સોરઠી સંતવાણી/ઉપદેશનું પાત્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઉપદેશનું પાત્ર|}} <poem> સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું ને...")
 
No edit summary
Line 21: Line 21:
:::: તમે સમજુ છો મહાપ્રવીણ રે. — સત્ય
:::: તમે સમજુ છો મહાપ્રવીણ રે. — સત્ય
</poem>
</poem>
<center>'''[ગંગાસતી]'''</center>
<br>
{{HeaderNav2
|previous = શિષ્ય કોને કરવો
|next = છેલ્લી શિખામણ
}}

Revision as of 11:03, 28 April 2022


ઉપદેશનું પાત્ર

સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું ને
ઈ ચાર વાણી થકી પાર રે,
સ્વપ્નામાં પણ એ ચળે નહીં ને
એ તો નિર્ભય નર ને નાર રે —
ભાઈ રે ભેદવાદીપણાનો સંશય ઢળી ગયો ને
મટી ગયો વર્ણવિકાર રે
તનમનધન પોતાનું નથી માન્યું ને
સતગુરુ સાથે એકતાર રે. — સત્ય.
ભાઈ રે એવાને ઉપદેશ તરત લાગે ને
જેખે પાળ્યો સાંગોપાંગ અધિકાર રે
આ અલૌકિક વસ્તુ એવાને કે’જોને
નહીં તો સમજીને રહેજો સમાઈ રે. — સત્ય.
ભાઈ રે હરિગુરુ સંતને એકરૂપ જાણજો ને
રહેજો સ્વરૂપમાં લીન રે,
ગંગાસતી એમ બોલિયાં ને
તમે સમજુ છો મહાપ્રવીણ રે. — સત્ય

[ગંગાસતી]