહમાં રાખવા યોગ્ય છે.

નવેમ્બર–૧૮૯૫.


  1. રચનાર રા. રા. નરહિંહરાવ ભોળાનાથ બી. એ. નિર્ણયસાગર પ્રેસ કિમ્મત રૂ. ૧–૦–૦