ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/માવજી દામજી શાહ: Difference between revisions
(+1) |
|||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | <sup></sup>{{SetTitle}} | ||
{{Heading|માવજી દામજી શાહ}} | {{Heading|માવજી દામજી શાહ}} | ||
Latest revision as of 02:25, 19 September 2025
માવજી દામજી શાહ
એઓ જાતે વિશા શ્રીમાળી જૈન, શ્વેતામ્બર મૂર્તિપૂજક છે. એમનો જન્મ સં. ૧૯૪૮ના આસો વદ ૧૩ના રોજ ભાવનગરમાં થયો હતો. પિતાનું નામ દામજીભાઈ જુઠાભાઈ શાહ અને માતાનું નામ પૂરીબાઇ હતું. મૂળ વતની શિહોર (ભાવનગર તાબે)ના પણ વસવાટ ઘણાં વર્ષોથી ભાવનગરમાં છે. એમનું લગ્ન સં. ૧૯૭૨માં ભાવનગરમાં સૌ. અમૃતબાઇ સાથે થયું હતું.
પ્રાથમિક અભ્યાસ પૂરો કર્યા પછી એમણે બનારસની શ્રીમદ્ યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળામાં ૬ વર્ષપર્યંત વ્યાકરણ, કાવ્ય, તર્ક અને ન્યાયનો અભ્યાસ કર્યો હતો અને સન ૧૯૧૦ થી મુંબાઇમાં બાબુ પન્નાલાલ હાઈસ્કુલમાં ધાર્મિક વિષયના શિક્ષક તરીકે સરસ કાર્ય કરી રહ્યા છે; અને એ વિષય એમણે કેવો હસ્તગત કર્યો છે તેમ તેમાં કેટલા ઝીણા ઉતરેલા છે, તે એમનાં લખેલાં સંખ્યાબંધ પુસ્તકો પરથી ખ્યાલમાં આવશે. તે સર્વે નીતિપોષક અને ધર્મતત્ત્વને સારી રીતે સમજાવનારાં છે અને તેનું વાચન અને મનન જીવનને જરૂર સાર્થક કરે એ વિષે અમને શંકા નથી. શાળાના કામ સાથે એમનો લેખન વ્યવસાય તો ચાલુ હોય છે; અને વધુમાં કેટલીક કેળવણીવિષયક સંસ્થાઓ સાથે જોડાયલા હોઇ તેના કામકાજમાં રસપૂર્વક ભાગ લે છે.: : એમની કૃતિઓ : :
| ૧ | જ્ઞાનપંચમી | સન ૧૯૨૪ |
| ૨ | જૈન કાવ્યપ્રવેશ | ” ૧૯૨૫ |
| ૩ | જીવનચર્યા | ”” |
| ૪ | કુમારિકાને પત્રો (બીજી આવૃત્તિ) | ”” |
| ૫ | કુમારિકા ધર્મ (ત્રીજી આવૃત્તિ) | ” ૧૯૨૮ |
| ૬ | લગ્ન રહસ્ય | ”” |
| ૭ | આર્ય કુમારિકા | ” ૧૯૨૯ |
| ૮ | વર્તમાન સ્ત્રીજીવન | ”” |
| ૯ | નીતિ પ્રવેશ (બીજી આવૃત્તિ) | ”” |
| ૧૦ | આર્ય સ્ત્રીઓના ધર્મો | ”” |
| ૧૧ | ધર્મ પત્ની (બીજી આવૃત્તિ) | ”” |
| ૧૨ | આદર્શ કુમાર | ” ૧૯૩૦ |
| ૧૩ | નવયુગનો નારીધર્મ | ”” |
| ૧૪ | વચનામૃતો (બીજી આવૃત્તિ) | ”” |
| ૧૫ | સિન્દૂર પ્રકાર (ત્રીજી આવૃત્તિ) | ” ૧૯૩૧ |
| ૧૬ | કુમાર ધર્મ (બીજી આવૃત્તિ) | ”” |