રવીન્દ્રપર્વ/૧૧૭. કેન નયન આપનિ ભેસે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧૭. કેન નયન આપનિ ભેસે| }} {{Poem2Open}} બધી સૂકી ધૂળને મેં આંખનાં આં...")
 
No edit summary
 
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
બધી સૂકી ધૂળને મેં આંખનાં આંસુથી ભીંજવી કેમ ન દીધી? વણતેડ્યો તું આવી ચઢશે તે કોણ જાણતું હતું?
કેમ આંખો આપમેળે જળમાં વહી જાય છે? કેમ મન કેમ આમ કરે છે? જાણે એકાએક કશુંક યાદ આવે છે — યાદ નથી આવતી તોય યાદ આવી જાય છે.
તું રણ પાર કરીને આવ્યો છે, ત્યાં તો છાયા આપનાર વૃક્ષ સુધ્ધાં નથી હું એવી અભાગી કે મેં તને આવો માર્ગ કાપવાનું દુ:ખ દીધું! હું તો મારા ઘરની છાયામાં આળસમાં બેસી રહી હતી, ડગલે ડગલે તારે કેટલી વ્યથા ભોગવવી પડશે તે મેં જાણ્યું નહીં! એ વેદના મારા હૃદયમાં ગુપ્ત દુ:ખ રૂપે રણકી ઊઠી હતી એણે મારા મર્મ ઉપર ઊંડો હૃદયનો ઘા આંકી દીધો છે.
ચારે બાજુ બધું મધુર નીરવ છે, કેમ મારા જ પ્રાણ રડી રડીને મરે છે? કેમ મન કેમ આમ કરે છે?
જાણે કોઈકના શબ્દોએ વેદના આપી છે, જાણે કોઈ અનાદર થવાથી પાછું વળી ગયું છે એના પ્રત્યેની અવહેલના પ્રાણને પીડા દઈ રહી છે. જાણે એકાએક કશુંક યાદ આવે છે યાદ નથી આવતી તોય યાદ આવી જાય છે.
{{Right|(ગીત-પંચશતી)}}
{{Right|(ગીત-પંચશતી)}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 06:44, 5 October 2021

૧૧૭. કેન નયન આપનિ ભેસે

કેમ આંખો આપમેળે જળમાં વહી જાય છે? કેમ મન કેમ આમ કરે છે? જાણે એકાએક કશુંક યાદ આવે છે — યાદ નથી આવતી તોય યાદ આવી જાય છે. ચારે બાજુ બધું મધુર નીરવ છે, કેમ મારા જ પ્રાણ રડી રડીને મરે છે? કેમ મન કેમ આમ કરે છે? જાણે કોઈકના શબ્દોએ વેદના આપી છે, જાણે કોઈ અનાદર થવાથી પાછું વળી ગયું છે — એના પ્રત્યેની અવહેલના પ્રાણને પીડા દઈ રહી છે. જાણે એકાએક કશુંક યાદ આવે છે — યાદ નથી આવતી તોય યાદ આવી જાય છે. (ગીત-પંચશતી)