બાળ કાવ્ય સંપદા/કોડિયું
Jump to navigation
Jump to search
કોડિયું
લેખક : વિનોદ જાની
(1935)
કોડિયું નાનું પ્રગટે ત્યાં તો,
પ્રકાશ પથરાઈ જાય;
પ્રકાશને જોતાંની સાથે,
ઝટ અંધારું જાય.
ઝળહળ ઝળહળ થતો દીવડો,
લાગે કેવો હસતો !
અંધારું પી જઈને એ તો,
જગને ઉજાસ દેતો.
એક કોડિયું પાસે જઈને,
બીજાને પ્રગટાવે;
વીજ-ગોળો. બીજા ગોળાને,
કદીય શું પ્રગટાવે ?
મંદિરમાં કે ઘરના ગોખે,
કોડિયું ઝગમગ થાય;
કતારમાં સૌ ગોઠવાયે તો,
દીપાવલી કહેવાય.