પરિભ્રમણ ખંડ 2/નિર્જળ માસ

From Ekatra Wiki
Revision as of 11:31, 20 July 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
નિર્જળ માસ


જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે.

નિર્જળું વ્રત એટલે?

એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે —          દાતણ પાણી મોકળાં, તો જ બાથી દાતણ કરાય. પછી કોઈ કહે કે —          નાવણ પાણી મોકળાં, તો જ બા નાહી શકે. કોઈ કહે કે —          અન્ન પાણી મોકળાં તો જ બાથી જમી શકાય.