સાહિત્ય પલ્લવ – ભાગ ૧/જે કોઈ પ્રેમઅંશ અવતરે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨. જે કોઈ પ્રેમઅંશ શા અવતરે}}
{{Heading|૨. જે કોઈ પ્રેમઅંશ શા અવતરે|દયારામ}}


{{Block center|<poem>જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે૰ {{gap}} {{right|ટેક}}
{{Block center|<poem>જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે૰ {{gap}} {{right|ટેક}}

Latest revision as of 03:00, 27 March 2026

૨. જે કોઈ પ્રેમઅંશ શા અવતરે

દયારામ

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે૰ ટેક
સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ-સુતને જરે;
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. પ્રેમરસ૰
સક્કરખોરનું સાકર જીવન ખરના પ્રાણ જ હરે;
ક્ષારસિંધુનું માછલડું જ્યમ મીઠા જળમાં મરે. પ્રેમરસ૰
સોમવેલીરસ-પાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગરવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. પ્રેમરસ૰
ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ અર્થ ના સરે;
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. પ્રેમરસ૰
એમ કોટી સાધને પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ન ફરે; ૧૦
દયા પ્રીતમ શ્રીગોવરધનધર પ્રેમ-ભક્તિએ વરે. પ્રેમરસ૰