નવલકથાપરિચયકોશ/સીતા: Difference between revisions

no edit summary
(Added Book Cover)
No edit summary
Line 6: Line 6:
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વાતિ શાહ :  
સ્વાતિ શાહ :  
૨૦ એપ્રિલ ૧૯૭૧ના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા મુકામે જન્મ. માતા મીનાક્ષીબેન અને પિતા નવનીતલાલ વાસણાવાળા; બંને શિક્ષકો હોવાના કારણે શૈક્ષણિક, સાહિત્યિક, બૌદ્ધિક વાતાવરણનો લાભ સહજ રીતે મળ્યો. મુખ્ય વિષય સંસ્કૃત /અંગ્રેજી સાથે સ્નાતક-અનુસ્નાતક, ઉપરાંત પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યા બાદ; ભાવનગર યુનિવર્સિટી ખાતે અનુસ્નાતક સંસ્કૃત વિભાગ તથા ગુજરાત સરકારની અખંડ આનંદ તથા કોલવડા આયુર્વેદ કોલેજમાં ઉલ્લેખનીય શૈક્ષણિક સેવાઓ બાદ અમદાવાદ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના એસોસિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. દૂરવર્તી શિક્ષણપદ્ધતિની અભ્યાસ સામગ્રીનું શૈક્ષણિક લેખન ઉપરાંત, વિવિધ શોધપત્રો દ્વારા ઉલ્લેખનીય સક્રિયતા દાખવનાર ડૉ. સ્વાતિ શાહ કૃત ’સીતા’ નવલકથા તેમનું પ્રથમ સર્જનાત્મક પુસ્તક છે. ’મહાભારતનાં નારી પાત્રો’ શોધપ્રકલ્પ અને ’મારો વાહનયોગઃ સાહસથી સશક્તિકરણની સફર’ નામે હળવી શૈલીનું પુસ્તક તેમના રુચિવૈવિધ્ય અને સજ્જતાનો પરિચય કરાવે છે.
૨૦ એપ્રિલ ૧૯૭૧ના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા મુકામે જન્મ. માતા મીનાક્ષીબેન અને પિતા નવનીતલાલ વાસણાવાળા; બંને શિક્ષકો હોવાના કારણે શૈક્ષણિક, સાહિત્યિક, બૌદ્ધિક વાતાવરણનો લાભ સહજ રીતે મળ્યો. મુખ્ય વિષય સંસ્કૃત /અંગ્રેજી સાથે સ્નાતક-અનુસ્નાતક, ઉપરાંત પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યા બાદ; ભાવનગર યુનિવર્સિટી ખાતે અનુસ્નાતક સંસ્કૃત વિભાગ તથા ગુજરાત સરકારની અખંડ આનંદ તથા કોલવડા આયુર્વેદ કોલેજમાં ઉલ્લેખનીય શૈક્ષણિક સેવાઓ બાદ અમદાવાદ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના એસોસિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. દૂરવર્તી શિક્ષણપદ્ધતિની અભ્યાસ સામગ્રીનું શૈક્ષણિક લેખન ઉપરાંત, વિવિધ શોધપત્રો દ્વારા ઉલ્લેખનીય સક્રિયતા દાખવનાર ડૉ. સ્વાતિ શાહ કૃત ’સીતા’ નવલકથા તેમનું પ્રથમ સર્જનાત્મક પુસ્તક છે. ‘મહાભારતનાં નારી પાત્રો’ શોધપ્રકલ્પ અને ‘મારો વાહનયોગઃ સાહસથી સશક્તિકરણની સફર’ નામે હળવી શૈલીનું પુસ્તક તેમના રુચિવૈવિધ્ય અને સજ્જતાનો પરિચય કરાવે છે.
‘સીતા’ પૌરાણિક વિષયવસ્તુ પર આધારિત ચરિત્રકેન્દ્રી નવલકથા છે. સ્વાતિ શાહનું આ પ્રથમ સર્જનાત્મક પુસ્તક છે. વાલ્મીકિ રામાયણના અભ્યાસી હોવાનો લાભ તેમને આ નવલકથાના સર્જનમાં ઉપયોગી થાય છે. તેઓ કહે છે; હજારો વર્ષોથી સીતા આપણને પરિચિત છે જ, તો પછી અત્યારે, ‘સીતા : સ્વીકાર અને ત્યાગની કથા’ લખવા હું શા માટે ઉદ્યત થઈ, આ પ્રશ્ન જો થાય તો મારે કહેવું છે કે જે રામના અયનની કથા મહર્ષિ વાલ્મીકિએ રચી છે, રામના અવતારકૃત્યની કથા છે અને એ કથામાં સીતા સાથે રહેલી છે. મને સીતાને કેન્દ્રબિંદુમાં રાખીને આ આખીયે કથા ફરીથી જોવાની ઇચ્છા થઈ અને સીતા રચાઈ.’ સીતાને કેન્દ્રમાં રાખી પ્રથમ સ્ત્રી એકવચન રીતિ, આત્મકથનાત્મક રીતે આ કથાનું કથન થયું છે. સ્વીકાર અને ત્યાગની કથા સીતમુખેથી કહેવી-સાંભળવી એ પ્રયુક્તિ આ કથાની પ્રથમદર્શી નવીનતા છે.
‘સીતા’ પૌરાણિક વિષયવસ્તુ પર આધારિત ચરિત્રકેન્દ્રી નવલકથા છે. સ્વાતિ શાહનું આ પ્રથમ સર્જનાત્મક પુસ્તક છે. વાલ્મીકિ રામાયણના અભ્યાસી હોવાનો લાભ તેમને આ નવલકથાના સર્જનમાં ઉપયોગી થાય છે. તેઓ કહે છે; હજારો વર્ષોથી સીતા આપણને પરિચિત છે જ, તો પછી અત્યારે, ‘સીતા : સ્વીકાર અને ત્યાગની કથા’ લખવા હું શા માટે ઉદ્યત થઈ, આ પ્રશ્ન જો થાય તો મારે કહેવું છે કે જે રામના અયનની કથા મહર્ષિ વાલ્મીકિએ રચી છે, રામના અવતારકૃત્યની કથા છે અને એ કથામાં સીતા સાથે રહેલી છે. મને સીતાને કેન્દ્રબિંદુમાં રાખીને આ આખીયે કથા ફરીથી જોવાની ઇચ્છા થઈ અને સીતા રચાઈ.’ સીતાને કેન્દ્રમાં રાખી પ્રથમ સ્ત્રી એકવચન રીતિ, આત્મકથનાત્મક રીતે આ કથાનું કથન થયું છે. સ્વીકાર અને ત્યાગની કથા સીતમુખેથી કહેવી-સાંભળવી એ પ્રયુક્તિ આ કથાની પ્રથમદર્શી નવીનતા છે.
અતિખ્યાત કથાનક અને ચરિત્ર વિશે નવલકથાનું સર્જન એક સાહસ છે. કથાનો પ્રારંભ સીતાના ગોરંભાયેલા મનથી થાય છે. લોકાપવાદના કારણે રામચંદ્ર દ્વારા ત્યજી દેવાયેલી સીતા ઋષિ વાલ્મીકિજીના આશ્રમમાં લવ-કુશ જેવાં પરાક્રમી બાળકોને ઉછેરી રહી છે. કેટલાક દિવસોથી લવ-કુશ, ગુરુજી સાથે જ, ગુરુજીએ રચેલા રામાયણનું ગાન કરવા અયોધ્યાની રાજ્યસભામાં જાય છે. એક દિવસ, ગોધૂલી સમયે આશ્રમમાં પરત ફરેલા ગુરુજી સીતાને કહે છે, “મહારાજ રામચંદ્ર રામકથાના ગાનથી બહુ આનંદિત થયા છે. લવ અને કુશ તેમનાં પોતાનાં સંતાનો છે એ જાણતાં સનેહાર્દ્ર થયા છે... સીતા ...તેઓ તમારો સ્વીકાર કરવા આતુર છે.” આ સાંભળી અયોધ્યા જવા તૈયાર થતી સીતાનો સમૃતિવિહાર અને સ્વ-તંત્ર મનોવિહાર આ કથાનો પ્રાણ છે. પ્રજા સમક્ષ પવિત્રતા સિદ્ધ કરવાની પૂર્વશરત સતી માટે મહાવિસ્ફોટક અને આઘાતજનક છે. સવારે અયોધ્યા જવા પૂર્વે એક રાત્રિનો સમય, સીતાનું મન ફ્લેશબેકમાં, પસાર થયેલા જીવનમાં ફરી વળે છે... “એક જ રાત્રિમાં જાણે પૂરું જીવન પસાર થઈ ગયું અને એ જીવનને આનંદ અને પીડાના વિભાગમાં પણ વહેંચી શકાય એમ ક્યાં છે?” સ્મૃતિવિહાર કરતી સીતાનું મન પવિત્રતા સિદ્ધ કરવાની પૂર્વશરતના આઘાતથી વાજબી અંતર કેળવી આવશ્યક ધૈર્ય અને સ્થિરતાથી કહો કે સ્થિતપ્રજ્ઞતાપૂર્વક એકડે એકથી વાત માંડે છે.
અતિખ્યાત કથાનક અને ચરિત્ર વિશે નવલકથાનું સર્જન એક સાહસ છે. કથાનો પ્રારંભ સીતાના ગોરંભાયેલા મનથી થાય છે. લોકાપવાદના કારણે રામચંદ્ર દ્વારા ત્યજી દેવાયેલી સીતા ઋષિ વાલ્મીકિજીના આશ્રમમાં લવ-કુશ જેવાં પરાક્રમી બાળકોને ઉછેરી રહી છે. કેટલાક દિવસોથી લવ-કુશ, ગુરુજી સાથે જ, ગુરુજીએ રચેલા રામાયણનું ગાન કરવા અયોધ્યાની રાજ્યસભામાં જાય છે. એક દિવસ, ગોધૂલી સમયે આશ્રમમાં પરત ફરેલા ગુરુજી સીતાને કહે છે, “મહારાજ રામચંદ્ર રામકથાના ગાનથી બહુ આનંદિત થયા છે. લવ અને કુશ તેમનાં પોતાનાં સંતાનો છે એ જાણતાં સનેહાર્દ્ર થયા છે... સીતા ...તેઓ તમારો સ્વીકાર કરવા આતુર છે.” આ સાંભળી અયોધ્યા જવા તૈયાર થતી સીતાનો સમૃતિવિહાર અને સ્વ-તંત્ર મનોવિહાર આ કથાનો પ્રાણ છે. પ્રજા સમક્ષ પવિત્રતા સિદ્ધ કરવાની પૂર્વશરત સતી માટે મહાવિસ્ફોટક અને આઘાતજનક છે. સવારે અયોધ્યા જવા પૂર્વે એક રાત્રિનો સમય, સીતાનું મન ફ્લેશબેકમાં, પસાર થયેલા જીવનમાં ફરી વળે છે... “એક જ રાત્રિમાં જાણે પૂરું જીવન પસાર થઈ ગયું અને એ જીવનને આનંદ અને પીડાના વિભાગમાં પણ વહેંચી શકાય એમ ક્યાં છે?” સ્મૃતિવિહાર કરતી સીતાનું મન પવિત્રતા સિદ્ધ કરવાની પૂર્વશરતના આઘાતથી વાજબી અંતર કેળવી આવશ્યક ધૈર્ય અને સ્થિરતાથી કહો કે સ્થિતપ્રજ્ઞતાપૂર્વક એકડે એકથી વાત માંડે છે.