નવલકથાપરિચયકોશ/છિન્નપત્ર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
સર્જક : સુરેશ હરિપ્રસાદ જોષી
સર્જક : સુરેશ હરિપ્રસાદ જોષી
નવલકથાનો પ્રકાર : લિરિકલ નૉવેલ
નવલકથાનો પ્રકાર : લિરિકલ નૉવેલ
નવલકથાકારનો પરિચય : સુરેશ હરિપ્રસાદ જોષી (૧૯૨૧-૧૯૮૬)નો જન્મ વૈશાખ વદ આઠમ, ૩૦મી મે ૧૯૨૧ને દિવસે બપોરે એક વાગ્યે મોસાળમાં, વાલોડ ગામમાં થયો હતો. એમનું બાળપણ સોનગઢમાં દાદાની (નાનાની) છત્રછાયામાં વીત્યું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વાલોડ અને નવસારીમાં. ૧૯૩૮માં મેટ્રીકની પરીક્ષા પાસ કરીને મુંબઈ ગયા. માતાપિતા માટુંગા(મુંબઈ)માં રહેતાં હતાં. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ૧૯૪૩માં બી.એ. (પ્રથમ વર્ગ), એમ.એ. ૧૯૪૫માં (બીજો વર્ગ). જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા વિષય પર ડૉ. ભોગીલાલ સાંડેસરાના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કર્યું. એમ.એ. થઈને થોડો વખત ઑરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કર્યું. શ્રી રામપ્રસાદ બક્ષી અને શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સૂચનથી કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાં સુરેશ જોષીની અધ્યાપક તરીકે નિમણૂક થઈ. ૧૯૪૫થી ૧૯૪૭ સુધી ડોલરરાય માંકડ સાથે કામ કર્યું. દેશના ભાગલા થયા એના થોડાક મહિના પહેલાં જ સુરેશ જોષીની સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકે નિમણૂક થઈ. ૧૯૫૧માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી એમને છૂટા કરવામાં આવ્યા. ત્યાંથી વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ટ્યુટર તરીકે જોડાયા. ૧૯૫૩માં વ્યાખ્યાતા તરીકે નિમણૂક થઈ. પછી રીડર બન્યા. ૧૯૮૭માં પ્રોફેસર અને ૧૯૭૮માં અધ્યક્ષ તરીકે નિમણૂક. ૧૯૮૧માં નિવૃત્ત થયા. યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશને નેશનલ લેક્ચરર તરીકે નિમણૂક કરી પરંતુ તેની જાહેરાત થાય એ પહેલાં જ ૬, સપ્ટેમ્બર ૧૯૮૬ની શનિવાર રાતે ૯.૪૦ વાગે કિડનીની બીમારીથી નડિયાદ હૉસ્પિટલમાં અવસાન થયું.
નવલકથાકારનો પરિચય : સુરેશ હરિપ્રસાદ જોષી (૧૯૨૧-૧૯૮૬)નો જન્મ વૈશાખ વદ આઠમ, ૩૦મી મે ૧૯૨૧ને દિવસે બપોરે એક વાગ્યે મોસાળમાં, વાલોડ ગામમાં થયો હતો. એમનું બાળપણ સોનગઢમાં દાદાની (નાનાની) છત્રછાયામાં વીત્યું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વાલોડ અને નવસારીમાં. ૧૯૩૮માં મેટ્રીકની પરીક્ષા પાસ કરીને મુંબઈ ગયા. માતાપિતા માટુંગા(મુંબઈ)માં રહેતાં હતાં. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ૧૯૪૩માં બી.એ. (પ્રથમ વર્ગ), એમ.એ. ૧૯૪૫માં (બીજો વર્ગ). જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા વિષય પર ડૉ. ભોગીલાલ સાંડેસરાના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કર્યું. એમ.એ. થઈને થોડો વખત ઑરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કર્યું. શ્રી રામપ્રસાદ બક્ષી અને શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સૂચનથી કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાં સુરેશ જોષીની અધ્યાપક તરીકે નિમણૂક થઈ. ૧૯૪૫થી ૧૯૪૭ સુધી ડોલરરાય માંકડ સાથે કામ કર્યું. દેશના ભાગલા થયા એના થોડાક મહિના પહેલાં જ સુરેશ જોષીની સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકે નિમણૂક થઈ. ૧૯૫૧માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી એમને છૂટા કરવામાં આવ્યા. ત્યાંથી વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ટ્યુટર તરીકે જોડાયા. ૧૯૫૩માં વ્યાખ્યાતા તરીકે નિમણૂક થઈ. પછી રીડર બન્યા. ૧૯૭૮માં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે નિમણૂક. ૧૯૮૧માં નિવૃત્ત થયા. યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશને નેશનલ લેક્ચરર તરીકે નિમણૂક કરી પરંતુ તેની જાહેરાત થાય એ પહેલાં જ ૬, સપ્ટેમ્બર ૧૯૮૬ની શનિવાર રાતે ૯.૪૦ વાગે કિડનીની બીમારીથી નડિયાદ હૉસ્પિટલમાં અવસાન થયું.
સુરેશ જોષીનું સાહિત્યિક પ્રદાન : કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. ગુજરાતી સાહિત્યના યુગપ્રવર્તક સર્જક. ગુજરાતી સાહિત્યને નવો વળાંક આપ્યો. આધુનિક આબોહવાના સર્જક. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા શિરીષ પંચાલ સંકલિત કુલ ૧૭ ગ્રંથોનું પ્રકાશન. જેમાં એમનું ગ્રંથસ્થ અને અગ્રંથસ્થ સમગ્ર સાહિત્યવિશ્વ છે. એકત્ર ફાઉન્ડેશન દ્વારા સુરેશ જોષીનું સમગ્ર સાહિત્યવિશ્વ ઈ-બૂક સ્વરૂપે પ્રાપ્ય છે.
સુરેશ જોષીનું સાહિત્યિક પ્રદાન : કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. ગુજરાતી સાહિત્યના યુગપ્રવર્તક સર્જક. ગુજરાતી સાહિત્યને નવો વળાંક આપ્યો. આધુનિક આબોહવાના સર્જક. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા શિરીષ પંચાલ સંકલિત કુલ ૧૭ ગ્રંથોનું પ્રકાશન. જેમાં એમનું ગ્રંથસ્થ અને અગ્રંથસ્થ સમગ્ર સાહિત્યવિશ્વ છે. એકત્ર ફાઉન્ડેશન દ્વારા સુરેશ જોષીનું સમગ્ર સાહિત્યવિશ્વ ઈ-બૂક સ્વરૂપે પ્રાપ્ય છે.
ઈનામો : નર્મદ સુવર્ણચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૭૧)
ઈનામો : નર્મદ સુવર્ણચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૭૧)