જનપદ/પ્રારંભિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 85: Line 85:
{{Heading| સર્જક પરિચય}}
{{Heading| સર્જક પરિચય}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હપટલાઈ ભૂંસી નાખેલી સ્નિગ્ધ જીભે કિરાતિની કવિતા ઉચ્ચારતા જાનપદી કવિ. વ્યવસાયે અંગ્રેજીના અધ્યાપક, હાલ નિવૃત્ત, હાડે પરાઈ પીડના જાણતલ કર્મશીલ, એમની પીડાઓનો ઉદ્ઘોષક. વનવાસી-જીવનનાં આશા, ઉમેદ ને ઉમંગોની પડખે એની પીડાનાં ચચરતાં રૂપો પણ એમની ભીલોડી કવિતામાં ચિતરાયાં છે. લગભગ ‘માંડી વાળેલા વિચરતા વિમુક્ત આદિસમૂહો’ને અરૂઢ અક્ષરમાં માંડવા બેઠા છે. શક્ય છે, જાનપદી ને કિરાત પદાવલિથી અજાણ્યા ભાવકને એની સંદિગ્ધતા જરા મૂંઝવે પણ ખરી. આ કવિનો કાવ્યપાઠ એની સંદિગ્ધતાને જરાક પારદર્શક બનાવી મૂકે છે. કવિતા અને લૌકિક વિધિની વિલક્ષણ સંયુતિ જેવા ‘વહી’ સામયિકના અંકો એમની જીવનલક્ષી ને સાહિત્યલક્ષી પ્રાથમિકતાઓના પુરાવા આપે છે. વર્ષોથી કલેશ્વરીના આદિવાસી મેળાની નવી અર્થપૂર્ણ ટેકસ્ટ રચવા મથી રહ્યા છે. ‘ગદ્યપર્વ’ના સંપાદનમાં ભરત નાયકના સાગરિત, ભારત ભાષા લોક સર્વેક્ષણ(PSLI)માં ગુજરાતની ભાષાઓ વિષેના અંગના સંપાદક. કાવ્યપાઠ અને વક્તવ્ય નિમિત્તે સ્વીડન અને જર્મનીના સાહિત્યિક પ્રવાસો કર્યા છે. થોડીક લઘુનવલો ને નવલિકાઓ પણ લખી છે.
કાનજી પટેલ(જન્મ ૧૯૫૨) મુખ્યત્વે કવિ, નવલકથાકાર. સર્જકનું પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ શિક્ષણ લુણાવાડામાં. અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન લુણાવાડા કોલેજમાં. હાલ નિવૃત્ત.
ગ્રામચેતનાના એક સશક્ત કવિ લેખે તેઓની પાસેથી જનપદ, ડુંગરદેવ જેવા કાવ્યસંગ્રહો ઉપરાંત ધરતીના વચન અને દેશમાં આદિવાસી જનજાતિઓની વ્યથાકથા, જીવનપીડા અને હદપારી ભોગવતા લોકસંવેદનોને બળકટ અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ છે. દેશીવાદના પ્રતીતિજનક ચિત્રો આ રચનાઓમાં કવિ આરૂઢ રીતિમાં આલેખી બતાવવાનું કૌશલ દાખવે છે. લોકજીવનની પ્રત્યક્ષતા અને રચનાઓમાં જીવન સાથે અવિનાભાવે સંકળાયેલ પ્રકૃતિરાગ, સરહદી ડુંગરાઓમાં અપાર મુસીબતો સાથે એના રીતિરિવાજો, ધાર્મિક ક્રિયાકાંડ, નાતજાતના વૈશિષ્ટ્યો પ્રતીકાત્મક રૂપે નિરૂપણ પામ્યા છે. નવલકથા ક્ષેત્રે એમણે કોતરની ધાર પર, સુવર્ણા, ડહેલું, ભીલની ભોંય જેવા નોંધપાત્ર પ્રદાનો કર્યા છે. કોતરની ધાર પરની વિષયસામગ્રી અને એની નિરૂપણરીતિની પ્રભાવકતા અંગે ઉમાશંકર જેવા કવિ પણ અન્ય વિદ્વાન સમક્ષ તળમાંથી આવતા યુવા સર્જકો કેવું સૂક્ષ્મ જોઈ શકે છે એની નોંધ લીધા વિના રહી શક્યા નથી. આ નવલકથાઓનો પટ પણ વંચિતો, આદિવાસી સમાજ પ્રત્યે ઇંગિત કરે છે. વિમુકત વિચરતી જાતિઓ વિશેની એમના હાથે લખાયેલી વાર્તાઓ ડેરો નામે સંગ્રહિત છે.
ભરત નાયક અને ગીતા નાયકે આધુનિક પરંપરાના વિસ્તાર કાજે ‘ગદ્યપર્વ’નો આરંભ કરેલો. એ સામયિકનું સંપાદન સને ૧૯૯૩થી ૧૯૯૮ દરમિયાન આ સર્જકે સંભાળેલું ત્યારે એમાં પ્રકાશિત થયેલા આદિવાસીઓની મૌખિક પરંપરા અને મૌલિક સાહિત્યનુ અંકન આ સામયિકનો ગુણવિશેષ બની રહે એમ છે.
લૌકિક વિધિ અને સમાજનું સામયિક જેવી ઓળખ ધરાવતું ‘વહી’ કવિતાનું ત્રૈમાસિક ૨૦૦૦થી ૨૦૨૦ સુધી સંપાદિત કર્યું જેમાં પ્રતિષ્ઠિત કવિઓની રચનાઓ સાથે નવોદિત કવિઓને વિકસવાની અહીં તક મળી છે. પંથમંત્રો, બાઉલગીતો જેવી કંઠસ્થ પરંપરાને અંકે કરવાનો આ નોખો પુરુષાર્થ હતો.
આ સર્જકને નવરોઝ સંસ્થા પુરસ્કાર, ડેરોને ઉત્તમ વાર્તા પુરસ્કાર, મધપૂડો જેવી વાર્તા માટે રાષ્ટ્રીય સ્તરનો કથા એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ધૂમકેતુ પુરસ્કાર પ્રાપ્ત થયા છે.
{{સ-મ|||'''—કિશોર વ્યાસ'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
<hr>