વાર્તાવિશેષ/લેખક-પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 2: Line 2:


{{Heading|સર્જક-પરિચય}}
{{Heading|સર્જક-પરિચય}}
[[File:File:Raghuvir Chaudhary.png|frameless|center]]<br>
[[File:Raghuvir Chaudhary.png|frameless|center]]<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
'''ચૌધરી, રઘુવીર દલસિંહ (જ. 5 ડિસેમ્બર 1938, બાપુપુરા)''' : પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર. તખલ્લુસ ‘લોકાયતસૂરિ’ અને ‘વૈશાખનંદન’. માતા જીતીબહેન. 1960માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યની શરૂઆત કરેલી. હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી. 1979. 1977થી ગુ. યુનિ.માં અધ્યાપક. ‘કુમાર’ ચંદ્રક (1965), રણજિતરામ સુવર્ણચંદ્રક (1975) અને ‘ઉપરવાસ’-કથાત્રયી માટે સાહિત્ય  અકાદમી દિલ્હીનો પુરસ્કાર (1977) મળ્યો છે. ઉપરાંત ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પણ એમને પ્રાપ્ત થયેલ છે. વળી દર્શક ફાઉન્ડેશન તરફથી 1994નો ઍવૉર્ડ એનાયત થયો છે. ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાન તરફથી ‘સૌહાર્દ સન્માન’ (1990), ‘ગોવર્ધનરામ ઍવૉર્ડ’ (1996) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ‘કનૈયાલાલ મુનશી સુવર્ણચંદ્રક’ (1997) અને ગૌરવ પુરસ્કાર (2002) તેમજ મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી ‘કવિ નર્મદ પારિતોષિક’ (2010) મળેલ છે. એમને ગુજરાત રાજ્ય સરકારના પાંચ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. એમનું મુખ્ય પ્રદાન નવલકથાક્ષેત્રે. એમની કીર્તિદા કૃતિ ‘અમૃતા’ (1965), ‘તેડાગર’ (1968), ‘બાકી જિંદગી’ (1982), ‘લાગણી’ (1976) જેવી વ્યક્તિકેન્દ્રી લઘુનવલોથી માંડીને ‘પૂર્વરાગ’ (1964), ‘પરસ્પર’ (1969) ને ‘પ્રેમઅંશ’ (1982) કથાત્રયી અને ‘ઉપરવાસ’, ‘સહવાસ’ ને ‘અંતરવાસ’ કથાત્રયી (1975) જેવી સમાજને  લક્ષતી મહાકથાઓ છે. ‘રુદ્રમહાલય’ (1978) જેવી ઐતિહાસિક અને ‘ગોકુળ’, ‘મથુરા’, ‘દ્વારકા’ (1986) જેવી પૌરાણિક કથાવસ્તુ પર આધારિત નવલકથાઓ પણ છે. ‘વેણુવત્સલા’ (1972) જેવી તથ્યમૂલક અને ‘શ્યામસુહાગી’ (2008) જેવી સમકાલીન ઇતિહાસમૂલક નવલકથા પણ મળે છે. ‘એકલવ્ય’ (1967), ‘પંચપુરાણ’ (1981), ‘જે ઘર નાર સુલક્ષણા’ (2004) હાસ્ય-કટાક્ષને પ્રયોજતી કથાઓ છે. ‘આવરણ’ (1989), ‘બે કાંઠા વચ્ચે’ (1994), ‘સોમતીર્થ’ (1996), ‘એક સાચું આંસુ’ (1999), ‘સમજ્યા વિના છૂટા  પડવું (2003),  ‘શાણા સંતાન’ (2004), ‘એક રૂપકથા’ (2006), ‘એક ડગ આગળ, બે ડગ પાછળ’ (2009) ઇત્યાદિ નવલકથાઓમાં સમાજના વિવિધ પ્રશ્ર્નોની ગૂંથણી કરી છે. રઘુવીરનું કથાવિશ્વ વ્યાપક છે. એમાં અસ્તિત્વવાદી અને ભારતીય દર્શનની સહોપસ્થિતિ, બદલાતા ગ્રામસમાજનું વાસ્તવ, માનવસંબંધોની સંકુલતા અને સમયસંદર્ભમાં પલટાતાં જીવનમૂલ્યોનું વૈચારિક અને સાંવેદનિક સ્તર પર નિરૂપણ થયેલું હોય છે. આંતરચેતનાપ્રવાહ, સ્વપ્ન, વાસરી, સ્થળ-કાળ-પરિસ્થિતિ અને પાત્રોનું વિલક્ષણ સંયોજન, એવા ટૅકનિકને લગતા તથા શિષ્ટ અને તળપદી ભાષાના પ્રયોગો પણ એમાં થયેલ છે.
'''ચૌધરી, રઘુવીર દલસિંહ (જ. 5 ડિસેમ્બર 1938, બાપુપુરા)''' : પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર. તખલ્લુસ ‘લોકાયતસૂરિ’ અને ‘વૈશાખનંદન’. માતા જીતીબહેન. 1960માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યની શરૂઆત કરેલી. હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી. 1979. 1977થી ગુ. યુનિ.માં અધ્યાપક. ‘કુમાર’ ચંદ્રક (1965), રણજિતરામ સુવર્ણચંદ્રક (1975) અને ‘ઉપરવાસ’-કથાત્રયી માટે સાહિત્ય  અકાદમી દિલ્હીનો પુરસ્કાર (1977) મળ્યો છે. ઉપરાંત ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પણ એમને પ્રાપ્ત થયેલ છે. વળી દર્શક ફાઉન્ડેશન તરફથી 1994નો ઍવૉર્ડ એનાયત થયો છે. ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાન તરફથી ‘સૌહાર્દ સન્માન’ (1990), ‘ગોવર્ધનરામ ઍવૉર્ડ’ (1996) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ‘કનૈયાલાલ મુનશી સુવર્ણચંદ્રક’ (1997) અને ગૌરવ પુરસ્કાર (2002) તેમજ મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી ‘કવિ નર્મદ પારિતોષિક’ (2010) મળેલ છે. એમને ગુજરાત રાજ્ય સરકારના પાંચ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. એમનું મુખ્ય પ્રદાન નવલકથાક્ષેત્રે. એમની કીર્તિદા કૃતિ ‘અમૃતા’ (1965), ‘તેડાગર’ (1968), ‘બાકી જિંદગી’ (1982), ‘લાગણી’ (1976) જેવી વ્યક્તિકેન્દ્રી લઘુનવલોથી માંડીને ‘પૂર્વરાગ’ (1964), ‘પરસ્પર’ (1969) ને ‘પ્રેમઅંશ’ (1982) કથાત્રયી અને ‘ઉપરવાસ’, ‘સહવાસ’ ને ‘અંતરવાસ’ કથાત્રયી (1975) જેવી સમાજને  લક્ષતી મહાકથાઓ છે. ‘રુદ્રમહાલય’ (1978) જેવી ઐતિહાસિક અને ‘ગોકુળ’, ‘મથુરા’, ‘દ્વારકા’ (1986) જેવી પૌરાણિક કથાવસ્તુ પર આધારિત નવલકથાઓ પણ છે. ‘વેણુવત્સલા’ (1972) જેવી તથ્યમૂલક અને ‘શ્યામસુહાગી’ (2008) જેવી સમકાલીન ઇતિહાસમૂલક નવલકથા પણ મળે છે. ‘એકલવ્ય’ (1967), ‘પંચપુરાણ’ (1981), ‘જે ઘર નાર સુલક્ષણા’ (2004) હાસ્ય-કટાક્ષને પ્રયોજતી કથાઓ છે. ‘આવરણ’ (1989), ‘બે કાંઠા વચ્ચે’ (1994), ‘સોમતીર્થ’ (1996), ‘એક સાચું આંસુ’ (1999), ‘સમજ્યા વિના છૂટા  પડવું (2003),  ‘શાણા સંતાન’ (2004), ‘એક રૂપકથા’ (2006), ‘એક ડગ આગળ, બે ડગ પાછળ’ (2009) ઇત્યાદિ નવલકથાઓમાં સમાજના વિવિધ પ્રશ્ર્નોની ગૂંથણી કરી છે. રઘુવીરનું કથાવિશ્વ વ્યાપક છે. એમાં અસ્તિત્વવાદી અને ભારતીય દર્શનની સહોપસ્થિતિ, બદલાતા ગ્રામસમાજનું વાસ્તવ, માનવસંબંધોની સંકુલતા અને સમયસંદર્ભમાં પલટાતાં જીવનમૂલ્યોનું વૈચારિક અને સાંવેદનિક સ્તર પર નિરૂપણ થયેલું હોય છે. આંતરચેતનાપ્રવાહ, સ્વપ્ન, વાસરી, સ્થળ-કાળ-પરિસ્થિતિ અને પાત્રોનું વિલક્ષણ સંયોજન, એવા ટૅકનિકને લગતા તથા શિષ્ટ અને તળપદી ભાષાના પ્રયોગો પણ એમાં થયેલ છે.