અનુક્રમ/કલાપીના જીવનકવનનો એક વળાંક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading| કલાપીના જીવનકવનનો એક વળાંક  |  }}
{{Heading| કલાપીના જીવનકવનનો એક વળાંક  |  }}


{{Poem2Open}}


<center> '''૧''' </center>
<center> '''૧''' </center>
કલાપીના ‘ઉત્સુક હૃદય’ નામે કાવ્યમાં નીચેની બે પંક્તિઓ આવે છેઃ  
{{Poem2Open}}
હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત્‌ હરિને,  
કલાપીના ‘ઉત્સુક હૃદય’ નામે કાવ્યમાં નીચેની બે પંક્તિઓ આવે છેઃ
તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે?
{{Poem2Close}}
{{Block center|<poem>હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત્‌ હરિને,  
તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે?</poem>}}
{{Poem2Open}}
શોભના સાથેનાં લગ્ન પછી થોડા સમયમાં આ કાવ્ય લખાયેલું છે અને આ પછી કલાપીની કવિતા સૂફીવાદી ઈશ્વરી પ્રેમગાન તરફ વળી જાય છે. આથી આ પંક્તિઓમાં કલાપીના જીવનનો અને એની કવિતાનો એક વળાંક જોવાનું સરળ બની જાય છે. આ પંક્તિને નિમિત્ત કરીને થયેલું કેટલુંક ચિંતન-વિવેચન જુઓઃ
શોભના સાથેનાં લગ્ન પછી થોડા સમયમાં આ કાવ્ય લખાયેલું છે અને આ પછી કલાપીની કવિતા સૂફીવાદી ઈશ્વરી પ્રેમગાન તરફ વળી જાય છે. આથી આ પંક્તિઓમાં કલાપીના જીવનનો અને એની કવિતાનો એક વળાંક જોવાનું સરળ બની જાય છે. આ પંક્તિને નિમિત્ત કરીને થયેલું કેટલુંક ચિંતન-વિવેચન જુઓઃ
'''૧. નવલરામ ત્રિવેદી''' : “પ્રિયાપ્રેમમાં સંપૂર્ણ પ્રપાત પામીને કવિનું હૃદય ત્યાં જ વિરમતું નથી. કુદરતનું રહસ્ય તેમનાં પ્રણયતૃપ્ત નયનો પાસે પળેપળે પ્રકટ થતું ભાસે છે : પણ કવિને એટલાથી તૃપ્તિ નથી. તેમને તો એ સૃષ્ટિના સ્રષ્ટાનાં દર્શનની અભિલાષા જાગે છે... આ સમય પછી કલાપીએ લખેલાં સર્વ કાવ્યો પ્રિયાપ્રેમ નહીં પણ પ્રભુપ્રેમ વિશે જ છે. પણ તેની સંખ્યા ઘણી થોડી છે, કારણ, હૃદય જ્યારે ભરપૂર હોય છે ત્યારે જીભ મૂંગી બને છે.”<ref>‘કલાપી’, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૪૪, પૃ. ૬૨-૬૩. </ref>
'''૧. નવલરામ ત્રિવેદી''' : “પ્રિયાપ્રેમમાં સંપૂર્ણ પ્રપાત પામીને કવિનું હૃદય ત્યાં જ વિરમતું નથી. કુદરતનું રહસ્ય તેમનાં પ્રણયતૃપ્ત નયનો પાસે પળેપળે પ્રકટ થતું ભાસે છે : પણ કવિને એટલાથી તૃપ્તિ નથી. તેમને તો એ સૃષ્ટિના સ્રષ્ટાનાં દર્શનની અભિલાષા જાગે છે... આ સમય પછી કલાપીએ લખેલાં સર્વ કાવ્યો પ્રિયાપ્રેમ નહીં પણ પ્રભુપ્રેમ વિશે જ છે. પણ તેની સંખ્યા ઘણી થોડી છે, કારણ, હૃદય જ્યારે ભરપૂર હોય છે ત્યારે જીભ મૂંગી બને છે.”<ref>‘કલાપી’, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૪૪, પૃ. ૬૨-૬૩. </ref>
Line 25: Line 27:
૫. પ્રભુપ્રેમના માર્ગમાં કલાપી એકલ પ્રવાસી જ બન્યા હશે. પ્રિયતમાનો સાથ એમાં એમને મળ્યો જણાતો નથી.
૫. પ્રભુપ્રેમના માર્ગમાં કલાપી એકલ પ્રવાસી જ બન્યા હશે. પ્રિયતમાનો સાથ એમાં એમને મળ્યો જણાતો નથી.
આ પાંચે મુદ્દાઓ વિષે થોડા ઊહાપોહને સ્થાન છે એમ લાગે છે. ખાસ કરીને જે પંક્તિઓનો આધાર લઈને આ તારણો પર જવામાં આવ્યું છે, એ પંક્તિઓનો કાવ્યગત સંદર્ભ એવો છે કે જે આપણને થોડું જુદી રીતે વિચારવાની કદાચ ફરજ પાડે.
આ પાંચે મુદ્દાઓ વિષે થોડા ઊહાપોહને સ્થાન છે એમ લાગે છે. ખાસ કરીને જે પંક્તિઓનો આધાર લઈને આ તારણો પર જવામાં આવ્યું છે, એ પંક્તિઓનો કાવ્યગત સંદર્ભ એવો છે કે જે આપણને થોડું જુદી રીતે વિચારવાની કદાચ ફરજ પાડે.
<center> '''૨''' </center>
<center> '''૨''' </center>
સૌ પ્રથમ તો એ વસ્તુ ધ્યાન ખેંચે છે કે આ બે પંક્તિઓ જેમાં આવે છે એ ‘ઉત્સુક હૃદય’ પ્રધાનતયા પ્રિયામિલનની ઉત્સુકતાને, એના આનંદમય રોમાંચને અને એની નિશ્ચિતતાને કારણે થતી ઈશ્વર-કૃપાની આર્દ્ર અનુભૂતિને નિરૂપતું કાવ્ય છે :
સૌ પ્રથમ તો એ વસ્તુ ધ્યાન ખેંચે છે કે આ બે પંક્તિઓ જેમાં આવે છે એ ‘ઉત્સુક હૃદય’ પ્રધાનતયા પ્રિયામિલનની ઉત્સુકતાને, એના આનંદમય રોમાંચને અને એની નિશ્ચિતતાને કારણે થતી ઈશ્વર-કૃપાની આર્દ્ર અનુભૂતિને નિરૂપતું કાવ્ય છે :{{Poem2Close}}
* અહો! ક્યારે પેલો કનકમય ભાનુ નીકળશે?  
{{Block center|<poem>* અહો! ક્યારે પેલો કનકમય ભાનુ નીકળશે?  
   પ્રિયાનો ભેટો જે કિરણકરથી કાલ ધરશે?
   પ્રિયાનો ભેટો જે કિરણકરથી કાલ ધરશે?


Line 43: Line 46:


* પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી,  
* પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી,  
   જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.
   જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.</poem>}}


{{Poem2Open}}
પ્રશ્ન એ ઊભો થાય છે કે જે ક્ષણે કલાપી શોભનાની પ્રાપ્તિમાં જીવનની સાર્થકતા અનુભવી રહ્યા છે, એને ઇષ્ટપ્રાપ્તિ અને હરિની મહેર ગણી રહ્યા છે, પ્રિયાને પામતાં કુદરતને આપોઆપ પામી શકાશે એવું માની રહ્યા છે, હૃદયની થડકથી જુદાઈના કિલ્લા ઢળી જતા જોઈ રહ્યા છે અને પ્યાલામાં ભરાઈને પ્રિયાના અધરપરવાળે જઈ ઠરવાનું ઇચ્છી રહ્યા છે એ ક્ષણે પ્રિયાપ્રેમને હરિરસની માત્ર છાયા ગણે અને એમાં પોતાને રસ રહ્યો નથી એવું કહે એ સંભવિત ખરું? આ રીતે, આ નવમી કડી પહેલી આઠ કડીમાં રજૂ થયેલા સંવેદનનો છેદ જ ઉડાડી નાખે. આઠ કડી સુધી પ્રિયામિલનની રોમાંચભરી આતુરતા અને નવમી કડીમાં એને સ્થાને હરિદર્શનની આતુરતા – આ તો ભારે વિસંગતિ ગણાય અને એ કોઈ રીતે નિર્વાહ્ય ન બની શકે.
પ્રશ્ન એ ઊભો થાય છે કે જે ક્ષણે કલાપી શોભનાની પ્રાપ્તિમાં જીવનની સાર્થકતા અનુભવી રહ્યા છે, એને ઇષ્ટપ્રાપ્તિ અને હરિની મહેર ગણી રહ્યા છે, પ્રિયાને પામતાં કુદરતને આપોઆપ પામી શકાશે એવું માની રહ્યા છે, હૃદયની થડકથી જુદાઈના કિલ્લા ઢળી જતા જોઈ રહ્યા છે અને પ્યાલામાં ભરાઈને પ્રિયાના અધરપરવાળે જઈ ઠરવાનું ઇચ્છી રહ્યા છે એ ક્ષણે પ્રિયાપ્રેમને હરિરસની માત્ર છાયા ગણે અને એમાં પોતાને રસ રહ્યો નથી એવું કહે એ સંભવિત ખરું? આ રીતે, આ નવમી કડી પહેલી આઠ કડીમાં રજૂ થયેલા સંવેદનનો છેદ જ ઉડાડી નાખે. આઠ કડી સુધી પ્રિયામિલનની રોમાંચભરી આતુરતા અને નવમી કડીમાં એને સ્થાને હરિદર્શનની આતુરતા – આ તો ભારે વિસંગતિ ગણાય અને એ કોઈ રીતે નિર્વાહ્ય ન બની શકે.
બીજી રીતે જોઈએ તો, આ કાવ્ય લખાયું છે શોભના સાથેનાં લગ્ન પછી ચારપાંચ માસે, પણ “લગ્નની આગલી રાતે જાણે અનુભવેલા ઉત્કંઠ અને કોડભર્યા, કલ્પનાસભર અને પ્રસન્ન હૈયાનો આનંદ વર્ણવવા કવિ બેઠા હોય એવી”<ref>ઇન્દ્રવદન દવે, ‘કલાપીનો કેકાવાર’ વિવરણ, પૃ. ૧૪૭</ref> કવિતામાં, લગ્ન પછી ચારપાંચ મહિનામાં થયેલી પ્રતીતિ – પૂર્ણ પ્રેમ અને સૌન્દર્યની ભાવના તો પરમાત્માની પ્રાપ્તિમાં રહેલી છે એવી પ્રતીતિ કેમ આવી શકે?
બીજી રીતે જોઈએ તો, આ કાવ્ય લખાયું છે શોભના સાથેનાં લગ્ન પછી ચારપાંચ માસે, પણ “લગ્નની આગલી રાતે જાણે અનુભવેલા ઉત્કંઠ અને કોડભર્યા, કલ્પનાસભર અને પ્રસન્ન હૈયાનો આનંદ વર્ણવવા કવિ બેઠા હોય એવી”<ref>ઇન્દ્રવદન દવે, ‘કલાપીનો કેકાવાર’ વિવરણ, પૃ. ૧૪૭</ref> કવિતામાં, લગ્ન પછી ચારપાંચ મહિનામાં થયેલી પ્રતીતિ – પૂર્ણ પ્રેમ અને સૌન્દર્યની ભાવના તો પરમાત્માની પ્રાપ્તિમાં રહેલી છે એવી પ્રતીતિ કેમ આવી શકે?
Line 51: Line 55:
આગલી કડીના અનુસંધાનમાં શ્રી અનંતરાય રાવળે કરેલું આ અર્થઘટન કાવ્યમાં દેખાતી અસંગતિને દૂર કરે છે એ રીતે ઉપયોગી છે. પણ એનું કાવ્યમાંથી કંઈ વિશેષ સમર્થન પ્રાપ્ત થાય છે કે કેમ તે વિચારવું જોઈએ.
આગલી કડીના અનુસંધાનમાં શ્રી અનંતરાય રાવળે કરેલું આ અર્થઘટન કાવ્યમાં દેખાતી અસંગતિને દૂર કરે છે એ રીતે ઉપયોગી છે. પણ એનું કાવ્યમાંથી કંઈ વિશેષ સમર્થન પ્રાપ્ત થાય છે કે કેમ તે વિચારવું જોઈએ.
કાવ્યમાં બે વખત ‘પ્રભુ’ અને ‘બે વખત ‘હરિ’નો ઉલ્લેખ છે. એમાંથી એક વખત ‘પ્રભુ’ અને એક વખત ‘હરિ’ એના ચાલુ અર્થમાં જ છે એ દેખાઈ આવે એવું છે :
કાવ્યમાં બે વખત ‘પ્રભુ’ અને ‘બે વખત ‘હરિ’નો ઉલ્લેખ છે. એમાંથી એક વખત ‘પ્રભુ’ અને એક વખત ‘હરિ’ એના ચાલુ અર્થમાં જ છે એ દેખાઈ આવે એવું છે :
* પ્રભુએ, વ્હાલાંએ, જગત પરના લોક સઘળે,  
{{Poem2Close}}
{{Block center|<poem>* પ્રભુએ, વ્હાલાંએ, જગત પરના લોક સઘળે,  
   દીધા નિર્મી તેનો મધુર કર મારા કર સહે.
   દીધા નિર્મી તેનો મધુર કર મારા કર સહે.


* પ્રિયાને પાંમતાં કુદરત બધી પામીશ નકી,  
* પ્રિયાને પાંમતાં કુદરત બધી પામીશ નકી,  
   જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.
   જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.</poem>}}


{{Poem2Open}}
પણ બાકીનાં બે સ્થાનોએ ‘પ્રભુ’ અને ‘હરિ’ શબ્દ મૂંઝવણ ઊભી કરે છે. એક વખત, રવિકિરણો અને વાદળીની તથા ગ્રહ-ઉપગ્રહની રસિક છૂપી ક્રીડાનું રહસ્ય આજે હૃદયને પ્રત્યક્ષ થાય છે અને જ્યાં નજર નાખે છે ત્યાં પોતાને આદર મળે છે એમ કહી કવિ વર્ણવે છે કે :
પણ બાકીનાં બે સ્થાનોએ ‘પ્રભુ’ અને ‘હરિ’ શબ્દ મૂંઝવણ ઊભી કરે છે. એક વખત, રવિકિરણો અને વાદળીની તથા ગ્રહ-ઉપગ્રહની રસિક છૂપી ક્રીડાનું રહસ્ય આજે હૃદયને પ્રત્યક્ષ થાય છે અને જ્યાં નજર નાખે છે ત્યાં પોતાને આદર મળે છે એમ કહી કવિ વર્ણવે છે કે :
છતાં ‘લે ! લે’ એવો મધુર ધ્વનિ જાણે ગણગણી,  
{{Poem2Close}}
{{Block center|<poem>છતાં ‘લે ! લે’ એવો મધુર ધ્વનિ જાણે ગણગણી,  
મને દેતાં દેતાં પવનલહરી કે ખસી જતી;  
મને દેતાં દેતાં પવનલહરી કે ખસી જતી;  
નક્કી પી દારૂ ને કુદરત વિનોદે ચડી દીસે,  
નક્કી પી દારૂ ને કુદરત વિનોદે ચડી દીસે,  
પ્રભુને જોવાને અગર મદમાતી થઈ ચડે.
પ્રભુને જોવાને અગર મદમાતી થઈ ચડે.</poem>}}
{{Poem2Open}}
અહીં ‘પ્રભુ’ એટલે ‘ઈશ્વર’ એ અર્થ સહેલાઈથી બેસે તેમ નથી. પ્રભુને જોવાની વાત જ કાવ્યમાં એકાએક આવી પડતી લાગે છે. પણ કવિનું મન પ્રિયામિલન માટે આતુર છે તો કુદરતની મસ્તીમાં પણ એ પ્રિયાને જોવાની આતુરતા કલ્પે એ બંધ બેસે તેવું છે. કાવ્યમાં પ્રિયાનો જે મહિમા થાય છે એની સાથે પણ એ સુસંગત છે. આના અનુસંધાનમાં કવિ “પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી” એમ કહે છે તે પણ આ અર્થનું સમર્થન કરે એવું છે.
અહીં ‘પ્રભુ’ એટલે ‘ઈશ્વર’ એ અર્થ સહેલાઈથી બેસે તેમ નથી. પ્રભુને જોવાની વાત જ કાવ્યમાં એકાએક આવી પડતી લાગે છે. પણ કવિનું મન પ્રિયામિલન માટે આતુર છે તો કુદરતની મસ્તીમાં પણ એ પ્રિયાને જોવાની આતુરતા કલ્પે એ બંધ બેસે તેવું છે. કાવ્યમાં પ્રિયાનો જે મહિમા થાય છે એની સાથે પણ એ સુસંગત છે. આના અનુસંધાનમાં કવિ “પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી” એમ કહે છે તે પણ આ અર્થનું સમર્થન કરે એવું છે.
પછી રહ્યો નવમી કડીનો ‘સાક્ષાત્‌ હરિ’નો ઉલ્લેખ. પ્રિયાપ્રાપ્તિ. એટલે ઇષ્ટપ્રાપ્તિ, પ્રભુની મહેર એમ કરતાંકરતાં પ્રિયાદર્શન એટલે પ્રભુદર્શન કે હરિદર્શન એવું સમીકરણ કવિના ઉત્સુક હ્રદયે કરી નાખ્યું હોય એ અશક્ય નથી. વળી કડી ૬થી ૮માં પ્રિયા અને કુદરતનું દ્વન્દ્વ રજૂ થયેલું છે – ૮મી કડીમાં તો પ્રિયામાં કુદરતને સમાઈ ગયેલી માની છે. એટલે ૯મી કડીમાં કવિ પ્રિયાને જ ‘સાક્ષાત્‌ હરિ’ કહેતા હોય અને એની પ્રતિકૃતિ સમી કુદરતમાં હવે પોતાનો રસ રહ્યો નથી એવું સૂચવતા હોય તો એ સંગત બની રહે.
પછી રહ્યો નવમી કડીનો ‘સાક્ષાત્‌ હરિ’નો ઉલ્લેખ. પ્રિયાપ્રાપ્તિ. એટલે ઇષ્ટપ્રાપ્તિ, પ્રભુની મહેર એમ કરતાંકરતાં પ્રિયાદર્શન એટલે પ્રભુદર્શન કે હરિદર્શન એવું સમીકરણ કવિના ઉત્સુક હ્રદયે કરી નાખ્યું હોય એ અશક્ય નથી. વળી કડી ૬થી ૮માં પ્રિયા અને કુદરતનું દ્વન્દ્વ રજૂ થયેલું છે – ૮મી કડીમાં તો પ્રિયામાં કુદરતને સમાઈ ગયેલી માની છે. એટલે ૯મી કડીમાં કવિ પ્રિયાને જ ‘સાક્ષાત્‌ હરિ’ કહેતા હોય અને એની પ્રતિકૃતિ સમી કુદરતમાં હવે પોતાનો રસ રહ્યો નથી એવું સૂચવતા હોય તો એ સંગત બની રહે.
Line 71: Line 79:
૧. એક તો, આ ગઝલોમાં કેટલેક ઠેકાણે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો તલસાટ અને એને માટેની વ્યાકુળતા છે. તો પણ ઈશ્વરી કૃપાના સાક્ષાત્કારનો આનંદસભર ઉદ્‌ગાર એમાં સંભળાયા વિના રહેતો નથી. જીવનધન્યતાનું એક સબળ સંવેદન એમાં અભિવ્યક્ત થાય છે. આ ધન્યતાની લાગણી ક્યાંથી આવી? ધન્યતાનો અનુભવ કરાવે એવી એક જ ઘટના કલાપીના જીવનમાં એ વખતે બની હતી અને તે શોભનાની પ્રાપ્તિ, શોભનાનું સુખ. એટલે પ્રિયાપ્રેમને છાયારૂપ ગણી એનાથી ઊંચા પ્રભુપ્રેમ તરફ વળ્યા એમ નહિ પણ પ્રિયાપ્રેમનો અનુભવ જ એમના ઈશ્વરી પ્રેમના સાક્ષાત્કારનું નિમિત્ત બન્યો હોય એ રીતે પણ આ ગઝલોને જોઈ શકાય. ‘હૃદય ભરપૂર હોય’ તેમાંથી આ ગઝલો જન્મી છે તો હૃદયની સભરતાનો આ રીતે વિચાર કરી શકાય.
૧. એક તો, આ ગઝલોમાં કેટલેક ઠેકાણે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો તલસાટ અને એને માટેની વ્યાકુળતા છે. તો પણ ઈશ્વરી કૃપાના સાક્ષાત્કારનો આનંદસભર ઉદ્‌ગાર એમાં સંભળાયા વિના રહેતો નથી. જીવનધન્યતાનું એક સબળ સંવેદન એમાં અભિવ્યક્ત થાય છે. આ ધન્યતાની લાગણી ક્યાંથી આવી? ધન્યતાનો અનુભવ કરાવે એવી એક જ ઘટના કલાપીના જીવનમાં એ વખતે બની હતી અને તે શોભનાની પ્રાપ્તિ, શોભનાનું સુખ. એટલે પ્રિયાપ્રેમને છાયારૂપ ગણી એનાથી ઊંચા પ્રભુપ્રેમ તરફ વળ્યા એમ નહિ પણ પ્રિયાપ્રેમનો અનુભવ જ એમના ઈશ્વરી પ્રેમના સાક્ષાત્કારનું નિમિત્ત બન્યો હોય એ રીતે પણ આ ગઝલોને જોઈ શકાય. ‘હૃદય ભરપૂર હોય’ તેમાંથી આ ગઝલો જન્મી છે તો હૃદયની સભરતાનો આ રીતે વિચાર કરી શકાય.
૨. બીજું, આ ગઝલો સૂફી કવિઓની રીતે પ્રભુને ઉદ્દેશીને જ લખાયેલી છે – શોભના કે બીજી કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નહિ એવો કલાપીનો ખુલાસો<ref>‘કલાપીની પત્રધારા’, જીવનલાલ અમરશી મહેતા, અમદાવાદ, ૧૯૩૧ પૃ. ૩૮૬.</ref> સ્વીકારવામાં બાધ નથી. એમના સંપ્રજ્ઞાત મનની એ માન્યતા છે પણ આ ગઝલોમાં જે ચિત્રકલ્પનો છે તે તો માનવશૃંગારનાં જ છે અને એની તાઝગી અને તાદૃશતા એવી છે કે આપણને એમ લાગ્યા વિના ન રહે કે માનવપ્રેમના નિબિડ સંસ્પર્શથી રોમાંચિત થયેલા, ચિત્તમાંથી આ ગઝલો જન્મી હશે :
૨. બીજું, આ ગઝલો સૂફી કવિઓની રીતે પ્રભુને ઉદ્દેશીને જ લખાયેલી છે – શોભના કે બીજી કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નહિ એવો કલાપીનો ખુલાસો<ref>‘કલાપીની પત્રધારા’, જીવનલાલ અમરશી મહેતા, અમદાવાદ, ૧૯૩૧ પૃ. ૩૮૬.</ref> સ્વીકારવામાં બાધ નથી. એમના સંપ્રજ્ઞાત મનની એ માન્યતા છે પણ આ ગઝલોમાં જે ચિત્રકલ્પનો છે તે તો માનવશૃંગારનાં જ છે અને એની તાઝગી અને તાદૃશતા એવી છે કે આપણને એમ લાગ્યા વિના ન રહે કે માનવપ્રેમના નિબિડ સંસ્પર્શથી રોમાંચિત થયેલા, ચિત્તમાંથી આ ગઝલો જન્મી હશે :
* યારી ગુલામી શું કરું તારી? સનમ!  
{{Poem2Close}}
{{Block center|<poem>* યારી ગુલામી શું કરું તારી? સનમ!  
   ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ!
   ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ!
* જાણે વીંટાઈ ઝૂલ્ફમાં છૂપી રહું!
* જાણે વીંટાઈ ઝૂલ્ફમાં છૂપી રહું!
* માશૂકોના ગાલના લાલી મહીં લાલી, અને  
* માશૂકોના ગાલના લાલી મહીં લાલી, અને  
   જ્યાંજ્યાં ચમન જ્યાંજ્યાં ગુલો, ત્યાંત્યાં નિશાની આપની!
   જ્યાંજ્યાં ચમન જ્યાંજ્યાં ગુલો, ત્યાંત્યાં નિશાની આપની!</poem>}}
{{Poem2Open}}
અહીં એ નોંધી શકાય કે કલાપીએ એક વખત શોભનાને લખેલું “હું જ્યાંજ્યાં દૃષ્ટિ નાખું છું, ત્યાંત્યાં ચોગમ તારાં જ દર્શન જામી રહ્યાં છે”<ref>એજન, પૃ. ૨ </ref> તેનો જ ઉપયોગ ‘આપની યાદી’માં એમણે પછીથી કર્યો છે : “જ્યાંજ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.” ઉપરાંત આ કવિતાઓ શોભનાને ઉદ્દેશીને નથી લખાયેલી એમ કલાપી જે કાગળમાં કહે છે તે જ કાગળમાં આરંભે “શોભના સાથે બહુ જ આનંદ આવે છે તેમાં તો કંઈ જ શંકા નહિ” એમ સ્વીકાર્યું છે. (કાગળમાં નામને ઠેકાણે ખાલી જગ્યા છે. પણ એ શોભના જ છે એમાં શંકા લાગતી નથી).
અહીં એ નોંધી શકાય કે કલાપીએ એક વખત શોભનાને લખેલું “હું જ્યાંજ્યાં દૃષ્ટિ નાખું છું, ત્યાંત્યાં ચોગમ તારાં જ દર્શન જામી રહ્યાં છે”<ref>એજન, પૃ. ૨ </ref> તેનો જ ઉપયોગ ‘આપની યાદી’માં એમણે પછીથી કર્યો છે : “જ્યાંજ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.” ઉપરાંત આ કવિતાઓ શોભનાને ઉદ્દેશીને નથી લખાયેલી એમ કલાપી જે કાગળમાં કહે છે તે જ કાગળમાં આરંભે “શોભના સાથે બહુ જ આનંદ આવે છે તેમાં તો કંઈ જ શંકા નહિ” એમ સ્વીકાર્યું છે. (કાગળમાં નામને ઠેકાણે ખાલી જગ્યા છે. પણ એ શોભના જ છે એમાં શંકા લાગતી નથી).
કલાપીના જીવનમાં આવી કવિતા અત્યારે જ કેમ આવી એનો આવો ખુલાસો આપી શકાય. ઓછામાં ઓછું, કલાપીના ચિત્તમાં પ્રિયાપ્રેમને સ્થાને પ્રભુપ્રેમ નહિ પણ લાગણીઓનો એક સંકુલ અસ્તિત્વ ધરાવતો થયો છે એમ કહી શકાય.
કલાપીના જીવનમાં આવી કવિતા અત્યારે જ કેમ આવી એનો આવો ખુલાસો આપી શકાય. ઓછામાં ઓછું, કલાપીના ચિત્તમાં પ્રિયાપ્રેમને સ્થાને પ્રભુપ્રેમ નહિ પણ લાગણીઓનો એક સંકુલ અસ્તિત્વ ધરાવતો થયો છે એમ કહી શકાય.
Line 81: Line 91:
<center> '''૪''' </center>
<center> '''૪''' </center>
જે તારણો પર આપણે જઈએ છીએ તેનું સમર્થન કરે એવી કલાપીના જીવનને લગતી કોઈ માહિતી કે આધારો છે કે કેમ તે જોવું જોઈએ. કલાપી લગ્નના નિશ્ચયથી શોભનાને પોતાને બંગલે લાવ્યા તા. ૧૧–૭–‘૯૮ના રોજ, શોભના પણ કબૂલ થાય છે.<ref>‘કલાપી એક અધ્યયન’, ઇન્દ્રવદન દવે, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૧૭૩</ref> આ સમયની કલાપીની મનઃસ્થિતિનો ખ્યાલ તા. ૧૭-૭-૯૮ના રોજ દરબાર શ્રી. વાજસૂરવાળાને<ref>‘કલાપીની પત્રધારા’, પૃ. ૨૦૦</ref> તથા તા. ૧૭-૭-૯૮ના રોજ જટિલને<ref>‘કલાપીના ૧૪૪ પત્રો’, મુનિકુમાર ભટ્ટ, ભાવનગર, ૧૯૨૫, પૃ. ૬૫</ref> પત્રમાં ટાંકેલી બે પંક્તિઓ આપી દે છે :
જે તારણો પર આપણે જઈએ છીએ તેનું સમર્થન કરે એવી કલાપીના જીવનને લગતી કોઈ માહિતી કે આધારો છે કે કેમ તે જોવું જોઈએ. કલાપી લગ્નના નિશ્ચયથી શોભનાને પોતાને બંગલે લાવ્યા તા. ૧૧–૭–‘૯૮ના રોજ, શોભના પણ કબૂલ થાય છે.<ref>‘કલાપી એક અધ્યયન’, ઇન્દ્રવદન દવે, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૧૭૩</ref> આ સમયની કલાપીની મનઃસ્થિતિનો ખ્યાલ તા. ૧૭-૭-૯૮ના રોજ દરબાર શ્રી. વાજસૂરવાળાને<ref>‘કલાપીની પત્રધારા’, પૃ. ૨૦૦</ref> તથા તા. ૧૭-૭-૯૮ના રોજ જટિલને<ref>‘કલાપીના ૧૪૪ પત્રો’, મુનિકુમાર ભટ્ટ, ભાવનગર, ૧૯૨૫, પૃ. ૬૫</ref> પત્રમાં ટાંકેલી બે પંક્તિઓ આપી દે છે :
“અબ તો બાત ફેલ ગઈ, જાને સબ કોઈ,  
{{Poem2Close}}
મીરાં તો મગન ભઈ! હોનારી સો હોઈ.”
{{Block center|<poem>“અબ તો બાત ફેલ ગઈ, જાને સબ કોઈ,  
મીરાં તો મગન ભઈ! હોનારી સો હોઈ.”</poem>}}
{{Poem2Open}}
તા. ૧૯–૭–૯૮ના રોજ કલાપી વાજસૂરવાળાને લખે છે<ref>‘કલાપીની પત્રધારા’, પૃ. ૨૦૦</ref> : “દુઃખ કરતાં આનંદનો ઇતિહાસ નાનો હોય છે અને તેથી દુઃખ કરતાં આનંદમાં બોલવાનું ઓછું હોય છે.
તા. ૧૯–૭–૯૮ના રોજ કલાપી વાજસૂરવાળાને લખે છે<ref>‘કલાપીની પત્રધારા’, પૃ. ૨૦૦</ref> : “દુઃખ કરતાં આનંદનો ઇતિહાસ નાનો હોય છે અને તેથી દુઃખ કરતાં આનંદમાં બોલવાનું ઓછું હોય છે.
હમે હમારા જલા દિયા, અગન પલીતા હાથ,  
{{Poem2Close}}
તુમ તુમારા જલા દિયો! ફિર ચલો હમારી સાથ.”
{{Block center|<poem>હમે હમારા જલા દિયા, અગન પલીતા હાથ,  
તુમ તુમારા જલા દિયો! ફિર ચલો હમારી સાથ.”</poem>}}
{{Poem2Open}}
લગભગ આ જ અરસામાં લખાયેલા જણાતા બીજા પત્રો પણ કલાપીના આત્મસંતોષને – જે પ્રિયતમા શોભનાની પ્રાપ્તિ, શોભનાને ઉગારીને પોતે બજાવેલું કર્તવ્ય વગેરે મિશ્ર કારણોથી હોવા સંભવ છે – સ્પષ્ટપણે પ્રગટ કરે છે :
લગભગ આ જ અરસામાં લખાયેલા જણાતા બીજા પત્રો પણ કલાપીના આત્મસંતોષને – જે પ્રિયતમા શોભનાની પ્રાપ્તિ, શોભનાને ઉગારીને પોતે બજાવેલું કર્તવ્ય વગેરે મિશ્ર કારણોથી હોવા સંભવ છે – સ્પષ્ટપણે પ્રગટ કરે છે :
૧. શોભનાને : “મારું જીવન તો હવે સર્વત્ર આનંદમય થઈ રહ્યું છે... હું જ્યાંજ્યાં દૃષ્ટિ નાખું છું, ત્યાંત્યાં ચોગમ તારાં જ પ્રફુલ્લ દર્શન જામી રહ્યાં છે. અંતઃકરણ સંતોષનાં પ્રબળ મોજાંમાં ઝૂલી રહ્યું છે, અને સર્વના સૂત્રધાર કૃપાલુ પ્રભુના આભારમાં ઘડીએ-ઘડીએ ડૂબી જાય છે...અરે, મને લાગે છે, જાણે પરમાનંદની સીમા પર હું ઊભો છું...”<ref>એજન, પૃ. ૭૨</ref>
૧. શોભનાને : “મારું જીવન તો હવે સર્વત્ર આનંદમય થઈ રહ્યું છે... હું જ્યાંજ્યાં દૃષ્ટિ નાખું છું, ત્યાંત્યાં ચોગમ તારાં જ પ્રફુલ્લ દર્શન જામી રહ્યાં છે. અંતઃકરણ સંતોષનાં પ્રબળ મોજાંમાં ઝૂલી રહ્યું છે, અને સર્વના સૂત્રધાર કૃપાલુ પ્રભુના આભારમાં ઘડીએ-ઘડીએ ડૂબી જાય છે...અરે, મને લાગે છે, જાણે પરમાનંદની સીમા પર હું ઊભો છું...”<ref>એજન, પૃ. ૭૨</ref>
Line 113: Line 127:
કલાપીએ શોભનાને ભણાવેલી, માથેરાન ગયા હતા ત્યારે એની સાથે કવિતાઓ વાંચેલી. આમ છતાં શોભનાને સાહિત્યનો કેટલો ઉત્કટ રસ હતો એ આપણે જાણતા નથી. ન હોય તો પણ એ વસ્તુ કલાપીના ધ્યાનબહાર ન હોય. ઉપરાંત આ બાબતમાં કલાપીની દૃષ્ટિ સ્પષ્ટ છે : “આપણી જ – આ લખનારની પણ સ્ત્રીઓને આપણે ચાહીએ છીએ શા માટે? તેઓ આપણને ચાહે છે માટે જ. બીજી કઈ રીતે તેઓ ચાહવાને યોગ્ય છે? વિદ્વાન છે? હુશિયાર છે? આપણા શોખમાં ભાગી થઈ શકે એવી છે?”<ref>એજન, પૃ. ૩૩૮</ref> એટલે આ જાતની સ્થિતિ કલાપીના મનમાં નિરાશાનો કોઈ તીવ્ર પ્રત્યાઘાત જન્માવી ન શકે.
કલાપીએ શોભનાને ભણાવેલી, માથેરાન ગયા હતા ત્યારે એની સાથે કવિતાઓ વાંચેલી. આમ છતાં શોભનાને સાહિત્યનો કેટલો ઉત્કટ રસ હતો એ આપણે જાણતા નથી. ન હોય તો પણ એ વસ્તુ કલાપીના ધ્યાનબહાર ન હોય. ઉપરાંત આ બાબતમાં કલાપીની દૃષ્ટિ સ્પષ્ટ છે : “આપણી જ – આ લખનારની પણ સ્ત્રીઓને આપણે ચાહીએ છીએ શા માટે? તેઓ આપણને ચાહે છે માટે જ. બીજી કઈ રીતે તેઓ ચાહવાને યોગ્ય છે? વિદ્વાન છે? હુશિયાર છે? આપણા શોખમાં ભાગી થઈ શકે એવી છે?”<ref>એજન, પૃ. ૩૩૮</ref> એટલે આ જાતની સ્થિતિ કલાપીના મનમાં નિરાશાનો કોઈ તીવ્ર પ્રત્યાઘાત જન્માવી ન શકે.
પણ જીવનનો જે માર્ગ પોતે લેવા ચાહતા હતા તેમાં સાથ ન મળવાથી કલાપીને નિરાશા થઈ હોય. રમા પ્રત્યે ગાઢ પ્રેમમાં હતા ત્યારે પણ કલાપીને થયેલું – “એક જ વિચાર, એક જ મત, એક જ માર્ગ, તે બની શકે તેવું નથી. એકને રાજ્ય, વૈભવ, લક્ષ્મી, સત્તા વગેરેમાં લોભ તો બીજાને તેમાંનું કશું નહિ!”<ref>એજન, પૃ. ૫-૬</ref> શોભના તો, આપણે આગળ નોંધ્યું છે તે પ્રમાણે, કલાપી રહે ત્યાં રહેવા, વિચારે તે વિચારવા તૈયાર છે એમ કલાપીએ લખ્યું છે. આમ છતાં, વાસ્તવિક નિર્ણયની પળે શોભનાના મનમાં કંઈ અચકાટ હોય પણ ખરો. વળી કલાપી, ‘શરાબનો ઇન્કાર’માં જરા વ્યાપક સંદર્ભમાં કહે છે તેમ, એના ખરેખરા મન વિના એને ખેંચી જવા ચાહે પણ નહિ :
પણ જીવનનો જે માર્ગ પોતે લેવા ચાહતા હતા તેમાં સાથ ન મળવાથી કલાપીને નિરાશા થઈ હોય. રમા પ્રત્યે ગાઢ પ્રેમમાં હતા ત્યારે પણ કલાપીને થયેલું – “એક જ વિચાર, એક જ મત, એક જ માર્ગ, તે બની શકે તેવું નથી. એકને રાજ્ય, વૈભવ, લક્ષ્મી, સત્તા વગેરેમાં લોભ તો બીજાને તેમાંનું કશું નહિ!”<ref>એજન, પૃ. ૫-૬</ref> શોભના તો, આપણે આગળ નોંધ્યું છે તે પ્રમાણે, કલાપી રહે ત્યાં રહેવા, વિચારે તે વિચારવા તૈયાર છે એમ કલાપીએ લખ્યું છે. આમ છતાં, વાસ્તવિક નિર્ણયની પળે શોભનાના મનમાં કંઈ અચકાટ હોય પણ ખરો. વળી કલાપી, ‘શરાબનો ઇન્કાર’માં જરા વ્યાપક સંદર્ભમાં કહે છે તેમ, એના ખરેખરા મન વિના એને ખેંચી જવા ચાહે પણ નહિ :
તાઝિમોથી, ઇશ્કથી, લાખો ખુશામદથી અગર –  
{{Poem2Close}}
જાઉં જહાંને લાવવા, તો ત્યાં મઝા એને નથી.
{{Block center|<poem>તાઝિમોથી, ઇશ્કથી, લાખો ખુશામદથી અગર –  
જાઉં જહાંને લાવવા, તો ત્યાં મઝા એને નથી.</poem>}}
{{Poem2Open}}
આ વસ્તુસ્થિતિ હોય તો પણ કલાપીએ એની સાથે, પોતાના સ્વભાવ મુજબ સમાધાન કરી લીધું હશે જ. એમની છેલ્લી ગઝલ પણ એ દર્શાવે છે.
આ વસ્તુસ્થિતિ હોય તો પણ કલાપીએ એની સાથે, પોતાના સ્વભાવ મુજબ સમાધાન કરી લીધું હશે જ. એમની છેલ્લી ગઝલ પણ એ દર્શાવે છે.
કદાચ ‘શરાબનો ઇનકાર’ની જેમ ‘સાકીને ઠપકો’માં કલાપીના મનમાં વ્યાપક સંદર્ભ હોય, કદાચ આ ગઝલો એક કવિમિજાજ હોય.
કદાચ ‘શરાબનો ઇનકાર’ની જેમ ‘સાકીને ઠપકો’માં કલાપીના મનમાં વ્યાપક સંદર્ભ હોય, કદાચ આ ગઝલો એક કવિમિજાજ હોય.
કલાપીની પ્રભુપ્રીતિ સાચી હતી, પરંતુ એમાં માનવસ્નેહનો અનાદર નહોતો. વિભાગો કરવાથી સ્નેહ ન્યૂન બનતો નથી એવી માન્યતાથી રમા અને શોભનાને એક સાથે ચાહવા તત્પર થયેલા કલાપીના જીવનનો કોયડો પ્રિયા–કે–પ્રભુનો નહિ પણ પ્રિયા – અને – પ્રભુનો જણાય છે.
કલાપીની પ્રભુપ્રીતિ સાચી હતી, પરંતુ એમાં માનવસ્નેહનો અનાદર નહોતો. વિભાગો કરવાથી સ્નેહ ન્યૂન બનતો નથી એવી માન્યતાથી રમા અને શોભનાને એક સાથે ચાહવા તત્પર થયેલા કલાપીના જીવનનો કોયડો પ્રિયા–કે–પ્રભુનો નહિ પણ પ્રિયા – અને – પ્રભુનો જણાય છે.
 
{{Poem2Close}}
 
પાદટીપ
૧. ‘કલાપી’, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૪૪, પૃ. ૬૨-૬૩.
૨. ‘અવલોકના’, આર. આર. શેઠની કંપની, મુંબઈ, ૧૯૬૫, પૃ. ૧૯૩-૯૪,
૩. ‘કલાપીનો કાવ્યકલાપ’, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૫૫, પ્રસ્તાવના, પૃ. ૧૨-૧૩.
૪. એજન, પૃ. ૧૫-૧૬.
૫. એજન, પૃ. ૩૧
૬. ‘કલાપીનો કેકારવ’, ગુજરાત પુસ્તકાલય સ. સ. મંડળ લિ. વડોદરા, સં. ૨૦૨૪, વિવરણ, પૃ. ૧૪૮.
૭. ઇન્દ્રવદન દવે, ‘કલાપીનો કેકાવાર’ વિવરણ, પૃ. ૧૪૭
૮. ‘કલાપીનો કાવ્યકલાપ’, વિવરણ, પૃ. ૨૮૦
૯. ‘કલાપીની પત્રધારા’, જીવનલાલ અમરશી મહેતા, અમદાવાદ, ૧૯૩૧ પૃ. ૩૮૬.
૧૦. એજન, પૃ. ૨
૧૧. ‘કલાપી એક અધ્યયન’, ઇન્દ્રવદન દવે, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૧૭૩
૧૨. ‘કલાપીની પત્રધારા’, પૃ. ૨૦૦
૧૩. ‘કલાપીના ૧૪૪ પત્રો’, મુનિકુમાર ભટ્ટ, ભાવનગર, ૧૯૨૫, પૃ. ૬૫
૧૪. ‘કલાપીની પત્રધારા’, પૃ. ૨૦૦
૧૫. એજન, પૃ. ૭૨
૧૬, એજન, પૃ. ૬૭
૧૭. એજન, પૃ. ૬૮-૬૯
૧૮. ‘કલાપી એક અધ્યયન’, પૃ. ૧૭૪
૧૯. ‘કલાપીની પત્રધારા’, પૃ. ૪૦૨-૦૩
૨૦. ‘કલાપી એક અધ્યયન’, પૃ ૧૭૭.
૨૧. ‘કલાપીના ૧૪૪ પત્રો’, પૃ. ૬૬.
૨૨. એજન, પૃ. ૪૫
૨૩. ‘કલાપી એક અધ્યયન’, પૃ. ૧૭૪-૭૫,
૨૪. ‘કલાપીની પત્રધારા’, પૃ. ૪૩૫.
૨૫. ‘કલાપીના ૧૪૪ પત્રો’, પૃ. ૭-૮.
૨૬. ‘કલાપીની પત્રધારા’, પૃ. ૫૪
૨૭. એજન, પૃ. ૫૬
૨૮. એજન, પૃ. ૧૯૫
૨૯. એજન, પૃ. ૧૩૩
૩૦. એજન, પૃ. ૪૨૫
૩૧. એજન, પૃ. ૪૨૬-૨૭
૩૨. એજન, પૃ. ૪૪૧
૩૩. કલાપીએ આપેલી સમજૂતી, જુઓ સાગરસંપાદિત ‘કેકારવ’ ની આવૃત્તિ ત્રીજી, પૃ. ૫૦૯-૧૦
૩૪. ‘કલાપીની પત્રધારા’, પૃ. ૭૫
૩૫. એજન, પૃ. ૩૩૮
૩૬. એજન, પૃ. ૫-૬


{{Right |[કલાપીદર્શન, ૧૯૭૪] }} <br>
{{Right |[કલાપીદર્શન, ૧૯૭૪] }} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}