વિભાવના/સર્જકતાની નવી વિભાવના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
{{center|<poem>creative urge એ process of
{{center|<poem>creative urge એ process of
feeling છે, process of thinking નહીં.</poem>}}
feeling છે, process of thinking નહીં.</poem>}}
{{center|○}}
{{center|''''''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સર્જનની પ્રક્રિયા ગૂઢ અને રહસ્યપૂર્ણ છે. કળાકારના ચિત્તમાં કોઈક અણધારી ક્ષણે સર્જનાત્મક ઉન્મેષ (creative urge) જન્મે ત્યાંથી માંડીને તે પૂર્ણ અભિવ્યક્તિ પામે, એટલે કે કલાકૃતિનું રૂપ પામે, ત્યાં સુધીની સર્જનની સમસ્ત પ્રક્રિયા અનેકવિધ પ્રશ્નો ઊભા કરે છે. આપણે ઉપરના જે વિધાનને લઈને વિચાર કરવા માગીએ છીએ, તેમાં સર્જનવ્યાપારને એાળખવાનો એક આછો પ્રયત્ન માત્ર છે. પરંતુ સર્જનવ્યાપારનો વિચાર કરતાં પાયાના અનેક પ્રશ્નો ખડા થવાના. સર્જકના ચિત્તમાં જે સ્વયંભૂ એવો ઉન્મેષ પ્રગટે છે – જે મૂળભૂત લાગણી (primal feeling) જન્મે છે - તેનું સ્વરૂપ કેવું છે; એ લાગણીનું કારણ બાહ્ય જગત હોય તો તેની જોડે એ લાગણીને કેવો સંબંધ છે; એ મૂળભૂત લાગણી કૃતિ સિદ્ધ થતાં સુધીમાં મૂળનું સ્વરૂપ જાળવી રાખે છે કે તેનું રૂપાંતર (transmutation) થાય છે; એ મૂળભૂત લાગણી સભાનતાના સ્તર પર પ્રતીત થાય ત્યારે એ અમુક ચોક્કસ માધ્યમની અપેક્ષા ધરાવતી હોય છે કે નહિ; એ લાગણીને માધ્યમ દ્વારા સાકાર કરતાં સર્જકના ચિત્તમાં કયા કયા વ્યાપારો પ્રવૃત્ત થાય છે; એ લાગણીને સાકાર કરતાં માધ્યમનો પ્રભાવ પડે કે નહિ; એ લાગણી તેના આદિમ રૂપમાં ઉપલબ્ધ થાય છે કે તેના અમુક જ અંશોનો બોધ શક્ય હોઈ તેનો અંશ જ ઉપલબ્ધ બને – આ પ્રકારના અનેક પ્રશ્નો સંભવે છે. આ નાના નિબંધમાં એ સૌ પ્રશ્નો વિશે વિચારવાને ભાગ્યે જ અવકાશ છે. એટલે એ દિશાની વિચારણામાં થોડો પણ પ્રકાશ પડે એ દૃષ્ટિએ કેટલાક સર્જકોની સર્જનવ્યાપાર વિશેની આપકથાનો આધાર લઈ હું એ વિશે ચર્ચા કરીશ. એ રીતે સર્જનના મૂળભૂત પ્રશ્નોની દિશા તરફ અંગુલિનિર્દેશ થશે તોય બસ થશે, એમ હું માનું છું.
સર્જનની પ્રક્રિયા ગૂઢ અને રહસ્યપૂર્ણ છે. કળાકારના ચિત્તમાં કોઈક અણધારી ક્ષણે સર્જનાત્મક ઉન્મેષ (creative urge) જન્મે ત્યાંથી માંડીને તે પૂર્ણ અભિવ્યક્તિ પામે, એટલે કે કલાકૃતિનું રૂપ પામે, ત્યાં સુધીની સર્જનની સમસ્ત પ્રક્રિયા અનેકવિધ પ્રશ્નો ઊભા કરે છે. આપણે ઉપરના જે વિધાનને લઈને વિચાર કરવા માગીએ છીએ, તેમાં સર્જનવ્યાપારને એાળખવાનો એક આછો પ્રયત્ન માત્ર છે. પરંતુ સર્જનવ્યાપારનો વિચાર કરતાં પાયાના અનેક પ્રશ્નો ખડા થવાના. સર્જકના ચિત્તમાં જે સ્વયંભૂ એવો ઉન્મેષ પ્રગટે છે – જે મૂળભૂત લાગણી (primal feeling) જન્મે છે - તેનું સ્વરૂપ કેવું છે; એ લાગણીનું કારણ બાહ્ય જગત હોય તો તેની જોડે એ લાગણીને કેવો સંબંધ છે; એ મૂળભૂત લાગણી કૃતિ સિદ્ધ થતાં સુધીમાં મૂળનું સ્વરૂપ જાળવી રાખે છે કે તેનું રૂપાંતર (transmutation) થાય છે; એ મૂળભૂત લાગણી સભાનતાના સ્તર પર પ્રતીત થાય ત્યારે એ અમુક ચોક્કસ માધ્યમની અપેક્ષા ધરાવતી હોય છે કે નહિ; એ લાગણીને માધ્યમ દ્વારા સાકાર કરતાં સર્જકના ચિત્તમાં કયા કયા વ્યાપારો પ્રવૃત્ત થાય છે; એ લાગણીને સાકાર કરતાં માધ્યમનો પ્રભાવ પડે કે નહિ; એ લાગણી તેના આદિમ રૂપમાં ઉપલબ્ધ થાય છે કે તેના અમુક જ અંશોનો બોધ શક્ય હોઈ તેનો અંશ જ ઉપલબ્ધ બને – આ પ્રકારના અનેક પ્રશ્નો સંભવે છે. આ નાના નિબંધમાં એ સૌ પ્રશ્નો વિશે વિચારવાને ભાગ્યે જ અવકાશ છે. એટલે એ દિશાની વિચારણામાં થોડો પણ પ્રકાશ પડે એ દૃષ્ટિએ કેટલાક સર્જકોની સર્જનવ્યાપાર વિશેની આપકથાનો આધાર લઈ હું એ વિશે ચર્ચા કરીશ. એ રીતે સર્જનના મૂળભૂત પ્રશ્નોની દિશા તરફ અંગુલિનિર્દેશ થશે તોય બસ થશે, એમ હું માનું છું.