કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૪૩. કવિતા

From Ekatra Wiki
Revision as of 01:53, 16 September 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૩. કવિતા

ગદ્ગદ વાણી ગદ્ય થઈ
સૂર સહિત થઈ પદ્ય,
છંદોલયમાં ચિંતન ભળતાં,
કવનરૂપ થઈ સદ્ય.
કવિતા કવિતા શું કરો
કવિતા કરી ન થાય;
હૃદયે ગોવિંદ જો વસે
વાણી સરસ્‌વતી થાય.
*સરખાવોઃ ૧. વાક્યં રસાત્મકં કાવ્યં ।
  ૨. કાવ્યં ગદ્યં ચ પદ્યં ચ ।

(એકાન્તિકી, ૨૦૦૪, પૃ. ૧)